Author: Garvi Gujarat

નીતિ-નિયમોને નેવે મૂકીને કબરો ખોદી કાઢીપેટલાદમાં દલિત રોહિત સમાજના પૂર્વજાેની કબર પર જેસીબી ફેરવાયુંવિકાસના નામે માનવતા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છેઆણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં વિકાસના નામે માનવતા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના મલાવ ભાગોળ વિસ્તારમાં વર્ષો જૂના કબ્રસ્તાનને કોઈપણ પૂર્વ મંજૂરી કે જાણ વગર જેસીબી મશીનો વડે ખોદી નાખવામાં આવતા સ્થાનિક દલિત રોહિત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પેટલાદ નગરપાલિકા દ્વારા શહેરના બ્યુટીફિકેશન માટે વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત મલાવ ભાગોળ વિસ્તારમાં પણ કામગીરી સોંપવામાં આવી હતી. આ કામગીરી માટે પાલિકા…

Read More

એમેઝોનમાં ફરી મોટી છટણીઈ-કોમર્સ કંપની એમેઝોન કથિત રીતે છટણીના બીજા તબક્કાની તૈયારીમાંવૈશ્વિક સ્તરે આશરે ૧૬,૦૦૦ કર્મચારીને અસર કરશે, આ પગલું કંપનીના વ્યાપક પુનર્ગઠન અભિયાનનો ભાગ હોવાનું કહેવાય છેઈ-કોમર્સ કંપની એમેઝોન કથિત રીતે છટણીના બીજા તબક્કાની તૈયારી કરી રહ્યું છે. જે અંતર્ગત ૨૭ જાન્યુઆરીથી અંદાજે ૧૬,૦૦૦ કર્મચારી નોકરી ગુમાવે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર, આ છટણીની સીધી અસર ભારતીયો પર પણ પડશે, જેમાં એમેઝોન વેબ સર્વિસીસ અને પ્રાઇમ વીડિયો જેવા મહત્ત્વના વિભાગોનો સમાવેશ થાય છે. એમેઝોન આ અઠવાડિયે વર્ક ફોર્સમાં મોટો ઘટાડો કરવા તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે. કંપનીની યોજના મુજબ ૨૭ જાન્યુઆરીએ નવા રાઉન્ડની શરૂઆત થઈ શકે છે, જે…

Read More

ગૂગલ મેપે ફરી આપ્યો દગોજયપુર બિરલા મંદિરની સીડીઓ પર ચઢી ગઇ કારગૂગલ મેપ્સ પર આધાર રાખીને ડ્રાઇવરે કારને રસ્તા પર જવાને બદલે મંદિરની સીડી પર કાર ચઢાવી દીધી, સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથીસોમવારે પ્રજાસત્તાક દિવસે રાજસ્થાનના જયપુરમાં બિરલા મંદિરમાં અંધાધૂંધી અને ભાગદોડ મચી ગઇ, જ્યારે એક પ્રવાસીની કાર મંદિરની સીડી પરથી નીચે પડવાથી બચી ગઈ. ગૂગલ મેપ્સ પર આધાર રાખીને ડ્રાઇવરે કારને રસ્તા પર જવાને બદલે મંદિરની સીડી પર કાર ચઢાવી દીધી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. સ્થાનિક ભક્તોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. લગભગ બે કલાક પછી, પોલીસ કારને સીડી…

Read More

રનવે પર જામ્યા બરફના થર શ્રીનગર એરપોર્ટ પર હિમવર્ષાનો કહેર, તમામ ફ્લાઇટ રદ કરાઇ.વહીવટીતંત્રે કુલ ૫૮ ફ્લાઇટ્સ રદ કરી છે, જેમાં શ્રીનગર આવનારી ૨૯ ફ્લાઇટ્સ અને શ્રીનગરથી રવાના થતી ૨૯ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છેશ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે પર નબળી દૃશ્યતા અને બરફ જમા થવાને કારણે, અધિકારીઓએ આજની બધી ફ્લાઇટ્સ રદ કરવાનો ર્નિણય લીધો છે મંગળવારે ૨૭ જાન્યુઆરી કાશ્મીર ખીણમાં ભારે અને સતત હિમવર્ષાથી હવાઈ ટ્રાફિક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે પર નબળી દૃશ્યતા અને બરફ જમા થવાને કારણે, અધિકારીઓએ આજની બધી ફ્લાઇટ્સ રદ કરવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણયથી ખીણની મુલાકાત લેતા સેંકડો પ્રવાસીઓ ફસાયેલા છે. એરપોર્ટ…

Read More

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છેઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા માટે UAEએ દરવાજા બંધ કર્યાએરસ્પેસ, જમીન અથવા દરિયાનો ઉપયોગ ઈરાન પર કોઈ પણ પ્રકારના હુમલા માટે થવા દઇશું નહીંઅમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. એવામાં એવી આશંકા છે કે અમેરિકા ગમે તે ક્ષણે ઈરાન પર હુમલો કરી શકે છે. ત્યારે સંયુક્ત અરબ અમીરાત (UAE)એ કહ્યું છે કે ઈરાન પર સૈન્ય હુમલા માટે અમે અમારા દેશના એરસ્પેસનો ઉપયોગ થવા દઇશું નહીં. અમેરિકાના યુદ્ધ જહાજાે મિડલ ઈસ્ટ પહોંચી ગયા છે. ત્યારે યુએઈના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, અમારા એરસ્પેસ, જમીન અથવા દરિયાનો ઉપયોગ ઈરાન…

Read More

કેન્દ્ર સરકારે કહ્યું, કોઈની પણ સાથે ભેદભાવ નહીં થાય. UGC વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યોઆ પ્રક્રિયામાં કોઈની પણ સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં અને કાયદાનો દુરુપયોગ અટકાવવામાં આવશેયુજીસીના નવા નોટિફિકેશન સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા બન્યા છે, ત્યારે હવે આ વિવાદમાં કેન્દ્ર સરકારે એન્ટ્રી કરી છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટતા આપતા તમામ અભ્યાર્થિઓને ખાતરી આપી છે કે, આ પ્રક્રિયામાં કોઈની પણ સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં અને કાયદાનો દુરુપયોગ અટકાવવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘હું એક વાત ખૂબ જ નમ્રતાપૂર્વક સ્પષ્ટ કરવા માંગુ છું કે કોઈનું શોષણ થવા દેવામાં આવશે…

Read More

રશિયાનું નામ લઈને આપી ચેતવણીભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલને પગલે ટ્રમ્પના પેટમાં તેલ રેડાયુયુરોપના દેશો તેમના વિરુદ્ધ થઈ રહેલા યુદ્ધને જ ફંડ આપી રહ્યા છે ભારત રશિયાથી ઓઈલ ખરીદે છે તેથી અમે તેના પર ૨૫ ટકા ટેરિફ લગાવ્યો છેભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ( FTA )ની જાહેરાત થઈ ગઈ છે. આ ડીલ વિશ્વની અર્થવ્યવસ્થાની નજરે ખૂબ મહત્ત્વની છે. જાેકે ભારત અને યુરોપની આ સફળતા જાેઈને અમેરિકાની અકળામણ વધી છે. અમેરિકા હવે ખૂલીને યુરોપથી નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત અને યુરોપની ટ્રેડ ડીલ અંગે પ્રહાર કરતાં કહ્યું છે કે, યુરોપના દેશો તેમના વિરુદ્ધ…

Read More

યુરોપથી આયાત કરાયેલો દારૂ સસ્તો થશેભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઇતિહાસની સૌથી મોટી ડીલનું એલાનબંને પક્ષોએ મોટાભાગના ઉત્પાદનો પર ટેરિફ મહદઅંશે ઘટાડી દીધો છે, ઘણી એવી વસ્તુઓ છે જેમાં ટેરિફ શૂન્ય પણ કરી દેવામાં આવ્યાભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઇતિહાસની સૌથી મોટી ડીલનું એલાન થઈ ચૂક્યું છે. જેમાં બંને પક્ષોએ મોટાભાગના ઉત્પાદનો પર ટેરિફ મહદઅંશે ઘટાડી દીધો છે, ઘણી એવી વસ્તુઓ છે જેમાં ટેરિફ શૂન્ય પણ કરી દેવામાં આવ્યો છે. આ મધર ઓફ ઓલ ડીલથી ભારતના લોકોને મોટો ફાયદો થશે, અનેક વસ્તુઓ સસ્તી થશે તો વેપાર ક્ષેત્રે મોટા લાભથી શક્યતા છે. શું થશે ફાયદો? કેમિકલ્સ: યુરોપિયન યુનિયનથી આવતા કેમિકલ ઉત્પાદનો…

Read More

અડધી રાત્રે ઉમટ્યું માનવ મહેરામણ ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન યોજાયુંઆ મહાસંમેલનમાં પક્ષ-વિપક્ષના ભેદ ભૂલીને સમાજના રાજકીય માંધાતાઓ એક મંચ પર જાેવા મળ્યા હતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના ઉત્થાન અને યુવાશક્તિને જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ‘અભ્યુદય મહાસંમેલન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની સૌથી ખાસ વાત એ રહી કે, ઠાકોર સેનાના આહવાન પર સમાજના હજારો લોકો અડધી રાત્રે ૩ વાગ્યાથી જ મેદાનમાં એકત્રિત થવા લાગ્યા હતા.આ મહાસંમેલનમાં પક્ષ-વિપક્ષના ભેદ ભૂલીને સમાજના રાજકીય માંધાતાઓ એક મંચ પર જાેવા મળ્યા હતા. અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, કેબિનેટ મંત્રી રમણસિંહ સોલંકી, ધવલસિંહ ઝાલા, બળદેવજી ઠાકોર અને શોભનાબેન બારૈયા…

Read More

અમેરિકા છોડીને સ્વદેશ પરત ફરતા ટેક વર્કર્સની સંખ્યામાં ૪૦%નો વધારાભારતીયો માટે ‘અમેરિકન ડ્રીમ’ ધીમે ધીમે સમાપ્ત થવા માંડ્યુંપહેલા ભારતીયો અમેરિકા જવા માટે આતુર રહેતા હતા, હવે તેઓ પરત આવવા માટે તૈયાર દેખાઈ રહ્યા છેભારતીય વર્કર્સ માટે ‘અમેરિકન ડ્રીમ’ હવે ધીમે ધીમે ખતમ થતું જણાય છે, ખાસ કરીને અમેરિકા ખાતે ટેકનોલોજી ક્ષેત્રમાં નોકરી કરનારા માટે સ્થિતિ વધુ વણસતી દેખાય છે. હવે અમેરિકાથી ભારત પરત ફરી રહેલા ટેકનોલોજી ક્ષેત્રના નોકરિયાતોની સંખ્યા વધી રહી છે, જે આશ્ચર્યજનક છે. લાંબા સમય પછી માઇગ્રેશનનું દિશા-પરિવર્તન થતું જાેવા મળી રહ્યું છે. પહેલા ભારતીયો અમેરિકા જવા માટે આતુર રહેતા હતા, હવે તેઓ પરત આવવા માટે તૈયાર દેખાઈ…

Read More