Author: Garvi Gujarat

ભ્રષ્ટ ભાજપ દ્વારા સુરેન્દ્રનગરમાં નગરપાલિકાના ભ્રષ્ટાચાર સામે લડી રહેલા આમ આદમી પાર્ટીના સિનિયર નેતા કમલેશ કોટેચા સહિત નેતાઓ પર ખોટી ફરિયાદ દાખલ કરીને જેલમાં ધકેલી દેવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો લોકોના અધિકારો માટે જેલ જવા પણ તૈયાર હોય, આજે મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં પોલીસ સ્ટેશન પહોંચીને સાબિત કરી દીધું કે અમે તમારી જેલથી ડરતા નથી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા કમલેશ કોટેચાએ જણાવ્યું હતું કે, મુખ્ય બાબત એ છે કે સુરેન્દ્રનગરના રહેવાસીઓને રોડ રસ્તા લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ મુદ્દે અનેક સમસ્યાઓ છે અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરોડોનું ભ્રષ્ટાચાર કરવામાં આવે…

Read More

આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAPના મધ્ય ઝોન પ્રમુખ યાત્રિક પટેલે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ગુજરાતના યુવાનો અને ગુજરાતના વિદ્યાર્થીઓ પર અત્યાચાર અને અન્યાય કરવામાં આવી રહ્યો છે, જેના કારણે યુવાનો હવે ભાજપને પસંદ પણ કરતા નથી અને ભાજપના નેતાઓની રેલીઓમાં પણ જવા માંગતા નથી. તો હવે જ્યારે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે તો એમના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે વિદ્યાર્થીઓ પણ દબાણ કરવામાં આવી રહ્યું છે અને બળજબરીપૂર્વક આ રેલી અને સભામાં લઈ જવામાં આવી રહ્યા છે. અમને જાણકારી મળી છે કે ગુજરાતની 47 એન્જિનિયરિંગ…

Read More

દહેગામના ખેડુતો અને પશુપાલકો દ્વારા કડજોદરા મુકામે એક જનસંમેલન યોજાયું હતું, જેમાં દહેગામના ખેડુતો અને પશુપાલકોની એક જ માંગણી “વાદ નહીં, વિવાદ નહીં અને મધુર સિવાય વાત નહીં” ગુંજી ઊઠી હતી. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો તથા આગેવાનો હાજર રહ્યા હતા. ખેડૂતોને સમર્થન આપવા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાય અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગોપાલ રાયે સંબોધન કરતાં જણાવ્યું હતું કે આ આંદોલન માત્ર દહેગામના લોકો પૂરતું સીમિત નથી, પરંતુ સાંબરકાંઠા, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના લોકોનું આંદોલન બની ગયું છે અને આખું ગુજરાત તેમના સમર્થનમાં ઉભું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતનું મીની ભારત કહેવાતું સુરત શહેર વિવિધતામાં એકતા સમાન છે. જ્યાં દરેક પ્રાંતના લોકો આવીને શહેરના વિવિધ સ્થળોએ વસવા લાગતા શહેરની વસ્તીમાં પણ વધારો થતાં જમીનોના ભાવ ઊંચકાવા લાગ્યા અને એનો ગેરલાભ ઉઠાવીને કેટલાક ખંધા બિલ્ડરોએ મહાકાલ ગ્રુપના વકીલો કે જેઓ કોર્ટમા પ્રેક્ટીસ કરતાં નથી તેઓ મારફતે કોઠા કબાડાની કરોડોની જમીનો તેઓના ટેબલ ઉપરથી નિકાલ કરાવતા હોય છે. ત્યારે આજે પણ મોટી ઉંમરના વકીલો તેઓનું ગુજરાન ચલાવવા માટે વ્હીલચેરમાં આવી પ્રેક્ટીસ કરવાની ફરજ પડી છે. અને તેઓ જિંદગીભર વકીલાત કરતાં કરતાં માંડ માંડ ઘર કે નાની ઓફિસ કે એક ફોરવ્હીલ વસાવી શકયા છે. જેની સામે કેટલાક…

Read More

સોનાના વાયદામાં રૂ.1418, ચાંદીના વાયદામાં રૂ.3567 અને ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.200ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.27350.41 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66293.13 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18399.44 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 35467 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.93645.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.27350.41 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.66293.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 35467 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2426.51 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18399.44 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.142100ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.145797 અને…

Read More

શ્રીલંકાના સાંસદ નેતા નમલ રાજપક્ષાએ ભારતનો આભાર માન્યો.ભારતે સંકટના સમયે શ્રીલંકાને ૩૮ હજાર ટન પેટ્રોલિયમની સહાય કરી.જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય હોય કે આર્થિક સહાય, ભારતે હંમેશા પોતાની ‘પડોશી પ્રથમ’ની નીતિનું સચોટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે તેલ પુરવઠાને લઈને ચિંતા વધી રહી છે. આવી કટોકટીની સ્થિતિમાં ભારત ફરી એકવાર પડોશી દેશ શ્રીલંકાની મદદે આવ્યું છે. શ્રીલંકાના સાંસદ અને નેતા નમલ રાજપક્ષાએ મુશ્કેલ સમયમાં ૩૮,૦૦૦ ટન પેટ્રોલિયમની સમયસર આપૂર્તિ કરવા બદલ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સોશિયલ મીડિયા દ્વારા હૃદયપૂર્વક આભાર માન્યો છે. નમલ રાજપક્ષાએ જણાવ્યું હતું કે ભારત હંમેશા શ્રીલંકા માટે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’…

Read More

નવી ગાઈડલાઈન્સ જાહેર કરાઈ.૨૦ એપ્રિલથી ફ્લાઈટમાં ૬૦% સીટ વધારાના ચાર્જ વગર ઓફર થશે.સીટ એલોકેશનમાં પણ એરલાઈન્સ દ્વારા પારદર્શક પ્રક્રિયાનું પાલન થશે: DGCA.સઉડ્ડયન ક્ષેત્ર પર દેખરેખ રાખતી એજન્સી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા એરલાઈન્સ કંપનીઓની નફાખોરી પર લગામ કસવા આખરે પ્રયાસ થયો છે. DGCA ના જણાવ્યા મુજબ, ૨૦ એપ્રિલથી એરલાઈન્સ એજન્સીઓ વધારાનો ચાર્જ લીધા સિવાય ઓછામાં ઓછી ૬૦ ટકા બેઠકની ફાળવણી કરશે. સીટ એલોકેશનની પ્રક્રિયાને પણ આ સાથે પારદર્શક બનાવવામાં આવશે. અગાઉ ૧૮ માર્ચે કેન્દ્ર સરકારના ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન્સ કંપનીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરવાની સૂચના DGCA ને આપી હતી. જેના ભાગરૂપે નવી ગાઈડલાઈન્સ જાહેર કરાઈ છે. સરકારની સૂચના અન્વયે…

Read More

ઉત્તર કોરિયાના શસ્ત્ર કાર્યક્રમમાં આ એક સીમાચિહ્નરૂપ પગલું છે : કિમ જાેંગ.ઉત્તર કોરિયાએ ‘સુપર પાવર’ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું.ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરવામાં આવેલા હાઈ-થ્રસ્ટ સોલિડ-ફ્યુઅલ એન્જિન ટેસ્ટની સરખામણીએ આ વખતનું એન્જિન ઘણું શક્તિશાળી છે.ઉત્તર કોરિયાએ ફરી એકવાર પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા ‘સુપર પાવર’ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ ઐતિહાસિક ક્ષણે દેશના સર્વાેચ્ચ નેતા કિમ જાેંગ ઉન ખુદ હાજર રહ્યા હતા અને તેમણે અપગ્રેડ કરવામાં આવેલા રોકેટ એન્જિનના ગ્રાઉન્ડ ટેસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. રવિવારે સરકારી મીડિયાએ આ માહિતી આપતા જણાવ્યું કે, ઉત્તર કોરિયાના શસ્ત્ર કાર્યક્રમમાં આ એક સીમાચિહ્નરૂપ પગલું છે.ડિફેન્સ એક્સપર્ટ્સનું માનવું છે કે ઉત્તર કોરિયા હવે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક…

Read More

એક ભારતીયનું મોત.મિડલ-ઈસ્ટ યુદ્ધ: કુવૈતના પાવર સ્ટેશન પર ઈરાનનો હુમલો!.અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૩,૦૦૦ થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની આગમાં હવે પાડોશી દેશોને પણ ઝપેટમાં લીધા છે. ઈરાન દ્વારા કુવૈતના પાવર સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટનમાંમાં એક ભારતીય કામદારનું મોત નીપજ્યું હોવાનું કુવૈતના વીજ મંત્રાલયે પુષ્ટિ કરી હતી. હુમલામાં પાવર સ્ટેશનની ઈમારતને પણ ભારે નુકસાન થયું છે. બીજી તરફ, ઈરાની મીડિયાના અહેવાલ મુજબ ઈરાનના ઉત્તરી પ્રાંતમાં આવેલી તબરીઝ પેટ્રોકેમિકલની ફેસિલિટી પર પણ વળતો હુમલો કરવામાં આવ્યો હતો, જાેકે સદનસીબે ત્યાંથી કોઈ જાેખમી પદાર્થાે…

Read More

અનીત પડ્ડાની બહેનની ભારે ઝાટકણી.ધુરંધરની ટીકા માટે ટ્રોલ થયા બાદ રીત પડ્ડાનું ઈન્સ્ટા એકાઉન્ટ ડિલીટ.અનીતની બહેન રીત એક પાકિસ્તાની સાથે રિલેશનશિપમાં હોવાનો આરોપ પણ મુકવામાં આવ્યો હતો.‘સૈયારા’ ફિલ્મથી જાણીતી બનેલી અનીત પડ્ડાની બહેન રીત પડ્ડાએ રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ની આકરી ટીકા કર્યા બાદ તે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ હતી. આખરે રીતે પોતાનું ઈન્સ્ટા એકાઉન્ટ તથા લિંક્ડ ઈન પ્રોફાઈલ પણ ડિલીટ કરી દીધાં હોવાનું કહેવાય છે. રીત પડ્ડાની ઈન્સ્ટા પ્રોફાઈલ સર્ચ કરતાં હવે આ એકાઉન્ટ અસ્તિત્વમાં નથી તેવો મેસેજ જાેવા મળ્યો હતો. પેરિસમાં માર્કેટિંગ પ્રોફેશનલ તરીકે કામ કરતી રીતે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ‘ધુરંધર’ પણ ‘કાશ્મીર…

Read More