- રશિયા સામે EUના નવા પ્રતિબંધો પર નિર્ણય ટળ્યો, ભારતને હાલ વેપારમાં મળી રાહત
- યમનના સના એરપોર્ટ પાસે મિસાઈલ હુમલાનો દાવો, ઈરાની વિમાનને માર્ગ બદલવો પડ્યો
- સરહદ સુરક્ષા માટે ભારતનું મોટું પગલું, 15 હજાર કરોડથી હાઈ ઑલ્ટિટ્યુડ એરશિપ બનશે
- E20 વિવાદ વચ્ચે ગડકરીનો દાવો: સામાન્ય કાર માલિક પોતે સાચું માઇલેજ ચેક કરી શકતો નથી
- ગાઝામાં ઈઝરાયેલી હુમલામાં 9 વર્ષની બાળકી સહિત 5નાં મોત, સૈન્યએ હુમલાનો સ્વીકાર કર્યો
- સલમાન ખાનનો ‘કાઉબોય’ લુક સોશિયલ મીડિયા પર વાયરલ, ફેન્સ બોલ્યા – ‘ભાઈજાનનો અંદાજ સૌથી અલગ’
- માત્ર 13 વર્ષની ઉંમરે ફિલ્મ માટે પસંદ થઈ: સંજના સાંઘીનું નિવેદન, ‘આપણા સપનાઓ આપણાથી વધુ બહાદુર હોય છે’
- સલમાન ખાનની ‘માતૃભૂમિ’ 2027 સુધી ટળે તેવી શક્યતા, આવતા વર્ષે બે ફિલ્મો રિલીઝ થઈ શકે
Author: garvigujrat
કરારનું પાલન નહીં થાય ત્યાં સુધી સેના ત્યાં જ રહેશે: ટ્રમ્પ હોર્મુઝની ખાડીમાં બિછાવેલી સુરંગોનો ચાર્ટ જારી કરી ઈરાનની અમેરિકાને ચેતવણી ચાર્ટમાં દર્શવાયા મુજબ, જહાજાેએ હવે ઈરાનની મુખ્ય ભૂમિની નજીક આવેલા લારક ટાપુ પાસેથી પસાર થવું પડશે ઈરાને રેવલ્યુશનરી ગાર્ડ દ્વારા હોર્મુઝની ખાડીમાં બિછાવાયેલી માઈન્સનો નકશો પ્રકાશિત કરી અમેરિકાને આડકતરો સંદેશ આપ્યો હતો. ત્રણેય દેશો વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામની જાહેરાત થઈ હોવા છતાં ઈરાન અને અમેરિકા દ્વારા યુદ્ધવિરામની શરતો અંગે વિપરીત દાવાઓ કરી રહ્યાં છે. ઈરાનનું કહેવું છે કે આ કરાર હેઠળ તે હોર્મુઝની સામુદ્રધૂની પર નિયંત્રણ રાખશે, ટોલ ટેક્સ વસૂલશે અને યુરેનિયમનું સંવર્ધન ચાલુ રાખશે.બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે…
અજમેરમાં રસ્તા પર ઇસ્ત્રી કરનારાને આવક વેરા વિભાગે ફટકારી રૂપિયા ૫૯૮ કરોડની નોટિસ પ્રારંભિક તપાસમાં ખબર પડી હતી કે બે વર્ષ પહેલાં જિતેન્દ્રનું પાન કાર્ડ અને આધાર કાર્ડ ખોવાઈ ગયું હતું રાજસ્થાનમાં અજમેરના રામનગરમાં ફૂટપાથ પર ફક્ત પાંચ રુપિયામાં કપડાને ઇસ્ત્રી કરતાં જિતેન્દ્ર બાડોલિયાના પાનકાર્ડનો દૂરુપયોગ કરીને લગભગ ૫૯૮ કરોડ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી છે. દિવસભરની મહેનત કરીને થોડાઘણા રૂપિયા કમાઈ લેતા જિતેન્દ્રને ત્યારે ઝાટકો લાગ્યો જ્યારે આવકવેરા વિભાગે તેને ૫૯૮ કરોડ ૫૦ લાખ ૩૭ હજાર અને ૭૨૬ કરોડ રૂપિયાની નોટિસ ફટકારી. આવકવેરા વિભાગની આ નોટિસ જાેતાં જ જિતેન્દ્રના હોશ ઉડી ગયા. તેને સમજમાં ન આવ્યું કે તેના નામ પર…
યુદ્ધ વિરામની ઘોષણા પર અત્યારે લટકતી તલવાર યુદ્ધ વિરામ બાદ ઈરાનના સુપ્રીમ લીડરે દુશ્મન દેશોને આપી ચેતવણી સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ કહ્યું કે, ઈરાન યુદ્ધ નથી ઈચ્છતું પરંતુ તે પોતાનો અધિકાર નહીં છોડે! પોતાના દુશ્મનોને કોઈ પણ હાલતમાં છોડવામાં આવશે નહીં અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે યુદ્ધ વિરામની ઘોષણા કરી દેવામાં આવી છે. યુદ્ધ વિરામની ઘોષણા બાદ ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈનું પહેલું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. એકબાજુ ૪૦ દિવસ બાદ યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે, તો સામે ઈરાન હજી શાંતિ ઇચ્છતું હોય તેમ લાગતું નથી. કારણે કે, અત્યારે સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ દુશ્મનોને વળતો જવાબ આપવાની ચેતવણી આપી…
ક્વોલીફાઈડ ડોક્ટર શ્રીલીલાનાં વિધાનોથી વિવાદ મહિલાઓ પિરિયડસનાં બહાનાં ન કાઢે તેવું કહેવા બદલ શ્રીલીલા ટ્રોલ થઈ મહિલાઓ બરોબરીની વાતો કરતી હોય તો થોડી શારીરીક તકલીફો વેઠી લે તેવું વિધાન મહિલાઓ જાે બરોબરીની વાત કરતી હોય તો થોડી શારીરિક તકલીફો વેઠીને પણ કામ કરવું જાેઈએ. મહિલાઓ પિરિયડસનાં બહાના કાઢે એ ચાલે નહિ તેવાં વિધાનોને કારણે શ્રીલીલા ભારે ટ્રોલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે શ્રીલીલા પોતે એક ક્વોલાઈફ્ડ ડોક્ટર છે. શ્રીલીલાએ પોતાની એક ફિલ્મનાં સંદર્ભમાં કહ્યું હતું કે મેં પિરિયડસ ચાલુ હોય ત્યારે પણ ઘણું શૂટિંગ કર્યું છે. મહિલાઓ પોતાના સમાન અધિકારોની વાત કરતી હોય તો આવાં શારીરિક કે માનસિક કારણોને…
બે કરોડનું વળતર તથા જાહેર માફીની માંગ હંસિકાએ એક્સ ભાભી મુસ્કાન સામે બદનક્ષીનો કેસ કર્યાે એકટ્રેસ મુસ્કાને હંસિકા તથા તેના ભાઈ પર બેફામ ખોટા આક્ષેપો કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો એકટ્રેસ હંસિકા મોટવાણીએ તેની એક્સ ભાભી તથા ટીવી કલાકાર મુસ્કાન નેન્સી જેમ્સ પર બદનક્ષીનો દાવો કર્યાે છે. હંસિકાના ભાઈ પ્રશાંત તથા મુસ્કાને ૨૦૨૦માં લગ્ન કર્યાં હતાં. જાેકે, ૨૦૨૨માં તેઓ છૂટાં પડી ગયાં હતાં. તે પછી મુસ્કાને પ્રશાંત, હંસિકા તથા તેના પરિવારજનો સામે ઘરેલુ હિંસાનો કેસ કર્યાે હતો. હંસિકાએ મુંબઈની એક અદાલતમાં આ દાવો દાખલ કરતાં જણાવ્યું છે કે મુસ્કાનનાં વિધાનોને કારણે તેની બદનામી થઈ છે. તેણે મુસ્કાન પાસેથી બે કરોડનાં…
મન્સૂર ખાને કારણ જણાવતા કહ્યું, આમિરને અંત અંગે શંકા હતી આમિર ખાને પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ ‘એક દિન’નો ક્લાઈમેક્સ ફરી લખ્યો ફિલ્મ જુનૈદ ખાનની મુખ્ય અભિનેતા તરીકે ત્રીજી ફિલ્મ છે અને સાઈ પલ્લવીની બોલિવૂડ ડેબ્યુ પણ છે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાની રોમેન્ટિક ડ્રામા ‘એક દિન’માં સાઈ પલ્લવી સાથેની ફિલ્મ આવી રહી છે. તાજેતરમાં મન્સૂર ખાને એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યાે કે આમિરને ફિલ્મના ક્લાઈમેક્સ અંગે શંકા હતી, જેના કારણે તેણે અંત ફરી લખ્યો છે. જ્યારે મન્સૂર ખાનને પૂછવામાં આવ્યું કે શું ‘એક દિન’ દરમિયાન આમિર સાથે મતભેદ થયો હતો, ત્યારે તેમણે કહ્યું: “હું આજે ફિલ્મો બહુ જાેતો નથી, પરંતુ મારી…
‘યેહ પ્રેમ મોલ લિયા’માં હિમેશ રેશમિયાએ સૂરજ બરજાત્યા માટે ૭ મધુર ગીતો તૈયાર કર્યાં ફિલ્મનું શૂટિંગ ૧ નવેમ્બર, ૨૦૨૫થી શરૂ થયું હતું અને હવે તે એક મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે સૂરજ બડજાત્યાની ફિલ્મો માત્ર બ્લોકબસ્ટર કમાણી, પરિવારિક વિષય, કાસ્ટિંગ અને ભાવનાઓ માટે જ નહીં, પરંતુ તેમના ગીતો માટે પણ જાણીતી હોય છે. તેથી તેમની આગામી ફિલ્મના મ્યુઝિક અંગે અપેક્ષાઓ ખૂબ ઊંચી છે. હવે તેમની આયુષ્માન ખુરાના અને શર્વરી અભિનીત ફિલ્મ વિશે એક રસપ્રદ માહિતી સામે આવી છે.સુત્રોએ જણાવ્યું, “હિમેશ રેશમિયાએ આ ફિલ્મ માટે સંગીત આપ્યું છે. તેમણે અને સૂરજ બડજાત્યાએ અગાઉ ૨૦૧૫ની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’માં સાથે કામ…
સંરક્ષણ અને જીર્ણોદ્ધારના કામ થશે જન્મદિવસ પહેલા અનંત અંબાણીએ ૨ મંદિરમાં ૧૮ કરોડ આપ્યા અટવાયેલા જીર્ણોદ્ધાર અને સંરક્ષણના કામ પૂરા કરી શકાશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અનંત અંબાણી ૧૦ એપ્રિલના રોજ પોતાનો જન્મદિવસ મનાવશે. આ અગાઉ તેમણે કેરળના કેટલાય પ્રાચીન મંદિરોના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર માટે આર્થિક મદદની જાહેરાત કરી છે. આ પહેલ તેમના તરફથી ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતને સંરક્ષિત કરવાની દિશામાં એક નિરંતર અને અદ્ભુત પ્રયાસ તરીકે જાેવામાં આવી રહ્યો છે. આ અગાઉ પણ તેમણે કેરળના મુખ્ય મંદિરોની મુલાકાત લઈ ત્યાં સંરક્ષણ કાર્યો માટે મોટી રકમ દાનમાં આપવાની જાહેરાત કરી હતી. હવે જન્મદિવસના ઠીક એક દિવસ પહેલા તેમણે આ…
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ ફરી ધમધમશે! પલાયન થયેલા શ્રમિકોને પરત લાવવા માટે ઉદ્યોગકારોએ ગાડીઓ મોકલી ગેસ સિલિન્ડર પુરવઠો શરૂ થવાના સંકેતો મળતા સુરતના ઉદ્યોગકારોએ શ્રમિકોને પરત લાવવા અભિયાન શરૂ કર્યું છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર પડકારોનો સામનો કરી રહેલી વિશ્વપ્રસિદ્ધ સુરત ટેક્સટાઇલ હબ અંગે હાલ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાન-અમેરિકા વચ્ચે વધેલા તણાવના કારણે ગેસ અને ક્રૂડના ભાવમાં અચાનક વધારો થતાં ટેક્સટાઇલ ક્ષેત્રે ઉત્પાદન ખર્ચ વધી ગયો હતો, જેના કારણે અનેક ટેક્સટાઇલ યુનિટ્સ પર અસર પડી હતી. જેના કારણે શ્રમિકોના મોટા પાયે પલાયન થવાથી ઉદ્યોગને ડબલ ઝટકો લાગ્યો હતો. જાેકે હવે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ ફરી ધમધમશે તેવા શુભ સંકેત સામે…
૨૦૨૯ની ચૂંટણીમાં બદલાશે દેશની તસવીર! મહિલાઓની ભાગીદારી વિના આ લક્ષ્ય સિદ્ધ કરી શકાય તેમ નથી વર્ષ ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને સંસદ અને વિધાનસભામાં ૩૩ ટકા પ્રતિનિધિત્વ મળે તે જરૂરી પીએમ મોદીએ મહિલા અનામત વિધેયક(નારી શક્તિ વંદન વિધેયક) અંગે રાષ્ટ્રને સંબોધતા એક મહત્ત્વનો વીડિયો સંદેશ અને લેખ શેર કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જાે આપણે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, તો દેશની માતૃશક્તિને તેમના પૂર્ણ સામર્થ્ય સાથે રાષ્ટ્રના વિકાસમાં જાેડવી અત્યંત અનિવાર્ય છે. પીએમ મોદીએ તેમના બે દાયકાથી વધુના સરકારના વડા તરીકેના અનુભવને ટાંકીને કહ્યું હતું કે, મહિલાઓની ભાગીદારી વિના આ લક્ષ્ય સિદ્ધ કરી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



