- રશિયાની ભારતને મોટી ઑફર: અનલિમિટેડ ઓઇલ અને ઊર્જા સપ્લાયની જાહેરાત
- પાકિસ્તાન આર્મી ચીફ મુનીર તેહરાનમાં: અમેરિકા-ઈરાન વાતચીત માટે ટ્રમ્પ સંદેશ ચર્ચામાં
- આકાશ ચોપડાની નારાજગી: રસીખ સલામને બદલે હેઝલવુડને પ્લેયર ઓફ ધ મેચ પર વિવાદ
- ટ્રમ્પનું સ્વાગત: 34 વર્ષ બાદ ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ ચર્ચા શરૂ
- Keir Starmer ની સોશિયલ મીડિયા કંપનીઓને ચેતવણી: બાળકો માટે UKમાં પ્રતિબંધની શક્યતા
- પીએમ મોદીએ સંસદમાં મહિલા આરક્ષણ પર કહ્યું: વિરોધ કરનારને લાંબા ગાળે ભારે કિંમત પડશે
- ડોક્સી ફાઇનાન્સ કૌભાંડ: 2.05 કરોડની ઠગાઈ, ચાર આરોપીની આગોતરા જામીન અરજી ફગાવાઈ
- China ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર બન્યું, United States બીજા ક્રમે ધકેલાયું
Author: Garvi Gujarat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અશોક ખરાત કેસમાં રચવામાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના વડા તેજસ્વી સાતપુતે એ આ કેસ સંદર્ભે વિગતો આપતા જણાવ્યું હતું કે “પીડિતાઓ અને તેમના કુટુંબીજનોના ઇન્ટરવ્યુ લેવા પર બંધી છે. આ કેસમાં મીડિયા ટ્રાયલ ન થવી જોઈએ. પીડિતાઓની ઓળખ થાય એવા વિડીયો વાઇરલ કરનારાઓ પર કડક કાર્યવાહી થઈ શકે છે. આ કેસ સંદર્ભે ૪૬૫૦ વિડીયો લિન્કસ વાઇરલ થઈ હતી. જે સાયબર ટીમે ડિલીટ કરી છે. વળી સોશિયલ મીડિયા પર પણ વાંધાજનક પોસ્ટ ફોરવર્ડ કરાતી હતી એવા ૪૫૧ અકાઉન્ટ પણ કાયમ માટે ડિલીટ કરવામાં આવ્યા છે. આ પ્રકરણ બહુ જ સેન્સિટિવ છે. એથી ચાર્જશીટ દાખલ ન…
દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો થશે અહેસાસ રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે આગામી ૧૧ એપ્રિલથી ૧૪ એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની શક્યતા છે રાજ્યમાં ભરે ઉનાળે કમોસમી વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધશે, તેવી આગાહી કરી છે. જેમાં આગામી ૧૧ એપ્રિલથી ૧૪ એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસો માટે નવી આગાહી કરવામાં આવી છે, જેમાં ગરમીનો પારો ૨થી ૩ ડિગ્રી જેટલો વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. IMD અનુસાર, આગામી તારીખ ૧૧થી ૧૪ સુધી સમગ્ર…
૨૨ છોડ સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત ઈસરોડીયા ગામના ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયંુ બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો નશીલો પદાર્થ કબજે કર્યો છે પંચમહાલ જિલ્લામાં નશાબંધી અભિયાન હેઠળ પોલીસે મોટી સફળતા મેળવી છે. ગોધરા તાલુકાના ઈસરોડીયા ગામે એક ખેતરમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતું ગાંજાનું વાવેતર પોલીસે ઝડપી લીધું છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો નશીલો પદાર્થ કબજે કર્યો છે. પંચમહાલ એસપી હરેશ દુધાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે ઈસરોડીયા ગામમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગામના ખેડૂત દેવેન્દ્રસિંહ રાઉલજીના ખેતરમાંથી શંકાસ્પદ વાવેતર મળી આવ્યું હતું. નિરીક્ષણ કરતા જાણવા મળ્યું હતું કે,…
એક ડઝનથી વધુ કેસ કરાયા જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ સંબંધમાં કડક કાર્યવાહી બ્લેક ફિલ્મ, સીટ બેલ્ટ અને વાહનના કાગળોની ચેકીંગ હાથ ધરી હતી જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, દરમિયાન કેટલાક કારચાલકો કે જેઓએ પોતાના વાહનમાં ડાર્ક ફિલ્મ લગાડેલી છે, તે સામે ગઈકાલે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને આશરે એક ડઝનથી વધુ કારમાંથી ડાર્ક ફિલ્મ દૂર કરવામાં આવી હતી. જામનગર-ખંભાળિયા બાયપાસ નજીક ટ્રાફિક શાખાના પીઆઇના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સહિત સ્ટાફ દ્વારા બ્લેક ફિલ્મ, સીટ બેલ્ટ અને વાહનના કાગળોની ચેકીંગ હાથ ધરી હતી. આ ચેકીંગની કાર્યવાહી દરમ્યાન સંખ્યા…
આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી ઈડરમાં આવેલી નમકીન ફેક્ટરીમાં આગ લાગતાં ભારે દોડધામ મચી આ ઘટના ઈડરના કુટુંબ કલ્યાણ કેન્દ્રની પાછળના ભાગમાં આવેલી શ્રી નમકીન ફેક્ટરીમાં બની હતી ઇડરમાં આવેલી એક નમકીન ફેક્ટરીના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના ઈડરના કુટુંબ કલ્યાણ કેન્દ્રની પાછળના ભાગમાં આવેલી શ્રી નમકીન ફેક્ટરીમાં બની હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાની વિગત મુજબ, ઈડરના રહેણાંક અને વ્યાપારી વિસ્તારની નજીક આવેલી શ્રી નમકીન ફેક્ટરીના ગોડાઉનમાંથી અચાનક ધુમાડાના ગોટા નીકળતા જાેઈ સ્થાનિકો ચોંકી ઉઠ્યા હતા. જાેતજાેતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું…
જીપીએસ ડિવાઈસના આધારે તપાસ શું રાજકોટના જ કોઈ જાણભેદુંએ બિહાર ડિલીવરી થાય તે પહેલા સોનું લૂંટી લીધું? હવે એસઆઈટીની તપાસમાં નવી વાત સામે આવી છે કે, ષડયંત્રનો સૂત્રધાર ગુજરાતમાં જ બેસેલો એક શખ્સ છે બિહારના પટનામાં ૨૫ કરોડ રૂપિયાના સનસનીખેજ લૂંટમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ઘટનાને બિહારના ૬ લૂંટારુઓએ અંજામ આપ્યો. પરંતું તેનું ષડયંત્ર ગુજરાતના જ માસ્ટરમાઈન્ડે રચ્યું હતું. પોલીસે આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી ચોરીની કાર અને બાઈક જપ્ત કરી છે. ૨૫ કરોડ સોનાની લૂંટ મામલે સનસનીખેજ ખુલાસો થયો છે. રાજકોટમાં બેસેલા એક શખ્સે પટનામાં લૂંટનું તરખટ રચ્યું હતું. શનિવારે રસ્તા પર ધોળા દિવસે ખગૌલ લખ પાસે દાનાપુરમાં…
હાથ-પગ બાંધી મારપીટ કર્યા બાદ દુષ્કર્મ લખનઉમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની હચમચાવતી ઘટના એક નિર્માણાધીન બિલ્ડિંગમાં વરસાદથી બચવા રોકાયેલી એક કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં વરસાદની વચ્ચે હેવાનિયતની એક હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે. આ ઘટના આશિયાના પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર-એમમાં મંગળવારે સાંજે એક નિર્માણાધીન બિલ્ડિંગમાં બની હતી. અહીં વરસાદથી બચવા માટે રોકાયેલી એક કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું. તે નજીકના ઘરમાં બેબીસીટર તરીકે કામ કરતી હતી અને રાબેતા મુજબ કામ પર જઈ રહી હતી. રસ્તામાં ભારે વરસાદ શરૂ થતાં કિશોરી આશરો લેવા માટે નિર્માણાધીન બિલ્ડિંગમાં ઊભી રહી. એવો આરોપ છે કે બિલ્ડિંગમાં…
દિલ્લીમાં ભાજપ સાંસદોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન ખડગેના ગુજરાતી લોકો અભણના નિવેદનથી રાજકારણ ગરમાયું દિલ્લીમાં ગુજરાત ભાજપના સાંસદોએ મોરચો માંડ્યો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનાના વિવાદિત ગુજરાતીઓ પરના નિવેદન પર રાજકારણ ગરમાયું છે. આ મામલે ગુજરાત ભાજપના સાંસદોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી પણ વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતા. વલસાડ સાંસદ ધવલ પટેલ, રાજકોટના સાંસદ રૂપાલા પણ વિરોધમાં જાેડાયા હતા. આણંદના સાંસદ મિતેશ પટેલ, મહેસાણાના સાંસદ પણ વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતા. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતીઓને અભણ કહ્યાં હતા. આ નિવેદને લઇને રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના…
ભરણપોષણ તરીકે પત્નીને આપવા પડશે બે કરોડ આસારામના પુત્ર નારાયણ સાંઈના થયા છૂટાછેડા ઈન્દોરની ફેમિલી કોર્ટે બંનેના લગ્નને સત્તાવાર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો : આઠ વર્ષથી ચાલતા કેસનો અંત મધ્યપ્રદેશના ઈન્દોરની એક ફેમિલી કોર્ટે તાજેતરમાં હાઈ-પ્રોફાઇલ લગ્ન વિવાદ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્વંયભૂ ધર્મગુરૂ આસારામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી હરપાલાની વચ્ચે લગભગ આઠ વર્ષથી ચાલી રહેલા કાયદાકીય વિવાદને સમાપ્ત કરતા તેના લગ્નને સત્તાવાર રીતે સમાપ્ત જાહેર કરી દીધા છે. આ ર્નિણય ન માત્ર બંને પક્ષો માટે વ્યક્તિગત મહત્વ રાખે છે, પરંતુ તેમાં નક્કી કરવામાં આવેલી એલીમની એટલે કે ભરણપોષણ રકમે પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે.…
હાઈકોર્ટે આપી રાહત દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, ૧૧ વર્ષ બાદ થશે જેલમુક્ત સતલોક આશ્રમમાં વહીવટીતંત્ર અને તેના સમર્થકો વચ્ચે થયેલી અથડામણ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રાજદ્રોહના કેસમાં સ્વયંભૂ સંત રામપાલના જામીન મંજૂર કર્યા છે. રામપાલને લગભગ ૧૧ વર્ષ પછી મળેલી આ રાહતથી રામપાલના સમર્થકો ખૂબ જ ખુશ છે. સંત રામપાલ હાલમાં હરિયાણાની હિસાર જેલમાં બંધ છે. ૨૦૧૪માં હરિયાણાના બરવાલામાં સતલોક આશ્રમમાં વહીવટીતંત્ર અને તેના સમર્થકો વચ્ચે થયેલી મોટી અથડામણ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ અથડામણ દરમિયાન ૬ લોકોના મોત થઈ ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. આ કેસ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



