Author: Garvi Gujarat

બીજી ફિલ્મ યે પ્રેમ મોલ લિયાનું નામ પણ બદલાઈ શકે છે સલમાનની ‘માતૃભૂમિ’ બાદ હવે આયુષ્માનની ફિલ્મનું નામ બદલાયું શર્વરીની સૂરજ બરજાત્યા સાથેની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’નું નામ બદલીને ‘યે પ્રેમ મોહ માયા હૈ’ થઈ શકે છે થોડા દિવસ પહેલાં જ જ્યારે સલમાન ખાનની બહુ ફિલ્મ બેટલ ઓફ ગલવાનનું નામ બદલીને માતૃભૂમિ રાખવામાં આવ્યું ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ચાહકોને આશ્ચર્ય થયું હતું. હવે ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, સૂરજ બરજાત્યાના ર્નિદેશન હેઠળ બની રહેલી બીજી ફિલ્મ યે પ્રેમ મોલ લિયાનું નામ પણ બદલાઈ શકે છે.આ અંગે એક સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “ફિલ્મનું નામ બદલીને યે પ્રેમ મોહ માયા…

Read More

ડર અને કોમેડીનું અનોખું મિશ્રણ જાેવા મળશે. વામિકાએ ‘ભૂત બંગલા’માં બૉડી ડબલ વગર હાઈ-રિસ્ક ટ્રેન સ્ટન્ટ કર્યાે પ્રિયદર્શન દ્વારા ર્નિદેશિત અને અક્ષય કુમાર, શોભા કપૂર અને એકતા આર કપૂર દ્વારા નિર્મિત ભૂત બંગલા ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ થિએટર્સમાં રિલીઝ થવાની છે. જ્યારથી ભૂત બંગલાનું ટીઝર ઑનલાઇન લોંચ થયું ત્યારથી ફિલ્મ પ્રત્યે દર્શકોમાં ઉત્સાહ સતત વધતો રહ્યો છે, આ ફિલ્મ ૧૪ વર્ષ બાદ અક્ષય કુમાર અને ર્નિદેશક પ્રિયદર્શનની ફરી જાેડી ફરી એક સાથે આવી છે. જેમાં ડર અને કોમેડીનું અનોખું મિશ્રણ જાેવા મળશે.હાલમાં ચાલી રહેલા શૂટિંગ દરમિયાન, ફિલ્મનાં એક ગીતનાં શૂટમાંથી બૅકગ્રાઉન્ડ સીનમાંથી એક ક્ષણ ખાસ ધ્યાન ખેંચી રહી છે. પ્રોડક્શન…

Read More

ચૈત્ર મહિનામાં ચોમાસાનો માહોલ જાેવા મળ્યો અમદાવાદમાં ભારે પવન ફૂંકાતા રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ વૃક્ષો ધરાશાયી થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સહિત વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. ચૈત્ર મહિનામાં ચોમાસાનો માહોલ જાેવા મળ્યો છે. ભારે વરસાદ થવાને કારણે ખેડૂતોના તૈયાર થઈ રહેલા પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર , ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ શહેરમાં ભારે પવન ફૂંકાયો છે અને…

Read More

કચ્છ-ભૂજ અને આસપાસના વિસ્તારોમાં હવામાનમાં ઉથલપાથલ કચ્છના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં રાત્રે ભારે પવન સાથે ઝરમર વરસાદ નોંધાયો, જેના કારણે ભૂજ, નખત્રાણા, અબડાસા અને લખપત સહિતના વિસ્તારોમાં માવઠાની અસર જાેવા મળી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં આજે અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભચાઉ, રાપર, સામખીયારી અને બાલાસર જેવા વિસ્તારોમાં વાતાવરણમાં મોટી બદલાવ આવી, પવનની ઝડપ વધતાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો અને લોકોએ મુશ્કેલી અનુભવવી પડી. કેટલીક જગ્યાએ વૃક્ષો પડ્યા અને ધૂળની ડમરીઓ પણ જાેવા મળી હતી. આ મીની વાવાઝોડું માત્ર એક જ વિસ્તારમાં મર્યાદિત ન રહી, પૂર્વ અને…

Read More

જાગૃત નાગરિકો અને સ્થાનિક લોકો જાતે જ મેદાને ઉતર્યા અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે મહાકાય વૃક્ષ ધરાશાયું રસ્તો બંધ હોવાને કારણે એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની લાંબી કતારો લાગી હતી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા હેલ્મેટ સર્કલ પાસે બ્રિજના છેડે અચાનક એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ભરચક ટ્રાફિક ધરાવતા આ મુખ્ય રસ્તા પર વૃક્ષ પડતા જ વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે વૃક્ષ ધરાશાયી થયા બાદ લાંબા સમય સુધી તંત્રના કોઈ અધિકારી કે કર્મચારી ઘટના સ્થળે પહોંચી શક્યા ન હતા. રસ્તો બંધ હોવાને…

Read More

હજુ તો અમે વેર વાળ્યું જ નથી : ઈરાન ઓઈલ-ગેસ પ્લાન્ટ્સ પર હુમલા બાદ પણ ઈરાનની ખતરનાક ચેતવણી હવે પછીના નિશાના પર માત્ર દુશ્મન જ નહીં પરંતુ તેમને સાથ આપનારા સાથી દેશોના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે, ઈઝરાયલ દ્વારા તેમના ગેસ ફિલ્ડ પર કરવામાં આવેલા હુમલાનો બદલો હજુ પૂરો થયો નથી. જાે દુશ્મન દેશો ફરીથી ભૂલ કરશે તો ઈરાન તેનાથી પણ વધુ જાેરદાર જવાબી કાર્યવાહી કરશે. ઈરાને ચેતવણી આપી છે કે, હવે પછીના નિશાના પર માત્ર દુશ્મન જ નહીં પરંતુ તેમને સાથ આપનારા સાથી દેશોના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ હશે અને આ હુમલાઓ ત્યાં સુધી નહીં અટકે જ્યાં…

Read More

સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા ‘નર્મદે હર’ના જયઘોષ સાથે નર્મદા પરિક્રમાનો ભવ્ય પ્રારંભ પ્રથમ દિવસે ૧૦ હજાર કરતાં વધુ પરિક્રમાર્થીઓ ઉમટ્યાં પુણ્ય સલિલા મા નર્મદાના પાવન તટ પર ચૈત્ર માસમાં થતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાની આજે(૧૯ માર્ચ, ૨૦૨૬) વિધિવત શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે સાધુ-સંતો, ભાવિકો-પરિક્રમાર્થીઓએ પ્રાત:કાળે મા રેવાના દર્શન અને પુષ્પાર્પણ કરી નર્મદે હરના જય ઘોષ સાથે પરિક્રમાનો પ્રારંભ કર્યો છે. નર્મદામાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્ત્વ છે, ત્યારે વૃદ્ધો, બાળકો, મહિલાઓ સહિત શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને અલૌકિક આધ્યાત્મિક યાત્રાનો અનુભવ કર્યો છે. ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જ ૧૦ હજાર કરતાં વધુ પરિક્રમાર્થીઓ ઉમટી પડ્યાં છે. કીડી-મકોડી ઘાટ ખાતે…

Read More

ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના જ છે કેન્દ્ર સરકારના મૌન પર સોનિયા ગાંધીના પ્રહાર ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તથા સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ ગંભીર વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત સરકારના મૌન પર કોંગ્રેસના જ બે દિગ્ગજ નેતાઓના મંતવ્યોમાં વિરોધાભાસ જાેવા મળ્યો છે. સોનિયા ગાંધીએ સરકારની ટીકા કરતાફ્ આ વલણને નૈતિક પતન ગણાવ્યું, જ્યારે સાંસદ શશી થરૂરે તેને એક જવાબદાર અને સુનિયોજિત કૂટનીતિ ગણાવી સરકારનો બચાવ કર્યો છે. સોનિયા ગાંધીએ એક લેખ દ્વારા સરકાર પર પ્રહાર કરતાફ્ જણાવ્યું હતું કે, ઈરાનની સંપ્રભુતાનું…

Read More

ક્યાંક પતરાં ઉડ્યાં તો ક્યાંક છત-દીવાલો ધરાશાયી પાકિસ્તાનમાં વાવાઝોડાએ તબાહી મચાવી; ૨૧ના મોત ભયાનક વાવાઝોડા અને વરસાદે ભારે વિનાશ વેર્યો છે પાકિસ્તાનમાં બુધવારે આવેલા ભયાનક વાવાઝોડા અને વરસાદે ભારે વિનાશ વેર્યો છે. પોલીસ અને રાહત અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઓછામાં ઓછા ૨૧ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, બુધવારે કેટલાક વિસ્તારોમાં ૯૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૌથી વધારે જીવલેણ ઘટના કરાચીના બાલ્ડિયા ટાઉન વિસ્તારમાં બની, જ્યાં એક દિવાલ ધરાશાયી થવાથી ૧૩ લોકોના મોત થયા છે. આ લોકો વરસાદથી બચવા માટે દિવાલ પાસે ઊભા હતા, પરંતુ…

Read More

ઈરાનના ડેપ્યુટી ચીફનું નિવેદન અમારા પર યુદ્ધ થોપવામાં આવ્યું છે, મિત્રો માટે હોર્મુઝ ખુલ્લું છે સીઝફાયર નહીં, હવે સીધું યુદ્ધ જ ખતમ થશે: જાવેદ હુસૈની ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર હુમલો કર્યા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકાનું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બુધવારે આ યુદ્ધને ૧૯ દિવસ પૂરા થયા છે. ઈરાનમાં જ્યાં ઈઝરાયેલ અને અમેરિકાની મિસાઈલ અને હથિયારો મોત વરસાવી રહ્યા છે. ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મોત થવા છતાં ઈરાન ઝૂકવાના મૂડમાં નથી, ભલે તેના અનેક મોટા નેતાઓ યુદ્ધમાં હોમાઈ ગયા હોય. ઈરાન સતત અમેરિકા અને ઈઝરાયેલના સહયોગીઓ પર મિસાઈલોથી હુમલાઓ કરી રહ્યું…

Read More