Author: garvigujrat

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણા દેશમાં વૃદ્ધ માતા-પિતાની ઉપેક્ષા એક ગંભીર સામાજિક સમસ્યા તરીકે ઉભરી રહી છે. ગામડામાંથી શહેર તરફ સ્થળાંતર,સંયુક્ત પરિવારોના વિઘટન અને ઝડપથી બદલાતી જીવન શૈલીને કારણે વૃદ્ધોની ઉપેક્ષા ના કિસ્સાઓ વધી રહ્યા છે. ઘણીવાર તેમના જીવનના સંધ્યાકાળ ના વર્ષોમાં માતા-પિતા પાસે એકલતામાં રહેવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી અથવા વૃદ્ધાશ્રમમાં આશ્રય લેવાની ફરજ પડે છે. ત્યારે આના સંદર્ભમાં તેલંગણા વિધાનસભા દ્વારા પસાર કરાયેલ "કર્મચારી જવાબદારી અને માતા-પિતા સહાય દેખરેલ બિલ ૨૦૨૬" ને ઘણી બાબતોમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય પગલા તરીકે આવકારવામાં આવી રહ્યું છે. આ વિધેયક અનુસાર રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે તેમના…

Read More

પંજાબે હૈદરાબાદને હરાવ્યું પ્રિયાંશ-પ્રભસિમરન અને શ્રેયસની ધુંઆધાર ઇનિંગ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ૨૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં પંજાબે ૧૮.૫ ઓવરમાં ટાર્ગેટ ચેજ કરી લીધો IPL 2026 ની ૧૭મી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ન્યૂ ચંદીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. હાઈ સ્કોરીંગ મેચમાં પંજાબ કિંગ્સે બાજી મારી લીધી છે. મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગનો ર્નિણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પંજાબને જીતવા માટે ૨૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પંજાબે ૧૮.૫ ઓવરમાં ટાર્ગેટ ચેજ કરી લીધો હતો. પંજાબ કિંગ્સ માટે કેપ્ટન શ્રેયસ અય્યરે ૫ ચોગ્ગા અને ૫…

Read More

ફડણવીસે આપ્યા તપાસના આદેશ છગન ભુજબલનું હેલિકોપ્ટર હેલિપેડને બદલે પાર્કિંગમાં ઉતર્યું છગન ભુજબલ નાસિકથી પુણેના ખાનવડીમાં એક જિલ્લા પરિષદ સ્કૂલના ઉદ્ધાટનના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે ઘટના બની મહારાષ્ટ્રની ફડણવીસ સરકારના મંત્રી છગન ભુજબલનું હેલિકોપ્ટર ખોટી જગ્યા ઉતર્યુ હોવાના મામલે પાયલટની લાપરવાહી પણ સામે આવી છે. જેમાં પાયલટે હેલિકોપ્ટર હેલિપેડની જગ્યાએ કાર પાર્કિંગમાં ઉતારી દીધુ હતુ. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે ગંભીરતા દાખવી યોગ્ય તપાસ કરવાની વાત કરી છે. મળતી માહિતી મુજબ, છગન ભુજબલ નાસિકથી પુણેના ખાનવડીમાં એક જિલ્લા પરિષદ સ્કૂલના ઉદ્ધાટનના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જેમાં હેલિકોપ્ટરને નિર્ધારિત હેલિપેડની જગ્યાએ પાયલટે કાર પાર્કિંગમાં લેન્ડ…

Read More

હવે નવા ખતરામાં દુનિયા! હોર્મુઝમાં સમુદ્રની નીચે ઈરાને મોટી ગડબડ કરી દીધી યુદ્ધ વચ્ચે ઈરાન હોર્મુઝને સંપૂર્ણ રીતે ખોલવામાં અસમર્થ : સુરંગો બીછાવી લોકેશન ભૂલી ગયું ઈરાન અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સીઝફાયરની જાહેરાત છતાં હોર્મુઝ જલડમરૂમધ્ય સંપૂર્ણ રીતે બીજીવાર ખુલી શક્યું નથી. તેની પાછળ એક ચોંકાવનારી વાત સામે આવી છે. ઈરાને યુદ્ધ શરૂ થતાં આ સાંકળા સમુદ્રી રસ્તામાં લેન્ડમાઇન્સ બીછાવી હતી, પરંતુ હવે ઈરાનને તેના લોકેશનની માહિતી નથી. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રીટને સંપૂર્ણ રીતે ખોલવામાં અસમર્થ છે. ઈરાન સમુદ્રની નીચે બીછાવવામાં આવેલી લેન્ડમાઇન્સના લોકેશનની માહિતી મેળવી શક્યું નથી. ન્યૂયોર્ક ટાઇમ્સને અમેરિકી અધિકારીઓએ તે પણ…

Read More

વૈભવ સૂર્યવંશીનું નિવેદન ચર્ચામાં મોટા ગજાના બોલરો સામે નથી અનુભવતો દબાણ બસ બોલ જાેઉં છું, બોલર નહીં : વૈભવ સૂર્યવંશી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચમાં માત્ર ૨૬ બોલમાં ૩૦૦ના સ્ટ્રાઈક રેટથી ૭૮ રન ફટકારીને સનસનાટી મચાવનાર ૧૫ વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની સફળતાનું રહસ્ય ખોલ્યું છે. મેચ બાદ સૂર્યવંશીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તે સામેવાળા બોલરના નામથી ક્યારેય પ્રભાવિત થતો નથી, તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર આવતા બોલ પર જ હોય છે. વૈભવે પોતાની માનસિકતા સ્પષ્ટ કરતા કહ્યું કે, “મારા મગજમાં એ વાત ચોક્કસ હોય છે કે સામે જસપ્રીત બુમરાહ કે જાેશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલરો છે, પરંતુ રમતી…

Read More

સોશિયલ મીડિયામાં વાઈરલ થયો સંસદનો વીડિયો વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ પીએમ મોદી મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા સંસદ ભવન અને ચૂંટણી રેલીઓમાં એકબીજા પર આકરા પ્રહારો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ૧૧ એપ્રિલનો છે, જ્યારે પીએમ મોદી મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવા સંસદ પરિસરમાં પહોંચ્યા હતા. વીડિયોમાં જાેઈ શકાય છે કે સંસદ ભવન સંકુલમાં આવેલા પ્રેરણા સ્થળ પર લોકસભા સ્પીકર ઓમ બિરલા, રાહુલ ગાંધી, કેન્દ્રીય…

Read More

ઇઝરાયેલ-ઈરાન બંનેને આપી કડક ચેતવણી લેબનનમાં નિર્દોષોના મોત પર ભારત લાલચોળ સીઝફાયરની જાહેરાતના તરત જ બાદ ઇઝરાયેલે ખૂબ જ ભયાનક હુમલો કર્યો જેમા અનેક નિર્દોષ લોકોના મોત થયા હતા નવી દિલ્હી: ભારતે લેબનનમાં નાગરિકોના મોતના સમાચારો પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, તાજેતરની ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે અને તમામ પક્ષોએ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું જાેઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે શુક્રવારે નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ પર આયોજિત આંતર-મંત્રાલય બ્રીફિંગ દરમિયાન કહ્યું કે, ભારત, લેબનનમાં મોટી સંખ્યામાં નાગરિકોના મોતના અહેવાલોથી અત્યંત ચિંતિત છે. તેમણે કહ્યું કે, ભારત, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન UNIFIL સૈનિકોનું યોગદાન આપનારો દેશ છે અને…

Read More

બંગાળમાં પીએમ મોદીનું નિવેદન, ઘૂસણખોરી પર આકરા પ્રહાર તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ ગભરાયેલા છે અને જનતાને ભ્રમિત કરી રહ્યા છે ભાજપ સત્તામાં આવશે તો સૌથી પહેલા ૧૫ વર્ષમાં તૃણમૂલ કોંગ્રેસના શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર પર એક વ્હાઇટ પેપર બહાર પડાશે : મોદી પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે અને તમામ પક્ષો પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે.પાર્ટીઓના સ્ટાર પ્રચારકો એક પછી એક રેલીઓ અને સભાઓનું આયોજન કરીને વધુમાં વધુ લોકોને પોતાની તરફેણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રેલીઓ દરમિયાન નેતાઓના ભાષણો હેડલાઇન્સમાં છવાયેલા રહે છે. આવું જ એક નિવેદન હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાની રેલી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેર ભાજપમાં વાલ્મીકિ સમાજના અનેક કાર્યકરે પાર્ટીના ઉમેદવાર બનવા માટે ભાજપ પાસે ટિકિટની (ઉમેદવારી) માંગણી કરી હતી. પરંતુ ભાજપે કોઈ પણ કાર્યકારની કદર ના કરી વાલ્મીકિ સમાજની વસ્તીને નારાજ કરી છે. જે કાર્યકરોને ટિકિટ આવશે એવી આશાએ ભાજપના કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યા હતા એટલું જ નહીં ભાજપના કોઈ મોટા નેતા આવે ત્યારે સંખ્યા દેખાડવા માટે વાલ્મીકિ સમાજના સફાઈ કર્મચારીઓ ને મોટી સંખ્યામાં હાજર રાખવામા આવે છે. આ કાર્યકરો અગત્યની ભૂમિકા ભજવતા હતા. તેવા કાર્યકરો ને ભાજપે ઉમેદવાર તરીકે પસંદગી નહીં કરી બહારનો રસ્તો બતાવી સમાજમાં જે મોટા ભા થઈ ને ફરતા હતા તેઓને તેમની…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત ના વિવિધ શહેરોમાં યોજાનારી નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ ધ્વારા ૬૦ વર્ષથી ઉપરના અને ત્રણ ટર્મ ચૂંટણી લડીને કોર્પોરેટર બની ચૂકેલાઓમાંથી એક પણ કોર્પોરેટર ને ટિકિટ આપવામાં આવશે નહીં. આ નિયમ માત્ર સ્થાનિક કક્ષાએ જ નહી પણ ધારાસભ્ય, સાંસદ સભ્ય માટે પણ ભાજપે લાગુ પાડવો જોઈએ. આ નિયમને કારણે પાર્ટી માટે જે કાર્યકરે પોતાની જિંદગીના વર્ષો ખર્ચી નાંખ્યા હોય, ઘર બાર છોડી પાર્ટીના પ્રચાર કાર્ય, બેનર બાંધવા-લગાવવા, ટેમ્પા, ટ્રકો ભરવા સુધી અને પાર્ટી માટે સતત સંધર્ષ કરતાં આવ્યા હોય તેવા કાર્યકર પોતાના મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત…

Read More