Author: Garvi Gujarat

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી.કેરલમમાં કોંગ્રેસની જીત છતાં જંગ! CM પદ માટે ત્રણ નેતા ‘અડગ.ત્રણદાવેદારો (વી.ડી. સતીશન, કેસી વેણુગોપાલ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રમેશ ચેન્નીથલા) વચ્ચે સહમતિ સધાઈ શકી નથી.પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામ જાહેર થયાને એક સપ્તાહ જેટલો સમય થઈ ગયો છે. કેરલમ સિવાય તમામ રાજ્યોમાં મુખ્યમંત્રી જાહેર થઈ ચૂક્યા છે. પરંતુ કેરલમમાં મુખ્યમંત્રી કોણ બનશે? ભારે બહુમતી હોવા છતાં કોંગ્રેસ પાસે આ પ્રશ્નનો જવાબ નથી. આ સવાલનો જવાબ શોધવા માટે બેઠકો પણ થઈ રહી છે, તેમ છતાં હજુ સુધી કોઈ ઉકેલ મળી શક્યો નથી. આ દરમિયાન મુખ્યમંત્રીના ચહેરાની પસંદગીને લઈને પાર્ટીમાં આંતરિક ડખાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું…

Read More

કેન્યાના ૪ ચિત્તા બનશે ગુજરાતના મહેમાન.કેન્યાથી બે નર અને બે માદા ચિત્તા ગુજરાત લાવવામાં આવશે.કચ્છના બન્નીમાં પુન:વસવાટ માટેની તૈયારીઓ તેજ.ગુજરાતની ધરતી પર ચિત્તાની ઘરવાપસી માટે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઑથોરિટી (NTCA) એ લીલીઝંડી આપતા હવે ટૂંક સમયમાં ચિત્તા ગુજરાતમાં જાેવા મળશે. કચ્છના બન્ની ઘાસિયા વિસ્તારમાં ચિત્તાને લાવવામાં આવનાર હોવાની વાત ચાલી રહી છે. જેમાં ૨ નર અને ૨ માદા ચિત્તા જુલાઈ-ઓગસ્ટ સુધીમાં ગુજરાતની ધરતી પર પગ મૂકે તેવી શક્યતાઓ છે. જાેકે, બન્ની વિસ્તારનો માલધારી સમાજ આ ર્નિણયને લઈ નાખુશ જાેવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે, જાે ચિત્તા બન્ની વિસ્તારમાં વસવાટ કરશે તો તેમના પાલતુ પશુઓને ખતરો છે. મધ્ય પ્રદેશના કુનો…

Read More

GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર.યુદ્ધને કારણે ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફુટી શકે.એડીબીના મત અનુસાર આ સંકટને કારણે ક્રૂડ તેલની વધતી કિંમતો ભારત માટે મોટો પડકાર સાબિત થશે.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા-ઈરાન સંઘર્ષની સીધી અસર હવે ભારતીય અર્થતંત્ર પર પડવા જઈ રહી છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ ભારતના જીડીપી (GDP) ગ્રોથના અંદાજમાં મોટો ઘટાડો કર્યો છે. એડીબીના મતે, આ સંકટને કારણે ક્રૂડ તેલની વધતી કિંમતો ભારત માટે મોટો પડકાર સાબિત થશે. ADB ના ચીફ ઈકોનોમિસ્ટ અલ્બર્ટ પાર્કના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટ સંકટને કારણે સપ્લાય ચેઈનમાં અવરોધ ઉભો થયો છે. આ કારણોસર ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૬.૯% થી ઘટીને…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણો દેશ લોકશાહીને આધીન દેશના બંધારણની સાથે બિનસાંપ્રદાયિકતા ને વરેલો દેશ છે. આને સામે રાખી સત્તાને જોરે હિન્દુત્વની ડિઝાઇન ને કેમ અમલમાં મૂકી શકાય એક આખો ભાવી એજન્ડા નક્કી કરી લેવામાં આવ્યો છે. સમગ્ર દેશ અને આ દેશના સેક્યુલર બુધ્ધિજીવીઓ આને જ લગતા અને આવતા પરિણામો જોઈ અચંબિત થઈ પણ રહ્યા છે અને આ બધું દેશની લોકશાહીને આગળ ધરી સત્તાનો દૂરઉપયોગ ખુલ્લેઆમ થતો જોવાઈ રહ્યો છે, જણાઈ રહ્યો નથી શું?? લોકશાહી પ્રમાણે દેશને એકીસાથે પોતાની આગવી સત્તા મેળવી શકાય તેમ નથી. એટલે પોતાની ડિઝાઇનપ્રમાણે  જુદા જુદા રાજયોમાં આવતી ચૂંટણીઓમાં સત્તાને જોરે બધા ક્ષેત્રોમાં ઈડી થી માંડી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં આપેલો એક ચુકાદો ઓનલાઈન અરજી કરનારા અરજદારો માટે લાલબત્તી સમાન છે. કારણકે, જો ઓનલાઈન પ્રક્રિયામાં કોઈ ભૂલ રહી જાય તો સિસ્ટમ તેને સ્વીકારતી નથી અથવા તો પાછળથી વેરિફિકેશન સમયે મુશ્કેલી ઊભી થાય છે. અંતે ડિજિટલ યુગમાં જાગૃતિ એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે. ઉમેદવારે એ સમજવું જોઈએ કે એકવાર “સબમિટ” બટન દબાવ્યા પછી ઘણીવાર સુધારો કરવાની તક મળતી નથી. ખોટી વિગતો રજૂ કરવા બદલ માત્ર ઉમેદવારી રદ થવી એટલું જ નહીં પરંતુ કાયદેસરની કાર્યવાહી કે દંડની જોગવાઈ પણ હોઈ શકે છે. આથી પોતાની મહેનત અને મેરીટ એળે ના જાય તે માટે ફોર્મ ભરતા પહેલા…

Read More

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.124 નરમ, ચાંદીનો વાયદો રૂ.4414 તેજ ક્રૂડ તેલના વાયદામાં રૂ.360નો ઉછાળોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.31954.63 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.189090.19 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20560.74 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36997 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.221044.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.31954.63 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.189090.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 36997 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3532.27 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20560.74 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.152487ના…

Read More

નેપાળની સરકારે ભારતીયોને આપ્યો મોટો ઝટકો.ઓળખપત્ર વગર ભારત-નેપાળ સરહદે એન્ટ્રી ઉપર પ્રતિબંધ.આ નવી વ્યવસ્થા અમલમાં આવતા જ જાેગબની બોર્ડર પર વાહનો અને રાહદારીઓની લાંબી કતારો લાગી ગઈ. નેપાળની બાલેન સરકારે ભારતથી આવતા નાગરિકો માટે નવા નિયમો લાગુ કર્યા છે, જેના કારણે ભારત-નેપાળ સરહદ પર ભારે અફરાતફરીનો માહોલ જાેવા મળી રહ્યો છે. નવા આદેશ મુજબ, હવે કોઈપણ ભારતીય નાગરિક ઓળખપત્ર (Identity Card) વિના નેપાળમાં પ્રવેશ કરી શકશે નહીં. આ નિયમ નેપાળથી ભારતમાં પ્રવેશતા લોકો માટે પણ સમાન રીતે લાગુ કરવામાં આવ્યો છે. શનિવારે આ નવી વ્યવસ્થા અમલમાં આવતા જ જાેગબની બોર્ડર પર વાહનો અને રાહદારીઓની લાંબી કતારો લાગી ગઈ હતી. કોલકાતાથી…

Read More

૧૨ મેએ લેશે CM પદની શપથ.હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન.અસમ ભાજપ વિધાનસભા પક્ષની એક બેઠક બોલાવવામાં આવી હતી, જ્યાં નેતાની ઔપચારિક પસંદગી કરવામાં આવી હતી.હિંમત બિસ્વા સરમા અસમના આગામી મુખ્યમંત્રી હશે. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. જેપી નડ્ડાએ હિમંત બિસ્વાના નામની જાહેરાત કરી. હિમંત બિસ્વા સરમા ૧૨ મેના રોજ સવારે ૧૧ વાગ્યે બીજી વખત અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ભાજપે ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી માટે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. અસમ ભાજપ વિધાનસભા પક્ષની એક બેઠક બોલાવવામાં આવી હતી, જ્યાં નેતાની ઔપચારિક પસંદગી…

Read More

૯ અન્ય વિધાયકોએ મંત્રીપદના શપથ લીધા.તમિલનાડુના નવા મુખ્યમંત્રી બન્યા થલાપતિ વિજય.વિજયને રાજ્યપાલે મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા : આ પળના તેમના માતા પિતા અને મિત્રો સાક્ષી રહ્યા હતા : રાહુલ ગાંધી પણ સામેલ થયા.અનેક માથાપચ્ચી બાદ આખરે તમિલનાડુમાં ટીવીકેનો સત્તાનો માર્ગ મોકળો થઈ ગયો અને આજે થલાપતિ વિજયના નામથી ઓળખાતા સી જાેસેફ વિજય મુખ્યમંત્રી પદના શપથ પણ લીધા. વિજયના શપથગ્રહણ સમારોહમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ થયા. શપથગ્રહણ સમારોહ ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાયો. મીડિયા રિપોર્ટ મુજબ પહેલા વિજય બપોરે ૩.૪૫ કલાકે શપથ લેવાના હતા પરંતુ તેમના એસ્ટ્રોલોજરે તેમને સવારે ૧૦ વાગે શપથ લેવાની સલાહ આપી હતી. થલાપતિ વિજય…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણે ઘણીવાર વાત વાતમાં બોલીએ છીએ કે તને આખે આખો ગળી જઈશ. તું શોધ્યો પણ નહીં જડે. આવું સામાન્ય રીતે આપણે સાંભળતા હોઈએ છીએ ત્યારે સાઉથ આફ્રિકામાં તો ૫૯ વર્ષના ગ્રેબિઅલ બતિસ્તા નામના હોટલ માલિક જે કેટલાય દિવસથી ગાયબ હતા.તેમની હોટલ પાસે આવેલી કોમાટી નામની નદીમાં પૂર આવ્યું એ પછીથી તેઓ ક્યાંય જોવા મળી રહ્યા ન હતા. લોકોને લાગ્યુ હતું કે પૂરમાં તણાઈ ગયા હશે અથવા તો પાણીના વહેણ સાથે ક્યાંક દૂર પહોંચી ગયા હશે. પોલીસે ગ્રેબિઅલને શોધવા માટે આકાશ પાતાળ એક કરી લીધા. પણ ક્યાંય તેમનો પત્તો લાગ્યો નહીં. આખરે થોડા દિવસ પછી રેસ્ક્યુ ટીમ…

Read More