Author: Garvi Gujarat

અમેરિકાની ઇમિગ્રેશન નીતિ અમેરિકામાં ગ્રીનકાર્ડના નિયમોમાં મોટું પરિવર્તન થશે રોજગાર આધારિત ગ્રીનકાર્ડ પ્રક્રિયામાં મોટા ફેરફારોની તૈયારી; ભારતીય પ્રોફેશનલ્સ પર પણ પડશે સીધી અસર અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર એમ્પ્લોઈમેન્ટ બેઝ્ડ ગ્રીનકાર્ડના નિયમોમાં આમૂલ પરિવર્તન કરવા જઈ રહી છે. અરજદાર અને તેમને નોકરીએ રાખતી અમેરિકન કંપનીએ ગ્રીનકાર્ડની અરજી કરતી વખતે એ સાબિત કરવું જરૂરી બની જશે કે જે તે વિદેશી નાગરિક એ કંપની માટે કે અમેરિકા માટે શું કામ જરૂરી છે? શું તેનો અમેરિકન વિકલ્પ તેમને મળ્યો નથી? પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ (પીઈઆરએમ)માં ફેરફાર થશે એટલે તેની અસર આ ગ્રીનકાર્ડના અરજદારો પર પડશે.અમેરિકાના લેબર વિભાગે એક તજવીજ હાથ ધરી છે. પરમેનન્ટ લેબર…

Read More

ભારત-ઇન્ડોનેશિયા વ્યૂહાત્મક સંબંધો ભારત-ઇન્ડોનેશિયા સંબંધોમાં શરૂ થયો નવા યુગનો અધ્યાય આ સન્માન મારું નહીં, ૧૪૦ કરોડ ભારતીયોનું છે‘ – પીએમ મોદી; વેપાર, સુરક્ષા અને દરિયાઈ સહયોગ વધુ મજબૂત બનશે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા મુલાકાત દરમિયાન બંને દેશોના સંબંધોમાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે બંને દેશોના નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા અને અનેક વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સન્માન સ્વીકાર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આ એવોર્ડ માત્ર તેમનો વ્યક્તિગત સન્માન નથી, પરંતુ…

Read More

ઈન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન PM મોદીનું સંબોધન ભારતની નીતિ વિસ્તારવાદ નહીં, વિકાસવાદની છે, ઈન્ડોનેશિયાની સંસદમાં મોદીએ આપ્યો સંદેશ PM મોદીને મળ્યું ઈન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન, બંને દેશોના સંબંધો વધુ મજબૂત કરવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરતા ભારતની નીતિ અને વૈશ્વિક ભૂમિકા અંગે મહત્વપૂર્ણ વાતો કરી હતી. તેમણે કહ્યું કે ભારતની નીતિ વિસ્તારવાદની નહીં પરંતુ વિકાસવાદની છે. ભારત વિશ્વ સાથે સહયોગ, શાંતિ અને વિકાસના માર્ગ પર આગળ વધવામાં વિશ્વાસ રાખે છે. તેમણે ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્રને ભારતની વિકાસ યાત્રાનો આધાર ગણાવ્યો હતો. ઈન્ડોનેશિયાની સંસદમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ૧૪૦ કરોડ ભારતીયો તરફથી ઈન્ડોનેશિયાના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું…

Read More

ટ્રમ્પે ફિફાના પ્રમુખને ફોન કરી ખખડાવ્યા વર્લ્ડ કપ ફૂટબોલમાં અમેરિકાના ખેલાડીનું રેડ કાર્ડ પાછું ખેંચાયું ટ્રમ્પના દબાણને વશ બંધારણની ખાસ કલમનો ઉપયોગ ફિફાની શરણાગતિથી ફૂટબોલ જગતમાં રોષ વર્લ્ડ કપ ફૂટબોલ ઇતિહાસનો સૌથી આઘાતજનક વિવાદ સર્જાતા ફૂટબોલ વિશ્વમાં જ નહીં વિશ્વના રાજકારણમાં ભારે તનાવ ફેલાયો છે. અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના દેશમાં રમાતા વર્લ્ડકપમાં અમેરિકાના એક ખેલાડીને રેડ કાર્ડ અપાતા વિશ્વ ફૂટબોલ મહાસંઘના વડા ઈન્ફિનાટોને ત્રણ વખત ફોન કરીને ધમકી ભર્યા સુરમાં ખખડાવ્યા હતાં કે ‘અમેરિકાના ખેલાડી ફોલારિન બાલોગુન પર બોસનિયા સામેની મેચ દરમ્યાન લાદવામાં આવેલા રેડ કાર્ડના વન-મેચ સસ્પેન્શનને પાછું ખેંચવામાં આવે જેથી તે હવે પછીની અમેરિકા માટેની મહત્વની મેચ…

Read More

ભારતનું પ્રતિનિધિમંડળ જાેડાતાં ઇરાને આભાર માન્યો ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ઇરાને રાજકીય શક્તિ પ્રદર્શન કર્યુ હૂથી, હમાસ અને હીઝબુલ્લાહના પ્રતિનિધિઓની ખુલ્લેઆમ હાજરીના કારણે આખું વિશ્વ સ્તબ્ધ થયું ઇરાનના સર્વાેચ્ચ વડા ખામેનેઈના અંતિમ સંસ્કાર ફક્ત અંતિમવિધિ ન રહેતા ઇરાન માટે વિશ્વ સમક્ષ રાજકીય પ્રદર્શનનું માધ્યમ બન્યા હતા. આ પ્રદર્શનમાં હુથી, હમાસ અને હીઝબુલ્લાહના પ્રતિનિધિઓની હાજરીએ દર્શાવ્યું કે ઇઝરાયેલ સામે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ ભારે નુકસાન છતાં પણ યથાવત્ છે. તેનો હજી પણ પ્રભાવ છે. આ અંતિમયાત્રા સાથે ઇરાને તેનો રાજકીય પ્રભાવ બતાવ્યો હતો.નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઇરાને એક રીતે તેનું રાજકીય શક્તિ પ્રદર્શન જ કર્યુ છે. ઇરાન એ બતાવવા માંગતુ હતું કે તેનો સહયોગી…

Read More

ટ્રમ્પના આદેશ પર ૪૦ મિનિટમાં સાડા ૮ લાખ ફટાકડાં ફોડ્યા વોશિંગ્ટન ડીસીમાં ‘કોડ રેડ’ ઍલર્ટ, હવા ઝેરી બનતાં હાલાકી વર્લ્ડ રેકોર્ડનો દાવો: આ શોમાં અંદાજે ૮,૫૦,૦૦૦ જેટલા ફટાકડા ફોડીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરાયો અમેરિકાના ૨૫૦ મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત પાટનગર વોશિંગ્ટન ડીસીમાં કરવામાં આવેલી ૪૦ મિનિટની રેકોર્ડબ્રેક આતશબાજી હવે ભારે પડી રહી છે. આ ભયાનક ફટાકડાના ધુમાડાના કારણે રવિવારે વોશિંગ્ટન ડીસીની હવા વૈશ્વિક સ્તરે દુનિયાના કોઈ પણ મુખ્ય શહેર કરતાં સૌથી વધુ પ્રદૂષિત અને ઝેરી નોંધાઈ હતી. શહેરમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સપાટીએ પહોંચતા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ‘કોડ રેડ એર ક્વોલિટી એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું…

Read More

સતલુજ ફિલ્મ હટાવાયા બાદ દિલજીતનો પડકાર ડાઉનલોડ થઈ ગઈ છે, કોઈ રોકી નહીં શકે : દિલજીત છેલ્લા ૪ વર્ષમાં જ્યારે પણ તેને આ ફિલ્મ યાદ આવતી, ત્યારે તેનું મગજ એક-બે કલાક માટે ડિસ્ટર્બ થઈ જતું હતું પંજાબી સિંગર અને સુપરસ્ટાર દિલજીત દોસાંઝની ફિલ્મ ‘સતલુજ’ હાલમાં સોશિયલ મીડિયા પર જાેરદાર ચર્ચાનો વિષય બની ગઈ છે. છેલ્લા ૪ વર્ષથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના ચક્કરમાં અટકેલી આ ફિલ્મ શુક્રવારે અચાનક કોઈપણ જાહેરાત કે પ્રમોશન વિના ઓટીટી પ્લેટફોર્મ ‘ZEE5’ પર રિલીઝ કરી દેવામાં આવી હતી. જાેકે, રિલીઝના ગણતરીના ૪૮ કલાકની અંદર જ આ ફિલ્મને પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે. આ મોટો…

Read More

પ્રિયદર્શનની એક્ઝિટ સાથે વિવાદ પણ વકર્યાે હેરાફેરી-૩ના તમામ અધિકારો પોતાની પાસે હોવાની અક્ષય કુમારની નોટિસ પ્રિયદર્શનના દાવા મુજબ અક્ષયકુમારે દસ કરોડમાં ફિરોઝ નડિયાદવાલા પાસેથી અધિકારો ખરીદ્યા હતા હેરાફેરી ૩નો વિવાદ શમવાનું નામ લેતો નથી. પ્રિયદર્શનની એકઝિટ બાદ હવે અક્ષયકુમારના બેનર કેપ ઓફ ગુડ હોપ્સ એલએલપીએ ટ્રેડ મેગેઝિનમાં નોટીસ આપી હેરાફેરી ૩ના તમામ પ્રકારના અધિકારોની માલિકી તેમની હોવાની જાહેરાત કરી છે. બેનરે આ નોટિસની વિરૂદ્ધ જઇ કશુ કરે તો તેની સામે કાનુની પગલાં ભરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.તાજેતરમાં મૂળ હેરાફેરી ફિલ્મના દિગ્દદર્શક પ્રિયદર્શને હેરાફેરી ૩ સાથે પોતાનો કોઇ સંબંધ ન હોવાની જાહેરાત કરી હતી. ૨૦૨૫માં એક ઇન્ટરવ્યુમાં પ્રિયદર્શને…

Read More

રામ મંદિર દાન વિવાદમાં ચંપત રાયનો જવાબ મારા પર ખોટા આરોપો, સત્ય બહાર લાવીશ દાન ચોરી મામલે મૌન તોડ્યું, અંતિમ CBI રિપોર્ટ બાદ ખુલાસો કરવાની વાત કરી અયોધ્યા રામ મંદિરના દાન ચોરી વિવાદ વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહામંત્રી ચંપત રાયે પહેલીવાર પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે રામભક્તોને પત્ર લખીને પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે તપાસનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર સત્ય દેશ સામે આવશે. ચંપત રાયે પોતાના પત્રમાં જણાવ્યું કે, ૭ જૂન ૨૦૨૬થી મંદિર પરિસરના દાનપાત્રની ગણતરી દરમિયાન થયેલી કથિત ચોરીને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલે…

Read More

घर में करें दही फेसिअल—-शहनाज़ हुसैन   —————————————————————————————————————- घरेलू नुस्खों में दही का इस्तेमाल सदियों से चला आ रहा है / दही हमारी सेहत के साथ साथ त्वचा के लिए भी काफी फायदेमन्द माना जाता है / आजकल बरसात के दौरान जब आप दही खाना कम कर देते हैं तो बेहतर होगा इसका इस्तेमाल त्वचा निखारने के लिए किया जाये / दही सेहत के साथ साथ त्वचा के लिए भी काफी  फायदेमन्द माना जाता है / दही में मौजूद लैक्टिक एसिड त्वचा को निखारता है और इंस्टेंट ग्लो लाता है , स्किन को टाइट करता है और टैनिंग को कम करता है / चेहरे पर…

Read More