
- મુંદ્રા અને મેંગલોર પોર્ટ પર સાઉદી LPG ૪૮,૦૦૦ ટન ખાલી, રાંધણ ગેસ સપ્લાય મજબૂત
- નવસારીથી સુરત ડાયમંડ બુર્સ માટે નવી બસ સેવા શરૂ, હીરા કારીગરોને રોજિંદા મુસાફરીમાં રાહત
- બહેરીનમાં ૬૦% શિયા નારાજ, અમેરિકાના ફિફ્થ ફ્લીટ મથક પર યુદ્ધ પ્રભાવથી તણાવ વધ્યો
- ગુજરાતમાં લોકડાઉનની અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી, પુરતી ગેસ-ખાતર-ઇંધણ સ્ટોકની વ્યવસ્થા – હર્ષ સંઘવી
- કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ શાહિદુલ્લાહ મુનશીનું નામ મતદાર યાદીમાં ગાયબ – બે વાર ડોક્યુમેન્ટ સબમિટ છતાં નોંધાયો નહીં
- સોનાના ભાવમાં ૫.૭૭% વધારો, ગોલ્ડ ફ્યુચર્સ ૧,૪૪,૫૦૦ રૂ. અને સિલ્વર ૨,૨૭,૭૫૦ રૂ.
- રશિયાએ પેટ્રોલ નિકાસ પર પ્રતિબંધ લાદ્યો: સ્થાનિક પુરવઠો માટે ૧ એપ્રિલથી ચાર મહિના માટે રોકાણ
- નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન: વડાપ્રધાન મોદીએ કહ્યું – યુદ્ધથી વિશ્વ પરેશાન, અફવાઓથી દૂર રહો
Author: Garvi Gujarat
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજની વિધાનસભામાં તેમના પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું કે નર્મદા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં માનવભક્ષી દિપડાઓ દ્વારા 14 લોકો પર હુમલા થયા છે, જેમાંથી 4 લોકોનાં મૃત્યુ થયા છે અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે જંગલ અને વન્ય પ્રાણીઓ વર્ષોથી છે, પરંતુ હાલમાં વન વિભાગ દ્વારા બહારથી પકડાયેલા દિપડાઓને નર્મદા જિલ્લામાં છોડવામાં આવી રહ્યા છે, જે સીધા જ લોકો પર હુમલા કરે છે. અનેક રજૂઆતો અને જિલ્લા સંકલન બેઠકમાં મુદ્દો ઉઠાવ્યા છતાં વન વિભાગ ગંભીરતા દાખવી રહ્યો નથી અને દિપડાઓને પકડવાની કાર્યવાહી કરવામાં આવી નથી. ચૈતર…
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, 27 ફેબ્રુઆરીનો ઐતિહાસિક દિવસ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી તથા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજીએ ઘણા અત્યાચાર સહ્યા. ભારતના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું કે સીટિંગ ચીફ મિનિસ્ટરને જેલમાં જવું પડ્યું હોય. આવું એટલા માટે થયું કારણ કે મનીષ સિસોદિયાજીએ દિલ્હીમાં શાનદાર સરકારી સ્કૂલો બનાવી અને શિક્ષણના મોડલથી સમગ્ર દેશને જાગૃત કર્યો અને સંદેશ આપ્યો કે એક આમ આદમી અને એક સરકાર ઈચ્છે તો શિક્ષણ વ્યવસ્થાની કાયાપલટ થઈ શકે છે. મનીષ સિસોદિયાજીના શિક્ષણના અને સત્યેન્દ્ર જૈનજીના સ્વાસ્થ્ય મોડલને ધ્યાનમાં રાખીને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના…
આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે દિલ્હીમાં કોર્ટ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને મંત્રી મનીષ સિસોદિયાને પુરાવાના અભાવના કારણે આજે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટના આ નિર્ણયને અમે આવકારીએ છીએ.તેમણે વધુ જણાવ્યું કે કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિપક્ષના મુખ્યમંત્રી અને અન્ય આગેવાનોને દારૂની નીતિઓમાં ગોટાળો થયાનો આરોપ લગાવીને છ મહિના સુધી જેલમાં રાખતી રહી. આ જ કેસમાં આમ આદમી પાર્ટીના અન્ય પાંચ મહત્ત્વના નેતાઓને પણ જેલમાં મુકવામાં આવ્યા. આ પ્રયાસો સાબિત કરે છે કે કેવી રીતે ભાજપની સરકાર પોતાની સત્તાનો દૂરઉપયોગ કરી શકે છે, પરંતુ આજે સાબિત થયું છે કે સત્યની હંમેશા જીત…
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી ગોપાલ રાયજીએ દિલ્હી અદાલતના ચૂકાદાને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. મિડિયાને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે દિલ્હીની અદાલતે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. જેમ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને સમગ્ર પાર્ટીએ ખોટા કેસો બનાવીને દિલ્હીના ચૂંટાયેલા મુખ્યમંત્રીને જેલમાં મૂક્યા, એવી જ રીતે અમારા સાંસદોને અને AAP ના નેતાઓને ખોટા કથિત “શરાબ ગોટાળા”ના કેસો અને ખોટા પ્રચાર દ્વારા ત્રાસ આપ્યો. અદાલતે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ સંદેશ આપ્યો કે સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત નહીં. ભારતના ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણીમાં વિજયી થયેલા મુખ્યમંત્રીને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. અદાલતે જણાવ્યું કે CBI દ્વારા અદાલતમાં રજૂ કરેલા…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનોજ સિસોદીયા આજે નિર્દોષ સાબિત થયા છે. આ મામલે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી,પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ તકે મિડીયાને સંબોધતા આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આખા દેશમાં જે લોકો ભ્રષ્ટાચાર સામે લડ્યા, અને જે સામાન્ય જનતા ભ્રષ્ટાચારથી પીડિત હતી, એ જ જનતા આમ આદમી પાર્ટીમાં જોડાતી ગઈ અને પછી દિલ્હીમાં સરકાર બની,સરકાર બન્યા પછી આમ આદમી પાર્ટીએ માત્ર અમુક વર્ષમાં જ એવી કામગીરી કરી કે બીજી પાર્ટીઓ કરી શકી ન…
ગુજરાત ATS ની મોટી કાર્યવાહી પંજાબનો વોન્ટેડ આતંકી અને ડ્રગ સ્મગલર અમદાવાદથી ઝડપાયો રાષ્ટ્રીય સુરક્ષા માટે જાેખમી એવા તત્વો ગમે તેટલા વેશ પલટો કરે, પણ કાયદાના હાથથી બચી શકતા નથી ગુજરાત ATS એ પંજાબના એક ચકચારી ડ્રગ્સ અને હથિયાર તસ્કરીના કેસમાં વોન્ટેડ આરોપીને અમદાવાદના હૃદય સમાન ગીચ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય સરહદેથી આવતા નશીલા પદાર્થો અને વિસ્ફોટકોના નેટવર્ક સાથે જાેડાયેલો આ આરોપી, પોલીસની ધરપકડથી બચવા માટે દેશના અલગ-અલગ રાજ્યો અને નેપાળમાં આશરો લીધા બાદ અંતે ગુજરાતમાં છુપાયો હતો. સુરક્ષા એજન્સીઓના આ સફળ ઓપરેશને ફરી એકવાર સાબિત કર્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે જાેખમી એવા તત્વો ગમે તેટલા વેશ પલટો…
ફરીથી સ્કૂલમાં હાજર શિક્ષકો પર કાર્ય ભાર વધી રહ્યો છે સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને માથે વધુ એક જવાબદારી બોર્ડની પરીક્ષામાં સુપરવાઈઝર-ઝોન પ્રતિનિધિની કામગીરીમાં જાેડાયા સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં છેલ્લા કેટલાક વખતથી શિક્ષણ સ્તરને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. બીજી તરફ શિક્ષકોની ઘટ હોવાના કારણે બાળકોના શિક્ષણ બગડી રહ્યું છે આ ઓછું હોય તેમ થોડા સમય પહેલાં મોટા ભાગના શિક્ષકો મતદાર સુધારણા કાર્યક્રમ જીૈંઇ માં જાેડાયા હતા. તે માંડ પુરું થયું ત્યારે હવે સમિતિના અનેક શિક્ષકો આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં સુપરવાઈઝર-ઝોન પ્રતિનિધિની કામગીરીમાં જાેડાયા છે તેથી ફરીથી સ્કૂલમાં હાજર શિક્ષકો પર કાર્ય ભાર વધી…
હાઈકોર્ટે મેકર્સને આપ્યો મોટો ઝટકો The Kerala Story 2ની રિલીઝ પર રોક લગાવાઈ આ ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરાઈ વિવાદાસ્પદ ફિલ્મ “ધ કેરળ સ્ટોરી ૨”ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેરળ હાઈકોર્ટે ગુરુવાર, ૨૬ ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે. જસ્ટિસ બેચુ કુરિયન થોમસે આ મામલે સુનાવણી કરતા આદેશ આપ્યો છે કે, ફિલ્મ તેની નિર્ધારિત તારીખ એટલે કે ૨૭ ફેબ્રુઆરીએ રિલીઝ કરી શકાશે નહીં. કોર્ટે સેન્સર બોર્ડ (ઝ્રમ્હ્લઝ્ર)ની કાર્યપ્રણાલી પર પણ સવાલો ઉઠાવ્યા છે અને અવલોકન કર્યું છે કે સર્ટિફિકેટ આપવામાં નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. આ ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં ત્રણ…
ટ્રમ્પ સામે વડાપ્રધાન મોદી ઘૂંટણીએ : કોંગ્રેસ અમેરિકા-ભારતની ટ્રેડ ડીલના મુદ્દે વિધાનસભા બહાર કોંગ્રેસનો વિરોધ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્રમ્પના દબાણ અને ખેડૂતોના નુકસાન અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી. આજે ગુજરાત બજેટ સત્ર ૨૦૨૬-૨૭નું વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા જ રાજકીય માહોલ ગરમાયો હતો. દિવસની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ ટ્રેડ ડીલના મુદ્દે વિધાનસભા પગથિયાં પાસે ઉગ્ર વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ભારત અને અમેરિકા વચ્ચે ડીલ તાત્કાલિક રદ કરવાની માંગ અંગે બેનર અને સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા. વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અમેરિકાની સાથે…
ખેતરમાંથી નીકળવા લાગ્યું ક્રૂડ ઓઇલ રાજસ્થાનના બાડમેરમાં અચાનક ફાટી જમીન કૌખેડા ગામમાં આવેલ ઓઈલ ફિલ્ડ પાસે લગભગ ૪૦ કલાકથી ઓઈલ નીકળી રહ્યું છે, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો રાજસ્થાનના બાડમેરના કૌખેડા ગામમાં એક ખેડૂતના ખેતરમાંથી ક્રૂડ ઓઇલ લીક થતાં ભારે સનસનાટી મચી ગઈ. છેલ્લા ૪૦ કલાકથી ખેતરમાંથી ક્રૂડ ઓઇલ નીકળી રહ્યું છે. નજીકમાં જ એક ઓઇલ ફીલ્ડ પણ આવેલી છે. આ ઘટના બાદ ઓઇલ ફીલ્ડના કામદારો ખાડો ખોદીને ટેન્કરો ભરી ભરીને તેલ કાઢી રહ્યા છે. કંપનીના અધિકારીઓ કહે છે કે તેઓ લીકેજના સોર્શની તપાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં ઉકેલ શોધવાની આશા છે. દરમિયાન ખેતરના માલિક અને ખેડૂતોનું કહેવું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



