- અમેરિકા-ઈરાન સંબંધોમાં રાહતના સંકેત, હોર્મુઝ શરતો બાદ 60 દિવસની છૂટછાટ જાહેર
- ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ભંગાણની આશંકા, 14 ધારાસભ્યો શિંદે જૂથમાં જવાની ચર્ચા તેજ
- જાે રૂટ સચિનનો ટેસ્ટ રન રેકોર્ડ તોડવાની નજીક, માત્ર 1,847 રન દૂર
- બ્રિટનના રાજકારણમાં ભૂકંપ: વડાપ્રધાન કીર સ્ટાર્મરનું રાજીનામું, લેબર પાર્ટીમાં હલચલ
- કૈલાશ માનસરોવર યાત્રા 30 જૂનથી શરૂ, યાત્રાળુઓ માટે માર્ગદર્શિકા અને નિયમો જાહેર
- ફિફા વર્લ્ડ કપ 2026માં મોટો ઉલટફેર, ઉરુગ્વે-કેપ વર્ડે મેચ 2-2થી ડ્રો
- વડાપ્રધાન મોદીની હાજરીમાં 3 સ્વદેશી અત્યાધુનિક યુદ્ધપોત નૌકાદળમાં સામેલ, દરિયાઈ શક્તિમાં વધારો
- રાતભરની ચર્ચા બાદ અમેરિકા-ઈરાન 60 દિવસમાં પરમાણુ કરાર માટે સહમત, તણાવમાં ઘટાડાની આશા
Author: Garvi Gujarat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. વડોદરામાં ૨૦૨૫ માં ગણેશોત્સવના તહેવાર નિમિત્તે શ્રીગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકી શાંતિને પલીતો ચાંપનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ઉપરાંત ઝડપાયેલા આરોપી પૈકી એક આરોપી સગીર હોવાનો ખુલાસો પણ થયો હતો. પોલીસે આરોપીઓનો જાહેરમાં સરઘસ કાઢી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી પણ મંગાવી હતી. વડોદરા માં ગત ઓગષ્ટ મહિનામાં પાણીગેટ નજીક શ્રીજી ની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાને લઈને વિવાદ ઊભો થયો છે. આ સમગ્ર મામલે પોલીસની કામગીરી સામે કોર્ટની અવમાનના થયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ અને સિટી PI સહિત છ અધિકારીઓ સામે અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટે પાંચ આરોપીની અરજી સ્વીકારી…
(છગનલાલ મેવાડા દ્વારા) સુરત. દેશભરમાં આજે પત્રકારોએ સાચુ લખવું હોય તો ભારે કિંમત ચૂકવવી પડતી હોય છે અને એના અનેક દાખલાઓ મૌજૂદ છે. જેમાં સત્યને પંથે ચાલનારા પત્રકારોએ મોતને પણ વહાલું કરવું પડયુ હોય ત્યારે પંજાબના ભટિંડા શહેરમાં મંગળવારે પત્રકારો, ખેડૂત પ્રતિનિધિઓ અને નાગરિક અધિકાર કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP)ની કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. “પ્રેસ દી આઝાદી બહાલ કરો સંઘર્ષ સમિતિ” દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં સહભાગીઓએ માનવ સાંકળ રચીને રાજ્યમાં પ્રેસની સ્વતંત્રતા પર થઈ રહેલા હુમલાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. દેખાવકારોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં આક્ષેપ કર્યો હતો કે…
૩ ટુરિસ્ટ જીવતા બળી ગયા ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, ૧૦ કિ.મી. ઊંચે રાખ ઊડી ઈન્ડોનેશઇયામાં હલમહેરા ટાપુ પર સ્થિત માઉન્ટ ડુકોનો જ્વાળામુખીમાં શુક્રવારે મોટો વિસ્ફોટ થયો હતો આજના સમયમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે ખતરનાક સ્થળોએ ફોટો અને વીડિયો બનાવવાનો ક્રેઝ ક્યારેક જીવલેણ સાબિત થાય છે. ઇન્ડોનેશિયાના માઉન્ટ ડુકોનો જ્વાળામુખી પર આવી જ એક ઘટના બની છે. વહીવટીતંત્રની કડક ચેતવણી અને પ્રતિબંધ હોવા છતાં, ૨૦ પ્રવાસીઓ જ્વાળામુખીના જાેખમી વિસ્તારમાં ચઢી ગયા હતા. આ દરમિયાન અચાનક જ્વાળામુખી ફાટતા આસમાનમાં રાખ અને ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં બે સિંગાપોરના પ્રવાસીઓ અને એક સ્થાનિક…
અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો અમેરિકાએ એક ઈરાની જહાજને કબજે કર્યું હતું, જેમાં અંદાજે એક ડઝન જેટલા પાકિસ્તાનીઓ સવાર હતા અમેરિકા-ઈરાન વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. બંને દેશો વચ્ચે હોર્મુઝ જળમાર્ગમાં ગોળીબાર થયો છે અને બંને એકબીજા પર યુદ્ધવિરામ તોડવાનો આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન બંને વચ્ચે મધ્યસ્થી બનેલા પાકિસ્તાનની ચિંતાઓ વધી ગઈ છે. અમેરિકાએ તાજેતરમાં જ એક ઈરાની જહાજને કબજે કર્યું હતું, જેમાં અંદાજે એક ડઝન જેટલા પાકિસ્તાનીઓ સવાર હતા. આમ અમેરિકાએ મધ્યસ્થી કરાવવા ધમપછાળા કરી રહેલા પાકિસ્તાનને પણ છોડ્યું નથી અને હવે પોતાના લોકોને છોડાવવા માટે પાકિસ્તાન અમેરિકાના…
ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઇનાના એન્જિનિયરોએ ખુલાસો કર્યો કે તેઓ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનમાં હાજર હતા ચીને પહેલીવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન તેણે પાકિસ્તાની વાયુસેનાને ઓન-સાઇટ ટેકનિકલ સહાય પૂરી પાડી હતી. ચીની સરકારી બ્રોડકાસ્ટરCCTV પર પ્રસારિત એક ઇન્ટરવ્યુમાં, એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઇના (AVIC) ના એન્જિનિયરોએ ખુલાસો કર્યો કે તેઓ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનમાં હાજર હતા. અહેવાલ મુજબ, આ સંઘર્ષ દરમિયાન ચીની બનાવટના J-10CE ફાઈટર જેટે ભારતના ફ્રેન્ચ બનાવટના રાફેલ ફાઈટર જેટને તોડી પાડ્યું હતું. આ પ્રથમ ઘટના છે જ્યારે…
ભૂતપૂર્વ ક્રિકેટર અતુલ વાસને આરોપ લગાવ્યો ગૌતમ ગંભીરના કોચિંગથી બધા ખેલાડીઓ ખુશ નથી ભારતીય સેટઅપમાં કેટલાક ખેલાડીઓ ગંભીરની મેનેજમેન્ટ શૈલી અને મજબૂત વ્યક્તિત્વથી નાખુશ છે ગૌતમ ગંભીર જુલાઈ ૨૦૨૪માં ટીમ ઈન્ડિયામાં મુખ્ય કોચ તરીકે જાેડાયા હતા. તેમના કોચિંગ હેઠળ, ભારતે સતત બે ICC ટ્રોફી જીતી હતી: ચેમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૨૬ T20 વર્લ્ડ કપ. ગંભીરના કોચિંગથી સેમસન જેવા ખેલાડીઓને તકો મળી, જ્યારે ઇશાન કિશન જેવા ખેલાડીઓનો પણ પ્રવેશ થયો, જેઓ સતત ઘરેલુ ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યા છે. જાેકે, તેમના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદાસ્પદ અહેવાલો પણ સામે આવ્યા. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓએ કોચિંગ દરમિયાન અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ…
INDIA ગઠબંધનમાં ભંગાણ કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા DMK લાલઘૂમ બદલાયેલા રાજકીય સંજાેગોને ધ્યાનમાં રાખીને ડ્ઢસ્દ્ભ એ હવે લોકસભામાં કોંગ્રેસની સાથે બેસવાનો ઈનકાર કરી દીધો રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે લડવા માટે બનેલા વિપક્ષી ગઠબંધન INDIA ના ભવિષ્ય પર હવે સવાલો ઊભા થયા છે. તમિલનાડુમાં દાયકાઓ જૂની મિત્રતા તોડીને કોંગ્રેસે અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) સાથે હાથ મિલાવતા DMK નારાજ થયું છે. આ બદલાયેલા રાજકીય સંજાેગોને ધ્યાનમાં રાખીને DMK એ હવે લોકસભામાં કોંગ્રેસની સાથે બેસવાનો ઈનકાર કરી દીધો છે. DMK ના સાંસદ કનિમોઝી કરુણાનિધિએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખીને વિનંતી કરી છે કે ગૃહમાં DMK…
ભાવનગર જિલ્લાના પક્ષકારો ૩૧મે સુધીમાં ગૂગલ ફોર્મ ભરી નોંધણી કરાવી શકશે સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે ૨૧ થી ૨૩ ઓગસ્ટ સુધી સુપ્રીમ કોર્ટના પરિસરમાં વિશેષ લોક અદાલત યોજાશે, રૃબરૃ અથવા વર્ચ્યુઅલ માધ્યમથી જાેડાઈ શકાશે ભાવનગર જિલ્લા સહિત દેશભરના પક્ષકારોના સુપ્રીમ કોર્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા પેન્ડિંગ કેસોના નિરાકરણ માટે સુપ્રીમ કોર્ટના પરિસરમાં વિશેષ લોક અદાલતનું આયોજન કરાયું છે.સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાય પ્રણાલીને વધુ વ્યાપક, સરળ અને લોકાભિમુખ બનાવવા સમાધાન સમારો-૨૦૨૬ (વિશેષ લોક અદાલત)નું આયોજન કરાયું છે. જેની શરૃઆત ૨૧ એપ્રિલથી થઈ છે અને સમાપન તા.૨૧-૮થી તા.૨૩-૮ સુધી સુપ્રીમ કોર્ટના પરિસરમાં યોજાનારી વિશેષ લોક અદાલત…
કેનેડાના બે ટૂકડાની તૈયારી અલ્બર્ટાને અલગ દેશ બનાવવા જનમત સંગ્રહ થશે પ્રસ્તાવિત જનમત સંગ્રહમાં લોકોને અલ્બર્ટાને કેનેડાથી અલગ થઈ એક સ્વતંત્ર દેશ બનવું જાેઈએ કે કેમ તેવો સવાલ પૂછવામાં આવશે કેનેડાના પશ્ચિમી રાજ્ય અલ્બર્ટામાં એક સ્વતંત્ર દેશ બનવાની માગ દિવસેને દિવસે વધુ પ્રબળ બની રહી છે. ઓઈલ અને ગેસનો વિપુલ ભંડાર ધરાવતા અને કેનેડાનું પેટ્રોલિયમ હબ ગણાતાં અલ્બર્ટાને કેનેડાથી અલગ કરવા લોકમત સંગ્રહ કરાવવા માટે અલગતાવાદીઓએ શરૂ કરેલી ઝૂંબેશે જાેર પકડ્યું છે. અલગતાવાદીઓના દાવા અનુસાર, તેમણે આશરે ત્રણ લાખથી વધુ લોકોની સહીઓ લીધી છે, જે જનમત સંગ્રહ કરાવવા માટે જરૂરી હોય તેના કરતાં ઘણી વધારે છે. અલગ રાષ્ટ્ર બનાવવાની ચળવળના…
‘શાંતિ એ વેપાર માટે પહેલી અને અનિવાર્ય શરત છે’ ઈરાન-અમેરિકાના યુદ્ધની અસરને લીધે દુનિયાભરમાં મોંઘવારીથી લોકો ત્રાહિમામ અમેરિકામાં ગેસ અને પેટ્રોલની કિંમત વધતાં ત્રણ વર્ષમાં મોંઘવારી સર્વાેચ્ચ સપાટીએ છે, યુરોપના ૨૧ દેશોમાં મોંઘવારી વધી હોવાનું લેટેસ્ટ અહેવાલમાં કહેવાયું છે ફ્રેન્ચ ચિંતક મોન્ટેસ્કુનું આ મતલબનું વાક્ય વૈશ્વિક સ્તરે શાંતિ અને વેપારના સંદર્ભમાં વારંવાર ટાંકવામાં આવે છે. બે રાષ્ટ્રોએ વેપાર કરવો હોય તો બંને વચ્ચે શાંતિ અનિવાર્ય છે. યુદ્ધ કે તંગદિલી ચાલતી હોય ત્યારે વેપાર અટકી પડે છે. ભારત-ચીન વચ્ચે દોકલામ સંઘર્ષ થયો તો બંને પક્ષે વેપાર અટકી ગયો. ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચાલ્યું તો કરોડોનો વેપાર લટકી પડયો. બધા દેશો એ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



