Author: Garvi Gujarat

ઇન્ટરવ્યુમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે ખુલીને વાત કરી.ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પુરુષવાદી વિચારધારા ઊંડે સુધી જડાઈ ગઈ છે : ક્રિતિ સેનન.હાલ ક્રિતિ સેનન તેની આગામી ફિલ્મ ‘કોકટેલ ૨’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે ૧૯ જૂન, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે.ક્રિતિ સેનને તાજેતરમાં આપેલાં એક ઇન્ટરવ્યુમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે પણ રહેલા ભેદભાવ વિશે ખુલીને વાત કરી હતી. ક્રિતિએ પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું કે અસમાન વર્તન અને વળતરમાં ભેદભાવ જેવી બાબતો આજે પણ બોલિવૂડમાં જાેવા મળે છે.લાંબા સમયથી સિનેમામાં રહેલી અસમાનતાઓની વાત કરતી ક્રિતિએ જણાવ્યું કે ફિલ્મોમાં આર્થિક વાટાઘાટો દરમિયાન ઘણીવાર અભિનેત્રીઓને વધુ નુકસાન સહન કરવું પડે છે. તેનાં કહેવા મુજબ જ્યારે પ્રોડ્યુસર્સ બજેટમાં ઘટાડો કરવા…

Read More

ત્રિશાની આંખમાં આંસુ આવ્યાં.વિજય થલાપતિના શપથ સમારોહમાં ગર્લફ્રેન્ડ અભિનેત્રી ત્રિશા છવાઇ.ત્રિશા ટીલ અને સોનેરી સાડીમાં અદભુત દેખાતી હતી, જેમાં સોનેરી ભરતકામવાળા ક્રીમ રંગના બ્લાઉઝ સાથે જાેડી હતી.તમિલનાડુના મુખ્યમંત્રી બનેલા વિજય થલાપતિના શપથ ગ્રહણ સમારોહમાં વિજયની ગર્લ ફેન્ડ અને તમિલ અભિનેત્રી ત્રિશા કૃષ્ણન વાદળી સાડી પહેરીને પહોંચી હતી અને પોતાની સાદગીથી ચાહકોનાં દિલ જીતી લીધા હતાં. ચેન્નાઈના જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમમાં તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં ત્યારે અન્ય સૌ કોઇ સાથે અભિનેત્રી ત્રિશા કૃષ્ણન સાવ અલગ રીતે નિખરી હતી.અભિનેત્રી ત્રિશા કૃષ્ણન તમિલનાડુમાં સી. જાેસેફ વિજયના શપથ ગ્રહણ સમારોહમાં અદભુત દેખાઈ હતી. તમિલનાડુના રાજકારણમાં આવેલા મોટા રાજકીય પરિવર્તન વચ્ચે, ત્રિશા કૃષ્ણને…

Read More

ફિલ્મ ‘આંધી’ના ૫૦ વર્ષ પૂર્ણ થયા.આંધી’ ઇન્દિરા ગાંધીના જીવનચરિત્ર ઉપર આધારિત ફિલ્મ નહોતી: ગુલઝાર.ગુલઝારે સરકારના સૂચન અનુસાર સુચિત્રા સેન પાસે તે ડાયલોગ બોલાવ્યો હતો અ પ્રતિબંધ ઉઠાવી લેવાયો હતો.ગુલઝારે એક શક્તિશાળી મહિલા રાજકારણીને ધ્યાનમાં રાખીને એક કાલ્પનિક વાર્તા લખી હતી પરંતુ લોકોએ તેને ઇન્દિરા ગાંધીના જીવન સાથે સંકળાયેલી હોવાની અફવા ઉડાવી હતી જેના પગલે તત્કાલિન કેન્દ્ર સરકારે ૨૩મા સપ્તાહ દરમ્યાન તેના ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. ગુલઝારે પ્રતિબંધ અંગે સરકારનો સંપર્ક કરતા સરકાર તરફથી એવું સૂચન આવ્યું હતું કે જાે તે ફિલ્મમાં એક વધારાનો ડાયલોગ ઉમેરી દેશે તો પ્રતિબંધ ઉઠાવી લેવાશે. ગુલઝારે સરકારના સૂચન અનુસાર સુચિત્રા સેન પાસે તે ડાયલોગ…

Read More

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી.કેરલમમાં કોંગ્રેસની જીત છતાં જંગ! CM પદ માટે ત્રણ નેતા ‘અડગ.ત્રણદાવેદારો (વી.ડી. સતીશન, કેસી વેણુગોપાલ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રમેશ ચેન્નીથલા) વચ્ચે સહમતિ સધાઈ શકી નથી.પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામ જાહેર થયાને એક સપ્તાહ જેટલો સમય થઈ ગયો છે. કેરલમ સિવાય તમામ રાજ્યોમાં મુખ્યમંત્રી જાહેર થઈ ચૂક્યા છે. પરંતુ કેરલમમાં મુખ્યમંત્રી કોણ બનશે? ભારે બહુમતી હોવા છતાં કોંગ્રેસ પાસે આ પ્રશ્નનો જવાબ નથી. આ સવાલનો જવાબ શોધવા માટે બેઠકો પણ થઈ રહી છે, તેમ છતાં હજુ સુધી કોઈ ઉકેલ મળી શક્યો નથી. આ દરમિયાન મુખ્યમંત્રીના ચહેરાની પસંદગીને લઈને પાર્ટીમાં આંતરિક ડખાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું…

Read More

કેન્યાના ૪ ચિત્તા બનશે ગુજરાતના મહેમાન.કેન્યાથી બે નર અને બે માદા ચિત્તા ગુજરાત લાવવામાં આવશે.કચ્છના બન્નીમાં પુન:વસવાટ માટેની તૈયારીઓ તેજ.ગુજરાતની ધરતી પર ચિત્તાની ઘરવાપસી માટે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઑથોરિટી (NTCA) એ લીલીઝંડી આપતા હવે ટૂંક સમયમાં ચિત્તા ગુજરાતમાં જાેવા મળશે. કચ્છના બન્ની ઘાસિયા વિસ્તારમાં ચિત્તાને લાવવામાં આવનાર હોવાની વાત ચાલી રહી છે. જેમાં ૨ નર અને ૨ માદા ચિત્તા જુલાઈ-ઓગસ્ટ સુધીમાં ગુજરાતની ધરતી પર પગ મૂકે તેવી શક્યતાઓ છે. જાેકે, બન્ની વિસ્તારનો માલધારી સમાજ આ ર્નિણયને લઈ નાખુશ જાેવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે, જાે ચિત્તા બન્ની વિસ્તારમાં વસવાટ કરશે તો તેમના પાલતુ પશુઓને ખતરો છે. મધ્ય પ્રદેશના કુનો…

Read More

GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર.યુદ્ધને કારણે ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફુટી શકે.એડીબીના મત અનુસાર આ સંકટને કારણે ક્રૂડ તેલની વધતી કિંમતો ભારત માટે મોટો પડકાર સાબિત થશે.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા-ઈરાન સંઘર્ષની સીધી અસર હવે ભારતીય અર્થતંત્ર પર પડવા જઈ રહી છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ ભારતના જીડીપી (GDP) ગ્રોથના અંદાજમાં મોટો ઘટાડો કર્યો છે. એડીબીના મતે, આ સંકટને કારણે ક્રૂડ તેલની વધતી કિંમતો ભારત માટે મોટો પડકાર સાબિત થશે. ADB ના ચીફ ઈકોનોમિસ્ટ અલ્બર્ટ પાર્કના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટ સંકટને કારણે સપ્લાય ચેઈનમાં અવરોધ ઉભો થયો છે. આ કારણોસર ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૬.૯% થી ઘટીને…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણો દેશ લોકશાહીને આધીન દેશના બંધારણની સાથે બિનસાંપ્રદાયિકતા ને વરેલો દેશ છે. આને સામે રાખી સત્તાને જોરે હિન્દુત્વની ડિઝાઇન ને કેમ અમલમાં મૂકી શકાય એક આખો ભાવી એજન્ડા નક્કી કરી લેવામાં આવ્યો છે. સમગ્ર દેશ અને આ દેશના સેક્યુલર બુધ્ધિજીવીઓ આને જ લગતા અને આવતા પરિણામો જોઈ અચંબિત થઈ પણ રહ્યા છે અને આ બધું દેશની લોકશાહીને આગળ ધરી સત્તાનો દૂરઉપયોગ ખુલ્લેઆમ થતો જોવાઈ રહ્યો છે, જણાઈ રહ્યો નથી શું?? લોકશાહી પ્રમાણે દેશને એકીસાથે પોતાની આગવી સત્તા મેળવી શકાય તેમ નથી. એટલે પોતાની ડિઝાઇનપ્રમાણે  જુદા જુદા રાજયોમાં આવતી ચૂંટણીઓમાં સત્તાને જોરે બધા ક્ષેત્રોમાં ઈડી થી માંડી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં આપેલો એક ચુકાદો ઓનલાઈન અરજી કરનારા અરજદારો માટે લાલબત્તી સમાન છે. કારણકે, જો ઓનલાઈન પ્રક્રિયામાં કોઈ ભૂલ રહી જાય તો સિસ્ટમ તેને સ્વીકારતી નથી અથવા તો પાછળથી વેરિફિકેશન સમયે મુશ્કેલી ઊભી થાય છે. અંતે ડિજિટલ યુગમાં જાગૃતિ એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે. ઉમેદવારે એ સમજવું જોઈએ કે એકવાર “સબમિટ” બટન દબાવ્યા પછી ઘણીવાર સુધારો કરવાની તક મળતી નથી. ખોટી વિગતો રજૂ કરવા બદલ માત્ર ઉમેદવારી રદ થવી એટલું જ નહીં પરંતુ કાયદેસરની કાર્યવાહી કે દંડની જોગવાઈ પણ હોઈ શકે છે. આથી પોતાની મહેનત અને મેરીટ એળે ના જાય તે માટે ફોર્મ ભરતા પહેલા…

Read More

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.124 નરમ, ચાંદીનો વાયદો રૂ.4414 તેજ ક્રૂડ તેલના વાયદામાં રૂ.360નો ઉછાળોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.31954.63 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.189090.19 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20560.74 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36997 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.221044.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.31954.63 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.189090.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 36997 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3532.27 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20560.74 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.152487ના…

Read More

નેપાળની સરકારે ભારતીયોને આપ્યો મોટો ઝટકો.ઓળખપત્ર વગર ભારત-નેપાળ સરહદે એન્ટ્રી ઉપર પ્રતિબંધ.આ નવી વ્યવસ્થા અમલમાં આવતા જ જાેગબની બોર્ડર પર વાહનો અને રાહદારીઓની લાંબી કતારો લાગી ગઈ. નેપાળની બાલેન સરકારે ભારતથી આવતા નાગરિકો માટે નવા નિયમો લાગુ કર્યા છે, જેના કારણે ભારત-નેપાળ સરહદ પર ભારે અફરાતફરીનો માહોલ જાેવા મળી રહ્યો છે. નવા આદેશ મુજબ, હવે કોઈપણ ભારતીય નાગરિક ઓળખપત્ર (Identity Card) વિના નેપાળમાં પ્રવેશ કરી શકશે નહીં. આ નિયમ નેપાળથી ભારતમાં પ્રવેશતા લોકો માટે પણ સમાન રીતે લાગુ કરવામાં આવ્યો છે. શનિવારે આ નવી વ્યવસ્થા અમલમાં આવતા જ જાેગબની બોર્ડર પર વાહનો અને રાહદારીઓની લાંબી કતારો લાગી ગઈ હતી. કોલકાતાથી…

Read More