Author: garvigujrat

શિવપુરાણ પૂર્ણતઃ ભક્તિનો ગ્રંથ છે,જેમાં કળિયુગના પાપકર્મથી ગ્રસિત વ્યક્તિની મુક્તિ માટે શિવભક્તિનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. ભગવાન ભોળાનાથ હંમેશાં ઉપકારી અને હિતકારી દેવ છે.શાસ્ત્રો અનુસાર ત્રિદેવોમાં શિવજીને સંહારના દેવતા માનવામાં આવે છે.અન્ય દેવી-દેવતાઓની પૂજા-અર્ચનાની સરખામણીએ શિવજીની પૂજા- અર્ચનાને અત્યંત સરળ માનવામાં આવે છે.અન્ય દેવી-દેવતાઓની જેમ શિવજીને સુગંધિત પુષ્પમાળાઓ અને મીઠા પકવાનની આવશ્યકતા નથી,શિવ તો માત્ર સ્વચ્છ જળ,બિલિપત્ર અને ધતુરાથી જ પ્રસન્ન થઈ જાય છે. શિવજીને મનોરમ વેશભૂષા અને અલંકારોની આવશ્યકતા નથી હોતી,તે તો ઔઘડ બાબા છે, જટાજૂટધારી છે.ગળામાં લપેટાયેલો નાગ અને રૂદ્રાક્ષની માળા,શરીર ઉપર વાઘામ્બર,ચિતાની ભસ્મ લગાવેલી છે અને હાથમાં ત્રિશૂળ પકડેલા ભગવાન ભોળાનાથ સમગ્ર વિશ્વને પોતાના ડમરૂની કર્ણભેદી ધ્વનિથી…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈસુદાન ગઢવી જામખંભાળિયા ખાતે અનિશ્ચિતકાળના ધરણા પર બેઠા એનો આજે બીજો દિવસ હતો. મુખ્ય ચાર માંગો સાથે ઈસુદાન ગઢવી ધરણા પર બેઠા હતા અને એમની સાથે સાથે હજારોથી વધુ ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને તેમને સમર્થન આપ્યું હતું. હાલ સરકારે બે જિલ્લામાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે, જેને આ સત્યાગ્રહની એક આંશિક જીત કહી શકાય એમ છે. જેના કારણે આશા રાખવામાં આવે છે કે આવનારા સમયમાં સરકાર તમામ માંગો પુરી કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની સાથે સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્ય હેમંત ખવા, કિસાન સેલના પ્રદેશ…

Read More

દ્વારકાના ખંભાળિયા ખાતે ‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ અંતર્ગત અચોક્કસ મુદતના ધરણા આંદોલનના બીજા દિવસે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, ઉત્તર ગુજરાત અને અમરેલી સહિતના ભારે વિષમ પરિસ્થિતિનો સામનો કરી રહેલા વિસ્તારોમાંથી સેંકડો અને હજારોની સંખ્યામાં ખેડૂતો સ્વયંભૂ રીતે આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. સત્યાગ્રહના પ્રથમ દિવસે જ સરકાર દ્વારા જળાશયોમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો, જેને તેમણે ખેડૂતોની એકતા અને આંદોલનની આંશિક જીત ગણાવી હતી. જોકે, ભૂતકાળમાં સરકારની જાહેરાતો કાગળ પર રહી ગઈ હોવાના અનુભવોને ધ્યાને રાખીને, પાણી ખરેખર ખેડૂતો સુધી પહોંચે છે કે નહીં તેની…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામ, યુવા મોરચાના પ્રમુખ બ્રિજરાજ સોલંકી અને ખેડૂત નેતા પિયૂષ પરમારે આજરોજ પત્રકાર પરિષદ યોજી હતી. મીડિયાને માહિતી આપતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, કચ્છ, જામનગર, પોરબંદર અને દ્વારકા સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદના અભાવે અત્યંત ગંભીર દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોની આ વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી મુખ્ય ચાર માગણીઓને લઈને ગઈકાલથી દ્વારકાના ખંભાળિયા ખાતે અચોક્કસ મુદતના સત્યાગ્રહ ધરણા પર બેઠા છે. આ આંદોલનની ચાર મુખ્ય માગણીઓમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોને તુરંત દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, સુકાતા પાક માટે ‘સૌની…

Read More

નેપાળમાં અચાનક આવેલા પૂરથી વ્યાપક વિનાશ નેપાળમાં કાદવથી ભરેલી સુરંગમાં ફસાયેલા લોકોને સેનાએ બચાવ્યા નેપાળી સેનાએ રાસુવા જિલ્લામાં અપર ત્રિશુલી-૧ હાઇડ્રોપ્રોજેક્ટની સુરંગમાં ફસાયેલા લોકોને બચાવ્યા નેપાળમાં આવેલા વિનાશક પૂરથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. નેપાળી સેના અને સ્થાનિક પોલીસ સતત બચાવ કામગીરીમાં રોકાયેલા છે. આ દરમિયાન, નેપાળી સેનાએ રાસુવા જિલ્લામાં અપર ત્રિશુલી-૧ હાઇડ્રોપ્રોજેક્ટની સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવાનો એક ભયાનક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કાટમાળ અને કાદવમાંથી બચાવેલા લોકો બહાર નીકળતા જાેવા મળી રહ્યા છે અને બચાવદળ તેમને એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢી રહ્યા છે. બચાવ કામગીરી અંગે નેપાળી સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ રાજા રામ બાસ્નેતે જણાવ્યું…

Read More

નીરજ ચોપરા ઈજાને કારણે બહાર એશિયન ગેમ્સ ૨૦૨૬ પહેલા ભારતને મોટો ઝટકો તેણે જાહેરાત કરી હતી કે પ્રેક્ટિસ દરમિયાન લિગામેન્ટ ફાટવાને કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે એશિયન ગેમ્સ ૨૦૨૬ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ઈજાને કારણે આ ટુર્નામેન્ટમાં રમશે નહીં. તેણે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે પ્રેક્ટિસ દરમિયાન દરમિયાન લિગામેન્ટ ફાટવાને કારણે ટુર્નામેન્ટનમાં રમવાની તેનો આશાઓનો ખરાબ રીતે અંત આવ્યો છે. ૨૯ ઓગસ્ટના રોજ નીરજ ચોપરાએ એક ભાવુક પોસ્ટ શેર કરી. તેણે કહ્યું કે, ઘણા સમયની સખત મહેનત પછી મને આખરે લાગ્યું કે હું તે લય અને ગતિ મેળવી રહ્યો…

Read More

જેન-ઝી પર બાબા રામદેવનું નિવેદન વી વોન્ટ ફ્રીડમના નારા લગાવે છે પણ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના ગુલામ છે તેમણે વધુ બાળકો પેદા કરનારાઓના વોટિંગ અધિકાર છીનવી લેવા અને સરકારી લાભોથી વંચિત કરવા સૂચવ્યું બાબા રામદેવે યુવાનોના પ્રદર્શન કરવા અને વી વોન્ટ જસ્ટિસ, વી વોન્ટ ફ્રીડમ જેવા નારા લગાવવા પર ટિપ્પણી કરી છે. યોગ ગુરુએ કહ્યું કે આઝાદીના નારા લગાવે છે, વી વોન્ટ ફ્રીડમ, વી વોન્ટ જસ્ટિસ. પરંતુ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના ગુલામ છે. તમે આઝાદ ક્યાં છો, ચમડી-દમડીના ગુલામ છો. કોઈની આંખ જાેઈ, કોઈની નાક જાેઈ અને કહ્યું કે આપકી નજરોં ને સમઝા પ્યાર કે કાબિલ હમેં, દિલ કી એ ધડકન ઠહર…

Read More

સરકારે જાહેર કર્યો પરિપત્ર યુનિયન બજેટ ૨૦૨૭ બનાવવાની પ્રક્રિયા શરૂ આ વર્ષે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ રજૂ થનારું બજેટ નાણાવર્ષ ૨૦૨૭-૨૮નું કેન્દ્ર સરકારનું બજેટ હશે બજેટ ૨૦૨૭ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ (બજેટ ડિવિઝન)એ સરકારના તમામ મંત્રાલયોને બજેટ સર્ક્યુલર ૨૦૨૭-૨૮ જાહેર કર્યા છે. યુનિયન બજેટ દર વર્ષે ૧ ફેબ્રુઆરીએ રજૂ થાય છે. આ વર્ષે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ રજૂ થનારું બજેટ નાણાવર્ષ ૨૦૨૭-૨૮નું કેન્દ્ર સરકારનું બજેટ હશે. મંત્રાલયોને સર્ક્યુલર જાહેર થતાંની સાથે જ ૨૦૨૬-૨૭ના રિવાઇઝ્ડ એસ્ટિમેટ (RE) અને ૨૦૨૭-૨૮ માટેના બજેટ એસ્ટિમેટ (BE)ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સર્ક્યુલરમાં મંત્રાલયોને બંનેના અંદાજ રજૂ કરવાનું કહેવામાં…

Read More

તંત્રનો અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમ ફૂલપ્રુફ બનાવી રહ્યાનો દાવો અમેરિકામાં મોટાપાયે લોકોએ ખોટું બોલીને વિઝા લીધા હોવાની ટ્રમ્પ તંત્રને શંકા ટેમ્પરરી વિઝા પર આવીને આશ્રય માટે અરજી કરનારા અને બીજા રસ્તે કાયમી નાગરિક બની જનારાની સ્થિતિ વણસશે અમેરિકન સરકાર એક સાથે હજારો ટેમ્પરરી વિઝાની ચકાસણી કરી રહી છે. તેમા તે જાેવામાં આવી રહ્યું છે કે વિદેશી અમેરિકામાં પ્રવેશ્યો ત્યારે તેના આયોજન અંગે ખોટું બોલ્યો હતો કે નહીં. અહેવાલોનુ માનવુ છે કે ટુરિઝમ અને બિઝનેસના થઈને આવા લગભગ બે લાખ જેટલા વિઝા છે જે કન્ફર્મ થયા નથી. જાે કે અમરિકન વિદેશ વિભાગે હજી તેને સમર્થન આપ્યું નથી. અમેરિકન સરકારે હાથ ધરેલી આ…

Read More

૩૭ પ્રવાસીઓ અને ૪ ક્રૂ-સભ્યો સહિત ૪૧ જણના શ્વાસ જાણે થંભી ગયા ! બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વિમાનનું ટાયર ફાટયું વિમાનમાં ઊભી થયેલી તકનીકી સમસ્યાની અસર બિલાસપુરથી પ્રયાગરાજ જનારા ઉડ્ડયન પર પણ પડી છત્તીસગઢના બિલાસપુર એરપોર્ટ ખાતે શુક્રવારે સવારે ૧૧ના સુમારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. દિલ્હીથી બિલાસપુર આવેલી એલાયન્સ એરના વિમાનના લેન્ડિંગ દરમિયાન ટાયર ફાટી ગયું. વિમાનમાં ૩૭ પ્રવાસીઓ તથા કેબિન ક્રુ ના ચાર સભ્યો બેઠા હતા. ટાયર ફાટયા પછી તમામ ૪૧ જણને સુરક્ષિતપણે વિમાનમાંથી બહાર ઉતારી લેવાયા.શુક્રવારે સવારે ૧૧ના સુમારે એલાયન્સ એરની ફ્લાઈટ ૯ આઈ ૬૧૩ દિલ્હીથી બિલાસપુર પહોંચતા જ લેન્ડિંગ વખતે વિમાનનું ડાબી તરફનું ટાયર પંકચર…

Read More