Author: garvigujrat

માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને ખાસ સીમિત ક્ષેત્રમાં રાખવા માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં એક ખાસ સીમિત ક્ષેત્રના નિર્માણ માટે વન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને આ ક્ષેત્રમાં તેમની કુદરતી હેબિટેટ અંતર્ગત રાખવામાં આવશે. આંબરડી સફારી પાર્ક એ અમરેલી જિલ્લાના ધારીમાં સ્થિત ગીર સંરક્ષિત વિસ્તારનું આરક્ષિત જંગલ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સિહ સંરક્ષણ-સંવર્ધનની યોજનાઓ અને પ્રોજેક્ટ્સનું અસરકારક અમલીકરણ કર્યું છે. સિંહોની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે 10 ઓગ્ષટે ‘વિશ્વ સિંહ દિવસ’ મનાવવામાં આવે છે. આ વિષય અંગે અગ્રમુખ્ય વન…

Read More

ઓનલાઈન ઓર્ડર કેન્સલ કર્યો તો જેલ ભેગી કરાઈ ટેન્શન દૂર કરવા મહિલાએ ૨૫૮ કરોડની શોપિંગ કરી તેણે ૨ વર્ષમાં ૨૦૦૦થી વધુ ઓર્ડર કેન્સલ કર્યા, જેનાથી કંપનીને ૪૫ લાખનું નુકસાન : યોશિદાએ ૨૩૮ ફેક એકાઉન્ટ્સ બનાવ્યા જાપાનના એક રેસ્ટોરન્ટમાં કામ કરતી મહિલાએ પોતાનો માનસિક તણાવ (સ્ટ્રેસ) દૂર કરવા માટે એવું પગલું ભર્યું કે જે જાણીને સૌ કોઈ હેરાન થઈ ગયા છે. આ મહિલાએ ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી આશરે રૂ.૨૫૮ કરોડના સામાનનો ઓર્ડર આપી દીધો, પરંતુ તેમાંથી એક પણ સામાન પોતાના ઘરે મંગાવ્યો ન હતો. જ્યારે પણ ડિલિવરી બોય પાર્સલ લઈને પહોંચતો, ત્યારે ખોટા સરનામાને કારણે કે પછી મહિલાના ઈનકારને કારણે ઓર્ડર…

Read More

કિરેન રિજિજુએ કોંગ્રેસના સમર્થન પર સવાલ ઉઠાવ્યો મહિલા અનામત કાયદાના અમલ મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો મહિલા અનામત મુદ્દે મોદી સરકારે સમર્થન માંગતા રાહુલ ગાંધીનો જવાબ- ૩ વર્ષ પહેલા પાસ થયેલું બિલ લાગુ કરો મહિલા અનામતને લઈને રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર શાબ્દિક યુદ્ધ જાેવા મળ્યું હતું. રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ માગ કરી છે કે વર્ષ ૨૦૨૩માં પસાર થયેલા મહિલા અનામત કાયદાને કોઈ પણ શરત વગર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે. આ સમગ્ર વિવાદની શરૂઆત રાહુલ ગાંધી દ્વારા મહિલાઓ પર પોસ્ટ કરવામાં…

Read More

ફ્રાન્સ સાથે મળી બનાવશે છઠ્ઠી પેઢીનું ફાઈટર જેટ! ચીન-અમેરિકાનો દબદબો ખતમ કરવા ભારતનો જાેરદાર પ્લાન સંસદીય સમિતિને અપાયેલી માહિતી મુજબ, બ્રિટનના ગ્લોબલ કોમ્બેટ એર પ્રોગ્રામનું પણ મૂલ્યાંકન થઈ રહ્યું છે ભારતની સંરક્ષણ તૈયારીઓમાં એક અત્યંત મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. દેશના સંરક્ષણ મંત્રાલયે સંસદીય સ્થાયી સમિતિને માહિતી આપતાં જણાવ્યું છે કે, તે ફ્રાન્સ સરકારના નેતૃત્વ હેઠળના છઠ્ઠી પેઢીના લડાકુ વિમાન વિકાસ કાર્યક્રમ એટલે કે ‘ફ્યુચર કોમ્બેટ એર સિસ્ટમ‘ ((FCAS) માં જાેડાવા માટે સઘન અને સમન્વયિત પ્રયાસો શરૂ કરી ચૂક્યું છે. આ સાથે જ બ્રિટન, ઈટાલી અને જાપાનના ‘ગ્લોબલ કોમ્બેટ એર પ્રોગ્રામ‘ (GCAP) નું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ મહત્વાકાંક્ષી…

Read More

૩૦થી ૪૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે ગુજરાતના ૧૦ જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી ૧૪ ઑગસ્ટ સુધીના ૬ દિવસના પૂર્વાનુમાન સમયગાળા દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાશે ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અંગે હવામાન વિભાગે (IMD) આગામી ૧૪ ઑગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સિવાય ઉત્તર ગુજરાતના ૧૦ જિલ્લાઓમાં આગામી ૨ દિવસ એટલે કે ૧૦ ઑગસ્ટ સુધી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર ૯ અને ૧૦ ઑગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘગર્જના, વીજળીના ચમકારા અને ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે સુસવાટા મારતા પવન સાથે હળવાથી…

Read More

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સી.આર.પાટીલને વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, સી.આર.પાટીલનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં બનાવી એના કરતાં વધુ સારી શાળાઓ સુરતમાં છે. સી.આર.પાટીલ 20 વર્ષથી સાંસદ છે અને હવે તો મંત્રી પણ છે. તો દેશમાં ક્યાંય ન હોય એવી 50 શાનદાર સુરતની શાળાઓનું લિસ્ટ સી.આર.પાટીલ બહાર પાડે. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, 30 વર્ષથી કોર્પોરેશનમાં પણ ભાજપ છે અને 20 વર્ષથી સી.આર.પાટીલ પોતે સાંસદ છે તો આખા દેશમાં નંબર 1 ગણી શકાય એવી 50 સરકારી શાળાઓ સુરતમાં ક્યાં આવી છે, એનું લિસ્ટ સી.આર.પાટીલે બહાર પાડવું જોઈએ. અને જો તમે આવું લિસ્ટ…

Read More

માંગરોળના ધારાસભ્ય અને ખેડૂતો વચ્ચેના વિવાદમાં ખેડૂત તથા આમ આદમી પાર્ટીના નેતા પિયૂષ પરમાર પર ખોટી FIR દાખલ કરવામાં આવી છે. આ મુદ્દે વાત કરતા પિયૂષ પરમારે જણાવ્યું હતું કે, હું પુરાવા સાથે વાત કરું છું. બે દિવસ પહેલા માંગરોળના ધારાસભ્યએ ખેડૂતોને બેફામ ગાળો આપી અને ન બોલવાના શ બ્દો કહ્યા, જ્યારે હું ખેડૂતોની સાથે મક્કમતાથી ઊભો રહ્યો. પરંતુ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતા લોકો એવું માને છે કે જે પણ ખેડૂતોની સાથે ઊભો રહેશે, તેને અમે છોડીશું નહીં. એના જ ભાગરૂપે ચોરવાડ મુકામે મારા પર એક ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદીએ બે મહિના પહેલાંની ઘટના દર્શાવીને ગઇકાલની તારીખમાં…

Read More

આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા માળિયા અને માંગરોળના ભાજપના ધારાસભ્યે ખેડૂતોને જાહેરમાં ગાળો બોલી એ ઘટનામાં ખેડૂતોની પડખે ઊભા રહેનાર આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પિયુષ પરમાર પર આજે એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ પણ ખૂબ જ મજાની છે કારણ કે બે મહિના પહેલા એમના વિસ્તારમાં બળજબરીથી સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે પિયુષ પરમાર પ્રજાના પડખે ઊભા રહ્યા હતા. તો એ મુદ્દાને લઈને જીઈબીના અધિકારીઓએ બે મહિના પછી હવે ફરિયાદ દાખલ કરી છે. લેટ ફરિયાદ કરવાનું…

Read More

કાર્યક્રમનું આયોજન અને સંચાલન શ્રી મનોજ કુમાર, નાયબ નિયામક અને કાર્યાલય વડા, વણકર સેવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુશ્રી દર્શનાબેન વાઘેલા, માનનીય રાજ્યમંત્રી, શહેરી વિકાસ અને શહેરી આવાસ, ગુજરાત સરકાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અન્ય વિશિષ્ટ મહેમાનો તરીકે ડૉ. સંજય જોશી (IAS), એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેન્શન કોટેજ (INDEXT-C); પ્રો. (ડૉ.) ધર્મેન્દ્રસિંહ વી. બિહોલા, એસોસિયેટ પ્રોફેસર અને વડા, ટેક્સટાઇલ ટેક્નોલોજી વિભાગ, એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ; તથા શ્રી લવજીભાઈ પરમાર, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીમાં આશરે 280 સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં 140 હથકરઘા વણકરો, એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના…

Read More

AAP નેતા ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાની આગેવાનીમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ મુદ્દે રવિવાર 9 ઓગસ્ટના રોજ સુરત ખાતે ટાઉનહોલ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે ત્યારે આ મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, E-20 (ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ)ના વિરોધમાં આજે સમગ્ર દેશમાં ધીરે-ધીરે જનઆંદોલન ઊભું થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની આ નીતિના કારણે દેશભરના કરોડો વાહનચાલકો પ્રભાવિત થયા છે. સામાન્ય વર્ગના લોકો જે બાઈક કે કાર વાપરે છે, તેમના વાહનોની માઈલેજ ઘટી રહી છે અને એન્જિનમાં પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ઉમેર્યા…

Read More