Author: Garvi Gujarat

નેતન્યાહૂને રોકનારા ટ્રમ્પ પોતે જ આપો ગુમાવી બેઠા અપાચે હેલિકોપ્ટર નષ્ટ થયા બાદ અમેરિકાએ ઈરાન પર કર્યાે મોટો હુમલો અમેરિકન હુમલા બાદ ઈરાનની રાજધાની તેહરાન સહિતના પ્રમુખ શહેરો અને સૈન્ય મથકો પર હાઈ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે અને લોકોમાં ભારે ફફડાટનો માહોલ છે મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં લાંબા સમયથી જે મોટા સૈન્ય સંઘર્ષની આશંકા સેવાઈ રહી હતી, તે આખરે હકીકતમાં બદલાઈ ગઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ સીધી લશ્કરી કાર્યવાહીના આદેશ આપી દીધા છે, જેના પગલે પશ્ચિમ એશિયામાં યુદ્ધની આગ ફરી એકવાર ભીષણ રીતે ભડકી ઉઠી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝ જળડમરૂમધ્ય) પાસે…

Read More

મોઢામાં છુપાવ્યા સોના-હીરાના દાગીના વડોદરાના માલાબાર ગોલ્ડ શોરૂમમાં મહિલા ચોરે ચોરી કરી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા : ચોરી પકડાતા જ મહિલા રડવા લાગી હતી ગુજરાતના વડોદરાના પોશ રેસકોર્સ વિસ્તારમાં આવેલા માલાબાર ગોલ્ડ શોરૂમમાં ચોરીની એક આશ્ચર્યજનક ઘટના પ્રકાશમાં આવી છે. ખરીદી કરવાના બહાને આવેલી એક હાઈપ્રોફાઈલ મહિલાએ સ્ટાફની નજર ચૂકવીને લાખો રૂપિયાની કિંમતની સોના અને ડાયમંડની વીંટી તથા ઈયરરિંગ્સ (બુટ્ટી) ચોરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મહિલાએ ચોરી કરેલા દાગીના પોતાના મોઢામાં છુપાવી દીધા હતા, જેથી કોઈને શંકા ન જાય. જાેકે, શોરૂમના સ્ટાફની સતર્કતાના કારણે મહિલાની…

Read More

ભાજપ સરકારનો મહત્ત્વનો ર્નિણય મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ મુખ્યમંત્રી મોહન યાદવે નવા પ્રસ્તાવને પાછો ખેંચવાના આદેશ સાથે જૂના નિયમોને પણ ખતમ કરવા માટે કહ્યું મધ્ય પ્રદેશમાં સરકારી કર્મચારીઓ અને તેના માટે લાયક ઉમેદવારો માટે મોટા ગૂડ ન્યૂઝ છે. હવે તેમણે બે બાળકોના નિયમનું પાલન નહીં કરવું પડશે. મુખ્યમંત્રી મોહન યાદવે ગુરુવારે આ નવા પ્રસ્તાવને પાછો ખેંચવાના આદેશ સાથે જૂના નિયમોને પણ ખતમ કરવા માટે કહ્યું છે. મુખ્યમંત્રી યાદવે સૂચિત સિવિલ સર્વિસીસ રૂલ્સના ડ્રાફ્ટમાંથી એ નિયમ હટાવવાનો આદેશ આપ્યો છે, જે અંતર્ગત સરકારી નોકરીઓ માટે મહત્તમ બે બાળકોની મર્યાદા નક્કી કરવાની જાેગવાઈ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી મોહન…

Read More

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ ૨૧ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં બાંગ્લાદેશ સફળ ત્રણ બેટર્સની ફિફ્ટી અને મોસાદ્દેક હુસૈનની ધમાકેદાર વાપસી : ઓસ્ટ્રેલિયાનું બેટિંગ લાઇનઅપ ધ્વસ્ત બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે ઢાકાના મેદાન પર એક નવો ઇતિહાસ રચ્યો છે. ૯ જૂનના રોજ રમાયેલી વનડે મેચમાં બાંગ્લાદેશે મજબૂત ગણાતી ઓસ્ટ્રેલિયાની ટીમને ૮૬ રનથી હરાવી દીધી છે. બાંગ્લાદેશ માટે આ જીત ખૂબ જ ખાસ છે, કારણ કે તેમણે ૨૧ વર્ષના લાંબા ગાળા પછી ઓસ્ટ્રેલિયાને વનડે મેચમાં હરાવ્યું છે. આ પહેલા બાંગ્લાદેશે વર્ષ ૨૦૦૫માં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં પોતાની પહેલી જીત મેળવી હતી. આ મેચમાં વરસાદ પડવાને કારણે ડકવર્થ લુઈસ (DLS) નિયમ મુજબ બાંગ્લાદેશને વિજેતા જાહેર…

Read More

દરરોજ ૨૦ હજારથી વધુ ટેન્કરોની માગ ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે ઘટતા ભૂગર્ભ જળસ્તર અને ચોમાસાના વિલંબને કારણે હૈદરાબાદ તાજેતરના વર્ષોમાં સૌથી ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે વધતા તાપમાન, ઘટતા ભૂગર્ભ જળસ્તર અને ચોમાસાના વિલંબને કારણે હૈદરાબાદ તાજેતરના વર્ષોમાં સૌથી ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં અનિયમિત પાણી પુરવઠાને કારણે નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ખાનગી અને સરકારી ટેન્કરો પર ર્નિભર રહેવા મજબૂર બન્યા છે. શહેરમાં પાણીના ટેન્કરોની દૈનિક માંગ વધીને ૨૦,૦૦૦ સુધી પહોંચી ગઈ છે. સંકટની ગંભીરતાને કારણે ટેન્કરોની માગમાં મોટો વધારો નોંધાયો…

Read More

આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર આરોપ લગાવનાર આશુતોષ બ્રહ્મચારી હવે પોતાના જ નિવેદનથી ફરી ગયા જ્ર્યોતિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર બટુકો(આશ્રમના બાળકો)ના યૌન શોષણનો ગંભીર આરોપ લગાવનાર આશુતોષ બ્રહ્મચારી હવે પોતાના જ નિવેદનથી ફરી ગયા છે. તેમણે એક વીડિયો જાહેર કરીને સનાતન ધર્મગુરુ સામે કરેલો કેસ તદ્દન ખોટો હોવાની કબૂલાત કરી છે. આશુતોષ બ્રહ્મચારીનું કહેવું છે કે, ‘મેં શંકરાચાર્ય વિરુદ્ધ આ નકલી કેસ મારા જ ગુરુબંધુ રામચંદ્ર દાસના કહેવાથી અને તેમના ભારે દબાણમાં આવીને કર્યો હતો.‘ આ સમગ્ર ષડયંત્રમાં કેટલાક સરકારી અધિકારીઓ પણ સામેલ હોવાનો આરોપ…

Read More

કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધીનો ૬ કિ.મી.નો રૂટ અમદાવાદ મેટ્રોના ફેઝ-2A ને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી આ મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત ૬.૦૩૨ કિલોમીટર લાંબો નવો મેટ્રો કોરિડોર તૈયાર કરવામાં આવશે અને તેમાં ૫ નવા સ્ટેશનોનો સમાવેશ થશે અમદાવાદવાસીઓ અને સમગ્ર ગુજરાત માટે આજે એક ખુબ જ મહત્વના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતના હિતમાં અને વિકાસને વેગ આપતા ત્રણ મોટા ર્નિણયો લીધા છે. આ ર્નિણયોથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની કાયાપલટ થવા જઈ રહી છે. જેમાં સૌથી મહત્વનો ર્નિણય અમદાવાદ મેટ્રોના વિસ્તારને લઈને લેવામાં આવ્યો છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ મજબૂત…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતમાં કોઈ અદ્રશ્ય શક્તિના ઇશારે માત્ર “હાથો” બનીને નાસિર નગરના મકાનોના ડિમોલિશનની કામગીરી કરવા ગયેલા સુરત મહાનગરપાલિકા અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ના ઉચ્ચ અધિકારીઓ આ મામલે બરાબરના ભેરવાયા છે. અને આ ડિમોલેશનનો વિવાદ હવે ગાંધીનગર સુધી પહોંચતા જ રાજ્ય સરકારે મામલાની ગંભીરતા જોઈને અત્યંત ગુપ્ત રાહે આખી ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. તેમજ મેયર સહિતના પદાધિકારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. ઉપરાંત સુરત પોલીસના જ અધિકારીઓ આ શંકાના દાયરામાં હોવાથી સુરત પોલીસને આ સમગ્ર તપાસ પ્રક્રિયાથી સંપૂર્ણપણે બહાર રાખવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડની સત્ય હકીકત બહાર લાવવા માટે સુરત ગ્રામ્યના ઉચ્ચ પોલીસ અધિકારીને ખાસ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશભરમાં ઇંધણમાં વધી રહેલા ભાવોને લઈને ઘરેલુ LPG ના ભાવમાં વધારા બાદ, મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના (PMUY) હેઠળ પૂરા પાડવામાં આવતા સબસીડીવાળા સિલિન્ડરનો વાર્ષિક ક્વોટા નવથી ઘટાડીને ચાર કર્યો છે. સરકારે ગરીબ પરિવારો માટે સબસીડી વાળા રસોઈ ગેસ સિલિન્ડરનો વાર્ષિક ક્વોટા માત્ર ચાર કરતા ગરીબ પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવશે. રવિવારે 14.2 કિલોગ્રામ LPG સિલિન્ડરના રૂપિયા ૨૯ ના ભાવ વધારા બાદ આ નિર્ણય જાહેર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદના નિવેદનમાં આ ઘટાડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સરકારી નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ સૌથી વધુ હેરાન થશે. પરંપરાગત રસોઈ ચૂલાઓથી થતા પ્રદૂષણથી બચાવવા માટે મોદી સરકારે…

Read More

સુરત મહાનગરપાલિકાની યુનિયન ઓફિસોના રાત્રે ૧૨ વાગ્યે તાળાં સેન્ટ્રલ ઝોને ડેપ્યુ.કમિશ્નર નિધિ સિવાચના કહેવાથી તોડયા હતા. યુનિયનોનો પોલીસ ફરિયાદ અંગે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી, માત્ર ફરિયાદીઓના જવાબ લેવાયા પરંતુ મધ્યરાત્રિએ તાળાં તોડનારાના પોલીસ નિવેદન ક્યારે લેશે? (છગનલાલ મેવાડા ધ્વારા) સુરત  નાસિર નગરના મકાનોના ડિમોલિશન થતાં જ કાયદો શું છે અને જાગૃત મીડિયાએ કોર્પોરેશન અને પોલીસ અધિકારીઓને ભીંસમાં લીધા છે.યુનિયન ઓફિસના તાળાં કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર રાતોરાત તાળાં તોડયા ત્યારે કાયદો ક્યાં હતો? કાયદાની મર્યાદાની વાતો કરનાર અધિકારી કાયદાની બહાર જઈ કઈ રીતે વર્તી શકે? યુનિયન ઓફિસના તાળાં તોડવામાં પણ સેન્ટ્રલ ઝોન અધિકારીઓએ ડેપ્યુ. કમિશ્નર નિધિ સિવાચ ના હુકમથી…

Read More