- નીરજ ચોપડાનો મહારેકોર્ડ, કોમનવેલ્થમાં જેવલિનના 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
- IRCTCની FTR સેવા શરૂ: લગ્ન, પ્રવાસ કે યાત્રા માટે હવે આખો કોચ અથવા ટ્રેન ભાડે બુક કરો
- પાકિસ્તાનમાં ‘કોકરોચ પાર્ટી’થી સરકાર ચિંતિત, Gen Zના અભિયાનથી રાજકારણમાં ખળભળાટ
- ₹500ના ઇનામથી બદલાયું જીવન, જાદુમણિ સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2026માં જીત્યો સિલ્વર મેડલ
- પ્રીતિ પવાર બાદ જાસ્મીન લંબોરિયાનો ગોલ્ડ, કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય દીકરીઓની ધમાકેદાર સિદ્ધિ
- જુલાઈમાં GST કલેક્શન 15.4% વધીને ₹2.11 લાખ કરોડ, આયાત અને ઘરેલુ આવકમાં જોરદાર ઉછાળો
- સુપ્રીમ કોર્ટે ભોજશાળા પાસે નમાઝને મંજૂરી આપી, પેલેટ ગન પર સંપૂર્ણ પ્રતિબંધનો ઇનકાર
- એવરેસ્ટ નજીક ચીનનું હાઈ-એલ્ટિટ્યુડ ડ્રોન સેન્ટર, સરહદ સુરક્ષા વચ્ચે ભારતની ચિંતા વધી
Author: garvigujrat
મુખ્ય સ્ટ્રક્ચરમાં કોઈ ક્ષતિ નહીં માત્ર ફૂટપાથ અને કર્બમાં સામાન્ય સુધારો સાબરમતીના ચીમનભાઈ પટેલ બ્રિજ પર તિરાડની વાત વહેતી થતા દોડધામ તિરાડ પડી હોવાની ચર્ચાઓ શરૂ થતા જ મ્યુનિસિપલ કોર્પાેરેશનના ઇજનેરોની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી અમદાવાદમાં સુભાષ બ્રિજની ઘટના બાદ હવે શહેરમાં વારંવાર જુદા-જુદા બ્રિજમાં તિરાડો પડી હોવાની વાતો અને અફવાઓ વહેતી થવાનો સિલસિલો શરૂ થયો છે. તાજેતરમાં સાબરમતી વિસ્તારમાં આવેલા ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ પર તિરાડ પડી હોવાની ચર્ચાઓ શરૂ થતા જ મ્યુનિસિપલ કોર્પાેરેશનના ઇજનેરોની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તપાસ દરમિયાન આ અફવા સાબિત થઈ છે કારણ કે બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરમાં કોઈ જ ગંભીર ક્ષતિ…
બિહારમાં પ્રદર્શનકારીઓ પર એકે-૪૭થી કથિત ફાયરિંગ મામલે રાજકારણ ગરમાયું વિરોધ પ્રદર્શનના સ્થળે એકે-૪૭ની શું જરૂર હતી? વિદ્યાર્થીઓ આતંકવાદી નથી: પ્રિયંકા ગાંધી દિલ્હીના જંતરમંતર ખાતે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ બળપ્રયોગ મામલે ઘેરાયેલી સરકાર પર હવે બિહાર બંધ દરમિયાન દેખાવકારો પર એકે-૪૭થી ફાયરિંગ કરવા મામલે પસ્તાળ પડી રહી છે. દરમિયાનમાં, ૨૫મી જુલાઈએ બિહાર બંધના એલાન દરમિયાન વિરોધ પ્રદર્શન કરતાં વિદ્યાર્થીઓ પર એકે-૪૭થી કથિત ફાયરિંગ કરતાં એક પોલીસકર્મીનો વિડીયો વાયરલ થતાં આ મામલે બિહારથી લઈને દિલ્હી સુધી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર અને પોલીસની કામગીરીની આકરી ટીકા કરતાં એક્સ પરની એક પોસ્ટમાં સરકારને વિદ્યાર્થીઓની હત્યારી સરકાર ગણાવતાં જણાવ્યું હતું કે, આ સરકારનું…
આર્થિક તંગી ભોગવી રહેલો પરિવાર માલામાલ થઈ ગયો બ્રિટનમાં સદી જૂના ઘરના ગુપ્ત ઓરડામાંથી ખજાનો નીકળ્યો સાફસફાઈ દરમ્યાન નકામા તેમજ જોખમી લાગતા ડબ્બામાંથી હજારોના મૂલ્યની નોટો નીકળીયુકેમાં એક દંપતીને પોતાના લગભગ સો વર્ષ જૂના પૈતૃક ઘરની સફાઈ દરમ્યાન એક ગુપ્ત ઓરડો મળ્યો, જ્યાં જંક લાગેલા ટિનના ડબ્બામાં હજારોના મૂલ્યની જૂની નોટો છુપાયેલી મળી આવી.આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા પરિવાર માટે આ શોધ કોઈ છુપાયેલા ખજાના જેવી સાબિત થઈ. ૩૪ વર્ષીય લીઝા અને તેના પતિ ડૈન રજાના દિવસોમાં પોતાના લાંબા સમયથી બંદ પડેલા પૈતૃક ઘરમાં ગયા. સાફસફાઈ દરમ્યાન તેમને જમીનની નીચે એક જગ્યા થોડી અસામાન્ય લાગી. તપાસ કરતા તેમજ દિવાલ હટાવવાથી તેમને…
રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની મળશે સજા ૧૦૦% ટેરિફની મંજૂરી આપતું બિલ અમેરિકન સેનેટમાં પાસ પશ્ચિમ એશિયામાં ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’દ્વારા થતી ઓઇલની સપ્લાય ખોરવાઈ ગઈ હતી અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલી તનાતની વચ્ચે વધુ એક મોટા સમાચાર આવ્યા છે. અમેરિકન સેનેટે રશિયા પર કડક પ્રતિબંધો લાદવા અને રશિયા પાસેથી ઊર્જા ખરીદતા દેશો પર ૧૦૦ ટકા સુધીનો ટેરિફ ઝીંકવા માટેનું મહત્ત્વપૂર્ણ બિલ પસાર કરી દીધું છે. આ બિલ સ્વર્ગસ્થ સેનેટર લિન્ડસે ગ્રેહામ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, જેને સેનેટમાં ૮૬-૧૨ ના ભારે બહુમતીથી મંજૂરી આપવામાં આવી છે.જો આ બિલ કાયદો બનશે તો રશિયા પાસેથી મોટા પ્રમાણમાં…
મિડલ ઈસ્ટ યુદ્ધમાં ધકેલાઇ રહ્યું છે! હવે સાઉદીએ અમેરિકા સાથે મળીને ઈરાકમાં બોમ્બમારો કર્યાે સાઉદી અરેબિયાના રક્ષા મંત્રાલયે પણ પુષ્ટિ કરી છે કે તેના પૂર્વી પ્રાંતમાં આવેલા ઓઈલ ઈન્ળાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને અનેક ડ્રોન છોડવામાં આવ્યા હતા પશ્ચિમ એશિયામાં જારી તણાવ વચ્ચે હવે ખાડી દેશોની ભૂમિકા પણ ખુલીને સામે આવવા લાગી છે. અમેરિકા અને સાઉદી અરેબિયાએ ઇરાકમાં ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથો સામે સંયુક્ત હવાઈ હુમલા કર્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી છેલ્લા ૭૨ કલાકમાં અમેરિકન ઠેકાણાઓ અને સાઉદી અરેબિયાના સૈન્ય ઠેકાણાઓ પર થયેલા ૩૦થી વધુ ડ્રોન હુમલાના જવાબમાં કરવામાં આવી છે.CENTCOM એ નિવેદન બહાર પાડીને જણાવ્યું કે અમેરિકન…
‘વો ન ઘર દેખેંગે, ન સરહદ, સીધા ઘુસ કે મારેંગ’ સની દેઓલની ફિલ્મ ‘બંટવારા ૧૯૪૭’નું ટ્રેલર રિલીઝ ટ્રેલરમાં સની દેઓલ સિવાય પ્રીતિ ઝિન્ટા, કરણ દેઓલ, શબાના આઝમી અને અલી ફઝલ દેખાયા સની દેઓલની ફિલ્મ બંટવારા ૧૯૪૭નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ઘણા સમયથી આ ટ્રેલરની રાહ જોવામાં આવી રહી હતી જે ફાઇનલી આવી ગયું છે. ટ્રેલરમાં સની દેઓલ સિવાય પ્રીતિ ઝિન્ટા, કરણ દેઓલ, શબાના આઝમી અને અલી ફઝલ દેખાયા છે.ટ્રેલરની શરૂઆત ભારતના તિરંગાથી થાય છે. ત્યાં પાછળથી બાળકોનો અવાજ આવે છે ભારત માતા કી જય હો અને પછી સની દેઓલ દેખાય છે જે ગાડીમાં બેસીને આવે છે. પછી તે પ્રીતિ…
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈએ એક ગંભીર મુદ્દા પર જણાવ્યું હતું કે, એક શરમજનક બાબત છે કે ભાજપના એક મહિલા સાંસદે મહિલાઓ માટે ખોટા શબ્દોનો પ્રયોગ કર્યો છે. ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે દેશના GenZને ગટરનું બિરુદ આપ્યું અને એમણે મહિલાઓ માટે કહ્યું છે કે “આ જનરેશન કશું નથી કરી શકવાની, આ જનરેશનની મહિલાઓ પશ્ચિમી કપડા પહેરે છે, ડ્રગ્સ લે છે” તમે પોતે એક સાંસદ છો અને લોકોએ મત આપ્યા છે એટલા માટે ત્યાં બેઠા છો. જો તમે દેશની મહિલાઓ માટે સારું ન બોલી શકતા હોવ તો ખરાબ પણ ન બોલવું જોઈએ. વધુમાં આમ આદમી પાર્ટીના નેતા…
અમદાવાદમાં 7 રેનબસેરા બનીને તૈયાર છે પરંતુ તેનું ઉદ્ઘાટન ન થતા શ્રમિકો તેમાં રહેવા જઈ શકતા નથી. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટ અને ઘાટલોડીયાના વોર્ડ પ્રમુખ નીલ પટેલે એક રેનબસેરાની મુલાકાત કરી હતી. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા કરન બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદના શ્રમિકો અને ગરીબો રેન બસેરા હોવા છતાં પણ ફૂટપાથ પર રહેવા માટે મજબૂર બન્યા છે. વરસાદના કારણે કરોડપતિ લોકો, ગરીબોના ઘર અને લોકોની દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, લાખો અને કરોડોનું નુકસાન થયું છે અને સમગ્ર ગુજરાતમાં 50થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે.…
સોશ્યલ મિડિયા પરથી ટીઝર હટાવાશે દિલ્હી હાઇકોર્ટનો કાલા હિરણ ફિલ્મની તમામ લિન્ક્સ દૂર કરવા આદેશ સલમાન ખાને મોકલેલી કાનુની નોટિસને નિર્માતા અમિત જાનીએ એક ઇન્ટરવ્યુ દરમ્યાન જાહેરમાં ફાડી નાંખતા મામલો બીચક્યો હતો નિર્માતા અમિત જાનીની ફિલ્મ ‘કાલા હિરણ: ધ બેટલ ફોર લિગસી’નું વિવાદાસ્પદ ટીઝર ચોવીસ જ કલાકમાં હટાવી દેવાનો દિલ્હી હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. જેની સામે ફોજદારી કેસ હજી પેન્ડિંગ હોય તેવી વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ કરે તેવી સામગ્રી ઓનલાઇન રહેવા દઇ શકાય નહીં તેમ જણાવી જસ્ટિસ જ્યોતિ સિંહે આ ટીઝરને ચોવીસ કલાકમાં સોશ્યલ મિડિયા પરથી હટાવવાનો આદેશ આપ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે જો નિર્માતા આ આદેશનું પાલન નહીં કરે…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. ભારતનું બંધારણ વ્યક્તિગત સ્વતંત્રતાને માત્ર કાગળ પરનો અધિકાર માનતું નથી, તે લોકશાહીનો પાયો છે. દરેક નાગરિકને પોતાના જીવન વિશેના નિર્ણય લેવાનો અધિકાર છે. શું ખાવું? શું પહેરવું? કયા વિચારો વ્યક્ત કરવા આ બધા પ્રશ્નો વ્યક્તિગત સ્વતંત્રતાના ક્ષેત્રમાં આવે છે. હા જો કોઈ કૃત્ય જાહેર શાંતિ ભંગ કરે, હિંસા ભડકાવે અથવા કાયદાનો સ્પષ્ટ ભંગ કરે, તો સરકાર કાર્યવાહી કરી શકે. પરંતુ જ્યાં કાયદો મૌન છે, ત્યાં પોલીસને મનસ્વી રીતે પોતાનો કાયદો સર્જવાનો અધિકાર નથી. આજના સમયમાં એક નવી અને ચિંતાજનક વૃત્તિ જોવા મળે છે. કાયદાની જગ્યાએ સોશિયલ મીડિયા, ભીડ અથવા રાજકીય દબાણના આધારે કાર્યવાહી થવા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



