Author: Garvi Gujarat

ઈરાન હવે યુરેનિયમનું કોઈ સંવર્ધન કરી શકશે નહીં અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરશે, ટ્રમ્પનું નિવેદન યુનાઈટેડ સ્ટેટ્સ, ઈરાન સાથે મળીને, જમીનમાં ઊંડે દટાયેલી તમામ પરમાણુ “ડસ્ટ” ખોદીને બહાર કાઢશે અને હટાવશે અમેરિકાની શરતો પર યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકો બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. પ્રમુખ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાનમાં શાસન પરિવર્તનની પ્રક્રિયા અત્યંત ફળદાયી રહી છે અને હવે અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરવા તૈયાર છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હવે યુરેનિયમનું કોઈ સંવર્ધન કરી શકશે નહીં. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, યુનાઈટેડ સ્ટેટ્સ ઈરાન સાથે મળીને નજીકથી કામ…

Read More

કેન્દ્ર સરકારે લીધો સૌથી મોટો ર્નિણય ઈન્ડસ્ટ્રીમાં પણ LPG સપ્લાયની છૂટ અપાઈ છે આ સિવાય ફાર્મા, ફૂડ, હેવી મેટલ, એગ્રિકલ્ચર સહિતની ઈન્ડસ્ટ્રીઝમાં જરૂરી સપ્લાય આપવા સૂચના અપાઈ છે ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસને લઈને સમસ્યાઓ ચાલી રહી છે. ત્યારે ૧૪ દિવસ માટે યુદ્ધ રોકાયું છે, તેવા સમયે ગુજરાતમાં લાખો લોકો માટે LPG લઈ મળ્યા રાહતના સમાચાર મળ્યા છે. કેન્દ્ર સરકારે હાલ એક મોટો ર્નિણય લીધો છે. ઈન્ડસ્ટ્રીમાં પણ LPG સપ્લાયની છૂટ અપાઈ છે. આ સિવાય ફાર્મા, ફૂડ, હેવી મેટલ, એગ્રિકલ્ચર સહિતની ઈન્ડસ્ટ્રીઝમાં જરૂરી સપ્લાય આપવા સૂચના અપાઈ છે. કેન્દ્ર સરકારે દિવસની ૦.૨ ટીએમટી એલપીજી…

Read More

શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસ ડ્રગ્સ કેસ ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં નિષ્ફળ, કોર્ટે ‘એ’ સમરી મંજૂર કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી ક્રાઇમ બ્રાન્ચે ૧.૧૨ કરોડનો ગાંજાે જપ્ત કર્યાે હતો શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી કરોડો રૂપિયાનો નશીલો પદાર્થ મળી આવવાના ચકચારી કેસમાં સ્થાનિક પોલીસ અને તપાસ એજન્સીઓના હાથ ખાલી રહ્યા છે. મહિનાઓ સુધી ચાલેલી તપાસ બાદ પણ ડ્રગ્સ મગાવનાર કે મોકલનારનો કોઈ પત્તો ન લાગતા આખરે સ્પે. એનડીપીએસ કોર્ટના જજ વી.બી.રાજપૂતે આ કેસમાં ‘છ’ સમરી (પડત સમરી) મંજૂર કરી છે. નોંધનીય છે કે, દેશમાં સૌથી વધુ આતંકવાદીઓને ઝડપી લેવામાં ઝાંબાઝ ક્રાઈમ બ્રાન્ચ આ ડ્રગ્સ કેસમાં આરોપીને શોધી શકી નથી! ૨૦૨૪માં શાહીબાગ…

Read More

શાંતિદૂત બનવા ચીનના પ્રયાસ પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ માટે મધ્યસ્થી બંને દેશ વચ્ચે તણાવ દૂર કરવા ધીમી પણ મક્કમ ગતિએ વાટાઘાટો આગળ વધી રહી છે: ચીન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધનો વિરામ કરાવવા ચીનની મધ્યસ્થીમાં વાટાઘાટો શરૂ કરાઇ હતી અને આ વાટાઘાટો શરૂ થયાના એક સપ્તાહ બાદ પણ હજુ ચાલુ છે એમ ચીનના વિદેશમંત્રાલયે મંગળવારે કહ્યું હતું. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણાઓ સફળ રહે તે માટે ચીન અત્યંત સક્રિયપણે મધ્યસ્થીની ભૂમિકા નિભાવી રહ્યું છે. આ વાટાઘાટો માટેની પ્રક્રિયા અમલમાં મૂકાઇ ગઇ છે અને ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે એમ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ…

Read More

‘લેબેનોનમાં કોઈ સીઝફાયર નહીં’ નેતન્યાહૂની જાહેરાતથી અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ ઉપર સંકટ ઈરાન સાથે સીધી અથડામણ ભલે ટળી હોય, પરંતુ લેબેનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઈઝરાયેલના હુમલા ચાલુ રહેશે અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સંઘર્ષ વિરામ ની જાહેરાતથી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ આશા પર પાણી ફેરવી દીધું છે. નેતન્યાહૂના કાર્યાલયે બુધવારે સવારે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલું સમજૂતી લેબેનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ચાલી રહેલી ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી પર લાગુ થશે નહીં.ઈઝરાયલના પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે ઈઝરાયલ ડોનાલ્ડ ટ્રમ્પના બે અઠવાડિયા સુધી હુમલા સ્થગિત કરવાના ર્નિણયનું સમર્થન…

Read More

ક્રૂડ તેલના વાયદામાં રૂ.1920નો કડાકોઃ સોનાના વાયદામાં રૂ.3011 અને ચાંદીના વાયદામાં રૂ.14323નો તીવ્ર ઉછાળો કોમોડિટી વાયદાઓમાં રૂ.35009.3 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.193641.19 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23293.33 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36813 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.228650.6 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.35009.3 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.193641.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36813 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.5382.12 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23293.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.153550ના ભાવે ખૂલી, ઉપરમાં…

Read More

યુદ્ધમાં સીઝફાયર છતાં સાઉદી-કતાર અને કુવૈતથી લઈને UAE કેમ ટેન્શનમાં સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સહિતના પૂર્વી વિસ્તારોમાં ચેતવણી જાહેર કરાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે મધ્ય પૂર્વમાં યુદ્ધ વિરામની જાહેરાત માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જમીની સ્તરે સ્થિતિ હજુ પણ અત્યંત તણાવપૂર્ણ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીઝફાયરની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ આખા ખાડી વિસ્તારમાં ખતરાની સાયરન ગુંજવા લાગી હતી. સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, કુવૈત અને કતાર જેવા દેશોમાં સુરક્ષા એજન્સીઓ અચાનક એક્શનમાં આવી ગઈ છે. ઈઝરાયલી સેનાએ દાવો કર્યાે છે કે ઈરાન તરફથી મિસાઈલો છોડવામાં આવી છે, જેને રોકવા માટે ડિફેન્સ…

Read More

(છગનલાલા મેવાડા ધ્વારા) સુરત. તાપી જિલ્લાના સામાજિક આગેવાન અને નવી સિવિલ હોસ્પિટલના નિવૃત્ત એકાઉન્ટ ઓફિસર જ્યોતિષ એમ. ચૌધરીએ આદિવાસીઓની દિવસે-દિવસે કથળતી જતી આર્થિક સ્થિતિને લઈ ભારે વેદના વ્યક્ત કરેલ છે. તેઓએ આ અંગે અનુસૂચિત જનજાતિ નો લાભ લઇ ચૂંટાતા ધારાસભ્યો પ્રત્યે ભારે રોષ વ્યક્ત કરેલો છે. ગુજરાતમાં સમાજના નામે ચુંટાતા ધારાસભ્યો સમાજને ભૂલી જાય છે. તેઓમાં સમાજ પ્રત્યે સમર્પણ ની ભાવના નો અભાવ જોવા મળે છે. સરકારનું અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેના કરોડો રૂપિયા ક્યાં પગ કરી જાય છે તે સમજી શકાતું નથી. વર્ષો પહેલા અનુસૂચિત જનજાતિની જે સ્થિતિ છે તેમાં ખાસ કોઈ ફેર પડેલ નથી. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ મહેનત કરી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતના ડેપ્યુટી સી.એમ હર્ષ સંઘવી એક બાજુ વ્યાજ ખોરોની ખો ભૂલાવી વ્યાજે નાણાં લેનાર જરૂરિયાત મંદોને મદદરૂપ બની રહ્યા છે. ત્યારે દિવા નીચે અંધારું એમ એમની જ એટલેકે હર્ષ સંઘવીની BJP પાર્ટીના વોર્ડ નં.૧૯ ડુંભાલ-આંજણા ના સીટિંગ કોર્પોરેટર વિજય ચૌમાલ અને એના ભાગીદાર હરીશ ક્રષ્નાજી ચૌધરી વિરુધ્ધ ફરિયાદી રણછોડભાઈ દેવાસી એ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં તા.૨૪/૦૧/૨૦૨૬ ના રોજ આપેલ ફરિયાદ માં જણાવ્યા મુજબ ફરિયાદી ને ધંધામાં ૧૫ લાખ રૂપિયાની જરૂર હોવાથી કોર્પોરેટર વિજય ચૌમાલ ને એ અંગે વાત કરતાં કોર્પોરેટર વિજય ચૌમાલ અને એના ભાગીદાર હરીશ ક્રષ્નાજી ચૌધરી એ મળીને ફરિયાદી રણછોડભાઈ દેવાસી ને ૭% ( સાત…

Read More

सुप्रसिद्ध समाजसेवी, साहित्यकार और लोढ़ा फाउंडेशन की अध्यक्षा श्रीमती मंजू लोढ़ा ने कहा है कि कला, संस्कृति और साहित्य हमारे समाज को ऐसे संस्कारों की समृद्धि देते हैं, जो नयी पीढ़ी के नैतिक स्तर को उन्नत करने तथा समाज के भविष्य को उज्ज्वल बनाने में अहम भूमिका निभाते हैं। श्रीमती लोढ़ा मंगलवार, 7 अप्रैल, 2026 की शाम देश की प्रमुख सांस्कृतिक, सामाजिक और कलात्मक संस्था “आकृति आर्ट फाउंडेशन” द्वारा आयोजित 24वीं अंतर्राष्ट्रीय समूह कला प्रदर्शनी के उद्घाटन समारोह में मुख्य अतिथि के रूप में अपने विचार व्यक्त कर रही थीं। उन्होंने इस प्रदर्शनी के आयोजन के लिए आकृति आर्ट…

Read More