- ડાર્ક પેટર્ન બદલ Zepto, BookMyShow સહિત 9 એપ્સને CCPAનો દંડ, ગ્રાહકો પાસેથી વસૂલાતા છુપા ચાર્જ પર કાર્યવાહી
- 20 દિવસમાં 5 વખત રસ્તો ધસી ગયો, લખનઉ-કાનપુર એક્સપ્રેસવેના રિપેરમાં ટેબલ ફેનનો વીડિયો વાયરલ
- સુરતમાં એનલોગ પનીર સામે કાર્યવાહી, નકલી-અસલી પનીરનો ભેદ અને આરોગ્યના જોખમો પર ચેતવણી
- સુરતમાં 15 ઓગસ્ટે વાલ્મીકી સમાજનો કૌટુંબિક તકરાર સમાધાન કાર્યક્રમ, પક્ષકારોને હાજરીનું આમંત્રણ
- સુરતમાં 9 ઓગસ્ટે AAPનો ઈ-20 પેટ્રોલ જાગૃતિ કાર્યક્રમ, ઈથનોલના અસરકારક મુદ્દે થશે ચર્ચા
- સાંસદના ગામમાં જ કમર સુધીના ખાડા, AAPનો મનસુખ વસાવા પર પ્રહાર; રસ્તા મુદ્દે ઉગ્ર આક્ષેપ
- 30 વર્ષ બાદ ‘1942: અ લવ સ્ટોરી’ ફરી થિયેટર્સમાં, અનિલ કપૂર-મનીષા કોઈરાલાની ક્લાસિક ફિલ્મ રી-રિલીઝ
- 7000 કરોડ કમાવનાર ‘ઇન્સિડિયસ’ની છઠ્ઠી ફિલ્મનું ટ્રેલર રિલીઝ, 21 ઓગસ્ટે થિયેટરોમાં ધમાકો
Author: garvigujrat
સાંસદ મનસુખ વસાવાએ પોતાની પાર્ટીને ધોઈ નાખી! કમિશનની સિસ્ટમ હવે ભાજપમાં પણ ઘૂસી ગઈ છે પોતાની જ પાર્ટીના નેતાઓ પર બસ સ્ટેશનને બદલે શોપિંગ સેન્ટર બનાવી ટકાવારી લેવાનો ગંભીર આરોપ લગાવ્યો સામે ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે વિપક્ષને બદલે ભાજપના જ વરિષ્ઠ અને આખાબોલા સાંસદ મનસુખ વસાવા પોતાની જ પાર્ટીના નેતાઓ પર રીતસરના બગડ્યા છે. તેમણે જાહેરમાં ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને ધારાસભ્ય પર કમિશન એટલે કે ટકાવારી લેવાનો ગંભીર આરોપ લગાવતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. મનસુખ વસાવાએ ખુલ્લેઆમ કહ્યું છે કે, નેતાઓ લોકોની સુવિધા માટે બસ સ્ટેશન બનાવવાને બદલે પોતાના આર્થિક ફાયદા અને ટકાવારી માટે શોપિંગ સેન્ટર ઊભા…
અભિનેત્રી ખુદ જાેઇને ચોંકી! એડલ્ટ સાઇટ પર વાઈરલ થઈ હતી જ્હાન્વી કપૂરની તસવીરો સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેણે એક એડલ્ટ વેબસાઇટ પર પોતાની મોર્ફ કરેલી (એડિટ કરેલી) તસવીરો જાેઈ હતી બોલીવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે તાજેતરમાં પોતાની જિંદગીના એક અત્યંત આઘાતજનક કિસ્સાનો ખુલાસો કર્યો છે. રાજ શમાની સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે જ્યારે તે માત્ર ૧૫ વર્ષની હતી અને સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેણે એક એડલ્ટ વેબસાઇટ પર પોતાની મોર્ફ કરેલી (એડિટ કરેલી) તસવીરો જાેઈ હતી. આ ઘટનાએ તેને અંદરથી હચમચાવી દીધી હતી. જ્હાન્વીએ તે ભયાનક અનુભવ યાદ કરતા કહ્યું કે સ્કૂલમાં આઈટી ક્લાસ દરમિયાન કેટલાક છોકરાઓ મજાક માટે આવી સાઇટ્સ…
ભારત પહોંચ્યું મહામશીન હવે સમુદ્રની નીચે ૨૧૩ ફૂટની ઊંડાઈએ ફટાફટ દોડશે બુલેટ ટ્રેન પાણીના બોરિંગનું કામ કરવા ચીનથી ખાશ મશીન મંગાવાયું દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનને ઓગસ્ટ ૨૦૨૭થી શરૂ કરવાની તૈયારી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ ટ્રેન શરૂ થયા બાદ અમદાવાદથી મુંબઈ (૫૦૮ કિમી) માત્ર ૨ કલાક ૫૦ મિનિટમાં પહોંચી શકાશે. અમદાવાદથી મુંબઈ વચ્ચે આ ટ્રેન ૨૧ કિમીનું અંતર જમીનની નીચે કાપશે. જેનો કેટલોક હિસ્સો સમુદ્રની નીચેથી પસાર થશે. પાણીના ૨૧૩ ફૂંટ ઊંડાણમાં ૨૫૦ કિમીની ઝડપે ટ્રેન દોડાવવી સરળ નથી. તે માટે ટનલ બનાવવામાં આવી રહી છે. ચીનથી આવનાર મહામશીનની મદદથી આ કામ…
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેનું વિવાદાસ્પદ નિવેદન મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં કેરળના લોકો માત્ર કેરળમાં જ સીમિત નથી, તેઓ આખી દુનિયામાં ફેલાયેલા છે, કામ કરી રહ્યા છે : ખડગે કેરળમાં આગામી ૯ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ માટે અત્યારે ત્યાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. તમામ પાર્ટીઓ એડીચોટીનું જાેર લગાવી રહી છે. પરંતુ આ ચૂંટણી પ્રચાર વચ્ચે આજે (૫ એપ્રિલ) કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એવું નિવેદન આપ્યું છે, જેને કારણે એક નવો જ રાજકીય વિવાદ ઊભો થઈ ગયો છે. પોતાના ભાષણ દરમિયાન ખડગેએ ગુજરાતની પ્રજાને સીધી રીતે અશિક્ષિત…
પેટ્રોલિયમ જરૂરિયાતોમાં ઉત્પન્ન સ્થિતિના કારણે ર્નિણય નેપાળ સરકારનો મોટો ર્નિણય, અઠવાડિયામાં ૨ દિવસની રજા નવા ર્નિણયમાં સરકારી કચેરીઓના ખુલવાનો સમય સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી નક્કી કરાયો છે નેપાળ સરકારે આજે(૫ મે) બે મહત્ત્વપૂર્ણ ર્નિણય લીધા છે, જે હેઠળ હવે સરકારી કાર્યાલયો માટે અઠવાડિયામાં શનિવાર અને રવિવાર બંને દિવસ રજા જાહેર કરાઈ છે. નવા ર્નિણયમાં સરકારી કચેરીઓના ખુલવાનો સમય સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી નક્કી કરાયો છે. સરકારના પ્રવક્તા સસ્મિત પોખરેલે જણાવ્યું કે, સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં હવે શનિ-રવિ રજા રહેશે. પેટ્રોલિયમ જરૂરિયાતોમાં ઉત્પન્ન અસહજ સ્થિતિના કારણે આ ર્નિણય લેવાયો છે. નેપાળમાં અત્યાર સુધી માત્ર…
મુંબઈ ઇન્ડિયન્સ સાથે ગુવાહાટી જવા રવાના થયો હાર્દિક પંડ્યા ૭ એપ્રિલે રાજસ્થાન સામેની મેચમાં વાપસી કરી શકે હાર્દિક બીમારીના કારણે દિલ્હી સામે રમી શક્યો નહોતો મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને IPL ૨૦૨૬ની પોતાના અભિયાનની શરૂઆત શાનદાર જીત સાથે કરી હતી. જાેકે, ૪ એપ્રિલના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સને દિલ્હી કેપિટલ્સ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાને આ મેચમાં બીમારીને કારણે આરામ આપવામાં આવ્યો હતો. ત્યારે દરેકના મનમાં એક પ્રશ્ન હતો કે હાર્દિક ક્યારે તેની ફિટનેસ પાછી મેળવશે ? હવે તેની હેલ્થ અંગે મોટી અપડેટ સામે આવી છે. મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ ૭ એપ્રિલે ગુવાહાટીમાં…
૪૦ વર્ષની આતુરતાનો આવશે અંત સંસદમાં મહિલા અનામત માટે PM મોદીનો માસ્ટરપ્લાન તૈયાર આ અમારી જ સરકાર છે જેમણે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો માર્ગ મોકળો કર્યો : મોદી કેન્દ્ર સરકારે ૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલના રોજ ગૃહની વિશેષ બેઠક બોલાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશેષ સત્રનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા દેશની મહિલાઓને ૩૩ ટકા અનામતનો લાભ અપાવવાનો સંકલ્પ દોહરાવ્યો છે. તેમનું આ નિવેદન માત્ર મહિલાઓના રાજકીય ભવિષ્યને સુરક્ષિત કરનારું નથી, પરંતુ દક્ષિણ ભારતની મોટી ચિંતાને પણ દૂર કરવાનો પ્રયાસ છે. વડાપ્રધાને જણાવ્યું કે, “આ અમારી જ સરકાર છે જેમણે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા…
૪ લોકોના દર્દનાક મોત, ૧૮ને બચાવાયા હિમાચલમાં ૨૨ મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી પ્રવાસીઓથી ભરેલી આ બસ સોઝા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે વળાંક પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં પ્રવાસીઓ માટે રવિવાર અમંગળ સાબિત થઈ છે. બંજર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સોઝા નજીક ૨૨ મુસાફરોને લઈ જતી એક બસ પર્વતીય રસ્તા પરથી કાબુ ગુમાવતા ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ૪ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧૮ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. અહેવાલો અનુસાર, પ્રવાસીઓથી ભરેલી આ બસ સોઝા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે વળાંક પર ચાલકે…
સ્નાયુઓમાં ખેંચાણ થતું હોવાથી તે ફિટ નહોતો શુભમન ગિલ સાજાે થઈને મેદાન પર પરત આવશે આ મુદ્દે પાર્થિવે અપડેટ આપ્યું છે, પરંતુ તેણે માત્ર શુભમન ગિલ મેદાન પર પરત ફરવાની આશા વ્યક્ત કરી છે ગુજરાત ટાઈટન્સનો સુકાની શુભમન ગિલ ઈજાગ્રસ્ત હોવાના કારણે IPL-2026 માંથી બહાર છે, જેના કારણે તેના ચાહકોની ચિંતા વધી ગઈ છે. ઈજાના કારણે ગિલ ચોથી એપ્રિલે રાજસ્થાન રૉયલ સામેની મેચમાં મેદાનમાં આવી શક્યો ન હતો અને તેના સ્થાને રાશિદ ખાને સુકાનીની ભૂમિકા નિભાવી હતી. જાેકે હવે ગુજરાત ટાઈટન્સના આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલે ગિલની ઈજા અંગે મહત્ત્વનું અપડેટ આપ્યું છે. રાજસ્થાન સામેની મેચમાં ટોસ વખતે રાશિદ ખાને ગિલ…
IAEA ની પણ ચેતવણી ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ નજીક હુમલાથી ફફડાટ! રશિયાના એન્જિનિયરોએ ભાગવું પડ્યું અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત સૈન્ય દળોએ ઈરાનના મહત્વના ગણાતા બુશેહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નજીકના વિસ્તારોને નિશાન બનાવ્યા છે મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત જાેખમી વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત સૈન્ય દળોએ ઈરાનના મહત્વના ગણાતા બુશેહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નજીકના વિસ્તારોને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં પ્રોજેક્ટાઈલના ટુકડા વાગવાથી એક સુરક્ષાકર્મીનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) દ્વારા કરવામાં આવી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ દાવો કર્યો છે કે, ૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં…




