
- CBI કોર્ટ: અપ્રમાણસર મિલકત કેસમાં આવકવેરા અધિકારીની પત્નીને ૨ વર્ષ જેલ, ₹20,000 દંડ
- સોમનાથ સર્કિટ હાઉસ ખાનગીકરણ વિવાદ: ૪૦ કરોડની મિલકત ઓછી ભાડે સોંપાઈ, રોજગારી પર અસર
- જામનગર બ્રાસ ઉદ્યોગ પર ગલ્ફ યુદ્ધનો ફટકો: ૮૦% યુનિટો બંધ, હજારો શ્રમિકો અસરિત
- ભારતમાં લાઈટ પોલ્યુશન: લદ્દાખ હાનલેમાં માત્ર સ્કેલ ૧, શહેરોમાં આકાશ ધૂંધળું
- ભારતની ૨૦૨૬ની વસ્તી ગણતરીમાં જાતિ આધાર સહિત માહિતી ખાનગી રહેશે
- AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું: તાપી યુવાનનું કસ્ટડીમાં મોત દુઃખદ, FIR અને ન્યાય જરૂરી
- AAP ના પ્રધાને કહ્યું: પંજાબને નશામુક્ત બનાવ્યું, BJP-અકાલી તસ્કરોની કડક ફટકાર
- Donald Trumpનો સંકેત: મિડલ ઈસ્ટ યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત, Strait of Hormuz પર ટોલ અસ્વીકાર્ય
Author: Garvi Gujarat
૨૦૨૮ સુધીમાં રામ મંદિર થશે તૈયાર.મમતાના ગઢમાં ભાજપ ૧૦૦ કરોડના ખર્ચે બનાવશે બંગાળી રામ મંદિર.આ પ્રસ્તાવિત મંદિર માત્ર એક ધાર્મિક માળખું જ નહીં, પરંતુ બંગાળની સાંસ્કૃતિક વિરાસતને સમર્પિત મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાવાની સાથે જ મંદિર-મસ્જિદની રાજનીતિ પણ તેજ થઈ રહી છે. આ રાજકીય ગરમાવા વચ્ચે, હવે નદિયા જિલ્લાના શાંતિપુરમાં ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બંગાળી રામની થીમ પર એક ભવ્ય રામ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પ્રસ્તાવિત મંદિર માત્ર એક ધાર્મિક માળખું જ નહીં, પરંતુ બંગાળની સાંસ્કૃતિક વિરાસતને સમર્પિત એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. આ મંદિર ૧૫મી સદીના મહાન કવિ કૃત્તિબાસ ઓઝા દ્વારા…
સરકારીકર્મીઓ આનંદો.યુ.એન. મહેતા, કિડની અને કેન્સર હોસ્પિટલના નવા કેન્દ્રો સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણાશે.આ ર્નિણયને કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોએ આ હોસ્પિટલોમાં મેળવેલી સારવારના બિલ કોઈપણ નાણાકીય મર્યાદા વિના મંજૂર થઈ શકશે.ગુજરાત સરકારના લાખો અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫‘ અંતર્ગત એક મહત્ત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ, રાજ્યની ત્રણ મુખ્ય સ્પેશિયાલિટી હોસ્પિટલો દ્વારા શરૂ કરવામાં આવેલા નવા સેન્ટર્સને પણ હવે ‘સરકારી હોસ્પિટલ‘ સમકક્ષ ગણવામાં આવશે. યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (અમદાવાદ) ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ (અમદાવાદ)…
સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી.ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલને રૂપિયા ૩૦૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો.સરકારની સૂચનાઓનું પાલન ન કરવું અને લાયકાત વગરના શિક્ષકોને ફરજ પર રાખવા જેવી ફરિયાદોના આધારે કકડ કાર્યવાહી કરવામાં આવી છે.હાલ રાજ્યમાં શિક્ષણ અને શાળાનું સંચાલન કથળી રહ્યું હોય તેવા સમાચારો સતત સામે આવી રહ્યા છે. આજે અમદાવાદની નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે. આવામાં વડોદરામાં એક શાળાને બાળકોને શારીરિક ત્રાસ આપવાના આરોપમાં ૩૦૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા શિક્ષણ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરાના ભાયલીમાં આવેલી ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલને રૂપિયા ૩૦૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફટકારવામાં…
ભાજપ પર વોટ ચોરીનું ષડયંત્ર રચ્યાનો આક્ષેપ.જીૈંઇ પ્રક્રિયામાં ગડબડ કરવાનો કોંગ્રેસનો આરોપ.કોંગ્રેસે દાવો કર્યો છે કે ભાજપ ફોર્મ નં. ૭નો દુરુપયોગ કરી સાચા મતદારોના નામ કાપી રહી છે.ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પડ્યા બાદ ચાલી રહેલી સુધારણા પ્રક્રિયામાં મોટા પાયે ગડબડ થઈ હોવાનો કોંગ્રેસે ગંભીર આરોપ મૂક્યો છે. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ભાજપ સુનિયોજિત રીતે સાચા મતદારોના નામ કાપવા માટે ફોર્મ નં. ૭નો દુરુપયોગ કરી રહી છે. તેમણે આ સમગ્ર ઘટનાને લોકશાહી પર ઘા સમાન ગણાવી. શૈલેષ પરમારે જણાવ્યું કે રાહુલ ગાંધી પહેલેથી કહી ચૂક્યા છે કે “ભાજપ વોટ ચોરી કરીને…
૫૪ ગુનાઓ, ૮૦૦ કરોડથી વધુનું કૌભાંડ.૧૧ વર્ષથી વોન્ટેડ બે મુખ્ય આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા.૧૧ વર્ષથી વોન્ટેડ બે મુખ્ય આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા.સમગ્ર ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં કુલ ૫૪ ગંભીર ગુનાઓ આચરી અને ૮૦૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર, છેલ્લા ૧૧ વર્ષથી બિહાર અને મહારાષ્ટ્ર પોલીસને વોન્ટેડ એવા બે મુખ્ય આરોપીઓને સુરત શહેર ક્રાઈમ બ્રાંચે પકડી પાડી મોટી સફળતા હાંસલ કરી છે. બંને આરોપીઓ પર દરેક દીઠ ૫૦-૫૦ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. સુરત શહેર દ્વારા બીજા રાજ્યોમાં ગુનાઓ આચરી સુરતમાં આવી છુપાઈ રહેતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ…
EDની ચાર્જશીટમાં અલ ફલાહ ગ્રુપના ચેરમેન સિદ્દીકી ના નામનો ઉલ્લેખ.ઈડીએ અલ ફલાહ યુનિવર્સિટીની રૂ.૧૪૦ કરોડની સંપત્તિ જપ્ત કરી.અલ ફલાહ ટ્રસ્ટ સંચાલિત એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂશનની પાસે ભણાવવા માટે જરુરી વેલિડ એક્રેડિટેશન નથી. કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ શુક્રવારે હરિયાણાની અલ ફલાહ યુનિવર્સિટીની અંદાજે રૂ.૧૪૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ૧૦ નવેમ્બરે રેડ ફોર્ટ વિસ્તારમાં થયેલા બ્લાસ્ટ બાદ, આ યુનિવર્સિટી સુરક્ષા એજન્સીઓની નજર હેઠળ આવી હતી. આ સાથે જ, ઈડીએ અલ ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકી અને તેમના ટ્રસ્ટ સામે ચાર્જશીટ પણ દાખલ કરી છે.ઈડીના એક અધિકારીએ જણાવ્યું કે, ફરીદાબાદના ધૌજ વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીની ૫૪ એકર જમીન, યુનિવર્સિટીની ઇમારતો, વિવિધ કોલેજાે અને…
હોસ્પિટલોમાં શ્વાસના દર્દીઓનો ભારે ધસારો.નેપાળની રાજધાની કાઠમંડુમાં વાયુ પ્રદૂષણના લીધે શ્વાસ લેવામાં મુશ્કેલી.ટ્રાફિક અને કચરો: વાહનોનો ઝેરી ધુમાડો અને ખુલ્લામાં કચરો સળગાવવાની પ્રથાને કારણે સ્થિતિ વધુ વણસી રહી છે.નેપાળની રાજધાની કાઠમંડુમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. શિયાળાની શરૂઆત સાથે જ કાઠમંડુ ખીણમાં હવાની ગુણવત્તા એટલી હદે બગડી ગઈ છે કે સવાર અને સાંજ ના સમયે શ્વાસ લેવો પણ જાેખમી બની રહ્યો છે. નેપાળ સરકાર અને ઉદ્યોગ વચ્ચે થયેલી સમજૂતી મુજબ, દેશભરમાં એકસાથે ૧,૦૦૦ થી વધુ ઈંટોના ભઠ્ઠા કાર્યરત થતા વાતાવરણમાં ઝેરી ધુમાડાનું પ્રમાણ વધ્યું છે.હિન્દુ સમુદાયમાં ૧૫ જાન્યુઆરી પછી મકાન નિર્માણ માટેના શુભ મુહૂર્ત શરૂ થાય છે,…
ગાઝામાં ‘શાંતિદૂત’ બનશે ભારત!.ટ્રમ્પે ઁસ્ મોદીને ‘બોર્ડ ઓફ પીસ’માં જાેડાવવા માટે મોકલ્યું આમંત્રણ.આ બોર્ડ ૧૫ જાન્યુઆરીના રોજ ટ્રમ્પની ૨૦ પોઈંટવાળી શાંતિ યોજનાના બીજા ચરણ હેઠળ બનાવવામાં આવ્યું છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાઝા માટે બનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સંગઠન ‘બોર્ડ ઓફ પીસ’માં જાેડાવવા આમંત્રણ આપ્યું છે. આ બોર્ડનો હેતું ગાઝામાં શાંતિ, પુન: નિર્માણ અને નવી શાસન વ્યવસ્થાને આગળ વધારવાનો છે. આ બોર્ડ ૧૫ જાન્યુઆરીના રોજ ટ્રમ્પની ૨૦ પોઈંટવાળી શાંતિ યોજનાના બીજા ચરણ હેઠળ બનાવવામાં આવ્યું છે. બોર્ડનું મુખ્ય કાર્ય ગાઝાને હથિયારોથી મુક્ત કરી ત્યાં માનવતાવાદી સહાય પહોંચાડવા, નાશ પામેલા માળખાનું પુનર્નિર્માણ કરવા અને ટેકનિકલ પેલેસ્ટિનિયન વહીવટ સ્થાપવાનું છે. દેખરેખ…
જમ્મુ-કાશ્મીરનું સોનમર્ગમાં માઇનસ ૮.૯ ડિગ્રીએ થીજી ગયું.ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ : સાતનાં મોત, ૧૦૦થી વધુ ટ્રેનો મોડી પડી.ઉત્તર પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે બરફ વર્ષા અને વરસાદ પડવાની આગાહી.દેશનાં ઉત્તરી ભાગોમાં ઠંડીનો પ્રકોપ જારી છે. કાશ્મીરમાં લઘુતમ તાપમાન સતત ઘટી રહ્યું છે. પંજાબનાં અમૃતસરમાં લઘુતમ તાપમાન ઘટીને ૧.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરનાં સોનામાર્ગમાં માઇનસ ૮.૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. પોેલીસનાં જણાવ્યા અનુસાર હરિયાણાનાં નૂંહમાં કુંડલી-માનેસર-પલવલ (કેએમપી) એક્સપ્રેસવે પર રવિવાર સવારે ગાઢ ધુમ્મસને કારણે વાહનો એકબીજા સાથે ટકરાતા એક ટ્રક ડ્રાઇવર સહિત બે લોકોનાં દાઝી જવાથી મોત થયા હતાં.તેમણે જણાવ્યું હતું કે આ અકસ્માતને કારણે લાંબો ટ્રાફિક…
જેલ પ્રશાસનમાં ફફડાટ.સુરેન્દ્રનગર સબજેલમાં ૩ દિવસમાં બીજા કેદીનો આત્મહત્યાનો કર્યો પ્રયાસ.ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો સબજેલ પહોંચ્યો હતો અને જેલની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.સુરેન્દ્રનગરની સબજેલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. જેલમાં સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટનામાં છેલ્લા ૩ દિવસની અંદર બીજા એક કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કેદીની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યો છે.એક જ સપ્તાહમાં કેદીઓ દ્વારા સતત થઈ રહેલા આત્મહત્યાના પ્રયાસોને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો સબજેલ પહોંચ્યો હતો અને જેલની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



