- ચાંદખેડામાં બેકાબૂ BRTS બસ બિલ્ડિંગમાં ઘૂસી: મોટો અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી
- એવિએશન ઇંધણમાં મોટો ફેરફાર: હવે વિમાનોના ફ્યુઅલમાં ઈથેનોલ મિશ્રણને મંજૂરી
- ભાજપ નેતાનું વિવાદિત નિવેદન: ભારત-પાકિસ્તાન તુલના પર રાજકીય ઘમાસાણ, કોંગ્રેસનો આક્રોશ
- પીએનજીની માંગમાં ઉછાળો: માર્ચથી 5 લાખ નવા કનેક્શન, 5.68 લાખ અરજીઓ નોંધાઈ
- વૈષ્ણોદેવીમાં ચોંકાવનારો ખુલાસો: 95% ચાંદી નકલી, ભક્તોની આસ્થાને ઝટકો
- હોર્મુઝમાં તણાવ વચ્ચે જહાજ પર હુમલો, મુદ્રા પોર્ટ તરફ આવતા વહાણોને નિશાન બનાવાયા
- ઈરાક-સીરિયાનો મોટો નિર્ણય: હોર્મુઝને બદલે નવો જમીન માર્ગથી તેલ સપ્લાય શરૂ
- અભિષેક શર્માનો ધમાકો: T20માં 130+ રનનો નવો વર્લ્ડ રેકોર્ડ, ગેલ-ફિન્ચને પાછળ છોડ્યા
Author: Garvi Gujarat
છત્તીસગઢના ખલ્લારી માતા મંદિરના પર્વત પર બની દુર્ઘટના.રોપ-વે તૂટતા ૮ શ્રદ્ધાળુને ઈજા, એક મહિલાનું મોત.દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલો રોપ-વે તૂટતા ૨૦૦થી ૩૦૦ ફૂટની ઊંચાઈએથી ટ્રોલી નીચે પડી.છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ખલ્લારી માતાના મંદિરની પહાડી પર રવિવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલો રોપ-વે અચાનક તૂટી પડતા ૨૦૦થી ૩૦૦ ફૂટની ઊંચાઈએથી ટ્રોલી નીચે પડી છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે આઠ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. ખલ્લારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ૪૦૦૦ ફૂટ ઊંચા ડુંગર પર ખલ્લારી માતાનું મંદિર આવેલું છે. ઘટનાને નજરે જાેનારાઓએ જણાવ્યું કે, શ્રદ્ધાળુઓ દર્શન કરીને…
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર.ઝેરી દૂધ પીવાથી ૧૬ લોકોનાં મોત, હાહાકાર મચી ગયો.પૂર્વ ગોદાવરી જિલ્લામાં દૂધમાં ઇથિલિન ગ્લાયકોલ નામનું ઝેર ભળતાં સર્જાઈ મોટી દુર્ઘટના : ૨૦ લોકો હોસ્પિટલમાં દાખલ.આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં ભેળસેળવાળું દૂધ પીવાને કારણે ૧૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ૧૬ ફેબ્રુઆરીથી ૨૧ માર્ચ વચ્ચે સ્થાનિક ડેરીમાંથી આવતું આ ઝેરી દૂધ પીધા પછી લોકો ગંભીર રીતે બીમાર પડ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે દૂધમાં ઇથિલિન ગ્લાયકોલ નામનું ખતરનાક ઝેરી કેમિકલ ભળેલું હતું, જેનાથી લોકોની કિડની ફેલ થઈ ગઈ અને ધીમે ધીમે શરીરના અન્ય અંગોએ પણ કામ કરવાનું બંધ કરી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. યુએન (યુનાઈટેડ નેશન) સંયુકત રાષ્ટ્રના નિષ્ણાતોએ જણાવ્યુ હતું કે,ભારત સરકારને કાયદા અમલીકરણ હેઠળ સેંકડો ત્રાસ સંબંધિત મૃત્યુ અને હજારો ઘાયલોના આરોપોની તાત્કાલિક સ્વતંત્ર તપાસ શરૂ કરવા અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ધોરણો મુજબ પોલીસિંગને આધુનિક બનાવવા માટી મોટા સુધારા હાથ ધરાવા હાકલ કરી છે. “ આ આરોપો કાયદા અમલીકરણ હિંસાનું પ્રણાલીગત ચિત્ર રજૂ કરે છે. જે જીવન જીવવાના અધિકાર ત્રાસ પર સંપૂર્ણ પ્રતિબંધ અને ભેદભાવ નહીં કરવાના અધિકારના ગંભીર ઉલ્લંઘનો દર્શાવે છે. અમને ખૂબ જ દુ:ખ છે કે પોલીસ આ કામગીરીમાં કાયદેસર અને યોગ્ય પ્રક્રિયાને બદલે સંક્ષિપ્ત હિંસાનો ઉપયોગ કરે છે. દરેક ઘટનાની તાત્કાલિક સ્વતંત્ર અને પારદર્શક…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 2022 પછી આમ આદમી પાર્ટી એક નવા વિકલ્પ અને રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી આવી છે, ત્યારે સત્તાધારી ભાજપ પાર્ટીને ભીંસ પડી રહી છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતા ભાજપને ભીંસ પડી છે અને હવે તેમણે નવો પ્રોપેગેન્ડા શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત અને દિલ્હીના કાર્યકર્તાઓને ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે. કાયદાનો દૂરપયોગ કરીને ગુજરાતમાં ગંદી રાજનીતિ કરવામાં આવી રહી છે. અમારા પૂર્વ કચ્છના જિલ્લા પ્રમુખ ડો.કાયનાત અંસારીએ જનતા રેડ કરી દારૂના અડ્ડા રોકવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે તેમને ખોટા કેસમાં ફસાવીને જેલમાં…
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારીએ વિડિયો માધ્યમથી જણાવ્યું હતું કે સરકાર માને કે ન માને પરંતુ હાલમાં જે વાવાઝોડુ આવ્યુ તેણે ખેડૂતોને પારાવાર નુકસાન કર્યુ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકોને તો નુકસાન થયું જ છે, પરંતુ એ સિવાયના જે સંવેદનશીલ પાકો છે, જેમનો ઉલ્લેખ સરકાર કે મીડિયા દ્વારા થતો નથી, તેમને પણ ભારે અસર પહોંચી છે. જીરું ગુજરાતમાં આશરે 1,72,476 હેક્ટર વિસ્તારમાં થયુ છે અને તે ખૂબ સંવેદનશીલ પાક છે. તેવી જ રીતે ધાણા આશરે 1,26,470 હેક્ટરમાં થયુ છે. સવાનું વાવેતર આશરે 12,212 હેક્ટરમાં અને ઇસબગુલનુ વાવેતર 17,284 હેક્ટરમાં થયુ છે. આ બધા…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી જે મુદ્દાઓ છે, તે ગરીબો, વંચિતો, શોષિતો અને આદિવાસી સમાજના છે, આ મુદ્દાઓ પર તેઓ સભાને સંબોધન કરવાના છે. છેલ્લા ત્રણ દિવસથી અમારી સ્ક્રિનિંગ કમિટીની બેઠકો યોજાઈ છે. આ મામલે અમે શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી છે. જેમાં પહેલું લિસ્ટ છે, તે ટૂંક સમયમાં અમે ઉમેદવારોનું જાહેર કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી પોતાની અલગ રણનીતિથી ચાલે છે. અમે બીજી પાર્ટીઓની જેમ નથી ચાલતા, પરંતુ અમારી પોતાની રણનીતિથી આગળ વધીએ છીએ. અને…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આપ સૌ જાણો છો કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. અમારી સ્ક્રીનિંગ કમિટીની ત્રણ દિવસની મિટિંગ પૂર્ણ થઈ છે, જેમાં અમે કેટલાક નામો નક્કી કર્યા છે. આ નામોને લઈને અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. આગામી ૨૪ તારીખે સાંજે રાજકોટમાં બંને નેતાઓ પહોંચશે અને ત્યાં પ્રદેશ નેતૃત્વ સાથે બેઠક યોજાશે. ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, 25મી તારીખે અમરેલી ખાતે કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 26મી તારીખે જામનગરના લાલપુરમાં અરવિંદ કેજરીવાલજી અને…
સૂર્ય સાક્ષીએ અધ્યાત્મનું ખેડાણ કરીને, મણિચક્ર એવંમ રત્નોનાં નગરની સફરે જઈએ. આજે ચૈત્રી ચોથે નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ એટલે કે પૃથ્વી નામનાં ગર્ભમાંથી પ્રાણીમાત્રને જન્મ આપનારી કુષ્માંડાને નમન કરીએ. મનુષ્ય પણ એક પ્રાણી જ છે, અને તેનાં મૂળમાં પણ અન્ય પ્રાણીની જેમ કામ જ કેન્દ્ર બિંદુ છે. એટલે તે કામ અને કામના વચ્ચે સતત ગૂંચવાયેલો રહે છે! પરંતુ જો તેને આ ચક્ર વ્યુહ માંથી બહાર નીકળવું હોય તો તેણે તેની પ્રાણશક્તિને કામ શક્તિ માંથી રામ શક્તિ તરફ ઉર્ધ્વગમન કરાવવું પડે, અને તેની આ આધ્યાત્મિક સફરનું નામ જ કુંડલિની જાગરણ છે. મનુષ્ય તરીકે એને સાત જન્મ મળે છે, પરંતુ જન્મ લઇ તે…
બંધ ક્રેડિટ કાર્ડનાં 10 વર્ષ પછી 33 લાખ રૂપિયાની માંગણી કોર્ટે 5 લાખ રૂપિયાનું વળતર અપાવ્યું તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે. તમે તેને બંધ કરી દીધું છે. તમે બાકીનું બધું ચૂકવી પણ દીધું છે. જો બેંક હજુ પણ તમારા પૈસા માંગે તો તમે શું કરશો ? કોર્ટમાં જાઓ? મૈસુરના વેંકટેશે બરાબર આવું જ કર્યું એસવીએન,બેંગલુરુ તમે તમારા ક્રેડિટ કાર્ડનું બેલેન્સ ચૂકવી દીધું અને તેને બંધ કરી દીધું. દસ વર્ષ પછી, બેંકે ₹33.83 લાખની ડિમાન્ડ નોટિસ મોકલી. ગ્રાહક ખૂબ જ હેરાન થઈ ગયો. તેણે બેંકને પરિસ્થિતિની જાણ કરી, પરંતુ બેંકે હાર માનવાનો ઇનકાર કર્યો. ત્યારબાદ ગ્રાહકે ગ્રાહક કોર્ટનો દરવાજો ખખડાવ્યો, જ્યાં…
સીટ બેકરેસ્ટમાં છુપાવ્યા હતા ડ્રગ્સના પેકેટો.એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાંથી ૨ કિલો હાઈબ્રિડ ગાંજાે ઝડપાયો.ત્રણ મુસાફરોની કસ્ટમ્સ વિભાગે ધરપકડ કરી છ.સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ એક મોટી સફળતા મેળવી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં તપાસ દરમિયાન અંદાજે ૨ કિલો જેટલો કિંમતી હાઈબ્રિડ (હાઈડ્રોપોનિક) ગાંજાે ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સ કન્સાઈનમેન્ટ સાથે સંકળાયેલા ત્રણ મુસાફરોની કસ્ટમ્સ વિભાગે ધરપકડ કરી છે.મળતી વિગતો અનુસાર, ફ્લાઈટ નંબરIX-263 માં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી કસ્ટમ્સ વિભાગને મળી હતી. જેના આધારે AIU યુનિટે સમગ્ર વિમાનમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન પેસેન્જર સીટની પાછળના ભાગે એટલે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



