- ચાંદખેડામાં બેકાબૂ BRTS બસ બિલ્ડિંગમાં ઘૂસી: મોટો અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી
- એવિએશન ઇંધણમાં મોટો ફેરફાર: હવે વિમાનોના ફ્યુઅલમાં ઈથેનોલ મિશ્રણને મંજૂરી
- ભાજપ નેતાનું વિવાદિત નિવેદન: ભારત-પાકિસ્તાન તુલના પર રાજકીય ઘમાસાણ, કોંગ્રેસનો આક્રોશ
- પીએનજીની માંગમાં ઉછાળો: માર્ચથી 5 લાખ નવા કનેક્શન, 5.68 લાખ અરજીઓ નોંધાઈ
- વૈષ્ણોદેવીમાં ચોંકાવનારો ખુલાસો: 95% ચાંદી નકલી, ભક્તોની આસ્થાને ઝટકો
- હોર્મુઝમાં તણાવ વચ્ચે જહાજ પર હુમલો, મુદ્રા પોર્ટ તરફ આવતા વહાણોને નિશાન બનાવાયા
- ઈરાક-સીરિયાનો મોટો નિર્ણય: હોર્મુઝને બદલે નવો જમીન માર્ગથી તેલ સપ્લાય શરૂ
- અભિષેક શર્માનો ધમાકો: T20માં 130+ રનનો નવો વર્લ્ડ રેકોર્ડ, ગેલ-ફિન્ચને પાછળ છોડ્યા
Author: Garvi Gujarat
૪ કર્મચારીઓ સામે FIR દાખલ.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટ કૌભાંડ સામે આવ્યું.૧ જાન્યુઆરીથી ૧૭ માર્ચ સુધી ૯ લીકર પરમિટના ૧ લાખ ૮૦ હજાર જેટલા રૂપિયા સગેવગે થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું.શહેરની ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલના કેશિયર સહિતના કર્મચારીઓનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. હોસ્પિટલમાં લીકર પરમિટના પૈસા બારોબાર સગેવગે કર્યા હોવાની ફરિયાદ મળ્યા બાદ હોસ્પિટલ તંત્ર પોલીસમાં FIR નોંધાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હાલ ચાલુ વર્ષે ૧ જાન્યુઆરીથી ૧૭ માર્ચ સુધી ૯ લીકર પરમિટના ૧ લાખ ૮૦ હજાર જેટલા રૂપિયા સગેવગે થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. જે મામલે હાલ પોલીસ તથા હોસ્પિટલ તંત્રએ ઉચ્ચ તપાસ હાથ ધરી…
વડોદરા મુલાકાતથી રાજકારણમાં ગરમાવો.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત.રાહુલ ગાંધી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરવા ઉપરાંત આદિવાસી સમુદાયના સભ્યો સાથે ખાસ વાતચીત કરશે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત પહેલા ગુજરાતની મુલાકાતે આવશે. આગામી ૨૩ માર્ચે રાહુલ ગાંધી ગુજરાતના વડોદરા પહોંચશે. આ દરમિયાન રાહુલ ગાંધી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરવા ઉપરાંત આદિવાસી સમુદાયના સભ્યો સાથે ખાસ વાતચીત કરશે. રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત થવામાં થોડા જ દિવસો બાકી છે, ત્યારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. એવી અટકળો ચાલી રહી છે કે, રાજ્ય વિધાનસભાનું સત્ર ૨૫ માર્ચે પૂર્ણ થશે. આ પછી ૨૬ માર્ચે,…
સુખવિંદર સિંહ સુક્ખૂએ બજેટ દરમિયાન જાહેરાત કરી.મુખ્યમંત્રી, ધારાસભ્યો, જિલ્લાના ન્યાયાધીશો અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની જાહેરાત કરી.હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ બજેટ દરમિયાન મુખ્યમંત્રી, ધારાસભ્યો, જિલ્લાના ન્યાયાધીશો અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની જાહેરાત કરી છે. રાજ્યની ગંભીર આર્થિક સ્થિતિને ધ્યાને રાખી મુખ્યમંત્રીનો ૫૦ ટકા પગાર, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓનો ૩૦ ટકા, ધારાસભ્યોનો, ૨૦ ટકા અને સરકારી અધિકારીઓનો ૩૦ ટકા પગાર કામચલાઉ ધોરણે અટકાવી દેવાયો છે. સરકારે આગામી છ મહિના સુધી પૂરો પગાર આપવા પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત જિલ્લાના ન્યાયાધીશોનો ૩૦ ટકા પગાર અટાકીવ દેવાયો છે. મુખ્યમંત્રી સુક્ખુએ એવું પણ કહ્યું…
ખેડૂતોને વીઘે ૭૦,૦૦૦ના નુકસાનની ભીતિ.વડનગર તાલુકાના મલેકપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કાપણી માટે તૈયાર તમાકુ અને એરંડાના પાક પર કુદરતનો પ્રકોપસમગ્ર ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ઠેર ઠેર નુકસાની જાેવા મળી રહી છે, ખાસ કરીને ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા ૨ દિવસ દરમિયાન પડેલા વરસાદ અને તેજ પવન સાથેના વાવાઝોડાએ ખેડૂતો માટે મોટી આફત સર્જી છે. તમાકુ અને એરંડા જેવા મુખ્ય પાકોમાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તમાકુનો પાક છેલ્લા અઠવાડિયાથી કાપણી માટે તૈયાર હતો અને ઘણા ખેડૂતો કાપણી કરીને તેને સુકવવા માટે ખેતરમાં મૂકી ચૂક્યા હતા, જ્યારે હજુ કેટલાક ખેતરોમાં તમાકુ ઉભી…
યોગગુરૂ પ્રદીપના ગોરખધંધાનો પર્દાફાશ.લોકોને કેન્સર અને હાર્ટની બીમારીની સારવાર પણ આપતો આ યોગગુરૂ.એક સમયે હેર સલૂન ચલાવતો હતો પ્રદીપ જાેટંગિયા.ધર્મના નામે ગોરખધંધા કરતો યોગગુરૂ પ્રદીપ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ૨ કરોડની નકલી નોટ કેસમાં સુરતથી પોલીસે યોગગુરૂની ધરપકડ કરી છે. કામરેજના પારડી ખાતે યોગ ધામ બનાવી પ્રદીપે ગોરખધંધા શરૂ કર્યાં હતા. ધોરણ ૧૨ પાસ હોવા છતાં કેન્સર અને હાર્ટ બ્લોકેજ મટાડવાના દાવા તેના દ્વારા કરવામાં આવતા હતા. ત્યારે આજે અમે તમને યોગગુરૂ પ્રદીપ કોણ છે? તે વિશે સમગ્ર માહિતી આપીશું. યોગગુરૂ પ્રદીપ મૂળ રાજકોટનો છે. તેનું નામ પ્રદીપ જાેટંગિયા હતું. તેણે સુરતના કામરેજ પાસે ધોરણ-પારડી ગામમાં તાપી નદીના…
ગુજરાત ટાઇટન્સ સામે મોટી મુશ્કેલી.ટીમે શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા અંગે ર્નિણય લેવો પડશે.ટીમે શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા અંગે ર્નિણય લેવો પડશે.ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને કોચ સંજય બાંગર માને છે કે ટીમે શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા અંગે મોટો ર્નિણય લેવો પડશે. સંજય બાંગરે કહ્યું કે ગુજરાત ટાઇટન્સને અગાઉ પસંદ કરેલા ખેલાડીઓમાં પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. ટીમ શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા જેવા ખેલાડીઓ માટે પ્રતિબદ્ધ છે, જે ડેથ ઓવરમાં ઝડપથી સ્કોર કરી શકે છે. તેમણે કહ્યું કે જાે બંને ખેલાડીઓ પ્લેઇંગ ઇલેવનમાં રમે છે, તો તેમાંથી એકનો ઉપયોગ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે થઈ શકે છે. જાે આ ખેલાડીઓ…
KKRને વધુ એક મોટો ઝટકો. KKR ને વધુ એક મોટો ઝટકો.પથિરાણા હાલમાં ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. IPL 2026 શરૂ થાય તે પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા બાદ હવે શ્રીલંકાનો ફાસ્ટ બોલર મથેશા પથિરાણા સીઝનની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ ગયો છે. પથિરાણા હાલમાં ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે અને એપ્રિલના મધ્ય સુધીમાં જ ટીમમાં જાેડાઈ શકશે. KKRના મુખ્ય કોચ અભિષેક નાયરે પોતે આ પુષ્ટિ કરી છે. શ્રીલંકાના ઝડપી બોલર મથેશા પથિરાણાની ફિટનેસ અંગે અપડેટ આપતા કોલકાતા નાઈટ રાઈડર્સ મુખ્ય કોચ અભિષેક…
ભાડા વધારાની ચીમકી.ફ્લાઈટ ટિકિટ એકસ્ટ્રા ચાર્જ પર સરકારની રોકથી એરલાઈન્સ કંપનીઓ નારાજ.નવા નિયમો મુજબ હવે દરેક ફ્લાઈટમાં ૬૦% સીટો માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ વસૂલી શકાશે નહીં.જાે તમે અવારનવાર ફ્લાઈટમાં મુસાફરી કરો છો, તો તમારા ખિસ્સા પર સીધી અસર કરતા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ માટે નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ હવે દરેક ફ્લાઈટમાં ૬૦% સીટો માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ વસૂલી શકાશે નહીં. જાેકે, ઇન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ જેવી મોટી કંપનીઓએ આ ર્નિણયનો સખત વિરોધ કર્યો છે. અત્યાર સુધી એરલાઇન્સ માત્ર ૨૦% સીટો જ ફ્રીમાં આપતી હતી, જ્યારે બાકીની ૮૦% સીટો ‘પ્રેફર્ડ…
આગ્રા-મથુરા હાઇવે બ્લોક.આગ્રા-મથુરા હાઇવે બ્લોક.ગૌરક્ષક ફરસા વાલે બાબાના મૃત્યુથી મથુરામાં અશાંતિ ફેલાઈ ગઈ : પોલીસ પર પથ્થરમારો કરાયો હતો.ઉત્તર પ્રદેશના મથુરામાં ગૌરક્ષક ફરસા વાલે બાબાના મૃત્યુ બાદ ભારે હોબાળો મચી ગયો. કોસી વિસ્તારમાં ગુસ્સે ભરાયેલા લોકો હાઇવે પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું, જેમાં પસાર થતા વાહનો પર પથ્થરમારો થયો હતો, જેના કારણે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. અહેવાલો અનુસાર, ગૌરક્ષક સંત ચંદ્રશેખર, જેમને ‘ફરસા વાલે બાબા‘ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમને શનિવારે સવારે લગભગ ૪ વાગ્યે ગાયની તસ્કરીની માહિતી મળી હતી. તેઓ પોતાની મોટરસાઇકલ…
મોંઘવારીની ચેતવણી આપતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી.સરકાર ભલે પરિસ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહી હોય, પરંતુ સત્ય કંઈક બીજું જ છે.દરેક પરિવારના ખિસ્સા પર તેની સીધી અસર પડવાની નિશ્ચિત છે : ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલ, એલપીજીના ભાવ પણ વધારી દેવાશે : રાહુલ ગાંધી.અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. સતત રૂપિયાની હાલત ખરાબ થતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે મોંઘવારીને લઈને ચેતવણી આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક મોટી પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, સરકાર ભલે પરિસ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહી હોય, પરંતુ સત્ય કંઈક બીજું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



