Author: garvigujrat

હવે આ શોર્ટ વીડિયો એપ પર ચીની કંપનીનો અંકુશ નહીં રહ.છેવટેUS પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે $14 અબજમાં ટિકટોકનો ખેલ પાડી દીધો.અમેરિકામાં આ એપના યુઝર્સની સંખ્યા ૧૭ કરોડ છે. ટ્રમ્પના અંગત ટિકટોક એકાઉન્ટ પર ૧.૫ કરોડ ફોલોઅર્સ છે.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની કંપનીના લોકપ્રિય શોર્ટ વીડિયો એપ ટિકટોકના અમેરિકી યુનિટના વેચાણ માટે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતાં. ટિકટોકના અમેરિકી યુનિટનું વેચાણ અમેરિકા અને વૈશ્વિક રોકાણકારોને કરાશે અને તેનું મૂલ્ય આશરે ૧૪ અબજ ડોલર આંકવામાં આવ્યું છે. હવે ડેલ ટેકનોલોજીના સ્થાપક માઇકલ ડેલ અને ફોક્સ કોર્પના ચેરમેન ઇમેરિટસ રુપર્ટ મર્ડાેક તથા ચાર કે પાંચ વર્લ્ડ ક્લાસ રોકાણકારો તેને ખરીદે તેવી…

Read More

નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરની અછત સામે લોકોમાં રોષ. મેઘરજની હોસ્પિટલમાં દર્દીઓ તો છે પણ ડોક્ટર નથી.હાલ હોસ્પિટલમાં બે ડોક્ટર વાર્ષિક કોન્ટ્રાક્ટ પર છે અને માત્ર એક જ કાયમી ડોક્ટર સેવા આપી રહ્યા છે.અરવલ્લી હોસ્પટિલમાં લાલિયાવાડી ચાલતી હોવાની ઘટના સામે આવી છે. મેઘરજમાં કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સરકારી હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. મેઘરજની હોસ્પિટલમાં દર્દી તો છે પણ ડોક્ટર નથી. કાયમી ડોક્ટર વિના સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ યોગ્ય સારવારથી વંચિત છે. સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં સ્પેશિયાલીસ્ટ ડોક્ટર અને નર્સિંગ સહિતનો પુરતો સ્ટાફ મુકવા માટે રજૂઆત કરાઈ છે. મેઘરજમાં રોજના ચારસો જેટલા દર્દીઓ સારવાર માટે આવતા હોવા છતાં અનેક વિભાગોમાં ડોક્ટરોનો અભાવ…

Read More

દેશનું પ્રથમ AI સજ્જ મંદિર.તિરુપતિમાં ભક્તો હવે શાંતિથી કરી શકશે ભગવાનના દર્શન.ભારતના પ્રખ્યાત ધાર્મિક સ્થળ તિરુમલા તિરુપતિ મંદિરમાં ટૂંકમાં છૈં થી સજ્જ કમાન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ થશે.ભારતના પ્રખ્યાત ધાર્મિક સ્થળ તિરુમલા તિરુપતિ મંદિરમાં ટૂંક સમયમાં છૈં (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)થી સજ્જ કમાન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે. મંદિરમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભીડને સંભાળવાનું કામ કરવામાં આવશે. આ ભારતના કોઈપણ મંદિરમાં શરૂ થનારું પ્રથમ કમાન્ડ સેન્ટર હશે. આ જ કારણે તિરુપતિ મંદિરને ભારતનું પ્રથમ એઆઈ ટેમ્પલ કહેવામાં આવી રહ્યું છે. ટેક્નોલોજી અને એઆઈનો ઉપયોગ કરીને મંદિરમાં આવતી ભીડનું આકલન કરવામાં આવશે. આ દ્વારા એ જાેવામાં આવશે કે કેટલા ભક્તો દર્શન માટે…

Read More

દીપિકા પાદુકોણે તાજેતરમાં જ ‘કલ્કિ ૨૮૯૮ એડી’ ફિલ્મ છોડી હતી.દીપિકાએ કલ્કિની સિક્વલ માટે ૨૦ દિવસ શૂટ કર્યા પછી ફી વધારો માગ્યા.દીપિકાની ટીમ દ્વારા એવો દાવો કરાયો હતો કે તેના તારીખોના પ્રશ્નોને કારણે તેણે ફિલ્મ છોડી છ.દીપિકા પાદુકોણે તાજેતરમાં જ ‘કલ્કિ ૨૮૯૮ એડી’ ફિલ્મ છોડી છે. આ અંગે પ્રોડક્શન હાઉસ વિજયંતિ મુવીઝ દ્વારા નિવેદનમાં કહેવાયું હતું, “તેઓ પાર્ટનરશિપ રાખી શકે તેમ નહોતા”. હવે એવા અહેવાલ છે કે દીપિકાએ આ ફિલ્મ માટે ૨૦ દિવસ તો શૂટિંગ પણ કરી લીધું હતું અને પછી તેણે ફિલ્મ છોડી દીધી. એવા અહેવાલ છે કે, દીપિકાને લાગતું હતું કે તેનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી, તેથી…

Read More

‘દોસ્તાના ૨’ની ૨૦૧૯માં જાહેરાત કરવામાં આવી હતી.‘દોસ્તાના ૨’માં વિક્રાંત અને લક્ષ્ય સાથે કામ કરશે.દોસ્તાના ૨ ૨૦૦૮માં આવેલી હિટ ફિલ્મ દોસ્તાનાની સિક્વલ હશે, જે તરુણ મનસુખાનીએ ડિરેક્ટ કરી હતી. તાજેતરમાં જ વિક્રાંત મેસ્સીને રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ એવોર્ડ મળ્યો છે. ત્યારે આ એવોર્ડ મેળવ્યા પછી તેણે જાહેર કર્યું છે કે તે હવે ‘દોસ્તાના ૨’માં કામ કરી રહ્યો છે, જેમાં તે લક્ષ્ય સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મ કરણ જાેહરના ધર્મા પ્રોડક્શન્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. છેલ્લાં કેટલાક વર્ષાેથી આ ફિલ્મ વિશે અને તેની બદલાતી કાસ્ટ વિશે ચર્ચાઓ ચાલતી રહી છે. ત્યારે હવે વિક્રાંત મેસ્સી આ ફિલ્મમાં લીડ રોલ કરવાનો…

Read More

આ ફિલ્મ એક એઆઈ આધારિત ફિલ્મ હોવાનો દાવો કરાયો.સની લિઓની ‘કૌર વર્સીસ કોર’માં ડબલ રોલમાં જાેવા મળશે. સનીનો એક રોલ એક માણસના અવતારમાં સુપરહિરોનો હશે અને બીજાે રોલ એઆઈ આધારિત અવતારનો હશે.સની લિઓની ભારતીય સિનેમામાં એક ક્રાંતિકારી ફિલ્મ બનાવવા જઈ રહી છે, તેની આવનારી ફિલ્મ ‘કૌર વર્સીસ કોર’ એક એઆઈ આધારિત ફિલ્મ હોવાનો દાવો છે, જેમાં સની ડબલ રોલમાં જાેવા મળશે. તેમાંથી એક રોલ એક માણસના અવતારમાં સુપરહિરોનો હશે અને બીજાે રોલ એઆઈ આધારિત અવતારનો હશે.આ અંગેના અહેવાલો અનુસાર, “આ ફિલ્મ કદાચ ભારતની પહેલી ફીચર ફિલ્મ હશે, જે સંપુર્ણપણે આટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવશે. ફ્યુચરિસ્ટિકટેન્કોલોજી સાથે ઊંડી માનવીય લાગણીઓ, સાથે…

Read More

ભારતની ૧૧મી, પાકિસ્તાનની છઠ્ઠી ફાઇનલ.ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયા કપની ફાઈનલ.એશિયા કપના ૪૧ વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર હશે જ્યારે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં રમશે.એશિયા કપમાં રવિવારે ફાઇનલ જંગ થવાનો છે. દુબઈમાં રમાનાર આ મેચમાં પ્રથમવાર ભારત અને પાકિસ્તાન આમને-સામને હશે. ક્રિકેટ ઈતિહાસમાં આ ક્ષણ ઐતિહાસિક હશે કારણ કે ટૂર્નામેન્ટના૦ ૪૧ વર્ષ અને ૧૬ એડિશનમાં ક્યારેય એવું થયું નથી કે બંને કટ્ટર હરીફ ફાઇનલમાં આમને-સામને હોય. ટીમ ઈન્ડિયા આ વખતે ૧૧મી વખત ફાઇનલ રમશે અને પોતાની ૯મી ટ્રોફી જીતવાના ઈરાદાથી ઉતરશે. બીજીતરફ પાકિસ્તાન છઠ્ઠીવાર આ ટૂર્નામેન્ટની ફાઈનલ રમશે. પાકિસ્તાન અત્યાર સુધી બે વખત ચેમ્પિયન બન્યું છે. રવિવારે રમાનારી મેચ…

Read More

લેહ હિંસા મામલે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી.પોલીસે કાર્યવાહી હાથ ધરતાં સોનમ વાંગચુકની ધરપકડ.લદાખને રાજ્યનો દરજ્જાે આપવાની માગ સાથે ભડકી ઉઠેલી હિંસા મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરતાં સોનમ વાંગચુકની ધરપકડ કરી હતી. વહીવટીતંત્રે લદાખમાં રાજ્યનો દરજ્જાેની માગ કરતા હિંસક આંદોલનમાં ચારના મોત બદલ સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા હતા. માહિતી અનુસાર સોનમ વાંગચુક બપોરે ૨:૩૦ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, પરંતુ તે પહેલાં જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી. ઉલ્લેખનીય છે કે ગુરુવારે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક દ્વારા સ્થાપિત સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ ઍન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ(SECMOL)ના FCRA લાયસન્સને તાત્કાલિક અસરથી રદ કરી દીધું હતું. લદાખ માટે રાજ્યનો…

Read More

શું ગેમ ચેન્જર સાબિત થશે આ દાવ?.બિહાર ચૂંટણી પહેલા ૨૨% મહિલા મતદારો સુધી પહોંચશે ૧૦-૧૦ હજાર રૂપિયા.મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાજપને મળેલી સફળતાના આધારે તેને ગેમ ચેન્જર માનવામાં આવી રહ્યું છે.બિહારની ચૂંટણીમાં મહિલા મતદારોની મોટી ભૂમિકા હોય છે. આ જ કારણ છે કે નીતિશ કુમારનો શરૂઆતથી જ મહિલાઓ સંબંધિત યોજનાઓ પર વિશેષ ભાર રહ્યો છે. અને, મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના આ કડીમાં બિહારની મહિલાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર તરફથી નવી ચૂંટણી ભેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના લોન્ચ કરતી વખતે કહ્યું, “જ્યારે આ પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે હું…

Read More

બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો.કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય.એડવોકેટ આઈડી મણિયારે કોર્ટમાં દલીલ કરી હતી કે કથિત ટિપ્પણી કોઈ ધર્મ કે ધાર્મિક માન્યતા પર નથી.બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે લાતુરના એક ઉદ્યોગપતિ સામે નોંધાયેલી ફરિયાદ રદ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, બારમાં દારૂ પીધેલી હાલતમાં થયેલી બોલાચાલી દરમિયાન સામાજિક-રાજકીય નેતા સાથે દુર્વ્યવહાર કરવો એ ભારતીય દંડ સંહિતા ની કલમ ૨૯૫છ અથવા ૫૦૪ હેઠળ ગુનો નથી. આ ઉપરાંત હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે સામાજિક-રાજકીય મહાનુભવ માટે કોઈ પણ દુર્વ્યવહાર અથવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કોઈ ધર્મના અપમાન સમાન ન હોઈ શકે. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ…

Read More