Author: garvigujrat

‘અમે નેપાળની આવી ઓળખ નથી ઇચ્છતા’ પૂર હોનારત પર મનીષા કોઈરાલાની ભારત-ચીનને ભાવુક અપીલ ૨૬ ઑગસ્ટે આવેલી આ આફતમાં અત્યાર સુધીમાં ૭૦૦થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને ૨,૫૦૦થી વધુ લોકો ગુમ છે નેપાળ હાલમાં માત્ર ભયાનક પૂરનો જ નહીં, પરંતુ એક મોટી માનવસર્જિત અને કુદરતી હોનારતનો સામનો કરી રહ્યું છે. સેંકડો લોકોના મોત અને હજારથી વધુ લોકો ગુમ થયાના આઘાત વચ્ચે અભિનેત્રી મનીષા કોઇરાલાએ પાડોશી દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ માટે આગળ આવવા હાકલ કરી છે. ૩૦ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ સદગુરુના નેતૃત્વમાં યોજાયેલા ‘નેપાળ સાથે એકજૂથતા’ કાર્યક્રમમાં તેણે ભારત, ચીન અને નેપાળને સાથે મળીને આ કુદરતી આફતનો સામનો કરવા…

Read More

સાયફાયર એક્શન થ્રીલર રાકાનું મુંબઇમાં શૂટિંગ પુરૂ રાકામાં અલ્લુ અર્જુન ટ્રીપલ રોલમાં, સાત હિરોઈનો હશે ફિલ્મમાં દીપિકા પાદુકોણ, મૃણાલ ઠાકુર, જાહ્નવી કપૂર અને રશ્મિકા મંદાનાની ખાસ ભૂમિકાઓ હશે ‘પુષ્પા’ ફેમ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન એટલીની સાયફાય થ્રીલર ‘રાકા’માં ટ્રિપલ રોલમાં જાેવા મળશે તેમ જાણવા મળ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે સાત હિરોઈનો હશે. દીપિકા પાદુકોણ, મૃણાલ ઠાકુર, જાહ્નવી કપૂર અને રશ્મિકા મંદાનાની ખાસ ભૂમિકાઓ હશે. છેલ્લા થોડા મહિનાથી અલ્લુ અર્જુન ‘રાકા’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્લુ અર્જુુનનું ‘રાકા’ ફિલ્મનું મુંબઇમાં શૂટિંગ પુરૂ થઇ ચૂક્યુ છે. હવે અલ્લુ અર્જુન હૈદરાબાદમાં નાનકડો બ્રેક લેશે. એ પછી તે સપ્ટેમ્બરમાં ફરી ‘રાકા’નું…

Read More

રિયલ લાઈફની જાેડી અદિતી, સિદ્ધાર્થ સાથે આવશે કોંકણા, અદિતીની લસ્ટ સ્ટોરીઝ ૧૬મી સપ્ટેમ્બરે રીલિઝ થશે વિક્રમાદિત્ય મોટવાણી, કિરણ રાવ, અને વિશાલ ભારદ્વાજની શોર્ટ ફિલ્મોમાં પ્રેમ, વાસના, સબંધો અને મનમાં ધરબાયેલી ઇચ્છાઓની વાત અનોખી રીતે રજૂ થશે ચર્ચાસ્પદ વેબ સીરિઝ ‘ લસ્ટ સ્ટોરીઝ’ની ત્રીજી સીઝન આગામી ૧૮મી સપ્ટેમ્બરથી રીલિઝ થવાની છે. આ શોને ઇન્ટરનેશનલ એમ્મી એવોર્ડમાં નોમિનેશન મળ્યું છે. સીરિઝનું ટ્રેલર સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં રજૂ કરવામાં આવશે.જે ચાર શોર્ટ ફિલ્મ આ સીઝનમાં રજૂ થવાની છે તેમાં વિક્રમાદિત્ય મોટવાણીની શોર્ટ ફિલ્મમાં રાધિકા આપ્ટે, કોંકણાસેન શર્મા, વિજય વર્મા અને અભિષેક બેનર્જી છે. જ્યારે શકુન બાત્રાની શોર્ટ ફિલ્મમાં અલી ફઝલ અને રાધિકા મદન જાેવા…

Read More

ફેન્સને કરી અપીલ ‘અર્જુન રેડ્ડી’ ફેમ શાલિની પાંડેના વાયરલ વીડિયો અંગે મોટો ખુલાસો ઘટનાને કારણે ફરી એકવાર એઆઈ અને ડીપફેક ટેન્કોલોજીના દુરુપયોગ અંગે સવાલો ઊભા થયા છે બોલીવુડની જાણીતી અભિનેત્રી શાલિની પાંડેના નામે એક વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ‘અર્જુન રેડ્ડી’થી લોકપ્રિય બનેલી શાલિની પાંડેએ હવે આ મામલે પોતાની ચુપ્પી તોડી છે અને વાયરલ થઈ રહેલા વીડિયોને સંપૂર્ણપણે બનાવટી ગણાવ્યો છે.શાલિની પાંડેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે પોતે નથી. અભિનેત્રીના જણાવ્યા મુજબ આ વીડિયો એઆઈ ટેન્કોલોજીની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે અને ખોટી રીતે તેમના નામ સાથે…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે નેશનલ કૅડેટ કૉર્પ્સ (NCC)ના કૅડેટ્સના હિતમાં મહત્વનો અને સમાન તક આધારિત નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ હવે રાજ્યની ખાનગી શાળા-કૉલેજોમાં કાર્યરત NCC કૅડેટ્સ જ્યારે રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પ માટે પસંદગી પામશે, ત્યારે તેમને સરકારી શાળા-કૉલેજના કૅડેટ્સની જેમ જ કૅમ્પ ભથ્થાં મળશે. મુખ્યમંત્રીના માર્ગદર્શન અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી ખાનગી સંસ્થાના કૅડેટ્સને રાષ્ટ્રીય કક્ષાની સમાન તક મેળવવામાં આવતું આર્થિક અવરોધ દૂર થશે. નોંધનીય છે કે NCC કૅડેટ્સ માટે Republic Day Contingent (RDC), Thal Sainik Camp (TSC),…

Read More

ભગવાન શિવના મંદિરમાં કાચબો અને નંદી શા માટે હોય છે? શિવાલય એ માત્ર ઈંટ-પથ્થરનું બનેલું સ્થાપત્ય નથી પરંતુ માનવ શરીર અને સુક્ષ્મ આધ્યાત્મિક ગતિવિધિઓનું પ્રતિકાત્મક મંડળ છે.સામાન્ય રીતે જ્યારે પણ આપણે શિવમંદિરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણને સૌથી પહેલાં નંદીના દર્શન થાય છે અને નંદી તથા શિવલિંગની મધ્યમાં કાચબો સ્થાપિત થયેલો જોવા મળે છે.આ સ્થાપના પાછળ ઊંડો આધ્યાત્મિક,દાર્શનિક અને જીવનઉપયોગી અર્થ છુપાયેલો છે. કાચબો: ઇન્દ્રિય નિગ્રહ અને સંયમનું પ્રતિક.. શિવાલયમાં ભગવાન શિવ અને નંદીની વચ્ચે કાચબો મૂકવા પાછળનું મુખ્ય કારણ માનવ મનને સંયમિત કરવાનો સંદેશ છે.કાચબો એ ઇન્દ્રિય નિગ્રહ અને આત્મ-સંયમનું ઉત્તમ પ્રતિક છે.શ્રીમદ ભગવદગીતા ૨/૫૮માં સ્થિતપ્ર જ્ઞ પુરૂષના લક્ષણો…

Read More

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ નાના ઉદ્યોગો અને વેપારીઓના ધંધા બંધ કરાવવા પહોંચ્યા હતા, ત્યારે વેપારીઓના બચાવમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓએ અધિકારીઓને ધંધા બંધ કરાવવાને બદલે શહેરમાંથી કચરાના નિકાલ અને સફાઈ પર ધ્યાન આપવાની રજૂઆત કરી હતી. મામલો વકરતા SMC દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી, ત્યારબાદ પૂણા પોલીસે AAP નેતાઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. AAP પ્રદેશ ઉપાધ્યક્ષ રામભાઈ ધડુક, પ્રદેશ સંગઠન મંત્રી અને કોર્પોરેટર ધર્મેશ ભંડેરી, વરાછા વિધાનસભા પ્રભારી રજનીકાંત વાઘાણી, પૂર્વ કોર્પોરેટરો મહેશ અણઘણ, વિપુલ સુહાગીયા, કોર્પોરેટર રચના હિરપરા, અસ્મિતા ધોરાજીયા સહિત અનેક આગેવાની પોલીસે અટકાયત કરી હતી. આ મામલે AAP…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ભાજપના શાસકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અથવા તેઓ સત્તાના નશામાં અંધ બની ગયા છે. સુરતની અંદર હોટફિક્સના કચરાની સફાઈ કરવામાં તદ્દન નિષ્ફળ ગયેલા ભાજપ શાસકો હવે સુરતની અસંખ્ય મહિલાઓ કે જેઓ હોટફિક્સના નાના-નાના યુનિટો ચલાવે છે અને તેમાં કામ કરે છે, તેમની રોજગારી છીનવી લેવાનું કામ કરવા જઈ રહ્યા છે. સુરતમાં જ્યારે મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ તરીકે હતી, ત્યારે મનપામાં રજૂઆતો કરીને કચરાનો રોજેરોજ નિકાલ કરાવતી હતી. પરંતુ આજે ભાજપ તંત્ર કચરો સાફ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે અને હવે હોટફિક્સના નાના યુનિટો તથા…

Read More

પૂર હોનારત પર મનીષા કોઈરાલાની ભાવુક અપીલ ભારત, ચીન અને આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ માટે અપીલ કરી મનીષા કોઈરાલાએ પ્રવાસન ચાલુ રાખવા અને ક્લાઇમેટ ચેન્જ સામે સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો નેપાળ હાલમાં માત્ર ભયાનક પૂરનો જ નહીં, પરંતુ એક મોટી માનવસર્જિત અને કુદરતી હોનારતનો સામનો કરી રહ્યું છે. સેંકડો લોકોના મોત અને હજારથી વધુ લોકો ગુમ થયાના આઘાત વચ્ચે અભિનેત્રી મનીષા કોઇરાલાએ પાડોશી દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ માટે આગળ આવવા હાકલ કરી છે. ૩૦ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ સદગુરુના નેતૃત્વમાં યોજાયેલા નેપાળ સાથે એકજૂથતા કાર્યક્રમમાં તેણે ભારત, ચીન અને નેપાળને સાથે મળીને આ કુદરતી આફતનો સામનો કરવા અપીલ કરી હતી.…

Read More

તોડ્યો ૫૭ વર્ષ જૂનો રેકોર્ડ દુલીપ ટ્રોફીમાં વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ દુલીપ ટ્રોફીમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો : ભૂતપૂર્વ ક્રિકેટર લક્ષ્મણ સિંહના રેકોર્ડને તોડી નાખ્યો વૈભવ સૂર્યવંશી જ્યારે પણ મેદાનમાં ઉતરે છે, ત્યારે તે હંમેશા એક રેકોર્ડ બનાવે છે. ૩૧ ઓગસ્ટના રોજ, સેન્ટ્રલ ઝોન સામે ચાલી રહેલી દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં પૂર્વ ઝોન તરફથી રમતા ૧૫ વર્ષીય ખેલાડીએ ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. વૈભવે માત્ર ૪૨ બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. આ સાથે તેણે ૫૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઇતિહાસ રચ્યો છે, તે દુલીપ ટ્રોફીમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો. તેણે ભૂતપૂર્વ ક્રિકેટર લક્ષ્મણ…

Read More