Author: garvigujrat

આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના Gen-Z યુવાનો અને વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, જે રીતે દેશમાં NEETની પરીક્ષાનું પેપર લીક થયું અને ત્યારબાદ સમગ્ર દેશના યુવાનોનો આક્રોશ ફાટી નીકળ્યો, તેમણે દિલ્હીના જંતર-મંતર પર શાંતિપ્રિય રીતે આંદોલનની શરૂઆત કરીને દેશ સમક્ષ એક ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લાં ૫-૭ વર્ષોમાં અસંખ્ય પેપરો લીક થયાં છે. આ મુદ્દે ઘણા ગુજરાતીઓ દિલ્હી આંદોલનમાં સહભાગી બન્યા હતા, પરંતુ લાંબા અંતર કે અન્ય કારણોસર ઘણા વિદ્યાર્થીઓ ત્યાં જઈ શક્યા નહોતા. તેથી, ગુજરાતના તમામ વિદ્યાર્થીઓની આસ્થા અને તેમના જુસ્સાને માન આપીને, આવતીકાલે એટલે…

Read More

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીપૂર્ણ ખુલાસો કરણ કુન્દ્રા પર કો-સ્ટાર સાનવી તલવારના ગંભીર આક્ષેપો સેટ પર બળજબરીપૂર્વક કિસ કરી અને પછી જાેરદાર થપ્પડ મારી જમીન પર પાડી દીધી : સાનવી તલવાર ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીપૂર્ણ ખુલાસો સામે આવ્યો છે. સીરીયલ ‘યે કહાં આ ગયે હમ‘ની અભિનેત્રી સાનવી તલવારે એક ઇન્ટરવ્યુમાં તેના ભૂતકાળના સૌથી મોટા વિવાદ અંગે વાત કરતા કો-સ્ટાર કરણ કુન્દ્રા પર ગંભીર અને સનસનાટીપૂર્ણ આક્ષેપો લગાવ્યા છે. સાનવીએ દાવો કર્યાે છે કે શૂટિંગ દરમિયાન કરણ કુન્દ્રાએ તેને બળજબરીપૂર્વક કિસ કરી હતી અને ત્યારબાદ સેટ પર બધાની સામે જાેરદાર થપ્પડ મારીને ગાળો આપી હતી.આ આઘાતજનક…

Read More

૨૫ વર્ષની સંઘર્ષપૂર્ણ અભિનયયાત્રાના લેખાજાેખાં રજૂ કર્યા હતા પ્રપંચ કરીને મેળવેલી લોકપ્રિયતાનો શી કામની? : અભિનેતા રણદીપ હુડા ઇન્સ્પેક્ટર અવિનાશ’ની સીઝન-૨માં જાેવા મળેલો આ વર્સેટાઈલ એક્ટર કોરી કલ્પનાની દુનિયામાં નથી ‘મેં વરસો સુધી ઘોડેસવારી કરી છે. કુદરતના ખોળામાં અદ્ભુત સમય વીતાવ્યો છે. હું ઘણો મોડો પરણ્યો અને હવે તો એક દીકરીનો ડેડી પણ છું. ઈન શોર્ટ, મેં અનુભવો અને જ્ઞાાનથી સમૃદ્ધ જીવન માણ્યું છે.’રણદીપ હુડા એક અલગારી જીવ છે. એક્ટર તરીકે તે બોલિવુડમાં ભૂલો પડયો હોય તેવું લાગે, કારણ કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટિપિકલ લાક્ષણિકતાઓથી કાયમ દૂર રહ્યો છે. તે ઇન્ડસ્ટ્રીના કોઈ કેમ્પનો સભ્ય નથી, ભાગ્યે જ ફિલ્મી પાર્ટીમાં હાજરી…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબ આપતા જણાવ્યુ હતુ કે ગઈકાલે રાત્રે બાર વાગ્યે પ્રધાનમંત્રીજીએ એક વીડિયો જાહેર કરીને સમગ્ર દેશને કહ્યું કે પેપર લીક કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા સોમવારે સંસદમાં કાયદો લાવવામાં આવશે. પ્રધાનમંત્રીજીની આ ખાતરી કેટલી પોલાણવાળી અને કેટલી જૂઠી છે, તે ગઈકાલે જ સાબિત થઈ ગયું. ૨૦૨૪માં નીટ (NEET)નું પેપર લીક થયું હતું, તે સમયે તેમણે કહ્યું હતું કે સંજીવ મુખિયા નામનો વ્યક્તિ આનો માસ્ટરમાઇન્ડ છે. સરકારે પોતે ભારે તામઝામ સાથે તેની ધરપકડ કરી હતી. પરંતુ અટકાયતના ત્રણ મહિનાની અંદર જ સરકારે તેને જામીન અપાવી દીધા અને તે જેલમાંથી બહાર…

Read More

૭મી ઓગસ્ટે રજૂ થવા વિશે આશંકા ઉજ્જવલ નિકમની બાયોપિક પ્રહારમાં વિલંબના અણસાર મેડ્ડોક ફિલ્મ્સની આવી જ બહુચર્ચિત ફિલ્મ ‘ઇઠા’ની રજૂઆત પણ મુલતવી રાખવામાં આવી હતી બોલિવુડમાં શાસકોની તરફેણમાં ફિલ્મ બનાવી નાણાં રળી લેવાની ફેશન ચાલી છે તેમાં અચાનક સંજાેગો બદલાવાને કારણે ઓટ આવી ગઇ છે. તેમાં રાજકુમાર રાવની ફિલ્મ ‘પ્રહાર’ પણ હવે સાત ઓગસ્ટે રજૂ થવાની સંભાવના નથી. આ ફિલ્મમાં રાજકુમાર રાવે સરકારી વકીલ ઉજ્જવલ નિકમની ભૂમિકા ભજવી છે.ફિલ્મના નિર્માતા દિનેશ વિજન તેમની ફિલ્મોના પ્રમોશનમાં કોઇ કચાશ રાખતાં નથી પણ ‘પ્રહાર’ રજૂ થવા આડે પખવાડિયું પણ રહ્યું નથી ત્યારે પ્રમોશનલ એક્ટિવીટીના કોઇ અણસાર જણાતો નથી. જેના કારણે એ દેખીતી વાત…

Read More

રાજ કુમાર રાવે કોમેન્ટ ડિલીટ મારી દીધી મોદી હૈ તો મુમકિન ગીત દબાણ હેઠળ કર્યું હતું : રાજકુમાર રાવ સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવે હાલનાં વિદ્યાર્થી આંદોલનને સપોર્ટ કરતી એક પોસ્ટ મૂકી હતી રાજુકુમાર રાવ ભૂતકાળમાં પોતે ‘મોદી હૈ તો મુમકિન હૈ’ સોંગ દબાણમાં આવીને કર્યું હોવાનો સ્વીકાર કરતાં ભારે વિવાદ થયો છે. જાેકે, બાદમાં રાજકુમારે પોતાની આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવે હાલનાં વિદ્યાર્થી આંદોલનને સપોર્ટ કરતી એક પોસ્ટ મૂકી હતી. તેના જવાબમાં એક ચાહકે તેને અગાઉ મોદી હૈ તો મુમકિન હૈ સોંગ શા માટે કર્યું હતું તેવો સવાલ પૂછયો હતો. આ ગીત પછી તારા…

Read More

છેલ્લા ૨૪ કલાકથી રાજ્યમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી અતિ ભારે વરસાદની સ્થિતિ અંગે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ આફતની સ્થિતિમાં જનતાની સાથે છે અને સમગ્ર વહીવટી તંત્ર નાગરિકોની સલામતી માટે ખડેપગે છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી પરિસ્થિતિની ઝીણવટભરી વિગતો મેળવી છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ સતત મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના તંત્ર સાથે સંપર્કમાં રહીને મોનિટરિંગ કરી રહ્યા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે એક વિડિયો મારફતે દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થી-યુવા આંદોલન અંગે પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા વિદ્યાર્થી-યુવા આંદોલનમાં જોડાયેલા યુવાનો પર ભાજપ સરકાર દ્વારા બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ પર થઈ રહેલા લાઠીચાર્જ અને દમનના વિરોધમાં તેમજ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કાલે કોકરોચ જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં “નેશન વાઇડ પ્રોટેસ્ટ”નું આહ્વાન કર્યું છે. વધુમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, કોકરોચ જનતા પાર્ટીએ નેશન વાઇડ પ્રોટેસ્ટનું આહ્વાન કર્યું છે, તેથી આમ આદમી પાર્ટી…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અમદાવાદમાં સવારથી વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે રસ્તાઓ તળાવ જેવા બની ગયા છે. કરોડોના વિકાસના દવા કરવામાં આવે છે પરંતુ વરસાદ પડવાની સાથે જ વિકાસની પોલ ખુલી જાય છે. સામાન્ય લોકો પરસેવો પાડીને ટેક્સ આપે છે કારણ કે એ લોકો ઈચ્છે છે કે એમને સારા રોડ રસ્તા સહિત સામાન્ય મૂળભૂત સુવિધાઓ મળે. આજે વાલીઓએ જે હાલાકી ભોગવી છે એ મેં આજ સુધી જોઈ નથી, વાલીઓએ પોતાના બાળકોને લેવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો, અડધો…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ચૈતરભાઈ વસાવા અને તેમના પરિવાર પર ખોટા કેસો કરીને ભાજપે જે રીતે તેમને તુરંત સજા અપાવવાના પ્રયાસો કર્યા હતા, તેમાં આજે સત્યનો વિજય થયો છે. સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં. આજે માનનીય હાઈકોર્ટ દ્વારા ચૈતરભાઈના પત્ની શંકુતલાબેન અને અન્ય મળીને કુલ પાંચ લોકોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં ચૈતરભાઈ સહિત બાકીના લોકોના પણ જામીન મંજૂર થઈ જશે. આ સમગ્ર કેસ તદ્દન ફર્જી બનાવવામાં આવ્યો હતો, જેથી ચૈતરભાઈ ડરી જાય, તેઓ આદિવાસી સમાજનો અવાજ ન બને, આદિવાસી સમાજને જાગૃત ન કરે…

Read More