Author: garvigujrat

૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં શો પ્રસારિત થયેલો આર માધવન ‘જીના ઇસી કા નામ હૈ’ ઓટીટી પર કરશે વાપસી ‘જીના ઇસી કા નામ હૈ ૨.૦’માં દિવંગત અભિનેતા ફારુખ શેખની જગ્યા હવે અભિનેતા આર. માધવન સંભાળશે એક સમયનો લોકપ્રિય સેલિબ્રિટી ટોક શો ‘જીના ઇસી કા નામ હૈ’ હવે નવા અંદાજમાં ઓટીટી પર વાપસી કરવા જઈ રહ્યો છે. ઝી૫ પર આવનારા ‘જીના ઇસી કા નામ હૈ ૨.૦’માં દિવંગત અભિનેતા ફારુખ શેખની જગ્યા હવે અભિનેતા આર. માધવન સંભાળશે.૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ઝી ટીવી પર પ્રસારિત થયેલા આ શોમાં ફારુખ શેખ ફિલ્મી હસ્તીઓને આમંત્રિત કરીને તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનનાં અજાણ્યા પાસાઓ દર્શકો સમક્ષ લાવતા હતા. તેમની…

Read More

આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, સમગ્ર દેશના યુવાનોએ પેપર લીકની ઘટનાઓ સામે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર પર જે આંદોલન શરૂ કર્યું છે, તેનાથી સરકારને કડક સંદેશ મળ્યો છે. આંદોલન દરમિયાન દિલ્હીમાં પોલીસ અને ગુંડાઓ દ્વારા યુવાનો અને દીકરીઓ પર અમાનુષી લાઠીચાર્જ કરવામાં આવ્યો, અનેક લોકોના માથા ફૂટ્યા, છતાં દેશનો યુવાન પોતાની માંગ પર અડગ રહ્યો તે ખૂબ અભિનંદનને પાત્ર છે. દેશભરમાં પેપર લીકનો સૌથી મોટો રેકોર્ડ જો કોઈ રાજ્યમાં બન્યો હોય તો તે ગુજરાત છે. અહી ભાગ્યે જ કોઈ એવી પરીક્ષા હશે જેનું પેપર લીક ન થયું હોય કે…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારત સરકાર ભારતની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીનું સંચાલન અને નિયમન કરવામાં નિષ્ફળ છે. વિરોધ પક્ષો અને અન્ય સામાજિક વિરોધીઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ નિર્દેશ કર્યો છે કે તાજેતરમાં એક પ્રધાનની પુત્રી નૈમિષા અમેરિકન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. એક યુઝરે દલીલ કરી હતી કે, જ્યારે રાજકીય નેતાઓ તેમના બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે વિદેશ મોકલવાનું પરવડી શકે છે. ત્યારે લાખો ભારતીય વિદ્યાર્થીઓ પેપર લીક, ભરતી કૌભાંડો, વિલંબિત પરિણામો અને જવાબદારીના અભાવથી પીડાતી સિસ્ટમ સામે ઝઝૂમી રહ્યા છે. આ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જતા વધતા જતા વલણને અનુરૂપ…

Read More

આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી દિલ્હીના જંતર-મંતર ખાતે દેશભરના યુવાનો, વિદ્યાર્થીઓ અને બહેનો આંદોલન કરી રહ્યા છે. NEETનું પેપર ફૂટવાના કારણે અનેક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી આ તાનાશાહ સરકારે આંદોલનકારી વિદ્યાર્થીઓ પર અમાનુષી લાઠીચાર્જ કરાવ્યો છે, જેમાં બહેનો-દીકરીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી અને વિદ્યાર્થીઓને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. યુવાનો જ્યારે પોતાના ભવિષ્ય માટે અવાજ ઉઠાવતા હોય ત્યારે સરકારે એમની વાત સાંભળવી જોઈએ, પરંતુ સત્તાધીશો તેમની સામે કડક પગલાં ભરી રહ્યા છે.…

Read More

મિનિષા લાંબાએ યાદ કરી ડેબ્યૂ ફિલ્મ ‘યહાં ફિલ્મે મારી જિંદગીની દિશા બદલી’ : મિનિષા લાંબા ૨૯ જુલાઈ, ૨૦૦૫ના રોજ રિલીઝ થયેલી ‘યહાં’ના તેની સંવેદનશીલ વાર્તા અને કલાકારોના અભિનય માટે વખાણ થયા હતા અભિનેત્રી મિનિષા લાંબાએ પોતાની પ્રથમ ફિલ્મ ‘યહાં’ના ૨૧ વર્ષ પુરા થતાં ભાવુક પોસ્ટ શેર કરી છે. વર્ષ ૨૦૦૫માં રિલીઝ થયેલી આ ફિલ્મને યાદ કરતાં તેણે દિગ્દર્શક શૂજિત સરકારનો આભાર વ્યક્ત કર્યાે અને કહ્યું કે આ ફિલ્મે તેનાં જીવન અને કારકિર્દીની દિશા જ બદલી નાખી.“‘યહાં’ (૨૦૦૫)… શૂજિત સરકારની ફિલ્મ. ૨૧ વર્ષ બાદ… મને ‘અદા’નું પાત્ર ભજવવાની તક આપવા બદલ તમારો આભાર. આ ફિલ્મે મારા જીવનની દીશા બદલી નાખી. ફિલ્મના…

Read More

આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, આપણા ગુજરાતના લોકપ્રિય કલાકાર આદિત્યભાઈ ગઢવીએ દેશના યુવાનોને એક સલાહ આપી હતી કે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરવાથી શું સોલ્યુશન આવશે? આ અંગે જવાબ આપતાં તેમણે કહ્યું કે સોલ્યુશન શોધવા માટે જ તો દેશના કરોડો યુવાનો જંતર-મંતર પર એકઠા થયા છે. આદિત્યભાઈ પોતે તેમના ‘ખલાસી’ ગીતમાં ગાય છે કે “એવો હાર્દનો પ્રવાસી કોણ છે, એને ગોતી લ્યો”, તો આજે આ દેશના યુવાનો પોતે ખલાસી બનીને નીકળ્યા છે. દેશની શિક્ષણ વ્યવસ્થા અને લોકશાહીની નાવડી જ્યારે ડૂબવાની તૈયારીમાં છે, ત્યારે આ યુવાનો તેને બચાવવા અને પાટા પર લાવવા માટે ભેગા થયા છે.…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જે રીતે ગુજરાતના લોકોએ બે લોકોને દિલ્હી મોકલ્યા અને લોકોને હતું કે આ 2 લોકો આપણા ગુજરાતનું અને ગુજરાતના લોકોનું ભલું કરશે, પરંતુ એ લોકોએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગુજરાતના ખેડૂતો, યુવાનો, મહિલાઓ સહિત તમામ લોકો સાથે અન્યાય કરવાનું કામ કર્યું. એવા લોકોએ જ પોતાના પાવરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ફસાવવા માટે ષડયંત્ર કરવામાં આવ્યું અને ચૈતરભાઈને ખોટી રીતે સજા કરાવીને તેમની સાથે સાથે તેમના પત્ની અને બીજા લોકોને પણ જેલમાં મોકલવામાં આવ્યા. અને આજે સારા સમાચાર એવા આવ્યા છે…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ દિલ્હી જંતર-મંતર ખાતેથી એક મહત્વપૂર્ણ સંદેશ આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ અને યુવાનોના ફોન તેમજ મેસેજ આવી રહ્યા છે જેઓ દિલ્હી આંદોલનમાં જોડાવા ઈચ્છે છે પરંતુ અનિવાર્ય કારણોસર આવી શકતા નથી. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને તેમણે ગુજરાતના તમામ યુવાનો અને વિદ્યાર્થીઓને ખુલ્લું આહ્વાન કર્યું છે કે આવતી ૨૫મી તારીખે સવારે ૧૦:૦૦ કલાકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈને ‘ગુજરાત કોક્રોચ આંદોલન’ની શરૂઆત કરવામાં આવશે. આ આંદોલન દરમિયાન ગુજરાતના અનેક ઉત્સાહી યુવાનો અને વિદ્યાર્થીઓ અનશન પર પણ બેસશે. ’આપ’ નેતા બ્રિજરાજ સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે, હવે સમય આવી ગયો છે…

Read More

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તાનાશાહી અને લોકશાહીના તફાવતને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, દેશમાં લોકશાહી સ્થાપવા માટે આપણા પૂર્વજો અને સ્વતંત્રતા સેનાનીઓએ વર્ષો સુધી લડાઈ લડી છે. લોકશાહીનો મૂળ આત્મા એ છે કે દેશનો સામાન્ય નાગરિક પોતાની સરકારને પ્રશ્ન પૂછી શકે. પરંતુ વર્તમાન કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે તાનાશાહી વલણ અપનાવી રહી છે. આજે દેશમાં NEET સહિત અનેક ભરતી પરીક્ષાઓના પેપરો સતત લીક થઈ રહ્યા છે. યુવાનોનો ખૂબ જ વ્યાજબી પ્રશ્ન છે કે આટલા બધા પેપર લીક થાય છે તો તેનો આખરે જવાબદાર કોણ? બાળક દસમા ધોરણથી લઈને મેડિકલમાં એડમિશન મેળવવા સુધી રાત-દિવસ ઉજાગરા કરે છે અને તેનો આખો પરિવાર મહેનત કરે…

Read More

જામનગર જિલ્લામાં ચોમાસાનો વરસાદ મોડો અને ઓછો થવાના કારણે ખેડૂતો અને માલધારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ કટોકટીભરી પરિસ્થિતિમાં ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં લાલપુર ખાતે વિશાળ જનઆક્રોશ રેલી અને એક દિવસીય પ્રતિક ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલપુર તાલુકા પંચાયત ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યે મોટી સંખ્યામાં એકત્રિત થઈને ખેડૂતો રેલી સ્વરૂપે પ્રાંત કચેરી પહોંચ્યા હતા, જ્યાં સવારે ૧૦:૩૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી પ્રતિક ભૂખ હડતાલ યોજીને માનનીય મુખ્યમંત્રીને સંબોધીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, સરપંચો, આગેવાનો અને ગામડે-ગામડેથી વિશાળ સંખ્યામાં ખેડૂતો…

Read More