
- સુરતના સચિન GIDCમાં હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં ભીષણ આગ, ફાયર વિભાગ દ્વારા કાબૂ માટે જહેમત
- ગુલાબી કેરીની ખેતી પર વાવાઝોડા અને માવઠાનો પ્રભાવ, ભાવ વધ્યા ૧૦૦૦–૧૭૦૦ રૂપિયા
- ઈરાન-યુએઈ સંઘર્ષ: હોર્મુઝ જળમાર્ગ પર યુદ્ધની તૈયારી અને યુએઈ સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ લાવશે
- હિમાચલમાં પક્ષપલટા પર રોક: પેન્શનવાળો લાભ બંધ કરતો બિલ રજૂ
- ચંડીગઢમાં ભાજપ કાર્યાલય બહાર સ્કૂટીમાં બ્લાસ્ટ, કોઈ ઘાયલતા નહીં, પોલીસ તપાસ શરૂ
- ગુજરાતમાં ૨-૪ એપ્રિલ સુધી કમોસમી વરસાદ અને થંડરસ્ટોર્મની આગાહી
- “ATF ભાવ ડબલ: હવાઈ મુસાફરી મોંઘી, સરકાર કહ્યુ—નિયંત્રણ બહાર”
- અમેરીકા ઈરાન સંઘર્ષ બાદ NATO સંબંધો પર પુનર્વિચાર કરશે: વિદેશ મંત્રી
Author: Garvi Gujarat
વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૨૫ની ઉપલબ્ધિઓ ગણાવી કહ્યું.ભારત નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે આગળ વધવા તૈયારવડાપ્રધાને રવિવારે ‘મન કી બાત’ના ૧૨૯મા એપિસોડ દ્વારા દેશને સંબોધિત કર્યો હતો : આ એપિસોડ વર્ષ ૨૦૨૫નો છેલ્લો મન કી બાત કાર્યક્રમ હતોવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ના ૧૨૯મા એપિસોડ દ્વારા દેશને સંબોધિત કર્યો. આ એપિસોડ વર્ષ ૨૦૨૫નો છેલ્લો મન કી બાત કાર્યક્રમ હતો. પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે આગળ વધવા તૈયાર છે. તેમણે ઉમેર્યું કે, ૨૦૨૫ વર્ષ ભારત માટે સિદ્ધિઓ, આત્મવિશ્વાસ અને ગૌરવથી ભરેલું રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ૨૦૨૫માં ભારતની આસ્થા,…
AIની ધૂમ! 50 થી વધુ લોકો અબજોપતિ બન્યા કૃત્રિમ બુદ્ધિમત્તાએ (એઆઈ) દુનિયામાં કામ કરતી કંપનીઓ અને વ્યક્તિઓ માટે જબરદસ્ત વૃદ્ધિ પૂરી પાડી છે . આમાં સર્જ AI ના CEO અને સિએરાના સહ-સ્થાપકોનો સમાવેશ થાય છે. અમેરિકાની સાથે, ચીને પણ નવા અબજોપતિઓ મેળવ્યા એસવીએન,વોશિંગ્ટન 2025નું વર્ષ કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં થયેલી પ્રગતિ માટે યાદ રાખવામાં આવશે. આ વર્ષે, કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઝડપથી વિકાસ થયો, જેના પરિણામે આ ક્ષેત્રમાં મોટા પાયે નાણાંનો પ્રવાહ આવ્યો. એક અહેવાલ મુજબ , કૃત્રિમ બુદ્ધિમત્તાએ વિશ્વ માટે નવા અબજોપતિઓ બનાવ્યા છે. એક 22 વર્ષીય વ્યક્તિ, જેની કંપનીનું મૂલ્યાંકન અબજો ડોલર સુધી પહોંચ્યું હતું, તેણે પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું…
રસ્તા પર ઊતરશે કોંગ્રેસ, સરકારનો કરશે વિરોધ.૫ જાન્યુઆરીથી મનરેગા બચાઓ આંદોલન શરૂ થશે.કોંગ્રેસ નેતાઓનો આરોપ છે કે VB-G RAM G Act, 2025 દ્વારા સરકારે મનરેગાના અધિકાર આધારિત ઢાંચાને ખતમ કરી નાખ્યો છ.કોંગ્રેસ વર્કિંગ કમિટીની દિલ્હીમાં મહત્ત્વની બેઠક બાદ પાર્ટીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે પાર્ટી ૫ જાન્યુઆરી ૨૦૨૬થી દેશભરમાં મનરેગા બચાઓ આંદોલન શરુ કરશે. આ આંદોલન વિકસિત ભારત ગેરેન્ટી રોજગાર અને આજીવિકા યોજના એટલે કે ફમ્-ય્ ઇછસ્ ય્ છષ્ઠં, ૨૦૨૫ વિરુદ્ધ હશે. ખડગેએ પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે મનરેગા ખાલી એક યોજના નથી, પણ સંવિધાનમાં મળેલા કામનો અધિકાર છે. તેને નબળું કરવા અથવા…
AMC ફટકારશે નોટિસ.અમદાવાદમાં હવે દરેક બિલ્ડિંગ કે રોડની બહાર વાહનો પાર્ક નહીં કરી શકો.અમદાવાદ શહેરમાં વધતી રહેલી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળે તે માટે મહાનગર પાલિકા સક્રિય થયું છે.અમદાવાદમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સતત વધી રહી છે. તેવામાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સિલસિલામાં શહેરની અંદર દરેક બિલ્ડિંગ કે એપાર્ટમેન્ટની બહાર, રોડ કે ફૂટપાથ પર વાહનો પાર્ક કરી શકાશે નહીં. હાઈકોર્ટના આદેશ બાદ મનપાએ બે દિવસમાં ૩૮૪ નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે અમદાવાદમાં અનેક એપાર્ટમેન્ટની બહાર રોડ પર વાહનો પાર્ક કરવામાં આવે છે. શહેરમાં અનેક રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગમાં…
મેચ શરૂ થાય તેના થોડી મિનિટો પહેલા કોચને હાર્ટએટેક આવ્યો ; CPR આપવા છતાં બચાવી શકાયા નહીં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે. ઢાકા કેપિટલ્સના સહાયક કોચ મહબૂબ અલી ઝાકીનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે એસવીએન,ઢાકા 2025-26 બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) સીઝનમાં ઢાકા કેપિટલ્સના સહાયક કોચ મહબૂબ અલી ઝાકીનું 27 ડિસેમ્બર , 2025 ના રોજ સિલહટમાં અવસાન થયું. 59 વર્ષીય ઝાકી રાજશાહી વોરિયર્સ સામેની મેચની થોડી મિનિટો પહેલા મેદાનમાં પડી ગયા હતા. તેમને તાત્કાલિક CPR આપવામાં આવ્યું હતું અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા , જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. BCB એ આ દુ:ખદ ઘટના પર…
જામનગર GETCO-એપ્રેન્ટીસ લાઇનમેન ભરતી કૌભાંડ: 107 જગ્યામાં 35 બોગસ ઉમેદવાર, યુવરાજસિંહ જાડેજાનો ધડાકો
એપ્રેન્ટીસશીપ લાઇનમેનની ભરતીમાં કૌભાંડ કરવામાં આવ્યું.GETCO ની ભરતીમાં થયેલા કૌભાંડ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો ધડાકો.જામનગર એપ્રેન્ટીસશીપ લાઇનમેન ૧૦૭ જગ્યામાં ૩૫ ભરતી લોકોની બોગસ ભરતી કરી હોવાનું સામે આવ્યું.જામનગરમાં ય્ઈ્ર્ઝ્રંની ભરતીમાં થયેલા કૌભાંડ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ધડાકો કર્યો છે. ગુજરાતમાં GETCO અન PGVCL દ્વારા કરવામાં આવતી ભરતીઓમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે તેવો આરોપ મૂક્યો હતો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ કહ્યું હતું કે, જામનગરમાં એપરેન્ટીસ લાઈનમેનની ૧૦૭ જગ્યામાં ૩૫ બોગસ ઉમેદવારોને નોકરી પર લઈ લેવામાં આવ્યા હતા અને ૪ મહિના નોકરી પણ કરી હતી. આવી જ રીતે ગોંડલ, જૂનાગઢ અને કચ્છમાં પણ કૌભાંડ થયા છે પણ ત્યાં તપાસ…
પ્રવાસના ત્રીજા તબક્કામાં તેઓ સરખેજ વિસ્તારના વણઝર ખાતે જશે.કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ફરી એકવાર ગુજરાત પ્રવાસે.તેઓ આજે મોડી રાત્રે જ અમદાવાદ આવી પહોંચશે અને રવિવારે સવારથી જ સતત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશ.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે, ૨૮ ડિસેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે મોડી રાત્રે જ અમદાવાદ આવી પહોંચશે અને રવિવારે સવારથી જ સતત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. તેમના આ પ્રવાસમાં વિકાસકામોના લોકાર્પણ, ધાર્મિક મુલાકાત અને બિઝનેસ કોન્ફરન્સનો સમાવેશ થાય છે. અમિત શાહના પ્રવાસની શરૂઆત શેલા સ્થિત ક્લબ ર્ં૭થી થશે. અહીંથી તેઓ ૈંસ્છ (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સ ‘ૈંસ્છ ૨૦૨૫’ને ખુલ્લી મૂકશે. ત્યારબાદ તેઓ…
પ્રભાતપુરના શખ્સની ધરપકડ.ગિરનાર પાસે મોરના માંસ માટે ગેરકાયદે શિકાર કરાયો.આ મોરના મૃતદેહનો ગેરકાયદેસર કબજાે લઈને તેને કુહાડીથી ટુકડા કરી માંસ તૈયાર કરી ખોરાક તરીકે ઉપયોગ કરવાનું કાવતરું ઘડાયું હતુ.જૂનાગઢ જિલ્લાના ડુંગર દક્ષિણ રેંજના રામનાથ રાઉન્ડમાં આવેલ પ્રભાતપુર ગામે રાષ્ટ્રીય પક્ષી મોરના ગેરકાયદેસર શિકાર અને માંસના ઉપયોગનો આંચકારૂપ કિસ્સો સામે આવ્યો છે. તારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ઓઝત નદી કાંઠે ૧૧ કેવી લાઈન પર બેસેલા એક મોરનું વીજકરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. આ મોરના મૃતદેહનો ગેરકાયદેસર કબજાે લઈને તેને કુહાડીથી ટુકડા કરી માંસ તૈયાર કરી ખોરાક તરીકે ઉપયોગ કરવાનું કાવતરું ઘડાયું હતું. આ બનાવની બાતમી ડુંગર દક્ષિણ રેંજના સ્ટાફને મળતાં તાત્કાલિક…
ગાંધીનગરના વાવોલની શાળાની ઘટના.કારનો કાચ તૂટતા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને માર્યો ઢોર માર.પતંગ કાઢવા માટે કેટલાક બાળકો ઝાડ પર પથ્થર મારી રહ્યા હતા, આ દરમિયાન એક પથ્થર અચાનક ત્યાં પાર્ક કરેલી પ્રિન્સિપાલની કાર પર જઈને પડ્યો હતો.ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં આવેલી એક શાળામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. શાળાના કમ્પાઉન્ડમાં રમી રહેલા બાળકોથી અજાણતા પ્રિન્સિપાલની કારનો કાચ તૂટી જતાં, ઉશ્કેરાયેલા પ્રિન્સિપાલે માનવતા નેવે મૂકી ધોરણ ૬થી ૮ના અનેક વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો. આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મળતી માહિતી અનુસાર, વાવોલ પ્રાથમિક શાળામાં રિસેષના સમયે શાળાના કેમ્પસમાં આવેલા એક ઝાડ પર પતંગ ફસાયો હતો. આ…
ન્યુ યર સેલિબ્રેશનની ટ્રાફિક એડવાઇઝરી જાહેર.અમદાવાદના સી.જી. રોડ અને સિંધુ ભવન પર વાહન પ્રતિબંધ.૩૧મી ડિસેમ્બરની સાંજથી ૧લી જાન્યુઆરીની વહેલી સવાર સુધી શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે.નવા વર્ષની ઉજવણીમાં ઉમટી પડતી ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિક દ્વારા એક વિસ્તૃત ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ૩૧મી ડિસેમ્બરની સાંજથી ૧લી જાન્યુઆરીની વહેલી સવાર સુધી શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે. ૩૧મી ડિસેમ્બર સાંજે ૬:૦૦થી ૧લી જાન્યુઆરી વહેલી સવારે ૩:૦૦ વાગ્યા સુધી સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો સી. જી. રોડ તમામ વાહનો માટે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



