- 3 ઓગસ્ટથી શેરબજારમાં નવી ક્લોઝિંગ સિસ્ટમ, કેટલાક શેર વહેલા બંધ થશે
- હુથીઓના હુમલા બાદ ટ્રમ્પની ચેતવણી, મધ્યપૂર્વમાં અમેરિકા લશ્કરી તૈયારી તેજ
- મનોજ સોરઠીયાનો ભાજપ પર પ્રહાર: પેપર લીકથી યુવાનોનું ભવિષ્ય બગાડ્યું, ચૈતર વસાવાને ન્યાયની માંગ
- અમદાવાદ ગ્રામ્યમાં અતિભારે વરસાદ: 430 લોકોનું સ્થળાંતર, 40નું રેસ્ક્યુ, રેડ એલર્ટ યથાવત
- પેપર લીક સામે PM મોદીનું કડક વલણ: ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાનો કાયદો આવશે
- AMC પર AAPનો પ્રહાર: એક વરસાદમાં અમદાવાદના રસ્તા બન્યા ‘સ્વિમિંગ પૂલ’
- સાસુના અંતિમ સંસ્કાર દરમિયાન જમાઈને મગર ખેંચી ગયો, ઘાઘરા નદી કિનારે કરૂણ ઘટના
- યુવાનોનો વિશ્વાસ જીત્યા વિના લોકશાહી મજબૂત નહીં બને: છગનલાલ મેવાડા
Author: garvigujrat
નવરાત્રીના આઠમના દિવસે માં મહાગૌરીની આરાધના કરવામાં આવે છે.નવરાત્રિનો આઠમો દિવસ મા દુર્ગાના સ્વરૂપ મા મહાગૌરીને સમર્પિત માનવામાં આવે છે. નવરાત્રિની આ અષ્ટમી તારીખને મહાષ્ટમી અથવા દુર્ગા અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા મહાગૌરીએ ભગવાન શિવને તેમના પતિના રૂપમાં મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી અને એક વખત ભગવાન ભોલેનાથે પાર્વતીજીને જોઈને કંઈક કહ્યું, જેના કારણે દેવીનું મન દુઃખી થઈ ગયું અને પાર્વતીજી તપસ્યામાં મગ્ન થઈ ગયા. આ રીતે વર્ષો સુધી કઠોર તપસ્યા કર્યા પછી જ્યારે માતા પાર્વતી આવતી નથી ત્યારે ભગવાન શિવ પાર્વતીની શોધમાં તેમની પાસે પહોંચે છે. જ્યારે તેઓ ત્યાં પહોંચે છે, ત્યારે તેઓ ત્યાં માતા પાર્વતીનું…
આ કાંસ્ય પ્રતિમાનું અનાવરણ વર્ષ ૧૯૬૮માં કરાયું હતુ.ગાંધી જયંતિ પૂર્વે લંડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ.ઈન્ડિયા લીગના સહયોગથી બનેલી આ કાંસ્ય પ્રતિમાનું અનાવરણ વર્ષ ૧૯૬૮ માં કરવામાં આવ્યું હતું. ગાંધી જયંતિના ત્રણ દિવસ પૂર્વે જ લંડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી છે. જેમાં લંડનનાટેવિસ્ટોક સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની અજાણ્યા વ્યક્તિઓએ તોડફોડ કરી હતી. ભારતીય હાઈ કમિશને આ ઘટનાની સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી.આ પ્રતિમાના ચબૂતરા પર પણ કેટલીક હેરાન કરનારી વાતો લખવામાં આવી છે. આ ઘટનાની જાણકારી મળતા લંડન પોલીસે તપાસ શરુ કરી છે. આ ઘટના હાલ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે.આ ઘટના અંગે ભારતીય હાઈ કમિશને નારાજગી વ્યક્ત…
ઈઝરાયલ સહમત, હમાસ પણ તૈયાર થાય તો ૭૨ કલાકમાં યુદ્ધ સમાપ્ત.અરબ અને મુસ્લિમ દેશોએ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાનું સ્વાગત કર્યુ.સાઉદી અરબ, જાેર્ડન, સંયુક્ત અરબ અમીરાત, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, તુર્કી, કતાર અને ઇજિપ્તના વિદેશ પ્રધાનોએ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાનું સ્વાગત કર્યું છ.ગાઝા પટ્ટીમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ઇઝરાયેલના લશ્કરી અભિયાનને સમાપ્ત કરવા માટે અમેરિકાએ મોટું પગલું ભર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હાજરીમાં ગાઝા સહિત સમગ્ર પેલેસ્ટાઇન ક્ષેત્રમાં શાંતિ માટેની ૨૦-સૂત્રીય એક્શન પ્લાનની જાહેરાત કરી છે. વોશિંગ્ટનના પ્રવાસે પહોંચેલા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાયહૂની ઉપસ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેની જાહેરાત કરી હતી.વ્હાઇટ હાઉસમાં આ યોજનાની જાહેરાત…
કરોડો લોકોનો દુનિયા સાથેનો સંપર્ક તૂટ્યો.અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ.ઈન્ટરનેટ બ્લેકઆઉટની સૌથી વધુ અસર સામાન્ય લોકો અને વ્યવસાયો પર પડી છે. પરિવારો હવે વિદેશમાં રહેતા તેમના પ્રિયજનો સાથે વાતચીત કરી શકતા નથી.વર્ષ ૨૦૨૧માં તાલિબાન અફઘાનિસ્તાનની સત્તામાં આવ્યું ત્યારથી જ સમગ્ર દેશમાં અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને મહિલાઓ અને મીડિયા પર આકરાં પ્રતિબંધ છે. એવામાં હવે અફઘાનિસ્તાનમાં સામાન્ય નાગરિકો ઈન્ટરનેટનો ઉપયોગ પણ નહીં કરી શકે. તાલિબાને સમગ્ર અફઘાનિસ્તાનમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ કરવાની જાહેરાત કરી છે. છેલ્લા ઘણા દિવસથી તાલિબાનીઓ અનેક પ્રાંતમાં ફાઈબર ઓપ્ટિક કનેક્શનના તાર કાપી રહ્યા છે. જે બાદથી ધીમે ધીમે અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ થઈ ગયું.…
ટીમ ઈન્ડિયાએ ટ્રોફી વગર જીતની ઉજવણી.બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે પ્રાઈસ મનીની જાહેરાત કરી.ભારતીય ખેલાડીઓએ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની ના પાડી દીધી અને આ ડ્રામા લગભગ ૨ કલાક સુધી રહ્યા.સૂર્યકુમાર યાદવના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ ૨૮ સપ્ટેમ્બરના રોજ રવિવારે રમાયેલી એશિયા કપ ૨૦૨૫ની ફાઈનલ મેચમાં ધૂર વિરોધી પાકિસ્તાનને ૫ વિકેટથી હરાવી દીધુ અને રેકોર્ડ ૯મી વખત એશિયા કપ જીત્યો. રિપોર્ટ્સ મુજબ એશિયા કપની પ્રાઈઝ મની આ વખતે ૨.૬ કરોડ રૂપિયા છે. જે ટીમ ઈન્ડિયાને મળશે. પરંતુ ચર્ચામાં તો બીસીસીઆઈની પ્રાઈઝ મની છે. કારણ કે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે જે પ્રાઈસ મનીની જાહેરાત કરી…
પોલીસ ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે.અભિનેતા વિજય થલપતિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.આ ધમકીના પગલે, ચેન્નઈ પોલીસે વિજય અને નીલાંકરઈ સ્થિત તેમના ઘરની સુરક્ષા સઘન બનાવી દીધી છે.તમિલનાડુના કરૂરમાં તમિલગા વેત્રી કઝગમ (TVK)ની રેલીમાં ભાગદોડ થયાના બીજા જ દિવસે, પાર્ટીના વડા અને અભિનેતામાંથી નેતા બનેલા વિજય થલપતિના ચેન્નઈ સ્થિત નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ ધમકીના પગલે, ચેન્નઈ પોલીસે વિજય અને નીલાંકરઈ સ્થિત તેમના ઘરની સુરક્ષા સઘન બનાવી દીધી છે. હાલમાં, પોલીસ ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે અને તેનો ઇરાદો શું હતો તે જાણવા માટે તપાસ કરી રહી છે. કરૂરમાં ભાગદોડની ઘટના બાદ વિજય ચેન્નઈ પાછા ફર્યા હતા.…
બાળકોના શિક્ષણ માટે પુરસ્કાર કર્યો સમર્પિત.પત્રકાર અને પદ્મભૂષણ સન્માનિત રજત શર્માને અપાયું આચાર્ય તુલસી સન્માન.રજત શર્માએ એક લાખ રૂપિયાના પુરસ્કારને, બાળકોના શિક્ષણ માટે કાર્યરત ઇંડિયા ટીવીના ટ્રસ્ટમાં આપવાની જાહેરાત કરી હતી.મુખ્યમંત્રીએ તેરાપંથી જૈન સમાજના આચાર્ય શ્રમણજીના દર્શન કરી – આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રવિકાઓને વંદન કરી સૌનું દિલ જીતી લીધું હતું. આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ઇન્ડિયા ટીવીના મુખ્ય સંપાદક અને પદ્મભૂષણ રજત શર્માને તેમના સ્વચ્છ, સંયમિત તેમજ સકારાત્મક પત્રકારત્વના યોગદાન માટે ૧૬માં “આચાર્ય તુલસી સન્માન”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. રજત શર્માને સન્માન પત્ર, મોમેન્ટો અને એક લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યું હતું. રજત શર્માએ…
૩૫,૪૭,૭૦,૦૦૦ રૂપિયાના વહેવારની નોટિસ.રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા વ્યક્તિને આવી ઈન્કમટેક્સની નોટિસ.હારીજના જુનામાંકા ગામે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ચાલકને ઈન્કમટેક્સ વિભાગની નોટિસ આવતા હોબાળો મચી ગયો છે. વાત એમ છે કે, રીક્ષા ચાલક રોહિત પરમારને દવાખાના માટે રૂપિયાની જરૂર હોઈ તેના ગામના જ પરિચિત વ્યક્તિ શંકરભાઈ દેસાઈ પાસે ઉછીના રૂપિયા માંગ્યા હતા. શંકરભાઈને અમદાવાદ ખાતે રહેતા તેના એક મિત્ર બેંકમાં નોકરી કરે છે, જે ‘જિલ્લા ઉદ્યોગમાંથી તમને સબસીડીવાળી લોન કરી આપશે’ તેવું જણાવ્યું હતું ત્યાર બાદ રીક્ષા ચાલક રોહિતભાઈને લોન બાબતે ફોન કરી અમદાવાદ આવવાનું કહી ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા. બાદમાં ત્રણ ચાર ઈસમોને બોલાવી કાગળો પર રોહિતભાઈની સહીઓ કરાવી હતી…
ઉત્તર પ્રદેશમાં હિંસા મામલે ચોંકાવનારો ખુલાસો.મૌલાના તૌકીર રજાના ઘરેથી પેટ્રોલ બોંબ, હથિયારો જપ્ત.પેટ્રોલ બોંબ અને હથિયારોથી પોલીસ પર હુમલો કરાયા.ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારે (૨૬ સપ્ટેમ્બર) હિંસા મામલે હ્લૈંઇ નોંધાયા બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. એફઆઈઆરમાં હિંસા એક ષડયંત્ર હોવાનો અને તેમાં ૈંસ્ઝ્ર પ્રમુખ મૌલાના તૌકીર રજા ખાન આરોપી નંબર-૧ હોવાનો ઉલ્લેખ થયો છે. તેમણે દેખાકારોને નિર્દેશ આપ્યો હતો કે, ભલે પોલીસની હત્યા કરવી પડે, મુસ્લિમોની તાકાત બતાવવી પડે, આજે શહેરનો માહોલ બગાડવાનો છે. પોલીસે તૌકીર રજા સહિત આઠ લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત કુલ ૨૦ એફઆઈઆર નોંધાઈ છે, જેમાં ૨૦૦૦થી વધુ લોકોના નામ સામેલ છે. હિંસામાં ૧૦ પોલીસ કર્મચારીઓ…
કેબિનેટે આપી મંજૂરી.ઇમ્ૈં ના નવા ડેપ્યુટરી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મૂર્મું.તેઓ આગામી ત્રણ વર્ષ સુધી આ પદ પર ફરજ નિભાવશ.આરબીઆઈની આગામી મોનેટરી પોલિસી બેઠક પહેલાં કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર પદે શિરીષ ચંદ્ર મૂર્મુની નિમણૂક કરી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ આજે ૨૯ સપ્ટેમ્બરના રોજ શિરીષ ચંદ્ર મૂર્મુની નિમણૂક પર મહોર લગાવી હતી. તેઓ આગામી ત્રણ વર્ષ સુધી આ પદ પર ફરજ નિભાવશે. મૂર્મુ ૯ ઓક્ટોબરથી ડેપ્યુટી ગવર્નર તરીકે ફરજ નિભાવશે. હાલ તેઓ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર છે. હાલ રાજેશ્વર રાવ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર પદે કાર્યરત છે. તેમનો કાર્યકાળ ૮ ઓક્ટોબરના રોજ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



