- પાંડેસરામાં મોબાઈલ ટાવર મુદ્દે સ્થાનિકોનો વિરોધ, મનપાની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠ્યા
- ગુજરાતમાં ગરમી યથાવત: અમદાવાદમાં 42°C આસપાસ તાપમાન, આગામી 7 દિવસ રાહતની શક્યતા ઓછી
- ઈરાનની અમેરિકા-ઈઝરાયલને નવી ધમકી: “નવા હથિયારથી દુશ્મનો ફફડી ઉઠશે”
- BRICS દેશો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ તરફ આગળ: ડોલર પર નિર્ભરતા ઘટાડવાનો પ્રસ્તાવ ચર્ચામાં
- ઉદ્ધવ ઠાકરેના નિર્ણયથી I.N.D.I.A ગઠબંધનમાં ખેંચતાણ, કોંગ્રેસના સંકેતથી મહારાષ્ટ્ર રાજકારણમાં તણાવ
- ગુજરાત સ્થાપના દિવસ પર સ્મરણ: સુરેન્દ્રસિંહ રાજપૂત જેવા નિષ્કપટ નેતૃત્વનો વારસો
- સુરતમાં રાજકીય વિવાદ: દિનેશ રાજપુરોહિત અને વિજય ચૌમાલ પર ગંભીર આક્ષેપો, લોકશાહી પર પ્રશ્નો
- શિનોર બેઠક પર ભૂપેન્દ્રભાઈ પટેલનો ભવ્ય વિજય, વિસ્તારમાં ખુશીની લહેર
Author: Garvi Gujarat
૩.૧૫ લાખ નવા આવાસની જાહેરાત.ઘરના ઘરનું સપનું જાેતા પરિવારો માટે ખુશખબર!.નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યનું ભાવિ નક્કી કરતું નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. આ વર્ષનું બજેટ માત્ર આંકડાઓની માયાજાળ નહીં, પરંતુ આગામી કોમનવેલ્થ ગેમ્સ અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું ‘માસ્ટરસ્ટ્રોક‘ સાબિત થઈ શકે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના અને હળપતિ આવાસ જેવી યોજનાઓ અંગે મહત્ત્વની જાહેરાત કરાઈ છે. ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્ન સુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં…
કુલ ૪૫૦૦ નવી જગ્યાઓ ઉભી કરાશે.સરકારી પરીક્ષાની તૈયારી કરનારા માટે બજેટમાં બે એલાન.DIAL ૧૧૨ જનરક્ષક માટે ૩ હજાર જગ્યાઓ ઊભી કરાશે, મહેસૂલી કચેરીઓ ખાતે ૧૫૪૬ નવી જગ્યાઓ ઊભી કરાશે.ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુલ ૪,૦૮,૦૫૩ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ બજેટમાં ૩૭,૮૦૩ કરોડનો વધારો જાેવા મળ્યો છે. તેમજ ૯૭૪ કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં યુવાનો માટે ભરતીને લગતા બે ર્નિણય લેવામાં આવ્યા છે જેમાં DIAL ૧૧૨ જનરક્ષક માટે ૩ હજાર જગ્યા તેમજ મહેસૂલી કચેરીઓ ખાતે ૧૫૪૬ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. આ જાહેરાત બાદ હવે આ બે વિભાગમાં આગામી સમયમાં ભરતી…
સોમનાથનો ગ્લોબલ ડેસ્ટિનેશ તરીકે થશે વિકાસયાત્રાધામના વિકાસ માટે ૫૫૦ કરોડની જાેગવાઇ.અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન અને સર્વાંગી વિકાસ માટે રૂ.૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.આજે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ રાજ્યના ૨૦૨૬ અને ૨૭નું બજેટ રજૂ કરતા કેટલીક મહત્વની જાહેરાત કરી છે. જેમાં રાજ્યના યાત્રાધામના વિકાસ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત યાત્રાધામના વિકાસ માટે બજેટમાં કરોડોની જાેગવાઇ કરાઇ છે. અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન અને સર્વાંગી વિકાસ માટે રૂ.૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓની સુવિધા માટે રૂ.૫૫ કરોડ જાેગવાઇ કરાઇ છે. બીચ ટુરિઝમ માટે પણ બજેટમાં અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે. સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદરના વિકાસ…
રમતગમત ક્ષેત્રે રૂ. ૧૩૩૧ કરોડની જાેગવાઇ.અમદાવાદ શહેર બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’.આ પ્રોજેક્ટ દ્વારા અમદાવાદને ભવિષ્યમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સુસજ્જ કરવામાં આવશે.ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાએ બજેટ દરમિયાન અનેક મોટી જાહેરાતો કરી છે. ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ માં દરેક વિભાગનો માટે અનેક જાેગવાઈ કરવામાં આવી છે. અમદાવાદને સ્પોર્ટ્સ હબ બનાવવા બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા અને શહેરને ‘ઓલિમ્પિક રેડી સિટી’ તરીકે વિકસાવવા માટે સરકારે રૂ. ૧૨૭૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા અમદાવાદને ભવિષ્યમાં ઓલિમ્પિકની યજમાની કરવા…
વધુ ૯૨૬ પી.એમ.શ્રી શાળાઓ શરૂ થશે.ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે.અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ થશે.વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે આજે રાજ્યનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર ગૃહમાં રજૂ થયું છે. પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ નાણામંત્રી કનુભાઇ દેસાઇએ બજેટ રજૂ કર્યું છે. જેમાં યુવા શક્તિને મજબૂત કરવા અને સમાન અવસર આપવાના કેટલાક પગલાંનું ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને આધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનાવાશે. નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારીમાં મહત્વપૂર્ણ પ્રગતિ થશે.…
માર્ગ અને મકાન વિભાગ માટે રૂ.૨૯૭૦૯ કરોડની જાેગવાઇ.હાઇ સ્પીડ કોરિડોર, રસ્તા-પુલ અને ટ્રાફિકનું ભારણ હળવું કરવા માસ્ટર પ્લાન.જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઈ સ્પીડ કૉરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે.આજે ૧૮મી ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કનુભાઇ દેસાઈએ ગુજરાતની જનતા માટે વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૪ લાખ ૮ હજાર ૫૩ કરોડનું અંદાજ પત્ર રજૂ કર્યું છે. બજેટમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ.૨૯૭૦૯ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે. રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. જરૂરિયાત મુજબના…
રાજ્યની સુરક્ષા, ન્યાયતંત્ર ક્ષેત્રે અનેક ર્નિણયો લેવાયા.પોલીસ કર્મચારીઓ માટે બજેટમાં મોટી જાહેરાત.પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં કુલ ૨૦,૪૪૪ રહેણાક મકાનો બનાવવામાં આવશે.રાજ્યના પોલીસ પરિવારોને સુવિધાજનક રહેઠાણ મળી રહે તે માટે સરકારે મોટું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં કુલ ૨૦,૪૪૪ રહેણાક મકાનો બનાવવામાં આવશે. આ આવાસ યોજના માટે ચાલુ બજેટમાં રૂ.૧,૫૭૧ કરોડની માતબર જાેગવાઈ કરવામાં આવી છે. જિલ્લા કચેરીઓ અને પોલીસ સ્ટેશન સહિતના ૧૦૭ નવા બિન-રહેણાક મકાનો માટે રૂ.૧૩૬ કરોડ ફાળવવામાં આવ્યા છે. ગૃહ વિભાગ માટે કુલ રૂ.૧૪,૨૬૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ કરવા નીચે મુજબના પગલાં લેવાશે. DIAL 112′ સેવાને…
નર્મદાના પાણીને ઉ. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વાળવા સુજલામ સુફલામ સહિત ૩ યોજના માટે મોટી ફાળવણી.ગુજરાતના નાણામંત્રીએ સતત પાંચમીવાર આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કર્યું. આ વખતનું બજેટ ૪,૦૮,૦૫૩ કરોડનું વિક્રમી બજેટ રજુ થયું. જેમાં GYAN પર સૌથી વધુ ફોકસ રહ્યું. એટલેકે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત કરવા પર ભાર મૂકાયો. બજેટમાં વિવિધ ક્ષેત્રના વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો. નાણામંત્રીએ બજેટ રજુ કરતા શરૂઆતમાં કહ્યું કે જી.એસ.ટી.માં કરેલ ઐતિહાસિક સુધારાથી સામાન્ય નાગરિકની જીવન જરૂરિયાત વસ્તુઓની ખરીદશકિતમાં વધારો થયેલ છે. વધુમાં, શ્રમ અધિનિયમમાં કરેલ સુધારાઓથી કામદારોની સામાજિક સુરક્ષા, રોજગારીની તક સાથે તેમના સન્માનમાં વધારો થયો છે. ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની…
આજે વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ અંગે વાત કરતાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારના મંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. પ્રાથમિક તબક્કે અમને ઘણી અપેક્ષાઓ હતી. ગુજરાતના ખેડૂતોને, બેરોજગારોને, તમામ વર્ગના લોકો અને કર્મચારીઓને આશા હતી કે આ બજેટ સર્વસમાવેશક અને સુખાકારી લાવનારું હશે. પરંતુ આજનું બજેટ ચૂંટણી લક્ષી,દિશાહીન અને નિરાશાજનક હોવાનું અમને લાગે છે. તેમણે જણાવ્યું કે આદિજાતિ વિકાસ વિભાગ માટે આ વર્ષે ₹5,425 કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે. મોટી જાહેરાતો થાય છે અને વખાણ થાય છે, પરંતુ ગયા વર્ષના આંકડાઓ જોવામાં…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદને સંબોધતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આજે સરકાર દ્વારા રજૂ કરાયેલું બજેટ ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને ગરીબ વર્ગની વાસ્તવિક જરૂરિયાતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું છે. ખેડૂતોને ખેતી ખર્ચ, સિંચાઈ માટે પૂરતું પાણી, યોગ્ય અને પૂરતી એમએસપી, દિવસ દરમિયાન મફત અથવા સસ્તી વીજળી અને ખાનગી બીજ-ખાતરની કંપનીઓથી રાહત જેવી મૂળભૂત જરૂરિયાતો છે. પરંતુ સરકારે ખેડૂતો માટે કોઈ સ્પષ્ટ અને અસરકારક પ્રાવધાન કર્યું નથી. સુજલામ સુફલામ યોજના હેઠળ ફક્ત ₹1,540 જેવી રકમ આપવામાં આવે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



