Author: Garvi Gujarat

તમિલનાડુમાં બોલ્યા વડાપ્રધાન મોદી વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે પીએમ મોદીએ કહ્યું કે, જાે બિલ પાસ થઈ ગયું હોત તો મહિલાઓને તેનો ફાયદો થાત : લડાઈ હજુ પૂર્ણ નથી થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કોઇમ્બતુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભા સંબોધી હતી. જે દરમિયાન તેમણે મહિલા અનામત બિલને લઈને વાત કરી હતી. આ ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદીએ મુખ્યત્વે મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ) અને તેના અમલીકરણ માટે જરૂરી સીમાંકન પ્રક્રિયા પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જાે બિલ પાસ થઈ ગયું હોત તો મહિલાઓને તેનો ફાયદો થાત. આ લડાઈ હજુ પૂર્ણ…

Read More

અમદાવાદ પ્લેન ક્રેશમાં પરિવાર ગુમાવ્યો હતો યુકે સરકારે ગુજરાતી યુવકને ભારત તગેડવાનો આદેશ આપ્યો વડોદરાના યુવકે યુકે સરકારના વિઝાના કાયદા સામે લડાઈ આપવાનું મન બનાવી લીધું, હવે કોર્ટ કેસ કરશે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના પરિવાર ગુમાવ્યા. જેમાં વડોદરાના રહેવાસી યુવકે મહંમદમિયાં મહંમદ આસિફ શેઠવાલાએ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પત્ની અને બે વર્ષની માસુમ દીકરી ગુમાવી હતી. પરંતું યુકે સ્થાયી થયેલા ગુજરાતી યુવક પર આભ તૂટી પડ્યું છે. કારણ કે, બ્રિટનની સરકારે તેને તાત્કાલિક દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આખરે શું છે આ મામલો જાણીએ. વાત એમ છે કે, મૂળ વડોદરાના મહંમદ શેઠવાલા હાલ ૨૮ વર્ષના છે. પાંચ વર્ષ…

Read More

રાહુલે તમિલનાડુના પોન્નેરીમાં જનસભાને સંબોધી અમે તેમને હરાવી દીધા…તમિલનાડુમાં મહિલા અનામત બિલ પર બોલ્યા રાહુલ ગાંધી આ પગલું તમિલનાડુ સહિતના દક્ષિણના રાજ્યોના સંસદીય પ્રતિનિધિત્વને ઘટાડવાની એક છૂપી વ્યૂહરચનાનો ભાગ છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તમિલનાડુના પોન્નેરીમાં એક જનસભાને સંબોધતા સીમાંકન સાથે જાેડાયેલી હાલની સંસદીય ગતિવિધિઓને લઈને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ પગલું તમિલનાડુ સહિતના દક્ષિણના રાજ્યોના સંસદીય પ્રતિનિધિત્વને ઘટાડવાની એક છૂપી વ્યૂહરચનાનો ભાગ છે. તિરુવલ્લુર જિલ્લામાં આયોજિત રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસદમાં લાવવામાં આવેલું હાલનું વિધેયક ભલે મહિલા અનામતના નામે રજૂ કરવામાં આવ્યું હોય, પરંતુ તેની પાછળનો વાસ્તવિક ઉદ્દેશ્ય સીમાંકન દ્વારા…

Read More

સ્મૃતિ ઈરાની અને રવિશંકર પ્રસાદનો પ્રિયંકા ગાંધી પર પલટવાર કોંગ્રેસે મહિલાઓના અધિકારો છીનવ્યાનો જશ્ન મનાવ્યો કોંગ્રેસની સરકારમાં ટ્રિપલ તલાક અભિશાપ હતો: સ્મૃતિ ઈરાની મહિલા અનામત સાથે જાેડાયેલા બિલો લોકસભામાં પસાર ન થઈ શક્યા. આ ઘટના બાદ રાજકીય પક્ષો વચ્ચેનો વિવાદ હવે સંસદથી રસ્તાઓ પર આવી ગયો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માગ કરી કે લોકસભાની વર્તમાન સભ્ય સંખ્યામાં જ મહિલા અનામત લાગુ કરવામાં આવે. તેમણે આ બિલ પડવાને બંધારણ અને વિપક્ષી એકતાની જીત ગણાવી હતી. પ્રિયંકા ગાંધી પર ભારતીય જનતા પાર્ટી તરફથી રવિશંકર પ્રસાદ અને સ્મૃતિ ઈરાનીએ પલટવાર કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને ઘેરતા કહ્યું કે, પ્રેસ…

Read More

અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ  ૨૪ કલાકની અંદર જ ઈરાને ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો લીધો ર્નિણય માત્ર થોડા કલાકો પહેલા જ બિન-લશ્કરી અવરજવર માટે તેને ફરીથી ખોલવાનો ર્નિણય લેવાયો હતો ઈરાને ફરી એકવાર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવી હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દીધી છે. માત્ર થોડા કલાકો પહેલા જ બિન-લશ્કરી અવરજવર માટે તેને ફરીથી ખોલવાનો ર્નિણય લેવાયો હતો, જેને હવે ઈરાને પલટી નાખ્યો છે. આ પગલું યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તણાવમાં તીવ્ર વધારો દર્શાવે છે અને વૈશ્વિક ઉર્જા પ્રવાહ અંગે નવી ચિંતાઓ પેદા કરે છે. ા ર્નિણયની જાહેરાત ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા કરવામાં આવી હતી, જેણે વોશિંગ્ટન પર…

Read More

સંજય રાઉતનું મોટું નિવેદન રાહુલ ગાંધીએ દેશની લોકશાહીને બચાવવા માટે એક મોટા આંદોલનનું શાનદાર નેતૃત્વ કર્યું તેઓ દેશના ખૂબ જ પ્રભાવશાળી નેતા છે અને તેમના જ નેતૃત્વમાં અમે ગઈકાલે એક મોટી લડાઈને જીતમાં ફેરવી સંસદમાં મહિલા અનામત બિલને ૨/૩ બહુમતી ન મળવાના કારણે તે પાસ થઈ શક્યું નથી. આ મુદ્દે હવે રાજકીય ગરમાવો આવી ગયો છે. શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના દિલ ખોલીને વખાણ કર્યા છે અને તેમને દેશના અત્યંત પ્રભાવશાળી નેતા ગણાવ્યા છે. રાઉતે આરોપ લગાવ્યો છે કે આ બિલ પાછળ મોદી સરકારનું સીમાંકન (મતવિસ્તારોની પુન:રચના) અંગેનું એક મોટું ષડયંત્ર હતું, જે…

Read More

કેબિનેટ બેઠકમાં બોલ્યા વડાપ્રધાન મોદી વિપક્ષે મોટી ભૂલ કરી, હવે અંજામ ભોગવવો પડશે વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે મહિલા અનામત બિલને સમર્થન આપવાનો વિરોધ પક્ષનો ઇનકાર મોટી રાજકીય ભૂલ છે મહિલા અનામત બિલને લઈને સંસદમાં ચાલી રહેલા રાજકીય ટકરાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠકમાં વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે મહિલા અનામત બિલને સમર્થન આપવાનો વિરોધ પક્ષનો ઇનકાર એક “મોટી રાજકીય ભૂલ” છે અને તેના ગંભીર પરિણામો તેમને ભવિષ્યમાં ભોગવવા પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદ ભવનમાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં પીએમ મોદીએ મહિલા અનામત સાથે જાેડાયેલું બંધારણ સુધારણા બિલ લોકસભામાં પસાર ન…

Read More

૨૦ લાખથી વધુની કિંમતનો ૪૦ કિલોથી વધુ ગાંજાે જપ્ત વડાલી પોલીસે ડ્રોનની મદદથી કેશરપુરાની સીમમાંથી ગાંજાનું વાવેતર ઝડપ્યું વડાલી પોલીસે ડ્રોન ફૂટેજમાં શંકાસ્પદ છોડ દેખાતાં પોલીસની ટીમ સાથે ખેતરમાં દરોડો પાડ્યો હતો વડાલી તાલુકાના કેશરપુરા ગામની સીમના એક ખેતરમાંથી ગુરુવારે વડાલી પોલીસે ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરની વિગતો મેળવી હતી. ઉપરાંત મળેલી બાતમી બાદ પોલીસે રૂ. ર૦ લાખની કિંમતનો અંદાજે ૪૦ કિલોથી વધુ નશીલા પદાર્થ તરીકે ઓળખાતા લીલા ગાંજાના છોડ કબજે લઈને એક વ્યકિતની અટકાયત કરી એનડીપીએસ એકટ અંતર્ગત ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે વડાલીના પીઆઈ ડી.આર.પઢેરીયા તથા સ્ટાફને ગુરુવારે મળેલી બાતમી મળી હતી કે, કેશરપુરા ગામની સીમમાં…

Read More

વધુ એક ઠગાઈનો કિસ્સો અમદાવાદના દંપતી સાથે સોનાના બિસ્કીટ આપવાના નામે ઠગાઈ બોરસદના નાપા ગામે બોલાવી એન્ટીક રૂપિયો અને સોનાના બિસ્કીટના નામે રૂ.૪૬.૮૭ લાખની છેતરપિંડી કરનાર ૬ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો અમદાવાદના દંપતીને એન્ટીક રૂપિયો અને સસ્તા ભાવે સોનાના પાંચ બિસ્કીટ આપવાની લાલચ આપીને બોરસદના નાપા ગામના ફાર્મ હાઉસ ખાતે બોલાવી ૬ શખ્સોએ ભેગાં મળીને રૂ. ૪૬,૮૭,૫૦૦ની છેતરપિંડી આચર્યાની ફરિયાદ બોરસદ રૂરલ પોલીસમથકમાં નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં રહેતાં અંજનાબેન ઉર્ફે અંજલી પરીક્ષીતભાઈ પટેલ અમદાવાદ ખાતે અંજની નિધિ લિ. અને અંજની મલ્ટીબેઝ લિ. નામની કંપની પતિ સાથે મળીને ચલાવે છે. એક વર્ષ અગાઉ તારીખ ૧૫/૭/૨૦૨૫ના રોજ અંજનાબેને ફેસબુક એકાઉન્ટ ઉપર…

Read More

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો કરંટ કે દુર્ઘટનાથી વ્યક્તિનું મોત થાય તો વીજ કંપની વળતર ચૂકવવા જવાબદાર કોર્ટે ટ્રાયલ કોર્ટના વળતરના હુકમને બહાલ રાખતા મૃતકોના પરિવારજનોને તાત્કાલિક વળતર ચૂકવવા આદેશ આપ્યો ગુજરાત હાઈકોર્ટે વીજ કરંટના કારણે થતા મોતના કિસ્સામાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, વીજળી જેવી જાેખમી સેવા પૂરી પાડતી કંપનીઓનીએ જવાબદારી છે કે તેઓ નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખે. જાે કોઈ દુર્ઘટના સર્જાય, તો વીજ કંપની વળતર ચૂકવવાની પોતાની નૈતિક અને કાયદાકીય જવાબદારીમાંથી મુક્ત થઈ શકતી નથી.આ કેસ વર્ષ ૧૯૮૮નો છે, જ્યારે સુરતના રાંદેર રોડ વિસ્તારમાં બે સગા ભાઈઓ મકાનની છત પર ટીવી એન્ટેના રિપેર કરી રહ્યા…

Read More