- ઈરાનનો મોટો દાવો : અમેરિકા-ઈઝરાયલના કરાર ભંગ બાદ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ચેતવણી
- રાજકોટના શાપર-વેરાવળમાં ફિલ્મી ઢબે 2.47 કરોડની લૂંટ, 5 બુકાનીધારીઓ ફરાર
- તાઈવાન પર ચીનની નૌસેનાની ઘેરાબંધી વધતી, દરિયાઈ તણાવ ચરમસીમાએ
- શિવસેના સ્થાપના દિવસે શિંદેનો ઉદ્ધવ પર કટાક્ષ : “કૂતરા ભસે, ટાઈગર શિકાર કરે”
- આંધ્રપ્રદેશમાં 50 ટન સોનાનો ભંડાર મળ્યો, 4 વધુ સ્થળે માઇનિંગની તૈયારી
- ઈંગ્લેન્ડ શ્રેણી પહેલા ભારતને ઝટકો : હાર્દિક પંડ્યા બહાર, કોહલીનો નિર્ણય ફિટનેસ પર નિર્ભર
- 23 જૂનથી હવામાનમાં મોટો ફેરફાર શક્ય, ચોમાસું ફરી થશે સક્રિય : IMD આગાહી
- કેએસ ભરત દુબઈમાં નવી તક શોધવા નીકળ્યો, ભારતીય ક્રિકેટમાંથી દૂર થવાનો નિર્ણય
Author: Garvi Gujarat
રાજકોટમાં કોળી સમાજના યુવાન પર થયેલા અત્યાચાર બાબતે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને જાણીતા ખેડૂત નેતા પ્રવિણ રામ કોળી સમાજના સમર્થનમાં આવ્યા છે. તેમણે એક વીડિયોના માધ્યમથી આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજકોટમાં કોળી સમાજના યુવાન પર એક આઇપીએસ અધિકારીએ બર્બરતાપૂર્વક અત્યાચાર કર્યો હોય એવી ઘટના સામે આવી છે. આ પીડિત યુવાનના કહેવા મુજબ એ યુવાનને તપાસના નામે બોલાવીને તેને નિર્વસ્ત્ર કરીને ઊંધો લટકાવીને તેના પર અત્યાચાર કરવામાં આવ્યો. ત્રણથી ચાર કલાક સુધી આ કોળી સમાજના યુવક પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. તેની સાથે એ રીતનો પણ અત્યાચાર કરવામાં આવ્યો જેના ઉપર આપણે જાહેરમાં…
કોળી સમાજના એક યુવાન પર થયેલા અમાનવીય અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગતરોજ રાત્રે ફેસબૂક લાઈવના માધ્યમથી કડક પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે. એક IPS અધિકારી દ્વારા એક કોળી સમાજના યુવાન પર આ પ્રકારનો બેરહેમ અત્યાચાર કરવામાં આવ્યો છે કે આજે આખું ગુજરાત હચમચી ગયું છે, આ ઘટના ખૂબ જ નિંદનીય અને શરમજનક ઘટના છે. ગુજરાતની બહારથી આવેલા એક અધિકારીએ ગુજરાતના દીકરા પર અત્યંત નિર્દયતાપૂર્વક માર મારીને ખૂબ જ અત્યાચાર કર્યો છે. માહિતી અનુસાર યુવાનને ઊંધો લટકાવીને પટ્ટાથી માર મારવામાં આવ્યો અને તેના કમરથી…
મોંઘા રો-મટિરિયલ અને ભાડા વધતા ઉદ્યોગકારોની હાલત કફોડી.યુદ્ધને પગલે નિકાસ અટકતાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં કાપડનો ભરાવો.હાલમાં સુરતના કાપડ વેપારીઓ આ સંકટમાંથી ઉગરવા માટે સરકાર પાસે વિશેષ રાહત પેકેજની માંગ કરી રહ્યા છે.યુદ્ધની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસના માર્ગાે અવરોધાતા સુરતના કાપડ બજારમાં ભારે મંદીનો માહોલ છવાયો છે. ખાસ કરીને યુરોપ અને ગલ્ફ દેશોમાં થતી મોટાપાયે નિકાસ હાલ અટકી પડી છે અને ઓર્ડર્સમાં પણ ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે. આ પરિસ્થિતિને કારણે સુરતના વેપારીઓ પાસે તૈયાર કાપડનો સ્ટોક સતત વધી રહ્યો છે. આ સ્થિતીમાં અનેક ઉદ્યોગકારોએ ઉત્પાદનમાં કાપ મૂકવાની ફરજ પડી છે. નવી પ્રોડક્શન સાયકલ ખોરવાતા આખા ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું…
નવી બાલેન શાહ સરકારની કડક એક્શન.નેપાળના પૂર્વ વડાપ્રધાન કે. પી. ઓલીની ધરપકડ કરાઈ.આ ધરપકડ પાછળ ગત વર્ષે સપ્ટેમ્બરમાં થયેલા ‘Gen Z’ આંદોલનના હિંસક વળાંકને જવાબદાર માનવામાં આવે છે.નેપાળના રાજકારણમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર જાેવા મળ્યો છે. નવી રચાયેલી બાલેન શાહ સરકારે સત્તા સંભાળતાની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન બાલેન શાહના નેતૃત્વમાં મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવાયેલા કઠોર ર્નિણય બાદ, પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડ કરવામાં આવી છે.આ ધરપકડ પાછળ ગત વર્ષે સપ્ટેમ્બરમાં થયેલા ‘ય્ીહ ઢ’ આંદોલનના હિંસક વળાંકને જવાબદાર માનવામાં આવે છે. આંદોલન દરમિયાન નિ:શસ્ત્ર વિદ્યાર્થીઓ પર થયેલા ગોળીબારમાં અનેક યુવાનોના…
હુમલા બાદ ઈરાનની સૈન્ય પાંખ IRGC એ વળતો પ્રહાર કરવાની જાહેરાત કરી.અમેરિકાએ ઈઝરાયલ સાથે મળી ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો.વળતા હુમલાની ભીતિને પગલે ઈરાને ઔદ્યોગિક વિસ્તારોની ૧ કિમીની ત્રિજ્યામાં રહેતા નાગરિકોને ઘર ખાલી કરવા આદેશ આપ્યો છે.મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના સરકારી મીડિયાના દાવા મુજબ, ઈરાનના અત્યંત સંવેદનશીલ ગણાતા ખૌંદાબ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં હેવી-વોટર રિએક્ટર અને યલોકેક પ્રોડક્શન પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યા છે.ઈરાનના અત્યંત સંવેદનશીલ ગણાતા ‘ખૌંદાબ’ ન્યુક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા આ…
બાહુબલી અને ધુરંધરની સફળતા બાદ ર્નિણય.પ્રિયંકા ચોપરાની વારાણસી ફિલ્મ પણ બે ભાગમાં રજૂ કરાશે.હૈદરાબાદમાં ઊભાં કરાયેલાં વારાણસી શહેરના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા.પ્રિયંકા ચોપરા તથા મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન સહિતના કલાકારોની ફિલ્મ ‘વારાણસી’ પણ ‘બાહુબલી’ અને ‘ધુરંધર’ જેમ બે ભાગમાં રજૂ કરાય તેવી શક્યતા છે. ફિલ્મ સર્જક એસ.એસ. રાજામૌલીએ ખુદ ‘બાહુબલી’થી આ ટ્રેન્ડ સેટ કર્યાે હતો. હવે ‘ધુરંધર’ની સફળતા બાદ તેમણે આ ટ્રેન્ડને આગળ વધારવા નક્કી કર્યું હોવાનું કહેવાય છે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મનું કથાવસ્તુ એટલા વિશાળ ફલક પર છે કે તેને ત્રણથી ચાર કલાકની એક ફિલ્મમાં સમેટી શકાય તેમ નથી. દરમિયાન, આ ફિલ્મ માટે…
રાજકુમાર રાવ, સાન્યાની.રાજકુમાર રાવ, સાન્યાની.ફિલ્મમાં અર્ચના પુરણ સિંહ, અભિષેક બેનર્જી, ફરાહ ખાન, ઉપેન્દ્ર લિમયે, વિનોદ રાવત અને સીમા પાહવા હશે.નેટફ્લિક્સે તેની આવનારી ડાર્ક કોમેડી ફિલ્મ ‘ટોસ્ટર’ની જાહેરાત કરી છે, જે એક સામાન્ય વસ્તુને કેન્દ્રમાં રાખીને સર્જાતી અણધારી અને હાસ્યાસ્પદ ઘટનાઓની ચેઇન દર્શાવે છે. ૧૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સ્ટ્રીમ થનાર આ ફિલ્મની વાર્તા એક નાની લાગતી પરિસ્થિતિથી શરૂ થાય છે — એક લગ્ન ભેટ, જે લગ્ન તૂટી ગયા પછી પણ ભૂલાઈ નથી. ફિલ્મનું ડિરેક્શન વિવેક દાસ ચૌધરીએ કર્યું છે અને આ પત્રલેખા માટે પણ પ્રોડ્યુસર તરીકે આ ફિલ્મ મહત્વની છે, જેણે પોતાની કંપની કામ્પા ફિલમ્સ સાથે આ પ્રોજેક્ટ શરૂ કર્યાે છે.…
તમને મજાક સુઝે છે ?.બોમન ઈરાનીના ટ્રમ્પની મજાકનાં વીડિયોથી અભિનેત્રી ભડકી.ઈરાનમાં વર્ષાેથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ફાંસી, ધરપકડ ચાલી રહી છે : મંદાના કરીમી.ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બોલિવૂડ અભિનેતા બોમન ઈરાની પોતાના પોસ્ટ કરેલા એક વીડિયોને કારણે ચર્ચામાં આવ્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ ‘ઈરાનીઓ’ના સાથે સંપર્કમાં છે અને શાંતિ વાટાઘાટો ચાલી રહી છે. આ નિવેદન પછી ટ્રમ્પને ટ્રોલનો સામનો કરવો પડ્યો.આ બધા વચ્ચે એક વાઈરલ પોસ્ટ પર કટાક્ષ કરવામાં આવ્યો હતો કે, ટ્રમ્પ કદાચ અણા ઈરાની, સ્મૃતિ ઈરાની અને બોમન ઈરાની જેવી ભારતીય હસ્તીઓનો ઉલ્લેખ કરી રહ્યા હશે! હવે,…
સાંપ્રત સમયમાં કોઈ પણ મિડિયા પર અત્યારે સંભવિત યુદ્ધનાં સમાચારો અને એની સાથે જોડાયેલી અફવાનું બજાર ગરમ છે! અને એટલે આવી ખોટી અફવા ફેલાય નહીં, એટલે સરકારે સોશિયલ મીડિયા પર યુદ્ધને લગતાં કોઈપણ પ્રકારનાં સમાચાર પર પ્રતિબંધ મુકી દીધો છે!; સરકારે તેલ કંપનીઓ પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારે નહીં, અને આમ જનતાના ફાયદા માટે પેટ્રોલ ડીઝલ પરની એકસાઈઝ ડ્યુટી ઘટાડી દીધી! જ્યારે અન્ય દેશોમાં ભાવ વધારો ઝીંકાયો છે! રાંધણ ગેસ એટલે કે એલપીજીનાં વિકલ્પ તરીકે પીએનજી કનેક્શન વધારવા માટેની જોગવાઇ પણ શરૂ કરાઈ છે. જોકે આપણે એમાં પણ જવું નથી, પરંતુ મૂળમાં આ પરિસ્થિતિનું કારણ શું છે? એ જોઈએ તો! ઈરાન…
(છગનલાલ મેવાડા ધ્વારા) દેશભરની જેલોમાં જેલની ક્ષમતા કરતાં વધુ કેદીઓની સંખ્યા અને અમાનવીય સ્થિતિ અંગે કડક વલણ અપનાવી ને સુપ્રીમ કોર્ટે તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૧૮ મે,૨૦૨૬ સુધી જેલો અંગેની સર્વગ્રાહી તાજી માહિતી સુપરત કરવાનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે મહિલા જેલોની સંખ્યા અને તેમના માટે ઉપલબ્ધ સુવિધા અંગેની પણ માહિતી માંગી છે. સુપ્રીમ કોર્ટે જેલોમાં અમાનવીય સ્થિતિ અંગે સુઓ-મોટો કેસની સુનાવણી કરતાં આ આદેશ જારી કર્યો હતો. આ કેસમાં એમિકલ ક્યુરી( ભાવનાત્મક ઉપચાર, ભાવનાત્મક તણાવ, ચિંતા અથવા ડિપ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે થાય છે.) તરીકે કોર્ટને મદદ કરી રહેલા સિનિયર એડવોકેટ ગૌરવ અગ્રવાલે ધ્યાન દોર્યું હતું કે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



