
મંદિર સમિતિનો ર્નિણય.મંદિર સમિતિનો ર્નિણય.સારા છેલ્લે અનુરાગ બાસુની ફિલ્મ ‘મેટ્રો ઇન ડિનો’માં આદિત્ય રોય કપૂર સાથે જાેવા મળી હતી.સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાને ૨૦૧૮માં ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. અભિષેક કપૂર દ્વારા ર્નિદેશિત આ ફિલ્મમાં તે સુશાંત સિંહ રાજપૂત સાથે જાેવા મળી હતી. કેદારનાથની શાંત અને સુંદર જગ્યાઓ પર પોતાની સફળ ફિલ્મનું શૂટિંગ કર્યા બાદથી અભિનેત્રી નિયમિત રીતે મંદિર જતી રહે છે. તે સમયાંતરે આશીર્વાદ લેવા માટે ત્યાં જાય છે. જાેકે, નવી માહિતી અનુસાર હવે બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોમાં આશીર્વાદ લેવા માટે તેમને એફિડેવિટ જમા કરવું પડશે.૧૭ માર્ચે બદ્રી-કેદાર મંદિર સમિતિનાં અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ મીડિયાને સંબોધિત કરતાં જણાવ્યું કે હવે પછી તમામ ગેર-હિંદુઓએ મંદિરમાં આશીર્વાદ લેવા માટે એફિડેવિટ જમા કરવું પડશે. તેમણે કહ્યું કે ગેર-હિંદુઓએ હિંદુ ધર્મમાં પોતાની આસ્થા દર્શાવતો પુરાવો આપવો પડશે. આઈએએનએસ મુજબ દ્વિવેદીએ જણાવ્યું – જાે સારા અલી ખાન સનાતન ધર્મ પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરે અને એફિડેવિટ જમા કરે, તો અમે તેમને પૂજા કરવાની મંજૂરી આપીશું.સારા અલી ખાને હજી સુધી આ ઘટના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. અગાઉ સારા પોતાની નજીકની મિત્ર જાન્હવી કપૂર સાથે પણ કેદારનાથ જઈ ચૂકી છે.
કરણ જાેહરના શો ‘કોફી વિથ કરણ સિઝન ૭’માં તેમણે પોતાનાં કેદારનાથ પ્રવાસ વિશે વાત કરતાં કહ્યું હતું કે કડકડતી ઠંડી અને જાેખમી ચઢાણને કારણે તે તેમના માટે મોતના મુખમાંથી પાછા ફરવા જેવો અનુભવ હતો.સારાએ જણાવ્યું અમે ભૈરવનાથ જવાનું નક્કી કર્યું અને ત્યાં પગપાળા જવાનો એક સામાન્ય રસ્તો હતો. પરંતુ અમને લાગ્યું કે અમે વધુ સારું કરી શકીએ. અમે સીધી ચઢાણનો રસ્તો પસંદ કર્યાે. ત્યાં લગભગ ૮૫ ડિગ્રી ઢાળવાળી ચટ્ટાનો રસ્તો હતો અને જાન્હવી કપૂરે કહ્યું – ‘ચાલો આના પર ચડી જઈએ.સારાએ સ્વીકાર્યું કે તે સમયે તેમને ડર લાગતો હતો કે લોકો તેમનું ઉત્સાહ તોડનારી કહેશે, એટલે તે તૈયાર થઈ ગઈ. ડર લાગવાની વાત સ્વીકારીને સારાએ કહ્યું કે તેમને પૂરો વિશ્વાસ હતો કે હલતી ચટ્ટાનોને કારણે તે પડી જશે. અંતે લગભગ ૩૦ મિનિટ સુધી ફસાયા બાદ તેમના ડ્રાઈવરે તેમને શોધી કાઢી અને ખાસ દળોની મદદથી તેમને બચાવવામાં આવ્યાં.આ દરમિયાન, સારા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની યાત્રાની ઝલક શેર કરે છે, જેમાં બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે આવેલા મંદિરના ફોટા અને તેમના ધાર્મિક વિધિઓમાં ભાગ લેવાના પળો સામેલ હોય છે. સમય જતાં, તેમની વારંવારની યાત્રાઓએ કેદારનાથ મંદિરને ફિલ્મોથી અલગ તેમના જાહેર જીવનનો મહત્વપૂર્ણ ભાગ બનાવી દીધો છે.સારા છેલ્લે અનુરાગ બાસુની ફિલ્મ ‘મેટ્રો ઇન ડિનો’માં આદિત્ય રોય કપૂર સાથે જાેવા મળી હતી. હવે તે આયુષ્માન ખુરાના સાથે ‘પતિ પત્ની ઔર વો ૨’માં નજર જાેવા મળશે.




