Author: Garvi Gujarat

ડંકી રૂટ કેસમાં ED ની મોટી કાર્યવાહી.તપાસ ટીમે અંદાજે ૧૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી.ED ની ટીમને દિલ્હીના એક ટ્રાવેલ એજન્ટ પાસેથી ૪.૬૨ કરોડ રોકડ, ૩૧૩ કિલો ચાંદી અને ૬ કિલો સોનાના બિસ્કિટ મળ્યા.ડંકી રૂટ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની આક્રમક કાર્યવાહી ચાલુ છે. ED ની ટીમ એક પછી એક દરોડા પાડી રહી છે. આ કડીમાં ED ને મોટી સફળતા મળી છે. તપાસ ટીમે અંદાજે ૧૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. હકીકતમાં ED એ ૧૮ ડિસેમ્બરે પંજાબ, હરિયાણા અને દિલ્હીના ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ED ની ટીમને દિલ્હીના એક ટ્રાવેલ એજન્ટ પાસેથી ૪.૬૨ કરોડ રૂપિયા રોકડ, ૩૧૩…

Read More

લિયોનેલ મેસ્સીની ઇવેન્ટ સાથે છે કનેક્શન.સૌરવ ગાંગુલીએ દાખલ કર્યો ૫૦ કરોડનો માનહાનિનો દાવા.સોલ્ટ લેક સ્ટેડિયમમાં બનેલી ઘટનામાં ગાંગુલીનું નામ ઘુસાડવામાં આવ્યું હતું, જેના પગલે કાર્યવાહી કરી હતી.પૂર્વ ભારતીય કેપ્ટન અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલીએ ઉત્તમ સાહા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગાંગુલીએ આરોપ લગાવ્યો છે કે સાહાએ યુવા ભારતી સ્ટેડિયમ (સોલ્ટ લેક સ્ટેડિયમ) ઘટનામાં જાણી જાેઈને તેમને ફસાવ્યા હતા અને તેમના વિરુદ્ધ ખોટા, દુર્ભાવનાપૂર્ણ અને બદનક્ષીભર્યા નિવેદનો આપીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું. સાહા આજેર્ન્ટિના ફેન ક્લબના પ્રમુખ છે. દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીની એક ઈવેન્ટ દરમિયાન સોલ્ટ લેક સ્ટેડિયમમાં અફરાતફરી ફેલાઈ હતી. ગાંગુલીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું…

Read More

ગુજરાતમાં ૪,૩૪,૭૦,૧૦૯ મતદારો નોંધાયા, ૭૩ લાખ કપાયાગુજરાતની નવી  SIR-૨૦૨૬ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈમેપિંગ ન થયેલ મતદારોને સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટીસ  આપવામાં આવશે : નોટીસ પ્રાપ્ત કરનાર મતદારોએ પુરાવા રજૂ કરવાના રહેશે.ગુજરાતમાં  SIR ની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર થઈ છે. જેમાં ગુજરાતમાં કુલ કેટલા મતદારો છે, કેટલા મતદારોના નામ કપાયા છે, તેમજ કેટલા ડુપ્લીકેટ મતદારો હતા તે તમામ માહિતી સામે આવી ગઈ છે. યાદી મુજબ ગુજરાતાં કુલ ૪ કરોડ ૩૪ લાખ મતદારોની નોંધણી થઈ છે.  ગુજરાતની મતદાર શુદ્ધિકરણ ડ્રાફ્ટ યાદી આખરે જાહેર થઈ ગઈ છે. ડ્રાફ્ટ મતદાર યાદી મુજબ ગુજરાતમાં ૪,૩૪,૭૦,૧૦૯ મતદારો નોંધાયા છે. મતદાર શુદ્ધિકરણ પ્રક્રિયા…

Read More

૨૦૪૦ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને ૨૦ લાખ થઇ શક.કેન્સરની બાબતમાં ચીન, અમેરિકા પછી ભારત ત્રીજા ક્રમે.વિશ્વમાં દર વર્ષે કેન્સરના બે કરોડ કેસો સામે આવે છે ઓછી ઉંમરમાં પણ કેન્સર થવાનાં વધતા કેસો.સમગ્ર વિશ્વમાં કેન્સરના કેસોની સંખ્યામાં ચીન અને અમેરિકા પછી ભારત ત્રીજા ક્રમે છે અને ૨૦૪૦ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધીને ૨૦ લાખ થઇ જશે તેમ વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય કક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે એક નિવેદનમાં જણાવ્યું છે.એક પ્રશ્રના જવાબમાં પ્રધાને જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીએ મહિલાઓમાં જાેવા મળતા સર્વાઇકલ કેન્સરની સારવાર માટે પ્રથમ એચપીવી વેક્સિન વિકસિત કરી છે અને સરકાર આ વેક્સિન મોેટા ભાગના લોકોને વ્યાજબી ભાવે…

Read More

દેશની હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસોનું ભારણ ઓછું કરવાનો આશય.હવેથી એડહૉક જજાે સિંગલ અથવા ખંડપીઠની અધ્યક્ષતા કરી શકશે: સુપ્રીમ.અગાઉના ર્નિણયમાં ઠરાવવામાં આવ્યું હતું કે એડહૉક જજાે ખંડપીઠ એટલે કે ડિવીઝન બેંચની અધ્યક્ષતા કરી શકશે નહીં.સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ હુકમમાં સ્પષ્ટ કર્યું છે કે હવેથી એડહૉક જજાે સિંગલ અથવા ડિવિઝન બેંચની અધ્યક્ષતા કરી શકશે. દેશની વિવિધ હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસોના ભારણને ઓછું કરવાના આશયથી ઉક્ત ર્નિણય કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે એપ્રિલ ૨૦૨૧માં આ મામલે જે ર્નિદેશ આપ્યા હતા, એની શરતોને સ્પષ્ટ કરી આપી છે. અગાઉના ર્નિણયમાં ઠરાવવામાં આવ્યું હતું કે એડહૉક જજાે ખંડપીઠ એટલે કે ડિવીઝન બેંચની અધ્યક્ષતા કરી શકશે નહીં. સુપ્રીમના…

Read More

અરજદારોના સોશિયલ મીડિયા સ્ક્રિનિંગ માટે સમય લંબાવ્યાનો દાવો.એચ-૧બી વિઝાનું સંકટ વધ્યું, ઈન્ટરવ્યુ ઓક્ટોબર સુધી ઠેલાયાં.સ્ટાફની ઉપલબ્ધિ પ્રમાણે એપોઈન્ટમેન્ટની તારીખોમાં બદલાવ થતો રહે છે: યુએસ કોન્સ્યુલેટ.ભારત પર જંગી ટેરિફ ઝિંક્યા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વિઝાનું હથિયાર ઉગામ્યું છે. વિઝા ફીમાં જંગી વધારો અને આકરા નિયમો જાહેર કર્યા પછી ટ્રમ્પ સરકારે વિઝા સંકટને વધારે ઘેરું બનાવ્યું છે. યુએસના H-1B અને H-4 માટે અરજી કરનારા સેંકડો ભારતીયોના વિઝા ઈન્ટરવ્યુ સામે અનિશ્ચિતતા ઊભી થઈ છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૬માં ઈન્ટરવ્યૂની તારીખ નક્કી થઈ હોય તેવા વિઝા અરજદારોને અચાનક જ ઓક્ટોબર મહિનાની અથવા તે પછીની તારીખો અપાઈ રહી છે. ટૂંકમાં ભારતીય વિઝા અરજદારો માટે ઓક્ટોબર…

Read More

અલાહાબાદ હાઈકોર્ટે રાજ્યના અગ્ર સચિવને સ્પષ્ટતા કરવા ર્નિદેશ આપ્યો.અધિકારીઓ માટે આદરણીય વિશેષણ સારું નથી: HC રાજ્ય સરકારના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પોતાના નામની આગળ આદરણીય વિશેષણો લગાવવાનું પસંદ કરે છે જે યોગ્ય નથી : કોર્ટ.રાજ્ય સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓના નામ પહેલા આદરણીય વિશેષણ સારુ ન હોવાનું અલાહાબાદ હાઈકોર્ટે નોંધ્યુ હતું. આ સાથે ઉત્તર પ્રદેશના મહેસૂલ વિભાગના અગ્ર સચિવને સોગંદનામુ રજૂ કરી આદરણીય સંબોધનને યોગ્ય ઠરાવતા કાયદા સંદર્ભે સ્પષ્ટતા કરવા ર્નિદેશ આપ્યા હતા. જસ્ટિસ અજય ભણોત અને જસ્ટિસ ગરિમા પ્રસાદની બેન્ચે એક અરજીની સુનાવણી દરમિયાન એડિશનલ કમિશનર, અપીલ માટે આદરણીય એડિશનલ કમિશનર, અપીલ સંબોધન જાેયું હતું. આ સંદર્ભે હાઈકોર્ટે નોંધ્યુ હતું કે,…

Read More

‘લક્ઝરી પિટિશન’.પેકેજ્ડ વોટરની ગુણવત્તા અંગેની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી.લોકો પાસે પીવાનું પાણી નથી, ત્યારે ગુણવત્તા પછીનો મુદ્દો છે: સર્વોચ્ચ અદાલતની ટિપ્પણી.પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર માટે આંતરરાષ્ટ્રીય ધોરણો લાગુ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી (પીઆઈએલ)ને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે દેશની ઘણી વસતિને હજુ પીવાના પાણીની મૂળભૂત સુવિધા મળતી નથી, ત્યારે આ એક ‘લક્ઝરી પિટિશન’ છે.સુનાવણીની શરૂઆતમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આ અરજીના મૂળ આધાર પર જ પ્રશ્ન ઉઠાવતાં જણાવ્યું હતું કે આ દેશમાં પીવાનું પાણી ક્યાં છે, મેડમ? લોકો પાસે પીવાનું પાણી નથી, ત્યારે બોટલમાં રહેલા પાણીની ગુણવત્તા પછીથી નક્કી થશે. કોર્ટ દેશની વ્યાપક વાસ્તવિકતાઓને નજરઅંદાજ કરી શકે…

Read More

મેનેજમેન્ટ પર ફેન્સ-સેલિબ્રિટી બગડ્યાં.ભીડની ધક્કા-મુક્કીમાં ફસાઈ અભિનેત્રી નિધિ અગ્રવાલનિધિ અગ્રવાલ સાથે થયેલી ગેરવર્તણૂક બાદ સોશિયલ મીડિયા પર લોકો અને અન્ય સેલિબ્રિટીઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યાસાઉથ અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી નિધિ અગ્રવાલ માટે બુધવારનો દિવસ અત્યંત પરેશાનીભર્યાે રહ્યો હતો. હૈદરાબાદમાં પોતાની આગામી ફિલ્મ ‘ધ રાજા સાબ’ના ગીત લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચેલી નિધિને ફેન્સની બેકાબૂ ભીડનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ ફિલ્મ મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊઠી રહ્યાં છે.અહેવાલો અનુસાર, બુધવારે હૈદરાબાદમાં ફિલ્મ ‘ધ રાજા સાબ’ના એક ભવ્ય મ્યુઝિક લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ્યારે નિધિ અગ્રવાલ બહાર…

Read More

વળતર રૂપે ૩૦ લાખ માગ્યા.સિંગર કુમાર સાનુએ એક્સ વાઈફ સામે માનહાનિનો કેસ નોંધાવ્યો.કુમાર સાનુ અને રીટાના ૨૦૦૧માં છૂટાછેડા થઈ ગયા હતા. બંનેનો એક દીકરો જાન કુમાર સાનુ છે.સિંગર કુમાર સાનુએ પોતાની એક્સ વાઈફ રીટા ભટ્ટાચાર્યા સામે માનહાનિનો કેસ નોંધાવ્યો છે. આ ઉપરાંત તેણે વળતર રૂપે ૩૦ લાખ રૂપિયાની માગ કરી છે અને એ ઈન્ટરવ્યુને હટાવવાની પણ માગ કરી છે, જેમાં રીતા ભટ્ટાચાર્યાએ કુમાર સાનુ અંગે ઘણા દાવા કર્યા છે. અરજી પ્રમાણે રીટાએ ઘણા એન્ટરનેઈનમેન્ટ પ્લેટફોર્મ પર કુમાર સાનુ પર પ્રેગ્નન્સી દરમિયાન તેની સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. રીટાનો દાવો છે કે, ‘કુમાર સાનુએ મને ભૂખી રાખી હતી, કિચનમાં બંધ…

Read More