Author: Garvi Gujarat

એસટી નિગમના હજારો કર્મચારીઓને મોટી આર્થિક રાહત એસ.ટી. નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સ પણ મળશે એસટી કર્મચારીઓ પોતાના હક અને પડતર માંગણીઓને લઈને લાંબા સમયથી રજૂઆતો કરી રહ્યા હતા, જેનો સરકારે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના હજારો એસટી કર્મચારીઓ માટે રાજ્ય સરકારે દિવાળી જેવો માહોલ સર્જ્યો છે. મોંઘવારી ભથ્થા (DA)માં ૩ ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ ર્નિણય અનુસાર, કર્મચારીઓને અત્યાર સુધી મળતું ૫૫ ટકા મોંઘવારી ભથ્થું હવે વધીને ૫૮ ટકા થઈ જશે. લાંબા સમયથી ચાલી રહેલી માંગણીનો સુખદ અંત આવતા એસટી કર્મચારી આલમમાં ખુશીની લહેર દોડી ગઈ છે. રાજ્ય સરકારના આ કલ્યાણકારી…

Read More

બ્રાઝિલે ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું બ્રાઝિલે જાપાનને ૨-૧ થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યાે હ્યુસ્ટનમાં રમાયેલી મેચમાં, જાપાને પહેલા રાઉન્ડમાં બ્રાઝિલને પાછળ રાખી દીધું. બ્રાઝિલે આક્રમક રમત રમી, પરંતુ જાપાનનો બચાવ મજબૂત હતો બ્રાઝિલે ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે.બ્રાઝિલે જાપાનને ૨-૧ થી હરાવીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યાે,અને કાર્લાેસ કાસેમિરો તેમની જીતનો હીરો હતો.બ્રાઝિલિયન મિડફિલ્ડરે જાપાનની પ્રગતિ અટકાવવા માટે શાનદાર હેડર ગોલ કર્યાે.જેના કારણે આખરે બ્રાઝિલ વિજય તરફ દોરી ગયું.બ્રાઝિલ કેવી રીતે જીત્યું તે જાણવા માટે આગળ વાંચો,પરંતુ પહેલાકાર્લાેસ કાસેમિરોની વાર્તા શીખો,જે તમને જીવનમાં આગળ વધવા માટે…

Read More

રૂ. ૧.૭૦ લાખ કરોડનું રોકાણ દેશમાં મંજૂર થયેલા ૧૨માંથી ૬ સેમિકંડક્ટર પ્રોજેક્ટ ગુજરાતમાં એક સેમિકંડક્ટર એટલે કે એક ચિપ બનાવવામાં ૧૪૦ લિટર પાણીનો અને ૧.૫ કિલોવોટ વીજળીની જરુર પડે છે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની શરૂઆત થઈ ચૂકી છે. આ અંતર્ગત સેમિકંડક્ટર ક્ષેત્રમાં ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) અને તેના વિકાસને વેગ આપવા માટે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત સરકારના ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ના ડાયરેક્ટર ડૉ. મનિષકુમાર હુડા પણ ખાસ હાજર રહ્યા હતા.ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, ‘ભારતમાં અત્યાર સુધીમાં સેમિકંડક્ટર ઉત્પાદન માટે કુલ ૧૨ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી ૬ પ્રોજેક્ટ્સ એકલા ગુજરાતમાં જ સ્થાપવામાં આવી રહ્યા છે. આ…

Read More

હૈદરાબાદમાં પાંચ દિવસ શૂટિંગ થયું કલ્કિ-ટુમાં આલિયા ભટ્ટનું રહસ્યમય પાત્ર ઉમેરાયું આવતાં વર્ષે એપ્રિલમાં શૂટિંગ પુરૂ કરી ડિસેમ્બર ૨૦૨૭માં ફિલ્મનો બીજાે ભાગ રજૂ કરવાની યોજના હોલીવૂડની બરાબરી કરે તેવી ભારતીય સાયફાય કલ્કિ ૨૮૯૮ એડીના બીજા ભાગનું કામ ચાલી રહ્યું છે. અશ્વિન નાગ ર્નિદેશિત આ ફિલ્મના બીજા ભાગમાં આલિયા ભટ્ટ પણ જાેવા મળશે. સવાલ એ છે કે તે કયું પાત્ર ભજવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આલિયા ભટ્ટ કલ્કિ ૨૮૯૮ એડી યુનિવર્સમાં સામેલ થઇ છે પણ આ અંગે સત્તાવાર સમર્થન મળે તેની રાહ જાેવાઇ રહી છે. આલિયા ભટ્ટે ગયા મહિને હૈદરાબાદમાં યોજાયેલાં પાંચ દિવસના શૂટમાં પણ ભાગ લીધો હતો. પુરાણ કથાઓ…

Read More

અલગ-અલગ કોમેડી શૈલી વિશે અર્શદ વારસીએ વાત કરી ‘હું ગોલમાલમાં સર્કિટ ન બની શકું’- અર્શદ વારસી દરેક ફિલ્મની કોમેડીની શૈલી એકબીજાથી સંપૂર્ણપણે જુદી હોય છે અને એક પાત્રને બીજી ફિલ્મમાં લઈ જવું શક્ય નથી અર્શદ વારસી માટે આ ઉનાળો અત્યંત વ્યસ્ત સાબિત થઈ રહ્યો છે. તેની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે, જ્યારે ૩ જુલાઈએ વેબ સિરીઝ ‘પ્રિતમ એન્ડ પેદ્રો’ અને ૧૦ જુલાઈએ ‘ધમાલ ૪’ દર્શકો સમક્ષ આવશે. સતત ત્રણ અલગ-અલગ પ્રોજેક્ટ્સ વચ્ચે અર્શદે જણાવ્યું કે દરેક ફિલ્મની કોમેડીની શૈલી એકબીજાથી સંપૂર્ણપણે જુદી હોય છે અને એક પાત્રને બીજી ફિલ્મમાં લઈ જવું શક્ય નથી.એક ખાસ મુલાકાત…

Read More

આ શૂટમાં ૩,૫૦૦ જુનિયર આર્ટિસ્ટ્સ જાેડાશે પ્રિયંકા, મહેશબાબુની ‘વારાણસી’ માટે હૈદરાબાદમાં યુદ્ધ સીન શૂટ થશે પેરિસ ખાતે લા સિનેમાથેક ળોન્સેમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન રાજામૌલીએ ફિલ્મ‘વારાણસી’ની પ્રથમ ઝલક રજૂ કરી હતી એસ.એસ. રાજામૌલી ફરી એકવાર પોતાનાં આગામી મેગા પ્રોજેક્ટ ‘વારાણસી’ સાથે સિનેમાના માપદંડોને નવી ઊંચાઈએ લઈ જવા તૈયાર છે. મહેશબાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારનની આ ફિલ્મનું આગામી શેડ્યૂલ ૭ જુલાઈથી હૈદરાબાદમાં શરૂ થવાનું છે, જેમાં ફિલ્મનાં સૌથી વિશાળ અને પડકારજનક યુદ્ધનાં દૃશ્યનું શૂટ કરવામાં આવશે.અહેવાલો મુજબ, આ ભવ્ય યુદ્ધ સિક્વન્સમાં મહેશ બાબુ સાથે આશરે ૩,૫૦૦ જુનિયર આર્ટિસ્ટ્સ પણ જાેડાશે. આ દૃશ્યનું સફળતાપૂર્વક શૂટ કરવા માટે નિર્માતા ટીમ છેલ્લા કેટલાક…

Read More

શર્વરીએ પોતાની આગામી ફિલ્મ ‘આલ્ફા’ અંગેઆશા વ્યક્ત કરી ‘મૈં વાપસ આઉંગા’ બાદ હવે ‘આલ્ફા’ પર શર્વરીની નજર એક એક્ટર તરીકે તમે હંમેશા એવી વાર્તાનો ભાગ બનવાનું સપનું જુઓ છો, જે લોકોનાં દિલને સ્પર્શે : શર્વરી શર્વરી માટે હાલ કારકિર્દીનો સૌથી ખાસ તબક્કો ચાલી રહ્યો છે. એક તરફ ઇમ્તિયાઝ અલીની રોમેન્ટિક ડ્રામા ‘મૈં વાપસ આઉંગા’ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, તો બીજી તરફ તે હવે યશ રાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘આલ્ફા’ની રિલીઝ માટે તૈયાર છે. ૩ જુલાઈએ આવનારી આ ફિલ્મને લઈને શર્વરી ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મને મળી રહેલા પ્રતિસાદ અંગે શર્વરીએ કહ્યું, “સાચું કહું તો ‘મૈં વાપસ આઉંગા’ને…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.      આગરામાં BJP ના નગર સેવક કિશન નાયકે પોતાની સફાઈની ફરિયાદોને અવગણતા તંત્ર સામે વિરોધ કરવા પાણીથી ઉભરાતી ગટરમાં ઊભા રહીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.આ પ્રતિકાત્મક વિરોધનો હેતુ રહેવાસીઓ દ્વારા સામનો કરવામાં આવતી સતત ગટર વ્યવસ્થા ની સમસ્યાઓને ઉજાગર કરવાનો હતો. કિશન નાયકે આરોપ લગાવ્યો હતો કે ખુલ્લી ગટર અને અસ્વચ્છ સ્થિતિ અંગે વારંવાર ફરિયાદો કરવા છતાં સુઘરાઈ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ છે.         અધિકારીઓને નિષ્ક્રિયતાને કારણે તેમણે વિરોધની  અપરંપરાગત પદ્ધતિ અપનાવવાની ફરજ પડી હતી. આ ઘટનાએ નાગરિક માળખાગત સુવિધાઓની સ્થિતિ અને લાંબા સમયથી ચાલતી જાહેર ફરિયાદો પ્રત્યે સ્થાનિક અધિકારીઓની લાપરવાહી પર ચર્ચા જગાવી છે.

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.       SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન )ની પ્રક્રિયા શરૂ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને હાલમાં ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જ્યારે મળતા અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં SIR ની પ્રક્રિયાને કારણે 6 કરોડ જેટલા અધધધ!! નામો મતદારયાદીઓમાંથી દૂર કરવામાં આવ્યા છે.     અને આ એક ગંભીર બાબત છે કે જેનાથી એ સવાલ ઉભો થાય છે કે શું આટલા બધા લોકો ખરેખર મતદાન કરવા માટે અયોગ્ય છે? અહીં સૌથી મોટી ચિંતા એ છે કે જેમના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે તેમના માટેનું ભવિષ્ય શું છે? ઉપરાંત તેમને મતદાન કરવા માટે…

Read More

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત સ્ટેટ હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદ પરમારે એક વિડિયો દ્વારા ભાજપ સરકારની આરોગ્ય નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, આજે એક ચોંકાવનારો વિષય સામે આવ્યો છે. PM-JAY (આયુષ્માન) યોજનામાં કાર્ડની વેલીડીટી પૂરી થઈ જવાના લીધે અનેક ગરીબ દર્દીઓના કાર્ડ બંધ થઈ ગયા છે. કાર્ડ બંધ થવાને કારણે ગરીબોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ઇમરજન્સીના સમયે પણ તેમને સારવાર મળતું નથી. હોસ્પિટલો દ્વારા પહેલા કાર્ડ રિન્યુ કરાવવાનો આગ્રહ રાખીને મનમાની કરવામાં આવી રહી છે, જેનાથી ખાનગી હોસ્પિટલોને સીધો ફાયદો થઈ રહ્યો છે. તેમણે પંજાબની ‘આપ’ સરકારનું ઉદાહરણ આપતા ઉમેર્યું કે,…

Read More