Author: garvigujrat

દિલ્હીની તીસ હજારી કોર્ટનો ૨૬ વર્ષ બાદ ન્યાય કોર્ટે CBI ના જાેઈન્ટ ડાયરેક્ટર અને DP ના નિવૃત્ત ACP ને જાહેર કર્યા દોષિત બંને મારપીટ, ગુનાહિત અતિક્રમણ કેસમાં દોષિત દિલ્હીની તીસ હજારી કોર્ટે ૨૬ વર્ષ પછી બે મોટા અધિકારીઓને એક મામલામાં દોષિત ઠેરવ્યા છે. તેમાં સીબીઆઈના વર્તમાન જાેઈન્ટ ડિરેક્ટર અને દિલ્હી પોલીસના નિવૃત્ત એસીપી સામે છે. બંનેને હુમલો, ગુનાહિત અતિક્રમણ સહિતના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે સજા પર દલીલો સાંભળવા માટે ૨૭ એપ્રિલના રોજ કેસની સુનાવણી નક્કી કરી છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા સત્તાના દુરુપયોગ સંબંધિત એક મહત્વપૂર્ણ ર્નિણયમાં તીસ હજારી કોર્ટે શનિવારે સીબીઆઈના વર્તમાન સંયુક્ત નિર્દેશક અને દિલ્હી પોલીસના…

Read More

“થેન્ક્યુ બેટા, તેં મને ભાવુક કરી દીધો” બંગાળમાં ચૂંટણી રેલી દરમિયાન ઇમોશનલ થયા વડાપ્રધાન મોદી નાનો બાળક પોતાની સાથે વડાપ્રધાન અને તેમની માતાની તસવીર લઈને આવ્યો હતો : માતાની તસવીર જાેઈને તેઓ ભાવુક થઈ ગયા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી નજીક છે. એવામાં રાજકીય પક્ષોની તૈયારીઓ પૂર ઝડપે ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવા આજે પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે. તેમણે પુરુલિયામાં જનમેદનીને સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદી ભાવુક જાેવા મળ્યા હતા. પીએમ મોદીએ પુરુલિયામાં પોતાનું ચૂંટણી ભાષણ રોકીને એક નાના બાળક સાથે વાત કરી હતી. મીડિયાને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં બાળક અને તેની માતાએ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણામાં કહેવાય છે કે “નેકી કર દરીયા મે ડાલ” અર્થાત કોઈ પણ પશુ, પક્ષી કે ગરીબ ગુરબા માનવીને તમે મદદ કરો અને એનું કોઈ અભિમાન કે વળતર ની કોઈ અપેક્ષા ના રાખો તો એ જ સાચું દાન કહેવાય છે. અર્થાત એ નિ:સ્વાર્થ સેવા કહેવાય અને એ નિ: સ્વાર્થ સેવાથી કરેલા કર્મ ના કારણે ભલભલા પાષાણ (પથ્થર દિલ) હ્રદયના માનવી ને પણ નમ્ર બનાવી તમારી સાથે એક આત્મીતા નો નાતો બાંધવા એ મજબૂર બને છે. પછી ભલે એ ખૂંખાર જંગલી જાનવર પણ કેમ ના હોય? અહીં એક એવા જ કિસ્સાનિ વાત છે જ્યાં રોજ વાંદરાને ખાવાનું ખવડાવતી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. શહેર અને એની આજુબાજુના વિસ્તારોમાં ઊભા થતાં અને થઈ ગયેલા પ્રોજેકટોમાં ધરમ-વીરૂ ની જુગલ જોડી એવી પ્રોપર્ટી-બ્રોકરોની જુગલ જોડી જેવી રીતે ધરમ-વીરૂ બુલેટ ગાડી ઉપર એમની મિત્રતાનો અહેસાસ કરાવતા હતા એવા જ અહેસાસ કરાવતી આ પ્રોપર્ટી-બ્રોકરોની જુગલ જોડી માર્કેટોના પ્રોજેકટો જે સારોલી થી લઈને ગોડાદરા, રિંગરોડ ઉપરની માર્કેટો જે બિલ્ડરો ધ્વારા બનાવવામાં આવતા પ્રોજેકટો ઘણા લાંબા સમયથી કામો પૂર્ણ થયા નથી અને ઘણી બધી માર્કેટો જે ઘણા લાંબા સમયથી ખંડેર હાલતમાં છે. એ પૂરા થવાના પણ નથી. એવા પ્રોજેકટોમાં બ્રોકરોના માધ્યમ થી બુકિંગના સમયે જરૂરિયાત મંદોને દુકાન કે ગોડાઉન માટે ૩૦%-૪૦% પેમેન્ટ આપી બુક કરાવેલા એ…

Read More

તમિલનાડુમાં બોલ્યા વડાપ્રધાન મોદી વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે પીએમ મોદીએ કહ્યું કે, જાે બિલ પાસ થઈ ગયું હોત તો મહિલાઓને તેનો ફાયદો થાત : લડાઈ હજુ પૂર્ણ નથી થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કોઇમ્બતુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભા સંબોધી હતી. જે દરમિયાન તેમણે મહિલા અનામત બિલને લઈને વાત કરી હતી. આ ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદીએ મુખ્યત્વે મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ) અને તેના અમલીકરણ માટે જરૂરી સીમાંકન પ્રક્રિયા પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જાે બિલ પાસ થઈ ગયું હોત તો મહિલાઓને તેનો ફાયદો થાત. આ લડાઈ હજુ પૂર્ણ…

Read More

અમદાવાદ પ્લેન ક્રેશમાં પરિવાર ગુમાવ્યો હતો યુકે સરકારે ગુજરાતી યુવકને ભારત તગેડવાનો આદેશ આપ્યો વડોદરાના યુવકે યુકે સરકારના વિઝાના કાયદા સામે લડાઈ આપવાનું મન બનાવી લીધું, હવે કોર્ટ કેસ કરશે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના પરિવાર ગુમાવ્યા. જેમાં વડોદરાના રહેવાસી યુવકે મહંમદમિયાં મહંમદ આસિફ શેઠવાલાએ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પત્ની અને બે વર્ષની માસુમ દીકરી ગુમાવી હતી. પરંતું યુકે સ્થાયી થયેલા ગુજરાતી યુવક પર આભ તૂટી પડ્યું છે. કારણ કે, બ્રિટનની સરકારે તેને તાત્કાલિક દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આખરે શું છે આ મામલો જાણીએ. વાત એમ છે કે, મૂળ વડોદરાના મહંમદ શેઠવાલા હાલ ૨૮ વર્ષના છે. પાંચ વર્ષ…

Read More

રાહુલે તમિલનાડુના પોન્નેરીમાં જનસભાને સંબોધી અમે તેમને હરાવી દીધા…તમિલનાડુમાં મહિલા અનામત બિલ પર બોલ્યા રાહુલ ગાંધી આ પગલું તમિલનાડુ સહિતના દક્ષિણના રાજ્યોના સંસદીય પ્રતિનિધિત્વને ઘટાડવાની એક છૂપી વ્યૂહરચનાનો ભાગ છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તમિલનાડુના પોન્નેરીમાં એક જનસભાને સંબોધતા સીમાંકન સાથે જાેડાયેલી હાલની સંસદીય ગતિવિધિઓને લઈને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ પગલું તમિલનાડુ સહિતના દક્ષિણના રાજ્યોના સંસદીય પ્રતિનિધિત્વને ઘટાડવાની એક છૂપી વ્યૂહરચનાનો ભાગ છે. તિરુવલ્લુર જિલ્લામાં આયોજિત રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસદમાં લાવવામાં આવેલું હાલનું વિધેયક ભલે મહિલા અનામતના નામે રજૂ કરવામાં આવ્યું હોય, પરંતુ તેની પાછળનો વાસ્તવિક ઉદ્દેશ્ય સીમાંકન દ્વારા…

Read More

સ્મૃતિ ઈરાની અને રવિશંકર પ્રસાદનો પ્રિયંકા ગાંધી પર પલટવાર કોંગ્રેસે મહિલાઓના અધિકારો છીનવ્યાનો જશ્ન મનાવ્યો કોંગ્રેસની સરકારમાં ટ્રિપલ તલાક અભિશાપ હતો: સ્મૃતિ ઈરાની મહિલા અનામત સાથે જાેડાયેલા બિલો લોકસભામાં પસાર ન થઈ શક્યા. આ ઘટના બાદ રાજકીય પક્ષો વચ્ચેનો વિવાદ હવે સંસદથી રસ્તાઓ પર આવી ગયો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માગ કરી કે લોકસભાની વર્તમાન સભ્ય સંખ્યામાં જ મહિલા અનામત લાગુ કરવામાં આવે. તેમણે આ બિલ પડવાને બંધારણ અને વિપક્ષી એકતાની જીત ગણાવી હતી. પ્રિયંકા ગાંધી પર ભારતીય જનતા પાર્ટી તરફથી રવિશંકર પ્રસાદ અને સ્મૃતિ ઈરાનીએ પલટવાર કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને ઘેરતા કહ્યું કે, પ્રેસ…

Read More

અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ  ૨૪ કલાકની અંદર જ ઈરાને ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો લીધો ર્નિણય માત્ર થોડા કલાકો પહેલા જ બિન-લશ્કરી અવરજવર માટે તેને ફરીથી ખોલવાનો ર્નિણય લેવાયો હતો ઈરાને ફરી એકવાર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવી હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દીધી છે. માત્ર થોડા કલાકો પહેલા જ બિન-લશ્કરી અવરજવર માટે તેને ફરીથી ખોલવાનો ર્નિણય લેવાયો હતો, જેને હવે ઈરાને પલટી નાખ્યો છે. આ પગલું યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તણાવમાં તીવ્ર વધારો દર્શાવે છે અને વૈશ્વિક ઉર્જા પ્રવાહ અંગે નવી ચિંતાઓ પેદા કરે છે. ા ર્નિણયની જાહેરાત ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા કરવામાં આવી હતી, જેણે વોશિંગ્ટન પર…

Read More

સંજય રાઉતનું મોટું નિવેદન રાહુલ ગાંધીએ દેશની લોકશાહીને બચાવવા માટે એક મોટા આંદોલનનું શાનદાર નેતૃત્વ કર્યું તેઓ દેશના ખૂબ જ પ્રભાવશાળી નેતા છે અને તેમના જ નેતૃત્વમાં અમે ગઈકાલે એક મોટી લડાઈને જીતમાં ફેરવી સંસદમાં મહિલા અનામત બિલને ૨/૩ બહુમતી ન મળવાના કારણે તે પાસ થઈ શક્યું નથી. આ મુદ્દે હવે રાજકીય ગરમાવો આવી ગયો છે. શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના દિલ ખોલીને વખાણ કર્યા છે અને તેમને દેશના અત્યંત પ્રભાવશાળી નેતા ગણાવ્યા છે. રાઉતે આરોપ લગાવ્યો છે કે આ બિલ પાછળ મોદી સરકારનું સીમાંકન (મતવિસ્તારોની પુન:રચના) અંગેનું એક મોટું ષડયંત્ર હતું, જે…

Read More