
શરૂ કરી પોતાની એથ્લીટ મેનેજમેન્ટ ફર્મ.નીરજે જણાવ્યું હતું કે આ પ્રકરણના અંત સાથે તે તેના એ જ મૂલ્યોને તેની કારકિર્દીના આગલા તબક્કામાં આગળ લઈ જઈ રહ્યો છે.સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ JSW સ્પોર્ટ્સ સાથેની લગભગ દાયકા જૂની ભાગીદારીનો અંત લાવ્યો છે. તેણે પોતાની એથ્લીટ મેનેજમેન્ટ કંપની વેલ સ્પોર્ટ્સ પણ શરૂ કરી છે.
નીરજ ચોપરા ૨૦૧૬થી JSW સ્પોર્ટ્સ સાથે છે, આ સમય દરમિયાન તેની કારકિર્દી નવી ઊંચાઈએ પહોંચી છે. તેના ર્નિણય અંગે ૨૭ વર્ષીય નીરજએ કહ્યું, “છેલ્લા દાયકામાં અમારી યાત્રા વૃદ્ધિ, વિશ્વાસ અને સિદ્ધિઓથી ભરેલી રહી છે. JSW સ્પોર્ટ્સે તેની કારકિર્દીને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને તે હંમેશા તેમના સમર્થન અને દ્રષ્ટિકોણ માટે આભારી રહેશે.”
નીરજે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકરણના અંત સાથે તે તેના એ જ મૂલ્યોને તેની કારકિર્દીના આગલા તબક્કામાં આગળ લઈ જઈ રહ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો પરસ્પર સંમતિથી અલગ થઈ રહ્યા છે. JSW સ્પોર્ટ્સના CEO દિવ્યાંશુ સિંહે કહ્યું, “નીરજ સાથે કામ કરવું અમારા માટે એક અદ્ભુત અનુભવ રહ્યો છે. તેની સફળતા શ્રેષ્ઠતા અને હેતુના અમારા સહિયારા દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.” અમે સાથે મળીને જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેના પર અમને ખૂબ ગર્વ છે અને ભવિષ્યમાં તેને શુભકામનાઓ પાઠવીએ છીએ.
નોંધનીય છે કે નીરજ ચોપરાએ ૨૦૨૧ ટોક્યો ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ત્યારબાદ તેણે ૨૦૨૩ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. વૈશ્વિક મંચ પર તેણે અનેક પોડિયમ ફિનિશ કર્યા છે. નીરજ હવે આ વર્ષની એશિયન ગેમ્સ અને આગામી ઓલિમ્પિક ગેમ્સ પર નજર રાખી રહ્યો છે.




