Author: Garvi Gujarat

અમદાવાદ મંડળ, પશ્ચિમ રેલવે દ્વારા જાણ કરવામાં આવે છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તા. 31 માર્ચ, 2026ના રોજ ગુજરાત રાજ્યમાં ₹891 કરોડના ખર્ચે વિવિધ મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત ખેડબ્રહ્મા – હિંમતનગર – અમદાવાદ (અસારવા) વચ્ચે નવી ટ્રેન સેવાનો શુભારંભ તેમજ ખેડબ્રહ્મા – હિંમતનગર રેલખંડનું રાષ્ટ્રને સમર્પણ સામેલ છે. આ જ ક્રમમાં, આજે તા. 28 માર્ચ, 2026ના રોજ ખેડબ્રહ્માથી વડાલી સુધીનું સફળતાપૂર્વક ₹10ના મૂલ્યની ટેસ્ટ ટિકિટ જારી કરીને પરિચાલનની પરીક્ષણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી, જે આ નવી રેલ સેવાના શુભારંભની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ પરીક્ષણ યાત્રીઓ માટે ટિકિટિંગ વ્યવસ્થા, પરિચાલન…

Read More

મુંદ્રા અને મેંગલોર પોર્ટ પર ગેસ ખાલી કરાશે સાઉદીથી ૪૮,૦૦૦ ટન LPG ભરેલું વિશાળ જહાજ મુંદ્રા પોર્ટ પહોંચશે દેશમાં રાંધણ ગેસની વધતી જતી માંગ વચ્ચે આટલો મોટો જથ્થો આવવાથી ગેસ વિતરણ વ્યવસ્થામાં ગતિ આવશે ભારતની ઉર્જા સુરક્ષા અને રાંધણ ગેસ (LPG) ના પુરવઠાને વધુ મજબૂત કરવા માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાઉદી અરેબિયાના યાનબો પોર્ટથી નીકળેલું વિશાળ ગેસ જહાજ ‘AL AIN’ રવિવારની વહેલી સવારે કચ્છના મુંદ્રા પોર્ટ પર લાંગરશે. આ જહાજ ભારત માટે હજારો ટન એલપીજીનો જથ્થો લઈને આવી રહ્યું છે, જેનાથી દેશમાં ગેસની સપ્લાય ચેઈન વધુ સુદ્રઢ બનશે. મળતી માહિતી મુજબ, ‘AL AIN’ જહાજ કુલ ૪૮,૦૦૦ મેટ્રિક…

Read More

હીરા કારીગરોને મળી મોટી રાહત નવસારીથી સુરત ડાયમંડ બુર્સ સુધી બસ સેવા શરુ કરાઇ રોજિંદા અપડાઉન કરતા લોકો માટે મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બની ગઈ છે દક્ષિણ ગુજરાતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો રત્ન કલાકારો અને વેપારીઓ માટે એક મોટી ખુશખબર સામે આવી છે. નવસારી એસટી ડેપોથી સુરત ડાયમંડ બુર્સ સુધી સીધી બસ સેવા શરૂ કરવામાં આવી છે, જેનાથી રોજિંદા અપડાઉન કરતા લોકો માટે મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બની ગઈ છે. સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ થયા પછી નવસારી, વલસાડ અને આસપાસના વિસ્તારોમાંથી અનેક રત્ન કલાકારો રોજ કામ માટે સુરત જતા હતા. પરંતુ યોગ્ય અને સમયસર પરિવહન સુવિધાના અભાવે…

Read More

૬૦% વસતી ધરાવતા શિયા મુસ્લિમો નારાજ અરબ દેશ બહેરીનમાં સત્તા પરિવર્તનના ભણકારા! બહેરીનમાં અમેરિકાના ફિફ્થ ફ્લીટનું મુખ્ય મથક આવેલું છે. આ એ જ મથક છે જેને શરૂઆતમાં ઈરાને નિશાન બનાવ્યું હતું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની જ્વાળાઓ હવે ખાડી દેશોના આંતરિક માળખાને દઝાડી રહી છે. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષની સૌથી ગંભીર અસર અત્યારે બહેરીનમાં જાેવા મળી રહી છે. ભૌગોલિક રીતે નાના પણ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના એવા આ દેશમાં આંતરિક વિખવાદ અને સત્તા સામેનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. બહેરીનની સામાજિક સંરચના લાંબા સમયથી સંવેદનશીલ રહી છે. અહીં અંદાજે ૬૦% વસ્તી શિયા સમુદાયની છે, પરંતુ શાસન લઘુમતી ગણાતા…

Read More

લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કાર્યવાહી ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક : હર્ષ સંઘવી રાજ્ય સરકાર દ્વારા બધી જ વ્યવસ્થા કરાઈ રહી છે ઈરાન યુદ્ધને કારણે વિશ્વના અનેક દેશો જાણે થંભી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. વિશ્વમાં નવા પ્રકારના એનર્જિ લોકડાઉનનો ડર લાગી રહ્યો છે. આ વચ્ચે શું દેશમાં ફરી લોકડાઉન લાગશે તેવી ભીતિ સતાવી રહી છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકડાઉન અંગે મોટું નિવેદન આપ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પત્રકાર પરિષદમાં લોકડાઉન વિશે કહ્યું કે, સામાન્ય નાગરિકોએ અફવાથી ડરવાની જરૂર નથી. રાજ્ય સરકાર દ્વારા બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી…

Read More

પૂર્વ જજે કહ્યું કે, મને સમજાતું નથી કે મારે કોનો સંપર્ક કરવો ૨ વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ શાહિદુલ્લાહ મુનશીનું નામ મતદાર યાદીમાં નોટ ફાઉન્ડ ગણાવી દીધું છે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ શાહિદુલ્લાહ મુનશીનું નામ મતદાર યાદીમાં નોટ ફાઉન્ડ ગણાવી દીધું છે. ચોંકાવનારી વાત એ છે કે, તેમણે બે વાર પોતાના ડૉક્યુમેન્ટ જમા કરાવ્યા હતા અને ચૂંટણી પંચની ચકાસણી પ્રક્રિયામાંથી પણ પસાર થયા હતા. પૂર્વ જજે કહ્યું કે, મને સમજાતું નથી કે મારે કોનો સંપર્ક કરવો. પૂર્વ જજ મુનશી અને તેમના પરિવારના…

Read More

સોનાના ભાવમાં ૫.૭૭ ટકાનો વધારો નોંધાયો સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂપિયા ૭,૮૦૦થી વધુનો વધારો હાલમાં ગોલ્ડ ફ્યુચર્સ આશરે ૧,૪૪,૫૦૦ રૂપિયા પર અને સિલ્વર ફ્યુચર્સ ૨,૨૭,૭૫૦ રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે યુદ્ધના કારણે વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ઘટાડા વચ્ચે આ સપ્તાહે સોનાના ભાવમાં ૫.૭૭ ટકાનો વધારો નોંધાયો છે. શુક્રવારે MCX (મલ્ટી કોમોડિટી માર્કેટ)માં ગોલ્ડ એપ્રિલ વાયદામાં ૦.૧૫ ટકાની વૃદ્ધિ જાેવા મળી હતી, જ્યારે MCX સિલ્વર મે વાયદામાં ૦.૦૯ ટકાનો નજીવો ઘટાડો થયો હતો. હાલમાં ગોલ્ડ ફ્યુચર્સ આશરે ૧,૪૪,૫૦૦ રૂપિયા પર અને સિલ્વર ફ્યુચર્સ ૨,૨૭,૭૫૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના ડેટા…

Read More

સ્થાનિક પુરવઠો જાળવવા અને કિંમતોને સ્થિર કરવા નિર્ણય ૧ એપ્રિલથી અન્ય દેશોને પેટ્રોલ વેચવાનું બંધ કરી દેશે રશિયા પ્રતિબંધ આગામી ચાર મહિના માટે ચાલુ રહેવાની ધારણા રશિયાએ પેટ્રોલના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. રશિયન સરકારે ૨૮ માર્ચે આ જાહેરાત કરી હતી. રશિયન સરકારે જણાવ્યું હતું કે આ ર્નિણય સ્થાનિક પુરવઠો જાળવવા અને કિંમતોને સ્થિર કરવા માટે લેવામાં આવ્યો છે. પુતિનના નેતૃત્વ હેઠળની સરકારનો આ ર્નિણય એવા સમયે આવ્યો છે, જ્યારે ઈરાન યુદ્ધને કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે, અને સપ્લાય ચેઇન પણ ભારે ખોરવાઈ ગઈ છે. આ નવો ર્નિણય ૧ એપ્રિલ,…

Read More

નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા વડાપ્રધાન મોદી યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો વડાપ્રધાન મોદીએ રિમોટનું બટન દબાવીને જેવર એરપોર્ટનું પહેલા તબક્કાનું ઉદ્ધાટન કર્યું : આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે(૨૮ માર્ચ) ઉત્તરપ્રદેશના જેવરમાં નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. આ એરપોર્ટ દિલ્હી-દ્ગઝ્રઇ વિસ્તારનું બીજું મોટું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બનશે, જેનાથી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર મુસાફરોનો વધતો જતો ભાર ઓછો કરવામાં મોટી મદદ મળશે. કાર્યક્રમની વિગતો મુજબ, વડાપ્રધાને સવારે લગભગ ૧૧:૩૦ વાગ્યે એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ બપોરે ૧૨ વાગ્યે વિધિવત રીતે તેનું લોકાર્પણ કર્યું…

Read More

આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે જે રીતે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર પોલીસ દ્વારા ઠાકોર સહિત પછાત સમાજના લોકો ઉપર અન્યાય કરવામાં આવી રહ્યો છે અને બર્બતા પૂર્વક બેરહેમીથી મારપીટ કરવામાં આવી રહી છે તેમજ ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે, તે ચિંતાજનક બાબત છે. તેમણે જણાવ્યું કે બગદાણા, આણંદ અને તાજેતરમાં રાજકોટની ઘટનાઓ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજકોટમાં સુરેશભાઈ નામના ઠાકોર સમાજના પત્રકાર યુવાનને બેરહેમીથી પોલીસ સ્ટેશનમાં લાવીને ઢોરમાર મારવામાં આવ્યો. સુરેશભાઈનો ગુનો માત્ર એટલો હતો કે તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવતા હતા. રાજકોટના એક…

Read More