- કરસન ઘાવરીની સલાહ: જસપ્રિત બુમરાહને સંપૂર્ણ ફિટનેસ માટે 1 વર્ષનો આરામ આપવો જોઈએ
- અયોધ્યા રામ મંદિરમાં VIP પાસ સિસ્ટમ બંધ, હવે સામાન્ય કતારમાંથી જ રામ દરબારના દર્શન
- થાઈલેન્ડમાં LIVE ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડતા ખેલાડીનું મોત, 12 ખેલાડીઓ ઈજાગ્રસ્ત
- આસારામને સુપ્રીમ કોર્ટનો ઝટકો, ખરાબ સ્વાસ્થ્યના આધારે વચગાળાના જામીન આપવાનો ઇનકાર
- વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે ખડગેનો પ્રહાર, ગૃહમંત્રી જવાબ આપે અને પીએમ મોદી માફી માંગે
- કેબિનેટનો મોટો નિર્ણય: ₹23,731 કરોડની ગોવર્ધન યોજના મંજૂર, ગામડે-ગામડે બનશે બાયોગેસ
- અમદાવાદમાં લેબ્રાડોર ડોગ સૌથી લોકપ્રિય, 19,746 પેટ ડોગ અને 189 પેટ કેટનું રજિસ્ટ્રેશન
- AIની અસર વચ્ચે Visaએ 2,600 કર્મચારીઓની છટણી કરી, ભારતના કર્મચારીઓ પણ પ્રભાવિત
Author: garvigujrat
વસ્ત્રાલમાં ચૂંટણીનો ગરમાવો નહીં પણ રોષ “કામ નહીં તો વોટ” નહીં ના બેનરો સાથે રહીશો મેદાને પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના ભેદભાવથી લોકો લાલઘૂમ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ વોર્ડમાં ચૂંટણીના માહોલ વચ્ચે રહીશોએ રાજકીય પક્ષો સામે મોરચો માંડ્યો છે. ન્યૂ વસ્ત્રાલની વેદાંત સ્કાય લાઇન સહિત આસપાસની ૬ સોસાયટીના રહીશોએ સોસાયટીની બહાર ‘ચૂંટણી બહિષ્કાર’ ના બેનરો લગાવી દીધા છે. આ બેનરોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “કોઈ પણ રાજકીય પક્ષે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં.” સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ૬ વર્ષથી તેઓ રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની જરૂરિયાતો માટે વલખાં મારી રહ્યા છે. વરસાદ સમયે રસ્તા પર ગોઠણસમા પાણી…
એપ્રિલમાં ફરી એકવાર માવઠાનું સંક સૌરાષ્ટ્ર સહિત વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આ રાઉન્ડમાં વરસાદની શક્યતા નહિવત છે ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગે ૧૯ એપ્રિલથી વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે. હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે.મોટા ભાગના વિસ્તારમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચ્યું છે. જાે કે આ આકરા ઉનાળા વચ્ચે ફરી એકવાર માવઠાના રાઉન્ડ શરૂ થશે, ૧૯ એપ્રિલથી ૨૧ એપ્રિલ સુધીમાં કમોસમી વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની મોડલ મુજબ ફરી એકવાર ગુજરાતમાં વરસાદ લાવતી સિસ્ટમ એક્ટિવ થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમમી વરસાદ વરસી શકે છે. આ વરસાદ ભારે…
સાઉદી અને કતાર આપશે ૫ અરબ ડોલર UAE નું દેવું ચૂકવવા માટે પાકિસ્તાને ફરી ફેલાવ્યો હાથ પાકે હાથ લંબાવ્યા બાદ સાઉદી અરેબિયા, કતાર મદદે આવ્યા આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને સંયુક્ત આરબ અમીરાત (UAE)ને દેવું ચુકવવાનો સમય નજીક આવી ગયો છે, ત્યારે પાકિસ્તાને હાથ લંબાવ્યા બાદ સાઉદી અરેબિયા અને કતાર તેની મદદે આવ્યા છે. બંને દેશો પાકિસ્તાનને લગભગ પાંચ અબજ ડૉલર (રૂ.૪૨,૦૦૦ કરોડ રૂપિયા)ની આર્થિક મદદ કરવાના છે. મીડિયા અહેવાલો મુજબ પાકિસ્તાને આ મહિનાના અંત સુધીમાં UAE ને ૩.૫ અબજ ડૉલર (લગભગ રૂ.૨૯,૪૦૦ કરોડ રૂપિયા)નું દેવું ચુકવાનું છે. પાકિસ્તાનમાં ઘટી રહેલા વિદેશી મુદ્રા ભંડારના કારણે આ દેવું તેના પડકાર…
વર્લ્ડ બેંકના ચીફની ગંભીર ચેતવણી સીઝફાયર તૂટ્યું તો વિનાશક પરિણામ ભોગવવા પડશે વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાએ કહ્યું, જાે સીઝફાયર થાય તો પણ અનેક દેશોને તેની લાંબા ગાળે અસર થઈ શકે ઈરાન યુદ્ધના આર્થિક ઝટકા લગભગ દરેક દેશને નડી રહ્યાં છે. વિશ્વ બેંકના ચીફ અજય બંગાની ચેતવણીથી સમજી શકાય કે, બંદૂકોના શાંત થયા બાદ પણ લાંબાગાળાનું નુકસાન થઈ રહ્યું છે. આ યુદ્ધ સંઘર્ષની વૈશ્વિક અસરનાં આકલન કરતા વિશ્વ બેંકના પ્રમુખે કહ્યું કે, જાે તાત્કાલિક અને સ્થાયી યુદ્ધવિરામ પણ થઈ જાય, તો પણ અલગ અલગ અર્થવ્યવસ્થાઓમાં આવનારી અને સતત મંદીને રોકી શકાતું નથી. વર્લ્ડ બેંકના ચીફના જણાવ્યા અનુસાર, જાે સીઝફાયર કાયમ…
EV વાહનો માટે સરકારની મોટી જાહેરાત દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી-બાઈકના વેચાણ પર પ્રતિબંધ પ્રદૂષણમાં વાહનોના ૨૩ ટકા ફાળાને ધ્યાનમાં રાખીને, સરકાર EV ખરીદનારાઓને સીધું નાણાકીય પ્રોત્સાહન આપશે દિલ્હી સરકારે તેની ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) નીતિ ૨૦૨૬-૩૦નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે, જેનો મુખ્ય હેતુ પ્રદૂષણ ઘટાડવાનો અને ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે. આ નીતિ હેઠળ, ૧ જાન્યુઆરી ૨૦૨૭થી માત્ર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને ૧ એપ્રિલ ૨૦૨૮થી માત્ર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું જ નવું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. એટલે કે પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલરનું દિલ્હીમાં વેચાણ થઈ શકે નહીં. પ્રદૂષણમાં વાહનોના ૨૩ ટકા ફાળાને ધ્યાનમાં રાખીને, સરકાર ઈફ ખરીદનારાઓને સીધું નાણાકીય પ્રોત્સાહન આપશે. જેમાં ટુ-વ્હીલર પર રૂપિયા ૩૦,૦૦૦ અને…
મહિલા અનામત મુદ્દે ભાજપ VS કોંગ્રેસ પીએમ મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ? વડાપ્રધાને પોતાના પત્રમાં આગામી સપ્તાહે મહિલા અનામત બિલોને સર્વસંમતિથી પસાર કરાવવા માટે તેમનો ટેકો માંગ્યો છે મહિલા અનામત બિલ પર કેન્દ્ર સરકાર અત્યંત સક્રિય થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે સતત વિપક્ષી દળો પાસેથી સમર્થનની માંગ કરી રહ્યા છે. શનિવારે બંને ગૃહોમાં તમામ પક્ષોના ફ્લોર લીડર્સ(રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરનારા)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, PM મોદીએ રાજકીય પક્ષોને પત્ર લખીને આ બિલ પર સમર્થન માંગ્યું છે. વડાપ્રધાને પોતાના પત્રમાં આગામી સપ્તાહે મહિલા અનામત બિલોને સર્વસંમતિથી પસાર કરાવવા માટે તેમનો ટેકો માંગ્યો…
ઇરાને કહ્યું કે તે તેના લોકોના હિત માટે પ્રતિબદ્ધ છે ફાલતૂ માંગ કરી રહ્યું હતું અમેરિકા : ઈરાન ફેલ વાતચીત અંગે ઇરાને કહ્યું છે કે અમેરિકા એવી બિનજરૂરી માંગણીઓ કરી રહ્યું હતું જે સ્વીકારવી અશક્ય હતી પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત ૨૧ કલાક પછી અનિર્ણિત રીતે સમાપ્ત થઈ ગઈ છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે કહ્યું કે વાતચીત વિશે સારા અને ખરાબ બંને સમાચાર છે. તેમણે કહ્યું કે, સારા સમાચાર એ છે કે બંને દેશોએ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. ખરાબ સમાચાર એ છે કે તેઓ કોઈપણ કરાર વિના પાકિસ્તાન છોડી રહ્યા છે. તેમણે કહ્યું કે…
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સનું નિવેદન ઈરાને અમારી શરતો માની નથી, વાતચીત નિષ્ફળ રહી જે.ડી. વાન્સની આ સ્પષ્ટતા બાદ વિશ્વમાં ફરીથી શાંતિ સ્થાપિત કરવાની આશા નિરાશામાં ફેરવાઈ છે ઈરાન સાથેના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ખલબલી મચી ગઈ છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ઉર્જા સંકટ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસો વધુ તીવ્ર બન્યા છે. આ સંદર્ભમાં, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાનના પ્રતિનિધિઓ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પહોંચ્યા છે. અહેવાલો સૂચવે છે કે વાટાઘાટોના પ્રથમ રાઉન્ડમાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી, કારણ કે યુએસ અને ઈરાન બંને પોતપોતાની માંગણીઓ પર અડગ રહ્યા છે. શાંતિ મંત્રણાની…
માત્ર સિંગિંગ જ નહીં…બિઝનેસમાંથી પણ મોટી કમાણી આશા ભોંસલે પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા……. તેમની કુલ સંપત્તિ રૂ.૮૦ કરોડથી રૂ.૧૦૦ કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે : પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી આશા ભોંસલેનું નિધન થયું છે, તેમણે રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. બોલીવુડમાં ‘ક્વીન ઓફ મેલોડી‘ તરીકે જાણીતા આશા તાઈનું ૯૨ વર્ષની વયે નિધન થયું. તેમને કાર્ડિયાક અરેસ્ટને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું. આશા ભોંસલેની ગણતરી દેશની સૌથી વધુ કમાણી કરતી મહિલા ગાયિકાઓમાં થતી હતી. વધુમાં તેમણે માત્ર સિંગિંગ દ્વારા જ નહીં પરંતુ તેમના રેસ્ટોરન્ટ બિઝનેસ દ્વારા પણ મોટી કમાણી…
સિંગર આશા ભોંસલેના નિધનથી સંગીત જગતમાં શોકનું મોજું સૂરોની મલ્લિકા અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું ૯૨ વર્ષની વયે નિધન મલ્ટી-ઓર્ગન ફેલ્યોરના કારણે આશાજીનું નિધન થયું : આશા ભોંસલેના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે ૪ વાગ્યે શિવાજી પાર્કમાં કરવામાં આવશે હિન્દી સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. સૂરોની મલ્લિકા અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આશા ભોસલેએ અંતિમ શ્વાસ લીધા હતા. ગાયિકાના નિધનના સમાચાર સામે આવતા જ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સેલેબ્સ અને ચાહકોની આંખો નમ છે. પ્રખ્યાત પાર્શ્વ ગાયિકા આશા ભોસલેના પુત્ર આનંદ ભોસલેએ જણાવ્યું છે…




