- પશ્ચિમ બંગાળમાં ગેરરીતિ બાદ ચૂંટણી પંચે 15 બૂથ પર ફરી મતદાનનો આદેશ, દક્ષિણ 24 પરગણામાં તણાવ વધ્યો
- વંદે ભારત ટ્રેનના નાસ્તામાં કીડા મળતાં મુસાફરોની તબિયત બગડી, રેલવે તપાસના આદેશ
- અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ઈરાન તણાવ વધ્યો, 6500 ટન સૈન્ય સામગ્રી મોકલાતા યુદ્ધની આશંકા તીવ્ર
- અમદાવાદ કચેરીમાં QR કોડથી અશાંતધારા નકલી પરમિશન કૌભાંડ ખુલ્યું, એજન્ટ સામે ગુનો
- કોમર્શિયલ LPG સિલિન્ડર ₹993 મોંઘો, ખાણીપીણીના ભાવ વધવાની શક્યતા
- અમેરિકા દ્વારા ભારતને ₹117 કરોડની 657 પ્રાચીન કળાકૃતિઓ પરત, તસ્કરી પર મોટો પ્રહાર
- મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસનો હુંકાર, EVM મુદ્દે ચૂંટણી પંચ-ભાજપ સામે વિરોધ
- અક્ષય કુમારના પુત્ર આરવનો ફિલ્મોથી ઈનકાર, ફેશનમાં કારકિર્દી અને ₹4500થી શરૂઆત
Author: Garvi Gujarat
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે ગુજરાત પ્રવાસે 28 જાન્યુઆરીના રોજ પંજાબની AAP સરકારના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદ પહોંચશે, ગુરુદ્વારાના દર્શન કરશે: મનોજ સોરઠીયા AAP સરકારની અનેક યોજનાઓ અને પંજાબના વિકાસની વાત લઈને મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પધારશે: મનોજ સોરઠીયા મુખ્યમંત્રી ભગવંત માને પંજાબની કાયાપલટ કરી, ઉડતા પંજાબને સમૃદ્ધિ તરફ લઈ ગયા: મનોજ સોરઠીયા આમ આદમી પાર્ટી પંજાબની જેમ ગુજરાતમાં પણ બદલાવ લાવવા માટે કટિબદ્ધ: મનોજ સોરઠીયા
પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! ‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો. આ સાથે ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ : શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા ‘વંદે માતરમ’ લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન, ‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનો સુભગ સમન્વય આ ટેબ્લોની…
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો શહેરોમાં જાહેર જન હિતકારી પ્રોજેક્ટ્સ માટે નગરપાલિકાઓને વિના મૂલ્યે જમીન ફાળવવા નો મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે શહેરી વિસ્તારોમાં વહીવટ વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે નગરપાલિકાઓને વિકાસકામો માટે હવે 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે વિના મૂલ્યે સરળતાએ જમીન ફાળવવામાં આવશે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી નિર્ણય ને પરિણામે રાજ્યની ૧૫૨ જેટલી નગરપાલિકાઓએ વિકાસ કામો માટે અગાઉ સરકારી જમીન મેળવવા બજાર કિંમત અથવા જંત્રી દરના 25થી 50 ટકા સુધીની જે રકમ ભરવી પડતી હતી તેમાંથી તેમને મુક્તિ મળશે એટલું જ નહિ જમીનની ફાળવણીની પ્રક્રિયા પણ વધુ સરળ…
રિટર્ન કેસમાં વિસનગરના કોન્ટ્રાક્ટરને સજા૧૪.૯૮ લાખના ચેક રિટર્ન કેસમાં વિસનગરના કોન્ટ્રાક્ટરને ૧ વર્ષની કેદકોર્ટે આરોપીને ચેકની રકમ એટલે કે ૧૪,૯૮,૨૨૯ વળતર પેટે ૨૦ દિવસમાં ચૂકવી દેવા પણ કડક આદેશ કર્યો છેપાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. વિસનગરના પુદગામ સ્થિત ‘શક્તિ એન્ટરપ્રાઈઝ‘ ફર્મના પ્રોપરાઈટર રાજેન્દ્રભાઈ ભગવાનદાસ પટેલને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ ની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપીને ચેકની રકમ એટલે કે ૧૪,૯૮,૨૨૯ વળતર પેટે ૨૦ દિવસમાં ચૂકવી દેવા પણ કડક આદેશ કર્યો છે. પાટણની જી.આઈ.ડી.સી.માં ‘ઉમા સ્ટીલ‘ નામની પેઢી ધરાવતા દિવ્યકુમાર પ્રકાશભાઈ પટેલ લોખંડની ચીજવસ્તુઓનો વેપાર કરે છે. આરોપી રાજેન્દ્ર પટેલ કન્સ્ટ્રક્શનના…
સુરક્ષા એજન્સીઓનું સંયુક્ત ઓપરેશનપંજાબમાં RDX બ્લાસ્ટના ઍલર્ટ બાદ ગોધરા રેલવે સ્ટેશન પર હાઈ-એલર્ટઆ સર્ચ ઓપરેશનમાં ગોધરા સ્પેશિયલ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતીપંજાબના સરહિંદ રેલવે સ્ટેશન પર RDX બ્લાસ્ટની શક્યતા અંગે ગુપ્તચર એજન્સીઓના ગંભીર ઈનપુટ મળતા જ સમગ્ર દેશના રેલવે તંત્રને સાવધ કરવામાં આવ્યું છે. આ એલર્ટના પગલે પશ્ચિમ રેલવેના મહત્ત્વના સ્ટેશન એવા ગોધરા ખાતે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા મુસાફરોની સુરક્ષા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મુસાફરોની સુરક્ષાને સર્વોપરી ગણીને GRP (રેલવે પોલીસ), RPF અને અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. ગોધરા રેલવે સ્ટેશન ખાતે બપોરે ૧૨થી ૧ વાગ્યા…
મલેશિયાથી આવેલા ૪ પેડલરોની ધરપકડઅમદાવાદ એરપોર્ટથી ૧૨ કરોડ રૂપિયાનો હાઈબ્રીડ ગાંજાે ઝડપાયોપ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે,ઝડપાયેલા આરોપીઓ પૈકી એક વ્યક્તિ વડોદરાનો વતની છેઅમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓએ બાતમીના આધારે એક મોટા ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન અંદાજે ૧૨ કરોડ રૂપિયાની કિંમતનો નશીલો પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે જ ચાર શખસોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, મલેશિયાથી ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ ઉતરેલા અજય પાંડે, સંદીપ, રોની અને મનપ્રિતની હિલચાલ શંકાસ્પદ જણાતા એજન્સીઓએ તેને અટકાવ્યા હતા. તેની કડક તપાસ અને તેમના સામાનનું સ્કેનિંગ…
રાષ્ટ્રપતિની દેશવાસીઓને અપીલલોભ, લાલચ, ખોટી માહિતીથી દૂર રહીને મતાધિકારનો ઉપયોગ કરોખોટી માહિતીથી પ્રભાવિત થયા વગર પોતાના વિવેકબુદ્ધિથી મતાધિકારનો ઉપયોગ કરશે, જેનાથી દેશની ચૂંટણી પ્રણાલી વધુ મજબૂત બનશેરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે દિલ્હી ખાતે આયોજિત ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસના કાર્યક્રમમાં નાગરિકોને સંબોધિત કરતા લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ભારતીય નાગરિકો કોઈપણ પ્રકારના લોભ-લાલચ, પૂર્વગ્રહ અથવા ખોટી માહિતીથી પ્રભાવિત થયા વગર પોતાના વિવેકબુદ્ધિથી મતાધિકારનો ઉપયોગ કરશે, જેનાથી દેશની ચૂંટણી પ્રણાલી વધુ મજબૂત બનશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ ખાસ કરીને મહિલા મતદારોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘તાજેતરની ચૂંટણીઓમાં મહિલાઓ જે રીતે મોટી સંખ્યામાં…
૬૮૫ રસ્તા બંધ, પ્રવાસીઓ ફસાયાહિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા-વરસાદથી હાહાકારમનાલીમાં સેંકડો પ્રવાસીઓ ફસાયેલા છે જિલ્લા વહીવટીતંત્રની ટીમોએ ઘણાને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છેભારે હિમવર્ષા અને વરસાદે હિમાચલ પ્રદેશમાં જનજીવનને ભારે ખોરવી નાખ્યું છે. અનેક જિલ્લાઓમાં રસ્તા, વીજળી, પાણી અને સંદેશાવ્યવહાર સેવાઓ ખોરવાઈ ગઈ છે, જ્યારે ઘણા વિસ્તારોમાં લોકો કડકડતી ઠંડીમાં વાહનોમાં ફસાયેલા છે. લાહૌલ-સ્પિતિ જિલ્લો રાજ્યના બાકીના ભાગોથી સંપૂર્ણપણે કપાઈ ગયો છે. શનિવાર સાંજ સુધીમાં, ૬૮૫ રસ્તા બંધ થઈ ગયા હતા, જેમાં લાહૌલ-સ્પિતિમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૩ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૫૦૫ ના ભાગોનો સમાવેશ થાય છે. શુક્રવાર રાતથી મનાલીમાં સેંકડો પ્રવાસીઓ ફસાયેલા છે. જિલ્લા વહીવટીતંત્રની ટીમોએ ઘણાને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.…
કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર ૨૦૨૬ની જાહેરાત કરીગુજરાતનાં મીર હાજી કાસમને પદ્મશ્રીથી સન્માનિત કરાશકેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર ૨૦૨૬ની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતનાં મીર હાજીભાઈ કાસમભાઈને પદ્મશ્રીની સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે. આ સિવાય સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, આરોગ્ય, કળા અને જનકલ્યાણ સાથે જાેડાયેલા લોકોના નામ સામેલ છે. બ્રજલાલ ભટ્ટ, બુધરી તાતી, ભગવાન દાસ, ધાર્મિક લાલ પંડ્યા, ડૉ. શ્યામ સુંદર, ચરણ હેમ્બ્રમને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ ગુજરાતીઓને પદ્મ સન્માન જૂનાગઢ: મીર હાજી કાસમ, (હાજી રમકડું, ઢોલક વાદક): આર્ટ વડોદરા: ધાર્મિકલાલ પંડ્યા (માણભટ્ટ પરંપરા): આર્ટ સુરત: નિલેશ માંડલેવાલા(અંગદાન ક્ષેત્ર): સામાજિક કાર્ય મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રે તેમના…
અમેરિકાનું ટેરિફનું દબાણ કામ કરી ગયું : બેસેન્ટભારતે રશિયન ક્રૂડની ખરીદી બંધ કરતા ટ્રમ્પ ટેરિફ ૨૫ ટકા ઘટાડવા તૈયારભારત-અમેરિકાની ટ્રેડ ડીલ મુદ્દે અવઢવ વચ્ચે યુએસ નાણામંત્રીના સંકેત.ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદાની વાટાઘાટો હજુ અદ્ધરતાલ છે તેવા સમયે અમેરિકન નાણામંત્રી સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યા છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પરનો ૨૫ ટકા ટેરિફ ઘટાડી શકે છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ ટ્રમ્પે દંડ સ્વરૂપે ભારત પર વધારાનો ૨૫ ટકા ટેરિફ નાંખતા કુલ ટેરિફ ૫૦ ટકા થઈ ગયો હતો. બીજીબાજુ યુરોપીયન યુનીયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર ભારત સાથે એફટીએ માટે દિલ્હી પહોંચી ગયા છે. ભારત સાથેના આ વેપાર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



