Author: garvigujrat

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે આજે છોટા ઉદેપુર લોકસભાના પદાધિકારીઓ સાથે સંગઠન વિસ્તાર મુદ્દે બેઠક કરી. આ બેઠકમાં પ્રદેશ પ્રભારી ગોપાલ રાયની સાથે સાથે પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા સહિત પ્રદેશના પદાધિકારીઓ, વિધાનસભાના હોદ્દેદારો સહિત સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ મુદ્દે પ્રભારી ગોપાલ રાયે પોતાની વાત કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક ચૂંટણીઓ બાદ હવે આમ આદમી પાર્ટી 2027ની વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે, એના માટે સમગ્ર ગુજરાતમાં સંગઠન વિસ્તારના કાર્યક્રમો થઈ રહ્યા છે. તે અંતર્ગત અમે ઉપપ્રમુખો, પ્રદેશ સંગઠન મંત્રીઓ, વિધાનસભા સ્તરે વિધાનસભા સંગઠન મંત્રીઓની નિયુક્તિઓ કરી છે અને તેમના માધ્યમથી અમે તમામ…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે ડેડિયાપાડાની મુલાકાત દરમિયાન ડેડિયાપાડાના લોકપ્રિય આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવારજનોની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે પરિવારને વિશ્વાસ અપાવ્યો હતો કે આ મુશ્કેલ સમયમાં સમગ્ર આમ આદમી પાર્ટી પરિવાર તેમની સાથે મજબૂતાઈથી ઊભો છે. આ તકે ગોપાલ રાયે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા રાજકીય દ્વેષભાવના રાખીને ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથીઓ સામે તદ્દન ખોટા કેસો કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે. લોકશાહીમાં વિરોધના અવાજને દબાવવાનો આ પ્રયાસ અત્યંત નિંદનીય છે. તેમણે જણાવ્યું કે ચૈતર વસાવા વર્ષોથી ડેડિયાપાડા વિસ્તારના આદિવાસી સમાજના હકો, જળ-જંગલ-જમીનના પ્રશ્નો તેમજ…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, ઝઘડિયા વિધાનસભાના પ્રભારી તથા જિલ્લા પંચાયત સભ્ય ભાઈ રજની વસાવાજી તેમજ ઝઘડિયા તાલુકા પ્રમુખ સર્જન વસાવાજી, જેઓ હંમેશા સામાન્ય જનતા સાથે થતા અન્યાય સામે ભાજપ સરકાર સામે મજબૂતાઈથી અવાજ ઉઠાવે છે, તેમને સરમુખત્યાર ભાજપ સરકારે જેલમાં પૂરીને જનતાનો અવાજ દબાવવાનો અસફળ પ્રયાસ કર્યો છે. આજે ગોપાલ રાયે જેલમાં બંધ રજનીભાઈ તેમજ સર્જનભાઈના પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમને સાંત્વના આપી હતી અને ઝઘડિયા વિધાનસભાના હોદ્દેદારો સાથે એક અગત્યની બેઠક યોજી હતી. આ તકે તેમણે જુસ્સો વધારતા કહ્યું કે, આમ આદમી પાર્ટી એક પરિવાર છે…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના કેસમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, દરરોજ છ થી આઠ લાખ રૂપિયાની ચોરી થતી હતી. બેંક અધિકારીઓએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ( SIT) ને જણાવ્યું હતું કે ચોરી નો પર્દાફાશ થાય એ પહેલા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના બેંક ખાતાઓમાં દરરોજ સરેરાશ ૧૬ થી ૧૮ લાખ રૂપિયા જમા થતા હતા. જોકે ચોરીની વાત સામે આવ્યા બાદ આ રકમ વધીને ૨૪ થી ૨૬ લાખ રૂપિયા પ્રતિ દિવસ થઈ ગઈ છે. મંદિર સંકુલ માં આશરે ૧૦ દાન કાઉન્ટર કાર્યરત છે. જે સવારે ૦૭ વાગ્યાથી રાત્રે ૦૯ વાગ્યા સુધી દાન સ્વીકારે છે. રજાઓ અને…

Read More

(છગનલાલ મેવાડા) સુરત સ્વચ્છ સુરત, સુંદર સુરતના બણગાં ફૂંકતી સુરત મહાનગરપાલિકાની પોલ સુરત શહેર માં મંગળવારે કુદરતી આફતે ખોલી નાંખી તંત્રને નગ્ન કરી નાખ્યું હતું. આ આફતે શહેરને હચમચાવી દીધું હતું. આખું શહેર પાણીમાં ગરકાવ હતું ત્યારે સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ મહાનગરપાલિકાના હોલમાં સેવ ખમણ ને ઢોકળાની જયાફત ઉડાડી હસતા ચહેરે નવનિયુકતોને અભિનંદન આપતા હતા. ત્યારે બીજી બાજુ અનરાધાર વરસેલા વરસાદથી માનવીઓ જાનવર કરતાં બદતર હાલતથી મોતને ભેટી રહ્યા હતા.જ્યાં કોઈ કરંટ થી તો કોઈ ડૂબી જવાથી તો કોઈ ઝાડ પડવા જેવી ઘટનાઓને લઈને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા હતા. કેટલી શરમજનક વાસ્તવિકતા કહેવાય કે શું જવાબદાર કાળા માથાનો…

Read More

જાેકે, ફિલ્મની મેઈન હિરોઈનનું રહસ્ય અકબંધ ગોલમાલ ફાઇવમાં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જાેવા મળશે અગાઉ ‘ચેન્નાઇ એક્સપ્રેસ’માં પ્રિયામણીએ વનટુથ્રીફોર ગેટ ઓન ધ ડાન્સ ફલોર ગીતમાં સ્પેશ્યલ અપિયરન્સમાં દેખાઇ હતી રોહિત શેટ્ટીની ‘ગોલમાલ’ ળેન્ચાઇઝીના પાંચમાં ભાગમાં અજય દેવગણ, અક્ષય કુમાર, શર્મન જાેશી બાદ પ્રિયામણી પણ જાેડાઇ છે. ‘ગોલમાલ’ ફાઇવમાં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જાેવા મળશે. જાે કે, ફિલ્મની મુખ્ય હિરોઇન કોણ હશે તે રહસ્ય હજી અકબંધ છે.પ્રિયામણીને રોહિત શેટ્ટીની ફિલ્મમાં મહત્વની ભૂમિકા કરવાનું કામ પહેલીવાર મળ્યું છે. અગાઉ ‘ચેન્નાઇ એક્સપ્રેસ’માં પ્રિયામણીએ વનટુથ્રીફોર ગેટ ઓન ધ ડાન્સ ફલોર ગીતમાં સ્પેશ્યલ અપિયરન્સમાં દેખાઇ હતી.પ્રિયામણી ટૂંક સમયમાં ‘ધ ફેમિલિ મેન’ની સિઝન થ્રીમાં મનોજ બાજપેયી સાથે જાેવા…

Read More

અમિત રાયની આ ફેમિલી એન્ટરટેઇનર ૩૧ જુલાઈએ રિલીઝ થશે ‘ઓહ માય ડોગ’માં ૨૫૦ શ્વાન સાથે શૂટ થયું ફિલ્મ દર્શકોને પ્રાણીઓ પ્રત્યેનો ભય અને પૂર્વગ્રહ છોડીને પ્રેમ અને સહાનુભૂતિ સાથે જીવવાનો સંદેશ આપે છે ‘ઓહ માય ગોડ ૨’ના સફળ ડિરેક્ટર અમિત રાય હવે પોતાની નવી ફેમિલી એન્ટરટેઇનર ફિલ્મ ‘ઓહ માય ડોગ’ સાથે દર્શકો સમક્ષ આવી રહ્યા છે. ફિલ્મનું સત્તાવાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે અને ફિલ્મ ૩૧ જુલાઈના રોજ થિએટર્સમાં રિલીઝ થશે.બાબુલાલ બાઈસ્કોપ અને થિંકિંગ હેટ્સ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના નિર્માતા અમિત રાય, રાજેશ ભારદ્વાજ અને સના વારસી છે.ફિલ્મમાં માહી રાય, પંકજ ત્રિપાઠી, ગીતા અગ્રવાલ શર્મા, રાજેશ કુમાર, પવન…

Read More

ફિલ્મનાં ૪૫૦ કરોડના બજેટ સાથે સર્જાશે નવો રેકોર્ડ ‘કિંગ’ શાહરુખ ખાનની સૌથી મોંઘી ફિલ્મ બનશે ફિલ્મના ભવ્ય એક્શન સીનને વધુ અસરકારક બનાવવા માટે અદ્યતન વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનની આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘કિંગ’ તેની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બનવા જઈ રહી છે. દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મનું બજેટ આશરે ૪૫૦ કરોડ સુધી પહોંચી ગયું હોવાનું જાણવા મળ્યું છે. ખાસ વાત એ છે કે આ રકમમાં ફિલ્મના પ્રિન્ટ અને પબ્લિસિટી ખર્ચ તેમજ શાહરુખ ખાનની એક્ટિંગ ફીનો તો સમાવેશ થતો જનથી.લગભગ ત્રણ વર્ષ બાદ શાહરુખ ખાન મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યો હોવાથી ફિલ્મને…

Read More

ફિલ્મનાં પહેલાં પોસ્ટરમાં રાજકુમાર રાવે જીવંત કરી લોર્ડ્સની ઐતિહાસિક ક્ષણ સૌરવ ગાંગુલીની બાયોપિક ‘દાદા’ ૧૪ મે, ૨૦૨૭ના રોજ રિલીઝ થશે નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર પ્રથમ પોસ્ટર શેર કરતાં રાજકુમાર રાવના ગાંગુલીના પાત્રમાં થયેલા રૂપાંતરની ઝલક પણ દર્શાવી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના જન્મદિવસે તેની બાયોપિક ‘દાદા: ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’નું પહેલું પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે. સાથે જ નિર્માતાઓએ જાહેરાત કરી છે કે જેની ઘણી રાહ જાેવાય છે, તેવી આ ફિલ્મ ૧૪ મે, ૨૦૨૭ના રોજ વર્લ્ડવાઇડ થિએટર્સમાં રિલીઝ થશે.આ પોસ્ટરમાં રાજકુમાર રાવ સૌરવ ગાંગુલીની સૌથી યાદગાર અને ઐતિહાસિક પળોમાંની એકને જીવંત કરતો જાેવા મળે છે. પોસ્ટરમાં તે ૨૦૦૨ની…

Read More

મુખ્યમંત્રી સુરત અને વલસાડની લેશે મુલાકાત ગુજરાતમાં ભારે વરસાદ, CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિનો માત્ર રિપોર્ટ લઈને બેસી રહેવાને બદલે, મુખ્યમંત્રીએ જાતે ગ્રાઉન્ડ ઝીરો પર જવાનો ર્નિણય કર્યો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ જમાવટ કરી છે, ત્યારે રાજ્ય સરકાર પણ પૂરી રીતે એક્શન મોડમાં આવી ગઈ છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં માત્ર સમગ્ર રાજ્યની વરસાદી સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા જ નથી કરવામાં આવી, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરી ઝડપી બનાવવા અને ભવિષ્યના પર્યાવરણને ધ્યાનમાં રાખીને નવી ઈફ પોલિસી લાવવા જેવા મહત્વના ર્નિણયો પણ લેવામાં આવ્યા…

Read More