Author: garvigujrat

ચૂંટણી ટાણે મહાગઠબંધનનું ટેન્શન વધાર્યું.લાલુના દીકરા તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવ્યો.તેજ પ્રતાપની પાર્ટીનું નામ જનશક્તિ જનતા દળ છે : તેનું ચૂંટણી પ્રતીક બ્લેકબોર્ડ છે : પાર્ટીનું પોસ્ટર બહાર પાડ્યું.પટના, બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ ની હવે ગમે ત્યારે મતદાનની તારીખો જાહેર થવાની તૈયારી છે ત્યારે કોંગ્રેસ-રાજદના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન માટે ચિંતાનો વિષય ઊભો થયો છે. રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) ના પૂર્વ નેતા અને લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી છે. તેજ પ્રતાપની પાર્ટીનું નામ જનશક્તિ જનતા દળ છે. તેનું ચૂંટણી પ્રતીક બ્લેકબોર્ડ છે. તેજ પ્રતાપ યાદવે તેમના સત્તાવાર ઠ હેન્ડલ પર…

Read More

૧૯૬૫, ૭૧, ૯૯ના યુદ્ધમાં દુશ્મનોને ભોંયભેગા કર્યા હતા.એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-૨૧ રિટાયર્ડ.રાજનાથ સિંહ, સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, ભારતીય વાયુસેનાના મિગ-૨૧ લડાકૂ વિમાનના કાફલાને વિદાય આપવા માટે હાજર રહ્યા હતા.ભારતીય વાયુસેનાનું સૌથી શક્તિશાળી લડાકૂ વિમાન રહેલું મિગ-૨૧ આજે એટલે કે ૨૬ સપ્ટેમ્બરના રોજ સેવામુક્ત થઈ ગયું છે. આ વિમાન ભારતના પ્રથમ સુપરસોનિક લડાકૂ વિમાન તરીકે જાણીતું છે, જેણે ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯ના યુદ્ધોમાં પાકિસ્તાનીઓના દિલમાં ભય પેદા કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ ફ્લાઇંગ મશીને પોતાની સેવાના અંતિમ તબક્કામાં પણ પાકિસ્તાનની શાન ગણાતા એફ-૧૬ લડાકૂ વિમાનનો શિકાર કર્યો હતો. ચંદીગઢમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મિગ-૨૧ને અંતિમ…

Read More

અન્ય દેશો પર વધુ પડતી ર્નિભરતાથી દેશની વૃદ્ધિ અવરોધાય છે: વડાપ્રધાન.સમયની કસોટીમાં પાર ઉતરેલા ભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે: પીએમ.રશિયાની મદદથી શરૂ કરાયેલી ફેક્ટરીમાં ટૂંક સમયમાં એકે-૨૦૩ રાઈફલનું ઉત્પાદન શરૂ થઈ જશે.ભારત અને રશિયા વચ્ચેની દાયકાઓ જુની મિત્રતા જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આંખમાં કણાંની જેમ ખૂંચી રહી છે. રશિયા સાથે ઓઈલ અને શસ્ત્રો સહિતનો વેપાર કરવા બદલ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકાની જંગી ટેરિફ લાદી છે. જાેકે ટ્રમ્પની ધાક-ધમકીઓને વશ થયા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે એક કાર્યક્રમ દરમિયાન રશિયા સાથેની મજબૂત ભાગીદારી પર ભાર મૂક્યો હતો. ઉત્તરપ્રદેશમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોમાં વડાપ્રધાને દેશને આર્ત્મનિભર બનાવવા પર ભાર…

Read More

રિઝર્વ બેન્કે ઓનલાઇન પેમેન્ટ વધુ સુરક્ષિત કરવા નવા નિયમો જાહેર કયા.રૂ.૫,૦૦૦થી વધુના ટ્રાન્ઝેક્શન માટે દરેક વખતે ગ્રાહકની મંજૂરી તથા OTP જરૂરી.નવા નિયમોને લાગુ કરવાનો બેન્ક તથા ઓનલાઇન વેપારીઓ માટે એક મોટો પડકાર સાબિત થશ. ઓનલાઇન ળોડના કેસોમાં સતત વધારા વચ્ચે આગામી મહિનાથી ઓનલાઇન ડિજિટલ પેમેન્ટમાં મહત્વના ફેરફાર થવા જઈ રહ્યા છે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ ઓનલાઇન નાણાકીય વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા માટે ગુરુવારે નવા નિયમો જાહેર કર્યા હતા. આ નવા નિયમોની પ્રત્યક્ષ અસર ગ્રાહકો તથા વેપારીઓ બંને પર પડશે, ખાસ કરીને એવા લોકો જે ઓટીટી પ્લેટફોર્મ, મ્યુઝિક સ્ટ્રીમિંગ સહિતના ઓનલાઇન સબ્સક્રિપ્શન કે એપ આધારિત સેવાઓનો ઉપયોગ કરે છે. હવેથી દરેક…

Read More

નવરાત્રિ મેળા દરમિયાન ૧૨૦ વધારાની એસ.ટી બસોનું સંચાલન.કુલ આશરે ૮.૨૦ લાખથી વધુ દર્શનાર્થીઓ મેળાનો લાભ લઇ શકે તે પ્રકારની સુવિધા નિગમ દ્વારા કાર્યરત કરવામાં આવી છે.આ એક્સ્ટ્રા બસોના સંચાલનનો રાજ્યના અંદાજિત ૮.૨૦ લાખથી વધુ દર્શનાર્થીઓને લાભ મળશે એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ.ટી નિગમ દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો અને મેળાઓમાં મુસાફરીમાં રાજ્યના નાગરિકોને કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. વધુમાં ગત વર્ષે નવરાત્રિ દરમિયાન પાવાગઢ ખાતે આસો નવરાત્રિ મેળામાં ૫૦ એક્સ્ટ્રા બસોનું…

Read More

ખોરાક અને ઔષધ વિભાગે નમૂના લીધા.અમદાવાદમાં નકલી ઘીની ફેક્ટરી પકડાઈ, બાતમીના આધારે ર્જીંય્ના દરોડા.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ લેબોરેટરી પરીક્ષણ માટે ઘીના નમૂના લીધા છે અને આગળવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (ર્જીંય્) દ્વારા ગુરુવારે કાંભા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા એક ઔદ્યોગિક એકમ પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી ૧.૫૬ લાખ રૂપિયાનું ૨૨૦ કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળવાળું ઘી જપ્ત કરવામાં આવ્યું છે અને ૫૪૩ કિલો ઘી ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, વહેરાલ ગામ પાસે આવેલા વાઇબ્રન્ટ મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્કના શેડ-૧માં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં ‘માઁ અર્બુદા પ્રોડક્ટ‘ના સંચાલક દ્વારા કથિત…

Read More

ચાંદીના વાયદાએ ફરી નવી ટોચ બનાવીઃ સોનાના વાયદામાં રૂ.407ની તેજીઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.1 ઢીલો કોમોડિટી વાયદાઓમાં રૂ.28589.43 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.52889.74 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24507.96 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 26789 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.81479.89 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28589.43 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.52889.74 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 26789 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1253.12 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24507.96…

Read More

જૈન વુમન એક્ટિવિસિયમ દ્વારા નવરાત્રી ગરબાનું આયોજન કરે છે: અમદાવાદ: જૈન વુમન એક્ટિવિસિયમ હેઠળ આશ્રમ રોડ પર આવેલી હોટેલ સિલ્વર ક્લાઉડ ખાતે નવરાત્રી ગરબા કાર્યક્રમનું આયોજન કરે છે, જ્યાં બધાએ ઉત્સાહપૂર્વક ગરબા નૃત્યનો આનંદ માણ્યો હતો. સંગઠનના સભ્ય સમતા સુરાણાએ જણાવ્યુંકે ગરબા કાર્યક્રમની શરૂઆત દેવી ભગવતીની પ્રાર્થના અને દીવા પ્રગટાવવાથી થઈ હતી. હાજર રહેલી તમામ મહિલાઓએ દેવીને સમર્પિત વિવિધ ભક્તિ ગીતોની ધૂન પર ગરબા નૃત્ય રજૂ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન, ઘણા સભ્યોએ પરંપરાગત અને ખાસ ગરબા થીમ આધારિત પોશાક પહેર્યા હતા, જેનાથી કાર્યક્રમની શોભામાં વધારો થયો હતો. સંસ્થાના હીના લુંકડ, સમતા સુરાણા, નીતુ ભણસાળી, પ્રિયંકા શ્રીશ્રીમાલ, પ્રિયા પટવારી, પ્રતિભા રાજગુરુ…

Read More

લદ્દાખ હિંસા બાદ સરકારનું મોટું એક્શન.સોનમ વાંગચુકના દ્ગય્ર્ંનું વિદેશી ફન્ડિંગ લાયસન્સ રદ.તેનું કારણ સંગઠન દ્વારા દ્ગય્ર્ં માટે વિદેશી ફન્ડિંગ સંબંધી કાયદાનું વારંવાર ઉલ્લંઘન જણાવવામાં આવ્યું.સરકારે લદ્દાખના પ્રમુખ કાર્યકર્તા સોનમ વાંગચુક દ્વારા સંચાલિત બિન-લાભકારી સંસ્થાની હ્લઝ્રઇછ નોંધણી રદ કરી દીધી છે. તેનું કારણ સંગઠન દ્વારા દ્ગય્ર્ં માટે વિદેશી ફન્ડિંગ સંબંધી કાયદાનું વારંવાર ઉલ્લંઘન જણાવવામાં આવ્યું છે. આ ર્નિણય વાંગચુકના નેતૃત્વમાં લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી સંપૂર્ણ રાજ્યનો દરજ્જાે આપવાની માંગને લઈ થેયલા હિંસક વિરોધ પ્રદર્શનના ૨૪ કલાક બાદ આવ્યો છે. અગાઉ સોનમ વાંગચુકે કહ્યું હતું કે, તેમનું જેલમાં રહેવું સરકાર માટે તેમની આઝાદીથી વધારે સમસ્યાઓ ઊભી કરી શકે છે. વાંગચુકે લદ્દાખમાં હાલમાં જ…

Read More

મને લોકોએ દેશવિરોધી કહ્યો અને પહલગામ હુમલા બાદ ભારત-પાક.ની મેચ રમાઈ : દિલજીત દોસાંઝ. દિલજીત દોસાંઝની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે, જેમાં તે ભારતના રાષ્ટ્રધ્વજને સલામી આપતો જાેવા મળી રહ્યો છે.પંજાબી સિંગર દિલજીત દોસાંઝ હવે ઇન્ટરનેશનલ સ્ટાર બની ગયો છે. તેના લાઇવ કોન્સર્ટની સાથે-સાથે તેની ફિલ્મોની પણ ફેન્સ આતુરતાથી રાહ જાેતા હોય છે. થોડા સમય પહેલાં દિલજીતની ફિલ્મ સરદારજી ૩ આવી હતી. આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર હોવાને કારણે ઘણો વિવાદ થયો હતો અને ભારતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે તેણે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચો પર સવાલો ઉઠાવ્યા છે.પહલગામ…

Read More