Author: Garvi Gujarat

આખરે ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા પૂરી થઇ!.મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ટ્રમ્પને ભેટ કર્યો.આ ગિફ્ટ ડિપ્લોમસીએ વોશિંગ્ટનથી લઈને કરાકસ સુધી નવી રાજકીય અટકળોને જન્મ આપ્યો છે.વેનેઝુએલામાં ચાલી રહેલા ગંભીર રાજકીય સંકટ વચ્ચે, વિપક્ષી નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ મુલાકાત બાદ મચાડોએ દાવો કર્યાે કે તેમણે પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ ટ્રમ્પને ભેટમાં આપ્યો હતો. આ ગિફ્ટ ડિપ્લોમસીએ વોશિંગ્ટનથી લઈને કરાકસ સુધી નવી રાજકીય અટકળોને જન્મ આપ્યો છે.આ બહુચર્ચિત બેઠક ગુરુવારે વ્હાઇટ હાઉસમાં લંચ પર યોજાઈ હતી, જે આ મહિનાની શરૂઆતમાં અમેરિકાની આગેવાની હેઠળના ઓપરેશનમાં પૂર્વ…

Read More

૨૬મીની પ્રજાસત્તાક દિનની પરેડમાં યુરોપીયન સંઘના નેતાઓ ભાગ લેશે.ભારત-EU વચ્ચેની ઐતિહાસિક ટ્રેડ ડીલ ૨૭ જાન્યુઆરીએ: કૃષિનો સમાવેશ નહીં.નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં દ્વિપક્ષી વેપાર ૧૩૫ અબજ ડોલર હતો, બંને પક્ષે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાથી વ્યાપારી સંબંધો વધારે મજબૂત થશે.ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં યુરોપિયન સંઘ (EU)ના નેતાઓ એન્ટોનિઓ કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેએન ઉપસ્થિત રહેવાના છે. અમેરિકાએ ટેરિફ પોલિસીનો ભય બતાવી ભારત પર દબાણ વધારવા પ્રયાસ કર્યાે છે ત્યારે ભારત-EU વચ્ચે ૨૭ જાન્યુઆરીના રોજ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થશે. જાેકે આ કરારમાં કૃષિ ક્ષેત્રનો સમાવેશ કરાયો નથી. ભારતના સૌથી મોટા વ્યાપારી ભાગીદારોમાં EU નો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં દ્વિપક્ષી વેપાર…

Read More

હુસૈન અસ્તરાની પુત્રીએ બે કરોડ માગતાં ર્નિણય.શાહિદની ઓ રોમિયોનું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મોકૂફ.ફિલ્મ સાથે સંકળાયેલાં વર્તુળોના દાવા અનુસાર સલામતીનાં કારણોસર ફિલ્મનું ટ્રેલર લોન્ચ કેન્સલ કરાયું છે.શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ઓ રોમિયો’નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલત્વી રહ્યું હોવાનું કહેવાય છે. હુસૈન અસ્તરાની દીકરીએ ફિલ્મ નિર્માતાઓ પાસેથી બે કરોડની માગણી કરી છે અને પોતાની કેટલીક ડિમાન્ડ સંતોષાય નહિ ત્યાં સુધી ફિલ્મની રીલિઝ મુલત્વી રાખવા ચેતવણી આપી છે. તેના પગલે આ ર્નિણય લેવાયો હોવાનું કહેવાય છે. ફિલ્મ સાથે સંકળાયેલાં વર્તુળોના દાવા અનુસાર સલામતીનાં કારણોસર ફિલ્મનું ટ્રેલર લોન્ચ કેન્સલ કરાયું છે. આ ફિલ્મ હુસૈન અસ્તરાની જીવનકથા પર આધારિત હોવાનું કહેવાય…

Read More

‘ભૂલચૂક માફ’ : હનીસિંહ.કાર્યક્રમમાં અભદ્ર ભાષાના પ્રયોગ બાદ રેપરે કરી સ્પષ્ટતા.લોકપ્રિય રેપર યો યો હનીસિંહ બુધવાર, ૧૪ જાન્યુઆરીથી સોશિયલ મીડિયા પર એક વિવાદના કારણે ટ્રેન્ડ થઈ રહ્યો છે.લોકપ્રિય રેપર યો યો હનીસિંહ બુધવાર, ૧૪ જાન્યુઆરીથી સોશિયલ મીડિયા પર એક વિવાદના કારણે ટ્રેન્ડ થઈ રહ્યો છે. હનીસિંહનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે લાઈવ કોન્સર્ટ દરમિયાન વાંધાજનક ભાષાનો પ્રયોગ કરતો જાેવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ તેને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો અને લોકોએ તેની નૈતિકતા પર સવાલ ઉઠાવ્યા હતા. જાેકે, વિવાદ વધતા હવે હનીસિંહે જાહેરમાં માફી માંગી છે.હનીસિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર…

Read More

ફિલ્મ ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.અક્ષય ખન્ના રહેમાન ડકૈતના પાત્રમાં ‘ધુરંધર ૨’ ફરી ધૂમ મચાવશે.નિર્માતાઓએ ‘ધુરંધર ૨’ નું શૂટિંગ પહેલાથી જ કરી લીધું છે, અને હવે તેઓ કેટલાક પસંદગીના દ્રશ્યો ફરીથી શૂટ કરવાની યોજના બનાવી રહ્યા છે.અક્ષય ખન્નાનું રહેમાન ડકૈતનું અવિસ્મરણીય પાત્ર ‘ધુરંધર ૨’ માં ફરી એકવાર ધૂમ મચાવી રહ્યું છે, જે આદિત્ય ધરના બોક્સ ઓફિસ સેન્સેશનની સિક્વલ છે. જાેકે તેના પાત્રનો પ્રથમ હપ્તામાં દુ:ખદ અંત આવ્યો હોય તેવું લાગતું હતું, ફિલ્મ નિર્માતાઓ તેને ફરીથી જાેઈ શકાય તે માટે નવીન ફ્લેશબેક અને રિશૂટ બનાવી રહ્યા છે. આદિત્ય ધરની ‘ધુરંધર’ ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક સફળતા મેળવી છે.…

Read More

ઇમરાન ખાને ૨૦૧૧ માં અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા હતા.ડીપ્રેશનના સમયમાં મને ગર્લફ્રેન્ડ લેખાએ સાચવ્યો: ઇમરાન ખાન.લગભગ ૧૧ વર્ષના લાંબા ગાળા પછી, ઇમરાન ખાન હેપ્પી પટેલ સાથે મોટા પડદા પર પાછા ફરી રહ્યા છે.સુપરસ્ટાર આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા, ઇમરાન ખાન, હાલમાં તેમની આગામી ફિલ્મ, હેપ્પી પટેલ માટે સમાચારમાં છે. વર્ષાેથી ડિપ્રેશનથી પીડાતા ઇમરાન, તાજેતરમાં એક મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન તેમની ગર્લફ્રેન્ડ, લેખા વોશિંગ્ટન વિશે ખુલ્લેઆમ વાત કરી. ઇમરાન ખાને વર્ણન કર્યું છે કે કેવી રીતે લેખાના બિનશરતી પ્રેમે તેમના જીવનના મુશ્કેલ સમયમાં તેમને સાથ આપ્યો. તેમની પુત્રી ઇમરાએ પણ આમાં તેમનો સાથ આપ્યો.ઇમરાન ખાન માને છે કે લેખાના સાચા પ્રેમને…

Read More

વન વિભાગે શરૂ કર્યુ પેટ્રોલિંગ.ભાવનગરથી ૨૦ કિલોમીટર દૂર જાેવા મળ્યો એશિયાઈ સિંહ.ભડલી ગામના સીમ વિસ્તારોમાં એશિયાઈ સિંહ જાેવા મળ્યા મળતા ગ્રામ્યજનોએ વન વિભાગને જાણ કરી હતી.એશિયાઈ સિંહ હવે તેમનો વિસ્તાર વધારતા હોય તેવુ લાગી રહ્યું છે. ભાવનગર શહેરથી માત્ર ૨૦ કિલોમીટર દૂર સુધી સિંહ આંટાફેરા મારી રહ્યા છે. એટલુ જ નહીં, તેની ડણાક પણ હવે ભાવનગરથી થોડેક દૂર સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં સંભળાઈ રહી છે. ગુજરાતમાં ગીરના જંગલ અને સિંહ માટે ખાસ જાહેર કરાયેલા રાષ્ટ્રીય અભ્યારણ્યમા એશિયાઈ સિંહોનો વસવાટ છે. સૌરાષ્ટ્રના ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીના જંગલ વિસ્તારમાં એશિયાઈ સિંહનો વસવાટ રહ્યો છે. જે છેલ્લા કેટલાક વર્ષોમાં વિસ્તરીને પોરબંદર, ભાવનગર,…

Read More

બેની ધરપકડ કરવામાં આવી, ૪ ફરાર.વાપીના રહેણાક વિસ્તારમાંથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું.હરિયાપાર્કમાં આવેલા નક્ષત્ર પેલેસના એક ફલેટમાં રૂ.૫૦૦ના દરની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું.વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાપીના હરિયાપાર્કમાં આવેલા નક્ષત્ર પેલેસના એક ફલેટમાં દરોડા પાડી રૂ.૫૦૦ના દરની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપ્યું છે, પોલીસે ફ્લેટમાંથી રૂ.૫૦૦ના દરથી નકલી ૧૨૧૫ નોટ, બે મોબાઈલ, રોકડા રૂ. ૧૫૮૦, નોટ બનાવવા ઉપયોગમાં લેવાયેલા સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પોલીસની ટીમ વાપીના ડુંગરા હરિયાપાર્ક વિસ્તારમાં પહોંચી હતી. જયા રોડ પર બાતમી મુજબના વર્ણનવાળા શખ્સને અટકાવી તેની તપાસ કરી…

Read More

મણિકર્ણિકા ઘાટ વિવાદમાં વડાપ્રધાન પર ખડગેનો પ્રહાર.રિનોવેશનના નામે ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો ધ્વસ્ત કરાયો.મોદી ઈતિહાસની દરેક ધરોહરનું નામો નિશાન મિટાવી પોતાની નેમ-પ્લેટ ચોંટાડવા માંગે છે : કોંગ્રેસ અધ્યક્ષે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વારાણસીના પ્રસિદ્ધ મણિકર્ણિકા ઘાટના પુન:વિકાસને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. ખડગેનું કહેવું છે કે, સૌંદર્યકરણ અને વ્યાપારીકરણના નામે વિરાસતોને બુલડોઝર દ્વારા ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. તેમણે આરોપ મૂક્યો કે PM મોદી ઈતિહાસની દરેક ધરોહરનું નામો નિશાન મિટાવી પોતાની નેમ-પ્લેટ ચોંટાડવા માંગે છે. ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરતાં લખ્યું કે, જી, સુંદરતા અને વ્યાપારીકરણના…

Read More

INSV કૌડિન્ય મસ્કત પહોંચ્યું.ભારત-ઓમાન વચ્ચે ૫,૦૦૦ વર્ષ જૂના દરિયાઈ સંબંધો પુનર્જીવિત થયા.મસ્કતના પોર્ટ સુલતાન કાબૂસ ખાતે કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જહાજના ક્રૂ મેમ્બર્સનું ભવ્ય સ્વાગત કર્યું.ભારત અને ઓમાન વચ્ચેના હજારો વર્ષ જૂના દરિયાઈ અને સાંસ્કૃતિક સંબંધોમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. ભારતીય નૌકાદળનું પરંપરાગત રીતે નિર્મિત જહાજ INSV કૌડિન્ય તેની પ્રથમ પોરબંદર-મસ્કત સફર સફળતાપૂર્વક પૂર્ણ કરીને મસ્કત પહોંચ્યું છે. મસ્કતના પોર્ટ સુલતાન કાબૂસ ખાતે કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જહાજના ક્રૂ મેમ્બર્સનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રાચીન કળા અને આધુનિક મૈત્રીનો સંગમ INSV કૌડિન્યનો હેતુ ભારતની પ્રાચીન જહાજ નિર્માણ કળાને વિશ્વ સમક્ષ…

Read More