Author: Garvi Gujarat

૧૯.૫૪ કિલોમીટર લાંબા કોરિડોરનું નિરીક્ષણ.મુંબઇમાં ફરી દોડશે મોનોરેલ, પેસેન્જરને આધુનિક સુવિધાનો મળશે લાભ.આ સિદ્ધિને જાહેર ઉપયોગ માટે મોનોરેલ સેવા ફરી શરૂ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.મુંબઈવાસીઓની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. નવી, સુરક્ષિત, સ્માર્ટ અને ઝડપી મોનોરેલ સેવા ટૂંક સમયમાં ફરી કાર્યરત થવાની તૈયારીમાં છે. અપડેટેડ મોનોરેલને તેના નવા રોલિંગ સ્ટોક અને CBTC-આધારિત સિગ્નલિંગ સિસ્ટમ માટે જરૂરી સુરક્ષા સર્ટી મેળવી લીધું છે. આ સલામતી પ્રમાણપત્ર બ્યુરો વેરિટાસ દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું, જે એક વૈશ્વિક પરીક્ષણ અને નિરીક્ષણ સંસ્થા છે, જે સ્વતંત્ર સલામતી મૂલ્યાંકનકાર તરીકે કાર્ય કરે છે. આ સિદ્ધિને જાહેર ઉપયોગ માટે મોનોરેલ સેવા ફરી…

Read More

આગામી ચૂંટણીઓ માટે મહત્વપૂર્ણ બની રહી છે.ભારતમાં ૪ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની ફાઈનલ મતદાર યાદી જાહેર.આ અપડેટમાં મતદાતાઓની સંખ્યા વધેલી છે અને નવા નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ સૂચિ SIR (સર્વે ઓફ ઇલેક્ટોરલ રોલ) પછી પ્રકાશિત કરવામાં આવી છે અને આગામી ચૂંટણીઓ માટે મહત્વપૂર્ણ બની રહી છે. આ અપડેટમાં મતદાતાઓની સંખ્યા વધેલી છે અને નવા નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નોંધનીય છે. રાજસ્થાન:રાજસ્થાનમાં કુલ ૫.૧૫ કરોડ મતદારો છે. જેમાં પુરુષ મતદાતાઓની સંખ્યા ૨,૬૯,૫૭,૮૮૧ છે, જ્યારે મહિલા મતદાતાઓની સંખ્યા ૨,૪૫,૬૧,૪૮૬ છે. ઉપરાંત રાજ્યમાં ૫૬૨ ટ્રાન્સજેન્ડર મતદારો દાખલ થયા છે. આ ફાઈનલ સૂચિ રાજ્યમાં મતદાર પંજિકરણ અને આગામી ચૂંટણી માટે…

Read More

રોહિત પવારના ગંભીર આક્ષેપો.રોહિત પવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુના રાજીનામાની માંગ કરી.આ દુર્ઘટના પાછળ કોઈ મોટા કાવતરાની આશંકા વ્યક્ત કરી છ.મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન અકસ્માત મામલે NCP (SP) નેતા રોહિત પવારે શનિવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. રોહિત પવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુના રાજીનામાની માંગ કરી છે અને આ દુર્ઘટના પાછળ કોઈ મોટા કાવતરાની આશંકા વ્યક્ત કરી છે. રોહિત પવારે જણાવ્યું કે તેમણે આ અકસ્માત અંગે પોતાની રીતે તપાસ કરી છે, જેમાં અનેક ચોંકાવનારી ક્ષતિઓ સામે આવી છે. પ્રભાવશાળી લોકોનું સંરક્ષણ થઇ રહ્યું હોવાના આક્ષેપ સાથે દાવો કર્યો કે,…

Read More

PM મોદી ફરીથી સરન્ડર કરશે.ટેરિફ કેસમાં US કોર્ટના ચુકાદા વચ્ચે રાહુલ ગાંધીના પ્રહાર.ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં દેશના હિતો સાથે સમાધાન કરવામાં આવ્યું છે અને હવે તેની સત્યતા સામે આવી રહી છે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ (આયાત શુલ્ક) ને લઈને સર્જાયેલા વિવાદે હવે ભારતના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે આરોપ લગાવ્યો છે કે, ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં દેશના હિતો સાથે સમાધાન કરવામાં આવ્યું છે અને હવે તેની સત્યતા સામે આવી રહી છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં…

Read More

નાના વેપારીઓની લડાઈ અને નીલ કાત્યાલની મજબૂત રજૂઆત.ભારતીય મૂળના વકીલે ટ્રમ્પના ટેરિફ સામ્રાજ્યને હચમચાવી દીધું.કાત્યાલ ભૂતકાળમાં બરાક ઓબામાના શાસનકાળ દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ તરીકે સેવા આપી ચૂક્યા છે.અમેરિકાના ન્યાયિક ઇતિહાસમાં એક ખૂબ જ મહત્ત્વનો અને મોટો ઉલટફેર જાેવા મળ્યો છે. અમેરિકન સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપતા તેમના ટેરિફ લાદવાના ર્નિણયને રદ કરી દીધો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જનતા પર ટેરિફ કે ટેક્સ લગાવવાનો અધિકાર માત્ર કોંગ્રે (સંસદ) પાસે છે, અમેરિકન પ્રમુખ પાસે નહીં. આ ઐતિહાસિક ચુકાદામાં ટ્રમ્પ વિરુદ્ધ કાનૂની લડાઈ લડવાનો શ્રેય એક ભારતીય મૂળના ધારાશાસ્ત્રી નીલ કાત્યાલને જાય છે. કાત્યાલ ભૂતકાળમાં બરાક ઓબામાના શાસનકાળ…

Read More

બંને દેશોએ મહત્વકાંક્ષી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા./ભારત અને બ્રાઝિલ બંને દેશો વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા.આ ટ્રેડ ડીલથી આગામી સમયમાં બંને દેશો વચ્ચે વ્યાપારિક આદાનપ્રદાન વધવાની સાથે સંરક્ષણ, ટેકનોલોજી અને કૃષિ જેવા ક્ષેત્રોમાં પણ સહકારના નવા દ્વાર ખુલશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.ભારત અને બ્રાઝિલના સંબંધોમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે, જ્યારે બંને દેશોએ મહત્વકાંક્ષી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લૂલા ડી સિલ્વા વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય વાટાઘાટોમાં અર્થતંત્રને નવી ગતિ આપી શકે તેવા અનેક મહત્વના મુદ્દાઓ પર સહમતિ બની છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાતના તાજેતરના બજેટ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. આ પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના તાજેતરના બજેટ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સાથે સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામ હાજર રહ્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે બજેટથી સામાન્ય જનતાને મોટી અપેક્ષા હોય છે, કારણ કે ઘરેલું અર્થતંત્ર પર સરકારી બજેટનો સીધો પ્રભાવ…

Read More

આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા નર્મદા જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલન તથા ફરિયાદ નિવારણ સમિતિની બેઠક બાદ મીડિયા સમક્ષ મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગોના વર્ગ-૧ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્યએ જણાવ્યું કે નર્મદા જિલ્લાના હિતને લગતા અનેક પ્રશ્નો બેઠકમાં ઉઠાવવામાં આવ્યા. પોષણ સુધા યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતું મેનુ અને દર બાળક દીઠ મળતી રૂ. 25 ની સહાય અંગે ચર્ચા કરવામાં આવી. છેલ્લા ત્રણથી ચાર મહિનાથી પેન્ડિંગ ફૂડ બિલ બાબતે તેમણે તાકીદ કરી હતી. અધિકારીઓએ ગ્રાન્ટ મળતા જ ચુકવણી કરવાની ખાતરી આપી…

Read More

શ્રમ વિભાગની તપાસ બાદ ૧૯ ફેક્ટરી સામે કેસશ્રમ કાયદાઓમાં સુધારા છતાં લઘુતમ વેતન ચૂકવાતું નહીં હોવાની ફરિયાદો.૨૦૨૫માં કરાયેલી ફરિયાદમાં ૫ ફેક્ટરીમાં તપાસ બાદ તફાવતની ૧.૪૧ લાખની રકમ શ્રમયોગીઓને ચૂકવવામાં આવી હતી.રાજ્ય સરકાર શ્રમ કાયદાઓમાં સુધારા કરે છે અને કામના કલાકો વધારવા સહિતના કાયદા પસાર કરી રહી છે પરંતુ કામદારો-શ્રમિકોને લઘુતમ વેતન મળતું નહીં હોવાના સેંકડો કિસ્સા છતાં ગણતરીની ફરિયાદો જ તંત્ર સુધી પહોંચે છે. વિધાનસભામાં અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ૫૪ ફરિયાદો મળી હોવાની માહિતી અપાઇ છે. વિધાનસભા ગૃહમાં તારાંકિત પ્રશ્નોતરીમાં કોંગ્રેસના અમૃતજી ઠાકોરે ફેક્ટરીઓમાં લઘુતમ વેતન મુજબ કામદારોને મહેનતાણું નહીં ચૂકવાતા હોવાના મુદ્દે સવાલ પૂછ્યો હતો. તેના લેખિત જવાબમાં શ્રમ…

Read More

ચાંદીના છત્ર, ચાંદીના ઘોડિયા અને ચાંદીના નાગની ચોરી થઈ.મહેસાણા તાલુકાના પીલુદ્રા ગામે મંદિરમાંથી ૬.૫૦ લાખની મત્તા ચોરાઈ.અગાઉ ધરણીધર તાલુકાના ચુવા ગામે આવેલા સગત માતાજી મંદિરમાં પણ ચોરી થઈ હતી.મહેસાણા તાલુકાના પીલદ્રા ગામે આવેલા જાેગણી માતા, હડકાઈ માતા અને ગોગા મહારાજના મંદિરમાંથી તસ્કરો રૂ. ૬.૫૦ લાખની કિંમતના ચાંદીના છત્ર, ચાંદીના ઘોડિયા અને ચાંદીના નાગની ચોરી કરી ગયા હતા. આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. પીલુદ્રા ગામે દેવીપૂજક વાસમાં આવેલા જાેગણી માતા, હડકાઈ માતા અને ગોગા મહારાજના મંદિરે શુક્રવારે સવારે પાંચેક વાગ્યાના સુમારે મુકેશભાઈ માધાભાઈ પૂજા આરતી કરવા ગયા ત્યારે મંદિરનો દરવાજાે ખુલ્લો હતો અને નકૂચો તૂટેલો હતો. આથી…

Read More