Author: Garvi Gujarat

કોલેજમાં નેશનલ મેડિકલ કાઉન્સિલની ગાઇડલાઈન્સ અનુસાર, નીટના મેરિટના આધારે એડમિશન ફાળવાયા.જમ્મુ-કાશ્મીરના કટરા સ્થિત શ્રી માતા વૈષ્ણોદેવી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સિલેન્સમાં પ્રથમ બેચના એડમિશનને લઈને વિવાદ પેદા થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) સાથે જાેડાયેલા સંગઠનોએ આક્ષેપ લગાવ્યો છે કે, આ મેડિકલ કોલેજમાં એડમિશન લેનાર લગભગ ૮૫ ટકા વિદ્યાર્થીઓ ફક્ત કાશ્મીરી મુસ્લિમ છે, જ્યારે સ્થાનિક હિન્દુ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ કારણોસર સંઘ પરિવાર સાથે જાેડાયેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સહિતના સંગઠનોએ મુસ્લિમ વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવાની માંગની સાથે વિરોધ પ્રદર્શન કર્યા છે.જમ્મુ-કાશ્મીરના ભાજપના ઉધમપુરના ધારાસભ્ય આર.એસ.પઠાનિયાએ કહ્યું છે કે વૈષ્ણોદેવી મંદિરને મળેલા દાનમાંથી બનેલી મેડિકલ કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થીઓનું…

Read More

ભારતે રશિયાથી આયાત કરાતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે : સપ્લાય અનિશ્ચિતભારત રશિયાની સરગુટનેફ્ટએગાઝ, ગાઝપ્રોમ નેફ્ટ અને નાના ટ્રેડર્સ પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખી શકે.રશિયન ક્રૂડ ઓઈલની બે મુખ્ય નિકાસકાર કંપનીઓ રોસનેફ્ટ અને લુકઓઈલ પર અમેરિકન પ્રમુખ ટ્રમ્પના નવા પ્રતિબંધો શુક્રવારથી સંપૂર્ણપણે લાગુ થઈ ગયા છે ત્યારે હવે નજીકના સમયમાં રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળી શકે છે, પરંતુ તે સંપૂર્ણપણે બંધ નહીં થાય. જાેકે, રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલની ખરીદી સરેરાશ દૈનિક ૧૭ લાખ બેરલથી ૭૦ ટકા જેટલી ઘટીને માત્ર ચાર લાખ બેરલ સુધી રહી શકે છે. નવેમ્બરમાં ભારતની ખરીદી દૈનિક ૧૮-૧૯ લાખ બેરલે પહોંચવાનો…

Read More

ચંડોળા બાદ ઈસનપુરમાં ગેરકાયદે દબાણો પર તવાઈ.મળતી માહિતી મુજબ, ચંડોળા તળાવની જેમ ઈસનપુર તળાવમાં પણ ૧૦૦૦થી વધુ લોકો દબાણ કરીને ત્યાં ગેરકાયદે રહે છે.અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે બીજું સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના પૂર્વ વિસ્તારના ઈસનપુર તળાવમાં શરૂ કરવામાં આવ્યું છે. ઈસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષાેથી થયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી સોમાવારે સવારથી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ચંડોળા તળાવની જેમ ઈસનપુર તળાવમાં પણ ૧૦૦૦થી વધુ લોકો દબાણ કરીને ત્યાં ગેરકાયદે રહે છે. એએમસી દ્વારા ચંડોળા બાદ હવે ઈસનપુર તળાવના…

Read More

G-૨૦ની અધ્યક્ષતા અમેરિકાના જૂનિયર અધિકારીને સોંપવા દ. આફ્રિકાનો ઈનકારદક્ષિણ આફ્રિકામાં બે દિવસીય જી૨૦ સમિટના પ્રથમ દિવસે તમામ દેશના વડાઓએ યુએની અવગણના કરીને ઘોષણાપત્રને સર્વાનુમતે પસાર કર્યો હતો.દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી જી૨૦ શિખર પરિષદનું યજમાન અને આગામી અધ્યક્ષ વચ્ચે રાજદ્વારી વિવાદ સાથે સમાપન થયું છે. દક્ષિણ આફ્રિકાએ જી૨૦ની અધ્યક્ષતા અમેરિકાના જૂનિયનર સ્તરના અધિકારીનો સોંપવાનો ઈનકાર કરી દીધો છે. યજમાન દેશે જણાવ્યું કે, જી૨૦ની અધ્યક્ષતાનું ઔપચારિક હસ્તાંતરણ બાદમાં કરાશે.જી૨૦ સમિટનું સૌપ્રથમ વખત આયોજન દક્ષિણ આફ્રિકાએ કર્યું છે. આફ્રિકન દેશ સાથે રાજદ્વારી વિવાદને પગલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ આ શિખર પરિષદનો બહિષ્કાર કરવા જણાવ્યું હતું. દક્ષિણ આફ્રિકામાં બે દિવસીય જી૨૦ સમિટના પ્રથમ દિવસે…

Read More

પાક.એ ભારતના રાફેલ તોડ્યાનો દાવો ફ્રાન્સ નેવીએ ખોટો ગણાવ્યો.આ અહેવાલમાં ફ્રાન્સ નૌસેનાના અધિકારીને ખોટી રીતે ટાંકવામાં આવ્યા હતા એટલું જ નહીં પરંતુ તેમનું નામ પણ ખોટું લખ્યું હતું.ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના રાફેલ વિમાન તોડી પાડવાના પાક.ના દાવાને ફ્રાન્સની નૌસેનાએ બનાવટી ગણાવ્યો હતો. સમાચાર એજન્સીના મતે પાકિસ્તાન સ્થિત જીયો ટીવીએ પોતાની વેબસાઈટ પર ૨૧ નવેમ્બરે એક અહેવાલ પ્રકટ કર્યાે હતો જેમાં ફ્રેન્ચ નૌસેનાના કમાંડરે પાકિસ્તાનની હવાઈ શ્રેષ્ઠતાની પુષ્ટિ કરી હતી. સાથે જ મેમાં સરહદ પર ભારત-પાક. વચ્ચે ઘર્ષણમાં પાકિસ્તાને ભારતના રાફેલ યુદ્ધ વિમાન તોડી પાડવાનો દાવો કર્યાે હતો.ભારતે પહેલગામ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે ઓપરેશન સિંદૂર હેઠળ…

Read More

દિવ્યા ખોસલા અને મુકેશ ભટ્ટ વચ્ચેનો તનાવ વધ્યો દિવ્યાએ મુકેશ ભટ્ટ સાથેની તેમની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર લીક કર્યું છે, જેનાથી સનસનાટી મચી ગઈ છતાજેતરમાં, મુકેશ ભટ્ટે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યાે હતો કે દિવ્યા ખોસલાએ જાણી જાેઈને તેમની ફિલ્મ “સાવી” અને આલિયા ભટ્ટની “જીગ્રા” ને લગતા વિવાદ ઉભા કર્યા હતા. તે એક પબ્લિસિટી સ્ટંટ હતો. દિવ્યા ખોસલાએ આનો ગુસ્સો ઉઠાવ્યો અને મુકેશ ભટ્ટને જવાબ આપ્યો. દિવ્યાએ મુકેશ ભટ્ટ સાથેની તેમની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર લીક કર્યું છે, જેનાથી સનસનાટી મચી ગઈ છે.નોંધનીય છે કે “સાવી” ફિલ્મ મુકેશ ભટ્ટ અને દિવ્યા ખોસલાના પતિ ભૂષણ કુમાર દ્વારા બનાવવામાં…

Read More

વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાઈરલ.દાંડિયા રમતાં રમતાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ વચ્ચે થઈ તકરાર.આ ઈવેન્ટમાં બોલીવૂડ એક્ટર આમિર ખાન પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૈટ સાથે સ્પોટ થયો હતો.અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને આ પરિવારનો દરેકે સદસ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ, ફેશનની સાથે સાથે સંસ્કારો અને ભક્તિભાવ માટે ખૂબ જ જાણીતો છે. હાલમાં જ અંબાણી પરિવારે ગુજરાતમાં આવેલા ગીર સુંદર અને શાંત માહોલમાં નવા શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ સમયે પરિવારના સદસ્યોની સાથે સાથે બોલીવૂડ સેલેબ્સ અને જાણીતા ક્રિકેટરો પણ હાજર રહ્યા હતા.સોશિયલ મીડિયા પર આ પૂજાના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ વાઈરલ…

Read More

પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે. તેમણે ૮૯ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લે સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા.હી-મેન તરીકે જાણીતા બોલિવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લે સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા.આ પ્રસંગે તેમના પરિવારના સભ્યો અને અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન, સંજય દત્ત અને અક્ષય કુમાર જેવા મોટા સેલિબ્રિટી હાજર રહ્યા હતા. ધર્મેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. ૧૦ નવેમ્બરના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી, ત્યારબાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ધર્મેન્દ્રને 12 નવેમ્બરના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ડોક્ટરોએ…

Read More

સિદ્ધાંત-મૃણાલની દો દિવાને શહર મેં આગામી ફેબ્રુઆરીમાં રજૂ થશે.આ ફિલ્મનાં એક સપ્તાહ પહેલાં જ વેલેન્ટાઈન ડે વખતે શાહિદ અને તૃપ્તિ ડિમરીની ‘ઓ રોમિયો’ રીલીઝ થશે.સંજય લીલા ભણશાળીનાં પ્રોડક્શન હેઠળની ફિલ્મ ‘ દો દિવાને શહેર મેં’ આગામી તા. ૨૦મી ફેબ્રુઆરીએ રજૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ ફિલ્મનાં એક સપ્તાહ પહેલાં જ વેલેન્ટાઈન ડે વખતે શાહિદ અને તૃપ્તિ ડિમરીની ‘ઓ રોમિયો’ રજૂ થવાની છે. આમ આ બંને ફિલ્મો આગળ પાછળ ટકરાઈ શકે છે. ‘દો દિવાને શહેર મેં ‘માં સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની જાેડી હશે. ફિલ્મનું ફક્ત પ્રોડક્શન જ સંજય લીલા ભણશાળીનું છે જ્યારે ડાયરેક્ટર રવિ ઉદયવાર હશે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી…

Read More

એઆઈનો ઉપયોગ આસિસ્ટન્ટ તરીકે કરો, બોસ તરીકે નહીં : સોનુ નિગમ.પહેલાના સમયે લોકો ખાસ પ્રયત્ન કરતા અને સંગીત ખરીદવા માટે બહાર જતાં હતાં, જે એક ઊંડો વ્યક્તિગત અનુભવ હતો.જાણીતો ગાયક કાશ્મીરમાં કોન્સર્ટ કરવા માટે છેલ્લા થોડા વખતથી ચર્ચામાં હતો, જ્યાં તેણે દાલ લેકમાં શેર-ઈ-કશ્મીર ઇન્ટરનેશનલ કોન્વોકેશન કોમ્પલેક્સમાં પર્ફાેર્મ કર્યું હતું. આ કોન્સર્ટમાં તેણે મહોમ્મદ રફીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. આ કોન્સર્ટમાં તેણે એક મસ્જિદની આઝાન માટે પોતાનો કોન્સર્ટ અટકાવી દીધો હતો, તેનો વીડિયો વાયરલ થયો હતો. કારણ કે ૨૦૧૭માં તેણે દબાણપૂર્વક થોપવામાં આવતી ધાર્મિકતા અને લાઉડ સ્પીકરમાં આઝાન અંગે નિવેદન કરીને વિવાદ છેડ્યો હતો. ત્યારે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સોનુ નિગમે…

Read More