
૧૫ સીટ નહીં મળે તો ૧૦૦ સીટ પર લડીશું : માંઝી માંઝીએ બિહાર ચૂંટણી વચ્ચે એનડીએનું ટેન્શન વધાર્યું જીતન રામ માંઝીએ કહ્યું કે આ વખતે અમારી પાર્ટીનું લક્ષ્ય કોઈપણ કિંમતે માન્યતા પ્રાપ્ત પાર્ટી બનવાનું છે .
રવિવારે બોધગયા ખાતે પોતાના નિવાસસ્થાન પર પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અને હિન્દુસ્તાની આવામ મોરચા (સેક્યુલર) ના પ્રમુખ જીતન રામ માંઝીએ આગામી બિહારની વિધાનસભા ચૂંટણીઓ અંગે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ વખતે અમારી પાર્ટીનું લક્ષ્ય કોઈપણ કિંમતે માન્યતા પ્રાપ્ત પાર્ટી બનવાનું છે. એના માટે, પાર્ટી ઓછામાં ઓછી આઠ બેઠકો જીતે અને કુલ મતોના છ ટકા મેળવે તે જરૂરી છે. માંઝીએ કહ્યું કે વ્યવહારીક રીતે આ ત્યારે જ શક્ય છે જાે અમને NDA ગઠબંધનમાં ૧૫ બેઠકો આપવામાં આવે, કારણ કે બધી બેઠકો જીતવી શક્ય નથી.
જીતન રામ માંઝીએ સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી કે જાે અમારી પાર્ટીને સન્માનજનક બેઠકો નહીં આપવામાં આવે, તો હિન્દુસ્તાની આવામ મોરચા એકલા ચૂંટણી લડશે અને સો બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે. તેમણે દાવો કર્યો હતો કે દરેક વિધાનસભા મતવિસ્તારમાં તેમની પાસે ૧૦-૧૫ હજાર મતદારો છે અને આ આધારે તેઓ ચૂંટણીમાં એકલા ૬% મત મેળવી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે પાર્ટીની રચના થયાને દસ વર્ષ થઈ ગયા છે અને અત્યાર સુધી માન્યતા પ્રાપ્ત પાર્ટી રહેવું તેમના માટે અપમાનજનક છે. તેથી, આ વખતની ચૂંટણી તેમના માટે “કરો યા મરો” જેવી સ્થિતિ છે.
NDA પોતાની તાકાતનો દાવો કરતા માંઝીએ કહ્યું કે અમારો પક્ષ પૈસા ખર્ચ્યા વિના ભીડ ભેગી કરે છે, જ્યારે અન્ય પક્ષો પૈસાની મદદથી ભીડ બોલાવે છે. તેમણે કહ્યું કે દ્ગડ્ઢછના નેતાઓ પણ આ વાત જાણે છે અને સીટ શેરિંગમાં એ જાેવામાં આવશે કે ખરેખર કયો પક્ષ જીતી રહ્યો છે. માંઝીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમારી પાર્ટીને પૂરતી બેઠકો મળશે અને ૨૦૨૫માં પાર્ટીને માન્યતા મળી જશે.




