- ચાંદખેડામાં બેકાબૂ BRTS બસ બિલ્ડિંગમાં ઘૂસી: મોટો અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી
- એવિએશન ઇંધણમાં મોટો ફેરફાર: હવે વિમાનોના ફ્યુઅલમાં ઈથેનોલ મિશ્રણને મંજૂરી
- ભાજપ નેતાનું વિવાદિત નિવેદન: ભારત-પાકિસ્તાન તુલના પર રાજકીય ઘમાસાણ, કોંગ્રેસનો આક્રોશ
- પીએનજીની માંગમાં ઉછાળો: માર્ચથી 5 લાખ નવા કનેક્શન, 5.68 લાખ અરજીઓ નોંધાઈ
- વૈષ્ણોદેવીમાં ચોંકાવનારો ખુલાસો: 95% ચાંદી નકલી, ભક્તોની આસ્થાને ઝટકો
- હોર્મુઝમાં તણાવ વચ્ચે જહાજ પર હુમલો, મુદ્રા પોર્ટ તરફ આવતા વહાણોને નિશાન બનાવાયા
- ઈરાક-સીરિયાનો મોટો નિર્ણય: હોર્મુઝને બદલે નવો જમીન માર્ગથી તેલ સપ્લાય શરૂ
- અભિષેક શર્માનો ધમાકો: T20માં 130+ રનનો નવો વર્લ્ડ રેકોર્ડ, ગેલ-ફિન્ચને પાછળ છોડ્યા
Author: Garvi Gujarat
મુંબઈ એરલિફ્ટ કરાયા; અન્ય ૨ ગુમ માલદીવ્સમાં સ્પીડબોટ પલટતા રેમન્ડના MD ગૌતમ સિંઘાનિયા ઈજાગ્રસ્ત થયાં ગૌતમ સિંઘાનિયા છેલ્લા કેટલાક સમયથી તેમના વ્યવસાય ઉપરાંત અંગત જીવનમાં આવેલા ઉતાર-ચઢાવને કારણે પણ સતત ચર્ચામાં રહ્યા છે. રેમન્ડ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયા માલદીવ્સમાં એક ભયાનક સ્પીડબોટ અકસ્માતનો ભોગ બન્યા છે. દરિયામાં બોટ પલટી જતાં સર્જાયેલી આ દુર્ઘટનામાં સિંઘાનિયા ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે એરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ અકસ્માત સમયે તેમની સાથે જાણીતા રેલી ડ્રાઈવર હરિ સિંહ અને અન્ય એક મિત્ર પણ બોટ પર સવાર હતા, જેઓ હાલ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. જાેકે, ગૌતમ સિંઘાનિયાના પ્રવક્તાએ…
સુપ્રીમ કોર્ટની લગ્નજીવનના વિવાદની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કામવાળી સાથે લગ્ન નથી કર્યાં, પતિએ પણ રસોઈમાં મદદ કરવી જાેઈએ : સુપ્રીમ કોર્ટ ફેમિલી કોર્ટે શરૂઆતમાં પતિની તરફેણમાં છૂટાછેડાનો આદેશ આપ્યો હતો, પરંતુ હાઈકોર્ટે તે આદેશ રદ કર્યાે હતો. સુપ્રીમ કોર્ટે એક લગ્નજીવનના વિવાદની સુનાવણી દરમિયાન આધુનિક સમાજમાં પતિ-પત્નીના બદલાતા સંબંધો અંગે એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. ક્રૂરતાના આધારે છૂટાછેડાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પત્ની દ્વારા રસોઈ બનાવવી કે ઘરકામ બરાબર ન કરી શકવા જેવા આક્ષેપોને ‘માનસિક ક્રૂરતા’નો આધાર બનાવી શકાય નહીં. કોર્ટે મૌખિક રીતે જણાવ્યું હતું કે સમય બદલાઈ ગયો છે અને…
બંને દેશે પરસ્પર હિતો જાળવવાના ઈરાદા વ્યક્ત કર્યા US સાથે ટ્રેડ ડીલની વાટાઘાટોમાં નવા મુદ્દાઓ અંગે સંમતિ સધાઈ: ચીન ટ્રમ્પના ચીન પ્રવાસમાં વિલંબ થવાથી ચીનને રાહત મળી હોવાનું જાણકારો માને છે, ચીન અને ઈરાન વચ્ચેની નિકટતા જગજાહેર છે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બેઈજિંગ મુલાકાત પૂર્વે ટ્રેડ વાટાઘાટોમાં કેટલાક નવા મુદ્દાઓ અંગે સંમતિ સધાઈ હોવાનો ખુલાસો ચીન દ્વારા થયો છે. પશ્ચિમ એશિયામાં તણાવની સ્થિતિ વચ્ચે ચીન-અમેરિકાએ વ્યાપાર ક્ષેત્રે નવા સંબંધોની શરૂઆત વાટાઘાટો જારી રાખી હોવાનું ચીનના વાણિજ્ય મંત્રાલય દ્વારા જણાવાયું છે. ચીનના જણાવ્યા મુજબ, બંને દેશ વચ્ચે સંવાદ અને વાતચીતને આગળ ધપાવવા માટે આર્થિક અને વ્યાપાર સંબંધી આદાન-પ્રદાનના મિકેનિઝમનો ઉચિત ઉપયોગ…
હિંદ મહાસાગરમાં યુદ્ધ! ઈરાને ડિએગો ગાર્સિયા પર છોડી મિસાઈલ, રેન્જ જાેઈ દુનિયા સ્તબ્ધ ડિયેગો ગાર્સિયા એ હિંદ મહાસાગરમાં આવેલો એક નાનો ટાપુ છે, જે અમેરિકા અને બ્રિટન માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. વોલ સ્ટ્રીટ જર્નલ ના રિપોર્ટ અનુસાર, ઈરાને હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકા અને બ્રિટનના સંયુક્ત સૈન્ય મથક ડિયેગો ગાર્સિયા પર બે મધ્યમ અંતરની મિસાઈલોથી હુમલો કર્યાે છે. આ ઘટના બાદ વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે.રિપોર્ટ મુજબ, ઈરાન દ્વારા છોડવામાં આવેલી બંને મિસાઈલો અમેરિકી સૈન્ય અડ્ડાને ભેદવામાં નિષ્ફળ રહી છે…
પ્રાઇમ વીડિયો દ્વારા સિરીઝની જાહેરાત કરાઈ ‘કૉલ મી બે- ૨’માં અનન્યા પાંડે ‘નવી બહેન’ શ્રૃતિ હાસન જાેડાઈ ટીમે આખરે કૉલ મી બે સીઝન ૨ નો ફર્સ્ટ લુક અને ટીઝર કર્યા છે અને તે પહેલાંથી પણ વધુ મજેદાર અને એન્ટરટેઇનિંગ લાગે છે કોલિન ડી’કુન્હાએ ડિરેક્ટ કરેલી ‘કૉલ મી બે સીઝન ૨’ અનન્યા પાંડે, વીર દાસ, શ્રૃતિ હસન અને અન્ય ઘણા કલાકારો સાથે પરત આવી રહી છે. એમેઝોન અનન્યા પાંડેએ ૨૦૨૪માં આ વેબ સિરીઝ સાથે ડેબ્યુ કર્યું હતું. દર્શકોએ તેને બેલા (બૅ) ચૌધરી તરીકે આ કોમેડી ડ્રામામાં ખૂબ પસંદ કરી પછી, નિર્માતાઓ હવે નવી સીઝન સાથે પરત આવી રહ્યા છે. તાજેતરમાં, શોનો…
પ્રતીક ગાંધી ઓસીડી ધરાવતું પાત્ર ભજવશે મારી સફર સતત શીખતા રહેવા માટે જ છે : પ્રતીક ગાંધી મારી સફર સતત શીખવાની પ્રક્રિયા છે અને આ બધા પાત્રોએ મારામાં વ્યક્તિ તરીકે અને અભિનેતા તરીકે ખુબ મુલ્ય ઉમેર્યું છે. વિવિધતાથી ભરપુર પ્રતીક ગાંધી હવે પોતાની અભિનય યાત્રામાં આગામી ચેલેન્જ તરફ આગળ વધી રહ્યો છે. એમેઝોન પ્રાઇમ વીડિયો પર આવનારી તેની થ્રિલરમાં પ્રતીક એક એવા વ્યક્તિનું પાત્ર ભજવે છે જેને ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર છે અને તેનું પાત્ર અણધાર્યા ર્નિણયો લે છે. આ ફિલ્મ રિતિક રોશન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ફિલ્મ અને પોતાના પાત્ર વિશે વાત કરતા, પ્રતીક કહે છે, “રાજેશ કૃષ્ણન…
કોકટેલ ૨ ૧૯ જૂનના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે ફિલ્મ કોકટેલ ૨નું ટીઝર લીક થયું, દર્શકો નિરાશ થયાં મૂળ ફિલ્મને મળેલા પ્રેમ અને સફળતાને કારણે દર્શકોની અપેક્ષાઓ ઘણી ઊંચી છે. પરંતુ શું કૃતિ, રશ્મિકા અને શાહિદ આ અપેક્ષાઓ પર ખરા ઉતર્યા? ધુરંધર ધ રિવેન્જ સત્તાવાર રીતે રિલીઝ થવાના એક દિવસ પહેલા, ઘણા ચાહકો પેઇડ પ્રિવ્યુ જાેવા માટે થિયેટરોમાં દોડી ગયાં હતાં. આ પ્રીમિયર સાથે, કોકટેલ ૨ના નિર્માતાઓએ શાહિદ કપૂર, રશ્મિકા મંદાન્ના અને કૃતિ સેનનની આવનારી ફિલ્મનું પહેલું ટીઝર મોટા પડદા પર રજુ કર્યું હતું. હોમી અડાજાનિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનાં પહેલા ભાગમાં દીપિકા પાદુકોણ, ડાયના પેન્ટી અને સૈફ અલી ખાન…
‘ક્યારેય નહીં’ એવું કહેવું યોગ્ય નથી :એક્ટ્રેસ દિવ્યા દત્તા “મુશ્કેલ લગ્ન કરતાં હું ખુશીથી સિંગલ રહેવું પસંદ કરીશ” દિવ્યા દત્તાએ આગામી સિરીઝ ચિરૈયા સંદર્ભે મુશ્કેલ લગ્ન જીવન અને ઘરેલુ હિંસા વિશે વાત કરી એક્ટ્રેસ દિવ્યા દત્તાએ સ્ક્રીન પર ઘણી વાર આદર્શ પત્ની અને વહુની ભુમિકાઓ ભજવી છે, પરંતુ વાસ્તવિક જીવનમાં, ૪૮ વર્ષની આ અભિનેત્રીએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે તેણે પ્રેમનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે, પરંતુ તેની લગ્ન માટે કોઈ ઇચ્છા નથી.“લગ્ન યોગ્ય કારણો માટે થવાં જાેઈએ. ખરેખર કહું તો, લગ્ન એક એવી સંસ્થા છે જેમાં બે લોકો સાથે મળીને આગળ વધે. જાે મને કોઈ એવું યોગ્ય લાગતું નથી, તો…
આમ આદમી પાર્ટીના યુવા નેતા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનોને યોગ્ય વેતન નથી મળતું તેને લઈને તેઓ વર્ષોથી માંગણીઓ કરી રહ્યા છે. આ માંગણીઓ મુદ્દે તેમને ત્રણ દિવસની હડતાલ કરી અને ત્યારબાદ તેમણે ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતની તમામ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોની આ માંગણીઓ અને તેમના આંદોલનને આમ આદમી પાર્ટી પોતાનું પૂરું સમર્થન આપે છે. ભૂતકાળમાં પણ અમે ગુજરાતની આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનો માટે અનેક લડાઈઓ લડી છે, ભવિષ્યમાં…
હાલમાં સમગ્ર ગુજરાતમાં થયેલા માવઠા મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને જાણીતા ખેડૂત નેતા સાગર રબારીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં માવઠું થયું અને ઘણી જગ્યાએ કરા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે આંબાના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે, તો મધ્ય ગુજરાતમાં કેળાના પાકની સાથે સાથે પૂર્વ પટ્ટીના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં મકાઈના ઉભા પાકને પણ ખૂબ જ નુકસાન થયું છે. આ સિવાય ઘઉં અને ચણાને પણ નુકસાન થયું છે. તો મોટાભાગે જે શિયાળુ પાક લેવાની અવસ્થામાં આવી ગયા હતા એમને ખૂબ જ નુકસાન થયું છે. સાથે સાથે બાગાયતી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



