Author: Garvi Gujarat

વધુ એક ભારતીય જહાજ જલવીર પર હુમલો સેટેબેલો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીયોના જીવ ગયા સેટેબેલો નામના જહાજ પર હુમલો થયો હતો જેના પર ૨૪ ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા જેમાંથી ૨૧ને બચાવાયા અમેરિકા અને ઈરાન બંને એક બીજાના ઠેકાણાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થપાશે એવી આશા હવે ઠગારી નીવડી રહી છે. અત્યંત મહત્વનો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સ્થિતિ પાછી ભયાનક બની રહી છે. આ બધા વચ્ચે ઓમાનના કાંઠા પાસે વધુ એક ભારતીય જહાજ MT જલવીર પર હુમલો થયાના સમાચાર આવ્યા છે. આ જહાજ પર ૨૦થી વધુ નાવિકો સવાર છે. અત્રે જણાવવાનું કે તે પહેલા MT સેટેબેલો નામના…

Read More

ઈરાન પર સૌથી મોટો હુમલો કરીશ : ટ્રમ્પ ઈરાનની કરોડરજ્જુ સમાન ખાર્ગ ટાપુ પર કબજાે કરવાની ધમકી ટ્રમ્પના આ નિવેદનથી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે અને કાચા તેલના બજારમાં પણ ભારે અફરાતફરી મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે તેના સૌથી ખતરનાક અને વિનાશક તબક્કામાં પહોંચી ગયો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જાહેરાત કરી છે કે યુનાઇટેડ સ્ટેટ્સ આજે રાત્રે જ ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો કરવા જઈ રહ્યું છે. ટ્રમ્પના આ નિવેદનથી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે અને કાચા તેલના બજારમાં પણ ભારે અફરાતફરી મચી ગઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા…

Read More

રિક્ષાચાલક પાસેથી કફ સિરપની ૮૫૨ બોટલ કબજે કરાઈ વેજલપુર ફતેવાડીમાંથી વધુ એક વખત કફ સિરપનો જથ્થો પકડાયો ફતેવાડી ઉપરાંત જમાલપુર, વટવા, નરોડા અને અમદાવાદ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં રોજ સાંજ પડતાંની સાથેજ કફ સિરપનું ધૂમ વેચાણ અમદાવાદમાં ડ્રગ્સ, દારૂ તથા ગાંજા ઉપરાંત યુવાનો કફ સિરપનો પણ નશો કરતા થઈ ગયા છે. ત્યારે એસઓજીની ટીમે વધુ એક વખત વેજલપુર ફતેવાડીમાંથી કફ સિરપની ૮૫૨ બોટલ સાથે એક રિક્ષાચાલક યુવકને ઝડપી લીધો છે. તે ઘણા સમયથી આ વિસ્તારમાં જ કફ સિરપનો ગેરકાયદે વેપલો કરતો હતો. શ્રમજીવીઓ કામધંધો કરીને થાકીને આવ્યા બાદ કફ સિરપનો નશો કરી ગાઢ નિદ્રામાં પોઢી જતા હોય છે, જ્યારે ઘણા યુવાનો…

Read More

આણંદના મોગર નજીક ડેરીમાંથી શંકાસ્પદ ૪૦૦ કિલો માવો અને ૧૦૦ કિલો પનીર ઝડપાયું એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રેડ કરીને નમૂનાઓને તપાસ માટે એફએસએલમાં મોકલાયા આણંદ જિલ્લામાં મોગર ગામ પાસે આવેલી અંબિકા ડેરીમાં આણંદ એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સંયુક્ત રેડ કરીને સ્થળ પરથી અંદાજે ૪૦૦ કિલો જેટલો શંકાસ્પદ ‘ડેલીસિયસ સ્વીટ’ મીઠો માવો અને ૧૦૦ કીલો પનીરનો જથ્થો કબજે કરી તેના નમુના વધુ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેના કારણે ભેળસેળીયા તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આણંદ નજીકના મોગ૨ ગામે સીમ વિસ્તારમાં આવેલી અંબિકા ડેરી નામની ફર્મમાં સંદીપકુમાર અશોકભાઈ શર્મા નામનો સેક્સ…

Read More

સિપ્રીના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો ભારતે ૨૦૨૫માં સૈન્ય પર નવ લાખ કરોડનો વિક્રમી ખર્ચ કર્યાે વિશ્વસ્તરે હથિયારો અને સૈન્ય ખર્ચ પર નજર રાખતી સ્વીડનની જાણીતી સંસ્થા સિપ્રીનો રિપોર્ટ વર્ષ ૨૦૨૫માં ભારતે તેના સૈન્ય આધુનિકીકરણ અને સુરક્ષા પાછળ ૯૨.૧ અબજ ડોલર (આશરે રૂ. નવ લાખ કરોડ) ખર્ચ્યા છે. આ સાથે ભારત વિશ્વમાં સૈન્ય સાધનો પાછળ ખર્ચ કરનાર પાંચમો સૌથી મોટો દેશ બની ગયો છે. એક રીતે પાકિસ્તાન જેવા દુશ્મન દેશ અને કપટી ચીનના પડકારો વચ્ચે ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રને ખૂબ ગંભીરતાથી લીધુ છે. ભારતનો આ સંરક્ષણ ખર્ચ ૨૦૨૪ની સરખામણીએ ૮.૯ ટકા વધુ છે તેમ વિશ્વસ્તરે હથિયારો અને સૈન્ય ખર્ચ…

Read More

કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) વિજ્ઞાન અને ટેક્નોલોજી અને પૃથ્વી વિજ્ઞાન; પ્રધાનમંત્રી કાર્યાલય, પરમાણુ ઊર્જા વિભાગ, અંતરિક્ષ વિભાગ, પર્સનલ, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે ઉદ્યોગ જગતના અગ્રણીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સ્વદેશી ટેક્નોલોજીના વિકાસને વેગ આપવા અને બાહ્ય સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારતના અંતરિક્ષ (સ્પેસ) ક્ષેત્રમાં રોકાણ અને ભાગીદારી નોંધપાત્ર રીતે વધારવા આહવાન કર્યું છે. 10માં IN-SPACe ઇન્ડસ્ટ્રી કનેક્ટને સંબોધિત કરતા, ડૉ. જિતેન્દ્ર સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમે અદભૂત ઇનોવેશન અને તકનીકી ક્ષમતા દર્શાવી છે, પરંતુ વૈશ્વિક સ્પેસ ઇકોનોમીમાં નેતૃત્વ મેળવવા માટે સ્થાપિત ઉદ્યોગો દ્વારા વધુ ભંડોળ, ઉત્પાદન શક્તિ અને બજાર સુધીની પહોંચ સાથે વધુ મજબૂત ભાગીદારી જરૂરી બનશે. ડૉ. જિતેન્દ્ર સિંહે…

Read More

આઇઆઇટી (IIT) ગાંધીનગર ખાતે “એડવાન્સિંગ રિસર્ચ એન્ડ ઇનોવેશન ટુવર્ડ્સ વિકસિત ભારત વિથ ધ ઇનોગ્યુરેશન ઓફ મેજર રિસર્ચ ઇનિશિયેટિવ્સ” કાર્યક્રમને સંબોધિત કરતા, કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) વિજ્ઞાન અને ટેક્નોલોજી અને પૃથ્વી વિજ્ઞાન; પ્રધાનમંત્રી કાર્યાલય, પરમાણુ ઊર્જા વિભાગ, અંતરિક્ષ વિભાગ, પર્સનલ, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક સંશોધનનું સાચું મૂલ્ય માત્ર પ્રકાશનોમાં જ નથી, પરંતુ તેનાથી સમાજ અને અર્થતંત્ર પર દેખીતી અસરો ઊભી કરવાની ક્ષમતામાં રહેલું છે. તેમણે નોંધ્યું હતું કે ભારતને એક એવા મજબૂત ઇકોસિસ્ટમની જરૂર છે જ્યાં સંશોધનો શૈક્ષણિક જગત, ઉદ્યોગ અને સરકાર વચ્ચેના અસરકારક સહયોગ દ્વારા પ્રયોગશાળાઓમાંથી સીધા જ અમલીકરણ તરફ આગળ વધે. મંત્રીએ આઇઆઇટી (IIT) ગાંધીનગર ખાતે વિજ્ઞાન અને…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત પ્રદેશ વાલ્મીકિ સમાજની એક મિટિંગ ન્યુ ઓપેરા હાઉસ ખાતે સાંજે ૫:૦૦ કલાકે ભાઈલાલ બી. વૈષ્ણવના અધ્યક્ષતામાં મળી હતી. તેમાં વાલ્મીકિ સમાજના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.વાલ્મીકિ સમાજના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી પડે તો સમાજનો સંપર્ક કરવા તેમજ વાલ્મીકિ સમાજના યુવાન/યુવતીઓને નોકરી ધંધો રોજગાર મળી રહે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગ સચિવાલય,ગાંધીનગરના ઠરાવ ક્રમાંક. ખરચ-૧૦૨૦૧૦-૧૧૮-ઝ.૧, તા.૧૪/૦૮/૨૦૧૪ અને સામાન્ય વહીવટી વિભાગ ના તા.૦૧/૦૪/૨૦૧૦ ના ઠરાવની જોગવાઈ અનુસાર ડ્રાઈવર તેમજ વર્ગ-૪ ની પટાવાળા, પટાવાળા -કર્મ-ડ્રાયવર, પ્યુન કમ એટેન્ડન્ટ, માળી, ધોબી, ચોકીદાર, પ્યુન કમ ચોકીદાર, સ્વીપર, લીફ્ટમેન, લીફટ એટેન્ડન્ટ, સફાઈ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ગાજેલા સુરતના નાસિર નગરના ભૂતિયા ડિમોલિશનની તપાસ જ્યારે મ્યુનિસિપલ કમિશનર નાગરાજન દ્વારા એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.જેમાં ડેપ્યુ.મ્યુ. કમિશનર મીના ગજ્જરની અધ્યક્ષતામાં રચવામાં આવેલી આ સમિતિ દ્વારા હવે સમગ્ર પ્રકરણમાં તબક્કાવાર વિવિધ પાસાઓ અંગેની તપાસ કરવામાં આવ્યા બાદ અહેવાલ તૈયાર કરવામાં આવશે. અને અહેવાલના આધારે જ વિવાદાસ્પદ ડિમોલિશન પ્રકરણમાં અધિકારીઓની જવાબદારી નક્કી થશે. આ તપાસ સમિતિમાં મીના ગજ્જર સહિત ડેપ્યુ.મ્યુનિસિપલ કમિશનર મનીષ ડોક્ટર, એડિશનલ સિટી ઈજનેર મહેશ ચાવડા અને કાર્યપાલક ઇજનેર કે.એલ વસાવા, આર ડી. ગાંજાવાલા અને ડેપ્યુ. ઈજનેર મોહસીન કાગજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જરૂરી પુરાવાઓથી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતીય રાજકારણની તાસીર એવી છે કે રાજકારણીઓ લોકોને સલાહ આપતા ફરે છે, પરંતુ જ્યારે તેમને પોતાને નિયમોનું પાલન કરવાનું આવે છે ત્યારે બહારના બાજી કરતા જોવા મળે છે. આપણી લોકશાહીમાં નેતાઓની કથની અને કરણી અલગ અલગ હોય છે. નેતાઓનો ગર્ભિત ઈશારો તો એવો જ હોય છે કે અમે કહીએ એ કરવાનું અમે કરીએ એ નહીં. કારણકે લોકશાહીમાં સત્તાધીશોને મળતી સૌથી વધુ સવલતોના કારણે તેમને (નેતાઓને) રાજાશાહી જીવન જીવવાની ટેવ પડી જાય છે. પક્ષ પલટા કરવા પાછળનાં અનેક કારણો પૈકી એક અને મહત્વનું કારણ સરકારી સવલતો ચાલુ રહે તે હોય છે. કેટલાકને બંગલાનો મોહ હોય છે. તો…

Read More