Author: Garvi Gujarat

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં આપ કાઠું કાઢશે રાજકીય નિરિક્ષકોનુ માનવું છે કે ગત ચુંટણીઓ કરતા ૭થી ૧૦ ટકા મત વધુ મળે તો આપ સર્વત્ર દેખાશે રાજ્કોટ સહિતની પાલિકાઓમાં આપનો દબદબો ચોક્કસ વધશે- કોંગ્રેસ દ્વિતીય ક્રમે – આપના નેતાઓના વધેલા આંટાફેરા ચિત્ર બદલવા માટે પૂરતા છે . ગુજરાતમાં આગામી દિવસોમાં વિવિધ જીલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓમાં ચુંટણીના બ્યુગલ ફૂંકવાની ઘડીઓ હવે ગણાઈ રહી છે. એકાદ બે દિવસમાં જ સ્થાનિક સ્વરાજ્યની આ ચુંટણીઓની તારીખો જાહેર થવાની છે વિવધ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ મેદાનમાં આવી ચુક્યા છે. જો કે આ વખતની ચુંટણી છેલ્લા વર્ષોમાં રહી છે તેટલી આસાન ભાજપ માટે રહે તેવી કોઈ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાહિતલક્ષી ર્નિણય વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત રૂપિયા ૩૦૦ના ટોકન પર સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જાેગવાઈઓમાં રાહત આપવાનો પ્રજાલક્ષી ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રી સમક્ષ સમાજના વિવિધ અગ્રણીઓ, કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો તેમણે સકારાત્મક પ્રતિસાદ આપીને આ ખેડૂત તથા પ્રજાહિતકારી ર્નિણય કર્યો છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૯ હેઠળ રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અથવા માફ કરવા મળેલી સત્તા અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીન અંગેના કેટલાક કિસ્સાઓમાં જંત્રી…

Read More

વિશ્વમાં વધુ એક નવા યુદ્ધના ભણકારા! ચીને તાઇવાનની સરહદે તહેનાત કર્યા ઘાતક હથિયાર સેટેલાઇટ તસવીરોમાં ફૂજિયન અને ગુઆંગડોંગ પ્રાંતમાં આશરે ૨૦૦થી વધુ આવા ડ્રોન જાેવા મળ્યા હતા ચીન હવે તાઇવાન પર કબજાે મેળવવા માટે પોતાની સૈન્ય વ્યૂહનીતિને એક નવા અને અત્યંત ખતરનાક સ્તર પર લઈ જતું જાેવા મળી રહ્યું છે. મિશેલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરોસ્પેસ સ્ટડીઝના તાજેતરના રિપોર્ટ અનુસાર, ચીને તાઇવાન સ્ટ્રેટની નજીક આવેલા તેના ૬ મહત્ત્વના એરબેઝ પર જૂના થઈ ગયેલા સુપરસોનિક ફાઇટર જેટ્સને આધુનિક એટેક ડ્રોનમાં ફેરવીને તહેનાત કરી દીધા છે. સેટેલાઇટ તસવીરોમાં ફૂજિયન અને ગુઆંગડોંગ પ્રાંતમાં આશરે ૨૦૦થી વધુ આવા ડ્રોન જાેવા મળ્યા છે, જે વાસ્તવમાં ૧૯૬૦ના દાયકાના…

Read More

આનંદીબેન પટેલની માતા-પિતાને ટકોર દીકરી ફોન પર ધીમે વાત કરે શંકા કરજાે હરિદ્વાર ખાતે ભાગવત કથાનું આયોજન કરાયું : આનંદીબેને સમાજની બદલાતી સ્થિતિ અને બદલાતા સંસ્કારો મામલે ચિંતા વ્યક્ત કરી ગુજરાતના વિવિધ સમાજમાં દીકરી બચાવો મુદ્દે જંગ છેડાયો છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હરિદ્વારમાં પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભાગવત કથામાં દીકરીઓ મુદ્દે માતાપિતાને ગંભીર ચેતવણી આપી છે. તેઓએ કહ્યું હતું કે, ફોન આવતા દીકરી બાજુના રૂમમાં જઈને વાત કરે તો ચેતી જજાે, અને શંકા કરજાે. મિત્રો હોઈ શકે છે, પણ ધ્યાન રાખજાે દીકરી ઘર કે સ્કૂલમાંથી ભાગી ના જાય. હરિદ્વાર ખાતે પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા…

Read More

ભારતનો મોટો દાવ હોર્મુઝમાં મોટી રાહત બાદ હવે રશિયાથી આવશે LNG ખજાનો ભારત સરકારે ઘરેલૂ ઊર્જા કંપનીઓને રશિયાથી LNG ખરીદ ફરીથી શરુ કરવા માટે તૈયાર રહેવા કહી દીધું છે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી જંગની આગે ભારતની રસોઈથી લઈ ફેક્ટરીને પણ પ્રભાવિત કરી છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર, ભારત સરકારે ઘરેલુ ઊર્જા કંપનીઓને રશિયાથી ન્દ્ગય્ ખરીદ ફરીથી શરૂ કરવા માટે તૈયાર રહેવા કહી દીધું છે. આ પગલું યુક્રેન યુદ્ધથી અત્યાર સુધીનું સૌથી મોટું નીતિગત પગલું માનવામાં આવી રહ્યું છે. Jerusalem Post ના હવાલેથી આપેલા રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત અને રશિયાની વચ્ચે લિક્વિફાઇડ નેચરલ ગેસ એટલે કે LNG સીધી સપ્લાય ફરીથી શરૂ…

Read More

લાખો ભક્તોએ આ અલૌકિક નજારાના દર્શન કર્યા અયોધ્યા નગરીમાં ૧૨ વાગ્યે રામલલાનું સૂર્ય તિલક થયું હતું અયોધ્યા રામનગરીમાં રામલલાના જન્મોત્સવને લઈને ઉત્સાહ : મોદીએ ટીવી પર રામલલાનો સૂર્ય તિલક જાેયો અયોધ્યા નગરીમાં રામલલાના જન્મોત્સવનો ઉત્સાહ ધામધૂમથી ચાલી રહ્યો છે. રામ મંદિરના આંગણથી લઈને દરેક મઠ-મંદિરમાં ભગવાન રામલલાનો જન્મોત્સવ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે એટલે કે રામનવમી પર શુક્રવારે બપોરે અયોધ્યામાં ૧૨ વાગ્યે રામલલાનું સૂર્ય તિલક થયું હતું. પ્રાણ-પ્રતિષ્ઠા બાદ રામલલાનું આ બીજું સૂર્ય તિલક હતું. બપોરે ૧૨ વાગ્યે અભિજીત મુહૂર્તમાં લલાટ પર સૂર્યના કિરણોથી રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. ૯ મિનિટ સુધી લાખો ભક્તોએ રૂબરૂ અને ઓનલાઈન…

Read More

ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલ ઉપર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં મોટો ઘટાડો થતાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ૧૦-૧૦ રૂપિયા ઘટાડી દીધી છે ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધને કારણે હોર્મૂઝની ખાડી બંધ હોવાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં મોટો ઘટાડો થતાં સંકટની ઘડી સર્જાઈ છે ત્યારે કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો ર્નિણય કરતાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ૧૦-૧૦ રૂપિયા ઘટાડી દીધી છે. પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ૧૦ રૂપિયા ઘટાડીને ૩ રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી શૂન્ય કરી દેવામાં આવી છે. તેનો અર્થ એ છે…

Read More

તુંબાડ માટે એક શહેર ખડું થઈ રહ્યું છે.‘તુંબાડ ૨’ માટે મુંબઈમાં ૭–૮ એકરનો ભવ્ય સેટ તૈયાર કરાયો.૨૦૨૪માં ફરી રિલીઝ બાદ તુંબાડ ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનાર રી-રિલીઝ ફિલ્મ બની હતી.તુંબાડ સાથે સોહમ શાહે ખરેખર એક સિનેમેટિક માસ્ટરપીસ ફિલ્મ આપી હતી. જેની એક એક ળેમ દર્શકો અને વિવેચકો વખાણતાં હતાં. આ ફિલ્મે સમય જતાં કલ્ટ ફિલ્મ તરીકે લોકપ્રિયતા મેળવી અને હિન્દી હોરર ફિલ્મોમાંથી એક શ્રેષ્ઠ માનવામાં આવે છે. ૨૦૨૪માં તેની ફરી રિલીઝ બાદ તે ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનાર રી-રિલીઝ ફિલ્મ બની હતી. ત્યારથી જ દર્શકો તુંબાડ ૨ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે અને તેની જાહેરાત બાદ ઉત્સુકતા વધુ…

Read More

આમિર ખાન અને કાદર ખાન જેવી હસ્તીઓની મિમિક્રીને અદ્ધભુત પ્રતિસાદ મળ્યા.“હું પહેલેથી જ ધીમો છું, વધુ ધીમાં નથી પડવું” : સુનિલ ગ્રોવર.અમારે તો ઘણું બધું કરવાની ઈચ્છા હોય છે, પરંતુ લોકો તેને કેવી રીતે સ્વીકારે છે તે જ અગત્યનું છે.એક્ટર અને કોમેડિયન સુનિલ ગ્રોવર કોમેડી અને ખાસ તો મિમિક્રીની દુનિયામાં એક એવું નામ બની ગયું છે કે તેની મિમિક્રીને હવે આદર્શ માનવામાં આવે છે, તેની મિમિક્રી નકલ નહીં પણ ખરા અર્થમાં પરકાયા પ્રવેશ લાગે છે. તાજેતરમાં કોમેડી અને મિમિક્રીની દુનિયામાં આવતા પડકારો વિશે તેણે ખુલીને વાત કરી હતી. આમિર ખાન અને કાદર ખાન જેવી હસ્તીઓની તેની મિમિક્રીને અદ્ધભુત પ્રતિસાદ મળ્યો…

Read More

જીગરાએ શેર કરી પોસ્ટ.૧૦ વર્ષની યાદગાર સફર બાદ પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ જાહેર.‘જીગરા’ તરીકે લોકપ્રિય જિગરદાન ગઢવીની અચાનક નિવૃત્તિથી ફેન્સમાં આશ્ચર્ય અને નિરાશાનો માહોલ.ગુજરાતી પ્લેબેક સિંગર, ગીતકાર અને સંગીતકાર જિગરદાન ગઢવીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૧૦ વર્ષની સફળ સફર બાદ પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની આશ્ચર્યજનક જાહેરાત કરી છે. સિંગરે રામ નવમીના દિવસે કરેલી આ જાહેરાતથી ગુજરાતી ઈન્ડસ્ટ્રી અને ફેન્સ ચોંકી ગયા છે. જાેકે તેઓ સ્વતંત્ર સંગીત અને લાઈવ શોમાં સક્રિય રહી શકે છે. જિગરદાનની પોસ્ટમાં આદિત્ય ગઢવી, મલ્હાર ઠાકર અને સિદ્ધાર્થ અમિત ભાવસાર જેવા જાણીતા કલાકારોએ પણ પ્રતિક્રિયા આપી છે. એક્ટ્રેસ આરોહી પટેલે કોમેન્ટમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, દુસરો કે લિયે ગાના ગાને…

Read More