
- પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્વે મતદાર યાદી વિવાદ: લાખો નામો દૂર, ટ્રિબ્યુનલ હજુ નથી બનેલું
- ટ્રમ્પ ઈરાનને ધમકી: હોર્મુઝ બંધ રહેશે તો ખાર્ગ ટાપુ, પાવર પ્લાન્ટ્સ બોમ્બથી તબાહ
- નવો કોરોના વેરિઅન્ટ “સિકાડા” ફેલાયો ૨૩ દેશોમાં, ૭૦+ મ્યૂટેશન સાથે ચેતવણી
- પેટ્રોલ પમ્પ ડિલર્સમાં અસમંજસ: કેરોસીન વિતરણ અંગે કંપની પાસેથી કોઈ સૂચના નથી
- ONGC શરૂ કરે દમણ પ્રોજેક્ટથી ગેસ ઉત્પાદન, ગુજરાત નજીક એનર્જી સપ્લાય મજબૂત
- જર્મનીમાં ટ્રમ્પ વિરોધ: ૪૦,૦૦૦ અમેરિકન સૈનિકો અને હથિયારો બહાર કાઢવાની માગ
- અમૃતસર સરહદે પાકિસ્તાન દ્વારા ડ્રોનથી નકલી નોટો લાવવામાં આવી, બે લાખની જપ્ત
- યોગી આદિત્યનાથે નોઇડાની અંધશ્રદ્ધાને તોડી, વિકાસની દિશામાં પગલાં ભરે
Author: Garvi Gujarat
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ તથા લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદમાં સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયા દરમિયાન BLA-1, BLA-2 અને BLO દ્વારા ઘરેઘરે જઈને કરવામાં આવેલી ચકાસણી બાદ લગભગ 73,73,000 મતદારોના નામ ઘટાડવાની પ્રક્રિયા સિવાય બધી કામગીરી યોગ્ય રીતે પૂર્ણ થઈ હતી. પરંતુ આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના નેતાઓ અને…
આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ CYSS અમદાવાદ શહેર પ્રમુખ યાત્રિક પટેલે સીટીએમ ચાર રસ્તાની અત્યંત ખરાબ હાલત મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. યાત્રિક પટેલે જણાવ્યું હતું કે, જો કોઈને સીધા પાતાળલોક જવું હોય તો સીટીએમ ચાર રસ્તા પર આવી જાય. ભાજપના શાસનમાં વર્ષો પછી એવી ‘ટેકનોલોજી’ વિકસાવવામાં આવી છે કે રસ્તાઓ પરથી સીધા પાતાળમાં ઉતરી શકાય. યાત્રિક પટેલે વ્યંગાત્મક રીતે જણાવ્યું હતું કે, આપણા વિશ્વગુરુ તરીકે ઓળખાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હિમાલય તપસ્યા માટે આવા જ રસ્તેથી ગયા હશે. પરંતુ આ વિકાસના દાવાઓની હકીકત એ છે કે શહેરના મુખ્ય રસ્તાઓ પર ખાડા, ભુવા અને તૂટી ગયેલા…
અમરાપર ગૌશાળા અને મંદિરના નામે ઠગાઇ.૩ કરોડની ઠગાઇમાં મહંત સહિત ૫ આરોપીના ૨ દિવસના રિમાન્ડ.આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી, બે ફરાર આરોપીની ધરપકડ કરવા કવાયત.થાનગઢના અમરાપર ગૌશાળા અને મંદરિના નામે ૩.૦૯ કરોડની છેતરપિંડી કરનાર મહંત સહિત પાંચ આરોપીને ચોટીલા કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ મામલે મહંત સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઇ હતી. થાનગઢના અમરાપર ગામમાં આવેલી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે તેમ જ મંદિરના લાભાર્થે ટિકિટનું વેચાણ કરી અને ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આયોજકો દ્વારા ટિકિટનું વેચાણ કર્યા બાદ ડ્રો નું આયોજન કરવામાં આવવાનું હતું પરંતુ આયોજન દ્વારા કોઈ પણ…
૨૭ વર્ષની કારકિર્દીમાં મેળવી શાનદાર સિદ્ધિઓ.સુનીતા વિલિયમ્સે NASA માંથી નિવૃત્તિ લીધી!.સુનિતા વિલિયમ્સે અવકાશમાં કુલ ૬૦૮ દિવસ વિતાવ્યા છે, નાસા તરફથી જે સૌથી વધુ સમય આવકાશમાં વિતાવવા મામલે સુનિતા વિલિયમ્સ બીજા ક્રમે છે.ભારતીય મૂળના યુએસ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ૨૭ વર્ષની ઝળહળતી કારકિર્દી બાદ નાસામાંથી નિવૃત્તિ લીધી છે. નાસાના અધિકારીના જણાવ્યા મુજબ ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સુનિતા નિવૃત્તિ લીધી હતી, આ અંગે સુનીતા વિલિયમ્સ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.સુનિતા વિલિયમ્સે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ત્રણ મિશન પૂર્ણ કર્યા અને સમાનવ અવકાશ યાત્રામાં સંખ્યાબંધ રેકોર્ડ બનાવ્યા છે.નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમે એક નિવેદનમાં જણાવ્યું, “હ્યુમન સ્પેસ ફ્લાઈટમાં સુનિતા વિલિયમ્સ એક અગ્રણી નામ…
ગુજરાત સરકારનો મોટો ર્નિણય.નિવૃત્તિને આડે પાંચ વર્ષ કે ઓછો સમય બાકી હોય તેવા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ.આ ર્નિણયને કારણે રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલતી ચર્ચાઓને પૂર્ણવિરામ મળ્યો છે.ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યભરના શિક્ષકો માટે ટેટ સંબંધે મહત્વનો અને સ્પષ્ટ ર્નિણય લીધો છે. શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે જે શિક્ષકોની નિવૃત્તિમાં હવે પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે, તેવા વરિષ્ઠ શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવાની ફરજમાંથી મુક્તિ આપવામાં આવશે. આ ર્નિણયને કારણે રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલતી ચર્ચાઓને પૂર્ણવિરામ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા અગાઉ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના હેતુથી તમામ શિક્ષકો માટે ટેટ…
ગુજરાતના રાજકારણમાં ગરમાવો.‘નલ સે જલ’ કૌભાંડમાં ભાજપના વધુ એક દિગ્ગજ નેતાની ધરપકડ.નલ સેજલ કૌભાંડમાં અનુસૂચિત જાતિ મોરચો વડોદરા મહાનગર ભાજપના પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ.મહીસાગર જિલ્લામાં ગાજેલા કરોડો રૂપિયાના નલ સે જલ યોજનાના કૌભાંડમાં સીઆઈડી (CID) ક્રાઈમ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કૌભાંડમાં ભાજપના વધુ એક હોદ્દેદારની સંડોવણી બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.CID ક્રાઈમ વડોદરા દ્વારા વડોદરા મહાનગર ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત થયેલા ભ્રષ્ટાચાર મામલે CID ક્રાઈમ વડોદરા દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના ધમધમાટમાં અત્યાર સુધી અનેક ચોંકાવનારા…
ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ ટ્રમ્પને પડકાર ફેંક્યો.ગ્રીનલેન્ડમાં NATO યુદ્ધ અભ્યાસ શરુ કરો, ફ્રાન્સ પોતાની સેના મોકલશે.દાવોસમાં મૈક્રોએ કહ્યું હતું કે યુરોપ ધમકીઓની આગળ ઝૂકશે નહીં અને ડરશે પણ નહીં, ટ્રમ્પની ધમકીની ટીકા.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હાલમાં જે દેશમાંથી બરાબરની ટક્કર મળી રહી છે, તે ફ્રાન્સ છે. ગ્રીનલેન્ડના મુદ્દા પર ટ્રમ્પ ફ્રેન્ચ રાષ્ટ્રપતિને ઘણું બધું કહી ચૂક્યા છે. બંનેની વચ્ચે વિવાદ એ હદ સુધી પહોંચી ગયો છે કે ટ્રમ્પે મેક્રોના મેસેજ પણ જાહેર કરી દીધા. પહેલા તો ગ્રીનલેન્ડ પર ટ્રમ્પને સંભળાવી ચૂકેલા ફ્રાન્સે હવે ત્યાં નાટોના સૈન્ય અભિયાનની માગ કરી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ તેમાં સંપૂર્ણ સહયોગ આપવાનો દાવો કર્યો છે. મૈક્રોના નાટો અભ્યાસવાળું…
૨૦૩૦ સુધીમાં તબક્કાવાર રીતે કેન્દ્રની રચના કરાશે.ઉત્તર પ્રદેશમાં દેશનું સૌથી મોટું એઆઇ આધારિત ડેટા સેન્ટર બનશે.દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં બીજા દિવસે ઉ.પ્ર. સરકાર અને એએમ ગ્રીન સમૂહની વચ્ચે ૨.૨૭ લાખ કરોડનું એમઓયુ.ઉત્તર પ્રદેશમાં દેશનાં સૌથી મોટા એઆઇ આધારિત ડેટા સેન્ટરની રચના કરવામાં આવશે. આ સંદર્ભમાં સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં સંમેલનમાં બીજા દિવસે રાજ્ય સરકારનાં પ્રતિનિધિમંડળ અને એએમ ગ્રીન સમૂહની વચ્ચે ૨.૨૭ લાખ કરોડ રૃપિયાથી વધુના રોકાણ અંગે સમજૂતી (એમઓયુ) પર સહી કરવામાં આવી છે. કંપની ગ્રેટર નોઇડામાં કોમ્પ્યુટર ડેટા કેન્દ્રની રચના કરશે. ઉત્તર પ્રદેશ સરકારનું એક પ્રતિનિધિ મંડળ નાણાકીય પ્રધાન સુરેશ ખન્નાનાં નેતૃત્ત્વમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં સંમેલનમાં ભાગ લેવા…
વસઈના સમુદ્રમાં ઉકળતું પાણી.કુદરતી ગેસ લીકેજ કે પાઇપલાઈન ફાટી તે દિશામાં સઘન તપાસ શરૂ.શાંત સમુદ્રજળ વચ્ચે ખળભળતા ફીણવાળા પાણીના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ચિંતા ફેલાઈ.મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના સમુદ્રમાં વસઈ પાસે છેલ્લા થોડા દિવસોથી એક વિચિત્ર અને ચિંતાજનક ઘટના બની રહી છે. સમુદ્રના એક વિશાળ વિસ્તારમાં જાણે પાણી ઉકળી રહ્યું હોય એમ પરપોટા નીકળી રહ્યા છે. શાંત સમુદ્રજળ વચ્ચે ખળભળતા ફીણવાળા પાણીના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. આ ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે. નિષ્ણાતોના મતે આ ઘટનાના સંભવિત કારણો ૧. કુદરતી મિથેન ગેસ લીકેજ: આ સૌથી પ્રબળ શંકા છે. ધરતીની સપાટીની નીચે,…
સોડેરિલ મિચેલ બન્યો નંબર-૧ બેટ્સમેન.વિરાટ કોહલીને લાગ્યો મોટો ઝટકો, છીનવાયો નંબર-૧નો તાજ.મિચેલે ભારત સામેની વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરતા ૨ સદી ફટકારી હતી, જેનો તેને ફાયદો મળ્યો છે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI શ્રેણીના સમાપન પછીODI દ્વારા ODI રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક ફેરફારો થયા છે. ઇન્દોર ODI માં શાનદાર સદી ફટકારવા છતાં વિરાટ કોહલીને મોટો ઝટકો લાગ્યો છે. તો પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માને પણ નુકશાન થયું છે. જાે કે, ટીમ ઇન્ડિયા સામે સતત બે મેચોમાં સદી ફટકારનાર ડેરિલ મિશેલને મોટો ફાયદો થયો છે. તે હવે રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયો છે. તાજેતરમાં જ વિરાટ કોહલી રોહિત શર્માને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



