- લિવ-ઇન સંબંધો પર સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, ક્રૂરતા સામે મળશે કાનૂની રક્ષણ
- બિહારની બાંકીપુર હારને લઈ AAPનો ભાજપ પર પ્રહાર, મનોજ સોરઠીયાએ કહ્યું- ‘વિસાવદરવાળી થઈ’
- સગીર બાળકીના માફી વીડિયો મુદ્દે કેજરીવાલનો પ્રહાર, PM મોદી પર લગાવ્યા ગંભીર આરોપ
- ગોપાલ ઇટાલિયાનો ભાજપ પર પ્રહાર, કહ્યું- બિહારથી શરૂ થયું ‘ભાજપના વળતા પાણી’નું ટ્રેલર
- શશાંક સિંહે છત્તીસગઢ છોડ્યું, પુડુચેરી સાથે જોડાયા; ઘરેલુ ક્રિકેટમાં અવગણનાના લગાવ્યા આરોપ
- ભારતની મોટી સિદ્ધિ: DRDOએ બનાવ્યું સ્વદેશી ટર્બોજેટ એન્જિન, મિસાઇલ-ડ્રોનને મળશે નવી તાકાત
- દિલ્હી લક્ષ્મી યોજનાની શરતો પર કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, તમામ મહિલાઓને લાભની કરી માંગ
- ઈરાનનો ટ્રમ્પ પર પલટવાર, હુમલા સ્થગિત કરવાના દાવા બાદ મીડિયાએ ઉડાવી મજાક
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ પર પડતાં ભારે દબાણને કારણે હવે વિદ્યાર્થીઓમાં હતાશાનું પ્રમાણ વધતું જાય છે. મધ્યપ્રદેશના મૌગંજ જિલ્લાની NEET પરીક્ષા આપતી આકંક્ષા ચર્તુવેદીએ ૨૦ મે ના રોજ આત્મહત્યા કરી હતી અને મૃત હાલતમાં મળી આવી હતી. આકાંક્ષાએ પરીક્ષા માટે ખૂબ મહેનત કરી હતી અને તેને સારૂ પ્રદર્શન કરવાનો વિશ્વાસ હતો. પરીક્ષા પછી તે ખૂબ જ ખુશ હતી પરંતુ પેપર લીક અંગેના અહેવાલો પછી તે ખૂબ પરેશાન થઈ ગઈ હતી. તેણીએ યોગ્ય રીતે ખાવાનું બંધ કરી દીધું હતું. ખૂબ ઓછું બોલતી અને સતત તણાવ માં રહેતી હતી. બાદમાં પરિવારને એક હાથથી લખેલી નોંધ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતના વેડ દરવાજા નાસિરનગરના ૫૦ વર્ષો જૂના રહીશોને SMCએ કોઈપણ પ્રકારની લેખિત કે મૌખિક સૂચના આપ્યા વગર ડિમોલિશન કરી ધોમધખતા તાપમાં રસ્તે રઝળતા કરી માનવતાને લજવી છે. ત્યારે સરકારી ખાતા સુડા દ્વારા મધ્યમ અને સામાન્ય વર્ગના માણસો માટે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સુડા સંસ્કૃતિ વણકલા આવાસ યોજના બની છે. આ યોજના હેઠળ વર્ષ 2024 માં જ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાના ઘરના સપના સાથે અહીં રહેવા આવ્યા હતા. ત્યાં માત્ર બે વર્ષમાં જ આ સુડાના મકાનોની જર્જરિત હાલત થઈ જતા ૧૦ હજારથી વધુ લોકો જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે. આ બાબતે આવાસના રહીશોના જણાવ્યા…
વાહનચાલકો માટે એક મહત્વના સમાચાર બુલેટ ટ્રેનની કામગીરીને પગલે ૫ જૂનની રાત્રે અનુપમ બ્રિજ બંધ રહેશે વાહનચાલકોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અંગેની જાહેરાત કરવામાં આવી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને વાહનચાલકો માટે એક મહત્વના સમાચાર છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સ્ટીલ બ્રિજ લોન્ચિંગની કામગીરી કરવાની હોવાથી કાંકરિયાથી એપેરલ પાર્કને જાેડતો અનુપમ બ્રિજ આવતીકાલે ૫ જૂન ૨૦૨૬ના રોજ માત્ર રાત્રિના સમયે વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. વાહનચાલકોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અંગેની જાહેરાત કરવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વિવિધ કામગીરીના કારણે આગામી સમયમાં પણ અલગ…
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે લેટેસ્ટ અપડેટ સર્જિયો ગોરે કહ્યું – ફક્ત ૧% મુદ્દાઓ પર ચર્ચા બાકી કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ખુલાસો કર્યો હતો કે આ ડીલ પર ૯૯% જેટલી વાતચીત પૂરી થઈ ગઈ છે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલને લઈને સતત મોટા અને પોઝિટિવ અપડેટ્સ સામે આવી રહ્યા છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી અટકેલા મુદ્દાઓનો વહેલી તકે ઉકેલ લાવવા માટે હાલમાં જાેરશોરથી ચર્ચા ચાલી રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં જ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ખુલાસો કર્યો હતો કે આ ડીલ પર ૯૯% જેટલી વાતચીત સફળતાપૂર્વક પૂરી થઈ ગઈ છે. હવે ભારતમાં અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે પણ…
સામાન્ય ભક્તોની જેમ ખુલ્લા પગે ૩,૫૫૦ સીડી ચડી એક્ટર જાહ્નવી કપૂર વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરે પહોંચી પેદ્દી ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરવા અને આશીર્વાદ લેવા જાહ્નવી કપૂર તિરુપતિ બાલાજી મંદિરે પહોંચી હતી બોલિવૂડ અને સાઉથ સિનેમા પણ હવે નામના મેળવી રહેલી અભિનેત્રી જાહ્નવી કપૂર અને ગ્લોબલ સ્ટાર રામચરણ અભિનિત મોસ્ટ અવેટેડ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘પેદ્દી’ વૈશ્વિક સ્તરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ મોટી ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરવા અને આશીર્વાદ લેવા જાહ્નવી કપૂર આંધ્ર પ્રદેશના વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરે પહોંચી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર તેના અનેક વીડિયો અને ફોટોઝ જાેરદાર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેની ભક્તિ જાેઈને…
૭૬ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ સુપરહિટ ફિલ્મો આપનારા પહલાજ નિહલાનીનું નિધન બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને તેમને લીવરને લગતી સમસ્યાઓ હતી ભારતીય સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશ(ન CBFC)ના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાનીનું મુંબઈમાં નિધન થયું છે. તેઓ ૭૬ વર્ષના હતા. પારિવારિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નિહલાની છેલ્લા કેટલાક સમયથી તબિયત નાદુરસ્ત હતી, જેના પછી આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ લીવર સંબંધિત સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતા. જાે કે, તેમના મૃત્યુના…
૧૦ જૂન બાદ મોનસૂનની ગતિ ધીમી પડી શકે છે કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને તેલંગાણા સહિત ૨૪ રાજ્યોમાં વરસાદ, વાવાઝોડા અને ભારે પવનની ચેતવણી જાહેર દેશમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂનનું સત્તાવાર આગમન થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ જાહેરાત કરી છે કે, મોનસૂન કેરળમાં પહોંચી ગયો છે. આગામી ત્રણથી ચાર દિવસમાં મોનસૂન કર્ણાટકના દરિયાકાંઠા પરથી આગળ વધીને ગોવા તરફ પહોંચશે. હાલ મોનસૂનની પ્રગતિ માટે અનુકૂળ પરિસ્થિતિઓ જાેવા મળી રહી છે. જાેકે, ૧૦ જૂન બાદ મોનસૂનની ગતિ ધીમી પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળના અનેક વિસ્તારોમાં ગઈ રાતથી જ ભારે વરસાદ વરસી…
સેટેલાઇટ ફાયરિંગ કેસ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ અને પુત્ર-પુત્રીની જામીન અરજી રદ નિવૃત્ત ડીવાયએસપીને જામીન આપવામાં આવે તો વગનો દુરુપયોગ કરે તેવી શક્યતા: પોલીસ સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમીન વિવાદને પગલે પોતાની લાઇસન્સવાળી પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવાના ગુનામાં સંડોવાયેલા નિવૃત્ત ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અશોકસિંહ પ્યારેલાલ ચૌહાણ અને તેમની પુત્રી ખ્યાતિ અને પુત્ર સિદ્ઘાર્થની નિયમિત જામીન અરજી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. એડિશનલ સેશન્સ જજ જયેશકુમાર ઈશ્વરલાલ પટેલે ગુનાની ગંભીરતા અને તપાસ ચાલુ હોવાની બાબતને ધ્યાને રાખીને આરોપીને જામીન પર મુક્ત કરવાનો ઇનકાર કર્યાે છે. હવે આરોપીઓ હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરશે. નોંધનીય છે કે, નિવૃત્ત…
કાયદાનું પાલન કરાવનારા ખંડણીખોર બને ત્યારે નાગરિકો શંકાની નજરે જુએ: સુપ્રીમ કોર્ટ બોમ્બે હાઈકોર્ટે આપેલા ચુકાદાને રદ ઠેરવી ત્રણ પોલીસ કર્મચારીના જામીન નામંજૂર કર્યાં મુસાફર પાસેથી ખંડણી પડાવવાના કેસમાં ત્રણ પોલીસ કર્મચારીઓના આગોતરા જામીન ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, કાયદાના રક્ષકો ખંડણીખોર બને ત્યારે નાગરિકો શંકાની નજરે જુએ છે અને મૂંઝવણ અનુભવે છે. જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે વિનોદચંદ્રનની બેન્ચે બોમ્બે હાઈકોર્ટ દ્વારા અપાયેલા હુકમને રદ કર્યાે હતો. સુપ્રીમ કોર્ટે આ સાથે નોંધ્યું હતું કે, યુનિફોર્મ પહેરેલા સત્તાધિકારી ખંડણી પડાવવા માગતા હોય ત્યારે વિરોધ કરવાના પ્રયાસથી આકરો બદલો મળે છે અને તેથી નમતું જાેખ્યા સિવાય કોઈ વિકલ્પ…
પૈસા ચૂકવનાર અરજદારોની અરજીનો નિકાલ ૧૫ દિવસમાં કરી દેવાય છે: DHS ૨ લાખથી વધુ અરજદારોએ H1B વિઝા માટે ૧ લાખ ડોલર ચૂકવ્યાં હોમલેન્ડ સિક્યુરિટી વિભાગને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે એચ૧-બીની ૨.૮૫ લાખ જેટલી અરજીઓ મળી અમેરિકામાં કામ કરવા માટે આશરે ૨ લાખથી વધુ અરજદારોએ એચ-૧બી વિઝા માટે ૧ લાખ ડોલર ચૂકવ્યાં છે, તેમ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના સચિવ માર્કવેન મુલિને જણાવ્યું હતું. અમેરિકન સંસદની એક સમિતિ સમક્ષ ઉપસ્થિત રહેલાં મુલિને જણાવ્યું હતું કે, હોમલેન્ડ સિક્યુરિટી વિભાગને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે એચ૧-બીની ૨.૮૫ લાખ જેટલી અરજીઓ મળી છે. અમેરિકાના ગ્રામીણ વિસ્તારોમાં ડોક્ટરોની તંગી અંગેના એક પ્રશ્નના જવાબમાં મુલિને જણાવ્યું હતું કે,…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



