- કરસન ઘાવરીની સલાહ: જસપ્રિત બુમરાહને સંપૂર્ણ ફિટનેસ માટે 1 વર્ષનો આરામ આપવો જોઈએ
- અયોધ્યા રામ મંદિરમાં VIP પાસ સિસ્ટમ બંધ, હવે સામાન્ય કતારમાંથી જ રામ દરબારના દર્શન
- થાઈલેન્ડમાં LIVE ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડતા ખેલાડીનું મોત, 12 ખેલાડીઓ ઈજાગ્રસ્ત
- આસારામને સુપ્રીમ કોર્ટનો ઝટકો, ખરાબ સ્વાસ્થ્યના આધારે વચગાળાના જામીન આપવાનો ઇનકાર
- વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે ખડગેનો પ્રહાર, ગૃહમંત્રી જવાબ આપે અને પીએમ મોદી માફી માંગે
- કેબિનેટનો મોટો નિર્ણય: ₹23,731 કરોડની ગોવર્ધન યોજના મંજૂર, ગામડે-ગામડે બનશે બાયોગેસ
- અમદાવાદમાં લેબ્રાડોર ડોગ સૌથી લોકપ્રિય, 19,746 પેટ ડોગ અને 189 પેટ કેટનું રજિસ્ટ્રેશન
- AIની અસર વચ્ચે Visaએ 2,600 કર્મચારીઓની છટણી કરી, ભારતના કર્મચારીઓ પણ પ્રભાવિત
Author: garvigujrat
૧૦ એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ છેલ્લા પાંચ વર્ષમાં હોમિયોપેથી સારવારમાં ૬૦ થી ૬૫ ટકાનો વધારો સમગ્ર શહેરમાં વહેંચી હતી અને તેની અસર પણ લોકોમાં જાેવા મળી હતી. કોરોના બાદ હોમિયોપેથી કોલેજની સીટોમાં ૫૦% નો વધારો થયો છે છેલ્લા પાંચથી છ વર્ષમાં હોમિયોપેથી સારવારમાં ૬૦થી ૬૫ ટકાનો વધારો થયો છે. લોકો હવે એલોપેથી સારવારથી હોમિયોપેથી તરફ વળી રહ્યા છે. હોમિયોપેથીએ જર્મન ચિકિત્સક ડૉ.સેમ્યુઅલ હૅનેમેન દ્વારા ૧૮મી સદીમાં વિકસાવવામાં આવેલી એક પ્રાકૃતિક અને સર્વગ્રાહી ચિકિત્સા પદ્ધતિ છે. તે “સમ: સમમ્ શમયતિ” એટલે કે “જેનાથી રોગ થાય, તેનાથી જ તે મટે” ના સિદ્ધાંત પર આધારિત છે, જે દર્દીના શારીરિક, માનસિક અને ભાવનાત્મક લક્ષણોને…
હવે વિમાની મુસાફરી મોંઘી થશે! એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ સરચાર્જમાં કર્યો તોતિંગ વધારો એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં વધારો થતા નિર્ણય ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. જેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી છે. જેટ ફ્યુઅલ (ATF) ના ભાવ $ ૮૫-ઇં૯૦ થી વધીને $ ૧૫૦-$ ૨૦૦ પ્રતિ બેરલ સુધી પહોંચી જતા ભારત સહિત વિશ્વભરની એરલાઇન્સે ભાડામાં ધરખમ વધારો ઝીંક્યો છે. યુદ્ધના કારણે એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં ૨૫% જેટલો હિસ્સો ધરાવતા ઇંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. પરિણામે, એર ઇન્ડિયા, ઈન્ડિગો અને યુનાઈટેડ એરલાઇન્સ જેવી દિગ્ગજ કંપનીઓએ ટિકિટના ભાવ, સામાન ફી અને સર્વિસ ચાર્જમાં વધારો…
સોનાના વાયદામાં રૂ.644 અને ચાંદીના વાયદામાં રૂ.1371ની નરમાઇઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યા કોમોડિટી વાયદાઓમાં રૂ.22346.25 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.132089.15 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13794.60 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36696 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.154435.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.22346.25 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.132089.15 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36696 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3533.97 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13794.60 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.152685ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.152990 અને નીચામાં રૂ.151745ના…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સમાજમાં સામાન્ય રૂપે દીકરીના છૂટાછેડા થાય ત્યારે માતા-પિતાની સાથે સમગ્ર પરિવાર પણ દુઃખી થતો હોય છે. એને બદલે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક પિતાએ સામાજિક રૂઢિચુસ્તતા તોડીને એક નવો ચીલો ચાતર્યો છે. પોતાની પુત્રીના છૂટાછેડા પર શોક મનાવવાને બદલે આ પરિવારે ઢોલ-નગારા અને પુષ્પવર્ષા સાથે તેનું ભવ્ય સ્વાગત કરીને આ પ્રસંગને ઉત્સવમાં ફેરવી નાખ્યો હતો. સોશિયલ મીડિયા પર આ અનોખા સ્વાગત ના વિડીયો હાલ ભારે વાયરલ થઇ રહ્યા છે અને લોકો પિતાના આ પ્રગતિશીલ વિચાર ના વખાણ કરી રહ્યા છે. મેરઠના શાસ્ત્રીનગર ની રહેવાસી પ્રતીક્ષા ના લગ્ન વર્ષ ૨૦૧૮ માં શાહજહાંપુરના મેજર ગૌરવ અગ્નિહોત્રી સાથે થયા હતા.…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મહિલાઓના જાતિય શોષણ અને કાળા કરતૂતોના કારણે જેલમાં બંધ ભોન્દુબાબા અશોક ખરાતને બળાત્કારના મુખ્ય કેસ જેમાં તેના જ ઓફિસ સ્ટાફની સાત મહિનાની ગર્ભવતી પત્નીનું જાતિય શોષણ કરવાનો આરોપ છે એમાં ધરપકડ કરીને વિડીયો લિન્ક ધ્વારા મહારાષ્ટ્રના નાશિક જિલ્લાની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં ગુરુવારે તેને પાંચ દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. રિમાન્ડ અરજી પર દલીલો દરમ્યાન ખુલાસો થયો હતો કે પોલીસે હજી પણ એ શોધવાનું બાકી છે કે અશોક ખરાત તેના ગ્રાહકોને ડરાવવા માટે રમકડાંના સાપ અને વાઘનું ચામડું ક્યાથી લાવ્યો હતો.એથી કસ્ટડી લંબાવવામાં આવી હતી.
ધોની મારો આદર્શ, ફિનિશર બનવું છે મારું લક્ષ્ય IPL રાતોરાત સ્ટાર બન્યા બાદ મુકુલ ચૌધરી થયો ભાવુક મેચ બાદ મુકુલે પોતાની સફળતા અને પિતાના બલિદાનની ભાવુક કરી દે તેવી વાત શેર કરી હતી આઈપીએલ ૨૦૨૬ની સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં એક નવો સિતારો ઉભરી આવ્યો છે. ૨૧ વર્ષીય વિકેટકીપર બેટ્સમેન મુકુલ ચૌધરીએ માત્ર ૨૭ બોલમાં ૭ સિક્સર અને ૧ ચોગ્ગાની મદદથી અણનમ ૫૪ રન ફટકારીને લખનૌને ૩ વિકેટથી યાદગાર જીત અપાવી છે. મેચ બાદ મુકુલે પોતાની સફળતા અને પિતાના બલિદાનની ભાવુક કરી દે તેવી વાત શેર કરી હતી. મેચ બાદ આપેલા એક ઈન્ટરવ્યુમાં મુકુલ…
શું કોંગ્રેસને ગુજરાતથી કોઈ વાંધો છે? ખડગે બાદ હવે કન્હૈયા કુમારના નિવેદનથી ભારે ખળભળાટ “સૌથી મોટો ઘૂસણખોર ગુજરાતમાંથી આવ્યો છે” કન્હૈયાના આ વિવાદાસ્પદ નિવેદનથી ગુજરાતમાં ભારે રોષ વ્યાપી ગયો છે ચૂંટણીના ગરમાવા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ હવે વ્યક્તિગત અને પ્રાદેશિક સ્તરે પહોંચી ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ પર કરેલી અપમાનજનક ટિપ્પણી બાદ આસામમાં એક રેલી દરમિયાન કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા કન્હૈયા કુમારે ગુજરાત અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને નિશાન બનાવીને એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી ગુજરાતીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે. આસામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કન્હૈયા કુમારે મંચ પરથી કહ્યું કે, “હું આવ્યો ત્યારે મને મીડિયાના એક પત્રકારે…
બિહારના નવા CM અંગે પટનાથી દિલ્હી સુધી બેઠકોનો દોર નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા સંસદ ભવનમાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને નીતિશ કુમારને શપથ લેવડાવ્યા હતા બિહારના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈને પોતાની નવી સંસદીય ઇનિંગની શરૂઆત કરી છે. સંસદ ભવનમાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને તેમને શપથ લેવડાવ્યા હતા. શપથ વિધિ પહેલા નીતીશ કુમારે જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. નીતીશ કુમાર હવે એવા નેતા બની ગયા છે જેઓ વિધાનસભા અને લોકસભાની સાથે બંને ઉચ્ચ ગૃહો (વિધાનપરિષદ અને રાજ્યસભા) ના પણ સભ્ય રહ્યા છે. નીતિશ કુમાર આજે સાંજે જ પટના પરત આવશે.…
UPIમાં ૫ મોટા ફેરફારની તૈયારીમાં RBI રૂ.૧૦ હજારથી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં ૧ કલાકનો વિલંબ! ધારો કે તમે ૧૨ હજારનું પેમેન્ટ કર્યું, તો બેલેન્સ તમારા ખાતામાંથી કપાઈ જશે, પરંતુ પૈસા એક કલાક સુધી તમારી બેંક પાસે જ રહેશે દેશમાં ઓનલાઇન ફ્રોડ રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેટલાક કડક પગલાં લીધા છે, જેને ૫-પોઇન્ટ સેફ્ટી પ્લાન કહેવામાં આવી રહ્યો છે. જાેકે હાલમાં આ માત્ર પ્રસ્તાવિત છે. હજુ અમલમાં આવ્યા નથી. આ પ્લાનમાં કિલ સ્વિચથી લઈને પેમેન્ટ પ્રક્રિયામાં એક કલાકના વિલંબ જેવી જાેગવાઈઓ સામેલ છે. આ નિયમો કેમ લાવવામાં આવી રહ્યા છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટના આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૫માં ૨૮ લાખ…
સ્નાનાગારોમાં કોચ પૂરાં પાડવાનો કોન્ટ્રાક્ટ લેનારી એજન્સી પાસે જ ટ્રેઈન્ડ સ્ટાફ નથી! મ્યુનિ. સ્નાનાગાર ખાતામાં આઉટ સોર્સિંગનાં નામે ચાલતી ગરબડ : ટેન્ડર બહાર પાડવામાં ઘોર બેદરકારીની ચર્ચા મ્યુનિ.ના સ્નાનાગાર વિભાગમાં જરૂરી પુરૂષ અને મહિલા કોચની ભરતી કરવાને બદલે આઉટસોર્સિંગ કરવા માટે એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દીધા પછી પણ ખાનગી એજન્સી મ્યુનિ.ની જરૂરિયાત પ્રમાણેના કોચ પૂરા પાડી શકી નથી તેમ છતાં તેની સામે બ્લેકલિસ્ટ સહિતના કડક પગલા લેવાને બદલે રાજ્યાશ્રય આપવામાં આવી રહ્યો હોવાનુ મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.સ્નાનાગાર વિભાગ સાવ નાનો અલગ વિભાગ હોવા છતાં તેમાં પણ યેનકેન પ્રકારે ગોટાળા આચરવામાં આવે છે. એટલુ જ નહીં સ્નાનાગાર વિભાગમાં છેલ્લા…




