- ઈરાનનો મોટો દાવો : અમેરિકા-ઈઝરાયલના કરાર ભંગ બાદ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ચેતવણી
- રાજકોટના શાપર-વેરાવળમાં ફિલ્મી ઢબે 2.47 કરોડની લૂંટ, 5 બુકાનીધારીઓ ફરાર
- તાઈવાન પર ચીનની નૌસેનાની ઘેરાબંધી વધતી, દરિયાઈ તણાવ ચરમસીમાએ
- શિવસેના સ્થાપના દિવસે શિંદેનો ઉદ્ધવ પર કટાક્ષ : “કૂતરા ભસે, ટાઈગર શિકાર કરે”
- આંધ્રપ્રદેશમાં 50 ટન સોનાનો ભંડાર મળ્યો, 4 વધુ સ્થળે માઇનિંગની તૈયારી
- ઈંગ્લેન્ડ શ્રેણી પહેલા ભારતને ઝટકો : હાર્દિક પંડ્યા બહાર, કોહલીનો નિર્ણય ફિટનેસ પર નિર્ભર
- 23 જૂનથી હવામાનમાં મોટો ફેરફાર શક્ય, ચોમાસું ફરી થશે સક્રિય : IMD આગાહી
- કેએસ ભરત દુબઈમાં નવી તક શોધવા નીકળ્યો, ભારતીય ક્રિકેટમાંથી દૂર થવાનો નિર્ણય
Author: Garvi Gujarat
(છગનલાલ મેવાડા ધ્વારા ) સુરત. ગુજરાતના સુપ્રસિધ્ધ ૧૦૮ ના મહંત જેઓ ગોધરાના સંચેલાવ રેલ્વે સ્ટેશનની સામે આદિવાસી વિસ્તારમાં શિષ્યોને ઉપદેશ આપી વ્યસનોથી મુકત કરવાના વર્ષોથી પ્રયાસ કરી રહેલા છે. તેઓના આશ્રમ ખાતે હજારોની સંખ્યામાં લોકો તેમના દર્શન અને સત્સંગ માટે આવતા હોય છે. તેઓની અસીમ કૃપા તેમના પાટવી શિષ્ય સંતશ્રી બજરંગદાસ પર છે. સંતશ્રી બજરંગદાસ ૧૦૮ મહંતશ્રી ચેતનદાસ સાહેબ આજ રોજ દૈનિક વર્તમાનપત્ર ગરવી ગુજરાત સુરતના કાર્યાલય ખાતે પધાર્યા હતા અને ગરવી ગુજરાતના પત્રકારોને આર્શીવચન આપી જીવનનું મર્મ સમજાવ્યો હતો અને અનેક દ્રષ્ટાંતો ધ્વારા મનુષ્ય જીવન જીવવાનો રસ્તો બનાવ્યો હતો. પત્રકારો ને નીડર અને નિષ્પક્ષ રીતે સારી હકીકત ને ઉજાગર…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. માનવીને જ્યારે નશો ચઢે છે ત્યારે એનો નાશ નિશ્ચિત હોય છે. અર્થાત બરબાદી. આ નશો સત્તાનો હોય, પૈસાનો હોય, દારૂ નો હોય, પદનો હોય કે અન્ય કોઈ પણ પ્રકારના નશામાં અતિરેક થાય છે ત્યારે એ અતિરેક હંમેશા નાશ જ નોંતરે છે. અને આ જ બાબત સોશિયલ મીડિયા માટે પણ એટલી જ સાચી છે. જ્યારે દેશ અને દુનિયામાં ઇન્ટરનેટનું આગમન થયું ત્યારે સૌ કોઈ તેના કાર્યથી અંજાઈ ગયા અને આજે એ પરિસ્થિતિ થઈ ગઈ છે કે ઇન્ટરનેટ વિનાના જીવનની કલ્પના કરવી પણ શક્ય નથી લાગતી. આ ઇન્ટરનેટના આગમનથી રોજીંદા જીવનમાં જાણે કે ક્રાંતિ થઈ ગઈ અને પહેલા…
ક્રૂડ તેલના વાયદામાં રૂ.293નો ઘટાડોઃ સોનાના વાયદામાં રૂ.2281 અને ચાંદીના વાયદામાં રૂ.839ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.31081.69 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88450.98 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19448.07 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36505 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.119533.65 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.31081.69 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.88450.98 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36505 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3110.37 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19448.07 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.149460ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.149601 અને નીચામાં રૂ.148550ના મથાળે અથડાઈ, રૂ.146919ના આગલા બંધ સામે રૂ.2281 વધી રૂ.149200 થયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.1627 વધી રૂ.121621ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ…
ધુરંધરની સફળતા પછી ડિમાન્ડ થઈ હવે યામી ગૌતમને લઈ રાઝી ટુ બનાવવાની દરખાસ્ત મેઘના ગુલઝારે મૂળ વાર્તામાં ચેડાં કર્યાંનો લેખિકા હરિન્દર સિક્કાનો આરોપ : યામી ‘ધુરંધર ટુ’માં કેમિયો કરી ચૂકી છે ‘ધુરંધર ટુ’માં ભારતના જાસૂસો પાકિસ્તાનમાં કેવી રીતે કામ કરે છે તેનો વધુ યથાર્થવાદી ચિતાર હોવાની ચર્ચાઓ વચ્ચે હવે ‘ધુરંધર’ના સર્જક આદિત્ય ધરની પત્ની તથા એકટ્રેસ યામી ગૌતમને મુખ્ય ભૂમિકામાં લઈ ‘રાઝી ટુ’ બનાવવાની દરખાસ્ત થઈ છે. ઉલ્લેખનીય છે કે યામી ‘ધુરંધર ટુ’માં કેમિયો કરી ચૂકી છે. એક નેટ યૂઝરે મૂૂળ લેખિકા હરિન્દર સિક્કાને મેન્શન કરીને કહ્યું હતું કે હવે ‘રાઝી ટુ’ની તૈયારી કરવી જાેઇએ. આ ફિલ્મમાં મુખ્ય રોલ માટે…
૧૦૦ ફિલ્મો બનાવો છો ‘ભૂત બંગલા’ મૂળ ‘ભૂલ ભૂલૈયા’ ફિલ્મની સિક્વલ નથી : પ્રિયદર્શન પ્રિયદર્શને ભારપૂર્વક કહ્યું કે કલાકારો સિવાય, બંને ફિલ્મો ખૂબ અલગ છે. આ સંપૂર્ણ લગ કાલ્પનિક ફિલ્મ છે જ્યારે ‘ભૂત બંગલા’નું પહેલું ટ્રેલર રિલીઝ થયું, ત્યારે ઘણા દર્શકોએ કહ્યું કે આ ફિલ્મ તમને ‘ભૂલ ભુલૈયા’ની દુનિયામાં પાછા લઈ જવાની છે. કદાચ તે કલાકારો અને ડિરેક્ટરનું કોમ્બિનેશન હતું, અથવા કદાચ એ જ શૂટિંગ લોકેશન, પરંતુ ઘણા લોકોએ કહ્યું કે તેમને ટ્રેલરમાં ‘ઓજી વાઇબ્સ’નો અનુભવ થઈ શકે છે. થોડા સમયમાં જ, અફવાઓ અને કેટલાક અહેવાલોએ દાવો કર્યાે કે આ ફિલ્મોના વાઇબ્સ મેળ ખાતા હોવાથી ‘ભૂત બંગલા’નો વિચાર પહેલી ‘ભૂલ…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીની જાહેરાત મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની અલગ અલગ સીટો થઈને ટોટલ 9,000થી પણ વધારે સીટો પર ચૂંટણીની જાહેરાત થઈ છે. આમ આદમી પાર્ટી આ ચૂંટણી માટે છેલ્લા છ મહિનાથી સતત ગ્રાઉન્ડ પર મહેનત કરી રહી છે, અને સંગઠનને મજબૂત કરવાનું કામ કરી રહી છે. જેના કારણે હવે ગુજરાતના લોકોને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વધ્યો છે. આમ આદમી પાર્ટી હાલ એક વિકલ્પ બનીને ગુજરાતના લોકોનું આશાનું…
રાશા થડાનીએ પોતાના સાઉથ ડેબ્યુ વિશે વાત કરી મને સાઉથની લાર્જર ધેન લાઇફ ફિલ્મો ગમે છે રાશા તેનું સાઉથ ડેબ્યુ એક લવ સ્ટોરી સાથે કરી રહી છે, જેમાં મહેશ બાબુનો ભત્રીજાે, જય કૃષ્ણ ઘાટમાનેનીને લોંચ કરવામાં આવશે રાશા થડાની તેલુગુ ભાષાની ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહી છે ત્યારે તેણે પોતાના અનુભવ વિશે વાત કરી હતી. રાશાની બોલિવૂડમાં હજુ એક જ ફિલ્મ આવી છે, હવે એક નવી સફર શરૂ કરવા તૈયાર છે. જેમાં તે હવે સાઉથ સિનેમામાં શ્રીનિવાસ મંગાપુરમ સાથે ડેબ્યુ કરવા જઈ રહી છે. તાજેતરમાં, આ મહિને તેના જન્મદિવસ પર, ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મમાંથી એક બિહાઇન્ડ-ધ-સીન્સ ફૂટેજ રિલીઝ કરી હતી, જેમાં…
ઈરાન યુદ્ધની બોલિવુડ ફિલ્મો પર અસર શાહરુખ બાદ અક્ષયની ફિલ્મનું દુબઈ શૂટિંગ પણ રદ દુબઇમાં ફિલ્મના એક ગીતના દ્રશ્યનું શૂટિંગ કરવાનું હતું જે હવે મલાડના મઢ આઇલેન્ડમાં કરવામાં આવશે હાલ ઇરાન-ઇઝરાયલ યુદ્ધને લીધે દુબઇની પરિસ્થિતિ વણસી ગઇ હોવાથી હવે ત્યાં શૂટિંગ થઇ શકે એમ ન હોવાથી બોલિવુડની અનેક ફિલ્મોનાં શૂટિંગ કેન્સલ થઇ રહ્યા છે. હાલમાં જ શાહરૂખ ખાને પોતાની ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ કેન્સલ કરીને પાર્લાના એક સ્ટુડિયોમાં કરવાનો ર્નિણય લીધો હતો. હવે અક્ષય કુમારની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું દુબઇનું શૂટિંગ રદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. દુબઇમાં આ ફિલ્મના એક ગીતના દ્રશ્યનું શૂટિંગ કરવાનું હતું જે હવે મલાડના મઢ…
આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે, જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષથી આ સંસ્થાઓમાં ભાજપનું શાસન રહ્યું છે, પરંતુ તેઓ નિષ્ફળ ગયા છે, ભારે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. જેના કારણે હવે જનતા ભાજપને નકારી કાઢવા તૈયાર છે. આમ આદમી પાર્ટીને વધતું સમર્થન અને લોકોનું જોડાણ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યું છે, અને આથી ગભરાઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારે ગુજરાતની પોલીસ સક્રિય બની ગઈ છે અને આમ આદમી પાર્ટીના…
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે છેલ્લા દિવસોથી ભાજપની સરકાર એટલી હદે ડરી ગઈ છે કે રોજના પાંચ, ચાર અને દસ જેટલા કેસો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે બે વાગ્યે સુરેન્દ્રનગર, પોરબંદર પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના ઘરે જઈ ધાકધમકી, દાદાગીરી અને ગુંડાગીરી કરવામાં આવી હતી. ખંભાળિયા પોલીસે સાંજે પાંચ વાગ્યે કાર્યકર્તાઓ ઉપર ખોટી રીતે એફઆઈઆર નોંધાવી હતી, જ્યારે પરમદિવસે જૂનાગઢમાં પણ એફઆઈઆર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આખા ગુજરાતમાં એફઆઈઆરનો માહોલ સર્જાયો છે, કારણ કે ભાજપ સરકારને ડર લાગી ગયો છે. ખંભાળિયા ખાતે આમ આદમી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



