Author: Garvi Gujarat

એઆઇ પાંચ વર્ષમાં વ્હાઇટ કોલર નોકરીઓ ભરખી જશે તેવી ચેતવણી એઆઇથી અમીર-ગરીબ વચ્ચેની ખાઇ વધશે, સરકારો એલર્ટ રહે : બિલ ગેટ્સ અગાઉની તમામ ટેક ક્રાંતિઓ કરતા એઆઇ સૌથી વધુ ઝડપથી અસર કરવા લાગ્યું છે : માઇક્રોસોફ્ટના માલિકનો દાવો . દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લઇ રહેલા માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઇને ચેતવણી આપી છે. તેમણે દાવો કર્યાે છે કે અપેક્ષા કરતા વધુ ઝડપે એઆઇ નોકરીઓનું સ્થાન લેવા જઇ રહ્યું છે. આગામી ચારથી પાંચ વર્ષમાં તમામ પ્રકારની નોકરી પર ખતરો છે. બિલ ગેટ્સે એવી પણ ચેતવણી આપી છે કે એઆઇને કારણે અમીરી-ગરીબીની ખાઇ વધુ પહોળી થતી જશે. જેને…

Read More

શ્રેયસ તલપડે અભિનિત ફિલ્મના દિગ્દર્શન સાથે અંગત જીવનમાં ઉથલપાથલ પછી પલાશ મુચ્છલની ફિલ્મમાં વાપસી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મન્ધાના સાથે સગાઈ તૂટી ગયા પછી મુચ્છલની આ પ્રથમ વ્યાવસાયિક જવાબદારી છે. સંગીતકાર અને ફિલ્મસર્જક પલાશ મુચ્છલ તાજેતરના અઠવાડિયાઓમાં સાર્વજનિક જીવનમાં ખાસ સક્રિય ન રહ્યા પછી હવે તેની વ્યાવસાયિક સફર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તે પોતાના આગામી દિગ્દર્શન પ્રોજેક્ટ પર કામ શરૂ કરીને સિનેમામાં પોતાની સ્પષ્ટ વાપસી કરી રહ્યો છે. નામકરણ ન કરાયેલી આગામી ફિલ્મમાં શ્રેયસ તલપડે મુખ્ય ભૂમિકા ભજવશે અને ટૂંક સમયમાં તેનું શૂટીંગ શરૂ થવાની સંભાવના છે. મુંબઈની પૃષ્ઠભૂમિમાં રચાયેલ પ્રોજેક્ટ મુચ્છલના દિગ્દર્શક તરીકેનો વિકાસ…

Read More

આ છેલ્લી મુલાકાત હશે, મને ખબર ન્હોતી : હેમા માલિની ધર્મેન્દ્રના નિધન બાદ હેમા માલિની સાથેનો છેલ્લો વીડિયો વાયરલ તાજેતરમાં ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘૨૧’ રિલીઝ થઈ છે, જે તેમના અભિનયની યાદો તાજી કરાવે છે બોલીવુડમાં હિ-મેન તરીકે જાણીતા અભિનેતા ધર્મેન્દ્રના નિધનને દોઢ મહિના જેટલો સમય વિતી ગયો છે. તાજેતરમાં તેમની છેલ્લી ફિલ્મ ‘૨૧’ રિલીઝ થઈ છે, જે તેમના અભિનયની યાદો તાજી કરાવે છે. આ સિવાય ધર્મેન્દ્રના ઘણા ફેન્સ પાસે પણ તેમની યાદો સચવાયેલી છે. ધર્મેન્દ્રના એક ફેન્સે પણ આવી જ યાદોથી ભરેલો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યાે છે. જેને જાેઈને યુઝર્સ ભાવુક થયા છે. આરજે અનિરૂદ્ધ ચાવલાએ હેમા માલિની…

Read More

બીજી ફિલ્મ ૧૯ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘ધુરંધર’ની બંને ફિલ્મોના બ્રોડકાસ્ટ રાઇટ્સ પેકેજ તરીકે એકસાથે વેચાશે પહેલી ધુરંધરમાં રણવીર સિંહ, સંજય દત્ત, આર. માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ મુખ્ય ભૂમિકામાં હતા. બોલીવૂડની સૌથી મોટી ફ્રેન્ચાઇઝમાંની એક બની ગયેલી ધુરંધરની પહેલી ફિલ્મ હજુ તો સફળતાપુર્વક થિએટરમાં ચાલી રહી છે અને તેના બીજા ભાગની રિલીઝની પણ ચર્ચા શરૂ થઈ ચુકી છે. ભલે આ ફિલ્મે કમાણીના બધાં રેકોર્ડ તોડી નાખ્યા પરંતુ હજુ પણ એવા ઘણા લોકો છે, જેઓ આ ફિલ્મ ટીવી પર કે ઓટીટી પર આવે તેની રાહ જાેઈ રહ્યા છે. ઘણા લોકોને એવી પણ ઇચ્છા હતી કે પહેલી ફિલ્મ ઓટોટી પર…

Read More

જયદીપ આહલાવત અને બૉબી દેઓલ પછી હવે ચંદ્રચુડસિંહ ભ્રષ્ટ બાબાના રોલમાં જાેવા મળશે છેલ્લે ચંદ્રચુડ સુષ્મિતા સેનની સિરીઝ આર્યા અને અક્ષય કુમારની ઓટીટી ફિલ્મ કટપુતલીમાં જાેવા મળ્યો હતો. છેલ્લાં કેટલાંક સમયમાં બૉબી દેઓલ અને જયદીપ આહલાવત જેવા કલાકારોનો અભિનય ભ્રષ્ટ બાબાઓના રોલમાં ઘણો વખણાયો છે. બૉબી માટે તો આશ્રમ સિરીઝ તેની કૅરિઅરમાં મોટો વળાંક લઇને આવી અને જાણે તેની કૅરિઅરની નવી ઇનિંગ શરૂ થઈ. જ્યારે ૨૦૨૪માં આવેલી ફિલ્મ મહારાજમાં પણ જયદીપનો અભિનય ઘણો વખણાયો હતો. આ સિવાય પણ આવા ઘણા બાબાઓ બોલિવૂડની અલગ અલગ ફિલ્મોમાં જાેવા મળ્યા છે. ત્યારે એક સમયનો રોમેન્ટિક હિરો ગણાતો ચંદ્રચુડ સિંહ હવે તેની આવનારી ફિલ્મમાં…

Read More

સોના-ચાંદીમાં તેજીની આગેકૂચઃ એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ.7115 અને ચાંદીનો વાયદો રૂ.9104 ઊછળ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.52ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.109544.87 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.318366.24 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 92871.21 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 43501 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.427918.3 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.109544.87 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.318366.24 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 43501 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.9974.46 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 92871.21 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ…

Read More

રિયલ નમકીનના પ્રોડક્શન પર બ્રેક.લક્ષ્મી સ્નેક્સના ૧,૦૦૦ કામદારો હડતાલ પર ઉતર્યા.હાલમાં ૧,૦૦૦ કામદારો એકસાથે કામ છોડીને બહાર નીકળી આવતા કંપની મેનેજમેન્ટ દોડતું થયું છે.પ્રખ્યાત ‘રિયલ નમકીન‘ બ્રાન્ડ ધરાવતી કંપની લક્ષ્મી સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડના કામદારોએ મેનેજમેન્ટ સામે મોરચો ખોલ્યો છે. કંપનીના આશરે ૧,૦૦૦ જેટલા કામદારોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને અચાનક હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. આ સામૂહિક હડતાલને કારણે કંપનીનું તમામ પ્રોડક્શન અત્યારે સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. હડતાલ પર ઉતરેલા કામદારોનો મુખ્ય રોષ વેતનની અસમાનતાને લઈને છે. કામદારોનો આક્ષેપ છે કે, જેઓ છેલ્લા ૧૮ વર્ષથી કામ કરી રહ્યા છે તેમને અને નવા જાેડાયેલા કર્મચારીઓને એકસરખું વેતન ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત,…

Read More

ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર થવુ.મુળી તાલુકામાં મધ્યાહન ભોજનમાં કુકની નિમણૂંક કરાશે.વડધ્રા પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂક કરવામાં આવશે.મુળી તાલુકાના મામલતદારની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે મામલતદાર કચેરી-ચોટીલા ખાતેથી રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન રૂબરૂ મેળવી લેવાના રહેશે. આ અરજી ફોર્મ વિગતવાર ભરી જરૂરી આધારોની ખરી નકલ સાથે આગામી તા.૨૩/૦૧/૨૦૨૬ સુધીમાં કચેરી સમય પૂરો થતાં પહેલા મામલતદાર કચેરી-મુળી ખાતે જાહેર રજાના દિવસો સિવાય રજૂ કરવાનું રહેશે. આ અંગે ઈન્ટરવ્યુની તારીખની જાણ હવે પછી કરવામાં આવશે.…

Read More

ICC એ બાંગ્લાદેશની હવા કાઢી નાખી.બાંગ્લાદેશે હવે ભારતમાં જ રમવી પડશે તમામ મેચ.જાે તેઓ ભારતમાં T20 વર્લ્ડ કપની મેચો નહીં રમે, તો તેને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવશે : આઈસીસી.ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે (૨૧ જાન્યુઆરી) બાંગ્લાદેશની હરકતોથી પરેશાન થઈને તેને અલ્ટીમેટમ આપી દીધું છે. જય શાહની અધ્યક્ષતાવાળી ક્રિકેટની આ સૌથી મોટી સંસ્થાએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને સ્પષ્ટપણે કહી દીધું છે કે, જાે તેઓ ભારતમાં T20 વર્લ્ડ કપની મેચો નહીં રમે, તો તેને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવશે. તેની જગ્યાએ અન્ય કોઈ ટીમનો સમાવેશ થઈ શકે છે. જાે બાંગ્લાદેશ ભારત નહીં જાય, તો ICCબોર્ડે તેને બદલવા માટે બુધવારે વોટિંગ કર્યું છે.ICC…

Read More

Regarding the SIR (Special Intensive Revision) process going on across Gujarat, a press conference was organized by the Aam Aadmi Party at the Ahmedabad regional office. At this press conference, Aam Aadmi Party’s state president Isudan Gadhvi, state chief spokesperson Dr. Karan Barot and Legal Cell president Pranav Thakkar were present. Addressing the press conference, state president Isudan Gadhvi made serious allegations and said that during the SIR process, after the door-to-door verification carried out by BLA-1, BLA-2 and BLO, all the work had been properly completed except the process of deleting the names of about 73,73,000 voters. But after…

Read More