Author: Garvi Gujarat

મોહિત સુરીએ થિએટરમાં ફિલ્મ ન જાેતાં મેકર્સ વિશે ફરિયાદ કરી.તમે થિએટરમાં ફિલ્મ જાેતા નથી અને દર્શકો થિએટરમાં નહીં જવાનાં રોદણાં રડો છો : મોહિત.મોહિત સુરી ડિરેક્ટર્સ રાઉન્ડ ટેબલ ચર્ચામાં હાજર રહ્યા હતા, જેમાં તેમની સાથે ડોમિનિક અર્જૂન, રાહુલ રવિન્દ્રન વિગેરે પણ જાેડાયાં હતાં.‘સૈયારા’ના ડિરેક્ટર મોહિત સુરી એક જેવંુ હોય એવું સ્પષ્ટ કહી દેનારા વ્યક્તિ છે, તાજેતરમાં જ એક રાઉન્ડ ટેબલ ચર્ચામાં તેમણે હાજરી આપી હતી અને ૨૦૨૫ના સિનેમા વિશે ચર્ચા કરી હતી. જેમાં તેમણે એવા ફિલ્મ મેકર્સ વિશે ફરિયાદ કરી હતી, જેઓ પોતે થિએટરમાં ફિલ્મ જાેવા જતા નથી અને પછી દર્શકો થિએટરમાં ફિલ્મ જાેવા ન જતા હોવાનાં રોદણાં રડે છે.મોહિત…

Read More

નવી માતા કિઆરાએ ઇન્ટરવ્યુમાં પ્રેગનન્સી અને કામ વિશે વાત કરી.કિઆરા પ્રેગ્નેન્સી દરમિયાન શૂટ વચ્ચે પોતાની દિકરી સાથે વાતો કરતી હતી.કિઆરાએ જણાવ્યું કે શૂટ દરમિયાન માત્ર તેનાં ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સને જ તેની પ્રેગનન્સી અંગે જાણ હતી.કિઆરા અડવાણી તાજેતરમાં જ કામ અને માતૃત્વ વિશે એક ઇન્ટરવ્યુમાં વાત કરી છે, જેમાં તેણે એક નવી મા તરીકેની તેની ભૂમિકા અને પ્રેગનન્સીની સફર વિશે વાત કરી છે. આ વર્ષની શરૂઆતમાં જ કિઆરા અને સિદ્ધાર્થની દિકરી સારાયાનો જન્મ થયો છે. તે પ્રેગનન્સીના અંતિમ દિવસો સુધી કામ કરતી રહી છે. કિઆરાએ જણાવ્યું કે શૂટ દરમિયાન માત્ર તેનાં ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સને જ તેની પ્રેગનન્સી અંગે જાણ હતી. ભાવુક…

Read More

રાજ્યના ૨૬ IAS અધિકારીઓની બદલી.૨૬ IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું.હવે તેમની બદલી કરીને મુખ્યમંત્રી પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.ગુજરાત સરકારે ૨૬ સિનિયર IAS અધિકારી બદલી કરી દીધી છે. સંજીવ કુમારની ઝ્રસ્ર્ંમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઇ છે તો તેઓ મુખ્ય સેક્રેટરી એમ.કે.દાસને રિલિવ કરશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ૨૬ IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સંજીવ કુમાર,IAS ગુજરાત કેડરના ૧૯૯૮ બેચના અધિકારી છે. અત્યારે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. હવે તેમની બદલી કરીને મુખ્યમંત્રી પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. સંજીવ…

Read More

બેનામી સંપત્તિનો મામલો.સુરેન્દ્રનગરમાં કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઈડીની રેડ.આ દરોડામાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. કલેક્ટરના બંગલે ૨ કલાકથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.સુરેન્દ્રનગરમાં વહેલી સવારે ઈડ્ઢ ના દરોડાથી સવાર પડી હતી. સુરેન્દ્રનગરના કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની ટીમ ત્રાટકતા ચકચાર મચી ગઈ છે. સુરેન્દ્રનગરમાં કલેક્ટર, નાયબ મામલતદારના ઘરે ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ઈડીએ ધામા નાંખ્યા છે. ઈડીના અધિકારીઓ સર્ચ કરી રહ્યા છે. જેમાં તપાસ થયા બાદ અનેક બેનામી સંપત્તિઓના ખુલાસા થાય તેવી શક્યતા છે. સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ઈડીએ દરોડા પાડ્યા છે.…

Read More

લીલાબેને સચિવાલયના દરવાજે પોતાની હૈયાવરાળ ઠાલવી.પાકિસ્તાનમાં કેદ માછીમારો મુદ્દે ઉનાના પરિવારોએ સરકારને અરીસો બતાવ્યો.મત લેવાના હોય ત્યારે સરકાર ગરીબોના ઘર સુધી લાંબી થાય છે તમને સત્તા પર બેસાડનારા અમે ગરીબો જ છીએ.ગીર સોમનાથના ઉના તાલુકાના પાલડી ગામના માછીમાર પરિવારો પોતાના સ્વજનોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા માટે ગાંધીનગર સુધી લાંબા થયા હતા. જાેકે, સરકારના વલણથી નારાજ એક મહિલા અરજદાર, લીલાબેને સચિવાલયના દરવાજે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. પાલડી ગામના રહેવાસી લીલાબેને મીડિયા સમક્ષ રડતી આંખે જણાવ્યું હતું કે, “અમારા ગામના માછીમારો પાકિસ્તાનમાં પકડાયા છે. તે બાબતે રજૂઆત કરવા અમે ૨૦૦૦-૨૫૦૦ રૂપિયા ખર્ચીને અહીં ગાંધીનગર આવ્યા છીએ. પણ અહીં અમારા જેવા ગરીબ લોકોનું…

Read More

પાણીના નમૂના ટેસ્ટિંગમાં ફેઈલ.દામોકુંડનું પાણી આચમન લાયક નહી સ્નાનને લાયક પણ નથી.ચડયો ન ગઢ ગિરનાર ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર આ લોક જીહવા રચિત દુહો જ દામોદરકુંડની અગત્યતા અને મહત્તા વિશે ઘણું જ કહી જાય છે.કાઠિયાવાડનો આ એક બહુ જ પ્રચલિત દુહો સમગ્ર ગુજરાતની લોકજીભે કંઠસ્થ થઈ ગયો છે. સોરઠ દેશ ન સંચર્યો, ચડયો ન ગઢ ગિરનાર ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર આ લોક જીહવા રચિત દુહો જ દામોદરકુંડની અગત્યતા અને મહત્તા વિશે ઘણું જ કહી જાય છે. જે કોઈ દામોદરકુંડે નાહ્યો ન હોય તેનો અવતાર એળે ગયો કહીને તેની અગત્યતા અને લોકજીવન સાથે ધાર્મિક રીતે તે કેટલો…

Read More

અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્નું મેગા ઓપરેશન.દાદરા નગર હવેલીમાંથી ચાઈનીઝ દોરીની ફેક્ટરી ઝડપી, ૨.૩૪ કરોડનો મુદ્દામાલ જપ્ત.ફિરકીઓ અને મશિનરી સહિત કુલ ૨.૩૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.એ ઉત્તરાયણ પહેલાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાણંદ, બાવળા, કોઠ અને આણંદમાં પાડવામાં આવેલા દરોડાના તાર છેક દાદરા નગર હવેલી સુધી પહોંચ્યા હતા. બાદમાં એસ.ઓ.જીની ટીમે દાદરા નગરમાં ધમધમતી ગેરકાયદે ચાઇનીઝ દોરી બનાવતી કંપનીને પણ ઝડપી પાડી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ૫૨,૦૦૦ જેટલી પ્રતિબંધિત ફિરકીઓ અને મશિનરી સહિત કુલ ૨.૩૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ, બાવળા અને આણંદમાં દરોડા…

Read More

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ.ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ મળી.ગિફ્ટ સિટીમાં આવેલી કંપની/સંસ્થા/યુનિટમાં કામ કરતાં કર્મચારીઓને લીકર એક્સેસ પરમિટથી સુવિધા મળશે.ગુજરાત સરકારે GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માં દારૂની પરમિટમાં વધારાની છૂટછાટ આપી દીધી છે. ગત શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જે વ્યક્તિઓ બહારના છે અને ગુજરાતના રહેવાસી નથી તેઓને દારૂ પીવા માટે પરમિટની જરૂર રહેશે નહીં. આમ અન્ય રાજ્યના લોકો અને વિદેશી નાગરિક પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર બતાવીને GIFT સિટીમાં દારૂ પી શકશે. આ લોકોને અલગથી પરમિટ લેવાની જરૂર નહીં રહે. આ ર્નિણય ૩૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ જાહેર કરાયેલી છૂટછાટમાં વધારાની છૂટ આપે છે. કોને દારૂ…

Read More

હવામાં ઉડતી ટેક્સીપ શહેરના ટ્રાફિક જામથી મુક્તિ.ભારતમાં શરૂ કરાયું પ્રથમ એર ટેક્સીનું ટેસ્ટિંગ.આકાશ તરફ નજર કરી છે હવામાં ઉડતી ટેક્સીના સપના સાથે કંપનીએ પોતાના પ્રથમ એર ટેક્સી પ્રોગ્રામની ગ્રાઉન્ડ ટેસ્ટિંગ શરૂ કરી છે.દિવસેને દિવસે વધતા ટ્રાફિક જામને કારણે હવે તો બહાર નીકળનારા, ઓફિસ દરરોજ ટાઇમસર ન પહોંચી શકતા લોકો પણ કહી રહ્યા છે કે હવે ટ્રાફિકનું બસ થયુ. ટેક્સી, કેબ કે રિક્શો દરેક વાહન ટ્રાફિકની સમસ્યામાં ફસાય જ છે. દરરોજ રોડ પર ચાલતા અઢળક વાહનો અને ટ્રાફિકને કારણે રસ્તાઓ પણ થાકી ગયા છે. પરંતુ ટ્રાફિક જામની સમસ્યાથી છુટકારો મેળવવા આવી ગઇ છે હવામાં ઉડતી ટેક્સી… મળતી માહિતી પ્રમાણે એરોસ્પેસ સ્ટાર્ટઅપ…

Read More

રાજ્યસભા સાંસદનો દાવો.ભારતની ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી.RBI અને નાણા મંત્રાલય કેટલીક નોટો પર રવીન્દ્રનાથ ટાગોર અથવા એ.પી.જે. અબ્દુલ કલામની તસવીરો મૂકવા પર વિચાર કરી રહ્યા છે.મનરેગા (MNREGA) નું નામ બદલવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે એક નવો વિવાદ ઊભો થયો છે. CPI ના રાજ્યસભા સાંસદ જાેન બ્રિટાસે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો છે કે, સરકાર ભારતીય ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી કરી રહી છે. સાંસદ જાેન બ્રિટાસે મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે, કરન્સી નોટો પરથી ગાંધીજીની તસવીર હટાવવા માટેનું પ્રારંભિક પ્લાનિંગ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે,…

Read More