Author: Garvi Gujarat

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજે ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026–27નું અંદાજપત્ર રજૂ થયા બાદ તેના પર ચર્ચાનો બીજો દિવસ છે. ગુજરાતની જનતાના પ્રશ્નોની ચર્ચા કરવાનો આ મહત્વનો દિવસ છે. બીજી તરફ આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી, આદિજાતિ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો દ્વારા ડેડિયાપાડામાં પરીક્ષા કેન્દ્રોની નજીક મોટા વરઘોડો કાઢ્યો. જો આ મંત્રીઓને વિદ્યાર્થીઓની ચિંતા હોત તો વરઘોડો ન કાઢત. છેલ્લા ત્રીસ વર્ષથી રાજ્યમાં તેમની સરકાર છે. જો યોગ્ય કામગીરી કરવામાં આવી હોત તો આજે વરઘોડો કાઢવાની જરૂર ન પડતી. નવેમ્બરમાં નરેન્દ્ર…

Read More

ભાજપ પર ગુંડાગર્દીના આક્ષેપ AAP નેતાઓ પર હુમલા મુદ્દે વિધાનસભા પરિસરમાં વિરોધ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા કહ્યું કે, આમ આદમી પાર્ટી જેમ મજબૂત બની તેમ તેમ હવે હુમલાઓની રાજનીતિ શરૂ થઈ છે રાજકોટ જિલ્લાના ગોંડલમાં ૨૪ ફેબ્રુઆરીએ આપ નેતા જીગીશા પટેલ પર અજાણ્યા શખસો અને મહિલાઓના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. જે બાબતે આજે બુધવારે આપ નેતાઓએ વિધાનસભા પરિસરમાં રોષ ઠાલવી વિરોધ વ્યક્ત કર્યો, અને ભાજપના હોદ્દેદારો પર ગુંડાગર્દી આરોપ કરતાં કહ્યું હતું કે, ભાજપના ગુંડા જેવા કોર્પોરેટરે મહિલાઓનું ટોળું મોકલીને હુમલો કરાવ્યો હતો સમગ્ર મામલે જાે કાર્યવાહી ન થાય તો રોડથી લઈને વિધાનસભા સુધી ઉગ્ર વિરોધની પણ ચીમકી આપ નેતાઓ…

Read More

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે! અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે સવારે ૮.૩૦ કલાક સુધી આંશિક વાદળછાયું આકાશ રહેવા વકી ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંતમાં ગુજરાતમાં વરસાદ કેમ પડી રહ્યો છે તે અંગેનું કારણ પણ જણાવ્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં વરસાદ લાવે તેવી પાંચ સિસ્ટમ સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઇન, રાજસ્થાન પર બે સાયક્લોનિક સર્ક્યુલેશન,…

Read More

ઈરાન સાથે ટેન્શન વચ્ચે મોટી દુર્ઘટના અમેરિકન F-16 ફાઈટર જેટ તૂર્કિયેમાં તૂટી પડ્યું અકસ્માતમાં પાયલટ મેજર ઇબ્રાહિમ બોલાત શહીદ થયા તૂર્કિયેના બાલીકેસિર પ્રાંતમાં ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ની વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મિશન ફ્લાઇટ પર નીકળેલું તૂર્કિયે વાયુસેનાનું F-16 ફાઇટર જેટ ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ કરુણ અકસ્માતમાં પાયલટ મેજર ઇબ્રાહિમ બોલાત શહીદ થયા છે. તૂર્કિયેના પશ્ચિમ પ્રાંત બાલીકેસિરના ૯મા મેઈન જેટ બેઝ પરથી ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વહેલી સવારે (લગભગ ૧૨:૫૦ વાગ્યે) આ ફાઇટર જેટે ઉડાન ભરી હતી. ટેકઓફ થયાની થોડી જ ક્ષણોમાં પ્લેનનો રડાર અને રેડિયો સંપર્ક તૂટી ગયો હતો. આ જેટ…

Read More

UK જવા ઇચ્છતા ભારતીયો માટે ખુશખબર આજથી ઈ-વિઝા સિસ્ટમ શરુ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં ભારતીય અરજદારો માટે યુકે ઈ-વિઝા સેવા શરુ કરી દેવામાં આવી છે, જે પરંપરાગત વિઝા સ્ટીકરનું સ્થાન લેશે બ્રિટન (UK) જવાની તૈયારી કરી રહેલા ભારતીયો માટે આજે ખુશીનો દિવસ છે. કારણ કે યુકે સરકારે તેની વિઝા સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધી છે. અત્યાર સુધી પાસપોર્ટ પર વિઝા સ્ટીકર લગાવવાની જે સિસ્ટમ હતી, તેનો હવે અંત આવ્યો છે અને તેની જગ્યાએ હવે ‘ઈ-વિઝા‘ (eVisa) આપવામાં આવશે. આ નવા ફેરફારને કારણે હવે ભારતીય પ્રવાસીઓએ વિઝા પ્રોસેસિંગ વખતે પાસપોર્ટ જમા કરાવવાની જરૂર રહેશે નહીં. કોલકાતા સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઇ…

Read More

ગેરકાયદે ન્ઈડ્ઢ લાઈટ હશે તો કડક કાર્યવાહી કરાશે.રાજ્યમાં આજથી ૧૫ દિવસ સુધી હેલ્મેટ ડ્રાઈવ.પોલીસની હેલ્મેટ ડ્રાઈવની કાર્યવાહી વચ્ચે ઘણા વાહન ચાલકોએ હેલ્મેટ ન પહેરવાના બહાના બતાવ્યા હતા.રાજ્યમાં આજથી હેલ્મેટ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતના તમામ શહેરોમાં ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ ન પહેરનારા ટૂ વ્હીલર વાહનચાલકોને અટકાવીને ફરિયાદો નોંધવામાં આવી હતી. પોલીસની હેલ્મેટ ડ્રાઈવની કાર્યવાહી વચ્ચે ઘણા વાહનચાલકોએ હેલ્મેટ ન પહેરવાના બહાના બતાવ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ વિસ્તારોમાં આ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવશે. રોંગ સાઈડ, વાહનોમાં ગેરકાયદે LED લાઈટ હશે તેવા ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી…

Read More

બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગ પાછળ રૂ.૧.૧૮ કરોડનો ખર્ચ.બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગ પાછળ રૂ.૧.૧૮ કરોડનો ખર્ચ.વડોદરા કારેલીબાગ ખાતે આવેલ બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગને સ્ટ્રક્ચર, રીપેરીંગને લગતી ગનાઈટિંગ, ગ્રાઉટીંગ અને એપ્રોક્સી પેઇન્ટને લગતી કામગીરી કરવા પાછળ કુલ રૂપિયા ૧.૧૮ કરોડનો ખર્ચ થયો હતો. જે પૈકી લાલબાગ બ્રિજ માટે અંદાજે રૂપિયા ૬૨ લાખ અને મુજમહુડા બ્રિજ માટે અંદાજ રૂપિયા ૫૬ લાખનો ખર્ચ કરાયો હતો. જે અંગેની જાણ સ્થાયી સમિતિને કરવામાં આવી છે. કારેલીબાગ ખાતે આવેલ બાલભવન રીવર ઓવર બ્રીજના સ્ટ્રક્ચરના રીપેરીંગને લગત ગનાઇટીંગ/ગ્રાઉટીંગ, એપોક્ષી પેઇન્ટ વિગેરે જેવી આનુસંગિક કામગીરી GPMC એકટની કલમ ૬૭/૩/સી હેઠળ ઇજારદાર મે.રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લી.,…

Read More

પોલીસ ભરતી અને બઢતી પર મોટી જાહેરાત.વિધાનસભામાં કાયદા મંત્રીએ રજૂ કર્યા આંકડા.કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ વિધાનસભામાં ૧૧,૧૦૦ પોલીસ અધિકારીઓની બઢતી અને નવી ભરતીના આંકડા રજૂ કર્યા.ગુજરાત રાજ્યના સુરક્ષા તંત્રને વધુ સુદ્રઢ બનાવવા અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર દ્વારા મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૬ માં ચાલી રહેલા વિધાનસભા સત્ર દરમિયાન રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ જાહેરાત કરી હતી કે, સમગ્ર રાજ્યમાં હાલ ૧૦,૨૮૮ જેટલા પોલીસ અધિકારીઓ અને જવાનોની ભરતી પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ અસરકારક બનાવવા માટે ખાલી જગ્યાઓ ભરવા અને પોલીસ બેડામાં નવા લોહીનો સંચાર કરવાના હેતુથી…

Read More

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીને મોટો ઝટકો.ઈડ્ઢએ અનિલ અંબાણીનું મુંબઈ સ્થિત આલીશાન ઘર જપ્ત કર્યું.હાઈકોર્ટે રોક હટાવતા જ ED દ્વારા મોટી કાર્યવાહી કરાઈ.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મની લોન્ડરિંગ કેસમાં આજે મોટી કાર્યવાહી કરીને ઉદ્યોગપતિ અનિલ અંબાણીના મુંબઈ સ્થિત ‘અબોડ’ નામના નિવાસ સ્થાનને જપ્ત કર્યું છે. ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ, ૧૭ માળના આ આલીશાન ઘરની કિંમત લગભગ ૩૭૧૬.૮૩ કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મની લોન્ડરિંગ કેસ હેઠળ અત્યાર સુધીમાં જપ્તીની જે કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં અનિલ અંબાણી અને તેમના ગ્રૂપની કંપનીઓની કુલ રૂ.૧૫,૭૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે. આ કાર્યવાહી પહેલા બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને…

Read More

ગાર્ડ ઓફ ઓનર અપાયું ઇઝરાયલમાં મોદીનું રેડ કાર્પેટ સ્વાગત, નેતન્યાહૂ ભેટી પડ્યાં છેલ્લા ૯ વર્ષમાં પીએમ મોદીની આ બીજી મુલાકાત છે ૯ વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલના બે દિવસીય પ્રવાસ માટે તેલ અવીવ પહોંચી ગયા છે. ઈઝરાયલ વડાપ્રધાન નેતન્યાહૂએ પ્રોટોકોલ તોડી એરપોર્ટ પર પીએમ મોદીનું ગળે મળીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર જ ભારતના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ઇઝરાયલની યાત્રા પર નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્લાઈટ લોકેશન દુનિયામાં સૌથી વધારે સર્ચ થઈ હતી. દુનિયાભરના વિમાનોની અવર જવર પર દેખરેખ રાખતા ઓનલાઈન પ્લેટફોર્મ ફ્લાઈટ રડાર પર સૌથી વધુ એર ઈન્ડિયા વનને ટ્રેક કરવામાં આવ્યું હતું. છેલ્લા ૯…

Read More