- ઈજિપ્તમાં 5.4 તીવ્રતાનો ભૂકંપ, રેડ ક્રેસન્ટ એલર્ટ; અત્યાર સુધી જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નહીં
- કંગના-હૃતિક વચ્ચે દાયકા બાદ ફરી ઓનલાઈન વિવાદ, સબા આઝાદનું નામ લઈને કંગનાનો પ્રહાર
- જેક્લિનના ‘જુગ્ની’ ગીતની AI-જનરેટેડ ક્લિપ વાયરલ, ગાયક સોનુ ઠુકરાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી
- ‘રામાયણ’માં સીતાની બહેન શ્રુતકીર્તિના રોલમાં સુરભી દાસ, ઓડિશનથી મળી મોટી ફિલ્મમાં એન્ટ્રી
- રાહુલ ગાંધીએ Gen-Z સ્ટાઈલમાં ફ્રેન્ડશિપ ડેની શુભેચ્છા પાઠવી, કહ્યું- હું હજુ પણ દરરોજ શીખું છું
- બુમરાહ ઈજાના કારણે શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાંથી બહાર, આકિબ નબી અને યશ ઠાકુર રેસમાં આગળ
- રાજ ઠાકરેનો સવાલ: મોદી દેશનો વિકાસ કરી રહ્યા હોય તો વિવેક ઓબેરોય અને આર. માધવન દુબઈમાં કેમ રહે છે?
- ભારતની શ્રીલંકાને સહાય 7.5 બિલિયન ડોલર વટાવી, 25 પ્રાંતોમાં વિકાસ યોજનાઓને મળશે ગતિ
Author: garvigujrat
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવાનો ગુનો શું છે? તેમના પર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે સરકારી કર્મચારી સાથે દુર્વ્યવહાર કર્યો. પરંતુ પ્રશ્ન એ છે કે શું આવા ગુનામાં સાત વર્ષની સજા થતી હોય? જો સરકારી કર્મચારી સાથેના કથિત દુર્વ્યવહાર માટે સાત વર્ષની સજા થતી હોય, તો ગુજરાતની જનતાને છેતરનારા અને અન્યાય કરનારા લોકોને શું સજા થવી જોઈએ? વાસ્તવિક હકીકત એ છે કે ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. તેઓ ચૂંટાયા ત્યારથી સતત આદિવાસી સમાજના હકો માટે લડતા રહ્યા છે. આદિવાસી સમાજને જાગૃત કરવાનો ગુનો, જળ-જમીન-જંગલ માટે લડવાનો…
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે આપેલા ચુકાદા અંગે વાત કરતા આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો અવાજ કોઈ ન ઉઠાવે, અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજની પીડાઓની વાત કોઈ ન કરે, એટલા માટે ચૈતરભાઈ વસાવા ઉપર ભાજપની સરકારે ખોટો કેસ કર્યો છે. સરકારી પુરાવાઓ, સરકારી મશીનરી અને સરકારી વકીલો સહિત સમગ્ર તંત્રનો દુરુપયોગ કરીને તેમને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે અને આદિવાસી સમાજના યુવાન નેતાનો અવાજ દબાવી દેવાનો ખોટો પ્રયાસ કરવામાં આવ્યો છે. હું ભાજપ સરકારને કહેવા માંગું છું કે તમે એક ચૈતર વસાવાને જેલમાં પૂરશો તો અંબાજીથી ઉમરગામ સુધીની સમગ્ર…
પ્રવાસીઓ માટે નયનરમ્ય નજારો સાપુતારામાં વરસાદ સાથે મિની કાશ્મીર જેવો નજારો અંતરિયાળ સુબીર તાલુકામાં પણ પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટાં શરૂ થતાં સમગ્ર ડાંગ જિલ્લો ઠંડકનો અહેસાસ કરી રહ્યો છે દક્ષિણ ગુજરાતના સરહદી અને આદિવાસી બહુલ એવા ડાંગ જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો જાેવા મળ્યો છે. કાળઝાળ ગરમી અને બફારા બાદ મેઘરાજાએ ડાંગની ધરતી પર પધરામણી કરતા આખું ગિરિમથક સાપુતારા જાણે વાદળોની ચાદર ઓઢીને બેઠું હોય તેવા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. સાપુતારા ઉપરાંત નીચે તળેટીના ભાગો અને અંતરિયાળ સુબીર તાલુકામાં પણ પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટાં શરૂ થતાં સમગ્ર ડાંગ જિલ્લો ઠંડકનો અહેસાસ કરી રહ્યો છે. વરસાદના કારણે સાપુતારાના…
હોર્મુઝ બંને તરફથી ખુલતા સ્થિતિ સામાન્ય ભારત તરફ આવી રહેલા ૧૧ જહાજે હોર્મુઝ પાર કર્યુ દેશ વૈભવ ગુજરાતના વડિનાર, દેશ વિભોર સિક્કા અને સનમાર હેરાલ્ડ ૧ જુલાઈએ ઓડિશાના પારાદીપ પહોંચશે હોર્મુઝ જળમાર્ગમાં અવરજવર ફરી શરૂ થઈ છે. ૧૭ જૂનથી અત્યાર સુધીમાં ૧૧ ભારતીય જહાજાેએ આ માર્ગ સુરક્ષિત રીતે પાર કર્યો છે, જ્યારે ૧૦ જહાજાે હજુ રાહ જાેઈ રહ્યા છે. હોર્મુઝમાં તણાવ હોવા છતાં ભારતની ઉર્જા અને ખાદ્ય સુરક્ષા પર કોઈ નકારાત્મક અસર પડી નથી.હોર્મુઝ એ મધ્ય પૂર્વનો અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ છે, જ્યાંથી વિશ્વનું લગભગ ૨૦-૨૫% ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસ પસાર થાય છે. ભારત પોતાની કુલ તેલની જરૂરિયાતના ૮૦-૮૫%…
અરૂપ રોયને મળી નવી જવાબદારી TMC ના અધ્યક્ષ પદેથી મમતા બેનર્જીને હટાવી દીધા બેઠકમાં હાજર નેતાઓએ દાવો કર્યો કે પાર્ટીની પરંપરાનું પાલન કરતા નવી રાષ્ટ્રીય કાર્યકારિણીનું ગઠન કર્યું છે તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે બળવાખોર જૂથે સંગઠનાત્મક સ્તર પર મોટું પગલું ઉઠાવ્યું છે. પાર્ટીના બળવાખોર ધારાસભ્યોએ બેઠક યોજી મમતા બેનર્જીને પાર્ટીના અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે. સાથે જ પાર્ટી મહાસચિવ અભિષેક બેનર્જી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. કોલકાતામાં આયોજિત એક ખાસ બેઠકમાં પાર્ટીના અસંતુષ્ટ નેતાઓએ નવી કાર્યકારિણી બેઠક બનાવવાની જાહેરાત કરતા પૂર્વ મંત્રી અરૂપ રોયને ઓલ ઈન્ડિયા ચેરમેન નિયુક્ત કરી દીધા છે. ઋતબ્રત બેનર્જીના નેતૃત્વમાં થયેલી…
૧૦ વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ ૧૫ જીવ હોમાયા હાલમાં હોસ્પિટલમાં દાખલ ૧૧ ઘાયલોમાંથી ૯ લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં સોમવારે એક ત્રણ માળની ઇમારતમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જવાના કારણે ૧૫ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ૯ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની ગંભીરતાને જાેતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરીને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીના નિર્દેશ પર બેદરકારી દાખવવા બદલ ૪ અધિકારીઓને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.…
ગુજરાત માટે ગૌરવ લેવા જેવી ઘટના વ્હોટ્સએપનું નેતૃત્વ કુણાલ શાહને સોંપાશે : ગ્લોબલ હેડ બનશે આ પહેલા કુણાલે ૨૦૧૦માં ફ્રીચાર્જ શરૂ કરીને તેને ૨૦૧૫માં સ્નેપડીલને ૪૦૦ મિલિયનમાં વેચી હતી ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટે એક મોટી ઘટના નોંધાઈ છે. સોશિયલ મીડિયા દિગ્ગજ મેટાએ ભારતીય ફિનટેક કંપની ભઇઈઘમાં આશરે રૂ. ૮,૫૦૦ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ ભઇઈઘના ફાઉન્ડર કુણાલ શાહને મેટાની મેસેજિંગ એપ વ્હોટ્સએપના નવા ગ્લોબલ હેડ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ર્નિણયથી મેટા અને વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનશે. આ રોકાણ બાદ નું વેલ્યુએશન લગભગ ૪.૫ અબજ ડોલર સુધી પહોંચશે. ૪૭ વર્ષીય કુણાલ શાહ પહેલી વખત…
મુંબઇમાં વરસાદ પડે એટલે ગુજરાતમાં થોડા દિવસો પછી આવે જ ૧૨ દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં આગામી ૨-૩ દિવસમાં ચોમાસું પહોંચશે હાલ દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે ત્યારે ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨ થી ૩ દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. જાે કે, હાલ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને ગરમીનો બેવડો માહોલ જાેવા મળી રહ્યો છે, જેમાં ગાંધીનગરમાં સોમવારે તાપમાન ૪૧°C ને પાર નોંધાયું હતું. બીજી તરફ, મુંબઈમાં સામાન્ય કરતાં ૧૨ દિવસની વિલંબ બાદ મંગળવારે ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે અને ત્યાં…
Lionel Messi એ રચ્યો નવો ઈતિહાસ ફિફા વર્લ્ડ કપ – આજેર્ન્ટિનાએ ઓસ્ટ્રિયાને ૨-૦ થી હરાવ્યું લોટારો માર્ટિનેઝને બોક્સની અંદર ફાઉલ કરવામાં આવતા રેફરીએ આર્જેન્ટિનાને પેનલ્ટી આપી હતી આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર અને કેપ્ટન લિઓનેલ મેસીએ ડલાસમાં ઓસ્ટ્રિયા સામે રમાયેલી મેચમાં વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મેસીએ આ રોમાંચક મેચમાં શાનદાર વાપસી કરતા બે ગોલ ફટકાર્યા અને જર્મનીના મિરોસ્લાવ ક્લોઝનો વર્ષાે જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ જીત સાથે જ મેસીએ આર્જેન્ટિનાને ૨-૦ થી વિજય અપાવીને નોકઆઉટ રાઉન્ડમાં પહોંચાડી દીધું છે.મેચની શરૂઆત આર્જેન્ટિના માટે ખૂબ જ ઉત્સાહજનક રહી હતી. લોટારો માર્ટિનેઝને બોક્સની અંદર ફાઉલ કરવામાં આવતા…
સ્ટેજ પર મચી અફરાતફરી! દિલજીત દોસાંઝના લાઈવ શોમાં ઘૂસ્યો ખાલિસ્તાની સમર્થક પોલીસે પ્રદર્શનકારીને પકડી પાડીને કસ્ટડીમાં લીધો હતો અને તેને સ્ટેજ પરથી બહાર ખસેડ્યો હતો અમેરિકાના સેન ળાન્સિસ્કોમાં પંજાબી સિંગર દિલજીત દોસાંજના લાઈવ કોન્સર્ટ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. દિલજીત સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે જ એક ખાલીસ્તાની પ્રદર્શનકારી દોડીને સ્ટેજ પર આવી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.સ્ટેજ પર ધ્વજ ફરકાવી ડાન્સ કરવા લાગ્યોજ્યારે દિલજીત ગીત ગાવામાં મશગૂલ હતા ત્યારે આ પ્રદર્શનકારી અચાનક તેમની નજીક પહોંચી ગયો હતો. તે સ્ટેજ પર ધ્વજ ફરકાવવા લાગ્યો અને દિલજીતની બાજુમાં ઊભા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



