Author: garvigujrat

ફિલ્મ કૉપિરાઇટ મુદ્દે કાનૂની વિવાદમાં પણ ફસાઈ ગઈ હેરા ફેરી ૩ હમણાં નહીં આવે ‘જ્યારે સમય આવશે ત્યારે’ ફિલ્મમાં સુનિલ શેટ્ટી, અક્ષય કુમાર અને પરેશ રાવલ ફરી એક વખત સાથે આવાના છે, પરંતુ શરૂઆતથી જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાતી રહી છે અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટીની હેરાફેરીની જ્યારથી જાહેરાત થઈ ત્યારથી આ ફિલ્મ અંગે ઉત્સુકતા ચાલી રહી છે, લોકોને હૈવાન અને ભૂત બંગલા પછી આ ફિલ્મ રિલીઝ થશે એવી અપેક્ષા હતી. ત્યારે હવે આખરે અક્ષય કુમારે મૌન તોડ્યું છે, તેણે કહ્યું કે હજુ આ ફિલ્મ નજીકના ભવિષ્યમાં શરૂ થવાની નથી. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી, અક્ષય કુમાર અને પરેશ…

Read More

પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કાજલ મહેરિયાની પ્રથમ પ્રતિક્રિયા પરિવાર રાજી ન હોવાથી મેં મારી મરજીથી લગ્ન કર્યાકાજલ મહેરિયાએ વીડિયોના અંતમાં કડક શબ્દોમાં જણાવ્યું છે કે, હવે તે કોઈની વાહિયાત વાતોનો જવાબ નહીં આપે ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ તેના ગીતોના કારણે નહીં, પરંતુ તેના અંગત જીવનમાં સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. પરિવારની મરજી વિરુદ્ધ અલ્પેશ ઠાકોર નામના યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતા આ વિવાદ હવે પોલીસ સ્ટેશન અને સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયો છે.કાજલ મહેરિયાએ ગત ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા હોવાનું મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યું છે. આ લગ્નની જાણ થતાં…

Read More

સોનાના વાયદાના ભાવમાં રૂ.243 અને ચાંદીના વાયદામાં રૂ.1576ની નરમાઇઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.5 ઢીલો કોમોડિટી વાયદાઓમાં રૂ.18599.32 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.318813.5 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12155.60 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37119 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.337413.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18599.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.318813.5 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 37119 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2446.6 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12155.60 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.153800ના ભાવે ખૂલી, ઉપરમાં…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશની સર્વોચ્ચ અદાલતે ગયા અઠવાડિયે અવલોકન કર્યું કે જો મંદિરો અને “મઠ” કોઈ ધર્મમાં સંપ્રદાય અને અલગ સંપ્રદાયોના આધારે પ્રવેશ પર પ્રતિબંધ મૂકે તો હિન્દુ ધર્મ પર પ્રતિકૂળ અસર પડશે અને સમાજ વિભાજિત થશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે વરિષ્ઠ વકીલ સી.એમ. વૈધનાથનની રજૂઆતનો જવાબ આપતા આ મૌખિક અવલોકનો કર્યા હતા કે બંધારણની કલમ ૨૬ (બી) ધાર્મિક સંપ્રદાયને તેના પોતાના કામકાજનું સંચાલન કરવાનો અધિકાર આપે છે. અને કલમ ૨૫(૨)(બી) પર પ્રાધાન્યતા ધરાવશે. જે રાજયને જાહેર પ્રકૃતિની તમામ હિન્દુ ધાર્મિક સંસ્થાઓ ખોલવાની સત્તા આપે છે. કેરળ ના ઐતિહાસિક સબરીમાલા મંદિરના ભગવાન અયપ્પાના ભક્તો…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. રાજસ્થાન સરકાર એવા વિદ્યાર્થીઓના નામોને સુધારવાનો પ્રયાસ કરે છે કે જેનો અર્થ એ છે કે, “છોટુ”, “કાલું”, “શેરું” અને આવા અનેક નામો હવે રાજસ્થાનના વર્ગખંડોમાં વાપરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હા ભારતમાં નાના બાળકોને આપવામાં આવતા સામાન્ય “પાલતુ પ્રાણીઓના નામ” હવે રાજસ્થાન ની સરકારી શાળાઓમાં માન્ય રહેશે નહીં. આ હાંસલ કરવા માટે રાજય સરકારે “ સાર્થક નામ અભિયાન” (અર્થ પૂર્ણ નામ અભિયાન) શરૂ કર્યું છે. આ વિભાગનો અંદાજ છે કે, સરકારી અને ખાનગી શાળાઓમા આવા ૨૦૦૦ થી ૩૦૦૦ કેસ છે. સરકારે દાવો કર્યો છે કે, આ પહેલ અયોગ્ય, અસ્પષ્ટ અથવા નકારાત્મક અર્થ ધરાવતા નામોને દૂર કરવા…

Read More

गर्मियों में प्रकृतिक सौन्दर्य  निखारता है गोंद कतीरा—-शहनाज़ हुसैन   गोंद कतीरा एक प्राकृतिक गोंद है जिसे गर्मियों के स्वास्थ्य बर्धक  पेय पदार्थ के   रूप में उपयोग किया  जाता है / यह एक प्राकृतिक  खाद्य    पदार्थ है  जो   एस्ट्रैगलस पौधे की प्रजाति के रस को सुखाकर बनाया जाता है / । यह गम ड्रैगन या   ट्रैगाकैंथ गोंद   भी कहलाता है/   सूखने पर यह छोटे, हल्के और थोड़े सख्त टुकड़ों के रूप में दिखाई देता है। इसका रंग आमतौर पर सफेद से हल्के भूरे रंग का होता है। यह बाहर से कठोर और सूखा दिखता है, लेकिन  पानी में डालने से  यह मुलायम, हल्के और पारदर्शी जेल की तरह फूलने लगता है। इसका…

Read More

બે દિવસ ગબ્બર પર દર્શન રહેશે બંધ ૨૨ અને ૨૩ એપ્રિલે અંબાજી ગબ્બરના દર્શન રહેશે બંધ વિશેષ ટીમ દ્વારા ગબ્બર પરથી મધપૂડા ઉતારવાની અને મધમાખીઓને દૂર કરવાની કામગીરી હાથ ધરાશે યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. આગામી ૨૨ એપ્રિલ (બુધવાર) અને ૨૩ એપ્રિલ (ગુરુવાર), ૨૦૨૬ ના રોજ ગબ્બર પર્વત પર દર્શન અને રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. ઉનાળાની આકરી ગરમીમાં ગબ્બર પર્વતના પથ્થરો અને રોપ-વે ટાવર આસપાસ બનેલા મોટા મધપૂડાઓમાંથી મધમાખીઓ ઉડવાની અને યાત્રાળુઓ પર હુમલો કરવાની ભીતિ રહે છે. ભૂતકાળમાં…

Read More

સુરતમાં પરપ્રાંતીયોના પલાયન મુદ્દે સંજય રાઉત આક્રમક ગુજરાતમાં બધું બરાબર કેમ નથી? લોકો કેમ પલાયન કરી રહ્યા છે? મહિલા અનામત મુદ્દે સંજય રાઉતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઝાટકણી કાઢી હતી શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર પોતાના નિવેદનોથી રાજકીય ગરમાવો લાવી દીધો છે. સુરત રેલવે સ્ટેશન પર પરપ્રાંતિય શ્રમજીવીની ભારે ભીડ અને પલાયનની સ્થિતિ મુદ્દે બોલતા રાઉતે ગુજરાતના મુખ્યમંત્રી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં આજે પણ સત્તાનું કેન્દ્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે સર્જાયેલી અફરાતફરી અને શ્રમજીવીના પલાયન અંગે સંજય રાઉતે કહ્યું કે, મને ગુજરાતના મુખ્યમંત્રીનું…

Read More

વોટર લિસ્ટમાંથી નામ નીકળી જવાના ડરથી બંગાળીઓમાં ગભરાટ મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે, આ અફવાના કારણે બંગાળના લાખો શ્રમિકોની ઘરવાપસી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ને લઈને પરપ્રાંતમાં રહેતા બંગાળી મતદારોમાં ભારે ઉત્સાહ અને સાથે જ એક પ્રકારનો ડર પણ જાેવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, કેરળ, ચેન્નાઈ અને સુરત જેવા મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં લોકો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ખાસ કરીને માલદા અને મુર્શિદાબાદ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં જનારાઓની સંખ્યા ઘણી મોટી છે. રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડને કારણે સ્થિતિ પરપ્રાંતિયોના પલાયન જેવી જાેવા મળી રહી છે. રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં…

Read More

પાંચ મહીનામાં ત્રીજીવાર વૃંદાવનની મુલાકાત વિરાટ કોહલીએ વૃંદાવન પહોંચી પ્રેમાનંદ મહારાજ સાથે કરી મુલાકાત વિરાટ અને અનુષ્કા તેમની આધ્યાત્મિક આસ્થા માટે જાણીતા છે અને અક્સર જીવનના ગૂઢ રહસ્યો શીખવા જાય છે IPL 2026 ના વ્યસ્ત સીઝન વચ્ચે મળેલા બ્રેકનો ફાયદો લેતા વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન પહોંચ્યા. અક્ષય તૃતિયાના અવસર બંનેએ પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પર આ મુલાકાતનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમા બંને સાદગી સાથે આશ્રમમાં બેસેલા જાેવા મળે છે. વિરાટ અને અનુષ્કા તેમની આધ્યાત્મિક આસ્થા માટે જાણીતા છે અને અક્સર જીવનના ગૂઢ રહસ્યો, ક્ષમાનું મહત્વ અને સુખી વૈવાહિક જીવનનો મંત્ર…

Read More