- અમેરિકા-ઈરાન સંબંધોમાં રાહતના સંકેત, હોર્મુઝ શરતો બાદ 60 દિવસની છૂટછાટ જાહેર
- ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ભંગાણની આશંકા, 14 ધારાસભ્યો શિંદે જૂથમાં જવાની ચર્ચા તેજ
- જાે રૂટ સચિનનો ટેસ્ટ રન રેકોર્ડ તોડવાની નજીક, માત્ર 1,847 રન દૂર
- બ્રિટનના રાજકારણમાં ભૂકંપ: વડાપ્રધાન કીર સ્ટાર્મરનું રાજીનામું, લેબર પાર્ટીમાં હલચલ
- કૈલાશ માનસરોવર યાત્રા 30 જૂનથી શરૂ, યાત્રાળુઓ માટે માર્ગદર્શિકા અને નિયમો જાહેર
- ફિફા વર્લ્ડ કપ 2026માં મોટો ઉલટફેર, ઉરુગ્વે-કેપ વર્ડે મેચ 2-2થી ડ્રો
- વડાપ્રધાન મોદીની હાજરીમાં 3 સ્વદેશી અત્યાધુનિક યુદ્ધપોત નૌકાદળમાં સામેલ, દરિયાઈ શક્તિમાં વધારો
- રાતભરની ચર્ચા બાદ અમેરિકા-ઈરાન 60 દિવસમાં પરમાણુ કરાર માટે સહમત, તણાવમાં ઘટાડાની આશા
Author: Garvi Gujarat
ટ્રમ્પે કાર્યવાહીને ગણાવી ‘લવ ટેપ’ ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ પર અમેરિકાના ભીષણ હુમલા ઈરાની અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને સામાન્ય નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા છે અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર હોવા છતાં બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકન ડિસ્ટ્રોયર (યુદ્ધ જહાજાે) ને નિશાન બનાવીને મિસાઈલ હુમલા કર્યા બાદ અમેરિકાએ આક્રમક જવાબી કાર્યવાહી કરી છે. અમેરિકન સેનાએ ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ સ્થિત સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યાે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાઓને ‘લવ ટેપ’ ગણાવી ઈરાનને કડક ચેતવણી આપી છે.અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, ૭…
સજીવોની ૨૦ પ્રજાતિને તેમનું નામ અપાયું વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર ડેવિડ એટનબરો ૧૦૦ વર્ષના થયા બ્લેક એન્ડ વ્હાઈટ, કલર, એચડી અને થ્રીડીમાં બાફ્ટા એવોર્ડ મેળવનારા એકમાત્ર વ્યક્તિ ડેવિડ એટનબરો એટલે જગ વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર, નેચરલ હિસ્ટોરિયન અને લેખક-સંશોધક. તેમણે આઠ દશકા સુધી પ્રકૃતિ અને પર્યાવરણલક્ષી કાર્યક્રમો કર્યા છે. વિશ્વ વિખ્યાત અભિનેતા અને ગાંધી ફિલ્મના સર્જક રિચર્ડ એટનબરોના નાના ભાઈ એવા ડેવિડ એટનબરો આજે ૧૦૦મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે.ડેવિડ એટનબરો ટેલિવિઝનના ઇતિહાસમાં એકમાત્ર એવી વ્યક્તિ છે જેમણે બ્લેક એન્ડ વ્હાઇટ, કલર, એચડી. થ્રીડી અને ૪કે એમ તમામ ફોર્મેટમાં બાફટા એવોર્ડ્સ જીત્યા છે. વિજ્ઞાનીઓએ તેમના માનમાં ૨૦થી વધુ પ્રજાતિઓના નામ રાખ્યા છે.…
કેઓટિક રિલેશનશિપ ડ્રામાથી ચાહકો પ્રભાવિત બોબી દેઓલ ફરી પોતાના નવા અવતારમાં જાેવા મળશે બંદરમાં બોબી દેઓલ અનુરાગ કશ્યપ સાથે પહેલી વાર કામ કરી રહ્યો છે. પહેલેથી જ સિનેપ્રેમીઓમાં આ ફિલ્મને લઇને ભારે ઉત્સુકતા છે બોબી દેઓલની વધુ એક અલગ રોલવાળી ફિલ્મ બંદરનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેનાથી દર્શકોને ફિલ્મમેકર અનુરાગ કશ્યપની નવી ડિરેક્ટોરિયલ ફિલ્મની ઝલક મળી છે. આ ફિલ્મમાં બોબી દેઓલ લીડ રોલમાં છે. નિખિલ દ્વિવેદીની સેળોન મેજિકવર્ક્સ અને ઝી સ્ટુડિયોઝ દ્વારા બનેલી આ ફિલ્મ ૫ જૂન, ૨૦૨૬ના રોજ વિશ્વભરમાં થિયેટરમાં રિલીઝ થવાની છે.બંદરમાં બોબી દેઓલ અનુરાગ કશ્યપ સાથે પહેલી વાર કામ કરી રહ્યો છે. પહેલેથી જ સિનેપ્રેમીઓમાં આ…
સલમાન ખાનની ફિલ્મ સાથે ટક્કર ટાળવા પ્રભાસની સ્પિરિટ માર્ચ 2027 સુધી મુલતવી રહી શકે છે વંગાએ ૧ ડિસેમ્બર, 2027ની તારીખ પસંદ કરી છે કારણ કે તે તેના માટે અગાઉ પણ સારી રહી છે સલમાન ખાને તાજેતરમાં જાહેરાત કરી કે તેની આગામી ફિલ્મ ડિરેક્ટર વંશી પૈડિપલ્લી સાથે કરશે, જેને હાલ પૂરતું SVC63, નામ આપવામાં આવ્યું છે અને આ ફિલ્મ ઈદ 2027 આસપાસ રિલીઝ થશે. આ ર્નિણય પછી પ્રભાસના ચાહકો થોડા ગૂંચવાયા, કારણ કે તેની ફિલ્મ સ્પિરિટ પણ માર્ચ 2027 માં આવવાની અપેક્ષા હતી. પરંતુ લાગે છે કે હવે તેના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વંગાએ ટક્કર ટાળવા માટે પોતાની ફિલ્મની તારીખ બદલવાનો વ્યૂહાત્મક…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમ ખાતે ક્રુઝ બોટ પલટી જવાથી બનેલી દુર્ઘટનાએ ફરી એકવાર વડોદરાની હરણી બોટ કાંડની ઘટનાને યાદ કરી જાહેર સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ અકસ્માતે બોટ સવારી દ્વારા આનંદ અને સાહસ કરવા માંગતા ઘણા લોકોના ઉત્સાહને શોકમાં ફેરવી દીધો. અહીં જોવાની ખૂબી એ હતી કે આ દુર્ઘટના પછી પણ, વહીવટી તંત્ર પાસે કુલ કેટલા લોકો સવાર હતા તેની ચોક્કસ માહિતીનો અભાવ હતો. જ્યારે અધિકારીઓએ ફક્ત વેચાણ કરાયેલી ટિકિટોની સંખ્યા ના આધારે આંકડા જાહેર કર્યા?? જ્યારે વાસ્તવિકતા એ હતી કે ઘણા ટિકિટ ધારકો તેમના બાળકો સાથે હતા. જ્યારે સવાલ અહીં એ છે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશની ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(FSSAI) એ બજારમાં વેચાઈ રહેલા સિન્થેટિક પનીર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. ઓછા પોષણવાળું આ પનીર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એને ગ્રાહક સુરક્ષા માટે બજારમાંથી દૂર કરવામાં આવશે. આ બાબત સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર એક ઉચ્ચ સ્તરની સમિતિએ ઓક્ટોબર ૨૦૨૫ માં આ પ્રસ્તાવ તૈયાર કર્યો હતો અને માર્ચ ૨૦૨૬ માં એક બેઠકમાં એને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી હતી. સમિતિનો તર્ક છે કે ભારત વિશ્વનો સૌથી મોટો ડેરી ઉત્પાદક દેશ હોવા છતાં અહીં સસ્તા અને ભેળસેળ યુક્ત કુત્રિમ પનીરનો મોટો જથ્થો વેચાઈ રહ્યો છે. એ…
સોમનાથ મંદિરની ગણના જ્યોતિર્લિંગમાં પ્રથમ છે! અને એ ગુજરાતી માટે ગૌરવની વાત છે. 11 મેં એ સોમનાથ મંદિરનો સ્થાપના દિવસ છે, અને આ વખતે મંદિરના જીર્ણોદ્ધારને 75 વર્ષ પૂર્ણ થાય છે. સોમનાથ નું મંદિર ગૌરવશાળી ઈતિહાસનું સાક્ષી છે, અને દરેક હિન્દુઓની આસ્થાની ધજા છે. ભગવાન શંકર સંસારી હોવાથી જીવ તેથી સાથે આસાનીથી જોડાઈ શકે છે અને આ ઉપરાંત ભગવાન શંકર સહજ સરળ અને ભોળા છે. હિન્દુ ધર્મની માન્યતા મુજબ શિવજી જ્યાં જ્યાં સ્વયં પ્રગટ થયા તે બાર જગ્યાઓને જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. તેમાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું શ્રી સોમનાથ સર્વ પ્રથમ ક્રમે છે. આખી દુનિયામાંથી શિવભક્તો અહિં ભવ્ય શિવલિંગનાં દર્શન…
દાદી કી શાદી સાથેના ડેબ્યુને રિદ્ધીમાએ ‘કમિંગ ફુલ સર્કલ’ ગણાવ્યું રિદ્ધિમા ૪૫ વર્ષની ઉંમરે ડેબ્યુ કરનારી કપૂર પરિવારની સૌથી મોટી ડેબ્યુટન્ટ રિદ્ધિ ફિલ્મમાં પ્રથમ વખત પોતાની પુત્રી સમારા સાથે અને માતા નીતુ કપૂર એમ બંને સાથે સ્ક્રીન શેર કરશે ઋષિ કપૂર અને નીતુ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર સહાની ૪૫ વર્ષની ઉંમરે, ‘દાદી કી શાદી’થી એક્ટિંગમાં ડેબ્યુ કરી રહી છે. તે કપૂર પરિવારની સૌથી મોટી ડેબ્યુટન્ટ બની રહી છે. આ ડેબ્યુ રિદ્ધિમા માટે ભાવનાત્મક છે અને તે વધુ ખાસ એટલા માટે બને છે કારણ કે તે ફિલ્મમાં પ્રથમ વખત પોતાની પુત્રી સમારા સાથે અને માતા નીતુ કપૂર બંને સાથે સ્ક્રીન શેર…
કારમી હાર બાદ કોંગ્રેસમાં શિસ્તના નામે સફાઈ અભિયાન ગાંધીનગર કોંગ્રેસમાં ૨૦ સભ્યોને ઘરભેગા કરાયા ચૂંટણીમાં હાર માટે જવાબદારી સ્વીકારવાને બદલે પક્ષે હવે કાર્યકરો પર દોષનો ટોપલો ઢોળવાનું શરૂ કર્યું હોય તેમ જણાય છે રાજ્યમાં સ્થાનિક ચૂંટણીમાં સુપડા સાફ થતાં કોંગ્રેસે શિસ્તભંગનું હથિયાર ઉગામ્યું છે. જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ૨૦ કાર્યકરોને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવાના આદેશ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬માં કોંગ્રેસના દેખાવ બાદ હવે પક્ષમાં આંતરકલહ સપાટી પર આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં ભાજપના ભવ્ય વિજય અને કોંગ્રેસના રકાસ બાદ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ આકરા પગલાં ભરવાની શરૂઆત કરી છે. ચૂંટણીમાં…
બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડીનું દર્દ છલકાયું ઇન્સ્ટાગ્રામ મોડલ્સને અમારા કરતા વધુ મહત્ત્વ મળે છે ભારતીય બેડમિન્ટન જગતનો ચમકતો સિતારો સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ રોષ ઠાલવ્યો છ ઇન્સ્ટાગ્રામ મોડલ્સને અમારા કરતા વધુ મહત્ત્વ મળે છે: બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડીનાં નિવેદનથી ચર્ચા જાગી છે. થોમસ કપમાં બ્રોન્ઝ મેડલ જીતનારા બેડમિન્ટન સ્ટાર સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીનો આક્રોશથી હાલ તો મીડિયા અને સોશિયલ મીડિયા સ્તબ્ધ છે. થોમસ કપ રમીને અમે એરપોર્ટ પર ઉતર્યા ત્યારે કોઈ ઓળખતું નહોતું, સરકાર કે બેડમિન્ટન એસોસિએશન તરફથી પણ કોઈ સ્વાગતમાં ન આવ્યું નહોતું. હું મિત્રો સાથે ડિનર માટે જાઉં તો ટેબલ નથી મળતું, પણ ઈન્સ્ટાગ્રામની કોઈ ફેમસ વ્યક્તિ ત્યાં આવે તો તેનું સ્વાગત…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



