
- પાકિસ્તાનમાં કમાણી વિવાદમાં Dhurandhar 2, Ranveer Singhની ફિલ્મ પર ૮૦% હિસ્સાની માંગનો વીડિયો વાયરલ
- કાસ્ટિંગ ડિરેક્ટર Mukesh Chhabraનો ખુલાસો, Dhurandhar 2માં રહેમાન ડકૈતનો રોલ પહેલા ઘણા એક્ટર્સે કર્યો હતો રિજેક્ટ
- ૨૦૨૬માં ૭ ફિલ્મોથી ધમાલ મચાવશે અભિનેત્રી Wamiqa Gabbi
- વામિકા ગબ્બી 2026માં 7 ફિલ્મોથી કરશે ધમાકો, બોલિવૂડ અને સાઉથમાં મજબૂત એન્ટ્રી
- ચૈત્રી નવરાત્રી: મહાગૌરીના સ્વરૂપ અને સહસ્રાર ચક્રમાં ભાવિ શક્તિનું જાગરણ
- ભુજમાં ગેસ અછત, વેપારીઓ કોલસાની સગડી તરફ વળ્યા
- ગુજરાતમાં દારૂ-ડ્રગ્સ હેરાફેરી, એક વર્ષમાં ૫૯૩ કરોડનો મુદ્દામાલ જપ્ત
- ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવા ટૂંક સમયમાં શરૂ, ટ્રાયલ રન સફળ
Author: Garvi Gujarat
ગાંધીનગરમાં મીડિયાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે 24 માર્ચ 2026ના વિધાનસભા સત્રનો મહત્વનો દિવસ હતો. આજે મેં તારાંકિત પ્રશ્નના સ્વરૂપમાં વિધાનસભાના માધ્યમથી મંત્રીને એક મહત્વનો મુદ્દો પૂછ્યો હતો. ગુજરાતભરના ગામડાઓમાં ખેતર સુધી જવાના રસ્તાઓ અંગેના વિવાદો સતત વધી રહ્યા છે. ભાઈઓ વચ્ચે ભાગબટાવો થાય, જમીન સંપાદન થાય અથવા કેટલાક લોકો દાદાગીરી કરે તેના કારણે અનેક ખેડૂતોને પોતાના ખેતર સુધી જવાનો રસ્તો મળતો નથી. પરિણામે ઘણા ખેડૂતોના ખેતરો બિનખેતી રહે છે અથવા ડરતા ડરતા ખેતી કરવી પડે છે. કચેરીઓના ધક્કા ખાવા પડે છે, કાગળ ઉપર કાગળ અને તારીખ ઉપર તારીખ મળતી રહે છે,…
ગાંધીનગરમાં મીડિયાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે રાજ્યના નાણામંત્રીએ વિનિયોગ વિધેયક રજૂ કર્યો, ગુજરાત સરકારના બજેટનું વિધેયક. એ વિધેયક ઉપર મેં મારો મુદ્દો રજૂ કરતાં ગુજરાતની સેવા, સુરક્ષા, સલામતી, કાયદો અને વ્યવસ્થાની બાબતો સંભાળતા આપણા ગુજરાતના હોમગાર્ડ અને જીઆરડીના જવાનો અંગે મેં સરકારનું ધ્યાન દોર્યું. આપણા રાજ્યમાં હોમગાર્ડ જવાનો પોલીસ સાથે ખભે ખભો મિલાવીને કામ કરે છે અને જીઆરડીના જવાનો પણ લગભગ પોલીસ જેટલું જ કામ કરે છે. કુદરતી આફતો, આંદોલનો, ધરણા, રેલીઓ, ઉલ્લંઘનો, અન્ય દુર્ઘટનાઓ અને તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં હોમગાર્ડ અને જીઆરડીના જવાનો કાયદો વ્યવસ્થા અને સલામતી સંભાળે છે. પરંતુ…
મહિલા અનામત કાયદામાં સુધારાની તૈયારી.મહિલા અનામત કાયદામાં સુધારાની તૈયારી.૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે બેઠકોનું સીમાંકન કરવામાં આવશે, રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની બેઠકોમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવશે.સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં ‘મહિલા અનામત’ માટેના કાયદામાં સરકાર સુધારો કરવા જઈ રહી છે. કાયદામાં સુધારો કરીને મહિલા સાંસદોની સંખ્યા કુલ સંખ્યાના ત્રીજા ભાગની કરવાનો પ્રસ્તાવ છે. આ સુધારા વિધેયકને ચાલુ સત્રમાં જ લાવવાની તૈયારી છે. સૂત્રોનું કહેવું છે કે, ૨૯ માર્ચના રોજ જ આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. આનાથી લોકસભામાં સભ્યોની સંખ્યા વધીને ૮૧૬ થઈ શકે છે, જ્યારે મહિલા સાંસદો માટે અનામત બેઠકોની સંખ્યા ૨૭૩ થઈ જશે.સૂત્રોએ વધુમાં ઉમેર્યું કે, આ…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા અને અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા દ્વારા અમરેલીના સર્કિટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવા જઈ રહી છે, તેને લઈને આમ આદમી પાર્ટીએ આજે પોતાની 445 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં લોકોના મુદ્દાઓ પર લડત લડી રહી છે અને અવાજ ઉઠાવી રહી છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે આજે મીડિયા સમક્ષ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આજે સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા બિલ લઈને આવવામાં આવી રહ્યું છે, ત્યારે અગાઉની જેમ અમે આજે પણ આ બિલનો વિરોધ કરીએ છીએ. આ બિલમાંથી આદિવાસી સમાજની બાદબાકી કરવામાં આવી છે, એવું અમને જણાવવામાં આવ્યું છે, તેમ છતાં પણ અમને ભીતિ છે કે હાલમાં ચૂંટણી છે માટે આદિવાસી સમાજને સમાવવામાં આવ્યો નથી પરંતુ આવનાર દિવસોમાં ચોક્કસ સુધારાના ભાગરૂપે આદિવાસી સમાજનો સમાવેશ કરવામાં આવશે. આજથી એક વર્ષ પહેલા સમાન નાગરિક સંહિતાની કમિટી જ્યારે જિલ્લા કક્ષાએ સામાજિક, રાજકીય ધાર્મિક સહિત તમામ પ્રકારના આગેવાનોના…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે, સામાન્ય લોકો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે આમ આદમી પાર્ટીએ આમ જનતાને તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉમેદવારી માટે ટિકિટ આપી છે અને આજે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે મને ગર્વ થાય છે, અમે સ્વપ્ન જોયું હતું કે બહુ થયું બાપ-બેટાની રાજનીતિ, હવે સામાન્ય લોકોની રાજનીતિની શરૂઆત કરી છે અને એ અમારું સૌભાગ્ય છે. આજે આમ આદમી પાર્ટીએ તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. પ્રથમ…
તપાસમાં અત્યાર સુધી ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત.અનિલ ગ્રુપની કંપનીઓ સામે CBI, ED ની ઢીલી તપાસથી સુપ્રીમ નારાજ વર્ષ ૨૦૧૩થી ૨૦૧૭ દરમિયાન આરકોમ અને તેની સહયોગી કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોનના નાણાંના કથિત દુરુપયોગ સાથે જાેડાયેલો છે.અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) સાથે જાેડાયેલા કથિત બેન્ક લોન કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે આ મામલાની તપાસ નિષ્પક્ષ, પારદર્શક અને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થવી જાેઈએ. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) જેવી તપાસ એજન્સીઓને પરસ્પર સંકલન સાધીને સત્ય સામે લાવવા આદેશ આપ્યો છે, જેથી…
રનવેથી માત્ર ૧.૫ કિમી દૂર કાળમુખો અકસ્માત.કોલંબિયામાં સેનાનું વિમાન ક્રેશ: મૃત્યુઆંક વધીને ૬૬ થયો.કોલંબિયા ૧૯૬૦ના દાયકાથી આ વિમાનોનો ઉપયોગ કરી રહ્યું છે. જાેકે, સમયાંતરે તેને અપગ્રેડ કરવામાં આવ્યા છે, પરંતુ જૂના થતા સૈન્ય સાધનો અને વિમાનોની સુરક્ષા હવે ચિંતાનો વિષય બની છે.કોલંબિયાના દક્ષિણ અમેઝોન વિસ્તારમાં પ્લેન ક્રેશ થતાં અનેક સૈનિકોના મોત થયા છે. ૧૧૦ સૈનિકોને લઈ જઈ રહેલું લોકહીડ માર્ટિન હર્ક્યુલસ C-૧૩૦ વિમાન ટેક-ઓફના થોડા સમય બાદ જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં શહીદ થનાર સૈનિકોની સંખ્યા વધીને ૬૬ થઈ ગઈ છે. આ અકસ્માત પેરૂની સરહદ પાસે આવેલા પ્યુર્ટાે લેગુઝામો નજીક સર્જાયો હતો. દુર્ઘટના સ્થળ રહેણાંક વિસ્તારથી માત્ર ૩…
રણબીરનું સમગ્ર ફોક્સ ફક્ત એક્ટિંગ પર.આર કે સ્ટુડિયો હાલ રિવાઈવ નહિ થાય : કરીના કપૂર.ફેમિલીમાં ચર્ચા થઈ ગઈ છે, ફક્ત રણબીર-કરિશ્મા જ બેનરને આગળ વધારી શકે, હું નહીં : કરીના કપૂર.થોડા સમય પહેલાં રણબીર કપૂરે મુંબઈમાં વિશાળ કમર્શિઅલ સ્પેસ ખરીદતાં તે આર કે સ્ટુડિયોનું બેનર રિવાઈવ કરી રહ્યો હોવાની વાત પ્રસરી હતી. જાેકે, કરીના કપૂરે આ અટકળોને ફગાવી દીધી છે. કરીનાએ એક સંવાદમાં કહ્યું હતું કે રણબીર બહુ સારો એક્ટર છે અને તેનું સમગ્ર ફોક્સ પોતાની એક્ટિંગ કેરિયર પર જ છે. અમારા પરિવારમાં ફક્ત કરિશ્મા અને રણબીર જ આ બાબતે પહેલ કરી શકે તેમ છે પરંતુ હાલ તે બનવાનું નથી.…
એઆઈ પ્લેટફોર્મ્સને ફટકાર.સોનાક્ષી સિંહાના નામ અને અવાજના દુરુપયોગ પર હાઈકોર્ટ લાલ ધૂમ.કોર્ટે અવલોકન કર્યું કે સોનાક્ષી સિંહાના મોર્ફ કરેલા ફોટામાં તેને અનુચિત કપડાં પહેરેલી દર્શાવવામાં આવી હતી.આજના ડિજિટલ યુગમાં સેલિબ્રિટીઝની છબીનો ખોટી રીતે ઉપયોગ કરવો એક ગંભીર સમસ્યા બની ગઈ છે. દિલ્હી હાઈકોર્ટે અભિનેત્રી સોનાક્ષી સિંહાના વ્યક્તિત્વ અધિકારોની રક્ષા કરતા એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ AI પ્લેટફોર્મ કે ઓનલાઇન વેબસાઈટ સોનાક્ષીની પૂર્વ મંજૂરી વગર તેના નામ, ચહેરા કે અવાજનો ઉપયોગ કરી શકશે નહીં. આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે AI ટૂલ્સ દ્વારા જાણીતી હસ્તીઓના મોર્ફ કરેલા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



