
- છોટા ઉદેપુરમાં ડામર ભાવવધારા કારણે રૂ. ૨૦૦ કરોડના રોડ કામો અટકાવવાના ખતરા
- અમદાવાદમાં સાઇબર ક્રાઇમ: વોટ્સઅપ પરથી જાેખમી APK ફાઈલ ડાઉનલોડ, ૧૦.૭૦ લાખ રૂપિયાની છેતરપિંડી
- અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી ૫૫૩ ગ્રામ સોનું જપ્ત, કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ
- બંગાળ ચૂંટણીમાં ફોર્મ-૬ વિવાદ: ટીએમસી-ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે હિંસક મારામારી, પોલીસ કસ્ટડીમાં લઇ ગઈ
- એર ઇન્ડિયા ફ્લાઇટમાં ધુમાડો, કટોકટી જાહેર, લખનૌમાં સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ
- ભારતમાં ચીનની હિકવિઝન, ડેહુઆ, ટીપી લિંક સીસીટીવીના વેચાણ પર સર્ટિફિકેટ અભાવે ૧લી એપ્રિલથી પ્રતિબંધ
- અમેરિકાએ ઈસ્ફહાન પર ૨૦૦૦ પાઉન્ડ બંકર-બસ્ટર બોમ્બથી હુમલો, ઈરાનની પરમાણુ સુવિધાઓ નષ્ટ
- ઈઝરાયલી દૂતે પાકિસ્તાનને નિષ્ફળ મધ્યસ્થ ઠેરવી ભારતને વધુ યોગ્ય ગણાવ્યો, યુદ્ધમાં સમર્થન અપાયું
Author: Garvi Gujarat
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમદાવાદના ચંડોળા મુકામે નવનિર્મિત થનાર એસ.ટી. ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના નેતૃત્વમાં એસ.ટી. નિગમ હાલ ખૂબ જ પ્રસંશનીય કામગીરી કરી રહ્યું છે. નાગરિકોની સુવિધા માટે નિગમ દ્વારા અત્યાધુનિક વોલ્વો જેવી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બસોના સુચારુ સંચાલન માટે શ્રેષ્ઠ સર્વિસિંગ અને જાળવણી પણ તેટલી જ અનિવાર્ય છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે હેતુથી ચંડોળા ખાતે…
પાન-મસાલાની જાહેરાત મામલે જયપુર કોર્ટની કાર્યવાહી.અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જાહેર.પાન મસાલા અને સરોગેટ એડવર્ટાઇઝિંગ મામલે અગાઉ પણ અજય દેવગન, અક્ષય કુમાર અને શાહરૂખ ખાન જેવા દિગ્ગજ કલાકારો વિવાદમાં આવી ચૂક્યા છે.બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં ફસાયો છે. આ વખતે મામલો કોઈ ફિલ્મી વિવાદ કે શિકારનો નથી, પરંતુ પાન મસાલાની જાહેરાતનો છે. જયપુરની એક કોર્ટે સલમાન ખાન વિરુદ્ધ ૧૦,૦૦૦ રૂપિયાનું જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.રાજસ્થાનના જયપુરમાં એડવોકેટ શાલીની શર્મા દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, સલમાન ખાન પાન મસાલા જેવી હાનિકારક વસ્તુઓનું પ્રમોશન કરી રહ્યો છે. જે સમાજ…
આજના ટેક્નોલોજીના યુગમાં બાળકો માત્ર પુસ્તકો આધારિત શિક્ષણ નહિ, પણ રમત-ગમત અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ લઈ શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨ના બાળકો માટે ૭૪ હજારથી વધુ “જાદુઈ પીટારા” આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારાનો રાજ્યના ૧૨.૩૫ લાખથી વધુ વિધાર્થીઓને સીધો લાભ મળશે. દેશના બાળકો ગોખણિયું શિક્ષણ છોડી પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “જાદુઈ પીટારા”ની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારા ગુજરાતની તમામ…
સોનું એપ્રિલ રૂ.1.47 લાખ અને ચાંદી જુલાઇ, ચાંદી-મિની તથા ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદા રૂ.3 લાખના ઊંચા સ્તરને પાર ક્રૂડ તેલના વાયદામાં રૂ.83ની તેજીઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.40110.56 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.108912.9 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.33023.16 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38970 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.149028.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.40110.56 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.108912.9 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 38970 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2688.48 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.33023.16 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.142589ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.143296 અને નીચામાં રૂ.142400ના મથાળે અથડાઈ, રૂ.143121ના આગલા બંધ સામે રૂ.31 વધી રૂ.143152 થયો હતો.…
સર્વેની કામગીરી હાથ ધરતા સૌ આશ્ચર્યચકિત થઈ ગયા.પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમટેક્સ ત્રાટક્યું.ટોલ પ્લાઝાના વ્યવહારોમાં બહુ મોટી આર્થિક ગરબડ હોવાની આશંકાના આધારે આવકવેરા વિભાગે તવાઈ બોલાવી છે.સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે આવેલ કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. સામાન્ય રીતે ઈન્કમટેક્સ વિભાગ, કોઈના ઘરે, ઓફિસે, ગોડાઉન પર, ફેકટરી ટુંકમાં વ્યવસાયના સ્થળે દરોડા પાડતું હોય છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં તો આવકવેરા વિભાગે ટોલ પ્લાઝા પર તવાઈ બોલાવી છે. આજે વહેલી સવારથી આઈટીના અધિકારીઓની વિવિધ ટીમોએ, સાબરકાંઠામાં દરોડા પાડ્યા છે. જેમાં એક ટીમે પ્રાંતિજ પાસે આવેલ કતપુર ટોલ પ્લાઝા પર સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરતા સૌ…
મનપાએ રૂ. ૨૦૦ કરોડની લોન લેવી પડી.રાજકોટ મનપાની તિજાેરીના તળિયા દેખાયા! ૩૧૦૦ કરોડના બજેટ સામે ખર્ચ માત્ર ૧૪૦૦ કરોડ.ગત વર્ષે રૂ. ૩૧૦૦ કરોડનું તોતિંગ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવિકતા એ છે કે અત્યાર સુધીમાં માત્ર રૂ. ૧૪૦૦ કરોડનો જ ખર્ચ થયો છે.આગામી નાણાકીય વર્ષના બજેટની તૈયારીઓ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા ઇતિહાસના સૌથી કપરા આર્થિક સમયગાળામાંથી પસાર થઈ રહી છે. ગત વર્ષે રૂ. ૩૧૦૦ કરોડનું તોતિંગ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવિકતા એ છે કે અત્યાર સુધીમાં માત્ર રૂ. ૧૪૦૦ કરોડનો જ ખર્ચ થયો છે. નાણાંના અભાવે અનેક મહત્વકાંક્ષી યોજનાઓ માત્ર કાગળ પર રહી ગઈ છે અને સ્થિતિ એવી…
પૂર્વી ભારતની કનેક્ટિવિટીને મજબૂત બનશે.દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન આજથી દોડશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદાથી દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે માલદાથી દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન હાવડા-ગુવાહાટી રૂટ પર દોડશે. આ ભારતની સૌથી આધુનિક અને હાઇ-સ્પીડ ટ્રેન છે. જે વિશ્વ કક્ષાની ટેકનોલોજીથી સજ્જ છે. લોકો લાંબા સમયથી દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનના આગમનની રાહ જાેઈ રહ્યા હતા. આ ટ્રેન સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે અને તેનું સફળતાપૂર્વક પરીક્ષણ પણ થઈ ચૂક્યું છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે…
૬ લાખથી વધુ નોકરીની તક ઉભી થશે.૫.૭૮ લાખ કરોડનું રોકાણ, ૫૪૯૨ પ્રોજેક્ટ્સના MoU.પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની સફળતા માહિતી આપી.ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની સફળતા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાધરૂપે યોજાયેલી કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ સમિટ રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે. આ બે દિવસીય રીજનલ સમિટ દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્રમાં રૂ. ૫,૭૮,૩૩૦ કરોડના સંભવિત રોકાણના લક્ષ્યાંક સાથે કુલ ૫,૪૯૨ પ્રોજેક્ટસ માટે MoU સંપન્ન કરવામાં આવ્યા છે. આ સમિટ અંતર્ગત કરવામાં…
ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તારીખ જાહેર.બજેટ સત્રનો ૧૬ ફેબ્રુઆરીથી પ્રારંભ, સાત નવા બિલ રજૂ થવાની શક્યતા.મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અને રાજ્યના પ્રોજેક્ટ્સની સમીક્ષા.ગુજરાત વિધાનસભાના આગામી બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના બજેટ સત્રની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અને રાજ્યના પ્રોજેક્ટ્સની સમીક્ષા કર્યા બાદ આ મહત્ત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની પુન: રચના પણ કરવામાં આવી છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ ૨૦૨૬-૨૭નું અંદાજ પત્ર રજૂ કરશે. આગામી ૧૬ ફેબ્રુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ થશે, જે ૨૫ માર્ચ સુધી ચાલશે.…
दक्षिण पूर्व रेलवे में ब्लाक के कारण पश्चिम रेलवे के रतलाम मंडल से होकर गुजरने वाली कुछ ट्रेनें प्रभावित होंगी। पश्चिम रेलवे रतलाम मंडल के जनसंपर्क अधिकारी श्री मुकेश कुमार द्वारा जारी प्रेस विज्ञप्ति के अनुसार प्रभावित ट्रेनों का विवरण निम्नानुसार है— 1. 15 जनवरी, 22 जनवरी, 29 जनवरी 2026 एवं 05 फरवरी 2026 को अजमेर से चलने वाली ट्रेन संख्या 08612 अजमेर–संतरागाछी एक्सप्रेस अपने निर्धारित मार्ग के स्थान पर टोरी–बरकाकाना–मूरी मार्ग से परिवर्तित मार्ग से होकर चलेगी। 2. 19 जनवरी, 26 जनवरी 2026 एवं 02 फरवरी 2026 को संतरागाछी से चलने वाली ट्रेन संख्या 08611 संतरागाछी–अजमेर एक्सप्रेस अपने निर्धारित…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



