Author: Garvi Gujarat

બેઠકમાં લેવાયો મોટો ર્નિણય.રામ મંદિર ટ્રસ્ટમાંથી ચંપત રાયની છુટ્ટી, બજરંગ બાગડા બન્યા નવા મહાસચિવ.ટ્રસ્ટે સર્વસમ્મતિથી વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહાસચિવ બજરંગ લાલ બાગડાને નવા મહાસચિવ બનાવ્યા.રામ મંદિરમાં દાન ચોરીના ભારે હોબાળાની વચ્ચે સોમવારે, ૬ જુલાઈના રોજ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં ટ્રસ્ટના પદાધિકારીઓએ ઐતિહાસિક ર્નિણય લેતા વર્તમાન મહાસચિવ ચંપત રાયના રાજીનામાને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. ચંપત રાયની વિદાય સાથે જ ટ્રસ્ટે સર્વસમ્મતિથી વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહાસચિવ બજરંગ લાલ બાગડાને રામ મંદિર ટ્રસ્ટના નવા મહાસચિવ બનાવ્યા છે. રામ મંદિર પરિસરમાંથી મળેલા ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, નવનિયુક્ત મહાસચિવ બજરંગ લાલ બાગડા હાલમાં અયોધ્યા…

Read More

પ્રાચીન સમયમાં આ પ્રદેશ ‘ધર્મપુરી’ તરીકે ઓળખાતો.જલાલાબાદ હવે પરશુરામ પુરી તરીકે ઓળખાશે.ઉત્તર પ્રદેશની યોગી સરકારે ઐતિહાસિક ભૂલો સુધારી સનાતન સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો ર્નિણય લીધો છે.ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ફરી એકવાર ઐતિહાસિક ભૂલો સુધારીને કરીને સનાતન સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો ર્નિણય લીધો છે. લખનૌમાં ૫ કાલિદાસ માર્ગ સ્થિત મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં શાહજહાંપુર જિલ્લાના ઐતિહાસિક તાલુકા ‘જલાલાબાદ‘નું નામ બદલીને ‘પરશુરામ પુરી’ રાખવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દેવાઈ છે. વર્ષો જૂની આ માંગણી પૂરી થતાં જ સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ છે. ઇતિહાસના પાના ફેરવીએ તો જાણવા મળે છે કે આ પ્રદેશનું પ્રાચીન નામ ‘ધર્મપુરી‘ હતું. જાે કે, મુઘલ શાસન દરમિયાન…

Read More

વારંવાર ટ્રાફિક રૂલ તોડનારની ખેર નહીં !.લાઈસન્સ રિન્યૂ કરાવવા માટે ફરી આપવો પડી શકે છે ડ્રાઈવિંગ ટેસ્ટ.ઇજાગ્રસ્ત પીડિતો અને મૃતકોના પરિવારોને અંતિમ ચુકાદા પહેલા વચગાળાનું વળતર પૂરું પાડવા માટેની સિસ્ટમ પણ અમલમાં મૂકી શકાય.કેન્દ્ર સરકાર માર્ગ સલામતીને મજબૂત બનાવવા અને માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક રાહત આપવાના હેતુથી મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય એવા પ્રસ્તાવો પર કામ કરી રહ્યું છે જેમાં વારંવાર ટ્રાફિક ઉલ્લંઘનનો ઇતિહાસ ધરાવતા ડ્રાઇવરોને તેમના ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરતા પહેલા ફરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર પડી શકે છે. વધુમાં, ઇજાગ્રસ્ત પીડિતો અને મૃતકોના પરિવારોને અંતિમ ચુકાદા પહેલા વચગાળાનું વળતર પૂરું…

Read More

કેન્દ્ર સરકારનો મોટો ર્નિણય.નેચરલ ગેસની સપ્લાય પર લગાવવામાં આવેલા ઈમરજન્સી કંટ્રોલ પાછા ખેંચી લેવાયા.સરકારનું કહેવું છે કે વર્તમાન સમયમાં કુદરતી ગેસની ઉપલબ્ધતા અને સપ્લાયની સ્થિતિ પહેલાની સરખામણીમાં ઘણી સારી છે.કેન્દ્ર સરકારે નેચરલ ગેસની સપ્લાય પર લગાવવામાં આવેલા ઈમરજન્સી કંટ્રોલ પાછા ખેંચી લીધા છે. સરકારે આ જ વર્ષે માર્ચ મહિનામાં આ જાેગવાઈઓ જાહેર કરી હતી, જેના હેઠળ સરકાર કુદરતી ગેસની ફાળવણી અને સપ્લાય પર સીધું નિયંત્રણ રાખી રહી હતી. તે સમયે સરકારને આ અધિકાર આપવામાં આવ્યો હતો કે જરૂર પડ્યે તે નક્કી કરી શકે કે કયા સેક્ટરને કેટલી કુદરતી ગેસ મળશે કારણ કે તેનો ઉદ્દેશ્ય ગેસની સંભવિત અછત દરમિયાન ખાતર, CNG-PNG,…

Read More

ફીફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ બ્રાઝિલ ટુર્નામેન્ટ બહાર ફેંકાઈ, નેમારે નિવૃત્તિનું કર્યું એલાન છેલ્લા કેટલાક વર્ષાેથી નેમારનું કરિયર સતત ઈજાઓથી પ્રભાવિત રહ્યું હતું, જેના કારણે તેઓ પોતાની જૂની લય ગુમાવી બેઠા હતા બ્રાઝિલના સ્ટાર અને વિશ્વના દિગ્ગજ ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરીને કરોડો ચાહકોને આંચકો આપ્યો છે. ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના રાઉન્ડ ઓફ-૧૬ મુકાબલામાં નોર્વે સામે બ્રાઝિલનો ૨-૧ થી પરાજય થયો હતો, જેની સાથે જ બ્રાઝિલનું વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાઈ ગયું હતું. આ શરમજનક હાર બાદ ૩૪ વર્ષીય નેમારે ભારે હૈયે આંતરરાષ્ટ્રીય સ્તરેથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. મેચ બાદ ભાવુક થયેલા નેમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું…

Read More

રિસર્ચ પોપ્યુલર સાયન્સ જર્નલ PLOS Medicine માં પ્રકાશિત થયું લાંબા સમય સુધી બેસી રહેવાથી કેન્સરનું જાેખમ વધે છે : સ્ટડી સ્લો વોકિંગ, સીડી ચઢવી અથવા ઘરકામ જેવી હળવી કસરતથી કેન્સરનું જાેખમ ૧૨ ટકા ઓછું કરી શકાય ઓફિસમાં કલાકો સુધી સતત ખુરશી પર બેસીને કામ કરવું હવે માત્ર કમર કે ગરદનના દુખાવા પૂરતું જ સીમિત નથી રહ્યું. નવા સ્ટડી અનુસાર, એક વખતમાં ૩૦ મિનિટથી વધુ સમય સુધી સતત બેસી રહેવાની આદત કેન્સરથી મૃત્યુના વધેલા જાેખમ સાથે સંકળાયેલી હોઈ શકે છે.સ્લો વોકિંગ, સીડી ચઢવી અથવા ઘરકામ જેવી હળવી કસરતથી કેન્સરનું જાેખમ ૧૨ ટકા ઓછું કરી શકાયઆ રિસર્ચ પોપ્યુલર સાયન્સ જર્નલ PLOS Medicine…

Read More

જસ્ટિસ વર્માએ એપ્રિલમાં પોતાનું રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને સોંપ્યું હતું લોકસભાનાં ચોમાસુ સત્રમાં જસ્ટિસ વર્મા સામેનો રિપોર્ટ રજૂ થશે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા પછી આગળની કાર્યવાહીનો ર્નિણય સંસદ કરશે : ઓમ બિરલા જસ્ટિસ યશવંત વર્માની વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં આરોપોની તપાસ કરનાર ત્રણ સભ્યોની સમિતિનો રિપોર્ટ ૨૦ જુલાઇએ શરૂ થતા લોકસભાનાં ચોમાસુ સત્રમાં લોકસભામાં રજૂ કરવામાં આવશે તેમ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ એક નિવેદનમાં જણાવ્યું છે.તેમના રાજીનામાનાં ર્નિણય છતાં સંસદની તરફથી તેમને હટાવવાનો પ્રસ્તાવ લાવવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળના ધારાસભ્યોને સંબોધિત કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં ઓમ બિરલાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ અરવિંદ કુમારની અધ્યક્ષતાવાળી સમિતિએ તેમને જે રિપોર્ટ સોંપ્યો છે…

Read More

ઈઝરાયલમાં જંગલરાજના ભણકારા નેતન્યાહૂએ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર જ માનવાનો ઈનકાર કર્યાે બીજી તરફ, ડેમોક્રેટ્સ પાર્ટીના નેતા યાયર ગોલાને ગંભીર આક્ષેપ કર્યાે છે કે નેતન્યાહૂ સરકાર ચૂંટણી પહેલા ન્યાયતંત્રને નબળું કરવા માંગે છે ઈઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચેનો વિવાદ હવે એક મોટી બંધારણીય કટોકટીમાં ફેરવાઈ ગયો છે. રવિવારે ઈઝરાયલી કેબિનેટે સર્વસંમતિથી એક અભૂતપૂર્વ ર્નિણય લીધો છે, જે મુજબ સરકાર સુપ્રીમ કોર્ટના આદેશને સ્વીકારશે નહીં. સુપ્રીમ કોર્ટે દેશના કોમર્શિયલ મીડિયા રેગ્યુલેટર ‘સેકન્ડ ઓથોરિટી ફોર ટેલિવિઝન એન્ડ રેડિયો’ ને પોતાનું કામ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી, જેની સામે સરકારે હવે ખુલ્લી ચેલેન્જ ફેંકી છે. ઈઝરાયલના ઇતિહાસમાં આ પ્રથમ એવો…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે આજે બારડોલી લોકસભાના પદાધિકારીઓ સાથે સંગઠન વિસ્તાર મુદ્દે બેઠક કરી. આ બેઠકમાં પ્રદેશ પ્રભારી ગોપાલ રાયની સાથે સાથે પ્રદેશના પદાધિકારીઓ, વિધાનસભાના હોદ્દેદારો સહિત સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ મુદ્દે પ્રભારી ગોપાલ રાયે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક ચૂંટણીઓ બાદ હવે આમ આદમી પાર્ટી 2027ની વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે, એના માટે સમગ્ર ગુજરાતમાં સંગઠન વિસ્તારના કાર્યક્રમો થઈ રહ્યા છે. તે અંતર્ગત અમે ઉપપ્રમુખો, પ્રદેશ સંગઠન મંત્રીઓ વિધાનસભા સ્તરે વિધાનસભા સંગઠન મંત્રીઓની નિયુક્તિઓ કરી છે અને તેમના માધ્યમથી અમે તમામ વિધાનસભાઓ તથા તાલુકાઓની સીટોથી લઈને ગ્રામ્ય…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અમદાવાદમાં રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, આજે સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે અને અમદાવાદના વિકાસ મોડલને સમગ્ર ગુજરાત સામે રજૂ કરવામાં આવે છે પરંતુ વિકાસ ફક્ત કાગળ પર છે. અમદાવાદમાં બે દિવસનો વરસાદ પડ્યો અને એમાં રોડ ધસી પડ્યા, મોટા મોટા ભુવા પડ્યા, કરોડોના ખર્ચે બનાવેલા રોડ તૂટી ગયા અને એના કારણે કોર્પોરેશનની પોલ ખુલી ગઈ. કોર્પોરેશન દ્વારા ડઝનો મીટીંગ કરવામાં આવી પરંતુ આયોજન અને…

Read More