- સોમનાથમાં ઇતિહાસ રચાશે, ૧૧ તીર્થજળથી કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે
- પીએમ મોદી 10-11 મેે ગુજરાત પ્રવાસે, સોમનાથ મહોત્સવ અને વડોદરાના કાર્યક્રમોમાં આપશે હાજરી
- મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠી ફરજિયાત, પાયલોટ પ્રોજેક્ટમાં ૨૦ ટકા ડ્રાઈવરો નિષ્ફળ
- પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રથમ સરકાર, શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા
- ભારત-પાકિસ્તાન સંબંધોમાં નવો વળાંક, ત્રણ મહિનામાં બે ગુપ્ત બેઠકોની ચર્ચા
- મોતની અફવાઓથી નારાજ શક્તિ કપૂર, ખોટા સમાચાર ફેલાવનાર સામે કાનૂની કાર્યવાહી કરશે
- આંખોની સર્જરી બાદ અક્ષય કુમારે લીધો બ્રેક, અનીસ બઝ્મીની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ
- ૧૬૦૦ કરોડની ‘રામાયણ’માં યશે શરૂ કર્યું સીતાના સ્વયંવરનું ભવ્ય શૂટિંગ
Author: Garvi Gujarat
સર્વેમાં ચોંકાવનારો ખુલાસો ૬૬ ટકા લોકો નાખુશ : અમેરિકામાં ઘટી ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા અમેરિકાના નાગરિકોમાં ૬૬ ટકાએ ઈરાન સામે અમેરિકી પ્રમુખના વ્યવહાર પર અસહમતિ વ્યક્ત કરી અમેરિકામાં રાષ્ટ્રપતિએ ચાર વર્ષના કાર્યકાળ વચ્ચે નવેમ્બરમાં થનાર ચૂંટણી પહેલા આ સર્વેક્ષણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. વોશિંગટન પોસ્ટ-એબીસી ન્યૂઝ-ઇપ્સોસ તરફથી જારી સર્વેક્ષણ અનુસાર ઇમિગ્રેશનના મુદ્દા પર ટ્રમ્પને અપેક્ષાકૃત સારૂ સમર્થન મળ્યું છે. અમેરિકા-મેક્સિકો સરહદ પર તેમની નીતિઓને ૪૫ ટકા લોકોએ મંજૂરી આપી, જ્યારે ૫૪ ટકાએ તેના પર અહસમતિ વ્યક્ત કરી છે. સર્વેક્ષણમાં મોટી સંખ્યામાં અમેરિકીઓએ કહ્યું કે તેઓ મુખ્ય મુદ્દા પર કોઈપણ રાજકીય દળ પર ભરોસો કરતા નથી. ઇમિગ્રેશન પર ૨૩ ટકા, અર્થવ્યવસ્થા…
૧૪ જૂનને રવિવારના રોજ રમાશે આ મેચ ફરી ક્રિકેટના મેદાન પર જાેવા મળશે ભારત-પાકિસ્તાનની વચ્ચે ટક્કર ICC મહિલા T20 વર્લ્ડ કપ ૨૦૨૬ ૧૨ જૂનથી શરૂ થશે ભારત અને પાકિસ્તાન ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે. જ્યારે પણ આ બે હરીફ ટીમો ક્રિકેટ પીચ પર ટકરાય છે, ત્યારે ઉત્સાહ તેની ચરમસીમાએ પહોંચી જાય છે. આ વખતે આ મુકાબલો મહિલા T20 વર્લ્ડ કપ દરમિયાન થશે. ત્યારે આ મેચ ક્યારે અને ક્યાં રમાવાની છે, તેના પર એક નજર કરીએ. ICC મહિલા T20 વર્લ્ડ કપ ૨૦૨૬ ૧૨ જૂનથી શરૂ થવાનો છે. શરૂઆતના દિવસે ઇંગ્લેન્ડ અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમો એકબીજા સામે ટકરાશે. ત્યારબાદ એક…
મમતા બેનર્જીની નજીકના સાયોની ઘોષે આપી પ્રતિક્રિયા અમે જમીન પર હાજર છીએ અને જમીન પર રહીશું ચૂંટણી પ્રચારમાં સાયોની ઘોષ મમતા બાદ મોટો ચહેરો હતો પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે ભાજપ ૧૯૮ સીટ અને ટીએમસી આશરે ૯૦ સીટો પર આગળ ચાલી રહી છે. આ વચ્ચે ટીએમસી સાંસદ અને મમતા બેનર્જીની નજીકની સહયોગી સાયોની ઘોષના નિવેદને સ્પષ્ટ કરી દીધું કે તેમણે હાર સ્વીકાર કરી લીધી છે. એક્સ પોસ્ટમાં તેમણે કહ્યું કે અમે જમીન પર હાજર છીએ અને જમીન પર રહીશું. ટીએમસી સાંસદે લખ્યું- ‘ECI ના અંતિમ અપલોડની પ્રતીક્ષા છે. જાેય બાંગ્લા. આ…
ધોરણ ૧૨નું પરિણામ જાહેર.ધો.૧૨ સાયન્સનું ૮૪.૩૩% અને સા.પ્રવાહનું ૯૨.૭૧% રિઝલ્ટ.ધો. ૧૨ સામાન્ય પ્રવાહ માટે રાજ્યના ૫૩૫ કેન્દ્રો પર ૨૬ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ, ૨૦૨૬ દરમિયાન પરીક્ષા યોજાઈ હતી.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૬ની ધોરણ-૧૨ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બોર્ડની પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩૩ ટકા અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧% પરિણામ જાહેર થયું છે.ધો. ૧૨ સામાન્ય પ્રવાહ માટે રાજ્યના ૫૩૫ કેન્દ્રો પર ૨૬ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ, ૨૦૨૬ દરમિયાન પરીક્ષા યોજાઈ હતી. જેમાં ૪,૩૬,૫૭૨ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૪,૩૫,૧૦૨ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા…
‘આપ’ છોડી ભાજપમાં ગયેલા.સાંસદ સંદીપ પાઠક સામે પંજાબમાં બે એફઆઈઆર નોંધવામાં આવી.પંજાબના બે અલગ-અલગ જિલ્લાઓમાં તેમની સામે બિન-જામીનપાત્ર ગુનાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા.આમ આદમી પાર્ટી (આપ) છોડીને ભાજપમાં જાેડાયેલા રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. સંદીપ પાઠક વિરુદ્ધ પંજાબમાં બે એફઆઈઆર નોંધવામાં આવી છે. પંજાબના બે અલગ-અલગ જિલ્લાઓમાં તેમની સામે બિન-જામીનપાત્ર ગુનાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ કેસ નોંધાયા બાદ પંજાબ પોલીસની એક ટીમ દિલ્હી સ્થિત સંદીપ પાઠકના નિવાસ્થાને પણ પહોંચી હતી.આ દરમિયાન, રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક દિલ્હી સ્થિત પોતાના ઘરેથી ગાડીમાં બેસીને બહાર નીકળતા જાેવા મળ્યા હતા. પંજાબ સરકારના આ પગલા બાદ હવે…
કેટલાંક દ્રશ્યોનું રાજસ્થાનમાં શૂટિંગ.સોનાક્ષી સિંહાની દહાડ-ટુનું શૂટિંગ મુંબઈમાં આગળ વધારાશે.આ સીરિઝની પહેલી સીઝનની ખાસ્સી પ્રશંસા થઈ હતી. તે પછી રીમા કાગતીએ સીઝન ટૂ બનાવવાનું નક્કી કર્યું હતું.સોનાક્ષી સિંહા સહિતના કલાકારો આગામી દિવસોમાં મુંબઈમાં ‘દહાડ ટુ’નું શૂટિંગ આગળ ધપાવશે. આ સીરિઝના કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ તાજેતરમાં રાજસ્થાનમાં સંપન્ન કરવામાં આવ્યું હતું. આ સીરિઝની પહેલી સીઝનની ખાસ્સી પ્રશંસા થઈ હતી. તે પછી રીમા કાગતીએ સીઝન ટૂ બનાવવાનું નક્કી કર્યું હતું. સીરિઝની સ્ટોરી રાજસ્થાન આધારિત હોવાથી ત્યાં કેટલુંક શૂટિંગ કરવામાં આવ્યું હતું. સીરિઝમાં ગુલશન દેવૈયા સહિતના કલાકારો રીપિટ થશે. જાેકે, સમગ્ર શૂટિંગ ક્યારે પૂર્ણ થશે અને સીરિઝ ક્યારે રીલિઝ કરાશે તે વિશે કોઈ વિગતો…
ભૂતબંગલા ફિલ્મ રીલિઝ થયા બાદ વિવાદ.અક્ષય કુમારે તબુનો રોલ કપાવી નાખ્યાનો પ્રિયદર્શનનો ઈન્કાર.તબુ પોતાના રોલથી નાખુશ નથી, આવી વાતો ફેલાવનારાને શરમ આવવી જાેઈએે.તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘ભૂતબંગલા’માં તબુનો રોલ ઘણો કપાઈ ગયો હોવાની ચર્ચા થઈ રહી છે. કેટલાક દાવા અનુસાર અક્ષય કુમારે દખલ દઈને તબુના કેટલાય સીન કપાવી નાખ્યા છે અને તેથી ફાઈનલ કટ જાેયા બાદ તબુ ભારે નારાજ થઈ છે. જાેકે, પ્રિયદર્શને આ બધી ચર્ચાઓ નકારી કાઢી છે. પ્રિયદર્શને કહ્યુટ હતું કે ફિલ્મનો ડાયરેક્ટર હું છું અને મેં નક્કી કર્યું છે કે ફિલ્મમાં કેટલા સીન રાખવા અને કેટલા કાઢી નાખવા. અક્ષય કુમારે ફિલ્મ એડિટ કરી નથી. તેણે કોઈના રોલ…
હજી સુધી કોઈ સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.સાન્યાની ‘પગ્લૈટ ૨’ના નવા મિશ્રણમાં હવે કેવી નવા-જૂની?.૨૦૨૧માં રિલીઝ થયેલી ‘પગ્લૈટ’નાં તેની અનોખી સ્ટોરીટેલિંગ અને મજબૂત પરફોર્મન્સ માટે ઘણા વખાણ થયા હતા.સાન્યા મલ્હોત્રાની વખણાયેલી ફિલ્મોમાંની એક ફિલ્મ ‘પગ્લૈટ’ની સિક્વલની તૈયારીઓ સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. જેમાં ફરી એક વાર સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મનું નામ ‘પગ્લૈટ ૨’ આપવામાં આવ્યું છે અને ફરી એકવાર સીખ્યા એન્ટરટેઇનમેન્ટ અને નેટફ્લિક્સ ઇન્ડિયા સાથે મળીને આ ફિલ્મ બનાવશે. આ અંગેના અહેવાલો અનુસાર, મૂળ ફિલ્મના ડિરેક્ટર ઉમેશ બિસ્ત પણ સિક્વલ માટે પાછા આવી રહ્યા છે.ફિલ્મમેકર નવી વાર્તા અને નવા દૃષ્ટિકોણ સાથે વાર્તાને આગળ…
હવે સાચું શું છે તે કોઈને ખબર નથી.બોલિવૂડમાં પેઇડ PR બંધ થવું જાેઈએ : કરણ જાેહર.પબ્લિસિટી અને માર્કેટિંગ ખૂબ જ મહત્વના ક્ષેત્રો છે અને તેમને એ દૃષ્ટિએ જ માન આપવું જાેઈએ.કરણ તાજેતરમાં એક પેનલ ડિસ્કશનમાં હાજર રહ્યો હતો, જ્યાં એક હાજર વ્યક્તિએ PR ટ્રેન્ડ બોલિવૂડમાં વધી શકે છે. તેના જવાબમાં કરણે કહ્યું,“મને લાગે છે કે બોલિવૂડે PR બંધ કરવું જાેઈએ. એ જ વધારે સારું રહેશે. તેમની સિદ્ધિઓને પોતે જ બોલવા દેવી જાેઈએ, કારણ કે દુર્ભાગ્યે હવે બધું ‘પેઇડ PR’ બની ગયું છે. જાે તમે એવું કહેવા માંગો છો કે તમે ખૂબ સુંદર દેખાઈ રહ્યા છો, તો એનાં પણ તમારે પૈસા…
પે એન્ડ યુઝની આ જાહેરમાર્ગની ઉભરાતી ગટર કયારે સાફ થશે? સુરતના રાંદેર રોડ તાડવાડી વૃષભ ટાવરની સામે મુખ્ય રોડ ઉપર આવેલા પે એન્ડ યુઝ ની આ ઉભરાતી ગટરમાંથી બહાર આવતા મળ અને પેશાબના ગંદા પાણીની વાસ મારવાને કારણે ત્યાંના રહીશોની સાથે સાથે આજુબાજુ રસ્તે પસાર થનારા લોકો માટે પણ અસર થઈ પડયું છે. ત્યારે સુરત મ.ન.પા ના કમિશ્નર આ ઉભરાતી ગટરને તાત્કાલિક સાફ કરાવવા તંત્ર ને આદેશ કરે અને રોગચાળાથી ત્યાંના લોકોને બચાવે એ જ ઇચ્છનિય છે. (તસવીર અને અહેવાલ છગનલાલ મેવાડા)

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



