- ટ્રમ્પના દાવા બાદ ઈટલી PM જ્યોર્જિયા મેલોનીનો આકરા જવાબ, નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કોલકાતામાં અનોખો નજારો: હૂગલી નદી પર 500થી વધુ નૌકાઓમાં સામૂહિક યોગ
- ફૂટપાથ પર ચાલવું મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારને કાયદો બનાવવા નિર્દેશ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીઓના રાજીનામા, નવા ભરતી થયેલા કર્મીઓએ પણ છોડ્યો રસ્તો
- બેરોજગારી, ગરીબી અને મોંઘવારીના કારણે યુવાનો અને યુવતીઓ ખોટા માર્ગે ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ
- મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડના દાન અને દાગીના ગાયબ હોવાનો ગંભીર આરોપ
- સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ, પીડિતાને ₹5 લાખ વળતર
- મિડલ ઈસ્ટમાંથી રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલના 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
Author: Garvi Gujarat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભ્રષ્ટાચાર નો અખાડો બની ગયેલી સુરત મહાનગર પાલિકામાં બિરાજમાન થતા અધિકારીઓ કે પદાધિકારીઓ જેના હાથમાં એના મોંમા નીતિ અપનાવી જ્યારે શાસન ચલાવતા હોય ત્યારે ભ્રષ્ટાચારીઓને ખુલ્લુ મેદાન મળી જતું હોય છે. અને એનો નમૂનો એટલે ૧૫ લાખ જેવી અધધ!! રકમની લાંબી લાંચ માંગીને વચેટીયા જેવા પત્રકાર ને વિપુલ ગણેશવાલા ના નામે રૂપિયા ચાર લાખ લઈને ભાગી છુટવાનો મોકો મળે છે. અહીં વાત કરવી છે તાજેતરમાં લાંચ ના છટકામાં પકડાતા પકડાતા છટકી ગયેલા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા અને એના વચેટીયા જેવા પત્રકાર પરવાના ની એવા લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા ગણેશવાલા ના સમયમાં જ લિંબાયત ઝોનમા અનેક માર્કેટોના…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે ગુજરાતના રાજ્યપાલ વિધાનસભા ગૃહમાં પધાર્યા હતા અને તેમણે ખૂબ જ સારી પ્રાકૃતિક ખેતીની વાત કરી. તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદા, જૈવિક ખેતીથી થતા નુકસાન, કેમિકલયુક્ત ખેતીથી થતા નુકસાન જણાવ્યા અને પોતાનો અનુભવ શેર કર્યો તેનાથી અમને ખૂબ જ ખુશી થઈ. તો રાજ્યપાલ ખેડૂતો માટે આટલું વિચારે છે પણ શું સરકાર આટલું વિચારે છે? આજે મારો ખેતી મુદ્દે સવાલ હતો કે બે વર્ષમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા જે સંશોધનો કરવામાં આવ્યા તેના આધારે તેમણે રાજ્ય સરકારને કેટલા સૂચનો…
સોનાના વાયદામાં રૂ.502 અને ચાંદીના વાયદામાં રૂ.6581ની તેજીઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.4નો સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.18493.07 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.280862.55 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13869.14 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39935 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.299355.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18493.07 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.280862.55 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 39935 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1582.03 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13869.14 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.160050ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.160719 અને…
આરોગ્ય કમિશનરે હોસ્પિટલોમાં રખડતાં શ્વાનની ગણતરી કરવાનો આદેશ આરોગ્ય વિભાગ જણાવ્યું કે, હોસ્પિટલોમાં સ્વચ્છતા અને દર્દીઓની સલામતી સર્વોપરી છે. રાજકોટના સરકારી દવાખાનાઓમાં શ્વાનોના આંટાફેરા મુદ્દે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. હોસ્પિટલ-વોર્ડમાં શ્વાનો ફરતાં હોવાનો વીડિયો વાઈરલ થતાં આરોગ્ય કમિશનરે હોસ્પિટલોમાં રખડતાં શ્વાનની ગણતરી કરવાનો આદેશ કર્યો છે. રાજકોટ જિલ્લામાં તમામ પ્રાયમરી હેલ્થ સેન્ટર(PHC), કમ્યુનિટિ હેલ્થ સેન્ટર(CHC), સબ ડિસ્ટ્રીક્ટ અને જિલ્લા હોસ્પિટલ પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. જેમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં રખડતાં શ્વાનોનો સર્વે કરીને આંકડા આપવા જણાવ્યું છે. રાજકોટ જિલ્લામાં ૫૫ PHC, ૧૨ CHCસહિત કુલ તમામ આરોગ્ય સંસ્થાઓમાંથી વિગતવાર માહિતી રજૂ કરવા સૂચન આપવામાં આવી છે. આરોગ્ય…
ડિવિઝન બેન્ચે આપી લીલી ઝંડી કેરળ હાઈકોર્ટેThe Kerala Story 2 પરનો સ્ટે હટાવ્યો ફિલ્મ નિર્ધારિત સમય મુજબ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ ધ કેરળ સ્ટોરી ૨ના મેકર્સ માટે આજે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ફિલ્મની રિલીઝ પર લગાવવામાં આવેલો વચગાળાનો સ્ટે(રોક) સંપૂર્ણપણે હટાવી દીધો છે. આ આદેશ બાદ હવે ફિલ્મ નિર્ધારિત સમય મુજબ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકશે. અગાઉ સિંગલ જજની બેન્ચે ફિલ્મમાં દર્શાવવામાં આવેલા કન્ટેન્ટ અને તેનાથી સાંપ્રદાયિક સૌહાર્દ બગડવાની આશંકા વ્યક્ત કરીને ૧૫ દિવસ માટે રોક લગાવી દીધી હતી, જેને હવે ડિવિઝન બેન્ચે પલટી નાખી છે. ગુરુવાર, ૨૬ ફેબ્રુઆરીના રોજ જસ્ટિસ થોમસે ફિલ્મ વિરુદ્ધ થયેલી…
સાબરમતી નદી સહિતના સ્થળોએ લાગશે સોલાર પેનલ કરોડોનું લાઈટબિલ ઘટાડવા માટે અમદાવાદ પાલિકાનો મેગા પ્લાન AMCની તમામ બિલ્ડીંગો પર સોલર પેનલ લગાવાશે. અમદાવાદ શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદી પર પહેલીવાર ઈકો ફ્રેન્ડલી ફ્લોટિંગ સોલાર લાગવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ થકી અમદાવાદ મહાનગરપાલિકા લાઈટબિલનું ભારણ ઘટાડશે, અને લાઈટ બિલ ઓછું આવશે. એટલું જ નહિ, AMCની તમામ બિલ્ડીંગો પર સોલર પેનલ લગાવવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, AMC હવે સાબરમતી નદી પર તરતી સોલર પેનલ લગાવશે. સાબરમતી નદી સહિત શહેરમાં આવેલા વિવિધ તળાવોમાં ફ્લોટિંગ સોલર લગાવવાનું આયોજન કરાયું છે. પ્રોજેક્ટના અમલીકરણ અંગે…
કંપનીના CEO પણ ખુશ થઈ ગયા પાંચ વર્ષના બાળકે એરલાઈન પાયલોટના મેન્યુઅલમાં ભૂલ શોધી બાળકે એક એરલાઈન કંપનીના પાયલોટના મેન્યુઅલમાં ભૂલ શોધીને બતાવી અને એક્સપર્ટ પણ જાેતા રહી ગયા. નાની નાની ભૂલો ઘણી વાર મોટા એક્સપર્ટ પણ નથી શોધી શકતા પરંતુ ઘણી વાર એવું બને કે એક બાળક તે ભૂલને શોધી કાઢતું હોય છે. અમેરિકામાં એક આવો જ બનાવ સામે આવ્યો છે જેના વિશે જાણીને તમે નવાઈ પામી જશો. એક પાંચ વર્ષના બાળકે એક એરલાઈન કંપનીના પાયલોટના મેન્યુઅલમાં ભૂલ શોધીને બતાવી અને મોટા મોટા એવિએશન એક્સપર્ટ પણ જાેતા રહી ગયા. આ બાળકનું નામ વિલિયમ હાઈન્સ છે. જે અમેરિકાના કોલોરાડોમાં રહે…
વાહન ચાલકો માટે મોટા સમાચાર પેટ્રોલમાં ૨૦% ઇથેનોલ બ્લૅન્ડિંગ ફરજિયાત, કેન્દ્રનો મહત્ત્વપૂર્ણ ર્નિણય હવે માત્ર ૯૫ RON વાળું E20 પેટ્રોલ જ વેચાશે કેન્દ્ર સરકારે ૧ એપ્રિલથી દેશભરમાં E20 પેટ્રોલનું (૨૦% એથેનોલ મિશ્રિત) વેચાણ ફરજિયાત કરવાનો ર્નિણય કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, હવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેલ કંપનીઓએ ૨૦% એથેનોલ ભેળવેલું પેટ્રોલ જ સપ્લાય કરવાનું રહેશે. સરકારે એથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક ૨૦૩૦થી ઘટાડીને ૨૦૨૫-૨૬ કર્યો હતો. જેને હવે પૂર્ણ રીતે અમલ લાવવામાં આવશે. એન્જિનની સુરક્ષા માટે આ ઇંધણનો રિસર્ચ ઓક્ટેન નંબર (RON) ઓછામાં ઓછો ૯૫ નક્કી કરવામાં આવ્યો છે. RON એટલે ઇંધણની નોકિંગ (એન્જિનની અંદર સમય પહેલા વિસ્ફોટ થવો)…
ભૂકંપના ઝટકાથી કોલકાતાની ધરા ધ્રુજી કોલકાતામાં ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ આવતા ઘર બહાર દોડી આવ્યા લોકો પ્રારંભિક અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશમાં નોંધાયું : ભૂકંપના ઝટકા માત્ર થોડીક સેકન્ડ અનુભવાયા પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આજે બપોરે લગભગ દોઢ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા આશરે ૫.૫ જણાવવામાં આવી રહી છે. ભૂકંપ આવતાં જ લોકો તેમના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. જાેકે, ભૂકંપને કારણે જાન-માલના કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પ્રારંભિક અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશમાં નોંધાયું છે. ભૂકંપના ઝટકા માત્ર થોડીક સેકન્ડ જ અનુભવાયા હતા. ભૂકંપની અસર ઊંચી ઇમારતોમાં વધુ અનુભવાઈ હતી. ઘણી…
ભારતીય અર્થતંત્રે ફરી વિશ્વ સમક્ષ તાકાત દર્શાવી ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર, ૭.૮ ટકા નોંધાયો વિકાસ દર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના ત્રીજા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટે GDP ડેટા જાહેર કરાયો. ભારતીય અર્થતંત્રે ફરી એકવાર વિશ્વ સમક્ષ પોતાની તાકાત દર્શાવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના ત્રીજા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટે GDP ડેટા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ૭.૮% નો વિકાસ દર નોંધાયો છે. નોંધપાત્ર રીતે, આ વૃદ્ધિ એક નવી શ્રેણી હેઠળ માપવામાં આવી હતી, જે નિષ્ણાતોના અંદાજાેને સચોટ રીતે માન્ય કરે છે. બ્લૂમબર્ગ અને બજાર નિષ્ણાતોએ અગાઉ ત્રીજા ત્રિમાસિક ગાળામાં ૭.૬% વૃદ્ધિની આગાહી કરી હતી. ડેટા અનુસાર, ભારતે સફળતાપૂર્વક આ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



