Author: garvigujrat

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ હું ખંભાળિયા ખાતે ઈસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં ચાલતા ‘દુષ્કાળ જાહેર કરો’ સત્યાગ્રહમાં હાજરી આપવાનો છું. વિસાવદરના ખેડૂતો અને આગેવાનો સાથે મળીને અમે સૌ આ સત્યાગ્રહને પૂર્ણ સમર્થન આપવા અને ખેડૂતોની લડાઈમાં આપણું યોગદાન આપવા માટે સવારે ૧૧ વાગ્યા આસપાસ ત્યાં પહોંચીશું. ઈસુદાન ગઢવીએ વર્ષોથી ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે. તેઓ જ્યારે મીડિયામાં હતા ત્યારે પણ પત્રકારત્વના માધ્યમથી લડતા હતા અને રાજનીતિમાં આવ્યા બાદ પણ સતત ખેડૂતો માટે લડી રહ્યા છે. ’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આ વખતે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદ…

Read More

ભગવાન શિવ 'નીલકંઠ' કેમ કહેવાયા? ભારતીય સનાતન સંસ્કૃતિ અને પૌરાણિક પરંપરામાં ભગવાન શિવને 'મહાદેવ' એટલે કે દેવોના પણ દેવ તરીકે પૂજવામાં આવે છે.શિવજીના સહસ્ત્ર નામોમાં દરેક નામ પાછળ એક ગૂઢ કથા, દિવ્ય લીલા અને માનવજાત માટે અમૂલ્ય ઉપદેશ છુપાયેલો છે.શિવજીનું એક અત્યંત લોકપ્રિય અને સદભાવનાપૂર્ણ નામ 'નીલકંઠ' છે.મહાદેવનો કંઠ નીલા રંગનો છે તેથી તેમને નીલકંઠ કહેવાય છે પરંતુ પ્રશ્ન એ થાય કે ભગવાન શિવનો કંઠ નીલો કેમ થયો? આ નીલકંઠ બનવા પાછળ દેવાસુર સંગ્રામ,સમુદ્રમંથન અને સંસાર રક્ષાર્થ કરાયેલા મહા ત્યાગની એક ભાવપૂર્ણ કથા જોડાયેલી છે. દેવો અને અસુરો વચ્ચે અનાદિકાળથી સંગ્રામ અને સ્પર્ધા ચાલ્યા કરતા હતા.એકવાર મહર્ષિ દુર્વાસાના શાપને કારણે…

Read More

કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ ૮ સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી બનશે વડોદરાના મહેમાન પીએમ મોદીના આ મહત્વપૂર્ણ પ્રવાસને પગલે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ થઈ ગયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૮ સપ્ટેમ્બરના રોજ સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બનવા જઈ રહ્યા છે, જેને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહ અને તડામાર તૈયારીઓનો માહોલ જાેવા મળી રહ્યો છે. ગુજરાતના વિકાસને હંમેશા પ્રાધાન્ય આપનારા પીએમ મોદી આ મુલાકાત દરમિયાન વડોદરા અને મધ્ય ગુજરાતની જનતાને હજારો કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ ભવ્ય કાર્યક્રમો થકી શહેરની માળખાગત સુવિધાઓ, પરિવહન વ્યવસ્થા, શિક્ષણ અને ઉદ્યોગ જગતને વધુ વેગ મળશે તેવું…

Read More

અમેરિકામાં બોલ્યા RSS પ્રમુખ મોહન ભાગવત ભારતમાં મુસ્લિમો ન હોવા જાેઈએ, તેવું વિચારનારા હિન્દુ નથી ભારતીય પરંપરા લાંબા સમયથી એવી માન્યતા ધરાવે છે કે ધર્મો અલગ હોઈ શકે છે, માનવતા એક છે અને સત્ય પણ એક છે ન્યૂયોર્કમાં “એક વિશ્વ, એક માનવતા” કાર્યક્રમને સંબોધતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS )ના વડા મોહન ભાગવતે કહ્યું કે જે કોઈ એવું માને છે કે દેશમાં મુસ્લિમો માટે કોઈ સ્થાન ન હોવું જાેઈએ તે હિન્દુ ન હોઈ શકે. મોહન ભાગવતે કહ્યું કે હિન્દુત્વ મુસ્લિમો વિના ભારતની કલ્પના કરતું નથી, અને જાે તમે પોતાને હિન્દુ કહેવા માંગતા હો, તો તમારે એ પણ સ્વીકારવું જાેઈએ કે બધા…

Read More

નેપાળમાં ત્રાસદી બાદ મહામારીનો ખતરો હોસ્પિટલ હાઉસફૂલ અને મૃતદેહો સડવા લાગ્યા ચિતવન સહિત અનેક વિસ્તારોમાં ઓળખ વગરના મૃતદેહો હોસ્પિટલો અને સરકારી ઓફિસોમાં રખાયા નેપાળમાં અચાનક આવેલી વિનાશક પૂરની હોનારત બાદ ચાલતી રાહત અને બચાવ કામગીરી વચ્ચે અત્યાર સુધીમાં ૬૦૦થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. જાેકે, મોટાભાગના મૃતદેહોની ઓળખ ન થઈ શકવાના કારણે તેમનો અંતિમ સંસ્કાર અટકી પડ્યો છે. હવે આ મૃતદેહો કોહવાઈ રહ્યા હોવાથી પૂર પ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો અને ભયાનક મહામારી ફેલાવાનો મોટો ખતરો ઉભો થયો છે. માત્ર ચિતવન જિલ્લામાંથી જ અત્યાર સુધીમાં ૧૭૮ મૃતદેહો રિકવર કરવામાં આવ્યા છે, જેમાં પુરુષો, મહિલાઓ અને નાના બાળકો પણ સામેલ છે. ચિતવનના મુખ્ય…

Read More

નેપાળ પૂરમાં સાડી બની જીવનદોરી તમિલનાડુના ૨૧ યાત્રીઓનો કાદવ-પથ્થરો વચ્ચેથી ચમત્કારિક બચાવ એક મહિલાએ પોતાની સાડી અને કેબલ વાયરની મદદથી યાત્રાળુઓને બચાવ્યા : પહાડી રસ્તે ચાલીને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત પહોંચ્યા નેપાળ-તિબેટ સરહદ નજીક પહાડી રસ્તા પર ગ્લેશિયર તૂટ્યા બાદ આવેલી વિનાશક પૂર અને ભેખડો ધસી પડવાની ઘટનામાં તામિલનાડુના યાત્રાળુઓની આપવીતી સામે આવી છે. સવારે ૮ વાગ્યે સ્યાબ્રુબેસીથી ચીની ઇમિગ્રેશન તરફ જઈ રહેલા કાફલા પર અચાનક બોમ્બ ધમાકા જેવો ધડાકો થયો હતો. પહાડો પરથી ૭૦ થી ૮૦ ફૂટ ઊંચી માટી અને પથ્થરોની સુનામી જેવી લહેર નીચે ધસી આવી હતી. યાત્રાળુઓ કાદવ અને કાંટાળી ઝાડીઓ વચ્ચે જીવ બચાવવા માટે ઉપર તરફ ભાગવા…

Read More

ઘણા મહત્વપૂર્ણ ર્નિણયો લેવાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન મોદીને ઉઝબેકિસ્તાનનો સર્વોચ્ચ રાજ્ય પુરસ્કાર, ઓલી દરાજલી દુસ્તલિક એનાયત કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉઝબેકિસ્તાનનો સર્વોચ્ચ રાજ્ય પુરસ્કાર, ઓલી દરાજલી દુસ્તલિક એનાયત કરવામાં આવ્યો છે. ઉઝબેક રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવે વ્યક્તિગત રીતે પીએમ મોદીને આ પુરસ્કાર અર્પણ કર્યો. રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત દરમિયાન, પીએમ મોદીએ કહ્યું કે, મેં તમારું પુસ્તક જાેયું, જેમાં તમે બધા મુખ્ય ક્ષેત્રોમાં પ્રોજેક્ટ્સ ઓળખ્યા છે અને અમારા દ્વિપક્ષીય આર્થિક સહયોગને આગળ વધારવા માટે સમયરેખા નક્કી કરી છે. હું આ પહેલની પ્રશંસા કરું છું. મને વિશ્વાસ છે કે સાથે મળીને અમે આમાં ઝડપી પ્રગતિ…

Read More

​(છગનલાલ મેવાડા દ્વારા) સુરત. ​ભારતના છત્તીસગઢના દુર્ગ જિલ્લાની ભારતી એગ્રીકલ્ચર કોલેજના એક આસિસ્ટન્ટ પ્રોફેસર યોગેશ સોન કેસરિયાએ કોઈપણ કવર કે પેકેટનું સીલ તોડ્યા વગર એક્ઝામ પેપર રેકોર્ડ કરીને લીક કરી દીધું હતું. આ હાઇટેક લીક માટે આરોપીએ મેડિકલ ક્ષેત્રમાં વપરાતા એન્ડોસ્કોપિક કેમેરા અને એક સોયનો સહારો લીધો હતો. ​એન્ડોસ્કોપિક કેમેરો એક ખૂબ જ બારીક, પાતળી અને લવચીક ટ્યુબ એટલે કે કેબલ જેવું ડિવાઇસ હોય છે. તેનો એકદમ આગળના ભાગે એટલે કે ટીપ પર એક ખૂબ જ નાનો HD કેમેરો અને LED લાઈટ લાગેલી હોય છે. આનો ઉપયોગ ડોક્ટરો શરીરના અંદરના ભાગો જેમ કે પેટ કે ગળાની તપાસ માટે કરે છે.…

Read More

(નીડર,નિષ્પક્ષ,અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત          ​લોકશાહી દેશ માં ચૂંટણીની પહેલી વિશ્વાસનીયતા મતદાર યાદીથી શરૂ થાય છે. મતદાર યાદીમાં એક પણ ખોટું નામ ન રહે અને એક પણ સાચા મતદારનું નામ ન કપાય આ બંને બાબતો સમાન રીતે મહત્વની છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સઘન પુનનીરીક્ષણ એટલે કે SIR ને લઇને સામે આવેલી માહિતી હવે ચૂંટણી પંચની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે.            ​ત્યારે હવે માહિતીના અધિકાર હેઠળ મળેલી વિગતો ચોંકાવનારી છે. અત્યાર સુધી નિકાલ થયેલી ૮૨,૭૬૨ અપીલોમાંથી ૭૫,૪૪૩ મતદારોના નામ ફરી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. જ્યારે માત્ર…

Read More

શિવપુરાણ પૂર્ણતઃ ભક્તિનો ગ્રંથ છે,જેમાં કળિયુગના પાપકર્મથી ગ્રસિત વ્યક્તિની મુક્તિ માટે શિવભક્તિનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. ભગવાન ભોળાનાથ હંમેશાં ઉપકારી અને હિતકારી દેવ છે.શાસ્ત્રો અનુસાર ત્રિદેવોમાં શિવજીને સંહારના દેવતા માનવામાં આવે છે.અન્ય દેવી-દેવતાઓની પૂજા-અર્ચનાની સરખામણીએ શિવજીની પૂજા- અર્ચનાને અત્યંત સરળ માનવામાં આવે છે.અન્ય દેવી-દેવતાઓની જેમ શિવજીને સુગંધિત પુષ્પમાળાઓ અને મીઠા પકવાનની આવશ્યકતા નથી,શિવ તો માત્ર સ્વચ્છ જળ,બિલિપત્ર અને ધતુરાથી જ પ્રસન્ન થઈ જાય છે. શિવજીને મનોરમ વેશભૂષા અને અલંકારોની આવશ્યકતા નથી હોતી,તે તો ઔઘડ બાબા છે, જટાજૂટધારી છે.ગળામાં લપેટાયેલો નાગ અને રૂદ્રાક્ષની માળા,શરીર ઉપર વાઘામ્બર,ચિતાની ભસ્મ લગાવેલી છે અને હાથમાં ત્રિશૂળ પકડેલા ભગવાન ભોળાનાથ સમગ્ર વિશ્વને પોતાના ડમરૂની કર્ણભેદી ધ્વનિથી…

Read More