- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
- મોંઘવારીનો માર: ડુંગળી, ખાંડ, દાળ અને ખાદ્ય તેલના ભાવમાં મોટો ઉછાળો
- ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં AAPનું પ્રદર્શન, ગૃહમંત્રીના રાજીનામાની માંગ
- સુરતમાં ‘નારી હુંકાર’ સંમેલન, 2700થી વધુ મહિલાઓએ પરિવર્તનનો સંકલ્પ લીધો
- મિચેલ સ્ટાર્કનો વર્લ્ડ રેકોર્ડ, બાંગ્લાદેશ 64 રનમાં ઓલઆઉટ
- અમદાવાદના સરખેજમાં 291 લિટર દેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ
- રાજકોટની મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા સંજયસિંહ રાજે જણાવ્યું હતું કે, ભણતર એ ખૂબ જ ગંભીર વિષય છે. તકલીફ જરૂર પડે પણ તેનાથી જિંદગીની પ્યાસ બુઝાય છે, શિક્ષણથી જ સવાલો થાય છે અને જીવનની નૈયા પાર થાય છે. પરંતુ શિક્ષણ જગતમાં ક્યારેક એવા કલંકિત દાખલાઓ બને છે જેનાથી ખૂબ દુઃખ થાય છે. આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના લીંબાલી ગામની પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ દારૂની મહેફિલ માણતા પકડાયા હતા. તેમની તિજોરીમાંથી વિદેશી દારૂની પચાસ જેટલી ખાલી અને બે અડધી ભરેલી બોટલો પકડાઈ છે. આવા દારૂડિયા શિક્ષકો શાળાએ આવે તો બાળકોનું ભવિષ્ય રોળાય છે અને બીજા સારા શિક્ષકોનું નામ પણ ખરાબ થાય છે. આપણે ગામડાઓમાં…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે જાણવા મળ્યું કે ગુજરાતમાં સીએનજીના ભાવમાં 3.75 રૂપિયાનો વધારો કરવામાં આવે છે. આજથી પાંચ વર્ષ પહેલા સીએનજી ગેસ આપણને 58 રૂપિયામાં મળતો હતો, આજે એ સીએનજી હવે આપણને 88.75 રૂપિયામાં મળી રહ્યું છે. પાંચ વર્ષમાં કુલ 13 વખત વધારો કરવામાં આવ્યો છે. દર વખત ભાજપના લોકો “બહુત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર”ની વાતો કરતા હોય અને એ જ મોદી સરકારમાં ભાવ વધારા પર ભાવ વધારો થઈ રહ્યો છે. કોઈ નાનો વેપારી, મધ્યમ વર્ગના પરિવારના લોકો…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુકે એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગતરોજ કામરેજમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ અને લાખો રૂપિયાનો સામાન જપ્ત કરવામાં આવ્યો. વર્ષોથી આ ફેક્ટરીઓ ધમધમતી હતી અને નકલી ઘી તમામ ગામોમાં પહોંચતું હતું. છેલ્લા ચાર મહિનામાં ચાર નકલી ઘી બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ છે. નવાઈની વાત છે કે ગુજરાતના આરોગ્ય મંત્રી તેમજ કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસરિયાના ક્ષેત્રમાં જ આ કારોબાર ધમધમી રહ્યો હતો. તો સવાલ એ પેદા થાય છે કે શું આરોગ્ય મંત્રીના ધ્યાનમાં આ વાત આવી ન હતી? ફૂડ અને ડ્રગ્સ વિભાગ આરોગ્ય મંત્રી…
ફિલ્મનું ટાઇટલ નક્કી થયું નથી અહાન પાંડેની એક્શન ફિલ્મમાં અભિનેત્રી અન્યા સિંહની એન્ટ્રી દિગ્દર્શક અલી અબ્બાસ ઝફરની ફિલ્મમાં બોબી દેઓલ, જિમી શેરગિલ સહકલાકારો યશરાજ ફિલ્મ્સની આગામી રોમેન્ટિક એકશન ડ્રામા ફિલ્મમાં હવે અન્યા સિંહ અહાન પાંડે સાથે જાેડાશે. આ ફિલ્મની મોટાભાગની કાસ્ટ નક્કી થઇ ચૂકી છે જેમાં બોબી દેઓલ, જિમી શેરગીલ, ઐશ્વર્ય ઠાકરે અને દિપાનીતા શર્માનો સમાવેશ થાય છે.અલી અબ્બાસ ઝફર આ ફિલ્મનું ર્નિદેશન કરી રહ્યા છે. આ ફિલ્મને ૨૬ માર્ચ ૨૦૨૭માં રજૂ કરવાનું આયોજન થઇ રહ્યું છે. અન્યા સિંહને યશરાજ ફિલ્મ્સ’ે કૈદી બેન્ડ’ ફિલ્મ સાથે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરાવ્યો હતો. છેલ્લે તે આર્યન ખાનની વેબ સિરિઝમાં જાેવા મળી હતી.…
કરોડો રુપિયા મળશે પણ પાનમસાલાની એડ નહીં કરું શાહરૂખ-અજય દેવગણને FDA નોટિસ વચ્ચે સની દેઓલનો જૂનો વીડિયો વાયરલ અક્ષય કુમાર, શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ જેવા દિગ્ગ્જ કલાકારો આ બ્રાન્ડ્ઝનો પ્રચાર કરી ચુક્યા મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ‘વિમલ ઈલાયચી’ની જાહેરાતને લઈને શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. બીજી તરફ સની દેઓલે હાલમાં જ કહ્યું હતું કે તેમને કરોડો રૂપિયા મળે છતાં પાન-મસાલા અને ઈલાયચી જેવી બ્રાન્ડની જાહેરાતો કરશે નહીં. જાેકે, આ સાથે જ ઇન્ટરનેટ પર લોકોએ સની દેઓલની જૂની જાહેરાત શોધી લીધી હતી, જેમાં તે આ વસ્તુઓને સલંગ્ન…
ગોવિંદાનો ક્લબમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ ગોવિંદા પત્ની સાથેના વિવાદ વચ્ચે ચાહકોની નારાજગીનો બન્યો ભોગ ગોવિંદાની પરફોર્મન્સ પર ચાહકોને મિશ્ર પ્રતિક્રિયા મળી હતી, જેમાં ઘણા લોકોએ અભિનેતાનો ડાન્સ જાેવાનું પસંદ કર્યું હતું બોલીવુડના જાણીતા અભિનેતા ગોવિંદા અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકાર સાથે સમગ્ર દુનિયા સામે નજર આવ્યા બાદ ચર્ચામાં છે. અભિનેતાની પત્ની સુનિતા આહુજાએ ઘણીવાર તેમની ફિલ્મની નવી અભિનેત્રી સાથે તેમના કથિત અફેરની વાત કરી છે. સુનીતાની સાથે ચાલી રહેલા ઝઘડા વચ્ચે ગોવિંદા હાલમાં જ થાઈલેન્ડના પટાયામાં એક ક્લબમાં પરફોર્મ કરતા જાેવા મળ્યા હતા. આ પહેલા તે સ્કૂલના સ્ટેજ પર પણ નાચતા જાેવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર પટાયાના એક ક્લબમાં…
બોલિવૂડ સ્ટારે ડ્રિંક પીવડાવી કિસ કર્યાનો આરોપ! ‘તારક મહેતા કા ઉલ્ટા…’ શૉની અભિનેત્રી સાથે બળજબરી? ઇન્ડસ્ટ્રીમાં લોકો તેના ઓન-સ્ક્રીન કામને જાેઈને તેને રિયલ લાઈફમાં પણ જજ કરે છે : એક્ટ્રેસ નેહલ વડોલિયા એક્ટ્રેસ નેહલ વડોલિયા આજે કોઈ ઓળખની મોહતાજ નથી. ભૂતકાળમાં લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં બબીતાજીની મિત્ર ‘નેહા’ નો રોલ કરીને ચર્ચામાં આવેલી આ અભિનેત્રી આજે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ ઇમેજ માટે જાણીતી છે. તાજેતરમાં એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં નેહલે મનોરંજન ઇન્ડસ્ટ્રીની કાળી સચ્ચાઈ અને એક લોકપ્રિય વ્યક્તિની ગંદી હરકતોનો પર્દાફાશ કરીને સનસનાટી મચાવી દીધી છે.લોકોની ખોટી માનસિકતા: નેહલે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં લોકો તેના ઓન-સ્ક્રીન કામને…
રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ કેશરાની વિકેટ સાથે ટેસ્ટ ક્રિકેટમાં જાડેજાએ ૩૫૦ વિકેટ પૂરી કરી રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં ૩૫૦ વિકેટ સુધી પહોંચનાર ભારતનો પહેલો લેફ્ટ આર્મ સ્પિનર બની ગયો છે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે રવીન્દ્ર જાડેજાએ ઇતિહાસ રચ્યો છે. આ મેચમાં જાડેજાને પહેલી ઇનિંગમાં ૩ સફળતા મળી હતી. તેની સાથે જ તેણે પોતાના કરિયરમાં મોટી સિદ્ધિ મેળવી છે. ટીમ ઇન્ડિયાના આ દિગ્ગજ ઓલરાઉન્ડરે દિવસના ત્રીજા સેશનમાં કેશરા નવાનથાને આઉટ કરીને ભારતને સાતમી સફળતા અપાવી હતી. આ વિકેટ સાથે જ તેણે ઘણાં મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા. તેણે ભારતીય ટીમ માટે એવું કામ કરી…
ઘણા શ્રદ્ધાળુઓ બેરિકેડ પર પડ્યા ઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ મંદિર સંકુલની નજીક હરસિદ્ધિ મંદિરની સામે બેરિકેડેડ વિસ્તારમાં ભીડનું દબાણ વધી ગયું, જેના કારણે ભાગદોડ શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે, મોટી સંખ્યામાં ભક્તો ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. નાગચંદ્રેશ્વર મંદિરના દર્શન માટે પણ મોટી ભીડ એકઠી થઈ હતી, જે વર્ષમાં ફક્ત એક જ વાર ખુલે છે. આ દરમિયાન, મંદિર સંકુલની નજીક હરસિદ્ધિ મંદિરની સામે બેરિકેડેડ વિસ્તારમાં અચાનક ભીડનું દબાણ વધી ગયું, જેના કારણે ભાગદોડ જેવી પરિસ્થિતિ સર્જાઈ. મંદિર વ્યવસ્થાપન સમિતિએ કેટલાક મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મંદિરમાં અરાજકતા અને અવ્યવસ્થા અંગેના અહેવાલોને ભ્રામક ગણાવ્યા છે. ભીડના…
આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા અને સુરત મનપા પૂર્વ વિરોધ પક્ષ નેતા પાયલ સાકરીયા અને પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તથા વર્તમાન કોર્પોરેટર રચના હીરપરાએ કામરેજ તાલુકાના દિગસ ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પાયલ સાકરીયાએ શાળાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કામરેજ વિધાનસભા વિસ્તારમાં આવેલી આ સરકારી શાળામાં ધોરણ 1થી 5 સુધીના બાળકો માટે માત્ર બે ઓરડાઓ છે. શાળાની આસપાસ ગંદકી, પીવાના પાણીની ટાંકીની ખરાબ સ્થિતિ તેમજ શૌચાલય અને બાથરૂમની અસ્વચ્છતા જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. બાળકોને અભ્યાસ માટે જરૂરી પાયાની સુવિધાઓનો પણ અભાવ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



