Author: garvigujrat

સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ પ્રદર્શિત કરી.પીએમ મોદીના ભવ્ય રોડ શોમાં જુનિયર બચ્ચને આકર્ષણ જમાવ્યું.મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલા પિનાકીન ગોહિલે પ્રધાનમંત્રીના રોડ શો દરમિયાન સોમનાથ મંદિરની પ્રતિકૃતિ પ્રદર્શિત કરી.જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હોય છે, ત્યારે જનતાનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે. હાલમાં જ સોમનાથની ભૂમિ પર જ્યારે પ્રધાનમંત્રી પધાર્યા, ત્યારે તેમને આવકારવા માટે માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ દૂર-દૂરથી તેમના પ્રશંસકો ઉમટી પડ્યા હતા. આ ભીડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ભાવનગરના વતની અને ‘જુનિયર બચ્ચન‘ તરીકે જાણીતા કલાકાર પિનાકીન ગોહિલ, જેઓ પ્રધાનમંત્રી પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરવા ખાસ સોમનાથ પહોંચ્યા હતા. મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલા પિનાકીન ગોહિલે પ્રધાનમંત્રીના રોડ…

Read More

વિદ્યાર્થી સંઘો, એનજીઓને લડતમાં સામેલ થવા પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમની અપીલ.ભાજપ મારો પ્રથમ દુશ્મન વિરોધ માટે વિપક્ષોને એક થવા મમતાની હાકલ.અગાઉ કોંગ્રેસના નેતૃત્વમાં દેશના તમામ વિરોધ પક્ષોએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી હતી.તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મળેલાં સજ્જડ પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીને હવે વિપક્ષી એક્તાની યાદ આવી છે. તેમણે ભાજપ વિરુદ્ધ લડવા માટે તમામ વિરોધ પક્ષોને એકજૂથ થવા અને એક સંયુક્ત મંચનું ગઠન કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસના નેતૃત્વમાં દેશના તમામ વિરોધ પક્ષોએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી હતી. તેમાં સામેલ રાજકીય પક્ષોના વ્યક્તિગત હિતોને કારણે આ ગઠબંધન બિનઅસરકારક પૂરવાર થયું છે. આ…

Read More

૨૦૨૬માં તાપમાન તમામ રેકોર્ડ તોડશે.દેશમાં હવે ભીષણ ગરમી પડશે, સુપર અલ-નિનોને કારણે એલર્ટ.ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો થશે.વિશ્વભરમાં તાપમાન સતત વધી રહ્યું છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતના અનેક વિસ્તારોમાં આ વર્ષે એપ્રિલમાં જ તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. જાેકે, મે મહિનાની શરૂઆતથી દેશના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વરસાદને કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે, પરંતુ ૯ મે પછી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના તાજેતરના અહેવાલોએ મોટી ચેતવણી આપી છે. ઠંડા પવનોને બદલે હવે ‘સુપર અલ-નીનો’નો ખતરો…

Read More

સ્ટોરીમાં ફેરફારને બહાને રવાના કરાઈ.વેબ સીરિઝ રોયલ-ટુમાંથી ભૂમિ પેડનેકર આઉટ.આ સીરિઝનો પહેલો ભાગ રીલિઝ થયો ત્યારે ઈશાન ખટ્ટરની એક્ટિંગના વખાણ થયાં હતાં. સીરિઝ ઓવરઓલ લોકોને પસંદ પડી હતી.વેબ સીરઝ ‘ધી રોયલ્સ’ની બીજી સીઝનમાંથી ભૂમિ પેડનેકર આઉટ થઈ ગઈ છે. આ સીરિઝમાં ઈશાન ખટ્ટર મુખ્ય હિરો છે. વિતેલા જમાનાની અભિનેત્રી ઝિન્નત અમાને આ સીરિઝથી ઓટીટી પર ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત સીરિઝમાં ટીવી સ્ટાર સાક્ષી તંવર પણ મહત્વની ભૂમિકામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીજા ભાગમાં મોટાભાગના કલાકારો રીપિટ થવાના છે પરંતુ ભૂમિ પેડનેકરને રવાના કરી દેવાઈ છે. આ સીરિઝનો પહેલો ભાગ રીલિઝ થયો ત્યારે ઈશાન ખટ્ટરની એક્ટિંગના વખાણ થયાં હતાં. સીરિઝ…

Read More

અવિકા અને તેના પતિએ બેગકોકમાં ઘર લીધું.અવિકા ગૌર ભારત છોડી બેંગકોક રહેવા જતી રહી.જાેકે, અભિનેત્રી અવિકા ગૌર એક્ટિંગ નહીં છોડે, ભારત કામ માટે આવતીજતી રહેશે તેવો અવિકાનો દાવો.ટોચની ટીવી એકટ્રેસ અવિકા ગૌર ભારત છોડી તેના પતિ મિલિંદ ચંદવાની સાથે બેંગકોક રહેવા જતી રહી છે. જાેકે, અવિકાના દાવા અનુસાર તે ભારતીય પ્રોજેક્ટસમાં કામ કરવાનું છોડવાની નથી. પોતે, શિડયૂલ પ્રમાણે ભારત આવતી જતી રહેશે. અવિકાએ કહ્યું હતું કે મારા પતિએ પણ મારી કેરિયર ખાતર પોતાની કેરિયરનો ઘણો ભોગ આપ્યો છે. હવે તેની કેરિયર ખાતર મેં પણ બેંગકોક જવાનું પસંદ કર્યું છે. આમ પણ અમને ત્યાં વારંવાર ફરવા જવાનું ગમતું હતું અને હવે…

Read More

ઇન્ટરવ્યુમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે ખુલીને વાત કરી.ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પુરુષવાદી વિચારધારા ઊંડે સુધી જડાઈ ગઈ છે : ક્રિતિ સેનન.હાલ ક્રિતિ સેનન તેની આગામી ફિલ્મ ‘કોકટેલ ૨’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે ૧૯ જૂન, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે.ક્રિતિ સેનને તાજેતરમાં આપેલાં એક ઇન્ટરવ્યુમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે પણ રહેલા ભેદભાવ વિશે ખુલીને વાત કરી હતી. ક્રિતિએ પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું કે અસમાન વર્તન અને વળતરમાં ભેદભાવ જેવી બાબતો આજે પણ બોલિવૂડમાં જાેવા મળે છે.લાંબા સમયથી સિનેમામાં રહેલી અસમાનતાઓની વાત કરતી ક્રિતિએ જણાવ્યું કે ફિલ્મોમાં આર્થિક વાટાઘાટો દરમિયાન ઘણીવાર અભિનેત્રીઓને વધુ નુકસાન સહન કરવું પડે છે. તેનાં કહેવા મુજબ જ્યારે પ્રોડ્યુસર્સ બજેટમાં ઘટાડો કરવા…

Read More

ત્રિશાની આંખમાં આંસુ આવ્યાં.વિજય થલાપતિના શપથ સમારોહમાં ગર્લફ્રેન્ડ અભિનેત્રી ત્રિશા છવાઇ.ત્રિશા ટીલ અને સોનેરી સાડીમાં અદભુત દેખાતી હતી, જેમાં સોનેરી ભરતકામવાળા ક્રીમ રંગના બ્લાઉઝ સાથે જાેડી હતી.તમિલનાડુના મુખ્યમંત્રી બનેલા વિજય થલાપતિના શપથ ગ્રહણ સમારોહમાં વિજયની ગર્લ ફેન્ડ અને તમિલ અભિનેત્રી ત્રિશા કૃષ્ણન વાદળી સાડી પહેરીને પહોંચી હતી અને પોતાની સાદગીથી ચાહકોનાં દિલ જીતી લીધા હતાં. ચેન્નાઈના જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમમાં તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં ત્યારે અન્ય સૌ કોઇ સાથે અભિનેત્રી ત્રિશા કૃષ્ણન સાવ અલગ રીતે નિખરી હતી.અભિનેત્રી ત્રિશા કૃષ્ણન તમિલનાડુમાં સી. જાેસેફ વિજયના શપથ ગ્રહણ સમારોહમાં અદભુત દેખાઈ હતી. તમિલનાડુના રાજકારણમાં આવેલા મોટા રાજકીય પરિવર્તન વચ્ચે, ત્રિશા કૃષ્ણને…

Read More

ફિલ્મ ‘આંધી’ના ૫૦ વર્ષ પૂર્ણ થયા.આંધી’ ઇન્દિરા ગાંધીના જીવનચરિત્ર ઉપર આધારિત ફિલ્મ નહોતી: ગુલઝાર.ગુલઝારે સરકારના સૂચન અનુસાર સુચિત્રા સેન પાસે તે ડાયલોગ બોલાવ્યો હતો અ પ્રતિબંધ ઉઠાવી લેવાયો હતો.ગુલઝારે એક શક્તિશાળી મહિલા રાજકારણીને ધ્યાનમાં રાખીને એક કાલ્પનિક વાર્તા લખી હતી પરંતુ લોકોએ તેને ઇન્દિરા ગાંધીના જીવન સાથે સંકળાયેલી હોવાની અફવા ઉડાવી હતી જેના પગલે તત્કાલિન કેન્દ્ર સરકારે ૨૩મા સપ્તાહ દરમ્યાન તેના ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. ગુલઝારે પ્રતિબંધ અંગે સરકારનો સંપર્ક કરતા સરકાર તરફથી એવું સૂચન આવ્યું હતું કે જાે તે ફિલ્મમાં એક વધારાનો ડાયલોગ ઉમેરી દેશે તો પ્રતિબંધ ઉઠાવી લેવાશે. ગુલઝારે સરકારના સૂચન અનુસાર સુચિત્રા સેન પાસે તે ડાયલોગ…

Read More

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી.કેરલમમાં કોંગ્રેસની જીત છતાં જંગ! CM પદ માટે ત્રણ નેતા ‘અડગ.ત્રણદાવેદારો (વી.ડી. સતીશન, કેસી વેણુગોપાલ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રમેશ ચેન્નીથલા) વચ્ચે સહમતિ સધાઈ શકી નથી.પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામ જાહેર થયાને એક સપ્તાહ જેટલો સમય થઈ ગયો છે. કેરલમ સિવાય તમામ રાજ્યોમાં મુખ્યમંત્રી જાહેર થઈ ચૂક્યા છે. પરંતુ કેરલમમાં મુખ્યમંત્રી કોણ બનશે? ભારે બહુમતી હોવા છતાં કોંગ્રેસ પાસે આ પ્રશ્નનો જવાબ નથી. આ સવાલનો જવાબ શોધવા માટે બેઠકો પણ થઈ રહી છે, તેમ છતાં હજુ સુધી કોઈ ઉકેલ મળી શક્યો નથી. આ દરમિયાન મુખ્યમંત્રીના ચહેરાની પસંદગીને લઈને પાર્ટીમાં આંતરિક ડખાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું…

Read More

કેન્યાના ૪ ચિત્તા બનશે ગુજરાતના મહેમાન.કેન્યાથી બે નર અને બે માદા ચિત્તા ગુજરાત લાવવામાં આવશે.કચ્છના બન્નીમાં પુન:વસવાટ માટેની તૈયારીઓ તેજ.ગુજરાતની ધરતી પર ચિત્તાની ઘરવાપસી માટે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઑથોરિટી (NTCA) એ લીલીઝંડી આપતા હવે ટૂંક સમયમાં ચિત્તા ગુજરાતમાં જાેવા મળશે. કચ્છના બન્ની ઘાસિયા વિસ્તારમાં ચિત્તાને લાવવામાં આવનાર હોવાની વાત ચાલી રહી છે. જેમાં ૨ નર અને ૨ માદા ચિત્તા જુલાઈ-ઓગસ્ટ સુધીમાં ગુજરાતની ધરતી પર પગ મૂકે તેવી શક્યતાઓ છે. જાેકે, બન્ની વિસ્તારનો માલધારી સમાજ આ ર્નિણયને લઈ નાખુશ જાેવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે, જાે ચિત્તા બન્ની વિસ્તારમાં વસવાટ કરશે તો તેમના પાલતુ પશુઓને ખતરો છે. મધ્ય પ્રદેશના કુનો…

Read More