Author: Garvi Gujarat

મને લાગે છે કે આ કોલબરેશન થવું જ જાેઈએ : વિશાલ વિશાલ ભારદ્વાજ અને શાહરુખ સાથે કામ કરી શકે છે વિશાલ ભારદ્વાજે ‘હૈદર’ (૨૦૧૪), ‘કમિને’ (૨૦૦૯) અને ‘મકબૂલ’ (૨૦૦૩) જેવી યાદગાર ફિલ્મો આપી છે. શાહરૂખ ખાન પોતાની આવનારી એક્શન ફિલ્મ ‘કિંગ’ની રિલીઝ માટે તૈયારીઓ કરી રહ્યો છે, ત્યારે લાગે છે કે એસઆરકે અને વિશાલ ભારદ્વાજ વચ્ચેનું કોલબરેશન નજીકના ભવિષ્યમાં જાેવા મળી શકે છે.કાવ્યાત્મક પરંતુ ધારદાર વાર્તા કહેવા માટે જાણીતા વિશાલ ભારદ્વાજે ‘હૈદર’ (૨૦૧૪), ‘કમિને’ (૨૦૦૯) અને ‘મકબૂલ’ (૨૦૦૩) જેવી યાદગાર ફિલ્મો આપી છે. વર્ષાેથી આ ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ અને એક્ટર શાહરુખ એકબીજાના વખાણ કરતા આવ્યા છે, છતાં અત્યાર સુધી તેમણે…

Read More

રણવીર અને નિર્માતાઓ વચ્ચેની ચર્ચા ‘ધુરંધર’ રિલીઝ થવા સુધી ચાલુ રહી હતી વધતો ‘ડોન ૩’ વિવાદ : કાનૂની વિકલ્પથી ઉકેલ લાવવાની સલાહ પ્રોડક્શન હાઉસે પ્રી-પ્રોડક્શન અને ડેવલપમેન્ટ તબક્કામાં થયેલા નુકસાનનો હવાલો આપી ૪૦ કરોડના વળતર માંગ કરી છે. ડોન ૩નો વિવાદ દિવસે ને દિવસે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, હવે આ વિવાદમાં પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ ‘ડોન ૩’ના નિર્માતાઓ અને અભિનેતા રણવીર સિંહને વળતરનો વિવાદ ઉકેલવા કાનૂની માર્ગ અપનાવવા સલાહ આપી છે. પ્રોડ્યુસર્સ ગિલ્ડની મધ્યસ્થી દ્વારા મામલો ઉકેલવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે આ ભલામણ કરાઈ છે.બંને પક્ષો પોતાના વલણ પર અડગ રહેતા, ગિલ્ડના સભ્યોએ સૂચવ્યું કે મામલો…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મ.ન.પા માં સ્મીમેર હોસ્પિટલનું આયોજન થતાં નવા સ્ટાફની ભરતી કરવામાં આવેલી. જેમાં વર્ગ-૪, વર્ગ-૩, ટેકનિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફની તાત્કાલિક ભરતી કરવામાં આવેલી. અને સાથે સાથે મેડિકલ કોલેજની પણ તાત્કાલિક મંજૂરી મળતા સ્ટાફની ભરતી કરવી જરૂરી થઈ પડેલ. આ સંજોગોમાં લાગવગીયા અને કાકા,મામા,બાપા ની વગ ધરાવતા કર્મચારીઓ નિમણુંક પામેલા. આ સદર ભરતીમાં કારકુન(ક્લાર્ક) તરીકે સ્વાતિ દેસાઈ સાથે આશરે ચાલીસેક જેટલા કર્મચારીઓની કોઈપણ પ્રકારની ભરતીની પ્રક્રિયા જાળવ્યા વગર સ્વાતિ દેસાઈ જે હાલમાં ડે.મ્યુ.કમિશ્નરની પોસ્ટ ઉપર છે તેઓ પણ કારકુન(ક્લાર્ક) તરીકે જોડાયેલા. ત્યારબાદ વગવસીલો મળી જતાં તેઓ સુરત મ.ન.પા માં સેક્રેટરી ની પોસ્ટ ઉપર પસંદ કરવામાં આવેલા. અને…

Read More

સદર તસવીરમાં દેશના સન્માનીય વડાપ્રધાને કરેલા GST ઘટાડાથી થયેલી વ્યક્તિગત આરોગ્ય અને જીવનવીમા સસ્તા થતાંની થયેલી બચત અંગે આભાર માનતા હોર્ડીંગ “GST બચત ઉત્સવ” લખીને હોર્ડીંગ બનાવનાર પેઈન્ટરે ગુજરાતી ભાષાના અજ્ઞાનને કારણે “ઉત્સવ” ને બદલે “ઉતસવ” લખીને ગુજરાતી ભાષાનું અપમાન સાથે બુધ્ધિનું દેવાળું ફૂંકયું હોય એવું લાગી રહ્યું છે. (તસવીર અને અહેવાલ છગનલાલ મેવાડા)

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા ) સુરત. આજના આધુનિક યુગમાં હવે મોબાઈલ જાણે કે જરૂરિયાતનું સાધન બની ગયો હોય એટલી હદે એનો જે ઉપયોગ થઈ રહ્યો છે એના કરતાં વધુ એનો દૂરઉપયોગ થઈ રહ્યો છે એમ કહેવું અતિશયોક્તિ ભર્યું નહીં જ હોય કારણ મોબાઈલ હવે કેમેરામાં ઉત્તમ ફોટા કે વિડીયો લઈ શકે છે. એમ જ તેનો ઉપયોગ બ્લેકમેઈલિંગ માટે પણ થઈ શકે છે. મોબાઇલ પોતે તો કોઈ ગુનો કરતો નથી. પણ તેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓમા વધ્યો છે. લગ્ન પૂર્વે પ્રેમીઓ મોબાઈલથી અંગત પળોનો વિડીયો ઉતારવાનું સાહસ કરતાં હોય છે. અંગત પળોનો આનંદ લેવાની સાથે વિડીયો ઉતારવામાં કયો આનંદ આવે છે તે તો…

Read More

સોનું-મિની વાયદો રૂ.1.56 લાખ અને ચાંદી વાયદો રૂ.2.55 લાખના સ્તર સુધી ગબડ્યોઃ ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યા કોમોડિટી વાયદાઓમાં રૂ.24367.08 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.298684.89 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20046.33 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39750 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.323052.21 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.24367.08 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.298684.89 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 39750 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1793.66 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20046.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.160530ના ભાવે…

Read More

આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી હતી. તારીખ 26ના રોજ આ યાત્રા માણાવદરના ચિરોડા, સુલતાનાબાદ, ખાગેશ્રી, સમેગા અને ભાણખોખરીથી પસાર થઈ હતી. ભાણખોખરીમાં સાંજે એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો આ યાત્રામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો અને સાથે સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો પણ જોડાયા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓ ગામેગામ જઈને ખેડૂતોને મળ્યા હતા તથા તેમના પ્રશ્નોને જાણ્યા હતા. ખાગેશ્રી અને ચિરોડા ગામે ખાટલા બેઠકનું પણ આયોજન…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીશા પટેલે મહત્વપૂર્ણ મુદ્દા પર સમેગા, માણાવદર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જીગીશાબેન પર કરવામાં આવેલ હુમલો પૂર્વઆયોજિત કાવતરૂ હતુ. સાથે સાથે તેમણે કહ્યું કે પાયલબેન ગોટીનું રાત્રે બાર વાગે સરઘસ કાઢનાર પોલીસ લુખ્ખા તત્વોનું સરઘસ ક્યારે કાઢશે? બહેનો અને દીકરીઓની સુરક્ષાની વાતો કરતી ગુજરાતની ભાજપ સરકારમાં ધોળા દિવસે જીગીશાબેન જેવી કેટલીય બહેનો પર હુમલા થાય છે, અત્યાચાર થાય છે. હમણાં જ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે એક વર્ષમાં…

Read More

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે ગુજરાત વિધાનસભામાં તેમજ બાદમાં મીડિયા સમક્ષ સસ્તા અનાજના વિતરણ અને મહાનગરપાલિકાઓમાં પેઈડ એફએસઆઈ સંબંધિત ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ગોપાલ ઇટાલિયાએ જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં સસ્તા અનાજના વિતરણ બદલ દુકાનદારોને ચૂકવાતી કમિશન રકમ અંગે સરકાર પાસેથી મળેલા આંકડા રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે દર મહિને આશરે 93,833 લાભાર્થીઓને અનાજ વિતરણ કરવા બદલ 1,03,82,000 પેમેન્ટ તરીકે ચૂકવવામાં આવે છે. વર્ષ 2024 દરમિયાન જુનાગઢ જિલ્લામાં અંદાજે 11 કરોડથી વધુ અને રાજકોટ જિલ્લામાં 15 કરોડથી વધુ રકમ દુકાનદારોને ચૂકવાઈ હતી, ગરીબોને નહિ. વર્ષ 2025માં પણ રાજકોટ જિલ્લામાં 15 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી…

Read More

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાતો કરતા જણાવ્યું હતું કે, આજે શિક્ષણ વિભાગને લઈને મારો પ્રશ્ન હતો કે ગુજરાતમાં કેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી. તો મને જોવા મળે છે કે છેલ્લા બે વર્ષમાં 75 જેટલી શાળાઓ બંધ કરવામાં આવી છે. આપણું આટલું મોટું શિક્ષણનું બજેટ હોય અને સરકારી શાળાઓને પ્રાધાન્ય આપવાની જગ્યાએ સરકાર શાળાઓ બંધ કરી રહી છે અને ખાનગી શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે છે ,એ આજના જવાબ પરથી દેખાઈ રહ્યું છે. વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, મારો બીજો પ્રશ્ન હતો કે રાજ્યમાં કેટલી શાળાઓ પાળી પદ્ધતિથી ચાલે છે, એટલે…

Read More