Author: garvigujrat

વનએક્સબેટની જાહેરાતની આવકમાંથી સંપત્તિ ખરીદવાનો આરોપ.ઓનલાઈન સટ્ટાબાજીમાં ઇડી ક્રિકેટરો અને કલાકારોની સંપત્તિ ટાંચમાં લેશે.ઇડીએ આ કેસમાં યુવરાજ સિંહ, સુરેશ રૈના, રોબિન ઉથપ્પા, સોનુ સુદ, મિમી ચક્રવર્તી, અંકુશ હાજરાની પૂછપરછ કરી.ઓનલાઇન સટ્ટાબાજી અને ગેમિંગ સાથે જાેડાયેલા મની લોન્ડરિંગ કેસમાં અનેક રમતવીરો અને અભિનેતાઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં ઇડી તેમની કરોડો રૂપિયાની સંપત્તિ ટાંચમાં લઇ શકે છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ કાયદા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મ વનએક્સબેટથી જાેડાયેલ કેસોની તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંથી કેટલીક વ્યકિતઓએ તેમને મળેલ જાહેરાતની આવકમાંથી અનેક પ્રકારની સંપત્તિ ખરીદી…

Read More

સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.42,778 કરોડનાં કામકાજ સાથે બંને કીમતી ધાતુઓના વાયદા ઓલ ટાઇમ હાઇ સ્તરે ક્રૂડ તેલનો વાયદો રૂ.91 લપસ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.47379 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.75783 કરોડનું ટર્નઓવરઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 27371 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.123164.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.47379.12 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.75783.30 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 27371 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1661.39 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 42778.71 કરોડનાં કામકાજ…

Read More

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, આગામી તા. ૩ અને ૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ડિજિટલ ઈન્ડિયા, જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર બે દિવસીય નેશનલ કોન્ફરન્સનું મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડર્નાઇઝેશન પ્રોગ્રામના લક્ષ્યો હાંસલ કરવા માટેના વિઝન, નોલેજ શેરિંગ અને કેપેસિટી બિલ્ડિંગ, બેસ્ટ પ્રેકટિસીસ, ઇનોવેશન કેસ સ્ટડી તથા પોલિસી સ્ટ્રકચર વગેરે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. ડૉ. જયંતી રવિએ આ અંગે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નેશનલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશભરના વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મહેસૂલી અને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી…

Read More

લોકોએ નારાજગી જતાવી.અવિકા ગોરના લગ્નમાં રાધે માની હાજરીથી વિવાદનો જન્મ.અવિકા ગૌરે ઇન્સ્ટાગ્રામ પર રાધે માના આશીર્વાદ મેળવતા ફોટા શેર કર્યા છે, પરંતુ આ ફોટાએ તેને તપાસના ઘેરામાં લાવી દીધી છે. અવિકા ગોરના લગ્ન પૂર્વેના કાર્યક્રમમાં રાધે મા જાેવા મળી હતી. “ધમાલ વિથ પતિ પત્ની ઔર પંગા” ના સ્ટેજ નવરાત્રી ઊર્જા, અને હાસ્યથી ગુંજી ઉઠી રહ્યા છે કારણ કે રાધે મા શોમાં પ્રવેશ કરે છે, જે તરત જ ગ્લેમરસ વાતાવરણમાં વધારો કરે છે. પોતાની ભક્તિ માટે જાણીતા, રાધે મા દરેકને આશીર્વાદ આપે છે.અવિકા ગૌરે ઇન્સ્ટાગ્રામ પર રાધે માના આશીર્વાદ મેળવતા ફોટા શેર કર્યા છે, પરંતુ આ ફોટાએ તેને તપાસના ઘેરામાં લાવી…

Read More

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.પુત્રીની સરખામણી કરીના કપૂર સાથે થતા રજત બેદી ખુશખુશાલ.અભિનેતા રજત બેદીએ નેટફ્લિક્સ શો ધ બેડ્સ ઓફ બોલિવૂડમાં જયરાજ સક્સેનાની ભૂમિકામાં વાપસી કરી હતી.અભિનેતા રજત બેદીએ નેટફ્લિક્સ શો ધ બેડ્સ ઓફ બોલિવૂડમાં જયરાજ સક્સેનાની ભૂમિકામાં વાપસી કરી હતી. તે તાજેતરમાં શોના પ્રીમિયરમાં તેના પરિવાર સાથે જાેવા મળ્યો હતો. જાેકે, ચાહકોનું ધ્યાન રજત બેદીની પુત્રી, વીરા બેદી પર કેન્દ્રિત હતું, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકોએ તેની સરખામણી કરીના કપૂર સાથે પણ કરી છે, જેના કારણે રજત બેદીએ સ્વીકાર્યું છે કે પરિવારનો અચાનક લાઈમલાઈટમાં વધારો તેમના માટે એક નવો અનુભવ છે. રજત બેદીએ…

Read More

જીવનમાં ફક્ત રોમાન્સ જ મહત્વનો નથી.તૃપ્તિ ડીમરીએ સેમ મર્ચન્ટ સાથેના સંબંધ પર સ્પષ્ટતા કરી.તૃપ્તિએ રણબીર કપૂર સાથે અનિમલ ફિલ્મમાં કામ કરીને લોકપ્રિયતા મેળી છે. તે પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.તૃપ્તિ ડીમરી અને સેમ મર્ચન્ટ એક બીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જાેક અત્યાર સુધી તેમણે પોતાના સંબંધો બાબત ખુલાસો કર્યાે નહોતો. જાેકે હવે તૃપ્તિ ડિમીએ પોતાના રિલેશનશિપને લઇને ચુપકીદી તોડી છે. તૃપ્તિએ કહ્યું છે કે, સંબંધોમાં હોવું જરૂરી નથી. લોકોના વિચાર જ એવા હોય છે કે, જાે કોઈ વ્યક્તિ એકલી હોય તો એ વ્યક્તિમાં જ ખોટ છે. મતલબ કે લોકો મારામાં ખોટ સમજે છે. પરંતુ સંબંધમાં હોવું ન…

Read More

સાઉથની અભિનેત્રી ફોર્સ ૩ દ્વારા બોલીવૂડમાં ડેબ્યુ કરશ.જાેન અબ્રાહમ આગામી ફિલ્મમાં મિનાક્ષી ચૌધરી સાથે જાેડી જમાવશે.આ પ્રોજેક્ટનું નવેમ્બર ૨૦૨૫માં શૂટિંગ શરૂ કરવામાં આવશે અને ઓક્ટોબર ૨૦૨૬ સુધી શૂટિંગ પૂરુ કરવાની યોજના છ.જાેન અબ્રાહમ ફોર્સ ૩ની તૈયારી કરી રહ્યો છે. આ એક પહેલાની બે ફિલ્મોની જેમ એક સુપરહિટ ફિલ્મ બનશે. અભિનેતાઓ પોતાની ફિલ્મ માટે સાઉથની અભિનેત્રી મિનાક્ષી ચૌધરીને સાઇન કરી છે. અભિનેત્રી ફોર્સ ૩ દ્વારા બોલીવૂડમાં ડેબ્યુ કરશે. આ પ્રોજેક્ટનું નવેમ્બર ૨૦૨૫માં શૂટિંગ શરૂ કરવામાં આવશે અને ઓક્ટોબર ૨૦૨૬ સુધી શૂટિંગ પૂરુ કરવાની યોજના છે. અભિનેતા રોહિત શેટ્ટી દિગ્દર્શિત કેશ મારિયાની બાયોપિક પર કામ કરી રહ્યો છે. જે પુરી થતા તરત…

Read More

તનિશાન જાેઈ સરવેની ટીમ પણ ચોંકી ગઈ પાંડવકાલીન ગુફામાં દેખાયા ડાયનાસોરના પંજા! ઘુઘરદેવ મહાદેવની પાંડવકાલીન ગુફામાંથી ૧૦થી ૧૫ કરોડ વર્ષ જૂના જુરાસિક યુગના અવશેષો મળ્યાની સંભાવના દાહોદમાંથી ડાયનાસોરના પગલાંના નિશાન મળ્યાનો દાવો કરાયો છે. દાહોદના ઝાલોદના જૂના ચાલકિયામાં ઘૂઘરદેવ મહાદેવની પાંડવકાલીન ગુફામાં ડાયનાસોરના પંજાના નિશાન જાેવા મળ્યાનો દાવો કરાયો છે. પગલાંના નિશાન ડાયનાસોરના હોવાનો દાવો છે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની સર્વે ટીમ ગુફામાં હતી, ત્યારે તેઓને હેરિટેજ ઈમારતોનો સર્વે કરતી ટીમને ગુફામાં પગલાંના નિશાન દેખાયા હતા. પાંચ હજાર વર્ષ જૂના પૌરાણિક ઘૂઘરદેવ મંદિરની ગુફામાંથી અવશેષો મળતા લોકોમાં કૂતુહલ ફેલાયું છે. આ બાદ મંદિર ખાતે કલેક્ટરે રાત્રિ ગ્રામ સભા કરી હતી.…

Read More

સેંંકડો ઘરો થયા તબાહ યુક્રેનની રાજધાની પર ૬૦૦ ડ્રોન સાથે રશિયાએ કર્યો મોટો હુમલો આ હુમલો લગભગ ૧૨ કલાક સુધી ચાલ્યો અને આને કિવ પરના સૌથી મોટા હુમલાઓમાંનો એક માનવામાં આવે છે રશિયાએ રવિવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કર્યો. ૬૦૦ થી વધુ ડ્રોન અને મિસાઇલો છોડવામાં આવ્યા, જેના કારણે સમગ્ર શહેરમાં અરાજકતા ફેલાઈ ગઈ. આ હુમલો લગભગ ૧૨ કલાક સુધી ચાલ્યો અને આને કિવ પરના સૌથી મોટા હુમલાઓમાંનો એક માનવામાં આવે છે. યુક્રેનિયન સૈન્યએ અહેવાલ આપ્યો છે કે, રશિયાએ ૫૯૫ ડ્રોન અને ૪૮ મિસાઇલો છોડ્યા, જેમાંથી ૫૬૮ ડ્રોન અને ૪૩ મિસાઇલો તોડી પાડવામાં આવી. રાજધાની અને…

Read More

બીસીસાઈની નવી ટીમ… આરપી સિંહ અને પ્રજ્ઞાન ઓઝા બન્યા ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર્સ પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંહને અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિમાં સામેલ કરાયા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ તેની ૮૪મી વાર્ષિક સામાન્ય સભામાં નવા અધ્યક્ષ તરીકે મિથુન મન્હાસની નિયુક્ત કર્યા છે. તો પૂર્વ ભારતીય ક્રિકેટરો પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંહને અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. એસ. શરથ અને સુબ્રતો બેનર્જીના ગયા બાદ આ બે પૂર્વ ક્રિકેટરોને સમિતિમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. અમિતા શર્માને મહિલા પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. મુંબઈની સુલક્ષણા નાઈક અને શ્રવંતી નાયડુ પણ મહિલા પસંદગી…

Read More