- Tours gratuits sur Lucky8 – Ce qu’il faut savoir pour les joueurs français
- Retirer ses gains sur Lucky8 : guide complet, méthodes et délais 2024
- Lucky8 : guide des étapes d’inscription aux jeux de casino en ligne
- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
Author: garvigujrat
એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.829, ચાંદીના વાયદામાં રૂ.3775 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.54ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.38834.31 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.190092.44 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.28170.21 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38500 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.228926.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.38834.31 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.190092.44 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 38500 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3037.34 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.28170.21 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.158076ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.159540 અને…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણે રૂપાળા સુત્રો દ્વારા મહિલાઓની સુરક્ષાઓની અખબારોની જાહેરાતોમાં માત્ર વાતો જ કરીએ ત્યારે દેશની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર બતાવી રહી છે. હાલની જો વાસ્તવિક પરિસ્થિતિ જોવા જઈએ તો રોજે રોજ મહિલાઓ ઉપર બળાત્કારો, છેડતી, મહિલાઓને સળગાવી દેવી, માર મારવો અને એમના વિશે ભદ્દા મેસેજ મુકવા વિગેરે વિગેરે સામાન્ય બની રહ્યા છે. ત્યારે એટલું જ નહીં પરંતુ આવી ગંભીર ઘટના પછી પણ પોલીસ જ્યારે મહિલાઓના કેસમાં ઉદાસીન અને નિષ્ક્રિય રહેતી હોય ત્યારે મહિલાઓને મરવા મજબુર થવું પડતું હોય છે. અહીં વાત છે રાજસ્થાનના જોધપુરના એક ગામમાં ૮ નરાધમોના કથિત ગેંગરેપનો ભોગ બનેલી એક મહિલાએ ગેંગરેપને કારણે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં આજે એવો સમય ચાલી રહ્યો છે કે “ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર” નું સૂત્ર હવે ભ્રષ્ટાચારીઓના કોઠે પડી ગયું છે. અને એને લઈ સામેના નું જે થવાનું હોય એ થાય મારૂ તરભાણું ભરાવું જોઈએ એવી મેલી મથરાવટીને કારણે શિક્ષણ જગતમાં ઉધઈની માફક ફેલાઈ રહેલા શિક્ષણ માફિયાઓ હવે આખે આખા પરીક્ષાના પેપરો જ હાઈજેક કરી લેતા દેશના લાખો યુવાનોની જિંદગીને જ બરબાદ કરી રહ્યા છે એમ કહેવું અતિશયોક્તિ ભરેલું તો નહીં જ કહેવાય. કારણ NEET-UG પરીક્ષા રદ થવાથી એના જે ગંભીર પરિણામો આવ્યા છે એને લઈ કેટલા યુવાનોએ કરેલી આત્મહત્યાઓએ શિક્ષણ જગતની સૌથી મોટી શરમજનક ઘટના કહેવાય…
ઈતિહાસ જ્યારે પથ્થરોમાંથી બોલવા લાગે અને ભૂતકાળ જ્યારે વર્તમાનની આંખોમાં આંખ પરોવીને વાત કરે, ત્યારે સમજવું કે તમે કોઈ મ્યુઝિયમમાં છો. મ્યુઝિયમ એ માત્ર જૂની વસ્તુઓનો સંગ્રહ નથી, પણ તે આપણી સંસ્કૃતિનો અરીસો અને આવનારી પેઢી માટે જ્ઞાનનો ભંડાર છે. દર વર્ષે ૧૮ મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’ ઉજવાય છે, ત્યારે આપણું ગુજરાત તેના સમૃદ્ધ ઈતિહાસને આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે દુનિયા સમક્ષ ભવ્ય રીતે પ્રસ્તુત કરી રહ્યું છે. ગુજરાત હંમેશા કલા અને સંસ્કૃતિનું પ્રણેતા રહ્યું છે. વડોદરાનું પ્રખ્યાત ‘બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી’ હોય કે ભાવનગરનું ‘બાર્ટન મ્યુઝિયમ’, આ સ્થળો દાયકાઓથી આપણી ઓળખ સાચવીને બેઠા છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં…
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હવે ગુજરાતને સર્વિસ સેકટરમાં પણ ૧-૨-૩ નંબરે પહોચાડવાનું છે અમિત શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના ત્રાગડમાં આકાર પામેલ મિલિનયન માઈન્ડ ટેક પાર્કનું લોકાર્પણ કર્યું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, આજે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના ત્રાગડમાં આકાર પામેલ મિલિનયન માઈન્ડ ટેક પાર્કને લોકાર્પણ કરતા જણાવ્યું કે, ગુજરાત સમગ્ર દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે મોખરાના સ્થાને છે. હવે સમય આવી ગયો છે કે, ગુજરાતને સર્વિસ સેકટરમાં પણ ૧-૨-૩ નંબરે પહોચાડવાનું છે. અમિત શાહે વધુમાં કહ્યું કે, ગુજરાત જ્યાં પગ મુકે ત્યા પહેલા બીજા કે ત્રીજા નબંરે પહોચે છે. ગુજરાત આ ઈતિહાસનું પુનરાવર્તન કરતુ રહ્યું છે. ઈન્ડ્સ્ટ્રીઝના સ્ટ્રકચર ડેવલપમેન્ટ ગુજરાત સિવાય દેશના કોઈ…
ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધી! ડીઝલની અછતના દાવા, પેટ્રોલ પંપ પર લાંબી કતારો જૂનાગઢના કેશોદ પંથકમાં પેટ્રોલ પંપ પર કલાકો સુધી ઉભા રહેવા છતાં ડીઝલ ન મળતા લોકોમાં ભારે રોષ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હાલ ડીઝલની ભારે અછત હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે, જેના કારણે ખેડૂતો અને વાહનચાલકોની હાલત કફોડી બની છે. જૂનાગઢ, બનાસકાંઠા અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર ડીઝલ મેળવવા માટે લાંબી કતારો જાેવા મળી રહી છે. જૂનાગઢના કેશોદ પંથકમાં ડીઝલની અછતને પગલે ખેડૂતો અને વાહનચાલકો ભારે પરેશાન છે. પેટ્રોલ પંપ પર કલાકો સુધી ઉભા રહેવા છતાં ડીઝલ ન મળતા લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. વાહનચાલકોને દિવસમાં…
પ્રતિ કિલોએ ૧ રૂ.નો વધારો દિલ્હીમાં ૩ દિવસમાં બીજી વખત CNG ભાવ વધ્યાં આ નવા વધારા બાદ હવે દિલ્હીમાં એક કિલો સીએનજીની કિંમત વધીને રૂપિયા ૮૦.૦૯ થઈ ગઈ છે દિલ્હી-NCR માં રહેતા વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ગેસ કંપનીઓ દ્વારા સીએનજી (CNG) ના ભાવમાં પ્રતિ કિલોએ વધુ રૂ.૧ નો વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ અગાઉ કંપનીઓએ રૂ.૨ નો વધારો કર્યો હતો, જેનો અર્થ એ થાય કે છેલ્લા ત્રણ દિવસમાં જ સીએનજી રૂ.૩ જેટલો મોંઘો થઈ ચૂક્યો છે. આ નવા વધારા બાદ હવે દિલ્હીમાં એક કિલો સીએનજી ની કિંમત વધીને રૂ.૮૦.૦૯ થઈ ગઈ છે. નવા…
હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી… CM વિજયથી ઈર્ષ્યાની વાતો પર ભડક્યા સુપરસ્ટાર રજનીકાંત ટીકાઓથી નારાજ થઈને રજનીકાંતે ચેન્નાઈમાં પોતાના નિવાસ્થાને એક ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી તમિલનાડુના રાજકારણમાં જાેસેફ વિજયની પાર્ટી TVK એ સૌથી મોટી પાર્ટી બનીને નાની પાર્ટીઓના સમર્થનથી સરકાર બનાવી છે. ત્યારે પરિણામો બાદ પૂર્વ સીએમ એમ કે સ્ટાલિન સાથે રજનીકાંતની મુલાકાતને લઈને એવી વાતો વહેતી થઈ હતી કે રજનીકાંત, વિજય સીએમ બને તેનાથી ખુશ નથી અને તેમને ઈર્ષ્યા થઈ રહી છે. આ ટીકાઓથી નારાજ થઈને રજનીકાંતે ચેન્નાઈમાં પોતાના નિવાસ્થાને એક ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. રજનીકાંતે આક્ષેપો કરનારાઓને જડબાતોડ જવાબ આપતા સ્પષ્ટ કર્યું કે જાે…
પાકિસ્તાનને ફરી આપી ચેતવણી ભારતે સિંધુ જળ સંધિ પર આંતર રાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને ફગાવી દીધો ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ અદાલત ગેરકાયદેસર રીતે રચવામાં આવી છે અને તેનું કોઈ કાનૂની અસ્તિત્વ નથી ભારતે સિંધુ જળ સંધિને લઈને હેગ સ્થિત કથિત કોર્ટ ઓફ આર્બિટ્રેશન (CoA) ના તાજેતરના ર્નિણયને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ અદાલત ગેરકાયદેસર રીતે રચવામાં આવી છે અને તેનું કોઈ કાનૂની અસ્તિત્વ નથી. તેથી તેના કોઈપણ ર્નિણય, આદેશ કે કાર્યવાહીને ભારત માન્યતા આપતું નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે મીડિયાના સવાલોના જવાબમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે રચાયેલી કથિત કોર્ટ ઓફ આર્બિટ્રેશને ૧૫…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. છત્તીસગઢના નારાયણપુર જીલ્લામાં એક પોલીસ કોન્સટેબલે વડાપ્રધાન મોદીની ઈંધણ બચાવવાની અને કરકસર કરવાની અપીલથી પ્રેરિત થઈને પોતાના લગ્નને ખાસ બનાવી દીધા હતા.કુબેર દેહરી નામના કોન્સટેબલના લગ્ન ૧૨ મે એ થયા હતા. તેની દુલ્હનનું ગામ તેના ગામથી ૩ કિલોમીટર દૂર હતું. પહેલાઆ માટે લક્ઝરી બસ અને કારની વ્યવસ્થા કરવાનું પ્લાનિંગ હતું. પરંતુ મોદીની અપીલ પછી કુબેરભાઈએ નિર્ણય બદલી નાંખ્યો. તેણે પરંપરાગત વાહનોની જગ્યાએ બળદગાડાનો ઉપયોગ કર્યો અને જાન લઈને દુલ્હનના ગામમાં પહોંચ્યા હતા.ગામના જે પણ લોકો તેમની સાથે જોડાયા હતા તેઓ પણ બળદગાડામાં જ જોડાયા હતા. બળદગાડાઓમા નીકળેલી આ જાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


