Author: garvigujrat

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત ના વિવિધ શહેરોમાં યોજાનારી નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ ધ્વારા ૬૦ વર્ષથી ઉપરના અને ત્રણ ટર્મ ચૂંટણી લડીને કોર્પોરેટર બની ચૂકેલાઓમાંથી એક પણ કોર્પોરેટર ને ટિકિટ આપવામાં આવશે નહીં. આ નિયમ માત્ર સ્થાનિક કક્ષાએ જ નહી પણ ધારાસભ્ય, સાંસદ સભ્ય માટે પણ ભાજપે લાગુ પાડવો જોઈએ. આ નિયમને કારણે પાર્ટી માટે જે કાર્યકરે પોતાની જિંદગીના વર્ષો ખર્ચી નાંખ્યા હોય, ઘર બાર છોડી પાર્ટીના પ્રચાર કાર્ય, બેનર બાંધવા-લગાવવા, ટેમ્પા, ટ્રકો ભરવા સુધી અને પાર્ટી માટે સતત સંધર્ષ કરતાં આવ્યા હોય તેવા કાર્યકર પોતાના મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત…

Read More

મોંઘવારી ભેદભાવ કરતી નથી, પેન્શનર્સને પણ સમાન દરે મળવી જાેઇએ મોંઘવારી ભથ્થામાં કર્મચારી-પેન્શનર વચ્ચે ભેદભાવ કરી શકાય નહીં: સુપ્રીમ સકારાત્મક દૃષ્ટિકોણથી જાેવામાં આવે તો સમાનતા અને મનસ્વીતા એકબીજાના વિરોધી છે : સુપ્રીમ નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સમાનતાના અધિકારને સમર્થન આપતા એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે મોંઘવારી સામે રાહત આપવા માટે આપવામાં આવતા ભથ્થાઓમાં સરકાર કાર્યરત કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે ભેદભાવ કરી શકે નહીં. કેરળ રાજ્ય સરકાર અને કેરળ રાજ્ય પરિવહન નિગમની અપીલને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ફુગાવો કાર્યરત અને નિવૃત્ત કર્મચારીઓ બંનેને સમાન રીતે અસર કરે છે. સમાનતા એક ગતિશીલ સિદ્ધાંત છે, જેને…

Read More

પાકિસ્તાને ફરી એક વાર પોત પ્રકાશ્યું પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજાએ ઈઝરાયેલને ‘દાનવ’ ગણાવતા વિવાદ ઈઝરાયેલના વડાપ્રધાન ઉપરાંત અમેરિકાના અગ્રણીઓએ પણ મધ્યસ્થી માટે પાકિસ્તાનના ઈરાદા પર સવાલ ઊઠાવ્યા  આતંકવાદ અને હિંસાની દુનિયાભરમાં નિકાસ કરવા માટે પંકાયેલા પાકિસ્તાને ફરી એક વાર પોત પ્રકાશ્યું છે. યુએસ-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનેલા પાકિસ્તાને યુએસના ખાસ સાથીદાર ઈઝરાયેલને દાનવ ગણાવતા વિવાદ ઊભો થયો છે, જેની અસર વાટાઘાટો પર પડવાની શક્યતા છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મ્દ આસફે એક્સ પોસ્ટ પર ઈઝરાયેલને દાનવ અને માનવતા માટે અભિશાપ ગણાવ્યું હતું. તેમણે ઈઝરાયેલ પર લેબનોનમાં સામૂહિક નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યુ હતું કે ઈઝરાયેલે…

Read More

રણવીરે કર્ણાટક હાઈકોર્ટને બાંહેધરી આપી કાંતારા વિવાદમાં રણવીર નવેસરથી માફીનામું આપશે રણવીરનાં અગાઉનાં માફીનામાંમાં જરા પણ ગંભીરતા નહિ હોવાનું ખુદ કોર્ટે નોંધ્યું રણવીર સિંહે ‘કાંતારા ચેપ્ટર વન’માં ઋષભ શેટ્ટીની એક્ટિંગની પ્રશંસા કરવાના પ્રયાસમાં દેવીની મિમિક્રી કરી હોવાના વિવાદમાં ફરી નવેસરથી માફીનામું લખી પવાની બાંહેધરી કર્ણાટક હાઈકોર્ટને આપી છે. રણવીરે અગાઉ પણ હાઈકોર્ટમાં માફીનામું આપ્યું હતું. પરંતુ, ખુદ કોર્ટે નોંધ્યું હતું કે તેમાં કોઈ પ્રકારની ગંભીરતા હોય તેવું જણાતું ન હતું. રણવીરે તેમાં જણાવ્યું હતું કે પોતે સિંધી માહોલમાં ઉછર્યાે હોવાથી આ દેવી બાબતે ધાર્મિક લાગણીઓનો તેને ખ્યાલ ન હતો. હવે રણવીરે હાઈકોર્ટને કહ્યું છે કે તે તા. ૨૩મી એપ્રિલે નવું…

Read More

ફિલ્મનું બજેટ આશરે ૭૦૦ કરોડ હોવાનો દાવો રાકા માટે અલ્લુ અર્જુનને ૧૨૫ કરોડ, દીપિકાને ૨૫ કરોડ જ મળશે અલ્લુ અર્જુન ટ્રીપલ રોલ કરી રહ્યો હોવાથી તેને અનેકગણી ફી મળવાની હોવાનું કહેવાય છે ડાયરેકટર એટલીની આગામી ફિલ્મ ‘રાકા’ માટે ૭૦૦ કરોડનું બજેટ નક્કી થયું હોવાનું કહેવાય છે. એક દાવા અનુસાર ફિલ્મ માટે અલ્લુ અર્જુનને ૧૨૫ કરોડની ફી મળવાની છે. તેની સામે મુખ્ય હિરોઈન દીપિકા પદુકોણને પચ્ચીસ કરોડ મળવાના છે. ફિલ્મની બીજી હિરોઈન રશ્મિકા મંદાનાને પાંચ કરોડ ચૂકવાશે. અલ્લુ અર્જુન ટ્રીપલ રોલ કરી રહ્યો હોવાથી તેને અનેકગણી ફી મળવાની હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે એટલીએ તાજેતરમાં અલ્લુ અર્જુનના જન્મદિવસ વખતે જ…

Read More

મામ્મુટ્ટીએ કહ્યું, પહેલી ફિલ્મમાં દિકરાએ મને છેતર્યાે લોકાહની સિક્વલની ફી મળશે તો જ શૂટ કરીશ : મામ્મુટ્ટી કલ્યાણી પ્રિયદર્શન આ ફિલ્મમાં ‘ચંદ્રા’નું મુખ્ય પાત્ર ભજવે છે, જેને ‘કલિયાંકટ્ટુ નીલી’ તરીકે ઓળખવામાં આવે છે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, મમ્મુટ્ટીએ ‘લોકાહ ચેપ્ટર ૧’માં પોતાના કેમિયો વિશે ખુલાસો કર્યાે અને ફિલ્મના સીક્વલ વિશે પણ વાત કરી હતી. જ્યારે ડોમિનિક અરુણની સુપરહિરો ફિલ્મ ‘લોકાહ ચેપ્ટર ૧: ચંદ્રા’ ગયા વર્ષે થિયેટરોમાં રિલીઝ થઈ, ત્યારે કલ્યાણી પ્રિયદર્શન, નસ્લેન અને સેન્ડી સ્ટારર આ ફિલ્મે ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યાં હતાં. ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કર્યું અને દુલકર સલમાન, જેણે ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી, તેણે પોતાના પિતા…

Read More

‘ધુરંધર ૨’ ૨૦૨૬ની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ વિશ્વની ટોપ ૧૦ સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોમાં ધુરંધર ૨ સામેલ ફિલ્મ ‘ધુરંધર ૨’એ ક્રિસ હેમ્સવર્થની ‘ક્રાઇમ ૧૦૧’ અને ઝેન્ડાયા ની ‘ધ ડ્રામા’ને પણ પાછળ છોડી ભારતમાં બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડવાની સાથે આદિત્ય ધરની સ્પાય ડ્રામા ‘ધુરંધર: ધ રિવેન્જ’ વૈશ્વિક સ્તરે પણ ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. ભારત અને નોર્થ અમેરિકા ખાતે મળેલી અદ્ભુત સફળતાએ ફિલ્મને આ વર્ષે વિશ્વની ટોપ ૧૦ સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોમાં સ્થાન અપાવ્યું છે.થિયેટરમાં ત્રીજું અઠવાડિયું પૂરું થવાનું છે, ત્યારે ‘ધુરંધર ૨’એ ભારતમાં ૧૦૦૦ કરોડથી વધુ નેટ અને ૧૨૪૬ કરોડ ગ્રોસ કમાણી કરી છે, જે હિન્દી…

Read More

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીએ માત્ર મહાત્મા ગાંધીજીના જીવનસાથી તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રસેવામાં સહયોગી બનીને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મહાત્મા ગાંધીજી દેશસેવામાં સમર્પિત હતા ત્યારે કસ્તૂરબા ગાંધીજી તેમની સાથે પડછાયા સમા રહી અવિરત સહયોગ આપ્યો હતો. અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામના વિર શહીદોએ દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે, ત્યારે આજના યુવાનોની ફરજ છે કે તેઓ દેશના વિકાસ માટે સમર્પિત બની…

Read More

મૂળી-૨ બેઠક પરથી લડશે ચૂંટણી ભાજપમાં જાેડાયાના ૨૪ કલાકમાં જ રાજુ કરપડાને મળી ટિકિટ ભાજપે તેમને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-૨ બેઠક પરથી પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં એક મોટો ગરમાવો જાેવા મળ્યો છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જાેડાયેલા યુવા ખેડૂત નેતા રાજુ કરપડાને પક્ષ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે તેમને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-૨ બેઠક પરથી પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. નોંધનીય છે કે રાજુ કરપડા ગઈકાલે જ વિધિવત રીતે ભાજપમાં જાેડાયા હતા…

Read More

૧૦ એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ છેલ્લા પાંચ વર્ષમાં હોમિયોપેથી સારવારમાં ૬૦ થી ૬૫ ટકાનો વધારો સમગ્ર શહેરમાં વહેંચી હતી અને તેની અસર પણ લોકોમાં જાેવા મળી હતી. કોરોના બાદ હોમિયોપેથી કોલેજની સીટોમાં ૫૦% નો વધારો થયો છે છેલ્લા પાંચથી છ વર્ષમાં હોમિયોપેથી સારવારમાં ૬૦થી ૬૫ ટકાનો વધારો થયો છે. લોકો હવે એલોપેથી સારવારથી હોમિયોપેથી તરફ વળી રહ્યા છે. હોમિયોપેથીએ જર્મન ચિકિત્સક ડૉ.સેમ્યુઅલ હૅનેમેન દ્વારા ૧૮મી સદીમાં વિકસાવવામાં આવેલી એક પ્રાકૃતિક અને સર્વગ્રાહી ચિકિત્સા પદ્ધતિ છે. તે “સમ: સમમ્ શમયતિ” એટલે કે “જેનાથી રોગ થાય, તેનાથી જ તે મટે” ના સિદ્ધાંત પર આધારિત છે, જે દર્દીના શારીરિક, માનસિક અને ભાવનાત્મક લક્ષણોને…

Read More