Author: Garvi Gujarat

બેંક ઓફ બરોડા ‘બોબ લિજેન્ડ એફસીએનઆર(બી) ડિપોઝિટ સ્કીમ’ સાથે એનઆરઆઈને વાર્ષિક 6.25% સુધીના ઊંચા વ્યાજ દર ઓફર કરે છે.   મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૬: ભારતની આંતરરાષ્ટ્રીય બેંક, બેંક ઓફ બરોડા, ‘બોબ લિજેન્ડ એફસીએનઆર(બી) ડિપોઝિટ સ્કીમ’ હેઠળ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) ને વાર્ષિક ૬.૨૫% સુધીના ઊંચા વ્યાજ દર ઓફર કરી રહી છે. નવી ‘બોબ લિજેન્ડ FCNR(B) ડિપોઝિટ સ્કીમ’ હેઠળ, બેંક યુએસ ડોલર (USD) ડિપોઝિટ પર 6.25% વાર્ષિક, બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP) અને ઓસ્ટ્રેલિયન ડોલર (AUD) ડિપોઝિટ પર 4.75% વાર્ષિક, કેનેડિયન ડોલર (CAD) ડિપોઝિટ પર 5.15% વાર્ષિક અને યુરો (EUR) ડિપોઝિટ પર 3.75% વાર્ષિક વ્યાજ દર ઓફર કરી રહી છે. બેંક ઓફ…

Read More

બેંક ઓફ બરોડાએ ‘બોબ ગોલ્ડન ગોલ ડિપોઝિટ સ્કીમ’ રજૂ કરી, જે ૫૫૫ દિવસની મુદત માટે વાર્ષિક ૭.૪૦% સુધીના વ્યાજ દર ઓફર કરે છે.   બોબ ગોલ્ડન ગોલ ડિપોઝિટ સ્કીમ સામાન્ય નાગરિકો માટે 6.75% વાર્ષિક વ્યાજ દર; નિવાસી વરિષ્ઠ નાગરિકો માટે 7.25% વાર્ષિક વ્યાજ દર; નિવાસી સુપર વરિષ્ઠ નાગરિકો માટે 7.35% વાર્ષિક વ્યાજ દર અને નોન-કોલેબલ ડિપોઝિટ પર 7.40% વાર્ષિક વ્યાજ દર ઓફર કરે છે.   મુંબઈ, ૧૫ જૂન, ૨૦૨૬: ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક, બેંક ઓફ બરોડા (બેંક) એ એક નવી રિટેલ ટર્મ ડિપોઝિટ યોજના – ‘બોબ ગોલ્ડન ગોલ ડિપોઝિટ સ્કીમ’ શરૂ કરવાની જાહેરાત કરી છે.   ૫૫૫ દિવસની…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મોડાસા સ્થિત પતંજલિ સ્ટોર દ્વારા એક જાગૃત ગ્રાહકને બિલ આપ્યા વિના એક્સપાયરી ડેટ વીતી ગઈ હોવા છતાં ખાદ્ય સામગ્રી પધરાવી દેવાના મામલે કોર્ટે પતંજલિ સ્ટોર્સ અને કંપની સામે કડક વલણ અપનાવી રૂપિયા 50,000 નો દંડ ફટકાર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ વડાગામના રહીશ અને જાગૃત ગ્રાહક રાહુલભાઈ પ્રજાપતિએ તા.૨૩/૦૪/૨૦૨૪ ના રોજ મોડાસા ખાતે આવેલા “સર્વોદય ચિકિત્સાલય પતંજલિ સ્ટોર્સ” પરથી પતંજલિ કંપનીનું “હિમાલય ચેરી પેપર પીકલ (અથાણું)” જરૂરી રકમ ચૂકવીને ખરીદ્યું હતું. ખરીદી કર્યા બાદ રાહુલભાઈએ નિયમ મુજબ દુકાનદાર પાસે પાકુ બિલ માંગ્યું હતું. પરંતુ સ્ટોર દ્વારા બિલ આપવાનો સાફ ઇનકાર કરી દેવાયો હતો. ગ્રાહકે જ્યારે…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. રાજસ્થાન,ઉત્તરાખંડ અને દિલ્હીમાં ત્રણ વિદ્યાર્થીઓએ NEET પુનઃ પરીક્ષા પહેલા આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. NEET-UG પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક અને અન્ય ગેરરીતિઓના આરોપો બાદ NTA તપાસ અને ટીકાનો સામનો કરી રહ્યું છે. ૩ મે ના રોજ યોજાનારી NEET ૨૦૨૬ ની પરીક્ષા, પેપર લીકના દાવાઓને પગલે રદ કરવામાં આવી હતી. આ પરીક્ષા હવે ૨૧ જૂનના રોજ ફરીથી શેડયૂલ કરવામાં આવી છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ રાજસ્થાનના મૃતકની ઓળખ ૨૨ વર્ષીય ઉમેશ માલી તરીકે થઈ છે. જે ઝુન ઝુન જિલ્લાના કારી ગામનો રહેવાસી છે. સીકર પોલીસના જણાવ્યા અનુસાર મે 2026 ની પરીક્ષા (જે હવે રદ કરવામાં આવી છે) ઉમેશ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત: સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલ ૬૦ વર્ષો જૂની 'નાસિરનગર' ઝૂંપડપટ્ટીને કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના, કાયદેસરની નોટિસ વગર એકાએક પોલીસનો દૂર ઉપયોગ કરી તોડી પાડી ૧૨૫ પરિવારોને બેઘર કરી દેવાની ઘટનાએ સુરત શહેરની પ્રતિષ્ઠાને દેશ-વિદેશમાં ગંભીર આઘાત પહોંચાડ્યો છે. આ અમાનવીય અને ગેરબંધારણીય કૃત્ય બદલ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સુજલ પ્રજાપતિ કાર્યપાલક ઇજનેર, જયાંગ જીવન રામજીવાલા કાર્યપાલક ઇજનેર, અર્પણ પરમાર ડે.ઈજનેર ને તાત્કાલિક ફરજ મુકત કરવા સુરત મ.ન.પા ના કર્મચારી મહામંડળએ માંગણી કરી છે. આ અધિકારીઓએ અગાઉ સુરત મ.ન.પામાં કાર્યરત યુનિયનોની ઓફિસોને ગત નવેમ્બર ૨૦૨૫માં અડધી રાત્રે તાળાં તોડી યુનિયનોની ઓફિસોના સામાન બહાર ફેંકી દઈ ગંભીર ફરજ…

Read More

ભારતીય કેપ્ટનની ધરપકડથી ભડક્યું રશિયા રશિયાએ ઇંગ્લિશ ચેનલમાં બ્રિટિશ ધ્વજવાળા યોટ પર કર્યું ફાયરિંગ ટક્કર ટાળવા માટે આ પગલું ભરવામાં આવ્યું : રશિયા ઇંગ્લિશ ચેનલમાં રશિયા અને બ્રિટન વચ્ચે તણાવ વધુ વધતો જાેવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા બ્રિટને રશિયાના કથિત શેડો ફ્લીટ સાથે જાેડાયેલા એક તેલ ટેન્કર પર કાર્યવાહી કરીને તેના ભારતીય કેપ્ટન અજય પંતની ધરપકડ કરી હતી. હવે આના જવાબમાં રશિયાએ પોતાનું યુદ્ધ જહાજ ઇંગ્લિશ ચેનલમાં ઉતારી દીધું છે. રશિયન નૌસેનાના ફ્રિગેટ એડમિરલ ગ્રિગોરોવિચએ બ્રિટિશ ધ્વજ ધરાવતા એક યોટની સામે ચેતવણી તરીકે ફાયરિંગ કર્યું હતું. જાે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા…

Read More

સુનાવણી દરમિયાન કહ્યું – તમે પરજીવી છો… કોકરોચ બાદ CJI ની વધુ એક ટિપ્પણી વિવાદોમાં આરોપીને જામીન આપવાનો ઈનકાર કરતા કહ્યું કે, આ પ્રકારના લોકો પરજીવી જેવા હોય છે અને તેથી જ તેમનું જેલમાં રહેવું વધુ યોગ્ય દેશનાચીફ જસ્ટિસ સૂર્યકાંતની કોકરોચ વાળી ટિપ્પણીને લઈને દેશભરમાં થયેલા વિવાદ બાદ હવે ફરી એકવાર તેમણે આવી જ એક ટિપ્પણી કરી છે. CJI સૂર્યકાંતે એક કેસની સુનાવણી દરમિયાન આરોપીને જામીન આપવાનો ઈનકાર કરતા કહ્યું કે, આ પ્રકારના લોકો પરજીવી જેવા હોય છે અને તેથી જ તેમનું જેલમાં રહેવું વધુ યોગ્ય છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં સાયબર ફ્રોડના એક કેસ પર સુનાવણી ચાલી રહી હતી. આ…

Read More

ટ્રાફિક નિયમ તોડનારાઓ થઈ જજાે સાવધાન હવે ઈ-ચલણ બાકી વાહનને બ્લોક શ્રેણીમાં મૂકાશે નવા સુધારા મુજબ હવે ઈ-ચલણની રકમ સમયસર નહીં ભરનાર વાહન માલિકોને સીધી અસર ભોગવવી પડશે દેશભરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરવામાં આવેલા નવા સુધારા મુજબ હવે ઈ-ચલણની રકમ સમયસર નહીં ભરનાર વાહન માલિકોને સીધી અસર ભોગવવી પડશે. સરકારનો આ ર્નિણય દેશભરમાં મોટી સંખ્યામાં પેન્ડિંગ રહેલા ટ્રાફિક ચલણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર, ઈ-ચલણ મળ્યા બાદ વાહનચાલક અથવા વાહન માલિકને ૪૫ દિવસ સુધી વાંધો અથવા ફરિયાદ નોંધાવવાની તક આપવામાં આવશે. જાે આ સમયગાળા…

Read More

દિગ્ગજ નેતાનો દાવો મહારાષ્ટ્ર-બંગાળ છોડો, સપાના અનેક નેતા ભાજપમાં જાેડાવા તૈયાર તપાસ એજન્સીઓનો સકંજાે કસાતા જ નેતાઓ બેચેન: રાજભર દેશના અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહેલી પક્ષપલટાની મોસમ વચ્ચે હવે ઉત્તર પ્રદેશના રાજકીય ગલિયારા પણ ધમધમી ઉઠ્યા છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાષપા)ના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે દાવો કર્યો છે કે આગામી સમયમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને બહુ મોટો ઝટકો લાગવાનો છે. રાજભરે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ચર્ચા છોડી દો, યુપીમાં તો આખી શિવસેનાની જેમ સપાના કેટલાય દિગ્ગજ નેતાઓ ભાજપમાં જાેડાવા માટે લાઈન લગાવીને બેઠા છે. આ નિવેદન બાદ ૨૦૨૭ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં…

Read More

પત્રકાર પરિષદમાં અખિલેશ યાદવે સ્પષ્ટ કહ્યું ભાજપ સામે ટક્કર લેવી હોય, તો પક્ષમાં બહાદુર લોકોની ટીમ હોવી જરૂરી છે પત્રકાર પરિષદ દરમિયાન પોતાની પાર્ટીમાં પણ ભંગાણ પડવાની અટકળો પર અખિલેશ આકરો પ્રહાર કર્યો હતો મહારાષ્ટ્રમાં શિવસેના UBT ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ અને પક્ષમાં ભંગાણના દાવાઓ વચ્ચે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક મહત્વની સલાહ આપી છે. લખનઉ સ્થિત સપા મુખ્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં અખિલેશ યાદવે સ્પષ્ટ કહ્યું કે, જાે ભાજપ સામે ટક્કર લેવી હોય, તો પક્ષમાં બહાદુર લોકોની ટીમ હોવી ખૂબ જ જરૂરી છે. પત્રકાર પરિષદ દરમિયાન પોતાની પાર્ટીમાં પણ ભંગાણ પડવાની અટકળો પર…

Read More