- Ярд Казино – виды бонусов и программа лояльности для игроков
- હર્ષ સંઘવીનો મોટો ઈશારો: આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે?
- BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી પર ભારતનો બ્રેક! વીટો પાવરથી વર્ષોથી અટવાઈ પાકિસ્તાનની અરજી
- BRICS મંચ પર મોદી-પુતિન-શી જિનપિંગની પાવરફુલ તસવીર, દુનિયાભરમાં ચર્ચા અને કૂટનીતિક હલચલ
- વિજય માલ્યાએ ₹14,131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે: EDની હાઈકોર્ટમાં રજૂઆત
- એન્થ્રોપિકનો મોટો દાવો: AI ક્લોડનો જૈવિક હથિયારોથી જાસૂસી સુધી દુરુપયોગ, શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ
- ગુરુદત્તના જીવન પર બનશે વેબ સિરીઝ, ‘બિછડે સભી બારી બારી’ના હક્કો પ્રોડક્શન હાઉસે મેળવ્યા
- Гама казино онлайн – Gama Casino Online – обзор
Author: garvigujrat
સોશ્યલ મિડિયા પરથી ટીઝર હટાવાશે દિલ્હી હાઇકોર્ટનો કાલા હિરણ ફિલ્મની તમામ લિન્ક્સ દૂર કરવા આદેશ સલમાન ખાને મોકલેલી કાનુની નોટિસને નિર્માતા અમિત જાનીએ એક ઇન્ટરવ્યુ દરમ્યાન જાહેરમાં ફાડી નાંખતા મામલો બીચક્યો હતો નિર્માતા અમિત જાનીની ફિલ્મ ‘કાલા હિરણ: ધ બેટલ ફોર લિગસી’નું વિવાદાસ્પદ ટીઝર ચોવીસ જ કલાકમાં હટાવી દેવાનો દિલ્હી હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. જેની સામે ફોજદારી કેસ હજી પેન્ડિંગ હોય તેવી વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ કરે તેવી સામગ્રી ઓનલાઇન રહેવા દઇ શકાય નહીં તેમ જણાવી જસ્ટિસ જ્યોતિ સિંહે આ ટીઝરને ચોવીસ કલાકમાં સોશ્યલ મિડિયા પરથી હટાવવાનો આદેશ આપ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે જો નિર્માતા આ આદેશનું પાલન નહીં કરે…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. ભારતનું બંધારણ વ્યક્તિગત સ્વતંત્રતાને માત્ર કાગળ પરનો અધિકાર માનતું નથી, તે લોકશાહીનો પાયો છે. દરેક નાગરિકને પોતાના જીવન વિશેના નિર્ણય લેવાનો અધિકાર છે. શું ખાવું? શું પહેરવું? કયા વિચારો વ્યક્ત કરવા આ બધા પ્રશ્નો વ્યક્તિગત સ્વતંત્રતાના ક્ષેત્રમાં આવે છે. હા જો કોઈ કૃત્ય જાહેર શાંતિ ભંગ કરે, હિંસા ભડકાવે અથવા કાયદાનો સ્પષ્ટ ભંગ કરે, તો સરકાર કાર્યવાહી કરી શકે. પરંતુ જ્યાં કાયદો મૌન છે, ત્યાં પોલીસને મનસ્વી રીતે પોતાનો કાયદો સર્જવાનો અધિકાર નથી. આજના સમયમાં એક નવી અને ચિંતાજનક વૃત્તિ જોવા મળે છે. કાયદાની જગ્યાએ સોશિયલ મીડિયા, ભીડ અથવા રાજકીય દબાણના આધારે કાર્યવાહી થવા…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. ૨૦૨૭ ની ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા, ભાજપે તેના સૌથી મહત્વપૂર્ણ સામાજિક અને રાજકીય મિશન પર કામ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ઉત્તરાખંડમાં ભાજપે દલિત મતોની મત બેન્કમાં તેની પહોંચ વધારવા માટે , ભાજપે સંત રવિદાસની ૬૫૦મી જન્મજયંતિ પર કેન્દ્રિત “સંપ સંકલ્પ અભિયાન” શરૂ કર્યું છે. પક્ષનો ઉદ્દેશ રાજયની આશરે ૧૭% દલિત મત બેંક પર તેની પકડ વધુ મજબૂત કરવાનો છે. આ હાંસલ કરવા માટે , સંત રવિદાસની ૬૫૦ મી જન્મ જયંતિ પર કેન્દ્રિત સમગ્ર દેશની સાથે ઉત્તરાખંડમાં સમરસતા સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવશે. ભાજપે આ અભિયાનને સામાજિક સંપ અને સાંસ્કૃતિક જાગૃતિના કાર્યક્રમ તરીકે વર્ણવી…
ડૉક્ટરોએ ૬થી ૮ અઠવાડિયાના સંપૂર્ણ આરામની આપી સલાહ શૂટિંગ દરમિયાન ઘાયલ થયા જુનિયર એનટીઆર ફિલ્મ ‘ડ્રેગન’ના શૂટિંગ દરમિયાન એક્શન સીનના શૂટ વખતે ખભામાં ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ડૉક્ટરોએ ૬થી ૮ અઠવાડિયાના સંપૂર્ણ આરામની આપી સલાહ સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર તેમની આગામી ફિલ્મ ‘ડ્રેગન’ના શૂટિંગ દરમિયાન એક્શન સીનના શૂટ વખતે ખભામાં ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની ટીમે સત્તાવાર નિવેદન જાહેર કરીને તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી આપી છે અને ચાહકોને ગભરાવાની જરૂર નથી તેમ જણાવ્યું છે.ટીમ દ્વારા ૨૭ જુલાઈએ જાહેર કરાયેલા નિવેદન અનુસાર, જુનિયર એનટીઆરને સાંજના સમયે ખભામાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક તબીબી તપાસ માટે…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો ર્નિણય ગુજરાતમાં સરકારી જમીન ફાળવણી પ્રક્રિયા થશે વધુ ઝડપી અને સરળ જિલ્લા કક્ષાએ જ થશે નિકાલ, ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને મળશે વેગ; વિકાસ પ્રોજેક્ટ અને રોજગારીને થશે લાભ ગુજરાતમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને વહીવટી પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. રાજ્યમાં સરકારી જમીનની ફાળવણી પ્રક્રિયાને ગતિ આપવા માટે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ની નાણાકીય સત્તામર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના આ ર્નિણયનો ઉદ્દેશ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ઔદ્યોગિક પ્રગતિ, સામાજિક-જાહેર હેતુઓ અને ગ્રામ્ય વિકાસના પ્રોજેક્ટોને ઝડપી મંજૂરી આપવાનો છે. હવે સરકારી જમીન ફાળવણી માટેની અનેક પ્રક્રિયાઓ જિલ્લા…
વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજકીય ગરમાવો ટી.જી. મોહનદાસના નિવેદનની RSS એ કરી નિંદા વિવાદાસ્પદ ભાષણ બાદ તપાસ શરૂ; રાજકીય અને સામાજિક વર્તુળોમાં નિવેદનને લઈને ઉગ્ર પ્રતિક્રિયાઓ દિલ્હીમાં પેપર લીક મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ટી.જી. મોહનદાસ ભારે વિવાદમાં સપડાયા છે. તેમના નિવેદનને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ સખત શબ્દોમાં નિંદા વ્યક્ત કરી છે, જ્યારે કેરળ સરકારે સમગ્ર મામલે પોલીસ તપાસના આદેશ આપ્યા છે. નિવેદન સામે રાજકીય પક્ષો, વિદ્યાર્થી સંગઠનો અને વિવિધ સામાજિક સંસ્થાઓએ પણ કડક વિરોધ નોંધાવ્યો છે. મળતી માહિતી મુજબ, ટી.જી. મોહનદાસે પોતાના યુટ્યુબ વિડિયોમાં દિલ્હીના જંતર-મંતર ખાતે પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહેલા…
લંડનમાં સારવાર દરમિયાન મોત દેવ આનંદના પુત્ર સુનીલ આનંદનું અવસાન થયું ઘણા વર્ષો પછી, તેઓ ૨૦૦૧ માં “માસ્ટર” સાથે મોટા પડદા પર પાછા ફર્યા, જે એક માર્શલ આર્ટ ફિલ્મ હતી જેનું દિગ્દર્શન તેમણે પણ કર્યું હતું દેવ આનંદના પુત્ર સુનીલ આનંદનું અવસાન થયું છે. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને લંડનની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. સુનીલ આનંદની ઉંમર ૭૦ વર્ષ હતી. તેમના સમયના સ્વર્ગસ્થ, પ્રખ્યાત અભિનેતા દેવ આનંદના પુત્ર સુનીલ આનંદનું અવસાન થયું છે. તેમણે લગભગ ૭૦ વર્ષની વયે લંડનમાં અંતિમ શ્વાસ લીધા. સુનીલની બહેન દેવીના આનંદની પુત્રી ગિની નારંગે એક નિવેદન બહાર પાડીને તેમના સુનીલના…
અમેરિકી સુરક્ષા એજન્સીઓ સતર્ક મેલાનિયા અને બેરોન ટ્રમ્પને ધમકી દર્શાવતો પ્રચાર વીડિયો વાયરલ વાયરલ પ્રચાર વીડિયોની તપાસ ચાલુ; દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ બાકી, અમેરિકી સુરક્ષા એજન્સીઓ પરિસ્થિતિ પર રાખી રહી છે સતત નજર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારને નિશાન બનાવતો એક કથિત ઈરાન સમર્થક પ્રચાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અમેરિકામાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. વીડિયોમાં પૂર્વ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ અને તેમના ૨૦ વર્ષીય પુત્ર બેરોન ટ્રમ્પનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાને પગલે ટ્રમ્પ પરિવારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. વીડિયોમાં મેલાનિયા ટ્રમ્પના જાહેર કાર્યક્રમો, તેમના પ્રવાસ અને કેટલીક જાહેરમાં…
લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણ મંત્રી પર કર્યો ગંભીર આક્ષેપ, સંસદમાં ભારે હંગામો વડાપ્રધાને એવા વ્યક્તિને શિક્ષણ મંત્રી બનાવ્યા છે, જેમણે ગર્ભવતી રેપ પીડિતાના દોષિતોની મુક્તિ પર સંમતિ આપી હતી.” આ ટિપ્પણીથી સંસદમાં ભારે હોબાળો મચ્યો લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી અને સત્તાપક્ષ વચ્ચે ભારે હોબાળો સર્જાયો હતો. ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિ, પેપર લીકના મુદ્દા અને નવા શિક્ષણ મંત્રીને લઈને આકરા પ્રહારો કર્યા હતા. તેમના નિવેદન બાદ ભાજપના સભ્યોએ કડક વિરોધ નોંધાવતા ગૃહમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ચર્ચાની શરૂઆતમાં વિપક્ષની માંગને ધ્યાનમાં રાખીને…
૨૦૧૬માં નોટબંધી બાદ ભારતની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકાયો હતો નેપાળમાં ૧૦ વર્ષ બાદ ભારતની રૂ.૨૦૦ અને રૂ.૫૦૦ની નોટોને મંજૂરી અપાઈ ભારત મુલાકાત દરમિયાન નેપાળી નાગરિકો માટે નેશનલ આઈડેન્ટિટી કાર્ડને માન્ય રાખવા નેપાળે માગણી કરી નેપાળે ભારતીય અને નેપાળી નાગરિકોને ૨૦૦ અને ૫૦૦ની ભારતીય ચલણી નોટો લઈને નેપાળમાં પ્રવેશવા અથવા ત્યાંથી બહાર જવાની મંજૂરી આપી છે. આ ર્નિણય સાથે લગભગ દસ વર્ષથી લાગુ રહેલો પ્રતિબંધ સમાપ્ત થયો છે. ઉલ્લેખનીય છે કે ભારતે ૨૦૧૬માં નોટબંધીનો ર્નિણય લીધો ત્યારે નેપાળ સરકારે ભારતની ફક્ત રૂ. ૧૦૦ની નોટને જ સ્વીકારવાની મંજૂરી આપી અન્ય રકમની ચલણી નોટો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો.નેપાળ રાષ્ટ્ર બેંક દ્વારા ગુરુવારે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


