Author: Garvi Gujarat

વૈશ્વિક સિનેમામાં ગ્લેમરથી વિદ્રોહ સુધીનાં બાર્ડો યુગનો અંત.ફ્રેન્ચ અભિનેત્રી અને એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ બ્રિજિટ બાર્ડોનું ૯૧ વર્ષે નિધન.૬૦ના દાયકામાં સેક્સ સિમ્બલ બાર્ડોએ કારકિર્દીમાં ટોચ પર પહોંચી પ્રાણીઓ માટે ફિલ્મો છોડી દીધી.ફ્રાન્સની દિગ્ગજ અભિનેત્રી, ૧૯૬૦ના દાયકાનાં સેક્સ સિમ્બોલ અને પાછળથી એનિમલ રાઈટ્સ કાર્યકર બની ગયેલાં બ્રિજિટ બાર્ડાેનું ૯૧ વર્ષની વયે નિધન થયું હતું. તેઓ દક્ષિણ ફ્રાન્સમાં સ્થિત તેમના ઘરમાં મૃત મળી આવ્યા હતા. આ સાથે યુરોપના સિનેમામાં ગ્લેમરથી વિદ્રોહ સુધીના બાર્ડાે યુગનો અંત આવ્યો છે.બ્રિજિટ બાર્ડાેને વર્ષ ૧૯૫૬માં ફિલ્મ ‘એન્ડ ગોડ ક્રિએટેડ વુમન’થી વૈશ્વિક ખ્યાતી મળી હતી.૧૯૫૦થી ૬૦ના દાયકામાં બ્રિજિટનું નામ ગ્લેમર અને બોલ્ડનેસનો પર્યાય બની ગયું હતું. તેમણે પરંપરાગત છબીઓને…

Read More

જાણીતા પ્રોડ્યુસરનો સનસનાટીભર્યો દાવો.અમિતાભ બચ્ચને એવોર્ડ ન ખરીદયો એટલે અનિલ કપૂરને મળ્યો.અનિલ કપૂરની ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ ૧૯૮૭માં આવી હતી, જે સુપરહિટ રહી હતી. જાેકે, તેને આ ફિલ્મ માટે કોઈ એવોર્ડ નહોતો મળ્યો.બોલિવૂડમાં છેલ્લા ઘણા વર્ષાેથી એવોર્ડ સેરેમનીની પરંપરા ચાલતી આવી છે. એવું માનવામાં આવે છે કે, જે પણ એક્ટરને ‘બેસ્ટ એક્ટર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે તેની ઈન્ડસ્ટ્રીમાં વેલ્યૂ ખૂબ વધી જાય છે. આના ચક્કરમાં ઘણા લોકો એવોર્ડ ખરીદવા પણ લાગ્યા છે. આ વાતનો ખુલાસો ઘણા એક્ટર અને સ્ટાર્સ કરી ચૂક્યા છે.હવે તાજેતરમાં જ બોલિવૂડના જાણીતા પ્રોડ્યૂસર અને મુંબઈના ફેમસ થિયેટર ગેટી ગેલેક્સીના માલિક મનોજ દેસાઈએ ઈન્ડસ્ટ્રી સાથે સબંધિત કેટલાક…

Read More

૧૦ ઉપપ્રમુખ, ૪ મહામંત્રી અને ૧૦ મંત્રી જાહેર.ગુજરાત પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત.ગુજરાત પ્રદેશ સંગઠનમાં ફેરફાર કરતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ નવી ટીમની જાહેરાત.ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં લાંબા સમયથી જેની રાહ જાેવાતી હતી તેવા નવા માળખાની સત્તાવાર જાહેરાત આજે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી છે. ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જાહેર કરાયેલી આ નવી ટીમમાં જ્ઞાતિગત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંતુલિત અભિગમ અપનાવવામાં આવ્યો છે. જગદીશ વિશ્વકર્માની આ નવી ટીમમાં ૧૦ ઉપપ્રમુખ, ૪ મહામંત્રી અને ૧૦ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંગઠનને વેગ આપવા માટે મહામંત્રી તરીકે અનુભવી ચહેરાઓને સ્થાન મળ્યું છે. જેમાં કચ્છ જિલ્લાના…

Read More

કાતિલ ઠંડીમાં પ્રવાસીઓની ભારે ભીડ.માઉન્ટ આબુની હોટલોમાં ભાડુ સાતમા આસમાનેહવે ૩૧ ડિસેમ્બર પણ નજીક છે, જેને લઈને મોટા પ્રમાણમાં પ્રવાસીઓ માઉન્ટ આબુ ફરવા માટે ગયા છે.માઉન્ટ આબુમાં એકબાજુ કાતિલ ઠંડી પડી રહી છે અને બીજી તરફ મોટી સંખ્યામાં ગુજરાતીઓ ફરવા માટે જઈ રહ્યા છે. જેમાં આ ભીડ નાતાલ અને ૩૧ ડિસેમ્બરની ઉજવણીને લઈને અહીંયા જાેવા મળી રહી છે. ડિસેમ્બરના અંતિમ દિવસોમાં માઉન્ટ આબુનો નજારો કંઈક અલગ જ જાેવા મળી રહ્યો છે. ગુજરાતીઓ માટે પ્રવાસના આકર્ષણનું કેન્દ્ર માઉન્ટ આબુમાં હાલ હાડ થિજવતી ઠંડી પડી રહી છે. જેને લઈને લોકો વધારે ત્યાં ફરવા માટે જઈ રહ્યા છે. ઘણા બધા લોકો એવા છે…

Read More

ગુજરાત-મહારાષ્ટ્ર પાછળ છોડી આસામ આગળ.આસામ સૌથી ઝડપથી વિકસતા રાજ્યોની યાદીમાં ટોપ ઉપર.તમિલનાડુએ ૩૯%નો ગ્રોથ નોંધાવ્યો : GSDP ૧૨.૪ લાખ કરોડ રૂપિયાથી વધીને ૧૭.૩ લાખ કરોડ થયો છે.ભારતની આર્થિક પ્રગતિ હવે માત્ર કેટલાક રાજ્યો સુધી જ સીમિત રહી નથી. છેલ્લા ૫ વર્ષોમાં અનેક રાજ્યોનો જબરદસ્ત ગ્રોથ જાેવા મળ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૪-૨૫ વચ્ચે ઘણા રાજ્યોના અર્થતંત્રમાં ભારે ગ્રોથ નોંધાઈ છે. નોંધનીય છે કે, આ રાજ્યોનું પ્રદર્શન દેશના કુલ આર્થિક વિકાસ સાથે સુસંગત છે. આ સમયગાળા દરમિયાન ભારતનો રિયલ GDP ૨૯ ટકા વધીને ૧૪૫.૩૫ લાખ કરોડ રૂપિયા (FY20) થી ૧૮૭.૯૭ લાખ કરોડ રૂપિયા (FY25)…

Read More

અડાલજ ટોલનાકા પર ગૌસેવકોની સતર્કતા.ગૌસેવકોની સતર્કતાથી કતલખાને લઈ જવાતા ૧૬ પશુઓ બચાવાયા.પશુઓને વાહનમાં અમાનવીય રીતે ભરવામાં આવ્યા.ગાંધીનગર જિલ્લાના અડાલજ ટોલનાકા પાસે અમદાવાદ-મહેસાણા હાઈવે પર ગૌસેવકોની સતર્કતાના કારણે મોટી કાર્યવાહી સામે આવી છે. ટોલનાકા પરથી પસાર થતા એક શંકાસ્પદ વાહનને રોકી ગૌસેવકો અને ટોલ ટેક્સના કર્મચારીઓએ તપાસ કરતા તેમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી થતી હોવાનો ખુલાસો થયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નંદાસણ વિસ્તારમાંથી કુલ ૧૬ પશુઓને અમદાવાદ સ્થિત કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. પશુઓને વાહનમાં અમાનવીય રીતે ભરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે. ગૌસેવકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે વાહન જપ્ત કરી…

Read More

દેશમાં મોટા ભૂકંપની સંભાવના : એક્સપર્ટ.૩૦ કલાકમાં ૨૪ વાર ધ્રુજી ગુજરાતના કચ્છની ધરતી !.એક્સપર્ટ કહે છે કે આ એક ચેતવણી છે અને ભૂકંપ મોક ડ્રીલ અને સલામતીના પગલાંઓ લેવા હવે જરૂરી છે.શુક્રવારે સવારે ગુજરાતના કચ્છમાં આવેલા ૪.૬ની તીવ્રતાના ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી, પરંતુ તેણે ૨૪ વર્ષ પહેલાંના વિનાશના ઘા ફરીથી ખોલ્યા છે જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. આ તાજેતરના ભૂકંપ પછી લગભગ બે ડઝન હળવા આંચકા અને ભૂગર્ભ હલનચલનથી પણ વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચાયું છે. ભૂગર્ભશાસ્ત્રીઓએ આ પ્રદેશમાં ત્રણ ફોલ્ટ લાઇનો શોધી કાઢી છે જે હવે સક્રિય થઈ ગઈ છે, જેનાથી પહેલાથી જ ભૂકંપગ્રસ્ત કચ્છ પ્રદેશ વિશે ચિંતા વધી…

Read More

જૂના વીજ પ્લાન્ટ ફરી ચાલુ કરવા પડશે.એઆઇ ૯૪૫ ટેરાવોટઅવર વીજળી વાપરશે, વર્ષે ૧૫ ટકા વપરાશ વધશ.એઆઇએ ઉર્જા વાપરવામાં પણ સ્માર્ટ બનવું પડશે, ઘણાં દેશમાં એઆઇ ઉર્જા નીતિનો હિસ્સો ગણાવા માંડયો.દુનિયાભરમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ-એઆઇ એજન્ટ્સ-દ્વારા કામ કરાવવાનો મોહ વધતો જાય છે તેની પાછળ વીજળી પણ મોટાં પ્રમાણમાં વપરાય છે. જેને કારણે સંજાેગો એવા સર્જાયા છે કે વીજળીની ખપતના મામલે એઆઇની ગણતરી હવે એક દેશની જેમ કરવામાં આવે છે. હકીકત તો એ છે કે ઘણંાં દેશના વીજવપરાશ કરતાં એઆઇનો વીજ વપરાશ અનેકગણો વધી ચૂક્યો છે અને યુરોપ અને યુએસમાં તો એઆઇ દ્વારા વીજ પુરવઠાની માંગને પહોંચી વળવા માટે વીજ કંપનીઓને જુના વીજ પ્લાન્ટ…

Read More

નીતા અંબાણીએ સ્વર્ગસ્થ પિતાને આપી શ્રદ્ધાંજલિ.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ જીવનનું લોકાર્પણ કરવામાં આવ્યું.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની નવી વિંગ જીવનના ઉદ્ઘાટનમાં ભાવુક થયા નીતા અંબાણીરિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં એક નવી વિંગનું ઉદ્ઘાટન કર્યું. જેનું નામ JEEVAN ( જીવન ) રાખવામાં આવ્યું છે. જીવનના લોકાર્પણના અવસરે પૂજા પણ કરવામાં આવી. ત્યારે નીતા અંબાણીએ તેમના પિતા રવીન્દ્રભાઈ દલાલને શ્રદ્ધાંજલિ આપી. જીવનના લોકાર્પણમાં નીતા અંબાણીની સાથે મુકેશ અંબાણી તથા અંબાણી પરિવારના અન્ય સભ્યો પણ પૂજામાં સામેલ થયા હતા. નોંધનીય છે કે આજે જ ફાઉન્ડર ચેરમેન શ્રી ધીરુભાઈ અંબાણીની પણ જન્મતિથિ છે. એવામાં આજથી જ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલ જીવનના દ્વાર અનેક દર્દીઓ માટે…

Read More

નીતિન ગડકરીની ઓટો કંપનીઓને કડક સૂચના.ડીઝલ અને પેટ્રોલ બંધ કરો નહીંતર યૂરો ૬ના ઇમિશન નોર્મ્સ લગાવીશ.૧૦૦ ટકા ઇથેનોલ અને CNG ચાલનારા ફ્લેક્સ એન્જિન ટ્રેક્ટર હવે તૈયાર થઈ ચૂક્યા છે : નિતિન ગડકરી.મહારાષ્ટ્રના નાગપુરમાં કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પોને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું કે, તેઓ ટ્રાન્સપોર્ટ મંત્રી છે અને તેમણે પેટ્રોલ-ડીઝલ પર ર્નિભરતા ઓછી કરવા માટે આકરું વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે, હું ટ્રાન્સપોર્ટ મંત્રી છું. મેં દંડા લગાવ્યા છે. ડીઝલ અને પેટ્રોલ બંધ કરો નહીંતર યૂરો ૬ના ઇમિશન નોર્મ્સ લગાવીશ. હવે ટ્રેક્ટર કંપનીઓએ ફ્લેક્સ એન્જિન ટેકનિક…

Read More