Author: Garvi Gujarat

આઈમેક્સમાં ‘અવતાર’ પહેલા ધ ઓડિસી પ્રોલોગનો અનુભવ થશ.ક્રિસ્ટોફર નોલનની આગામી ફિલ્મ ‘ધ ઓડિસી’નું નવું પોસ્ટર રિલીઝ.છ મિનિટનો પ્રલોગ જાેયો અને અને કહી શકીએ છીએ કે આ નોલનની બેસ્ટ ફિલ્મ સાબિત થશે : સોશિયલ મીડિયા યુઝર.વર્ષ ૨૦૨૩માં ‘ઓપનહાઈમર’થી ખળભળાટ મચાવનાર ક્રિસ્ટોફર નોલન હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘ધ ઓડિસી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આગામી વર્ષે જુલાઈમાં રિલીઝ થશે. દર્શકો પણ ખૂબ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ પહેલા દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલને ઉત્સુકતા થોડી વધારી દીધી છે. ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરી દીધું છે. આ સાથે જ પ્રોલોગ થકી સંબંધિત પ્લાન પર રસપ્રદ માહિતી આપી છે. ફિલ્મનું નવું પોસ્ટર ‘ધ ઓડિસી’ના…

Read More

આરોપી બિલ્ડરના ૪ દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી.અમદાવાદીઓને ઘરના સપના બતાવીને છેતરપીંડી કરનારા ૩ બિલ્ડરની ધરપકડ.કેશવ નારાયણ સ્કાય હોમ્સ‘‘ના નામે 2BHK, 3BHK ફ્લેટ્સ તેમજ દુકાનોની આકર્ષક સ્કીમ ચલાવીને ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા વસૂલ્યા હતા.અમદાવાદ શહેરમાં ફ્લેટ અને દુકાનોના નામે કરોડોની ઠગાઈ આચરનારા બિલ્ડરો સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઘાટલોડિયા તાલુકાના છારોડી ગામે આવેલી જમીન પર NA અને RERA ની મંજૂરી વગર પ્રોજેક્ટ શરૂ કરીને ગ્રાહકોને છેતરનાર ત્રણ બિલ્ડરોની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)એ ધરપકડ કરી છે. આ કૌભાંડમાં પ્રોજેક્ટના માલિક તરીકે રોનક સોનાણી, વિપુલ ગાંગાણી અને યોગેશ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. આ બિલ્ડરોએ ‘‘કેશવ નારાયણ સ્કાય હોમ્સ‘‘ના નામે…

Read More

BMCની ચૂંટણી માટે તૈયાર કર્યો સીટ શેયરિંગનો પ્લાનમહાયુતિનું ટેન્શન વધારવા માટે ઠાકરે બંધુ એક થયા.બંને નેતાઓએ સીટ શેયરિંગ ફોર્મ્યૂલા લગભગ ફાઈનલ કરી : બંને નેતા એકબીજાના ઉમેદવારોનો પ્રચાર પણ કરશે.મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જ મહત્ત્વની ‘બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી’ લઈને શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS))ના પ્રમુખ રાજ ઠાકરેએ ગઠબંધન કર્યું છે. ઠાકરે બંધુઓએ એક દાયકા જૂના રાજકીય મતભેદો ભૂલી એક થયા છે અને બંને નેતાઓએ ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને હરાવવાનો પ્લાન ઘડી કાઢ્યો છે. રિપોર્ટ મુજબ, બંને નેતાઓએ સીટ શેયરિંગ ફોર્મ્યૂલા લગભગ ફાઈનલ કરી નાખી છે. ચર્ચા મુજબ બંને નેતાઓ એકબીજાના ઉમેદવારોનો પ્રચાર પણ કરશે. સૂત્રોના…

Read More

વડાપ્રધાન મોદી ખડખડાટ હસતા જાેવા મળ્યા.વડાપ્રધાન મોદી અને પ્રિયંકા ગાંધી વચ્ચે થઇ મુલાકાત.સંસદનું શિયાળુ સત્ર શુક્રવારે પૂર્ણ થયું : સત્રના અંતિમ દિવસે, મોદી અને પ્રિયંકાએ વાયનાડ પર ચર્ચા કરી.સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. શુક્રવારે શિયાળુ સત્રના અંતિમ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી અન્ય સાંસદો સાથે સંસદ ભવનમાં મળ્યા હતા. શિયાળુ સત્રના સમાપન પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પાર્ટીના નેતાઓ અને લોકસભાના સાંસદો સાથે તેમના ચેમ્બરમાં બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બધા નેતાઓ પહોંચ્યા હતા. ચર્ચા દરમિયાન, સભ્યોએ વડા પ્રધાનને નવા સંસદ ભવનમાં સમર્પિત હોલ માટેની તેમની માંગ પર વિચાર કરવા…

Read More

ખાસ ડ્રાઈવ કરી ૮,૪૩૧ને આપ્યો આશરો!.ઘરવિહોણા લોકોની મદદ કરવા AMCએ ઉપાડ્યું બીડું.અમદાવાદમાં ઘરવિહોણા લોકો માટે ૩૫ આશ્રયગૃહો ૨૪ કલાક કાર્યરત : શિયાળાની ઋતુમાં ખાસ ડ્રાઇવઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી. વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં જુદા જુદા ઝોન અને વોર્ડ વિસ્તારમાં કુલ ૩૫ આશ્રયગૃહો ૨૪ કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે. આ તમામ આશ્રયગૃહોમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ઘરવિહોણા લોકોને નિ:શુલ્ક આશ્રય આપવામાં આવી રહ્યો છે. અ ાશ્રયગૃહોની કુલ ક્ષમતા ૪,૩૧૫ જેટલી છે, જેમાં સરેરાશ ૮૦ ટકા ઓક્યુપન્સી જળવાઈ રહી છે. ખુલ્લા આકાશ નીચે, ફુટપાથ ઉપર અથવા જાહેર જગ્યાઓ પર જાેખમી રીતે રહેતા ઘરવિહોણા લોકોને માનવિય અભિગમ સાથે સુરક્ષિત આશ્રય પૂરો પાડવામાં આવી રહ્યો…

Read More

૩૦ ધારાસભ્યો ડિનર માટે ભેગા થતાં અટકળો તેજ.કોંગ્રેસમાં ફરી મુખ્યમંત્રીની ખુરશી માટે ખેંચતાણ જારી!.એન.રાજન્નાએ પુષ્ટિ કરી છે કે, બેઠકમાં પાર્ટીની રણનીતિ અને નેતૃત્વ મામલે ચર્ચા કરવામાં આવી હતી.કર્ણાટકમાં સત્તાધારી પાર્ટી કોંગ્રેસમાં મુખ્યમંત્રી બદલવાની અટકળો ફરી શરૂ થઈ છે. રિપોર્ટ મુજબ બેલગાવીમાં વરિષ્ઠ લોક નિર્માણ મંત્રી સતીશ જારકીહોલી દ્વારા બુધવારે (૧૮ ડિસેમ્બર) રાત્રે રાત્રિ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું સમર્થન કરનારા ધારાસભ્યો સામેલ થયા હતા. આ સમારોહમાં મુખ્યમંત્રીના પુત્ર અને વિધાન પરિષદ સભ્ય યતીન્દ્ર સિદ્ધારમૈયા તથા ધારાસભ્ય એન.રાજન્ના સહિત ૩૦થી વધુ ધારાસભ્યો સામેલ થયા હતા. જ્યારે સીએમનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હોવાના કારણે તેઓ આવી શક્યા ન હતા. રિપોર્ટ…

Read More

બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી.અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા.આ દરોડા તેમના બેસ્ટિયન રેસ્ટોરન્ટ અને કથિત કર ગેરરીતિઓ સંબંધિત નાણાકીય વ્યવહારોની તપાસનો એક ભાગ છે.મુંબઈમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ઘર પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડા તેમના બેસ્ટિયન રેસ્ટોરન્ટ અને કથિત કર ગેરરીતિઓ સંબંધિત નાણાકીય વ્યવહારોની તપાસનો એક ભાગ છે. આવકવેરા વિભાગ શિલ્પા શેટ્ટીના ઘર અને તેની સાથે સંકળાયેલા અન્ય સ્થળોએ દસ્તાવેજાેની તપાસ કરી રહ્યું છે. આ કેસમાં મુંબઈ તેમજ બેંગલુરુમાં દરોડા પાડવામાં આવ્યા છે, જ્યાં રેસ્ટોરાં અને સંકળાયેલી કંપનીઓના નાણાકીય રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગને હોટલ વ્યવસાયમાં રોકાણ, આવક…

Read More

IPL ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર.RCB-RR પછી શાહરૂખની KKR વેચાવા માટે તૈયારશાહરૂખ ખાન, જુહી ચાવલા અને જય મહેતાએ કોલકાતા નાઈટ રાઈડર્સને આશરે રૂ.૨૯૮ કરોડમાં ખરીદી હતી.ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝન માટે મીની ઓક્શન ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે યોજાયું હતું. હરાજીના ત્રણ દિવસ પછી, ભૂતપૂર્વ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. એક અહેવાલ મુજબ, ત્રણ વખતની IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) માં હિસ્સો વેચાઈ રહ્યો છે.IPL ૨૦૨૬ ની શરૂઆત પહેલાં વેચાયેલી આ ત્રીજી ફ્રેન્ચાઇઝ છે. પ્રથમ વર્તમાન IPL ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વેચાઈ રહ્યાના સમાચાર આવ્યા. પછી લીગની…

Read More

માઉન્ટ આબુમાં કાશ્મીર જેવો નજારો.માઉન્ટ આબુમાં માઈનસમાં તાપમાન થતાં બરફની ચાદર છવાઈ.નખી લેક, દેલવાડા, અચલગઢ, સનસેટ પોઈન્ટ વગેરે સ્થળો પર પર્યટકો ઠંડીનો આનંદ લઈ રહ્યા છે.રાજસ્થાનના એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શીતલહેરની અસર શરૂ થવા લાગી છે. છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાન ઠરી ગયું છે. ગુરુવારે પહેલી વાર અહીં પારો -૨ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો. શુક્રવારે તેમાં હળવો ઘટાડો જાેવા મળ્યો હતો. માઉન્ટ આબુમાં આખો દિવસ વાદળો છવાયેલા રહ્યા હતા. તેમાં દિવસમાં તડકો ઓછો રહેતા ઠંડી પર તેની વધારે અસર જાેવા મળી રહી છે. હવામાન વિભાગ અને પશ્ચિમી વિક્ષોભની અસર રાજસ્થાનના કેટલાય જિલ્લામાં થવાથી અહીં વધારે ઠંડીની અસર…

Read More

કેન્દ્ર સરકારે જમ્મુમાં તેમનું કેડર ડેપ્યુટેશનને લંબાવ્યું.ગુજરાતની પ્રથમ મુસ્લિમ મહિલા IPS અધિકારી સારા રિઝવીગુજરાતની પ્રથમ મુસ્લિમ મહિલા IPS અધિકારી, સારા રિઝવી, બે વર્ષ માટે આંતર-રાજ્ય કેડર ડેપ્યુટેશન પર રહેશેગુજરાતની પ્રથમ મુસ્લિમ મહિલાI PS અધિકારી, સારા રિઝવી, બે વર્ષ માટે આંતર-રાજ્ય કેડર ડેપ્યુટેશન પર રહેશે. કેન્દ્ર સરકારે તેમના કેડર ડેપ્યુટેશનને બે વર્ષ માટે લંબાવ્યું છે. રિઝવી હાલમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ હેડક્વાર્ટરમાં ખૂબ જ મહત્વપૂર્ણ પદ ધરાવે છે. કેન્દ્ર સરકારે ગુજરાત કેડરના IPS અધિકારી સારા રિઝવીના આંતર-રાજ્ય ડેપ્યુટેશનને બે વર્ષ માટે લંબાવ્યું છે. સારા રિઝવી ૨૦૦૮ બેચના IPS અધિકારી છે, તેમનું કેડર ગુજરાત છે. તેઓ હાલમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ હેડક્વાર્ટરમાં…

Read More