Author: Garvi Gujarat

હવે ગણતરીના સમયમાં જ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સમસ્ત ગુજરાતમાં યોજાવવા જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખૂણે ખૂણે પોતાના સંગઠનને મજબૂત કરવા માટે જબરદસ્ત મહેનત કરી છે. હાલ આમ આદમી પાર્ટીમાં નિયુક્તિઓનો દોર ચાલી રહ્યો છે અને સંગઠનમાં ક્ષમતા અનુસાર ખૂબ જ મોટી સંખ્યામાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી પદે શશાંક ખરેની નિયુક્તિ કરવામાં આવી. આ સિવાય ખેડબ્રહ્મા વિધાનસભાના સહ પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી.…

Read More

અમેરિકા અને ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલથી સમગ્ર દેશના લોકોમાં આક્રોશ છે અને જ્યારથી ટ્રેડ ડીલના સમાચાર આવ્યા છે, ત્યાંરથી આમ આદમી પાર્ટી પણ મજબૂતીથી આ મુદ્દે અવાજ ઉઠાવી રહી છે. તો ગુજરાતમાં ખેડૂતો વેપારીઓ અને સામાન્ય લોકોને ટ્રેડ ડીલથી થનારી તકલીફો મુદ્દે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિથી નાના માણસોને પડતી તકલીફો મુદ્દે પણ રજૂઆત કરવા આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળે ગુજરાત રાજ્યના રાજ્યપાલ સમક્ષ મુલાકાત માટે સમય માંગ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ,…

Read More

વધારાની ૭૫ બસોને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે મહાશિવરાત્રી મેળા માટે એસ. ટી. નિગમ દ્વારા ૧,૦૦૦ બસોનું સંચાલન હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાઈ રહેલા ‘મીની કુંભ’ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ખૂણે-ખૂણેથી આવતા યાત્રિકોને પરિવહનમાં કોઈ અગવડ ન પડે તે માટે આ વર્ષે કુલ ૧,૦૦૦ બસોનું સંચાલન કરવામાં આવશે. મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લા જેવા જેમાં…

Read More

બેઠકમાં ખેડૂત સંઘના નેતાઓએ વિરોધ નોંધાવ્યો રાહુલ ગાંધીએ ખેડૂત સંઘના નેતાઓ સાથે મુલાકાત કરી ભારત-અમેરિકા વચ્ચે વચગાળાના સમજૂતી કરારનો વિરોધ કરવા માટે દેશવ્યાપી આંદોલનની ચર્ચા કરાઈ કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્રેડ ડીલ મામલે મોદી સરકારનો ભારે વિરોધ કર્યા બાદ અચાનક ખેડૂત સંઘના નેતાઓ સાથે મુલાકાત કરી છે. તાજેતરમાં અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઈ હતી, ત્યારબાદથી રાહુલ ગાંધી મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, આ ડીલના કારણે ખેડૂતોની રોજગારી છિનવાશે અને દેશની ખાદ્ય સુરક્ષાને પણ નબળી પાડશે. તેમણે લોકસભામાં ભાષણ કરતી વખતે ડીલને ખેડૂત વિરોધી ગણાવી હતી. રાહુલ…

Read More

પૂર્ણેશ મોદીએ ભર્યું ફોર્મગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ માટે ૧૬મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે હાલમાં જ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું, જેના કારણે આ મહત્વનો બંધારણીય હોદ્દો ખાલી પડ્યો હતો ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટે સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી આજે બપોરે ૧૨ વાગ્યે ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તો કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર ઉમેદવારી નોંધાવશે. શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે હાલમાં જ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે આ મહત્વનો બંધારણીય હોદ્દો ખાલી પડ્યો હતો. ૧૬ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા અનેક નામો પર મંથન કરવામાં આવ્યું હતું. જેમાં અંતે પૂર્ણેશ મોદી નામ…

Read More

NHAI એ જાહેર કર્યું એલર્ટ નકલી વેબસાઈટ અને QR કોડથી થઈ રહી છે છેતરપિંડી આવી ઘટનાઓ સમગ્ર ભારતમાં ઝડપથી વધી રહી છે કલ્પના કરો કે તમે હાઇવે પર ખૂબ જ ઝડપે વાહન ચલાવી રહ્યા છો અને અચાનક તમને તમારા ફોન પર એક સંદેશ મળે છે. તેમાં લખેલું છે કે તમારો FASTag સમાપ્ત થવાનો છે. ઝડપથી ઊઇ કોડ સ્કેન કરો અથવા NHAI જેવી દેખાતી સાઇટ પર રિચાર્જ કરો. જાન્યુઆરી ૨૦૨૬ માં દિલ્હીના એક વ્યક્તિ સાથે આવું જ બન્યું હતું. ટોલ પ્લાઝા પર તેણે કોડ સ્કેન કર્યો તેની વિગતો દાખલ કરી અને થોડીવારમાં તેના બેંક ખાતામાંથી રૂ.૫,૦૦૦ ઉપાડી લેવામાં આવ્યા. આવી ઘટનાઓ…

Read More

૧ બાળકનું મૃત્યુ; ભયાનક CCTV સામે આવ્યા ધોરણ-૧૨ના વિદ્યાર્થીએ રસ્તા પર ૬ લોકોને કચડ્યાં લખનઉમાં રફતારનો કહેર જાેવા મળ્યો છે, જ્યાં માતેલા સાંઢની જેમ દોડતી એક કારે અનેક લોકોને ટક્કર મારી ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં રફતારનો કહેર જાેવા મળ્યો છે. જ્યાં માતેલા સાંઢની જેમ દોડતી એક કારે અનેક લોકોને ટક્કર મારી હતી. આ કારે ૬ લોકોને કચડી નાખ્યા હતા, જેમાં ૬ વર્ષનો એક બાળક પણ સામેલ છે. આ ૬ વર્ષના માસૂમનું દુર્ઘટનામાં મોત થયું છે. હવે આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયો જાેઈને તમારા હાથના રૂંવાળા પણ ઉભા થઈ જશે. વીડિયોમાં આ કાર લોકોને કચડતી જાેવા મળી…

Read More

રિયલ એસ્ટેટમાં ગુજરાતનો દબદબો અમદાવાદ એક નવા પાવર હાઉસ તરીકે ઉભરી આવ્યું માંગ અને પુરવઠાના શાનદાર આંકડાના કારણે અમદાવાદે ટિયર-૨ ટેગને પાછળ છોડીને ટિયર-૧ શહેરોની લીગમાં એન્ટ્રી કરી મોંઘા ઘરોની વધતી જતી ઘેલછાએ ટિયર-૨ શહેરોમાં રિયલ એસ્ટેટનો સમીકરણો બદલી નાખ્યા છે. આ શહેરોએ ૨૦૨૫માં ૧.૪૮ લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું, પરંતુ ઊંચા ભાવોને કારણે વેચાણમાં ૧૦% ઘટાડો થયો છે. PropEquity ના રિપોર્ટ અનુસાર, આ ટ્રેન્ડ વચ્ચે અમદાવાદ એક નવા પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું છે. માંગ અને પુરવઠાના શાનદાર આંકડાના કારણે અમદાવાદે ટિયર-૨ ટેગને પાછળ છોડીને ટિયર-૧ શહેરોની લીગમાં પોતાની એન્ટ્રી કરી છે. વેચાણના મામલામાં વિશાખાપટ્ટનમમાં સૌથી મોટો ઘટાડો (૩૮%)…

Read More

એક જ છત નીચે તમામ મંત્રાલયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા કાર્યાલય સેવાતીર્થનું લોકાર્પણ કર્યું મોદીએ મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને નબળા જૂથોના કલ્યાણ માટે ર્નિણય લીધો, પીએમ રાહત યોજના શરૂ કરવાની મંજૂરી આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સેવા તીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું. અહીં પ્રધાનમંત્રી કાર્યાલય (PMO), રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય સ્થિત હશે. પીએમ મોદીએ મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને નબળા જૂથોના કલ્યાણ માટે પહેલો ર્નિણય લીધો. પ્રધાનમંત્રીએ પીએમ રાહત યોજના શરૂ કરવાની મંજૂરી આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા, સાથે જ દરેક નાગરિકને જીવનરક્ષક સુરક્ષા પૂરી પાડવા અને લખપતિ દીદીઓની સંખ્યાને છ કરોડ કરવાની મંજૂરી આપી.…

Read More

એસઓજીએ સાધુના વેશમાં રહેલ વ્યકિતને દબોચ્યો.ઇસરી નજીક ખેતરમાં નશાની ખેતી, ૪.૩૬ લાખના ગાંજાના છોડ પકડાયા.સાધુના વેશમાં નાથબાવો નશાની ખેતી કરતો પોલીસની ઝપટે ચઢાતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસે સાધુના વેશમાં રહેલા નશાની ખેતી કરતા એકને દબોચી લીધો હતો. આ વ્યક્તિએ તેના પિતાની સમાધી નજીક ખેતરમાં ઘઉંની આડમાં ગાંજાના છોડનું ૮૩ વાવેતર કર્યું હતું. સાધુના વેશમાં નાથબાવો નશાની ખેતી કરતો પોલીસની ઝપટે ચઢાતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. અરવલ્લી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ઈસરી નજીક કુણોલ (લાલપુર)ગામ નજીક નાથબાવા તરીકે રહેતો એક વ્યકિત તેની મઢુલી નજીક ખેતરમાં ઘઉંની ખેતીની આડમાં ગાંજાની ખેતી કરતો હોવાની બાતમી મળી હતી. આથી…

Read More