Author: garvigujrat

અમેરિકાએ કોઈ નિવેદન બહાર પાડ્યું નથી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે અમેરિકા સમક્ષ પોતાની મુખ્ય માંગણીઓ મૂકી ઈરાન દ્વારા આ માંગણીઓમાં સૌથી મુખ્ય માંગણી એ છે કે અમેરિકા ઈરાન સાથેના યુદ્ધ માટે વળતર ચૂકવે પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ જહાજાેને નિયમિતપણે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં, સંયુક્ત આરબ અમીરાત UAEએ જણાવ્યું હતું કે તેના એક જહાજને ઈરાની મિસાઈલનો શિકાર બનાવાયું હતું. સૌથી મોટો પ્રશ્ન એ છે કે હોર્મુઝમાં પરિસ્થિતિ ક્યારે અને કેવી રીતે સામાન્ય થશે. તેહરાને હવે આનો જવાબ આપ્યો છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ…

Read More

આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારીયાએ એક વીડિયોના માધ્યમથી ખૂબ જ ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આજે 9 ઓગસ્ટના રોજ સમગ્ર ભારત દેશમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત દાહોદમાં આદિવાસી સમાજની એક રેલી નીકળી હતી. આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા જેલમાં છે, જેના કારણે લોકોના મનમાં ખૂબ જ રોષ છે. જ્યારે ચૈતરભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા પણ ન હતા, એ પહેલાથી જ તેમણે દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજનું સંગઠન ઊભું કર્યું હતું એટલા માટે દાહોદ જિલ્લામાં ચૈતરભાઈના સમર્થકો કોઈ પક્ષના નથી. તો જ્યારે એ…

Read More

મોંઘવારીનો વધુ એક માર ! ૧૧ ઓગસ્ટથી મહારાષ્ટ્ર રાજ્યમાં મોંઘું થશે દૂધ રાજ્યમાં ગાય અને ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા૨નો વધારો કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે મહારાષ્ટ્રમાં દૂધ ખરીદનારાઓને મોંઘવારીનો વધુ એક ઝટકો સહન કરવો પડશે. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬થી રાજ્યમાં ગાય અને ભેંસના દૂધના ભાવ પ્રતિ લિટર ૨ રૂપિયા વધવાની શક્યતા છે. દૂધના ભાવમાં વધારા સાથે દહીં (દહીં), પનીર અને અન્ય ડેરી ઉત્પાદનો પણ વધુ મોંઘા થઈ શકે છે. આનો અર્થ એ છે કે સવારની ચા અને બાળકોના નાસ્તાથી લઈને રોજિંદા રસોડાની જરૂરિયાતો સુધી આ વધારો ઘરના બજેટ પર સીધી અસર કરશે. રાજ્યની મુખ્ય સહકારી અને ખાનગી ડેરીઓના પ્રતિનિધિઓની…

Read More

મોદીએ દેશવાસીઓને કરી ખાસ અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી તેમણે દેશવાસીઓને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જાેડાવા અને પોતાના ઘરો પર તિરંગો લહેરાવવાની અપીલ કરી દેશના ૮૦મા સ્વતંત્રતા દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી છે. તેમણે દેશવાસીઓને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જાેડાવા અને પોતાના ઘરો પર તિરંગો લહેરાવવાની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘તિરંગો દેશના ગર્વ અને ગૌરવનું પ્રતીક છે અને તે આપણને દેશ માટે શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રેરણા આપે છે.‘ PM મોદીએ રવિવાર, ૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને દેશવાસીઓને સંબોધ્યા હતા. તેમણે કહ્યું, “આપણો…

Read More

(નીડર , નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.      ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર વર્ગ -3 અને વર્ગ-૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબના સભ્યને રહેમરાહે નિમણુંકો આપવાની સુધારેલ યોજના મુજબ સુરત મહાનગરપાલિકામાં ચાલુ ફરજ દરમ્યાન  અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓને આશ્રિત તરીકે રહેમરાહે નિમણુંકો આપવા જરૂરી આદેશ કરવા ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખશ્રી ભાઈલાલ બી. વૈષ્ણવ, પ્રદેશ ઉપપ્રમુખશ્રી છગનલાલ ડી. મેવાડા, મહામંત્રીશ્રી સૈયદભાઈ શેખ અને મહામંત્રીશ્રી કાંતિભાઈ બી.સોલંકી, મહામંત્રી શ્યામભાઈ ટેનિયા, શહેર શાખા કાર્યકારી પ્રમુખ હસમુખભાઈ પટેલ, વાલ્મિકી સમાજ ના સિનિયર એડવોકેટ ડી સી સોલંકી, બીપીનભાઈ રાઠોડ વિગેરે એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શહેર વિકાસ…

Read More

(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા)સુરત      ભારતીયોની મુખ્ય બંધારણીય સંસ્થા એટલે કે લોકસભા. જ્યાં આજના સમયે જોવા મળશે બેશરમ અને શક્તિશાળી નેતાઓ જેઓએ પોતાને જવાબદારી હેઠળ લાવી શકે તેવી તમામ સંસ્થાઓ પર કબજો જમાવી દીધા પછી, આ બેશરમ તાનાશાહો (સરમુખત્યારો) જાહેર માં ગુનાઓ અને ભૂલો કરે છે. (પેલેટ ગન કોણે ચલાવી એનો કોઈ જવાબ નહીં). કારણ કે સક્ષમ દેખાવુ અને સજા પામ્યા વિના છટકી જવું એ પોતેજ તેની નિર્ભયતા (દંડના ભય વગર કામ કરવાની ક્ષમતા) નું પ્રદર્શન છે.           આનું મુખ્ય કારણ છે બહુમતી. આ બહુમતી મેળવવા શાસકો આકાશ પાતાળ એક કરીને પણ બહુમતી…

Read More

ભેળસેળવાળા E20 પેટ્રોલ મુદ્દે આમ આદમી પાર્ટીએ આજે સુરત ખાતે ટાઉનહોલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું પરંતુ આ કાર્યક્રમને ભાજપ દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હોલની મંજૂરી આપવામાં આવી ન હતી. જેના કારણે AAP નેતાઓએ હોલની બહાર જ કાર્યક્રમ શરૂ કર્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર પોતાની નાની નાની બચત કરીને કે લોન લઈને બાઈક કે કાર ખરીદવાનો વિચાર કરે છે. સુરત, અમદાવાદ,…

Read More

ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે આજે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ખેડૂતોના મસીહા એવા ઈસુદાનભાઈ ગઢવી તથા જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી મૂકી હતી. ખંભાળિયા વિધાનસભા સંગઠન મંત્રી આલાભાઇ જામ એ જણાવ્યું કે, ઈસુદાનભાઈ ગઢવીએ પ્રેસ કોન્ફરન્સમાં માંગ કરી હતી કે આગામી ૨૪ થી ૪૮ કલાકમાં ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌની યોજના અંતર્ગત આવતા ઘી ડેમ, સિંહણ ડેમ, સાની ડેમ સહિતના તમામ ડેમો અને તળાવોમાં નર્મદાનું પાણી છોડવામાં આવે. આ વિસ્તારમાં ખેડૂતોને પડતી ભરાવણની તકલીફ, પીવાના પાણીની તકલીફ તેમજ સિંચાઈના…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે વિશ્વ આદિવાસી દિવસની શુભકામના પાઠવતા જણાવ્યુ હતુ કે વિશ્વ આદિવાસી દિવસના અવસર પર દેશભરના સમગ્ર આદિવાસી સમાજના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. છેલ્લાં પંચોતેર વર્ષમાં આદિવાસી સમાજ સાથે સૌથી વધુ અન્યાય થયો છે. દેશમાં પંચોતેર વર્ષમાં પ્રગતિ થઈ, બાકીના તમામ સમાજના લોકોએ પ્રગતિ કરી. પરંતુ આદિવાસી સમાજ પાછળ રહી ગયો. કેમ? કારણ કે આદિવાસી સમાજને જાણી જોઈને પાછળ રાખવામાં આવ્યો. તેમના જેટલા સંસાધનો હતા, તેના પર ડાકુઓ જેવી લૂંટ ચલાવવામાં આવી. જળ, જંગલ અને જમીન એ આદિવાસી સમાજનો જન્મસિદ્ધ અધિકાર છે. પરંતુ આ અધિકારો સમાજ પાસેથી છીનવીને મોટી-મોટી કંપનીઓને…

Read More

આજે IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદ તથા RPF સાબરમતી દ્વારા સંયુક્ત રીતે સાબરમતી રેલવે સ્ટેશન તેમજ સાબરમતી–જમ્મુ તાવી એક્સપ્રેસ અને યોગા એક્સપ્રેસ ટ્રેનોમાં અનધિકૃત વેન્ડરો સામે ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન કુલ પાંચ અનધિકૃત વેન્ડરો પાસેથી અનધિકૃત રીતે વેચાણ કરવામાં આવતું પાણી અને છાશ જપ્ત કરવામાં આવ્યું હતું. સંબંધિત વેન્ડરો સામે રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતાં IRCTC અમદાવાદના પ્રેસ પ્રવક્તા શ્રી જિતેન્દ્ર કુમાર જયંતે જણાવ્યું હતું કે, ટ્રેનોની અંદર તેમજ રેલવે સ્ટેશન પરિસરમાં અનધિકૃત રીતે ખાદ્યપદાર્થો અને પીણાંનું વેચાણ કરતા વેન્ડરો સામે ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુસાફરોને ગુણવત્તાયુક્ત…

Read More