- જો રૂટે રચ્યો વર્લ્ડ રેકોર્ડ: સ્ટીવ સ્મિથને પછાડી ટેસ્ટ ક્રિકેટનો સૌથી સફળ ફીલ્ડર બન્યો
- સંસદ માર્ચમાં ૧૭ મેટ્રો સ્ટેશન બંધ કરાતા સુપ્રીમ નારાજ, વિદ્યાર્થીઓ પર હિંસા કરનાર સામે પગલાંના નિર્દેશ
- પાકિસ્તાનમાં મોંઘવારીનો ભડકો: ૪ દિવસમાં પેટ્રોલ ₹૨૫ મોંઘું, લિટરનો ભાવ ₹૩૭૦ને પાર
- ‘ઢિંઢોરા 2’માં ભુવન બામ ભજવશે 10 પાત્રો, સંજીદા શેખની કવિતા મામી તરીકે એન્ટ્રી
- જયા બચ્ચન સાથે સરખામણી તો વખાણ ગણાય: તાપસી પન્નુ, ‘મારા ગુસ્સાથી કેમેરામેન્સને ફાયદો થાય છે’
- ‘હૈવાન’માં ડુપ્લિકેટ વિના સૈફનું રૉ એક્શન, શૂટિંગ બાદ બે દિવસ પથારીમાં રહ્યો
- ‘એન્ટની’માં સની દેઓલ સામે વિજય વર્માની ટક્કર, પહેલીવાર જાેવા મળશે તેનું ડાન્સિંગ ટેલેન્ટ
- અમદાવાદમાં ELC અને ECINET પર રિજનલ કોન્ફરન્સ: પારદર્શિતા અને મતદાર જાગૃતિને વેગ
Author: garvigujrat
ટ્રમ્પના બે શાંતિ દૂતને પુતિને ચોખ્ખા શબ્દોમાં કહ્યું યુદ્ધ ખતમ કરવાનો મૂડ નથી, યુક્રેન સાથે સ્થિતિ મુશ્કેલ યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવા રશિયન રાષ્ટ્રપતિ પુતિને અમેરિકી દૂત સ્ટીવ વિટકોફ અને કુશનર સાથે મોસ્કોમાં મુલાકાત કરી હતી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન પુતિને સ્વીકાર્યું હતું કે યુક્રેન યુદ્ધની સ્થિતિ હજુ પણ મુશ્કેલ છે. તેમણે કઠિન પરિસ્થિતિઓ છતાં યુદ્ધ ખતમ કરવાના ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે ટ્રમ્પે સંઘર્ષના સમાધાનમાં પોતાનું યોગદાન આપવાનું બંધ…
રણદીપસિંહ સુરજેવાલાને સોંપાઈ કમાન ગુજરાત ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાયા વર્તમાન પ્રભારી મુકુલ વાસનિકે આ જવાબદારીમાંથી મુક્ત કરવા હાઈકમાન્ડને રજૂઆત કરી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટાપાયે સંગઠનમાં ફેરબદલ કર્યા છે. જેમા સૌથી મોટી ફેરબદલ પ્રભારીની નિમણૂકથી જ શરૂઆત કરી છે. વર્તમાન પ્રભારી મુકુલ વાસનિકને બદલે હવે રાજ્યસભા સાંસદ રણદીપસિંહ સુરજેવાલાને ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ સાથે ગુજરાત કોંગ્રેસની કમાન રણદીપસિંહ સુરજેવાલાને સોંપાઈ છે. વર્તમાન પ્રભારી મુકુલ વાસનિકે આ જવાબદારીમાંથી મુક્ત કરવા હાઈકમાન્ડને રજૂઆત કરી હતી. તેમની રજૂઆતને ધ્યાને રાખી હવે તેમને ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત કરાયા છે અને હવે રણદીપસિંહ સુરજેવાલાને આ કમાન સોંપાઈ છે.…
અમ્પાયરોને કરવી પડી દરમિયાનગીરી તિલક વર્મા અને વૈભવ સૂર્યવંશી વચ્ચે બબાલ વૈભવ અને તિલક વર્મા વચ્ચે સ્લેજિંગથી શરૂ થયેલી પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે તિલકે મુક્કો મારવાનો ઈશારો કર્યો દુલીપ ટ્રોફી ફાઇનલ દરમિયાન પૂર્વ ઝોનના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને વિરોધી કેપ્ટન તિલક વર્મા વચ્ચે મેદાન પર જાેરદાર બોલાચાલી થઈ. મજાક અને હળવી સ્લેજિંગથી શરૂ થયેલી વાત અચાનક આક્રમક બની ગઈ. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે બંને ખેલાડીઓને શાંત કરવા માટે અમ્પાયરોને દરમિયાનગીરી કરવી પડી. આ ઘટના પૂર્વ ઝોનના પ્રથમ દાવની ૧૧મી ઓવર દરમિયાન બની હતી. દક્ષિણ ઝોનનો કેપ્ટન તિલક વર્મા સતત વૈભવ સૂર્યવંશી સાથે વાતચીત કરી રહ્યો હતો અને…
કેબિનેટ ફેરબદલના એંધાણ પીએમ મોદી સોમવારે મંત્રીઓ સાથે યોજશે મહત્વપૂર્ણ બેઠક કેટલાક મંત્રાલયના કામકાજ પર ચર્ચા થશે : બેઠકને સંભવિત કેબિનેટ ફેરબદલ સાથે જાેડીને જાેવામાં આવી રહી છે કેન્દ્ર સરકારમાં મંત્રીઓના કામકાજને લઈને સોમવારે સાંજે મહત્વની બેઠક યોજાવાની છે. પીએમ મોદી આ બેઠકની અધ્યક્ષતા કરશે. તેમાં કેટલાક મંત્રાલયોના કામકાજ, મંત્રીઓના પ્રદર્શનના મુદ્દે વાત થશે. બેઠકને આવનાર સમયમાં સંભવિત કેબિનેટ ફેરબદલ સાથે જાેડીને પણ જાેવામાં આવી રહી છે. બેઠકમાં સામાજિક ન્યાય અને જનક્લ્યાણ સાથે જાેડાયેલા કામ પર ખાસ ધ્યાન રહેશે. તે માટે માત્ર તે રાજ્યમંત્રીઓ અને સ્વતંત્ર પ્રભારવાળા રાજ્યમંત્રીઓને બોલાવવામાં આવ્યા છે, જેનો વિભાગ સમાજ કલ્યાણ સાથે જાેડાયેલો છે. સૂત્રો પ્રમાણે…
કંગના રણૌતનો વાયદો ચર્ચામાં હિમાચલમાં ભાજપની સરકાર આવતા ઇજીજીની શાળાઓ ખુલશે આ પહેલ પશ્ચિમ બંગાળમાં ૧,૦૦૦ વિદ્યા ભારતી સંસ્થાનો સ્થાપિત કરવાના શુભેન્દુ અધિકારીના પ્રસ્તાવ બાદ આવી છે સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતે હિમાચલને મોટો વાયદો કર્યો છે. કંગના રણૌતે કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકાર આવતા જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા સંચાલિત શાળાઓ ખુલશે. કંગનાનું આ નિવેદન પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીના એ પ્રસ્તાવ બાદ આવ્યું છે, જેમાં તેમણે બંગાળમાં ઓછામાં ઓછા ૧,૦૦૦ વિદ્યા ભારતી સંસ્થાનો સ્થાપિત કરવાની વાત કહી હતી. જાેકે, આ પ્રસ્તાવનો વિપક્ષી દળોએ ભારે વિરોધ કર્યો છે. મંડી જિલ્લામાં દિશાની બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ કંગના…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત ગુજરાત હાઈકોર્ટ દ્વારા અપાયેલા મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સરકારી કે સ્વાયત્ત સંસ્થાના કર્મચારીના પેન્શન કેસ મા જો પેન્શનરે નોમિનેશન ફોર્મમાં અન્ય કોઈ વ્યક્તિનું નામ લખ્યું હોય અને પત્નીનું નામ બાકાત રાખ્યું હોય તો પણ કાયદેસરની પરણેલી પત્નીના સાસરાનો પરિવાર પેન્શન મેળવવાના અધિકારને છીનવી શકતો નથી. આ કેસની વિગતો મુજબ, અરજદાર મહિલાના પતિ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ઇલેક્ટ્રિકલ વિભાગમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા હતા અને 30 એપ્રિલ-2024 ના રોજ વયનિવૃત્ત થયા હતા. પતિ-પત્ની વચ્ચે કેટલાક પારિવારિક મતભેદો હોવા છતાં કાયદેસર રીતે છૂટાછેડા થયા ન હતા. અને લગ્નસંબંધ અકબંધ રહ્યો હતો. દરમિયાન, સેવાકાળ…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) ભારતની વિવિધતેમાં એકતા એજ તો મોટી લોકશાહી ની નિશાની છે. આ એ જ ભારત છે જ્યાં અલગ અલગ ધર્મ, જાતિ અને રીત રિવાજો હોવા છતાં ભાઈચારાનો સંદેશો આપતો ભારત દેશ વિશ્વ માં સર્વશ્રેષ્ઠ છે. ત્યારે આ દેશમાં અનેક ધર્મો અલગ અલગ હોવા છતાં મઝહબ નહીં શીખાતા આપસ મેં બૈર (વેર) રાખના એ સિદ્ધાંત ના પાયા ઉપર લોકશાહી નું ચણતર થયું છે. એવા આપણા દેશની પ્રજા ભાવુક અને ધાર્મિક વૃત્તિની હોવાની દરેક જાતિ ના, ધર્મના લોકો હોંશે હોંશે પોતાનો ધાર્મિક ઉત્સવ ઉજવી પોતાના ધર્મ…
સુરક્ષાદળોએ મેળવી મોટી સફળતા કાશ્મીરમાં યુસમર્ગ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર ઠાર યુસમાર્ગ એન્કાઉન્ટરમાં લશ્કર કમાન્ડર યાસીર માર્યો ગયો યુસમાર્ગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં પાકિસ્તાની લશ્કર કમાન્ડર યાસીર માર્યો ગયો. સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો પાકિસ્તાની લશ્કર કમાન્ડર યાસીર અગાઉ લશ્કરના મોટા સુલેમાન મુસા જૂથનો ભાગ હતો. જાેકે, તે લગભગ એક વર્ષ પહેલા આ જૂથથી અલગ થઈ ગયો હતો. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, યુસમાર્ગના ઉપરના ભાગોમાં યાસીનની ગતિવિધિઓ મળી આવી હતી. ત્યારબાદ સંયુક્ત દળોએ આ વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં યાસીનને ઠાર કરવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, સુલેમાન ઉર્ફે મુસા પહેલગામ આતંકવાદી હુમલાનો…
નેપાળમાં ફરી મોટું જાેખમ! ભૂસ્ખલનથી ચૌલાની નદીનો પ્રવાહ અટક્યો, અચાનક પૂરનો ખતરો વહીવટીતંત્રે ચેતવણી આપી છે કે ફરીથી ભૂસ્ખલન થવાથી નદી સંપૂર્ણપણે બંધ થઈ શકે છે અને ફ્લેશ ફ્લડ લાવી શકે નેપાળમાં સતત વરસાદ વચ્ચે વધુ એક મોટું જાેખમ ઊભું થયું છે. દાર્ચુલા જિલ્લામાં ભારે ભૂસ્ખલન બાદ ચૌલાની નદીનો પ્રવાહ આંશિક રીતે અટકી ગયો છે. નદીમાં મોટી માત્રામાં કાટમાળ પડવાથી પાણીનો માર્ગ સાંકડો થઈ ગયો છે. વહીવટીતંત્રને ડર છે કે જાે ફરીથી ભૂસ્ખલન થયું અને નદી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ તો જમા થયેલું પાણી અચાનક માર્ગ તોડીને નીચેના વિસ્તારોમાં ઝડપી પૂર લાવી શકે છે. આ ભૂસ્ખલન અપી હિમાલ ગ્રામીણ નગરપાલિકાના…
AIIMS ના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો દેશમાં યુવાનોમાં ફેટી લિવરની સમસ્યા ઝડપથી વધી રહી છે ભારતમાં આશરે ૯.૮ ટકા યુવાનો ફેટી લિવરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે : બાળકોમાં આ આંકડો ૩૫ ટકા સુધી પહોંચ્યો દેશમાં યુવાનો અને બાળકોમાં ફેટી લિવરની સમસ્યા ઝડપથી વધી રહી હોવાનો એક ચોંકાવનારો ખુલાસો એઇમ્સ (AIIMS)ના તાજેતરના અભ્યાસમાં થયો છે. આ રિપોર્ટ અનુસાર, ભારતમાં આશરે ૯.૮ ટકા યુવાનો ફેટી લિવરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે બાળકોમાં આ આંકડો ૩૫ ટકા સુધી પહોંચી ગયો છે, જે ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્ય માટે લાલ બત્તી સમાન છે. નિષ્ણાતોના મતે ફેટી લિવરના સરૂઆતના તબક્કામાં સામાન્ય રીતે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


