
- પાકિસ્તાનમાં કમાણી વિવાદમાં Dhurandhar 2, Ranveer Singhની ફિલ્મ પર ૮૦% હિસ્સાની માંગનો વીડિયો વાયરલ
- કાસ્ટિંગ ડિરેક્ટર Mukesh Chhabraનો ખુલાસો, Dhurandhar 2માં રહેમાન ડકૈતનો રોલ પહેલા ઘણા એક્ટર્સે કર્યો હતો રિજેક્ટ
- ૨૦૨૬માં ૭ ફિલ્મોથી ધમાલ મચાવશે અભિનેત્રી Wamiqa Gabbi
- વામિકા ગબ્બી 2026માં 7 ફિલ્મોથી કરશે ધમાકો, બોલિવૂડ અને સાઉથમાં મજબૂત એન્ટ્રી
- ચૈત્રી નવરાત્રી: મહાગૌરીના સ્વરૂપ અને સહસ્રાર ચક્રમાં ભાવિ શક્તિનું જાગરણ
- ભુજમાં ગેસ અછત, વેપારીઓ કોલસાની સગડી તરફ વળ્યા
- ગુજરાતમાં દારૂ-ડ્રગ્સ હેરાફેરી, એક વર્ષમાં ૫૯૩ કરોડનો મુદ્દામાલ જપ્ત
- ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવા ટૂંક સમયમાં શરૂ, ટ્રાયલ રન સફળ
Author: Garvi Gujarat
સુરત ટેક્સટાઈલ ઉદ્યોગ પર સંકટના વાદળો.શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલના કારખાના થયા ઠપશહેરના હજારો કારખાનાઓમાં ઉત્પાદન ઘટીને માત્ર ૫૦ ટકા સુધી આવી ગયું છે, જેના કારણે ઉદ્યોગકારો અને શ્રમિકો બંને મુશ્કેલીમાં મુકાયા છે.મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના પ્રભાવ હવે ભારતના ઉદ્યોગો પર પણ જાેવા મળી રહ્યા છે. ખાસ કરીને સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ LPG ગેસની અછતને કારણે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. શહેરના હજારો કારખાનાઓમાં ઉત્પાદન ઘટીને માત્ર ૫૦ ટકા સુધી આવી ગયું છે, જેના કારણે ઉદ્યોગકારો અને શ્રમિકો બંને મુશ્કેલીમાં મુકાયા છે. સુરત, જેને દેશનું ટેક્સટાઈલ હબ માનવામાં આવે છે, ત્યાં રોજના લગભગ ૬ કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે.…
બાળ તસ્કરી કરાતી હોવાનો મામલો સામે આવ્યો.બાળ તસ્કરીનો પર્દાફાશ: નવજાત બાળકને અમદાવાદમાં બે લાખમાં વેચ્યું!.આ ટોળકીમાં અમદાવાદના મોટેરાની ઈન્દ્રનગર સોસાયટીમાં રહેતો પ્રમોદ રાજારામ રાજવંશી મુખ્ય એજન્ટની ભૂમિકા નિભાવતો હતો.સાબરકાંઠા જિલ્લામાંથી બાળ તસ્કરી કરાતી હોવાનો મામલો સામે આવ્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમને આ અંગે વિગતો મળતા તપાસ હાથ ધરતા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. જેમાં અંતરિયાળ વિસ્તારમાંથી નવજાત બાળકોની તસ્કરી કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સરહદી વિસ્તારના મેડી ગામના નવજાત બાળકને અમદાવાદમાં પંદરેક દિવસ અગાઉ વેચાણ કરવામાં આવ્યું હતું. બાળકના વેચાણ થયાની વિગતોને લઈ તપાસ કરતા બાળકને બે લાખ રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યું હતું અને આ માટે…
વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ.વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ.આ ભીષણ આગમાં જંગલની અમૂલ્ય સંપત્તિ સમાન હજારો વૃક્ષો બળી રહ્યા છે.છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા નારધા ગામના જંગલ વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં અચાનક લાગેલી આ આગને કારણે પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે. હજારોની સંખ્યામાં નાના-મોટા વૃક્ષો અને વનસ્પતિ બળીને ખાખ થઈ રહ્યા છે.મળતી માહિતી અનુસાર, નારધા ગામની સીમમાં આવેલા ડુંગરો પર લાગેલી આગ ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. પવનની ગતિને કારણે આગ જંગલના ઊંડા વિસ્તારોમાં પ્રસરી રહી છે. આ ભીષણ આગમાં જંગલની અમૂલ્ય સંપત્તિ સમાન હજારો વૃક્ષો બળી રહ્યા છે, જેના કારણે…
પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની સરકારની સ્પષ્ટતા.અફવાઓથી દૂર રહેવા માટે નાગરિકોને અપીલ કરાઈ.રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી : રાજ્ય સરકાર.છેલ્લા કેટલાક કલાકોથી ગુજરાતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાના સમાચારો વહેતા થયા છે, જેને પગલે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જાેવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે સોમવારે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું છે. સત્તાવાર સ્પષ્ટતામાં જણાવાયું છે કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. રાજ્યના અધિક મુખ્ય સચિવે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે…
હિમાચલ પ્રદેશના લોકોને વધતી મોંઘવારી વચ્ચે ફટકો. હિમાચલ પ્રદેશના લોકોને વધતી મોંઘવારી વચ્ચે ફટકો.આ અંગે એક બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે પસાર કરવામાં આવ્યું છે.હિમાચલ પ્રદેશના લોકોને વધતી મોંઘવારી વચ્ચે મોટો ફટકો પડ્યો છે. હાલમાં નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી કોંગ્રેસ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૫ રૂપિયા સુધીનો વધારો કરવાનો ર્નિણય લીધો છે. આ અંગે એક બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે પસાર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે અનાથ બાળકો અને વિધવાઓ માટે નિયમિત આવકનો પ્રવાહ ઉત્પન્ન કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરીને ઇંધણ પર ‘અનાથ અને વિધવા સેસ‘નો પ્રસ્તાવ મૂકીને આ…
સોનાનો વાયદો રૂ.1.29 લાખ અને ચાંદીનો વાયદો રૂ.1.99 લાખના સ્તર સુધી ગબડ્યા બાદ બંને વાયદા ફરી ઊંચકાયા ક્રૂડ તેલનો વાયદો રૂ.758 લપસ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.94835.74 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.589635.46 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 76141.94 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.684471.19 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.94835.74 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.589635.46 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.9051.45 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 76141.94 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.140158ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.140525 અને નીચામાં રૂ.129595ના સ્તરને સ્પર્શી, રૂ.144492ના આગલા બંધ સામે…
આમ આદમી પાર્ટી જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ વિડિયો માધ્યમ દ્વારા જણાવ્યું હતું છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો યથાવત છે. ભલે તે જમીન માપણીની વાત હોય, ખેડૂતોએ પકવેલા અનાજના ભાવની વાત હોય કે સિંચાઈના પાણીની સમસ્યા હોય., આવી અનેક સમસ્યાઓથી ગુજરાતના ખેડૂતો ત્રસ્ત છે ત્યારે ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે તેમજ ગુજરાતના બેરોજગાર યુવાનોના પ્રશ્નોને રજૂ કરવા માટે અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી, આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ઈસુદાન ગઢવીજી અને મારા સાથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તા. 26 મી માર્ચ, ગુરુવારના રોજ લાલપુર ખાતે સાંજે 5 વાગ્યે હાજર રહેશે. હું…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. પોલીસ પણ આખરે કાળા માથાનો માનવી છે. એ પણ લાગણી, પ્રેમ, સંવેદના, દયા, ગુસ્સો વિગેરે સામાન્ય માનવીની માફક જ વ્યક્ત કરતો હોય છે. ત્યારે અહીં એવો જ એક લાગણીસભર, પ્રેમ, કરુણા અને મહિલાના આત્મ સન્માનનો આ કિસ્સો જાણવા જેવો છે. વાત છે ઉદયપુરના પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં પોલીસોએ થાણામાં ૨૫ વર્ષથી ભોજન બનાવતી મીરાબાઈ નામની મહિલાના દીકરા માટે મામા બનીને જવાબદારી નિભાવી હતી. રવિવારે સાંજે પોલીસ સ્ટેશનના અધ્યક્ષ પૂરણસિંહ રાજપુરોહિત સહિત તમામ પોલીસો ઢોલ-નગારા સાથે મીરાબાઈના ઘરે પહોંચ્યા હતા. એ વખતે તેઓ પરંપરાગત અંદાજમાં થાળીમાં મામેરું સજાવીને લઈ ગયા હતા. પોલીસો તેમની વરદી પર માથે સાફા બાંધીને…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. એક તરફ ઈરાન બીજી તરફ અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલો સંઘર્ષ સમગ્ર વિશ્વ માટે ચેતવણીનો સંકેત છે. આ સંઘર્ષની તીવ્રતા મિસાઈલ અને ઘાતક બોમ્બના વ્યાપક ઉપયોગથી સ્પષ્ટ થાય છે. ક્રૂરતા એટલી હદે પહોંચી ગઈ છે કે યુધ્ધના કાયદાઓનું ઉલ્લંઘન કરીને નાગરિક વિસ્તારો પર પણ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી રહી છે. ખાસ કરીને ઈરાનમાં એક કન્યાશાળા પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો જેના પરિણામે ઘણી વિદ્યાર્થીનીઓના મોત થયા હતા. અને ઈરાન પર ધરાર આ યુધ્ધ થોપવામાં આવ્યુ. જેનું પરિણામ આજે વિશ્વની સામે છે છતાં આજે અમેરિકા કે ઇઝરાયેલને આ અંગે પૂછવાની…
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભા ગૃહમાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયા સમક્ષ જણાવ્યું હતુ કે, આ સિવાય પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સાંતલપુર તાલુકા સંબંધિત મુદ્દો પણ ઉઠ્યો. થોડા સમય પહેલા હું સાંતલપુર વિસ્તારમાં ગયો હતો, ત્યારે સ્થાનિક આગેવાનો, ખેડુતો અને વડીલો સાથે મુલાકાત થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે સાંતલપુર તાલુકાની તમામ કચેરીઓ વારાહીમાં આવેલ છે. સાંતલપુરથી વારાહી જવા માટે લાંબો સમય લાગે છે અને લોકોને ભારે તકલીફ પડે છે. તાલુકાનું નામ સાંતલપુર છે પરંતુ કચેરીઓ વારાહીમાં છે. સાંતલપુરના લોકોની લાંબા સમયથી માંગ છે કે સાંતલપુરને અલગ તાલુકો બનાવવામાં આવે જેથી લોકોનો સમય અને પૈસા બંને બચે અને કામ ઝડપથી થાય. આજે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



