- બિહારમાં મોબાઇલ ચોર ટ્રેનની બારીમાં ઝડપાયો, 8-9 કિમી સુધી લટક્યો બાદ પોલીસે ઝડપી લીધો
- નવા મતદારો માટે ફોર્મ-6માં માતા-પિતાની SIR વિગતો આપવી ફરજિયાત
- લોર્ડ્સમાં ભારતની દીકરીઓનો ઐતિહાસિક વિજય, ઈંગ્લેન્ડને 270 રને હરાવ્યું
- પંકજ રાણસરીયાનો આરોપ: ખેડૂતોના અવાજને દબાવવા ભાજપ તંત્રનો ઉપયોગ કરે છે
- નિરંજન વસાવાનો આરોપ: કામદારોના મુદ્દે બોલનાર આપ નેતાઓ પર ખોટા કેસ કરાયા
- ગોપાલ ઇટાલિયાનો પાટીદાર આંદોલન મુદ્દે આરોપ: ‘જનરલ ડાયર’ને સજા કરવાની માંગ
- ઈસુદાન ગઢવીનો આરોપ: ખેડૂતોના સમર્થકો પર કાર્યવાહી, ભાજપ કંપનીઓ માટે કામ કરે છે
- Report Against Ahmedabad IT Officers for Alleged Failure to Act on Tax Evasion Evidence
Author: garvigujrat
ફિલ્મનું ટાઈટલ હજુ ફાઈનલ થવાનું બાકી સલમાન અને નયનતારાની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ સલમાન ખાનની ‘માતૃભૂમિ‘ ફિલ્મ સંરક્ષણ મંત્રાલયની મંજૂરીમાં અટવાઈ છે તે વચ્ચે તેની નવી ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું સલમાન ખાનની ‘માતૃભૂમિ‘ ફિલ્મ સંરક્ષણ મંત્રાલયની મંજૂરીમાં અટવાઈ છે તે વચ્ચે તેની નવી ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું છે. સાઉથના પ્રોડયૂસર દિલ રાજુ આ ફિલ્મ બનાવી રહ્યા છે અને સાઉથના નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક વામસી પેઈડીપલ્લી તેનું દિગ્દર્શન કરી રહ્યા છે. સલમાન સાથે નયનતારા આ ફિલ્મમાં લીડ હિરોઈન તરીકે છે. ફિલ્મનો મુહૂર્ત શોટ તાજેતરમાં મુંબઈ ખાતે લેવમાં આવ્યો હતો. પ્રોડયૂૂસર, ડિરેક્ટર તથા હિરોઈન પણ સાઉથનાં હોવા છતાં સલમાને ટ્રાવેલિંગ ન…
પાકિસ્તાની નામને કારણે વિવાદ ટાળવા પગલું સની દેઓલની ફિલ્મનું નવું ટાઈટલ બટવારા ૧૯૪૭ હોવાની ચર્ચા પ્રીતિ ઝિન્ટાનું લાંબા સમય બાદ મોટા પડદે પુનરાગમન થઈ રહ્યું છે. ફિલ્મ આગામી ઓગસ્ટમાં રીલિઝ થશે આમિર ખાનનાં પ્રોડકશન હેઠળની સની દેઓલની ફિલ્મનું ટાઈટલ બદલીને ‘બટવારા ૧૯૪૭’ કરવામાં આવ્યું હોવાની ચર્ચા ફરી શરુ થઈ છે. મૂળ આ ફિલ્મનું ટાઈટલ ‘લાહોર ૧૯૪૭’ છે. થોડા સમય અગાઉ પણ એવી ચર્ચા ચાલી હતી કે પાકિસ્તાની ટાઈટલને લીધે વિવાદ થાય તેવી સંભાવના હોવાથી આ ફિલ્મનું ટાઈટલ બદલાઈ શકે છે. જાેકે, આમિર ખાતે તે વખતે આવા અહેવાલોને ફગાવ્યા હતા. આ ફિલ્મ મૂળ નાટક ‘જિસને લાહોર નહિ દેખા વો જન્મ્યા હી…
‘રામાયણ’ વાલ્મીકિ દ્વારા રચાયેલ પ્રાચીન મહાકાવ્ય પર આધારિત છે આપણી ફિલ્મો વેસ્ટર્ન ઓડિયન્સને પણ જાેવી ગમે એવી બનાવવી પડશે : યશ ‘રામાયણ’ બે ભાગોમાં રિલીઝ થશે અને બંનેનું કુલ બજેટ આશરે ૫૦૦ મિલિયન ડૉલર છે રણબીર કપૂર અને યશની રામાયણના ગ્રાફિક્સ અને વીએફએક્સની ઘણી ચર્ચા છે. ઘણા લોકો આ ફિલ્મના વિષય સાથે વધુ પડતા વીએફએક્સને કારણે તેની ટીકા કરી રહ્યા છે, તો હોલિવૂડના ટેન્કિશીયન્સ દ્વારા થતા વર્લ્ડક્લાસ ગ્રાફિક બાબતે કેટલાક લોકો તેની અવતાર સાથે પણ સરખામણી કરી રહ્યા છે. આ ફિલ્મની પહેલી ઝલક લોંચ કરવામાં આવી છે, તેમાં રણબીરની ઝલક જાેવા મળી છે, પણ હજુ યશના રાવણ સ્વરૂપની ખાસ ઝોલક…
નિર્માતાઓએ આખરે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી આયુષ્માન-સારા ની ‘પતિ પત્ની ઔર વો દો’ ૧૫ મેએ રિલીઝ થશે પોસ્ટરમાં મુખ્ય અભિનેતા આયુષ્માન ખુરાનાને જાળમાં બતાવવામાં આવ્યો છે જ્યારે બાજુમાં એક વાઘ ખુલ્લો બેઠો છે મુદસ્સર અઝીઝ દ્વારા ડિરેક્ટ થયેલી, આયુષ્માન ખુરાના, સારા અલી ખાન, વામિકા ગબ્બી અને વિજય રાઝની પતિ પત્ની ઔર વો દો આ મે મહિનામાં રિલીઝ થશે. પ્રેક્ષકોને રાહ જાેવડાવ્યા પછી, ફિલ્મના નિર્માતાઓએ આખરે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જાહેરાત કરી કે આ ફિલ્મ ૧૫ મે, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જાહેરાતના પોસ્ટરમાં મુખ્ય અભિનેતા આયુષ્માન ખુરાનાને જાળમાં બતાવવામાં આવ્યો છે જ્યારે બાજુમાં…
CCTV ફૂટેજ બન્યું મહત્વપૂર્ણ પુરાવો દિલ્હીથી સુરતમાં હવાલા મારફતે કરોડો રૂપિયા આવ્યાની આશંકા છેલ્લા ચાર મહિનામાં એક કરોડ રૂપિયાથી વધુની રકમ આંગડિયા નેટવર્ક મારફતે સુરતમાં પહોંચાડવામાં આવી શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય ગરમાવો વધ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોટા હવાલા કાંડનો ભાંડાફોડ કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. પ્રાથમિક તપાસમાં દિલ્હીથી હવાલા મારફતે સુરતમાં કરોડો રૂપિયાની એન્ટ્રી થતી હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, છેલ્લા ચાર મહિનામાં એક કરોડ રૂપિયાથી વધુની રકમ આંગડિયા નેટવર્ક મારફતે સુરતમાં પહોંચાડવામાં આવી હતી. આ નાણાંનો ઉપયોગ શહેરમાં રાજકીય પ્રચાર, કાર્યકરોને સક્રિય કરવા…
Aadhaar App પર સરકારનો મોટો ર્નિણય સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ પ્લાન પડતો મૂકાયો ભારત સરકારે દેશમાં વેચાતા તમામ સ્માર્ટફોન્સમાં આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાના પ્રસ્તાવને પડતો મૂક્યો ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) એ આ વર્ષની શરૂઆતમાં આઈટી મંત્રાલયને વિનંતી કરી હતી કે, તેઓ Apple, Google અને Samsung જેવી કંપનીઓ સાથે વાતચીત કરે.UIDAI નો ઉદ્દેશ્ય હતો કે, તમામ નવા સ્માર્ટફોનમાં આધાર એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી હોય. આનાથી સામાન્ય લોકો માટે બેંકિંગ અને ટેલિકોમ વેરિફિકેશન જેવી સેવાઓ સરળ બને. ડિજિટલ ઓળખની પહોંચ દરેક ભારતીય સુધી વધારી શકાય. અહેવાલ મુજબ, આઈટી મંત્રાલયે આ પ્રસ્તાવ પર સ્માર્ટફોન મેન્યુફેક્ચરર્સ સાથે ગહન ચર્ચા કરી હતી. જાેકે,…
સામે આવ્યું ચોંકાવનારું કારણ ઈરાન દ્વારા ખામેનેઈની દફનવિધિ કરાઈ નથી એવું માનવામાં આવે છે કે ઈરાની અધિકારીઓ મોટા જાહેર કાર્યક્રમ સાથે જાેડાયેલા જાેખમોનું આંકલન કરી રહ્યા છે ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું ઈઝરાયલ-અમેરિકાના સંયુક્ત હુમલામાં મોત થયું હતું, પરંતુ તેમના શરીરને ઈરાન તરફથી અત્યાર સુધી અંતિમ વિદાય આપવામાં આવી નથી. ઘણા અઠવાડિયા વીતી ગયા હોવા છતાં ઈરાની અધિકારીઓએ તેમની અંતિમવિધિ અંગે ર્નિણય લીધો નથી. ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોતના ઘણા અઠવાડિયા પછી પણ તેમને સુપુર્દ-એ-ખાક કરવા અંગે ર્નિણય લઈ શકાયો નથી. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ અધિકારીઓ આ માટે સુરક્ષા કારણો અને લોજિસ્ટિક પડકારોનો હવાલો આપી રહ્યા…
CSK ને મોટો ફટકો! ટીમ માટે સૌથી વધુ રન આયુષ મ્હાત્રેને ગંભીર ઈજા આયુષની મ્હાત્રેને હેમસ્ટ્રિંગ ટિયર છે : બેટિંગ કોચ હસી IPL 2026 માં ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) ટીમને મોટો ફટકો લાગ્યો છે. જેમાં સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીને ગંભીર ઈજા પહોંચી છે, જેની જાણકારી ટીમના બેટિંગ કોચ માઈકલ હસીએ આપી છે. પૂર્વ કેપ્ટન એમએસ ધોની ઈજાગ્રસ્ત હોવાના કારણે એકપણ મેચ રમી શક્યા નથી. જ્યારે હવે બેટર આયુષ મ્હાત્રે ઈજાગ્રસ્ત થતાં ટીમનું ટેન્શન વધ્યું છે. ચેન્નઈની છેલ્લી મેચ ગત ૧૮ એપ્રિલના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાઈ હતી. આ મેચ દરમિયાન આયુષ બેટિંગ કરતી વખતે પીડામાં હોવાનું જણાયું હતું. તેણે…
ઈરાને ભારતીય તેલ ટેન્કરો પર કર્યું હતું ફાયરિંગ અંધાધૂંધ ફાયરિંગ છતાં “દેશ ગરીમા” હોર્મુઝમાંથી સુરક્ષિત થયું પસાર ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને બ્લોક કરી દીધું છે, પરંતુ અત્યાર સુધીમાં ૧૦ ભારતીય જહાજાે ત્યાંથી પસાર થઈ ચૂક્યા છે ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની પ્રક્રિયા દરમિયાન, એક ભારતીય ધ્વજવંદન તેલ ટેન્કર સફળતાપૂર્વક મહત્વપૂર્ણ જળમાર્ગ પાર કરી ગયું, જ્યારે ઓછામાં ઓછા ચાર અન્ય જહાજાે પાછા ફર્યા. શિપ મોનિટરિંગ ડેટા અનુસાર, “દેશ ગરીમા” નામનું તેલ ટેન્કરે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું. શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SCI) ની માલિકીનું આ ટેન્કર, માર્ચની શરૂઆતથી આ રૂટ પર પહોંચનાર ૧૦મું ભારતીય ધ્વજવંદન જહાજ છે. મરીનટ્રાફિક અનુસાર, શનિવાર સાંજ…
બંગાળમાં ચૂંટણી પહેલા ભાજપનો દાવ પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બનશે બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર ભારત અને બાંગ્લાદેશ પોતાના સંબંધોને સંતુલિત અને મજબૂત જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે ભારત સરકારે દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશમાં પોતાના નવા હાઈકમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. આ ર્નિણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અનેક મહત્વના મુદ્દાઓ પર વાતચીત ચાલી રહી છે અને બંને દેશો પોતાના સંબંધોને સંતુલિત અને મજબૂત જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય રેલ મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા દિનેશ ત્રિવેદીની આ નિમણૂક રાજકીય રીતે પણ મહત્વની માનવામાં આવી રહી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળના રાજકારણને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



