Author: garvigujrat

‘જેન-ઝી પાસેથી કંઈક શીખો’ યશસ્વી જયસ્વાલ સાથે ડેટિંગની અફવાઓ પર મૃણાલ ઠાકુરે મૌન તોડ્યું એક વાયરલ વિડિયોમાં બાંદ્રા સ્થિત એક કેફેમાં જયારે બંને જાેવા મળ્યા ત્યારે તેમના ડેટિંગની ખબર સામે આવી હતી જાણીતા અભિનેત્રી મૃણાલ ઠાકુર છેલ્લા કેટલાક દિવસોથી એક અફવાને લઈને ચર્ચામાં રહી હતી. મૃણાલનું નામ અત્યાર સુધીમાં અનેક કલાકારો સાથે જાેડાઈ ચૂક્યું છે પરંતુ હદ તો ત્યારે થઈ જયારે લોકોએ તેનું નામ ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલ સાથે જાેડાવવાનું શરૂ કર્યું હતું. એક વાયરલ વિડિયોમાં બાંદ્રા સ્થિત એક કેફેમાં જયારે બંને જાેવા મળ્યા ત્યારે તેમના ડેટિંગની ખબર સામે આવી હતી. બંને એક જ કેફેમાંથી બહાર નીકળતા જાેઈ સોશિયલ મીડિયા…

Read More

ગાયકે ખોલ્યું મોટું રહસ્ય! ઓપરેશન ટેબલ પર જ સોનુ નિગમે કેમ ગાવાનું શરૂ કર્યું હતું મોહમ્મદ રફીનું ગીત? સોશિયલ મીડિયા પર સોનુ નિગમનો એક સર્જરી સમયે ગીત ગાતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે બોલીવૂડના દિગ્ગજ અને લોકપ્રિય ગાયક સોનુ નિગમ તેમના અવાજ અને અદ્ભુત ગાયકી માટે દેશ-વિદેશમાં જાણીતા છે. તાજેતરમાં જ સોનુ નિગમ પોતાના જીવન સાથે જાેડાયેલો એક અત્યંત રસપ્રદ અને ચોંકાવનારો કિસ્સો શેર કર્યાે છે, જ્યારે હોસ્પિટલમાં તેમની સર્જરી ચાલી રહી હતી અને તેમણે મેડિકલ પ્રોસિજર દરમિયાન જ મહાન ગાયક દિવંગત મોહમ્મદ રફીનું ગીત ગાવાનું શરૂ કરી દીધું હતું.સોશિયલ મીડિયા પર સોનુ નિગમનો એક સર્જરી સમયે ગીત ગાતો વીડિયો…

Read More

૧૫ વાહનોને વ્હીલ લોક, રૂ.૨૩,૫૦૦નો દંડ વસૂલાયો.સિંધુભવન રોડ પર ગેરકાયદે પાર્કિંગ અને રસ્તા પર દબાણ કરતા વાહનો સામે કાર્યવાહી.મનપાની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન રસ્તા પર અડચણરૂપ બને તે રીતે પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી કરી હતી.અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડ પર ગેરકાયદે પાર્કિંગ અને રસ્તા પર દબાણ કરતા વાહનો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એન્ક્રોચમેન્ટ રિમૂવલ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ રીતે ઊભેલા વાહનો અને જાહેર માર્ગ પર દબાણ કરતા વેપારીઓ સામે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન કુલ ૧૫ જેટલા વાહનોને વ્હીલ લોક કરવામાં આવ્યા હતા. સિંધુભવન રોડ શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનો…

Read More

ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓને કારણે ર્નિણય.પવિત્ર અમરનાથ યાત્રા અનિશ્ચિતકાળ માટે મોકૂફ.૪.૮૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બરફાનીના દર્શન કયા.ઉત્તર કાશ્મીરના બાલતાલ અને દક્ષિણ કાશ્મીરના પહલગામ—બંને રૂટ પરના ટ્રેક ક્ષતિગ્રસ્ત થવાને કારણે તથા હવામાન વિભાગની પ્રતિકૂળ આગાહીને પગલે અમરનાથ યાત્રા (SANJY-2026) અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેઝ કેમ્પ તરફ જતા બંને રસ્તાઓને પહોંચેલા નુકસાનનું સમારકામ કરવામાં લાંબો સમય લાગશે. આથી યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ અને બેઝ કેમ્પમાં રહેલા તમામ શ્રદ્ધાળુઓને પોતપોતાના ઘરે પરત ફરવાની વિનંતી કરવામાં આવી છે. યાત્રા સ્થગિત થતાં જ આ વર્ષ માટેનું નવું રજિસ્ટ્રેશન પણ તાત્કાલિક અસરથી બંધ…

Read More

જનતા પર પડશે મોંઘવારીનો વધુ એક માર.તેલ, સાબુ, બિસ્કિટ થી લઈને ઘણી ચિજવસ્તુઓની વધશે ભાવ.રોજબરોજની ચીજવસ્તુઓ તેલ, સાબુ, બિસ્કિટ થી લઈને બ્રેડ સહિતની ચીજવસ્તુઓ મોંઘી થઈ શકે છ.જુન મહિનામાં અનેક ચીજ વસ્તુઓ પર ભાવ વધારો કરી ગ્રાહકોને ઝટકો આપ્યા બાદ હવે FMCG કંપનીઓ સપ્ટેમ્બર મહિનાની ત્રીમાસિક ગાળામાં ફરી ભાવવધારો કરવાની તૈયારી કરી લીધી છે. જેમા તેલ, સાબુ જેવી રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ વધી શકે છે. મળતા અહેવાલ અનુસાર બ્રિટાનિયા થી લઈને હિંદુસ્તાન યુનિલિવર અને ડાબર સહિતની કંપનીઓએ કાચા માલના વધતા ભાવ અને જિયોપોલિટિકલ તણાવનો હવાલો દેતા ભાવ વધારો કરવાની તૈયારીમાં છે. એજન્સીનું માનીએ તો ભારતની અગ્રણી ફાસ્ટ-મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) કંપનીઓ…

Read More

અમીનને ઇજા થતાં હોસ્પિટલમાં લઈ જવાયો હતો.કાર અકસ્માતમાં માંડ-માંડ બચ્યો એઆર રહેમાનનો દીકરો.સંગીતકાર એઆર રહેમાનનો દીકરો એઆર અમીનની કાર એક કેબ સાથે અથડાતાં સામાન્ય ઈજા થઈ હતી.મ્યૂઝિક ડાયરેક્ટર છઇ રહેમાનનાં દીકરા એઆર અમીન ભયાનક અકસ્માતમાંથી માંડ માંડ બચ્યો છે. રવિવારનાં રોજ ચેન્નઈમાં તેની કાર ફ્લાયઓવર પરથી બીજી ગાડી સાથે ટકરાતા આ અકસ્માત થયો છે. આ સમયે સિંગરનાં દીકરાની સાથે તેનાં બીજા મિત્રો પણ હતા. જાે કે બન્નેને કોઈ ઈજા થઈ નથી, પરંતુ એઆર અમીન માંડ માંડ બચ્યો છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનાં રિપોર્ટ અનુસાર અમીન તેનાં મિત્રોની સાથે કોયમ્બેડુ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેમની ગાડી બીજા સાથે અથડાઈ. પોલીસે જણાવ્યું…

Read More

રાંચીમાં વિદ્યાર્થી આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું.રાંચીમાં સ્થિતિ કાબૂ બહાર: વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, લાઠીચાર્જ બાદ હિંસક ઘર્ષણ.પોલીસે લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો, છતાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રગાન ગાવા લાગ્યા : વિદ્યાર્થીઓએ ૬ બેરિકેડ તોડી નાખ્યા છે, તેમની CBI તપાસની માંગ.ઝારખંડના પાટનગર રાંચીમાં JPSC પરીક્ષા ગેરરીતિ અને પેપર લીકની CBI તપાસની માંગ સાથે શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન સોમવારે ચરમસીમાએ પહોંચી ગયું હતું. ‘વિધાનસભા ઘેરાવ‘ માર્ચ દરમિયાન તમામ સુરક્ષા બેરિકેડ્સ તોડીને સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઝારખંડ વિધાનસભા પરિસરમાં ઘૂસી ગયા હતા અને ગેટ નંબર ૧ પર જમાવડો કર્યો હતો. પોલીસે માર્ચને રોકવા માટે રસ્તાઓ પર કાંટાળા તાર અને ભારે બેરિકેડ્સ ગોઠવ્યા હતા. પરંતુ…

Read More

પ્રયાગરાજમાં ‘છાત્રોની ગૂંજ’ કાર્યક્રમમાં મોદી સરકાર પર આકરા પ્રહાર સોશિયલ મીડિયા – રીલ્સમાં ફસાવીને યુવાનોને મજૂર બનાવાય છે જે સંપત્તિ યુવાનોની હોવી જાેઈએ, તે કેન્દ્રની ખોટી નીતિઓને કારણે તેમના સુધી પહોંચતી નથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજમાં ‘છાત્રોની ગૂંજ’ કાર્યક્રમમાં કેન્દ્રની નીતિઓ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ૧,૦૦૦ યુવાનોમાંથી માત્ર ૧૨ યુવાનોને જ કાયમી નોકરી મળે છે. તેમણે સોશિયલ મીડિયાની રીલ્સને એક નશો ગણાવી તેનાથી યુવાનોને મજૂરો બનાવવામાં આવતા હોવાનો પણ દાવો કર્યાે હતો. કોંગ્રેસના નેતાએ યુવાનોની સમસ્યાઓ, શિક્ષણ વ્યવસ્થા, બેરોજગારી અને ડેટાની તાકાત અંગે ખુલ્લા મને સંવાદ કર્યાે હતો.લોકસભામાં વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યાે હતો કે, હાલની કેન્દ્ર સરકાર…

Read More

અમેરિકાના સાંસદનો ટ્રમ્પ સામે આરોપ ઈરાન યુદ્ધના બહાને માર્કેટ મેનિપ્યુલેશન કરે છે મોંઘું સબસ્ક્રિપ્શન લેનારા લોકોને ટ્રમ્પના વિદેશ નીતિ સંબંધિત ર્નિણયોની જાણકારી અન્ય લોકો કરતાં પહેલાં મળી જાય છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન યુદ્ધને લઈને દેશની જનતાને મહિનાઓથી ગેરમાર્ગે દોરવાનો અને માર્કેટને પ્રભાવિત કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. ડેમોક્રેટિક સીનેટર ક્રિસ મર્ફીએ સેનેટમાં આકરા પ્રહારો કરતા દાવો કર્યાે છે કે, ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ કરાર થવાના ખોટા સંકેતો આપીને પોતાના મિત્રો અને પરિજનોને નાણાકીય ફાયદો કરાવી રહ્યા છે.મર્ફીના જણાવ્યા મુજબ, ઈરાન સાથે ચાલતી જંગને હવે ૬ મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે અને આ દરમિયાન એક સ્પષ્ટ…

Read More

(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. હૈદરાબાદની નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (NALSAR) યુનિવર્સિટીના ૨૦૨૬ ના દીક્ષાંત સમારોહમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે એનો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓએ નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અન્ડરગ્રેજ્યુએટ (NEET -UG) વિવાદ અને કોકરોચ જનતા પાર્ટીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન તાજેતરની ઘટનાઓના સંદર્ભમાં આ વાંધો ઉઠાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પત્રમાં લખ્યું છે કે યુવાનોને કોક્રોચ કહેવાથી લઈને પોલીસ દ્વારા બર્બરતા દાખવતા વિડિયો જોવાનો સમય નથી એવા અસંવેદનશીલ વિધાનો કરનારા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ અમારા પ્રત્યે ઉદાસીનતા દાખવી છે. એવામાં તેમને આ…

Read More