
- રશિયાની ભારતને મોટી ઑફર: અનલિમિટેડ ઓઇલ અને ઊર્જા સપ્લાયની જાહેરાત
- પાકિસ્તાન આર્મી ચીફ મુનીર તેહરાનમાં: અમેરિકા-ઈરાન વાતચીત માટે ટ્રમ્પ સંદેશ ચર્ચામાં
- આકાશ ચોપડાની નારાજગી: રસીખ સલામને બદલે હેઝલવુડને પ્લેયર ઓફ ધ મેચ પર વિવાદ
- ટ્રમ્પનું સ્વાગત: 34 વર્ષ બાદ ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ ચર્ચા શરૂ
- Keir Starmer ની સોશિયલ મીડિયા કંપનીઓને ચેતવણી: બાળકો માટે UKમાં પ્રતિબંધની શક્યતા
- પીએમ મોદીએ સંસદમાં મહિલા આરક્ષણ પર કહ્યું: વિરોધ કરનારને લાંબા ગાળે ભારે કિંમત પડશે
- ડોક્સી ફાઇનાન્સ કૌભાંડ: 2.05 કરોડની ઠગાઈ, ચાર આરોપીની આગોતરા જામીન અરજી ફગાવાઈ
- China ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર બન્યું, United States બીજા ક્રમે ધકેલાયું
Author: Garvi Gujarat
મહિલા અનામત મુદ્દે ભાજપ VS કોંગ્રેસ પીએમ મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ? વડાપ્રધાને પોતાના પત્રમાં આગામી સપ્તાહે મહિલા અનામત બિલોને સર્વસંમતિથી પસાર કરાવવા માટે તેમનો ટેકો માંગ્યો છે મહિલા અનામત બિલ પર કેન્દ્ર સરકાર અત્યંત સક્રિય થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે સતત વિપક્ષી દળો પાસેથી સમર્થનની માંગ કરી રહ્યા છે. શનિવારે બંને ગૃહોમાં તમામ પક્ષોના ફ્લોર લીડર્સ(રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરનારા)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, PM મોદીએ રાજકીય પક્ષોને પત્ર લખીને આ બિલ પર સમર્થન માંગ્યું છે. વડાપ્રધાને પોતાના પત્રમાં આગામી સપ્તાહે મહિલા અનામત બિલોને સર્વસંમતિથી પસાર કરાવવા માટે તેમનો ટેકો માંગ્યો…
ઇરાને કહ્યું કે તે તેના લોકોના હિત માટે પ્રતિબદ્ધ છે ફાલતૂ માંગ કરી રહ્યું હતું અમેરિકા : ઈરાન ફેલ વાતચીત અંગે ઇરાને કહ્યું છે કે અમેરિકા એવી બિનજરૂરી માંગણીઓ કરી રહ્યું હતું જે સ્વીકારવી અશક્ય હતી પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત ૨૧ કલાક પછી અનિર્ણિત રીતે સમાપ્ત થઈ ગઈ છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે કહ્યું કે વાતચીત વિશે સારા અને ખરાબ બંને સમાચાર છે. તેમણે કહ્યું કે, સારા સમાચાર એ છે કે બંને દેશોએ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. ખરાબ સમાચાર એ છે કે તેઓ કોઈપણ કરાર વિના પાકિસ્તાન છોડી રહ્યા છે. તેમણે કહ્યું કે…
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સનું નિવેદન ઈરાને અમારી શરતો માની નથી, વાતચીત નિષ્ફળ રહી જે.ડી. વાન્સની આ સ્પષ્ટતા બાદ વિશ્વમાં ફરીથી શાંતિ સ્થાપિત કરવાની આશા નિરાશામાં ફેરવાઈ છે ઈરાન સાથેના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ખલબલી મચી ગઈ છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ઉર્જા સંકટ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસો વધુ તીવ્ર બન્યા છે. આ સંદર્ભમાં, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાનના પ્રતિનિધિઓ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પહોંચ્યા છે. અહેવાલો સૂચવે છે કે વાટાઘાટોના પ્રથમ રાઉન્ડમાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી, કારણ કે યુએસ અને ઈરાન બંને પોતપોતાની માંગણીઓ પર અડગ રહ્યા છે. શાંતિ મંત્રણાની…
માત્ર સિંગિંગ જ નહીં…બિઝનેસમાંથી પણ મોટી કમાણી આશા ભોંસલે પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા……. તેમની કુલ સંપત્તિ રૂ.૮૦ કરોડથી રૂ.૧૦૦ કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે : પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી આશા ભોંસલેનું નિધન થયું છે, તેમણે રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. બોલીવુડમાં ‘ક્વીન ઓફ મેલોડી‘ તરીકે જાણીતા આશા તાઈનું ૯૨ વર્ષની વયે નિધન થયું. તેમને કાર્ડિયાક અરેસ્ટને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું. આશા ભોંસલેની ગણતરી દેશની સૌથી વધુ કમાણી કરતી મહિલા ગાયિકાઓમાં થતી હતી. વધુમાં તેમણે માત્ર સિંગિંગ દ્વારા જ નહીં પરંતુ તેમના રેસ્ટોરન્ટ બિઝનેસ દ્વારા પણ મોટી કમાણી…
સિંગર આશા ભોંસલેના નિધનથી સંગીત જગતમાં શોકનું મોજું સૂરોની મલ્લિકા અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું ૯૨ વર્ષની વયે નિધન મલ્ટી-ઓર્ગન ફેલ્યોરના કારણે આશાજીનું નિધન થયું : આશા ભોંસલેના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે ૪ વાગ્યે શિવાજી પાર્કમાં કરવામાં આવશે હિન્દી સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. સૂરોની મલ્લિકા અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આશા ભોસલેએ અંતિમ શ્વાસ લીધા હતા. ગાયિકાના નિધનના સમાચાર સામે આવતા જ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સેલેબ્સ અને ચાહકોની આંખો નમ છે. પ્રખ્યાત પાર્શ્વ ગાયિકા આશા ભોસલેના પુત્ર આનંદ ભોસલેએ જણાવ્યું છે…
मायानगरी मुंबई के कैम्प्स कॉर्नर स्थित क्रॉसवर्ड बुक सेंटर में आयोजित एक गरिमापूर्ण समारोह “एन ईवनिंग ऑफ यंग वर्ड्स” में किशोरी कवयित्री सुश्री यशवी लोढ़ा के दूसरे पोएट्री कलैक्शन “द टीनेज क्रोनिकल्स- बुक 2” के विभिन्न पहलुओं पर बॉलीवुड की विभिन्न हस्तियों और प्रबुद्ध साहित्यकारों द्वारा सार्थक चर्चा की गई। इस गर्मजोशी भरी शाम में बॉलीवुड के कई सेलिब्रिटी और मशहूर साहित्यकार मौजूद थे, जिनमें फिल्म अभिनेत्री ईशा देओल, रकुल प्रीत सिंह और जैकी भगनानी के अलावा वरिष्ठ साहित्यकार श्रीमती मंजू लोढ़ा मुख्य रूप से शामिल रहीं। इस स्टार-स्टडेड गैदरिंग में जाने- माने सोशलाइट्स, करीबी फैमिली फ्रेंड्स और शुभचिंतक बड़ी…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વર્ષોથી ભાજપ ના ખેસ પહેરી ફરતા ભાજપ સાથે સંકળાયેલા વાલ્મિકી સમાજ ના કાર્યકરોમાં નારાજગી છવાયેલ છે. તા.૧૨/૦૪/૨૦૨૬ ના રોજ દિલ્હીગેટ ખાતે મળેલ મિટિંગમાં વાલ્મિકી સમાજ ના મોટા ભાગના કાર્યકરો જેઓ ભાજપ ના ખેસ ધારીઓ છે તેઓના મોઢા ના રંગ ઊડી ગયા છે. પોતાની ટિકિટ નક્કી છે તેવી વાતો કરતા કાર્યકરો ના મોઢા પડી ગયા છે અને તેઓમાં પક્ષ પ્રત્યે ચોખ્ખો અણગમો સ્પષ્ટ દેખાય રહ્યો છે. વાલ્મિકી સમાજ ના શિક્ષિત અને વર્ષોથી ભાજપ માટે રાત દિવસ એક કરનારા ભાજપ ના કાર્યકરો ની અવગણનાથી સમગ્ર સમાજ સ્તબ્ધ થઈ ગયો છે. હાલ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણા દેશમાં વૃદ્ધ માતા-પિતાની ઉપેક્ષા એક ગંભીર સામાજિક સમસ્યા તરીકે ઉભરી રહી છે. ગામડામાંથી શહેર તરફ સ્થળાંતર,સંયુક્ત પરિવારોના વિઘટન અને ઝડપથી બદલાતી જીવન શૈલીને કારણે વૃદ્ધોની ઉપેક્ષા ના કિસ્સાઓ વધી રહ્યા છે. ઘણીવાર તેમના જીવનના સંધ્યાકાળ ના વર્ષોમાં માતા-પિતા પાસે એકલતામાં રહેવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી અથવા વૃદ્ધાશ્રમમાં આશ્રય લેવાની ફરજ પડે છે. ત્યારે આના સંદર્ભમાં તેલંગણા વિધાનસભા દ્વારા પસાર કરાયેલ "કર્મચારી જવાબદારી અને માતા-પિતા સહાય દેખરેલ બિલ ૨૦૨૬" ને ઘણી બાબતોમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય પગલા તરીકે આવકારવામાં આવી રહ્યું છે. આ વિધેયક અનુસાર રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે તેમના…
પંજાબે હૈદરાબાદને હરાવ્યું પ્રિયાંશ-પ્રભસિમરન અને શ્રેયસની ધુંઆધાર ઇનિંગ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ૨૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં પંજાબે ૧૮.૫ ઓવરમાં ટાર્ગેટ ચેજ કરી લીધો IPL 2026 ની ૧૭મી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ન્યૂ ચંદીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. હાઈ સ્કોરીંગ મેચમાં પંજાબ કિંગ્સે બાજી મારી લીધી છે. મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગનો ર્નિણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પંજાબને જીતવા માટે ૨૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પંજાબે ૧૮.૫ ઓવરમાં ટાર્ગેટ ચેજ કરી લીધો હતો. પંજાબ કિંગ્સ માટે કેપ્ટન શ્રેયસ અય્યરે ૫ ચોગ્ગા અને ૫…
ફડણવીસે આપ્યા તપાસના આદેશ છગન ભુજબલનું હેલિકોપ્ટર હેલિપેડને બદલે પાર્કિંગમાં ઉતર્યું છગન ભુજબલ નાસિકથી પુણેના ખાનવડીમાં એક જિલ્લા પરિષદ સ્કૂલના ઉદ્ધાટનના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે ઘટના બની મહારાષ્ટ્રની ફડણવીસ સરકારના મંત્રી છગન ભુજબલનું હેલિકોપ્ટર ખોટી જગ્યા ઉતર્યુ હોવાના મામલે પાયલટની લાપરવાહી પણ સામે આવી છે. જેમાં પાયલટે હેલિકોપ્ટર હેલિપેડની જગ્યાએ કાર પાર્કિંગમાં ઉતારી દીધુ હતુ. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે ગંભીરતા દાખવી યોગ્ય તપાસ કરવાની વાત કરી છે. મળતી માહિતી મુજબ, છગન ભુજબલ નાસિકથી પુણેના ખાનવડીમાં એક જિલ્લા પરિષદ સ્કૂલના ઉદ્ધાટનના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જેમાં હેલિકોપ્ટરને નિર્ધારિત હેલિપેડની જગ્યાએ પાયલટે કાર પાર્કિંગમાં લેન્ડ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



