- ગોવિંદાના પુત્ર યશવર્ધનનો બોલિવૂડ ડેબ્યૂ, 59 વર્ષની ઉંમરે પત્ની સુનીતા પણ કરશે એક્ટિંગની શરૂઆત
- ટ્રમ્પની કડક ચેતવણી બાદ ઈરાનનો જવાબ, અમેરિકા કાર્યવાહી બંધ કરે ત્યાં સુધી વાતચીત નહીં
- મુંબઈની તાજ હોટેલને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું; પોલીસ એલર્ટ
- સરગવાળામાં ગેસ પાઇપલાઇન વિરોધી ખેડૂત આંદોલન નવમા દિવસે, AAPએ લેખિત બાંહેધરીની માંગ કરી
- ભારે વરસાદ બાદ સુરતમાં રોગચાળાનો ભય, 7,000 સફાઈ કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવાની માંગ
- સુરતમાં ખાડીઓ પરના ગેરકાયદે દબાણો અને ભ્રષ્ટાચારથી પૂર સમસ્યા વકરી, કાર્યવાહી કરવાની માંગ
- કપાસ ક્રાંતિ મિશન ખેડૂતો નહીં, ભાજપના મળતિયાઓને ફાયદો પહોંચાડવાની યોજના: AAPનો આક્ષેપ
- मुंबई के वरिष्ठ साहित्यकार डॉ. दिनेश प्रताप सिंह को लखनऊ में कृष्ण प्रताप सिंह स्मृति राष्ट्रीय सम्मान
Author: Garvi Gujarat
ક્રૂડ તેલના વાયદામાં રૂ.326નો ઉછાળોઃ સોનાનો વાયદો રૂ.116 સુધર્યો, ચાંદીનો વાયદો રૂ.2112 નરમ કોમોડિટી વાયદાઓમાં રૂ.45378.48 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.227199.05 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 32151.59 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.272577.52 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.45378.48 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.227199.05 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3672.26 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 32151.59 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.153999ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.154243 અને નીચામાં રૂ.153016ના મથાળે અથડાઈ, રૂ.153663ના આગલા બંધ સામે રૂ.116 વધી રૂ.153779ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ…
કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર.ગુજરાતમાં ૪૫ ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી.હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.ગુજરાતમાં ઉનાળાનો અસલી મિજાજ જાેવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે રાજ્યના અનેક શહેરોમાં પારો ૪૧થી ૪૫ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, ‘૧૧મીથી ૧૭મી મે સુધીની હવામાનની આગાહી જણાવી રહ્યો છું, જેમાં આ સમયગાળા દરમિયાન હવામાન મોટાભાગે સૂકું રહેશે અને આવતા…
બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં નિર્ણય.શુભેન્દુ સરકારનો મોટો ર્નિણય, બોર્ડર હવે બીએસએફને હવાલે.અગાઉની મમતા બેનર્જી સરકાર દ્વારા અટકાવવામાં આવેલી કેન્દ્રીય યોજનાઓને હવે બંગાળમાં લીલી ઝંડી મળી.પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પ્રથમ કેબિનેટ બેઠકમાં જ અનેક ઐતિહાસિક અને મહત્ત્વના ર્નિણયો લીધા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રથમ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક સોમવારે મળી હતી. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં આ બેઠકમાં અનેક ર્નિણયો લેવામાં આવ્યા છે, જેનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. કેબિનેટનો સૌથી મહત્ત્વનો ર્નિણય બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરી રોકવા અંગેનો છે. સરકારે બાંગ્લાદેશ સરહદને અડીને આવેલી જમીન BSF (સીમા સુરક્ષા દળ) ને સોંપવાનો…
PM અપીલથી વેપારીઓમાં ડરનો માહોલ.કારીગરો પર છટણીની તલવાર! જ્વેલરી બજારમાં ભારે હડકંપપીએમ મોદીની સોનું ન ખરીદવાની અપીલથી જ્વેલર્સ ઈન્ડસ્ટ્રી ચિંતામાં, લગ્ન સિઝનમાં માંગ ઘટવાની આશંકા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૦ મેએ હૈદરાબાદમાં જનસભા દરમિયાન દેશવાસીઓને અપીલ કરી હતી કે ૧ વર્ષ સુધી સોનું ખરીદો નહીં. પીએમ મોદીની આ અપીલે જ્વેલરી માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. દિલ્હી સહિત દેશભરમાં જ્વેલરી વેપારી, ઝવેરીઓ અને નાના કારોબારીઓ આ અપીલથી ચિંતાગ્રસ્ત જાેવા મળી રહ્યાં છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI) ના ચેરમેન બૃજેશ ગોયલે આ મુદ્દા પર વિસ્તારથી વાત કરતા જણાવ્યું કે અપીલ સામે આવતા અનેક વેપારીઓએ તેમનો સંપર્ક કર્યો અને પોતાની ચિંતા વ્યક્ત કરી…
સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ પ્રદર્શિત કરી.પીએમ મોદીના ભવ્ય રોડ શોમાં જુનિયર બચ્ચને આકર્ષણ જમાવ્યું.મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલા પિનાકીન ગોહિલે પ્રધાનમંત્રીના રોડ શો દરમિયાન સોમનાથ મંદિરની પ્રતિકૃતિ પ્રદર્શિત કરી.જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હોય છે, ત્યારે જનતાનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે. હાલમાં જ સોમનાથની ભૂમિ પર જ્યારે પ્રધાનમંત્રી પધાર્યા, ત્યારે તેમને આવકારવા માટે માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ દૂર-દૂરથી તેમના પ્રશંસકો ઉમટી પડ્યા હતા. આ ભીડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ભાવનગરના વતની અને ‘જુનિયર બચ્ચન‘ તરીકે જાણીતા કલાકાર પિનાકીન ગોહિલ, જેઓ પ્રધાનમંત્રી પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરવા ખાસ સોમનાથ પહોંચ્યા હતા. મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલા પિનાકીન ગોહિલે પ્રધાનમંત્રીના રોડ…
વિદ્યાર્થી સંઘો, એનજીઓને લડતમાં સામેલ થવા પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમની અપીલ.ભાજપ મારો પ્રથમ દુશ્મન વિરોધ માટે વિપક્ષોને એક થવા મમતાની હાકલ.અગાઉ કોંગ્રેસના નેતૃત્વમાં દેશના તમામ વિરોધ પક્ષોએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી હતી.તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મળેલાં સજ્જડ પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીને હવે વિપક્ષી એક્તાની યાદ આવી છે. તેમણે ભાજપ વિરુદ્ધ લડવા માટે તમામ વિરોધ પક્ષોને એકજૂથ થવા અને એક સંયુક્ત મંચનું ગઠન કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસના નેતૃત્વમાં દેશના તમામ વિરોધ પક્ષોએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી હતી. તેમાં સામેલ રાજકીય પક્ષોના વ્યક્તિગત હિતોને કારણે આ ગઠબંધન બિનઅસરકારક પૂરવાર થયું છે. આ…
૨૦૨૬માં તાપમાન તમામ રેકોર્ડ તોડશે.દેશમાં હવે ભીષણ ગરમી પડશે, સુપર અલ-નિનોને કારણે એલર્ટ.ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો થશે.વિશ્વભરમાં તાપમાન સતત વધી રહ્યું છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતના અનેક વિસ્તારોમાં આ વર્ષે એપ્રિલમાં જ તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. જાેકે, મે મહિનાની શરૂઆતથી દેશના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વરસાદને કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે, પરંતુ ૯ મે પછી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના તાજેતરના અહેવાલોએ મોટી ચેતવણી આપી છે. ઠંડા પવનોને બદલે હવે ‘સુપર અલ-નીનો’નો ખતરો…
સ્ટોરીમાં ફેરફારને બહાને રવાના કરાઈ.વેબ સીરિઝ રોયલ-ટુમાંથી ભૂમિ પેડનેકર આઉટ.આ સીરિઝનો પહેલો ભાગ રીલિઝ થયો ત્યારે ઈશાન ખટ્ટરની એક્ટિંગના વખાણ થયાં હતાં. સીરિઝ ઓવરઓલ લોકોને પસંદ પડી હતી.વેબ સીરઝ ‘ધી રોયલ્સ’ની બીજી સીઝનમાંથી ભૂમિ પેડનેકર આઉટ થઈ ગઈ છે. આ સીરિઝમાં ઈશાન ખટ્ટર મુખ્ય હિરો છે. વિતેલા જમાનાની અભિનેત્રી ઝિન્નત અમાને આ સીરિઝથી ઓટીટી પર ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત સીરિઝમાં ટીવી સ્ટાર સાક્ષી તંવર પણ મહત્વની ભૂમિકામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીજા ભાગમાં મોટાભાગના કલાકારો રીપિટ થવાના છે પરંતુ ભૂમિ પેડનેકરને રવાના કરી દેવાઈ છે. આ સીરિઝનો પહેલો ભાગ રીલિઝ થયો ત્યારે ઈશાન ખટ્ટરની એક્ટિંગના વખાણ થયાં હતાં. સીરિઝ…
અવિકા અને તેના પતિએ બેગકોકમાં ઘર લીધું.અવિકા ગૌર ભારત છોડી બેંગકોક રહેવા જતી રહી.જાેકે, અભિનેત્રી અવિકા ગૌર એક્ટિંગ નહીં છોડે, ભારત કામ માટે આવતીજતી રહેશે તેવો અવિકાનો દાવો.ટોચની ટીવી એકટ્રેસ અવિકા ગૌર ભારત છોડી તેના પતિ મિલિંદ ચંદવાની સાથે બેંગકોક રહેવા જતી રહી છે. જાેકે, અવિકાના દાવા અનુસાર તે ભારતીય પ્રોજેક્ટસમાં કામ કરવાનું છોડવાની નથી. પોતે, શિડયૂલ પ્રમાણે ભારત આવતી જતી રહેશે. અવિકાએ કહ્યું હતું કે મારા પતિએ પણ મારી કેરિયર ખાતર પોતાની કેરિયરનો ઘણો ભોગ આપ્યો છે. હવે તેની કેરિયર ખાતર મેં પણ બેંગકોક જવાનું પસંદ કર્યું છે. આમ પણ અમને ત્યાં વારંવાર ફરવા જવાનું ગમતું હતું અને હવે…
ઇન્ટરવ્યુમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે ખુલીને વાત કરી.ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પુરુષવાદી વિચારધારા ઊંડે સુધી જડાઈ ગઈ છે : ક્રિતિ સેનન.હાલ ક્રિતિ સેનન તેની આગામી ફિલ્મ ‘કોકટેલ ૨’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે ૧૯ જૂન, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે.ક્રિતિ સેનને તાજેતરમાં આપેલાં એક ઇન્ટરવ્યુમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે પણ રહેલા ભેદભાવ વિશે ખુલીને વાત કરી હતી. ક્રિતિએ પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું કે અસમાન વર્તન અને વળતરમાં ભેદભાવ જેવી બાબતો આજે પણ બોલિવૂડમાં જાેવા મળે છે.લાંબા સમયથી સિનેમામાં રહેલી અસમાનતાઓની વાત કરતી ક્રિતિએ જણાવ્યું કે ફિલ્મોમાં આર્થિક વાટાઘાટો દરમિયાન ઘણીવાર અભિનેત્રીઓને વધુ નુકસાન સહન કરવું પડે છે. તેનાં કહેવા મુજબ જ્યારે પ્રોડ્યુસર્સ બજેટમાં ઘટાડો કરવા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



