- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
- મોંઘવારીનો માર: ડુંગળી, ખાંડ, દાળ અને ખાદ્ય તેલના ભાવમાં મોટો ઉછાળો
- ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં AAPનું પ્રદર્શન, ગૃહમંત્રીના રાજીનામાની માંગ
- સુરતમાં ‘નારી હુંકાર’ સંમેલન, 2700થી વધુ મહિલાઓએ પરિવર્તનનો સંકલ્પ લીધો
- મિચેલ સ્ટાર્કનો વર્લ્ડ રેકોર્ડ, બાંગ્લાદેશ 64 રનમાં ઓલઆઉટ
- અમદાવાદના સરખેજમાં 291 લિટર દેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ
- રાજકોટની મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડીયોના માધ્યમથી સત્તાધારી પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સત્તામાં બેઠેલા લોકો યા તો ખૂબ શાતીર છે અથવા તો ખૂબ મૂરખ છે, અને તેઓ ગુજરાતના લોકોને પણ મૂરખ સમજી રહ્યા છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં કેટલાક લોકોના મૃત્યુ થયા બાદ હવે સરકાર પોતાની ઈજ્જત બચાવવા માટે ખૂબ મોટા નાટકો આદરી રહી છે અને લોકોને છેતરવાનું કામ કરે છે. સરકારની આ નીતિ “ચોરને કહે છે ચોરી કર, અને વોચમેનને કહે છે જાગતો રહેજે” જેવી છે. જો સરકારે ખરેખર દારૂના દૂષણને દૂર કરવું હોય તો આ નાટકો બંધ કરવા જોઈએ. સરકારે જાહેરાત કરીને નોટિફિકેશન બહાર…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને સુરત મનપાના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગઈકાલે સુરતમાં જે ફૂડ પોઇઝનિંગની ઘટના ઘટી એના સાત દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ વિપક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના કમિશનર સમક્ષ પત્ર લખીને માંગ કરી હતી કે સુરત શહેરના તમામ નવ ઝોનમાં ફૂડ ટેસ્ટ લેબોરેટરી શરૂ કરવામાં આવે. જેથી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સામાન્ય દરે ફૂડ ટેસ્ટ લેબોરેટરીમાં જઈને કોઈપણ ખાદ્ય પદાર્થનો ટેસ્ટ કરાવી શકે. ગઈકાલે સુરતના મેયરના વોર્ડમાં એક ઘટના બની. એક પરિવારે હોટલમાંથી જમવાનું મંગાવ્યું અને તેઓ ફૂડ પોઈઝનિંગના ભોગ બન્યા અને પાંચ વર્ષની દીકરીનું મૃત્યુ થયુ. અમે…
આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, હાલ સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત પોલીસે અને ગુજરાતની સરકારે ડ્રગ્સ માફિયા વિરુદ્ધ 1649 નોંધ્યા પરંતુ એમાંથી ફક્ત 76 લોકોને જ દોષિત ઠેરવ્યા. એક બાજુ હર્ષ સંઘવી અને ગુજરાતની પોલીસ મીડિયા અને સોશિયલ મીડિયામાં વાહવાહી મેળવી રહી છે, જાણે કે ગુજરાતમાંથી ડ્રગ્સને પકડીને ખતમ કરી રહી છે. બીજી બાજુ પોલીસ જ કોર્ટને પુરાવા નથી આપી શકતી, આરોપીઓને સામે નથી લાવી શકતી, આ આજની હકીકત છે. આજે હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસનો પર્દાફાશ થયો છે. શું આ લોકોની ડ્રગ્સ માફિયા સાથે મિલીભગત છે? ગુજરાતમાંથી 65000…
આજે આમ આદમી પાર્ટીના જુનાગઢ સંગઠન દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયાની આગેવાનીમાં જૂનાગઢમાં પરિવહન કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોરખતરીયાએ જણાવ્યું હતું કે આજે અમે જુનાગઢ પરિવહન કચેરી ખાતે એક આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં અમે જણાવ્યું છે કે હમણાં જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા તહેવારો આવી રહ્યા છે. અને મેં ગત વર્ષે પણ આ તહેવારોની આસપાસ અનેક લોકોની ફરિયાદો સાંભળી હતી અને મેં પોતે પણ બસમાં બેસીને અમુક ગંભીર સમસ્યાઓનો અનુભવ લીધો હતો કે જે લોકલ બસો કાયમી માટે ચાલે છે, જેમાં વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા લોકો મુસાફરી કરતા હોય છે, એ બસોમાં…
સીએજી રિપોર્ટમાં ધડાકો અમદાવાદ-સુરતે રેલવેની તિજાેરી ભરી પણ સ્ટેશન પર સુવિધાના નામે મીંડું! ૮૯% સ્ટેશનો પર પંખા, વોટર કૂલર, શુદ્ધ પીવાનું પાણી, શૌચાલય, બેઠક વ્યવસ્થા અને શેલ્ટર જેવી પ્રાથમિક સુવિધાઓ જ ઉપલબ્ધ નથી ભારતીય રેલવે દેશના કરોડો સામાન્ય નાગરિકો માટે લાઇફલાઇન સમાન છે, પરંતુ તાજેતરમાં કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ના ઓડિટ અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ‘અમૃત સ્ટેશન’ ના મોટા મોટા દાવાઓ વચ્ચે રેલવે સ્ટેશનો પર મુસાફરો માટે મૂળભૂત માળખાકીય સુવિધાઓનો ભારે અભાવ જાેવા મળી રહ્યો છે. વાર્ષિક ૫૩૦ કરોડની કમાણી કરી આપતું અમદાવાદ રેલવે સ્ટેશન અને ૩૪૦ કરોડની આવક રળી આપતું સુરત રેલવે સ્ટેશન પણ આ કુરચના અને દુરવ્યવસ્થાનો…
મદ્રાસ હાઇકોર્ટની સ્પષ્ટતા તમિલ ગીતને વંદે માતરમ પહેલા રાખવા પર કોઈ પ્રતિબંધ નથી તાજેતરમાં જ ૮૦માં સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ વંદે માતરમ ગીત ગાવા મુદ્દે વિવાદ સર્જાયો છે તાજેતરમાં જ ૮૦માં સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ વંદે માતરમ ગીત ગાવા મુદ્દે વિવાદ સર્જાયો છે, તેની આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન મદ્રાસ હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. ચેન્નઈમાં સરકારી અને સાર્વજનિક સમારોહમાં પ્રખ્યાત તામિલ ગીત ‘તમિલ થાઈ વાઝથુ’ના ગાનના ક્રમ અંગે મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકારના પરિપત્રમાં રાજ્યના ગીતને પાછળના ક્રમે રાખવા અંગે કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો…
૨૯ યુએસ રાજ્યોએ તેના પર માહિતી છુપાવવાનો લગાવ્યો આરોપ ‘મેટાને ઇન્સ્ટાગ્રામની બાળકો પર થતી અસરની જાણ હતી’ જાે મેટા દોષિત સાબિત થશે, તો તેને $૨૦૦ બિલિયન સુધીના નુકસાનનો સામનો કરવો પડી શકે છે એક અહેવાલ મુજબ, ૨૯ યુએસ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ મેટા પર આંતરિક સંશોધન છુપાવવાનો આરોપ લગાવ્યો છે જેમાં કથિત રીતે જાણવા મળ્યું છે કે ઇન્સ્ટાગ્રામ કિશોરો માટે વ્યસનકારક હોઈ શકે છે. કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં ફેડરલ કોર્ટમાં મેટા સામે મોટી કાનૂની લડાઈ શરૂ થઈ રહી છે ત્યારે આ આરોપો સામે આવ્યા છે. આ ટ્રાયલ છ થી આઠ અઠવાડિયા સુધી ચાલવાની ધારણા છે.મુકદ્દમા મુજબ, મેટાએ ઇરાદાપૂર્વક ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર…
પશ્ચિમ બંગાળમાં ૨ દિવસમાં બીજાે મોટો અગ્નિકાંડ કોલકાતાની હોટલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતાં ૯ બાંગ્લાદેશી નાગરિકોના મોત ભોગ બનનાર તમામ લોકો મેડિકલ સારવાર કરાવવા માટે કોલકાતા આવ્યા હતા અને આ હોટલમાં રોકાયા હતા પાટનગર કોલકાતામાં મંગળવારે મોડી રાત્રે ૨ વાગ્યે એક હોટલમાં ભીષણ આગ ફાટી નીકળતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અગ્નિકાંડમાં ૯ બાંગ્લાદેશી નાગરિકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૬ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર તમામ લોકો મેડિકલ સારવાર કરાવવા માટે કોલકાતા આવ્યા હતા અને આ હોટલમાં રોકાયા હતા.ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીઓ મુજબ, હોટલમાં આ આગ મંગળવારે મોડી રાત્રે આશરે ૨ વાગ્યાની…
ઝોયા અને રીમા કાગતીનું સહલેખન હશે જિંદગી ના મિલેગી દોબારા ટુ બની રહી હોવાનું કન્ફર્મ ‘જિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મનું નિર્માણ એક્સલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ૪૫ કરોડ રૂપિયાના બજેટમાં કરવામાં આવ્યું હતું ૨૦૧૧માં આવેલી હૃતિક, અભય દેઓલ તથા ફરહાન અખ્તર અને કેટરિના કૈફની હીટ ફિલ્મ ‘જિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મને પદર વર્ષ થયા તે નિમિત્તે એક ફિલ્મોત્સવમાં વાત કરતાં ઝોયા અખ્તરે ફિલ્મની સિક્વલ આવી રહી હોવાનું જણાવ્યું હતું.ઝોયાએ જણાવ્યું હતું કે તે રીમા કાગતી સાથે મળી આ સિક્વલની સ્ટોરી ડેવલપ કરી રહી છે. જાેકે, ઝોયાએ કાસ્ટિંગ કે પછી શૂટિંગ શિડયૂલ વિશે હાલ કોઈ માહિતી આપી નથી. ઝોયાએ જણાવ્યું હતું કે ફિલ્મના…
ઓવરસીઝમાં પણ કમાણી મર્યાદિત ‘બટવારા ૧૯૪૭’ બોક્સ ઓફિસ ખાસ કમાલ કરી શકી નહીં બોક્સ ઓફિસ કલેક્શનમાં ત્રીજા દિવસે મોટો ઘટાડો, ઓપનિંગ વીકએન્ડમાં ૩૭.૧૧ કરોડની કમાણી સની દેઓલની પિરિયડ ડ્રામા ‘બટવારા ૧૯૪૭’ માટે ઓપનિંગ વીકએન્ડ અપેક્ષા મુજબનું રહ્યું નથી. સ્વતંત્રતા દિવસના અવસર પર બીજા દિવસે કલેક્શનમાં જાેરદાર ઉછાળો મળ્યા બાદ ફિલ્મની કમાણીમાં ત્રીજા દિવસે ફરી મોટો ઘટાડો નોંધાયો છે.ટ્રેડ ટ્રેકર સેકનિકના આંકડા અનુસાર, ફિલ્મે ત્રીજા દિવસે ભારતમાં અંદાજે ૭.૨૫ કરોડ અંદાજિતની કમાણી કરી છે. આ સાથે ત્રણ દિવસની ભારતની કુલ કમાણી આશરે ૩૧.૬૧ કરોડ થઈ છે. રવિવારે ફિલ્મે ૭,૨૩૯ શોમાં આશરે ૨૨ ટકા હાજરી નોંધાઈ હતી.બીજા દિવસે ફિલ્મે ૧૩.૫૦ કરોડની કમાણી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



