
- રશિયાની ભારતને મોટી ઑફર: અનલિમિટેડ ઓઇલ અને ઊર્જા સપ્લાયની જાહેરાત
- પાકિસ્તાન આર્મી ચીફ મુનીર તેહરાનમાં: અમેરિકા-ઈરાન વાતચીત માટે ટ્રમ્પ સંદેશ ચર્ચામાં
- આકાશ ચોપડાની નારાજગી: રસીખ સલામને બદલે હેઝલવુડને પ્લેયર ઓફ ધ મેચ પર વિવાદ
- ટ્રમ્પનું સ્વાગત: 34 વર્ષ બાદ ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ ચર્ચા શરૂ
- Keir Starmer ની સોશિયલ મીડિયા કંપનીઓને ચેતવણી: બાળકો માટે UKમાં પ્રતિબંધની શક્યતા
- પીએમ મોદીએ સંસદમાં મહિલા આરક્ષણ પર કહ્યું: વિરોધ કરનારને લાંબા ગાળે ભારે કિંમત પડશે
- ડોક્સી ફાઇનાન્સ કૌભાંડ: 2.05 કરોડની ઠગાઈ, ચાર આરોપીની આગોતરા જામીન અરજી ફગાવાઈ
- China ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર બન્યું, United States બીજા ક્રમે ધકેલાયું
Author: Garvi Gujarat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતમાં આજે ભગવાધારીઓ કેમ બદનામ થઈ રહયા છે? એ વિચારવા જેવો સવાલ છે ત્યારે એનો સીધો અર્થ એ થાય કે ભલી ભોળી પ્રજાને અને એમાય ખાસ કરી મહિલાઓને જો વિશ્વાસમાં લેવી હોય તો એનું એક માત્ર હથવગું હથિયાર છે. “ધર્મ” અને આ ધર્મના નામે તમે ભગવા પહેરો, ગળામાં બે ચાર માળાઓ પહેરો, લાંબી જટા અને લાંબી ભસ્મ લગાવી ટીલા ટપકા કરો એટલે તમે પૂજવા લાયક બની જાઓ અને પછી તમારી પર મુકાય અંધવિશ્વાસ અને એ મુકાયેલા અંધવિશ્વાસના સહારે તમને મળી જાય છે ઐયાસી કરવાનું જાણે કે લાયસન્સ? અને આવો જ એક ભગવાધારી સાધુ સુરતના ડીંડોલી વિસ્તારમાં…
બ્લૂ બૉડી હગિંગ ગાઉનમાં વર્તાવ્યો કહેર બીમારી બાદ કામ પર પરત ફરી સબા આઝાદ સબા અને ઋતિક લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા છે અને ઘણીવાર સાથે જાેવા મળે છે અભિનેતા ઋતિક રોશનની ગલફ્રેન્ડ સબા આઝાદ તાજેતરમાં બીમાર પડી હતી. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલના પલંગ પરથી એક ફોટો શેર કર્યાે હતો, જેમાં તેણીની બીમારીનો ખુલાસો થયો હતો.તેણીએ પોસ્ટ કરી, “મારા જીવનના સૌથી ખરાબ ૧૪ દિવસ. સાયક્લોસ્પોરા કેયેટેનેન્સિસ, તે ખૂબ જ ખરાબ છે. હું હંમેશા ઘરે બનાવેલો ખોરાક ખાઉં છું, મારું પાણી જાતે લઈ જાઉં છું, છતાં પણ મને પેટમાં ચેપ લાગ્યો છે.”હવે, સબા સ્વસ્થ છે અને કામ પર પાછી ફરી છે.…
૨૦ ભાષાની રચનાને આપ્યો સ્વર આશા ભોંસલેના સૂરનો જાદૂ, ૧૨ હજાર ગીતો સાથે બનાવ્યો રેકોર્ડ ૨૦૧૧માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે આશા ભોંસલેને સંગીત ઇતિહાસમાં “સૌથી વધુ રેકોર્ડેડ કલાકાર” તરીકે સત્તાવાર રીતે માન્યતા આપી ભારતીય સિનેમાના સંગીતમાં આશા ભોંસલેનું વિશેષ સ્થાન છે. “આશા તાઈ”, જેમણે પોતાના ગાયનથી શ્રોતાઓના હૃદયમાં એક નવી લહેર ફેલાવી હતી, તે હવે આપણી વચ્ચે નથી. તેમણે આજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ૯૨ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધાભારતીય સંગીત ઉદ્યોગમાં વૈવિધ્યતાની વાત આવે ત્યારે, આશા ભોંસલેનું નામ સૌથી પહેલા આવે છે. આ દિગ્ગજ ગાયિકાએ તેમના ફિલ્મી કરિયરમાં એટલા બધા ગીતો ગાયા છે કે આ સંખ્યા સામાન્ય વ્યક્તિને પણ આશ્ચર્યચકિત…
અનુપમા હવે ત્રીજા ક્રમે આવી ગયું ! નાના પડદા પર સાસુનું રાજ ફેન્ટેસી શોઝની પકડ ઢીલી! ‘કયુ કી સાસ ભી…’ બે ટી.આર.પી. રેટીંગમાં ‘નંબર-૧’ બન્યુ : ‘અનુપમા’ની જગ્યા ‘તુમ સે તુમ તક’ દ્વારા ઝડપી વર્ષ ૨૦૨૬ ના પહેલા ત્રણ મહિના વીતી ચૂક્યા છે અને આ ત્રિમાસિક ગાળામાં ભારતીય દર્શકોએ પોતાના મનપસંદ ટેલિવિઝન શોઝને ભરપૂર પ્રેમ આપ્યો. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલના ૧૨ અઠવાડિયા ૩ જાન્યુઆરી થી ૨૭ માર્ચનો ટીઆરપી રિપોર્ટ જણાવે છે કે નાના પડદાના દર્શકોનું દિલ આજે પણ જૂના સંબંધો અને હાઈ વોલ્ટેજ ડ્રામા માટે ધબકે છે.આ ક્વાર્ટરમાં ’ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ એ એકતરફી બાદશાહત કાયમ રાખી,…
શોમાં આવશે મોટો ટ્વિસ્ટ ‘નાગિન ૭’માં નાગરાજ બનીને અક્ષય કુમારે મારી એન્ટ્રી શોમાં હવે એક શક્તિશાળી ડ્રેગનનો ખતરો ઉભો થયો છે, જે નાગિનની દુનિયા અને તેના અસ્તિત્વને નષ્ટ કરવાની ધમકી આપે છે શોમાં હવે એક શક્તિશાળી ડ્રેગનનો ખતરો ઉભો થયો છે, જે નાગિનની દુનિયા અને તેના અસ્તિત્વને નષ્ટ કરવાની ધમકી આપે છે. આ સંજાેગોમાં નાગિનને શારીરિક અને ભાવનાત્મક રીતે ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નાગરાજ એટલે કે અક્ષય કુમાર નાગરાનીની હિંમત વધારતો જાેવા મળશે.પ્રિયંકા ચહર ચૌધરી અભિનીત કલર્સનો ‘નાગિન ૭’ લોકપ્રિય શો છે. હંમેશા તેના ભવ્ય કાલ્પનિક તત્વો અને રસપ્રદ પૌરાણિક કથાઓ માટે જાણીતો રહ્યો છે. આ…
વસ્ત્રાલમાં ચૂંટણીનો ગરમાવો નહીં પણ રોષ “કામ નહીં તો વોટ” નહીં ના બેનરો સાથે રહીશો મેદાને પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના ભેદભાવથી લોકો લાલઘૂમ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ વોર્ડમાં ચૂંટણીના માહોલ વચ્ચે રહીશોએ રાજકીય પક્ષો સામે મોરચો માંડ્યો છે. ન્યૂ વસ્ત્રાલની વેદાંત સ્કાય લાઇન સહિત આસપાસની ૬ સોસાયટીના રહીશોએ સોસાયટીની બહાર ‘ચૂંટણી બહિષ્કાર’ ના બેનરો લગાવી દીધા છે. આ બેનરોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “કોઈ પણ રાજકીય પક્ષે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં.” સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ૬ વર્ષથી તેઓ રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની જરૂરિયાતો માટે વલખાં મારી રહ્યા છે. વરસાદ સમયે રસ્તા પર ગોઠણસમા પાણી…
એપ્રિલમાં ફરી એકવાર માવઠાનું સંક સૌરાષ્ટ્ર સહિત વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આ રાઉન્ડમાં વરસાદની શક્યતા નહિવત છે ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગે ૧૯ એપ્રિલથી વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે. હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે.મોટા ભાગના વિસ્તારમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચ્યું છે. જાે કે આ આકરા ઉનાળા વચ્ચે ફરી એકવાર માવઠાના રાઉન્ડ શરૂ થશે, ૧૯ એપ્રિલથી ૨૧ એપ્રિલ સુધીમાં કમોસમી વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની મોડલ મુજબ ફરી એકવાર ગુજરાતમાં વરસાદ લાવતી સિસ્ટમ એક્ટિવ થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમમી વરસાદ વરસી શકે છે. આ વરસાદ ભારે…
સાઉદી અને કતાર આપશે ૫ અરબ ડોલર UAE નું દેવું ચૂકવવા માટે પાકિસ્તાને ફરી ફેલાવ્યો હાથ પાકે હાથ લંબાવ્યા બાદ સાઉદી અરેબિયા, કતાર મદદે આવ્યા આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને સંયુક્ત આરબ અમીરાત (UAE)ને દેવું ચુકવવાનો સમય નજીક આવી ગયો છે, ત્યારે પાકિસ્તાને હાથ લંબાવ્યા બાદ સાઉદી અરેબિયા અને કતાર તેની મદદે આવ્યા છે. બંને દેશો પાકિસ્તાનને લગભગ પાંચ અબજ ડૉલર (રૂ.૪૨,૦૦૦ કરોડ રૂપિયા)ની આર્થિક મદદ કરવાના છે. મીડિયા અહેવાલો મુજબ પાકિસ્તાને આ મહિનાના અંત સુધીમાં UAE ને ૩.૫ અબજ ડૉલર (લગભગ રૂ.૨૯,૪૦૦ કરોડ રૂપિયા)નું દેવું ચુકવાનું છે. પાકિસ્તાનમાં ઘટી રહેલા વિદેશી મુદ્રા ભંડારના કારણે આ દેવું તેના પડકાર…
વર્લ્ડ બેંકના ચીફની ગંભીર ચેતવણી સીઝફાયર તૂટ્યું તો વિનાશક પરિણામ ભોગવવા પડશે વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાએ કહ્યું, જાે સીઝફાયર થાય તો પણ અનેક દેશોને તેની લાંબા ગાળે અસર થઈ શકે ઈરાન યુદ્ધના આર્થિક ઝટકા લગભગ દરેક દેશને નડી રહ્યાં છે. વિશ્વ બેંકના ચીફ અજય બંગાની ચેતવણીથી સમજી શકાય કે, બંદૂકોના શાંત થયા બાદ પણ લાંબાગાળાનું નુકસાન થઈ રહ્યું છે. આ યુદ્ધ સંઘર્ષની વૈશ્વિક અસરનાં આકલન કરતા વિશ્વ બેંકના પ્રમુખે કહ્યું કે, જાે તાત્કાલિક અને સ્થાયી યુદ્ધવિરામ પણ થઈ જાય, તો પણ અલગ અલગ અર્થવ્યવસ્થાઓમાં આવનારી અને સતત મંદીને રોકી શકાતું નથી. વર્લ્ડ બેંકના ચીફના જણાવ્યા અનુસાર, જાે સીઝફાયર કાયમ…
EV વાહનો માટે સરકારની મોટી જાહેરાત દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી-બાઈકના વેચાણ પર પ્રતિબંધ પ્રદૂષણમાં વાહનોના ૨૩ ટકા ફાળાને ધ્યાનમાં રાખીને, સરકાર EV ખરીદનારાઓને સીધું નાણાકીય પ્રોત્સાહન આપશે દિલ્હી સરકારે તેની ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) નીતિ ૨૦૨૬-૩૦નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે, જેનો મુખ્ય હેતુ પ્રદૂષણ ઘટાડવાનો અને ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે. આ નીતિ હેઠળ, ૧ જાન્યુઆરી ૨૦૨૭થી માત્ર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને ૧ એપ્રિલ ૨૦૨૮થી માત્ર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું જ નવું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. એટલે કે પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલરનું દિલ્હીમાં વેચાણ થઈ શકે નહીં. પ્રદૂષણમાં વાહનોના ૨૩ ટકા ફાળાને ધ્યાનમાં રાખીને, સરકાર ઈફ ખરીદનારાઓને સીધું નાણાકીય પ્રોત્સાહન આપશે. જેમાં ટુ-વ્હીલર પર રૂપિયા ૩૦,૦૦૦ અને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



