- નીરજ ચોપડાનો મહારેકોર્ડ, કોમનવેલ્થમાં જેવલિનના 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
- IRCTCની FTR સેવા શરૂ: લગ્ન, પ્રવાસ કે યાત્રા માટે હવે આખો કોચ અથવા ટ્રેન ભાડે બુક કરો
- પાકિસ્તાનમાં ‘કોકરોચ પાર્ટી’થી સરકાર ચિંતિત, Gen Zના અભિયાનથી રાજકારણમાં ખળભળાટ
- ₹500ના ઇનામથી બદલાયું જીવન, જાદુમણિ સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2026માં જીત્યો સિલ્વર મેડલ
- પ્રીતિ પવાર બાદ જાસ્મીન લંબોરિયાનો ગોલ્ડ, કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય દીકરીઓની ધમાકેદાર સિદ્ધિ
- જુલાઈમાં GST કલેક્શન 15.4% વધીને ₹2.11 લાખ કરોડ, આયાત અને ઘરેલુ આવકમાં જોરદાર ઉછાળો
- સુપ્રીમ કોર્ટે ભોજશાળા પાસે નમાઝને મંજૂરી આપી, પેલેટ ગન પર સંપૂર્ણ પ્રતિબંધનો ઇનકાર
- એવરેસ્ટ નજીક ચીનનું હાઈ-એલ્ટિટ્યુડ ડ્રોન સેન્ટર, સરહદ સુરક્ષા વચ્ચે ભારતની ચિંતા વધી
Author: garvigujrat
કાર્તિક આર્યનની ‘નાગઝિલા’નું શૂટિંગ પૂર્ણ, ટીમે કેક કાપીને ઉજવણી કરી; ફિલ્મ 12 ફેબ્રુઆરી 2027એ રિલીઝ
શૂટિંગ પૂરું થતાં કલાકારો અને ક્રૂમાં ખુશીનો માહોલ કાર્તિકે ‘નાગઝિલા’નું શૂટિંગ પૂરું કર્યું, ટીમે કેક કાપીને ઉજવણી કરી કરણ જાેહરની ધર્મા પ્રોડક્શન્સ અને મહાવીર જૈન ફિલ્મ્સ દ્વારા નિર્મિત ‘નાગઝિલા’ આગામી ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ રિલીઝ થશે કાર્તિક આર્યનની કરણ જાેહરના ધર્મા પ્રોડક્શન્સ સાથેની ફિલ્મ ‘નાગઝિલા’નું શૂટિંગ સત્તાવાર રીતે પૂરું થઈ ગયું છે. ફિલ્મનાં શૂટિંગનાં છેલ્લા દિવસની ઉજવણી ટીમે ખાસ કેક કાપીને કરી હતી. શૂટિંગ પૂરું થતાં કલાકારો અને ક્રૂમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો.સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અગાઉ પૂરું થઈ ચૂક્યું હતું, જ્યારે છેલ્લા દિવસનું શૂટિંગ રવિવાર, ૨૬ જુલાઈએ મુંબઈમાં થયું હતું. આ અંતિમ શૂટિંગમાં અભિનેતા…
જાેની ડેપનું કમબૅક : ‘એબેનેઝર સાન ડિએગો કોમિક-કોનમાં જાેની ડેપે ચાહકોને સરપ્રાઇઝ આપી ૨૦૧૮ની ‘ફેન્ટાસ્ટિક બીસ્ટ્સ: ધ ક્રાઇમ્સ ઓફ ગ્રિન્ડેલવાલ્ડ’ બાદ આ તેમની પ્રથમ મોટી સ્ટુડિયો રિલીઝ હોલિવૂડના લોકપ્રિય અભિનેતા જાેની ડેપ લાંબા સમય બાદ એક મોટા સ્ટુડિયો પ્રોજેક્ટ સાથે પરત ફરી રહ્યા છે. તે હવે ચાર્લ્સ ડિકન્સની અમર કૃતિ પર આધારિત ફિલ્મ ‘એબેનેઝર: અ ક્રિસમસ કેરોલ’માં એબેનેઝર સ્ક્રૂજના પાત્રમાં જાેવા મળશે. ફિલ્મનું પ્રથમ સત્તાવાર ટ્રેલર અને પોસ્ટર સાન ડિએગો કોમિક-કોન દરમિયાન લોંચ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જાેની ડેપે ચાહકોને ખાસ સરપ્રાઇઝ આપવા માટે સ્ક્રૂજના સંપૂર્ણ મેકઅપ અને પ્રોસ્ટેટિક્સ સાથે લાઇવ હાજરી આપી હતી. તે પહેલાં તેઓ સાન ડિએગોના ગેસલેમ્પ…
આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર ખાતે પેપર લીકની ઘટનાને લઈને દેશ અને ગુજરાતના લાખો યુવાનોએ આંદોલન કર્યું હતું. આ આંદોલનના કારણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું અને ભાજપ સરકારે ભવિષ્યમાં સિસ્ટમ સુધારવા તથા કડક કાયદા બનાવવાની જાહેરાત કરી હતી. હજુ તો આ વાત લોકોના મગજમાંથી નીકળી નથી, ત્યાં જ ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક થઈ ગયું છે. આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું અને તેના પ્રશ્નો પરીક્ષા પહેલાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા. સમગ્ર દેશમાં જો કોઈ રાજ્યમાં સૌથી વધુ પેપર ફૂટવાની ઘટનાઓ…
દેશ માટે ગોલ્ડ મેડલ જીતનાર મીરાબાઈ ચાનુનો ખુલાસો વજન જાળવી રાખવા ૨ દિવસ સુધી અન્ન-જળનો ત્યાગ કર્યો ખૂબ જ કડક ડાયટ અને ભૂખ્યા રહીને વજન કંટ્રોલમાં રાખવું એ આ રમતનો એક અત્યંત કઠિન હિસ્સો છે ગ્લાસગો ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ શાનદાર પ્રદર્શન કરીને દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. મહિલાઓની ૪૮ કિલોગ્રામ કેટેગરીમાં ઐતિહાસિક ગોલ્ડ જીતીને મીરાબાઈએ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક પણ પૂર્ણ કરી છે. જાેકે, આ ઐતિહાસિક જીત બાદ પોડિયમ પર જ્યારે ભારતનું રાષ્ટ્રગીત વાગ્યું ત્યારે મીરાબાઈ પોતાની આંખોમાંથી વહેતા ખુશીના આંસુ રોકી શકી નહોતી. મેચ પૂરી થયા બાદ પત્રકારો સાથે…
આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનું રાજીનામું માંગતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાની આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMSનું પેપર ફરી એકવાર લીક થઈ ગયું છે. ગુજરાતમાં આ પહેલી ઘટના નથી; આની પહેલા પણ અલગ-અલગ વિભાગોમાં ૩૪ કરતાં વધુ પેપરો લીક થઈ ચૂક્યા છે. આ પેપર લીક કૌભાંડોના કારણે ગુજરાતના અનેક નિર્દોષ યુવાનો અને વિદ્યાર્થીઓએ હતાશ થઈને આત્મહત્યા કરી છે. પરંતુ અત્યાર સુધી ગુજરાતની ભાજપ સરકારે કૌભાંડ આચરનારા એક પણ મુખ્ય અપરાધી કે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તાજેતરમાં જ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓએ એક થઈને નીટ (NEET) પેપર લીક મામલે…
અમદાવાદમાં પડેલા વરસાદના કારણે લોકોને જે લાખો અને કરોડોનું નુકસાન થયું છે, તે મુદ્દે હવે લોકોને વળતર ચૂકવવામાં આવે, એ માંગ સાથે આમ આદમી પાર્ટીએ આજે અમદાવાદના મેયર સમક્ષ રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટ સહિત આમ આદમી પાર્ટીના આગેવાન રાજુ દીક્ષિત, દીપક દેસાઈ, જમનાબેન વેગડા, જતીન પટેલ, જુબેરભાઈ, મુકેશ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને નારીબાજી કરીને અમદાવાદના લોકોને વળતર ચૂકવીને ન્યાય આપવામાં આવે તેની માંગણી કરી હતી અને ત્યારબાદ મેયરને આવેદનપત્ર આપ્યું હતું. આ દરમિયાન પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં પેપર લીક મુદ્દે GenZ રોડ પર ઉતર્યા છતાં ફરી એકવાર ગુજરાતમાં પેપર લીક થયું છે. GenZ યુવાનોએ મહાકાય સત્તા સામે પડીને શિક્ષણ મંત્રીનું રાજીનામું લીધું હોવા છતાં ભાજપ શાસિત ગુજરાતમાં પેપર લીકની ઘટનાઓ અટકતી નથી. હાલમાં જ જામનગરની આયુર્વેદ કોલેજનું શલ્યતંત્ર ભાગ-૧નું પેપર લીક થયું છે. ગુજરાતમાં પેપર લીક માટે નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં IMP ના નામે પેપર લીક થઈ રહ્યા છે. આ પરીક્ષામાં IMP ના નામે ૧૨ સવાલો વોટ્સએપ પર ફરી રહ્યા હતા, તેમાંથી પરીક્ષામાં ૧૧ પૂછાયા હતા. ગુજરાતમાં ૧-૨ નહીં…
સંસદમાં સરકાર-વિપક્ષ વચ્ચે ગતિરોધ સમાપ્ત! એન્ટી પેપર લીક બિલ પર મંગળવારે થશે ચર્ચા અને વોટિંગ આ બિલ જાહેર પરીક્ષાઓમાં પેપર લીક, નકલ અને સંગઠિત માફિયા પર અંકુશ લગાવવા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રજૂ કર્યું લોકસભામાં સરકાર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલો ગતિરોધ આખરે સમાપ્ત થયો છે. પેપર લીક સંબંધિત બિલ પર આવતીકાલે (૨૮ જુલાઈ) સદનમાં ચર્ચા થશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાની પહેલ બાદ તમામ મુખ્ય રાજકીય પક્ષોએ મંગળવારથી આ મહત્વપૂર્ણ બિલ પર ચર્ચા શરૂ કરવા સહમતિ વ્યક્ત કરી છે. સદનની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ પક્ષોને અપીલ કરી હતી કે, આ વિષય દેશના કરોડો વિદ્યાર્થીઓ, યુવાનો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા ) સુરત. દેશના કેબીનેટ મંત્રી નિતીન ગડકરીએ લખનઉ-કાનપુર એક્સપ્રેસ હાઇવેના ઉદ્દઘાટન પ્રસંગે તા.૧૩ જુલાઈ ના રોજ જણાવ્યુ હતું કે જો તમારી ગાડીમાં મુસાફરી કરશો તો પાણીથી ભરેલો ગ્લાસ પણ નહીં છલકાય એવા આ દેશમાં હાઈવે બનાવવામાં આવશે એમાંનો આ એક એક્સપ્રેસ હાઈવે એટલે લખનઉ-કાનપુર જે ખુબ જ સુંદર બનાવવામાં આવેલ છે. અને માત્ર ૨૨ મિનિટમાં જ પહોંચી જવાશે. હવે ઉત્તરપ્રદેશની જનતાને ખૂબ જ ઓછા સમયમાં અને સારા એક્સપ્રેસ હાઇવે મળશે. જે એક્સપ્રેસ હાઈવે રૂપિયા ૪૭૦૦ કરોડમાં બનાવવામાં આવેલ છે. જે લખનઉ-કાનપુર એક્સપ્રેસ હાઈવે અંગે તા.૧૩ જુલાઈએ ટ્રાન્સપોર્ટ મંત્રીએ ખૂબ જ સુંદર કહીને બે મોઢે વખાણ…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી ત્રાહિમામ પોકારાઈ ગયો છે. હજારો કરોડ રૂપિયાના બજેટ અને પ્રી-મોસૂન કામગીરીના મોટા દાવાઓ છતાં લોકોના ઘરો, ફેક્ટરીઓ અને દુકાનોમાં પાણી ભરાયા છે તથા નવા બનાવેલા રોડ-રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે, જે ભાજપ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખે છે. મીડિયા અહેવાલો મુજબ આ પૂરની સ્થિતિ અને આફતમાં રાજ્યમાં ૫૬ થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો હજુ પણ લાપતા છે. આ અત્યંત દુઃખદ સ્થિતિમાં સરકાર સમક્ષ અમારી સ્પષ્ટ માંગ છે કે આફતમાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



