- શ્રાવણમાં યશ સાથે મહાકાલના દર્શને પહોંચી નુસરત જહાં, ફોટા વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ટ્રોલ
- 16 વર્ષ બાદ બ્રેટ લીએ તોડ્યું મૌન: પ્રીતિ ઝિન્ટા સાથે ક્યારેય રોમેન્ટિક સંબંધ નહોતો, માત્ર મિત્રતા
- વલસાડમાં દારૂ સિન્ડિકેટ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, નિલ્યો ઘોડો સહિત બે આરોપી ઝડપાયા
- અમેરિકી ટેરિફની ધમકી છતાં રશિયા ભારતનો નંબર-1 ક્રૂડ સપ્લાયર, આયાતે બનાવ્યો નવો રેકોર્ડ
- અમેરિકી ટેરિફ ધમકી છતાં રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર, આયાતમાં 50%થી વધુ હિસ્સો
- મધ્ય પૂર્વ તણાવ વચ્ચે ભારતની પેટ્રોલિયમ નિકાસ એક વર્ષની ટોચે, વૈશ્વિક બજારમાં દબદબો
- CBSEની ત્રણ ભાષા નીતિ સામે સુપ્રીમમાં અરજી, ધોરણ-9ના વિદ્યાર્થીઓને રાહતની માંગ
- ઈરાનના કેશ્મ ટાપુ પર બોમ્બ હુમલાનો દાવો, ટેક્સી ડ્રાઈવરના પરિવારના 3ના મોત
Author: garvigujrat
ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારી? અમેરિકાએ ૨૪ કલાકમાં ઈઝરાયલ મોકલ્યા ૬૫૦૦ ટન વિસ્ફોટક અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર બ્રેડ કૂપર અને જાેઇન્ટ ચીફના ચેરમેને ટ્રમ્પ સાથે લગભગ ૪૫ મિનિટ સુધી વાતચીત કરી છે અમેરિકા-ઈરાન વચ્ચે ફરી મહાયુદ્ધ થવાના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર હુમલા કરવાની તૈયારીમાં હોવાની વિગતો સામે આવી છે. રિપોર્ટ મુજબ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર બ્રેડ કૂપર અને જાેઇન્ટ ચીફના ચેરમેને ટ્રમ્પ સાથે લગભગ ૪૫ મિનિટ સુધી વાતચીત કરી છે, જેમાં ઈરાન પર હુમલા માટે ત્રણ યોજના તૈયાર હોવાની ટ્રમ્પને માહિતી આપી છે, તેવો એક્સિઓસે દાવો કર્યો છે. અમેરિકન સૈન્યના ટોચના અધિકારીઓ અને…
ક્યુઆર કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો.સબ રજિસ્ટ્રાર કચેરીમાં અશાંતધારાની નકલી પરમિશન રજૂ કરવાનું કૌભાંડ.દસ્તાવેજ તૈયાર કરનાર એજન્ટ શંકાના દાયરામાં: એક સામે ગુનો દાખલ – શાહીબાગ પોલીસમાં ફરિયાદ.શહેરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં મિલકતની નોંધણી કરાવવા માટે સરકારના નિયમોને નેવે મૂકી બોગસ દસ્તાવેજાે રજૂ કરવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદના નરોડા વિસ્તારની મિલકત માટે અશાંતધારાની ખોટી અને ફેબ્રિકેટેડ પરમિશન બનાવી સરકાર સાથે છેતરપિંડી કરવા બદલ શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સબ રજિસ્ટ્રારે દસ્તાવેજ તૈયાર કરનાર એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા ચકચાર મચી ગઈ છે. ગત ૧૫ જુલાઈ ૨૦૨૫ના રોજ નરોડા સર્વે નંબર ૬૨૫માં આવેલ ‘કેસર એક્ઝોટીકા’ ફ્લેટ નંબર ૩૦૧ના…
ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો.કોમર્શિયલ ન્ઁય્ સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૯૯૩નો વધારો.કોમર્શિયલ ગેસ મોંઘો થવાને કારણે હોટેલ, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા.દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ ૧ મે ૨૦૨૬થી ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૯૯૩ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૩૦૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. જાેકે, રાહતની વાત એ છે કે ૧૪.૨ કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.ભાવમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં હવે એક સિલિન્ડરની કિંમત ૩૦૭૧.૫૦ રૂપિયા…
ઘણી મૂલ્યવાન કળાકૃતિઓ પરત કરવાની કામગીરી બાકી.USએ રૂ.૧૧૭ કરોડની ૬૫૭ પ્રાચીન કળાકૃતિઓ ભારતને પરત કરી.ભારતના ન્યૂયોર્ક સ્થિત રાજદૂત રાજલક્ષ્મી કદમની ઉપસ્થિતિમાં આ કૃતિઓ પરત સોંપાઈ હતી. ભારતમાંથી ચોરી કરીને અમેરિકામાં વેચી દેવાયેલી અંદાજે ૧૪ મિલિયન ડોલર (આશરે ૧૧૭ કરોડ)ના મૂલ્યની ૬૫૭થી વધુ પ્રાચીન કળાકૃતિઓ અમેરિકાએ પરત કરી છે. મેનહટ્ટન જિલ્લાના એટર્ની અલ્વિન બ્રાગે આ અંગેની જાહેરાત કરી હતી. આ તમામ મૂલ્યવાન પ્રાચીન મૂર્તિઓ તથા કળાકૃતિઓ તસ્કરીના કેસોની તપાસ ઉપરાંત નામચીન ભારતીય આર્ટ ડીલર સુભાષ કપૂર તથા નેન્સી વિયેનર નામની તસ્કરીની આરોપી પાસેથી કબજે કરાઈ હતી. ભારતના ન્યૂયોર્ક સ્થિત રાજદૂત રાજલક્ષ્મી કદમની ઉપસ્થિતિમાં આ કૃતિઓ પરત સોંપાઈ હતી. બ્રાગે એક નિવેદનમાં…
EVM મુદ્દે બબાલ બાદ TMC નો હુંકાર.‘ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે’.ટીએમસી નેતાઓ અને કાર્યકર્તાઓએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમ સ્થિત કાઉન્ટિંગ સેન્ટરની બહાર ધરણા શરૂ કરી દેતા હોબાળો.પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. એક્ઝિટ પોલના પરિણામો જાહેર થયા પછી રાજ્યમાં ઠેર-ઠેર હિંસા અને ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ભાજપના એક પોલિંગ એજન્ટના ઘર પર હુમલા અને મારપીટના આરોપો બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ(TMC)એ EVM સાથે છેડછાડનો ગંભીર આરોપ લગાવી મોરચો ખોલ્યો છે.TMC નેતાઓ અને કાર્યકર્તાઓએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમ સ્થિત કાઉન્ટિંગ સેન્ટરની…
આરવને ફિલ્મોમાં નથી આવવું, ફેશન ક્ષેત્રે કારકિર્દી ઘડી રહ્યો છ.અક્ષય કુમારનો પુત્ર આરવ ૪,૫૦૦ કમાય છે, પોતાનાં કામ જાતે કરે છે.અક્ષયે પુત્ર સાથેના ખાસ બોન્ડ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું કે પુત્ર ફિલ્મોથી દૂર ફેશનમાં પોતાની કારકિર્દી ઘડી રહ્યો છે.આરવને ફિલ્મોમાં નથી આવવું, ફેશન ક્ષેત્રે કારકિર્દી ઘડી રહ્યો છે. પુત્ર ૧૫ વર્ષની ઉંમરથી પરિવારથી દૂર રહીને બધું જાતે મેનેજ કરે છેઅક્ષયકુમાર પોતાના પુત્ર સાથે ખાસ સંબંધ ધરાવે છે. અક્ષયે પુત્ર સાથેના ખાસ બોન્ડ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું કે પુત્ર ફિલ્મોથી દૂર ફેશનમાં પોતાની કારકિર્દી ઘડી રહ્યો છે. તેને ફિલ્મોમાં નથી આવવું. અક્ષયે કહ્યું કે પુત્ર આરવ ૧૫…
રીલ બનાવવા બદલ ટ્રોલ થતાં અપીલ.પૈસાની જરૂર હોવાથી રીલ બનાવું છું, મજાક નહિ મદદ કરો: રાહુલ રોય.હું કમસેકમ અન્ય લોકોની મજાક ઉડાવવાને બદલે મહેનત કરીને પૈસા કમાવવાની કોશીશ કરી રહ્યો છું તે વાતની નોંધ લો.‘આશિકી’ની સફળતાથી રાતોરાત સ્ટાર બની ગયા બાદ જાેકે, ધારી સફળતા નહિ મેળવી શકેલો રાહુલ રોય હાલ એક કન્ટેન્ટ ક્રિએટર સાથે રીલ બનાવતો દેખાયા બાદ તેની આ હાલત સંદર્ભમાં તેને ભારે ટ્રોલ કરી મજાક ઉડાવાઈ હતી. હવે રાહુલ રોયે એક ભાવુક પોસ્ટ લખતાં કહ્યું છે કે અત્યારે મને પૈસાની જરુર છે એટલે હું રીલ બનાવું છે. મારી મજાક ઉડાવવાને બદલે કમસેકમ મને કામ અપાવવામાં મદદ કરો. તેની…
ઝોમ્બી થ્રિલરનું શૂટિંગ ઑગસ્ટ ૨૦૨૬માં શરૂ થવાની શક્યતા.રણવીર સિંહની ‘પ્રલય’ ફરી ટ્રેક પર, ઑગસ્ટમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા.ફિલ્મનું બજેટ લગભગ ૩૦૦ કરોડ હોઈ શકે છે, જે તેને હિન્દી સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાં સ્થાન અપાવી શકે છે.રણવીર સિંહની આગામી ફિલ્મ પ્રલય અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે હવે નવા અહેવાલ આવી રહ્યા છે, જેનાથી સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે કે પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે ટ્રેક પર છે. તાજેતરના અહેવાલ મુજબ, આ ઝોમ્બી થ્રિલરનું શૂટિંગ ઑગસ્ટ ૨૦૨૬માં શરૂ થવાની શક્યતા છે.આ ફિલ્મને લઈને થોડા સમય પહેલાં ક્રિએટિવ ડિફરન્સિસ અને વિલંબની ચર્ચાઓ હતી, પરંતુ પ્રોડક્શન સાથે જાેડાયેલા સુત્રોએ આ બધું નકારી કાઢ્યું છે. સુત્રના જણાવ્યા…
28 એપ્રિલે U/A 16+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું.‘રાજા શિવાજી’ હિન્દી અને મરાઠી બંને વર્ઝનમાં અલગ સમયગાળા સાથે રિલીઝ થશે.હાલમાં પુણે ભારતનું સૌથી વધુ પ્રદર્શન કરતું સેન્ટર છે અને તે મુંબઈને પણ ટક્કર આપી રહ્યું છે, જે દુર્લભ ઘટના છે.રાજા શિવાજી ૧ મેના દિવસે રિલીઝ થાય છે અને આ ફિલ્મ પણ ધમાકેદાર શરૂઆત માટે તૈયાર લાગે છે, ખાસ કરીને તેનાં મરાઠી વર્ઝનમાં. રાજા શિવાજીએ ૨૯ એપ્રિલની સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં ૪૦,૦૦૦થી વધુ ટિકિટ વેચી દીધી હતી. મરાઠી વર્ઝનને સ્થાનિક ફલેવર, સ્ટાર કાસ્ટ અને યોગ્ય રિલીઝ સમયને કારણે વધુ લોકપ્રિયતા મળી રહી છે. ૧ મેના રોજ મહારાષ્ટ્ર ડે છે. તેથી ફિલ્મને રાજ્યમાં ત્રણ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત રાજયની સ્થાપના ૦૧ મે,૧૯૬૦ ના રોજ થયેલ છે. મહાગુજરાત આંદોલન ધ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાત રાજય છૂટા પડયા. મહાગુજરાત આંદોલન ચળવળમાં નેતા ઇન્દુલાલ યાજ્ઞિક ધ્વારા ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટા પડે તે માટે આંદોલન ચલાવવામાં આવી રહેલ હતું. અને તેમાં તેમણે ૧૯૬૦ ની ૧ મે એ સફળતા મળેલી. પરંમપૂજય રવિશંકર મહારાજના વરદ હસ્તે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે રાજયનો ઉદઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડો.જીવરાજ મહેતાએ રાજયની ધૂરા સંભાળેલી. ત્યારબાદ આવેલા તમામ મુખ્યમંત્રીઓ ધ્વારા આજદિન સુધી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રથમવાર સુરત શહેરના આંગણે સફાઈ કામદારોની વિશાળ હાજરીમાં ગુજરાત રાજયના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



