- સુરતમાં 9 ઓગસ્ટે AAPનો ઈ-20 પેટ્રોલ જાગૃતિ કાર્યક્રમ, ઈથનોલના અસરકારક મુદ્દે થશે ચર્ચા
- સાંસદના ગામમાં જ કમર સુધીના ખાડા, AAPનો મનસુખ વસાવા પર પ્રહાર; રસ્તા મુદ્દે ઉગ્ર આક્ષેપ
- 30 વર્ષ બાદ ‘1942: અ લવ સ્ટોરી’ ફરી થિયેટર્સમાં, અનિલ કપૂર-મનીષા કોઈરાલાની ક્લાસિક ફિલ્મ રી-રિલીઝ
- 7000 કરોડ કમાવનાર ‘ઇન્સિડિયસ’ની છઠ્ઠી ફિલ્મનું ટ્રેલર રિલીઝ, 21 ઓગસ્ટે થિયેટરોમાં ધમાકો
- 46 વર્ષ બાદ તેલુગુ સિનેમામાં અનિલ કપૂરની વાપસી, ‘ડ્રેગન’ના શૂટિંગ સાથે જૂની યાદો તાજી
- ઇતિહાસપ્રેમથી પ્રેરાયેલી રિચા ચઢ્ઢાની ‘મુસાફિરી’ ભારતના સમૃદ્ધ વારસાની અનોખી સફર
- કરસન ઘાવરીની સલાહ: જસપ્રિત બુમરાહને સંપૂર્ણ ફિટનેસ માટે 1 વર્ષનો આરામ આપવો જોઈએ
- અયોધ્યા રામ મંદિરમાં VIP પાસ સિસ્ટમ બંધ, હવે સામાન્ય કતારમાંથી જ રામ દરબારના દર્શન
Author: garvigujrat
મેકર્સે એક્ટ્રેસને ૩૦માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘માયસા’નું નવું પોસ્ટર રિલીઝ કરાયું રવીન્દ્ર પુલ્લેના ડિરેક્શનમાં બની રહેલી આ એક એક્શન-થ્રિલર ફિલ્મ છે, જેમાં રશ્મિકા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાના ૩૦મા જન્મદિવસના અવસરે, તેની આગામી ફિલ્મ ‘માયસા’ ના નિર્માતાઓએ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટરમાં રશ્મિકા ખૂબ જ શક્તિશાળી અને આક્રમક અવતારમાં જાેવા મળી રહી છે. રવીન્દ્ર પુલ્લેના ડિરેક્શનમાં બની રહેલી આ એક એક્શન-થ્રિલર ફિલ્મ છે, જેમાં રશ્મિકા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.પોસ્ટરમાં જાેવા મળ્યો એક્ટ્રેસનો ખતરનાક અંદાજ નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું બ્લેક એન્ડ વ્હાઇટ પોસ્ટર શેર કર્યું છે. આમાં રશ્મિકાનો ચહેરો ધૂળ…
ફિલ્મ ૧ મે, ૨૦૨૬ના રોજ થિયેટરમાં રિલીઝ થશે મામૂટી અને મોહનલાલની ફિલ્મ ‘પેટ્રિયોટ’ નું ટ્રેલર રિલીઝ ‘પેટ્રિયોટ’ ફિલ્મનું નિર્માણ એન્ટો જાેસેફ પ્રોડક્શન્સના બેનર હેઠળ એન્ટો જાેસેફ અને કેજી અનિલ કુમાર દ્વારા કરવામાં આવ્યું ફિલ્મ ‘પેટ્રિયોટ’ ના મેકર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું ટ્રેલર રિલીઝ કર્યું છે. મહેશ નારાયણન દ્વારા દિગ્દર્શિત આ મલયાલમ ફિલ્મમાં દક્ષિણના સુપરસ્ટાર મામૂટી, મોહનલાલ, ફહાદ ફાસિલ અને નયનતારા મુખ્ય ભૂમિકામાં છે. ખાસ વાત એ છે કે, મામૂટી અને મોહનલાલ ૧૭ વર્ષ પછી એક સાથે જાેવા મળશે. આ મલયાલમ જાસૂસી થ્રિલર ૧ મે, ૨૦૨૬ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.૩ મિનિટ ૩૨ સેકન્ડનું ટ્રેલર નયનતારાનું પાત્ર એક પીડિતા સાથે…
કંગના સિવાયના કોઈ કલાકાર રીપિટ નહિ થાયકંગનાની ફિલ્મનું નામ ક્વીન ટુ નહિ પરંતુ ફોરેવર ક્વીન હશે મોટાભાગે આ ફિલ્મમાં કંગનાને બાદ કરતાં કોઈ કલાકારો રીપિટ થવાની સંભાવના પણ નહિવત્ત કંગના રણૌતની ‘ક્વીન’ ફિલ્મનો સર્જક હવે ‘ક્વીન ટુ ‘ બનાવી રહ્યો હોવાની ચર્ચા કેટલાય દિવસોથી શરુ થઈ છે. હવે એવો દાવો થઈ રહ્યો છે કે આ ફિલ્મનું ટાઈટલ ‘ક્વીન ટુ’ નહિ પરંતુ ‘ફોરેવર ક્વીન’ હશે. આ ઉપરાંત એવો પણ દાવો થઈ રહ્યો છે કે આ ફિલ્મને મૂળ ‘ક્વીન’ ફિલ્મની વાર્તા સાથે કોઈ લેવા દેવા નહિ હોય. આ સીકવલ નહિ હોય પરંતુ તદ્દન નવી જ સ્ટોરી હશે. મોટાભાગે આ ફિલ્મમાં કંગનાને બાદ…
અગાઉ નોરા સહિતની હિરોઈનો દ્વારા પણ વિરોધ પાપારાઝીઓ દ્વારા અભદ્ર એંગલથી ફોટોગ્રાફીથી જાહ્નવી પણ ભડકી ફિલ્મમાં ભીની સાડી પહેરીને શૂટિંગ કરું તે મારી મરજી છે પણ આ રીતે વિડીયો લેવાય તે ખોટું હવે જાહ્નવી કપૂર પણ પાપારાઝીઓ દ્વારા અભદ્ર એંગલથી ફોટા કે વિડીયો લઈ બાદમાં તેને બહુ ખરાબ રીતે ઝૂમ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાતા હોવા અંગે વાંધો લીધો છે. જાહ્નવીએ થોડા સમય પહેલાં એક પાપારાઝીને રુબરુ મળીને આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જાહ્નવીએ કહ્યું હતું કે ફિલ્મોમાં અમે સ્ટોરીની ડિમાન્ડ પ્રમાણે ભીની સાડી પહેરીને ઉત્તેજક હાવભાવ આપીએ તેમાં અમારી મરજી હોય છે. પરંતુ, અમારી જાણ બહાર અમારા…
આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂતીથી મેદાને ઉતરી છે અને પોતાના પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવ્યું છે. આમ આદમી પાર્ટીએ હાલ ડોર ટુ ડોર પ્રચાર અભિયાનની પણ શરૂઆત કરી છે. જેના થકી આમ આદમી પાર્ટી ઘરે ઘરે પહોંચી રહી છે અને લોકોનો વિશ્વાસ જીતી રહી છે. ગતરોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના 75 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને આ નામ જાહેર કરાયા બાદ આમ આદમી પાર્ટીના સુરતના ઉમેદવારોએ અલગ અલગ સોસાયટીઓમાં જઈને પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું અને સુરતના ઉમેદવારોને તમામ સોસાયટીઓમાંથી ખૂબ જ પ્રેમ અને આવકાર મળ્યો હતો અને લોકોએ પોતાનું સમર્થન આમ આદમી પાર્ટીને જાહેર કર્યું હતું. આમ…
કચ્છમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ડરી ગયેલી ભાજપ સરકાર હવે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કચ્છ કલેક્ટરને ઉગ્ર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મંત્રી અને કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટ તથા જિલ્લા પ્રમુખ ઝુઝારદાન ગઢવીની આગેવાનીમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સંજય બાપટ (પ્રદેશ સંગઠન મંત્રી અને કચ્છ ઝોન પ્રભારી), ઝુઝારદાન ગઢવી (જિલ્લા પ્રમુખ), કાંતાબેન પટેલ, મહાવીરસિંહ જાડેજા, મંજુલાબેન મહેશ્વરી, જાહિદ સોનેજી, વિજય ગોસ્વામી, ગોવિંદભાઇ મારવાડા, મામદ ખલીફા, પી.સી. ચાવડા, અર્ધમાન સગાર, ભરત જોગુ, લાખેના જત સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, અગ્રણીઓ…
સાંસદ મનસુખ વસાવાએ પોતાની પાર્ટીને ધોઈ નાખી! કમિશનની સિસ્ટમ હવે ભાજપમાં પણ ઘૂસી ગઈ છે પોતાની જ પાર્ટીના નેતાઓ પર બસ સ્ટેશનને બદલે શોપિંગ સેન્ટર બનાવી ટકાવારી લેવાનો ગંભીર આરોપ લગાવ્યો સામે ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે વિપક્ષને બદલે ભાજપના જ વરિષ્ઠ અને આખાબોલા સાંસદ મનસુખ વસાવા પોતાની જ પાર્ટીના નેતાઓ પર રીતસરના બગડ્યા છે. તેમણે જાહેરમાં ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને ધારાસભ્ય પર કમિશન એટલે કે ટકાવારી લેવાનો ગંભીર આરોપ લગાવતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. મનસુખ વસાવાએ ખુલ્લેઆમ કહ્યું છે કે, નેતાઓ લોકોની સુવિધા માટે બસ સ્ટેશન બનાવવાને બદલે પોતાના આર્થિક ફાયદા અને ટકાવારી માટે શોપિંગ સેન્ટર ઊભા…
અભિનેત્રી ખુદ જાેઇને ચોંકી! એડલ્ટ સાઇટ પર વાઈરલ થઈ હતી જ્હાન્વી કપૂરની તસવીરો સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેણે એક એડલ્ટ વેબસાઇટ પર પોતાની મોર્ફ કરેલી (એડિટ કરેલી) તસવીરો જાેઈ હતી બોલીવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે તાજેતરમાં પોતાની જિંદગીના એક અત્યંત આઘાતજનક કિસ્સાનો ખુલાસો કર્યો છે. રાજ શમાની સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે જ્યારે તે માત્ર ૧૫ વર્ષની હતી અને સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેણે એક એડલ્ટ વેબસાઇટ પર પોતાની મોર્ફ કરેલી (એડિટ કરેલી) તસવીરો જાેઈ હતી. આ ઘટનાએ તેને અંદરથી હચમચાવી દીધી હતી. જ્હાન્વીએ તે ભયાનક અનુભવ યાદ કરતા કહ્યું કે સ્કૂલમાં આઈટી ક્લાસ દરમિયાન કેટલાક છોકરાઓ મજાક માટે આવી સાઇટ્સ…
ભારત પહોંચ્યું મહામશીન હવે સમુદ્રની નીચે ૨૧૩ ફૂટની ઊંડાઈએ ફટાફટ દોડશે બુલેટ ટ્રેન પાણીના બોરિંગનું કામ કરવા ચીનથી ખાશ મશીન મંગાવાયું દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનને ઓગસ્ટ ૨૦૨૭થી શરૂ કરવાની તૈયારી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ ટ્રેન શરૂ થયા બાદ અમદાવાદથી મુંબઈ (૫૦૮ કિમી) માત્ર ૨ કલાક ૫૦ મિનિટમાં પહોંચી શકાશે. અમદાવાદથી મુંબઈ વચ્ચે આ ટ્રેન ૨૧ કિમીનું અંતર જમીનની નીચે કાપશે. જેનો કેટલોક હિસ્સો સમુદ્રની નીચેથી પસાર થશે. પાણીના ૨૧૩ ફૂંટ ઊંડાણમાં ૨૫૦ કિમીની ઝડપે ટ્રેન દોડાવવી સરળ નથી. તે માટે ટનલ બનાવવામાં આવી રહી છે. ચીનથી આવનાર મહામશીનની મદદથી આ કામ…
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેનું વિવાદાસ્પદ નિવેદન મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં કેરળના લોકો માત્ર કેરળમાં જ સીમિત નથી, તેઓ આખી દુનિયામાં ફેલાયેલા છે, કામ કરી રહ્યા છે : ખડગે કેરળમાં આગામી ૯ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ માટે અત્યારે ત્યાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. તમામ પાર્ટીઓ એડીચોટીનું જાેર લગાવી રહી છે. પરંતુ આ ચૂંટણી પ્રચાર વચ્ચે આજે (૫ એપ્રિલ) કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એવું નિવેદન આપ્યું છે, જેને કારણે એક નવો જ રાજકીય વિવાદ ઊભો થઈ ગયો છે. પોતાના ભાષણ દરમિયાન ખડગેએ ગુજરાતની પ્રજાને સીધી રીતે અશિક્ષિત…




