- આમિર ખાન પર 5 કરોડનું ઈનામ જાહેર: પરમહંસના વિવાદાસ્પદ નિવેદનથી નવો વિવાદ શરૂ
- રશિયા સામે EUના નવા પ્રતિબંધો પર નિર્ણય ટળ્યો, ભારતને હાલ વેપારમાં મળી રાહત
- યમનના સના એરપોર્ટ પાસે મિસાઈલ હુમલાનો દાવો, ઈરાની વિમાનને માર્ગ બદલવો પડ્યો
- સરહદ સુરક્ષા માટે ભારતનું મોટું પગલું, 15 હજાર કરોડથી હાઈ ઑલ્ટિટ્યુડ એરશિપ બનશે
- E20 વિવાદ વચ્ચે ગડકરીનો દાવો: સામાન્ય કાર માલિક પોતે સાચું માઇલેજ ચેક કરી શકતો નથી
- ગાઝામાં ઈઝરાયેલી હુમલામાં 9 વર્ષની બાળકી સહિત 5નાં મોત, સૈન્યએ હુમલાનો સ્વીકાર કર્યો
- સલમાન ખાનનો ‘કાઉબોય’ લુક સોશિયલ મીડિયા પર વાયરલ, ફેન્સ બોલ્યા – ‘ભાઈજાનનો અંદાજ સૌથી અલગ’
- માત્ર 13 વર્ષની ઉંમરે ફિલ્મ માટે પસંદ થઈ: સંજના સાંઘીનું નિવેદન, ‘આપણા સપનાઓ આપણાથી વધુ બહાદુર હોય છે’
Author: garvigujrat
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સરકારનું મોટું નિવેદન.હોર્મુઝમાં ફસાયેલા તમામ ૨૨ ભારતીય જહાજાે સુરક્ષિત.ઈરાને જહાજાેને સુરક્ષિત રસ્તો આપવા બદલ ભારતે જપ્ત કરેલા તેના ત્રણ ટેન્કરોની અદલાબદલી કરવાની માંગ કરી.પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવની વચ્ચે ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા તમામ ૨૨ ભારતીય જહાજાે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ સાથે જ ભારતે તે અહેવાલોનું સખત શબ્દોમાં ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય ધ્વજ ધરાવતા અથવા ભારત આવતા જહાજાેને સુરક્ષિત રસ્તો આપવાના બદલામાં, ભારતે જપ્ત કરેલા તેના ત્રણ ટેન્કરોની અદલાબદલી કરવાની માંગ કરી છે. અગાઉ રૉયટર્સના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર કરેલા હુમલાઓ, અત્યાચારો સામે "અમારે શું" "અમારે શું" વાળી નીતિ અપનાવીને મૌન બેઠા હતા. તેઓ પણ હવે આ યુધ્ધની સાઈડ ઇફેક્ટ ના સપાટા માં આવી ગયા છે. જો અન્યાય સામે તમે અવાજ નહીં ઉઠાવો તો આ અન્યાય ની અગનજવાળા ઓ તમને પણ કઈ રીતે દઝાડે છે એનું જીવતું જાગતું ઉદાહરણ વિશ્વની વર્તમાન સ્થિતિ છે. દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાન દ્વારા નાકાબંધી કરવાથી વિશ્વભરના ઘણા દેશોમાં તેલનો પુરવઠો બંધ થઈ ગયો છે. અને ખાસ કરીને ભારતમાં અનુભવાઈ રહેલ તેલ અને ગેસ કટોકટી ઘણા સ્તરે ચિંતાજનક છે. જોકે સરકારે જણાવ્યું છે કે દેશમાં…
૩ ટ્રક સામાન કબજે કરાયો લાલબાગ ઓવરબ્રિજથી શ્રેયસ સ્કુલ સુધીના દબાણોનો સફાયો મ્યુનિ. કમિશનર સ્વયં રાત્રે ઓચિંતી મુલાકાતે નીકળ્યા હતા અને રસ્તા પરના ગેરકાયદે ઓટલાઓનો સફાયો કરતા રોડ રસ્તા ખુલ્લા થયા હતા વડોદરા શહેરમાં ચારે બાજુએ રોડ રસ્તા પર આડેધડ ગેરકાયદે દબાણો થઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. શહેરની મધ્યમાં નવા બજાર ખાતે પાલિકા મ્યુનિ. કમિશનર સ્વયં રાત્રે ઓચિંતી મુલાકાતે નીકળ્યા હતા અને રસ્તા પરના ગેરકાયદે ઓટલાઓનો સફાયો કરતા રોડ રસ્તા ખુલ્લા થયા હતા. ત્યારબાદ આજે પાલિકા દબાણ શાખાની કાર્યવાહી પણ મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી. એમાં લાલબાગ ઓવરબ્રિજ નીચેથી શ્રેયસ સ્કૂલ સુધી અને…
જે કર્યું તે યોગ્ય નથી : સુપ્રીમ કોર્ટ મુખ્યમંત્રી મમતા બેનર્જીની દખલગીરી પર સુપ્રીમ નારાજ IPAC ની ઓફિસમાં દરોડા દરમિયાન મમતા બેનરજી સ્થળ પર પહોંચી ગયા હતા તે મામલે સુનાવણી હાથ ધરાઈ હતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે ૮મી જાન્યુઆરીએ કોલકાતામાં જાણીતી પોલિટિકલ કન્સલ્ટન્ટ કંપની IPACની ઓફિસમાં દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ છે. ઈડીના દરોડા વખતે મમતા બેનરજીની એન્ટ્રી મામલે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, ‘જે થયું તે સુખ:દ વાત નથી, આવી રીતે જવું અમાન્ય વાત…
સોનાના વાયદામાં રૂ.1616 અને ચાંદીના વાયદામાં રૂ.2112ની નરમાઇઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.60 લપસ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.28774.87 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.133320.04 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16922.09 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.162094.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28774.87 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.133320.04 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2560.48 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16922.09 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.155658ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.156075 અને નીચામાં રૂ.154201ના સ્તરને સ્પર્શી, રૂ.155985ના આગલા બંધ સામે રૂ.1616 ઘટી રૂ.154369ના સ્તરે પહોંચ્યો હતો.…
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગત તારીખ 17 માર્ચના રોજ વિધાનસભામાં અલગ અલગ ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરી હતી. તેઓએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ ધારાસભ્યોને અઢી કરોડની ગ્રાન્ટ મળે છે પરંતુ આ ગ્રાન્ટ પ્રમાણસરની નથી, જે બાબતે આજે મેં રજૂઆત કરી હતી. જેમ કે સુરતની કરંજ વિધાનસભામાં મતદાર પોણા બે લાખ પણ નથી, જ્યારે અબડાસા વિધાનસભામાં પાંચ લાખ મતદાર છે, કામરેજમાં ચાર લાખ મતદારો છે, તો આ રીતે દરેક વિધાનસભામાં મતદારોની સંખ્યા અલગ અલગ છે. લગભગ દોઢ લાખથી લઈને સાડા પાંચ લાખ મતદાર ધરાવતી વિધાનસભાની સીટો હોય છે તો દોઢ…
આજે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. જે મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોજબરોજ કોલેજો, શાળાઓ, કોર્ટોને ઉડાવી દેવાની ધમકીઓ મળતી હોય છે. આજે તો વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળી છે. ત્યારે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગને મારી વિનંતી છે કે આધુનિક ટેકનોલોજીથી આવા લોકોને પકડીને એવા દાખલા બેસાડવામાં આવે કે રોજ રોજ મળતી ધમકી અટકી જાય. એટલી ધમકીઓ મળે છે “કોલેજો ઉડાવી દેવાની, શાળાઓ ઉડાવી દેવાની, હાઇકોર્ટમાં બૉમ્બ છે, સેશન્સ કોર્ટમાં બૉમ્બ છે”, તો આમાં અત્યાર સુધી કેટલા લોકોને પકડ્યા? કોઈ…
વિધાનસભામાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયા સાથે વાત કરતાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતની વિધાનસભાના સત્રમાં 18મી માર્ચ 2026ના દિવસે તારાંકિત પ્રશ્ન ક્રમાંક 165 દ્વારા મેં સરકારને પ્રશ્ન પૂછ્યો હતો. જોકે સમયના અભાવે મારો પ્રશ્ન ચર્ચામાં આવ્યો નથી, એટલે ગૃહની અંદર ઊભા રહીને આ પ્રશ્ન બાબતે કોઈ ચર્ચા થઈ શકી નથી. પરંતુ સરકાર તરફથી મળેલા જવાબ ઉપર ગુજરાતની જનતાનું ધ્યાન દોરવા માંગું છું. તેમણે જણાવ્યું કે તેમના પ્રશ્નનો વિષય ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટિંગ યાર્ડ)માં ખેડૂતો સાથે થતા ભાવફેર (કટોકટીમાં “કડદો”) અંગે હતો. તેમણે પૂછ્યું હતું કે શું સરકાર આ બાબતે વાકેફ છે કે…
વિધાનસભામાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયા સાથે વાત કરતાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે, ૧૮ માર્ચ ૨૦૨૬ના રોજ, ગુજરાત વિધાનસભામાં જૂનાગઢ જિલ્લાનો એક અત્યંત મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ખાસ કરીને વિસાવદર અને ભેસાણ તાલુકાની બાબતે તારાંકિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સમયના અભાવે આ પ્રશ્નની વિસ્તૃત ચર્ચા વિધાનસભામાં થઈ શકી નહોતી, પરંતુ સરકારે આપેલા જવાબના આધારે હું રાજકીય વિશ્લેષણ કરીને ગુજરાતની જનતા સુધી સંદેશ પહોંચાડવા માંગું છું. તેમણે જણાવ્યું કે અનેક સહકારી મંડળીઓ દ્વારા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ કરવામાં આવી રહી છે. સહકારી મંડળીઓમાં કેટલાક કિસ્સાઓમાં એવા ખેડુતોના નામે પણ લોન લેવામાં આવી છે…
નકલી પોલીસ બની પૈસા પડાવ્યા ફેસબુક ફ્રેન્ડે હનીટ્રેપમાં ફસાવી વેપારી પાસે ૩૦ લાખ માગ્યા રામોલ પોલીસે હનીટ્રેપમાં ફસાવી લોકો પાસે લાખો પડાવતી ટોળકીને ઝડપી લીધી હતી. આ જ ટોળકીએ ઘાટલોડિયાના વેપારીને પણ લૂંટ્યો હોવાનું ખૂલ્યું શહેરમાં હનીટ્રેપના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે નરોડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને વેપારીને ફેસબુક પર મિત્રતા કેળવી એક મહિલાએ મળવા બોલાવ્યા હતા. ત્યારબાદ તેના સાગરીતોએ નકલી પોલીસ બની વેપારીને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી માગી હતી. આ દરમિયાન નાના ચિલોડા પાસે ફિલ્મી ઢબે વેપારીનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી. ત્રણ લાખ પડાવ્યા બાદ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



