Author: Garvi Gujarat

સગીરાનું જાતીય શોષણ કરવાનો આરોપ.જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજની ધરપકડ કરાઈ.પીડિતાએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શોષણ કર્યાનો અને ગર્ભપાત માટે દબાણ કર્યાનો ગંભીર આક્ષેપ.બિહારના મિથિલાંચલ વિસ્તારમાં જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજ ઉર્ફે શ્રવણ ઠાકુરની એક સગીરા પર જાતીય શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર જગાવી છે. પીડિતાએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શોષણ કર્યાનો અને ગર્ભપાત માટે દબાણ કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. દરભંગાના એસએસપી જગુનાથ રેડ્ડીએ આ મામલે પૃષ્ટિ કરતા જણાવ્યું હતું કે, એસડીપીઓ રાજીવ કુમારની આગેવાની હેઠળની એસઆઈટી (SIT)એ બાતમીના આધારે હાઉસિંગ બોર્ડ કોલોનીમાંથી શ્રવણદાસની ધરપકડ કરી છે.…

Read More

હિલાની એક ભૂલ અને ૨૦ દિવસનું મોતનું જાેખમ.ડૉક્ટરોની કુશળતાથી સેફટી પીન ગળી ગયેલી મહિલાનું જીવન બચ્યું.દાંત સાફ કરતા ખેંચ આવતા સેફ્ટી પીન ગળી જતા અન્ન નળીમાં ભરાઈ ગઈ : ડોક્ટરોએ પીન બહાર કાઢી.સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની કુશળતાથી સેફટી પીન ગળી ગયેલી મહિલાનું જીવન બચ્યું છે. દાંત સાફ કરતા ખેંચ આવતા સેફ્ટી પીન ગળી જતા અન્ન નળીમાં ભરાઈ ગઈ સિવિલના ઈએનટી વિભાગના ડોક્ટરોએ મહા મહેનતે બહાર કાઢી દર્દીનો જીવ બચાવ્યો. સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડા ઈલા ઉપાધ્યાય આ કેસની વધુ વિગતો આપતા જણાવ્યું કે, એક ૪૮ વર્ષીય મહિલા દર્દી સરૂબાલા રમેશચંદ્રને સિવિલના ઈમરજન્સી વિભાગમાં તારીખ ૧૫ જાન્યુઆરીના રોજ વીસ દિવસ પહેલા ગળામાં…

Read More

જેતલસર રેલ્વે જંકશન બચાવવા જન આંદોલનના એંધાણ જેતલસર જંકશનના ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે આપ્યું આવેદન રેલ્વે તંત્ર સામે આક્ષેપ છે કે રેલ્વે પ્રશાસન દ્વારા જેતલસરના મહત્વના વિભાગોને અન્યત્ર ખસેડીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. રેલ્વેને દર મહિને આશરે ₹10 થી 12 લાખનું વધારાનું આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લોકોલોબી, બ્રેકડાઉન અને કેરેજ ડિપાર્ટમેન્ટ જેવા મહત્વના વિભાગો જેતલસરથી હટાવી લેવાતા સ્થાનિક રોજગાર અને વિકાસ પર માઠી અસર પડી રહે છે. જેતલસર પાસે રેલ્વેની 10 લાખ ચોરસ મીટર જમીન ઉપલબ્ધ હોવા છતાં નવા વિભાગો શરૂ કરવાને બદલે જુના બંધ કરાતા વિરોધ. માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો જેતલસર અને…

Read More

૨૦૨૮ સુધીમાં રામ મંદિર થશે તૈયાર.મમતાના ગઢમાં ભાજપ ૧૦૦ કરોડના ખર્ચે બનાવશે બંગાળી રામ મંદિર.આ પ્રસ્તાવિત મંદિર માત્ર એક ધાર્મિક માળખું જ નહીં, પરંતુ બંગાળની સાંસ્કૃતિક વિરાસતને સમર્પિત મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાવાની સાથે જ મંદિર-મસ્જિદની રાજનીતિ પણ તેજ થઈ રહી છે. આ રાજકીય ગરમાવા વચ્ચે, હવે નદિયા જિલ્લાના શાંતિપુરમાં ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બંગાળી રામની થીમ પર એક ભવ્ય રામ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પ્રસ્તાવિત મંદિર માત્ર એક ધાર્મિક માળખું જ નહીં, પરંતુ બંગાળની સાંસ્કૃતિક વિરાસતને સમર્પિત એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. આ મંદિર ૧૫મી સદીના મહાન કવિ કૃત્તિબાસ ઓઝા દ્વારા…

Read More

સરકારીકર્મીઓ આનંદો.યુ.એન. મહેતા, કિડની અને કેન્સર હોસ્પિટલના નવા કેન્દ્રો સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણાશે.આ ર્નિણયને કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોએ આ હોસ્પિટલોમાં મેળવેલી સારવારના બિલ કોઈપણ નાણાકીય મર્યાદા વિના મંજૂર થઈ શકશે.ગુજરાત સરકારના લાખો અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫‘ અંતર્ગત એક મહત્ત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ, રાજ્યની ત્રણ મુખ્ય સ્પેશિયાલિટી હોસ્પિટલો દ્વારા શરૂ કરવામાં આવેલા નવા સેન્ટર્સને પણ હવે ‘સરકારી હોસ્પિટલ‘ સમકક્ષ ગણવામાં આવશે. યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (અમદાવાદ) ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ (અમદાવાદ)…

Read More

સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી.ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલને રૂપિયા ૩૦૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો.સરકારની સૂચનાઓનું પાલન ન કરવું અને લાયકાત વગરના શિક્ષકોને ફરજ પર રાખવા જેવી ફરિયાદોના આધારે કકડ કાર્યવાહી કરવામાં આવી છે.હાલ રાજ્યમાં શિક્ષણ અને શાળાનું સંચાલન કથળી રહ્યું હોય તેવા સમાચારો સતત સામે આવી રહ્યા છે. આજે અમદાવાદની નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે. આવામાં વડોદરામાં એક શાળાને બાળકોને શારીરિક ત્રાસ આપવાના આરોપમાં ૩૦૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા શિક્ષણ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરાના ભાયલીમાં આવેલી ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલને રૂપિયા ૩૦૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફટકારવામાં…

Read More

ભાજપ પર વોટ ચોરીનું ષડયંત્ર રચ્યાનો આક્ષેપ.જીૈંઇ પ્રક્રિયામાં ગડબડ કરવાનો કોંગ્રેસનો આરોપ.કોંગ્રેસે દાવો કર્યો છે કે ભાજપ ફોર્મ નં. ૭નો દુરુપયોગ કરી સાચા મતદારોના નામ કાપી રહી છે.ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પડ્યા બાદ ચાલી રહેલી સુધારણા પ્રક્રિયામાં મોટા પાયે ગડબડ થઈ હોવાનો કોંગ્રેસે ગંભીર આરોપ મૂક્યો છે. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ભાજપ સુનિયોજિત રીતે સાચા મતદારોના નામ કાપવા માટે ફોર્મ નં. ૭નો દુરુપયોગ કરી રહી છે. તેમણે આ સમગ્ર ઘટનાને લોકશાહી પર ઘા સમાન ગણાવી. શૈલેષ પરમારે જણાવ્યું કે રાહુલ ગાંધી પહેલેથી કહી ચૂક્યા છે કે “ભાજપ વોટ ચોરી કરીને…

Read More

૫૪ ગુનાઓ, ૮૦૦ કરોડથી વધુનું કૌભાંડ.૧૧ વર્ષથી વોન્ટેડ બે મુખ્ય આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા.૧૧ વર્ષથી વોન્ટેડ બે મુખ્ય આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા.સમગ્ર ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં કુલ ૫૪ ગંભીર ગુનાઓ આચરી અને ૮૦૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર, છેલ્લા ૧૧ વર્ષથી બિહાર અને મહારાષ્ટ્ર પોલીસને વોન્ટેડ એવા બે મુખ્ય આરોપીઓને સુરત શહેર ક્રાઈમ બ્રાંચે પકડી પાડી મોટી સફળતા હાંસલ કરી છે. બંને આરોપીઓ પર દરેક દીઠ ૫૦-૫૦ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. સુરત શહેર દ્વારા બીજા રાજ્યોમાં ગુનાઓ આચરી સુરતમાં આવી છુપાઈ રહેતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ…

Read More

EDની ચાર્જશીટમાં અલ ફલાહ ગ્રુપના ચેરમેન સિદ્દીકી ના નામનો ઉલ્લેખ.ઈડીએ અલ ફલાહ યુનિવર્સિટીની રૂ.૧૪૦ કરોડની સંપત્તિ જપ્ત કરી.અલ ફલાહ ટ્રસ્ટ સંચાલિત એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂશનની પાસે ભણાવવા માટે જરુરી વેલિડ એક્રેડિટેશન નથી. કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ શુક્રવારે હરિયાણાની અલ ફલાહ યુનિવર્સિટીની અંદાજે રૂ.૧૪૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ૧૦ નવેમ્બરે રેડ ફોર્ટ વિસ્તારમાં થયેલા બ્લાસ્ટ બાદ, આ યુનિવર્સિટી સુરક્ષા એજન્સીઓની નજર હેઠળ આવી હતી. આ સાથે જ, ઈડીએ અલ ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકી અને તેમના ટ્રસ્ટ સામે ચાર્જશીટ પણ દાખલ કરી છે.ઈડીના એક અધિકારીએ જણાવ્યું કે, ફરીદાબાદના ધૌજ વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીની ૫૪ એકર જમીન, યુનિવર્સિટીની ઇમારતો, વિવિધ કોલેજાે અને…

Read More

હોસ્પિટલોમાં શ્વાસના દર્દીઓનો ભારે ધસારો.નેપાળની રાજધાની કાઠમંડુમાં વાયુ પ્રદૂષણના લીધે શ્વાસ લેવામાં મુશ્કેલી.ટ્રાફિક અને કચરો: વાહનોનો ઝેરી ધુમાડો અને ખુલ્લામાં કચરો સળગાવવાની પ્રથાને કારણે સ્થિતિ વધુ વણસી રહી છે.નેપાળની રાજધાની કાઠમંડુમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. શિયાળાની શરૂઆત સાથે જ કાઠમંડુ ખીણમાં હવાની ગુણવત્તા એટલી હદે બગડી ગઈ છે કે સવાર અને સાંજ ના સમયે શ્વાસ લેવો પણ જાેખમી બની રહ્યો છે. નેપાળ સરકાર અને ઉદ્યોગ વચ્ચે થયેલી સમજૂતી મુજબ, દેશભરમાં એકસાથે ૧,૦૦૦ થી વધુ ઈંટોના ભઠ્ઠા કાર્યરત થતા વાતાવરણમાં ઝેરી ધુમાડાનું પ્રમાણ વધ્યું છે.હિન્દુ સમુદાયમાં ૧૫ જાન્યુઆરી પછી મકાન નિર્માણ માટેના શુભ મુહૂર્ત શરૂ થાય છે,…

Read More