- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
- મોંઘવારીનો માર: ડુંગળી, ખાંડ, દાળ અને ખાદ્ય તેલના ભાવમાં મોટો ઉછાળો
- ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં AAPનું પ્રદર્શન, ગૃહમંત્રીના રાજીનામાની માંગ
- સુરતમાં ‘નારી હુંકાર’ સંમેલન, 2700થી વધુ મહિલાઓએ પરિવર્તનનો સંકલ્પ લીધો
- મિચેલ સ્ટાર્કનો વર્લ્ડ રેકોર્ડ, બાંગ્લાદેશ 64 રનમાં ઓલઆઉટ
- અમદાવાદના સરખેજમાં 291 લિટર દેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ
- રાજકોટની મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી
Author: garvigujrat
(નીડર,નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત ભારત યુવાનોનો દેશ છે જો આ યુવાનોને સતત એવો અનુભવ થશે કે સરકાર તેમની (વિદ્યાર્થીઓની) વાત સાંભળતી નથી. તો લોકશાહી પ્રત્યેનો તેમનો વિશ્વાસ નબળો પડશે. અને એ કોઈ પણ રાષ્ટ્ર માટે સારા સંકેત નથી. આ બાબતે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લોકશાહીમાં વિરોધ કરનાર લોકો સાથે સંવાદ કરવો સરકારની ફરજ છે. અને આ એક બંધારણીય મૂલ્ય છે ઉપકાર નહીં. પ્રશ્ન એ છે કે શું સરકારો આ સંદેશ સમજવા તૈયાર છે? આજની સૌથી મોટી સમસ્યા વિરોધ નથી સૌથી મોટી સમસ્યા છે સંવાદનો અભાવ. આજે સરકારો જાણે એવી માનસિકતા તરફ આગળ વધી રહી છે કે બહુમતી મળી…
ભાજપ સાંસદ જનાર્દન મિશ્રાનું વિવાદિત નિવેદન ‘શુદ્ધ પેટ્રોલ શું તમારા બાપના ઘરેથી આવશે?’ જનાર્દન મિશ્રા અગાઉ પણ અનેક વખત પોતાના અજીબોગરીબ અને અસંસ્કારી નિવેદનોને કારણે રાષ્ટ્રીય સ્તરે વિવાદ સર્જી ચૂક્યા છે મધ્ય પ્રદેશની રીવા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના સાંસદ જનાર્દન મિશ્રા ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. રીવા એરપોર્ટ પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઈથેનોલ મિશ્રણ અને શુદ્ધ પેટ્રોલની માંગ કરનારાઓ પર તેમણે જાહેર મંચ પરથી અત્યંત મર્યાદાહીન ટિપ્પણી કરી હતી. તેમનો આ વિવાદિત નિવેદન આપતો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.વાસ્તવમાં, રીવા એરપોર્ટ પર કોલકાતા-રીવા-ભોપાલ હવાઈ સેવાનો પ્રારંભ કરાવવા માટે એક ભવ્ય…
જાપાની ફિલ્મ રાશોમોન ૫૦ના દાયકામાં બની હતી તરૂણ તેજપાલ કેસ પરથી વિશાલ ભારદ્વાજ ફિલ્મ બનાવશે બે ચૂકાદાઓ વચ્ચેનો વિરોધાભાસ રાશોમોન સ્ટાઇલ નેરેટિવ માટે પરફેક્ટ બની રહેશે ભારતના ફિલ્મ દિગ્દર્શક સત્યજિત રાયના સમકાલીન જાપાનના વિખ્યાત ફિલ્મ સર્જક અકીરા કુરોસાવાની ૫૦ના દાયકામાં આવેલી ફિલ્મ રાશોમોનમાં એક જ ઘટનાને અલગ અલગ પાત્રની નજરે રજૂ કરવામાં આવી હતી. જે બાદમાં રાશોમોન સ્ટાઇલ તરીકે વિખ્યાત બની હતી. શેક્સપિયરના નાટકો હિન્દી ફિલ્મોમાં રજૂ કરનારા વિશાલ ભારદ્વાજે પત્રકાર તરૂણ તેજપાલના કેસ પરથી કુરોસાવાની આ રાશોમોન સ્ટાઇલમાં ફિલ્મ બનાવવાની જાહેરાત શુક્રવારે કરી હતી. વિશાલ ભારદ્વાજે જણાવ્યું હતું કે આ કેસના પરસ્પર વિરોધાભાસી ચૂકાદાઓ અને કેસની ઓછી જાણીતી વિગતો…
કીર્તિ સુરેશ આઇટમ નંબર માટે ટ્રોલ થઈ ‘રોલ નથી મળતા એટલે ડાન્સ નંબર કરી રહી છે’ ઘણી વખત રિલીઝ ડેટ બદલાયા બાદ હવે ‘ધ પેરાડાઇઝ’ ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે સાઉથ અને બોલિવૂડની એક્ટ્રેસ કીર્તિ સુરેશ તાજેતરમાં સાઉથના સુપરસ્ટાર નાનીની આગામી તેલુગુ ફિલ્મ ‘ધ પેરાડાઇઝ’માં ખાસ ડાન્સ નંબર કરતી હોવાની અટકળોને કારણે ચર્ચામાં છે. જાેકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક યુઝરે એવો દાવો કર્યાે કે કીર્તિને હવે મજબુત રોલ મળતા નથી, તેથી તે ડાન્સ નંબર કરવા તૈયાર થઈ છે. કીર્તિએ આ કમેન્ટનો પોતાના અંદાજમાં જવાબ આપ્યો…
ફિલ્મ ‘દાર્જિલિંગ’નું શૂટિંગ પૂરું કર્યું હવે દરરોજ સવારે ઊઠીને મને ગમતું કામ કરવાની તક મળે છે : બાબિલ બીજી તરફ બાબિલ હવે પોતાની આગામી ઓટીટી સિરીઝમાં એક અલગ જ પ્રકારના પાત્રમાં જાેવા મળશે ઇરફાન ખાનનો દિકરો અને એક્ટર બાબિલ ખાન હાલ પોતાની કારકિર્દીના સૌથી વ્યસ્ત અને મહત્વના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં તેણે ફિલ્મ ‘દાર્જિલિંગ’નું શૂટિંગ પૂરું કર્યું છે. હાલમાં તે એક નવી ઓટીટી સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે અને સાથે જ પોતાની દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ડેબ્યૂ કરવાની તૈયારી પણ કરી રહ્યો છે.પોતાની અલગ પ્રકારની અને અભિનયપ્રધાન ભૂમિકાઓ માટે જાણીતા બાબિલ ખાને અત્યાર સુધી વાર્તાને કેન્દ્રમાં રાખતી ફિલ્મો પસંદ કરી…
આ કથાઓ આપણા લોહીમાં છે “વિશ્વ સમક્ષ ભારતની ઓળખ રજૂ કરવા માટે આ શ્રેષ્ઠ કથા છે” : કાજલ તાજેતરમાં મને હિન્દી ફિલ્મોમાં ઘણી નવી તકો મળી રહી છે અને તેના માટે હું ખુબ જ આભારી છું ડિરેક્ટર નિતેશ તિવારીની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ: પાર્ટ ૧’ના ટ્રેલરે દર્શકોમાં ભારે ચર્ચા જગાવી છે. અંદાજે ૪,૦૦૦ કરોડના બજેટમાં બની રહેલી આ ફિલ્મને નિર્માતાઓ માત્ર ભારત પૂરતી નહીં પરંતુ વૈશ્વિક સ્તરે રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે ફિલ્મમાં મંદોદરીની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી કાજલ અગ્રવાલ માને છે કે ‘રામાયણ’ જેવી કથા સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવાનો આ યોગ્ય સમય છે.ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર…
૨૯ ઓગસ્ટ સુધી જામશે પ્રકૃતિ અને સંસ્કૃતિનો સંગમ ડાંગના ગિરિમથક સાપુતારમાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ ૨૯ ઓગસ્ટ સુધી ચાલનારા આ મહોત્સવમાં પ્રકૃતિ, સંસ્કૃતિ, સાહસિક પ્રવૃત્તિઓ અને લોકકલાનો ત્રિવેણી સંગમ જાેવા મળશે ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-૨૦૨૬ નો પ્રારંભ થઈ ગયો છે. આગામી ૨૯ ઓગસ્ટ સુધી ચાલનારા આ મહોત્સવમાં પ્રકૃતિ, સંસ્કૃતિ, સાહસિક પ્રવૃત્તિઓ અને લોકકલાનો ત્રિવેણી સંગમ જાેવા મળશે.ચોમાસાની ઋતુમાં સાપુતારાનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતું હોય છે, ત્યારે પ્રવાસીઓને આકર્ષવા અને ડાંગની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષના ફેસ્ટિવલમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો સાથે ડાંગની…
દેશવ્યાપી આંદોલનની તૈયારી શિક્ષણ વ્યવસ્થા મુદ્દે કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર ૧૩ દિવસથી ગૃહમંત્રી મૌન છે, જ્યારે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરાયો : કોંગ્રેસ પક્ષ આ મુદ્દાને શાંત થવા દેશે નહીં દેશમાં પેપર લીક અને કથળતી જતી શિક્ષણ વ્યવસ્થાને લઈને રાજકારણ ફરી એકવાર ચરમસીમા પર પહોંચ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ચેડાંના મુદ્દા પર કેન્દ્ર સરકાર, ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા ઠ પર એક પોસ્ટ લખીને સ્પષ્ટ કર્યું કે, કોંગ્રેસ પક્ષ આ મુદ્દાને શાંત થવા દેશે નહીં. રાહુલે ઠ પર લખ્યું, હવે મારી પાસે કોઈ રસ્તો…
રહાણેએ ખોલ્યું મોટું રહસ્ય યશસ્વી જયસ્વાલ પર લાગવાનો હતો બેન, ચિઠ્ઠી પણ લખાઈ ગઈ હતી જયસ્વાલ ટી. રવિ તેજાને સ્લેજ કરી રહ્યો હતો : અમ્પાયર તરફથી અનેક ચેતવણીઓ છતાં જયસ્વાલ પીછે હટ્યો નહીં યુવા ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલ સતત પોતાના પ્રદર્શનના કારણે ચર્ચામાં રહે છે. ટીમ ઇન્ડિયા માટે ઓપનર તરીકે તેણે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે અને હાલમાં તે ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે છે. આ વચ્ચે અજિંક્ય રહાણેએ જયસ્વાલ અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. રહાણેએ જયસ્વાલ સાથે જાેડાયેલા ચાર વર્ષ જૂના વિવાદ વિશે ખુલ્લીને વાત કરી અને એક મોટું રહસ્ય ખોલ્યું છે. ૨૦૨૨ દુલીપ ટ્રોફી ફાઇનલ દરમિયાન જયસ્વાલને મેદાનની…
ટોળાએ ગાડી પર કાદવ-બોટલો અને ચપ્પલ ફેંક્યા મમતા બેનર્જીના કાફલા પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યા સ્થિતિ વધુ વણસે તે પહેલાં સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો હતો અને મમતા બેનર્જીને સુરક્ષિત રીતે ત્યાંથી બહાર કાઢ્યા હતા પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા મમતા બેનર્જીના કાફલા પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હલિશહરમાં બનેલી આ ઘટનામાં ટોળાએ મમતા બેનર્જીની ગાડીને ચારેય તરફથી ઘેરી લીધી હતી. આ દરમિયાન ગાડી પર કાદવ, પાણીની બોટલો અને ચપ્પલ ફેંકવામાં આવ્યા હતા. સ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસ અને સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો હતો અને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



