- ઈરાનનો મોટો દાવો : અમેરિકા-ઈઝરાયલના કરાર ભંગ બાદ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ચેતવણી
- રાજકોટના શાપર-વેરાવળમાં ફિલ્મી ઢબે 2.47 કરોડની લૂંટ, 5 બુકાનીધારીઓ ફરાર
- તાઈવાન પર ચીનની નૌસેનાની ઘેરાબંધી વધતી, દરિયાઈ તણાવ ચરમસીમાએ
- શિવસેના સ્થાપના દિવસે શિંદેનો ઉદ્ધવ પર કટાક્ષ : “કૂતરા ભસે, ટાઈગર શિકાર કરે”
- આંધ્રપ્રદેશમાં 50 ટન સોનાનો ભંડાર મળ્યો, 4 વધુ સ્થળે માઇનિંગની તૈયારી
- ઈંગ્લેન્ડ શ્રેણી પહેલા ભારતને ઝટકો : હાર્દિક પંડ્યા બહાર, કોહલીનો નિર્ણય ફિટનેસ પર નિર્ભર
- 23 જૂનથી હવામાનમાં મોટો ફેરફાર શક્ય, ચોમાસું ફરી થશે સક્રિય : IMD આગાહી
- કેએસ ભરત દુબઈમાં નવી તક શોધવા નીકળ્યો, ભારતીય ક્રિકેટમાંથી દૂર થવાનો નિર્ણય
Author: Garvi Gujarat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતના વિવિધ શહેરોના વર્ષોથી વસતા અને જેમનો તો જન્મ જ ગુજરાતમાં થયો છે એવા રાજસ્થાની સમાજના પરિવારો વિવિધ વ્યવસાયોમાં આજે વ્યસ્ત થઈને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા સાથે બાળકોને સારું શિક્ષણ આપવા તનતોડ મહેનત કરી રહ્યા છે. એવો રાજસ્થાની સમાજ ધંધામાં જેમાં મુખ્યત્વે ટેક્ષટાઇલ્સ, અનાજ કરિયાણાની દુકાનો, આઇસક્રીમ, ઠંડા પીણા, ભોજનલાય, ચાની હોટેલ થી લઈને મીઠાઇની બ્રાન્ડેડ આઇટમોમાં નામ કાઢી રહ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે નાની મોટી કરિયાણાની કે આઇસ્ક્રીમ જેવી દુકાનોમાં પરિવારના સભ્યો જ મોટાભાગે કામ કરી દુકાન ચલાવતા હોય છે. આજ નાના મોટા ધંધા માંથી પોતાના સંતાનોને પછી એ છોકરો હોય કે છોકરી…
ટ્રમ્પનો સૌથી મોટો દાવો પરમાણુ હથિયાર છોડવા તૈયાર છે ઇરાન, અમેરિકા સાથે કરશે ડીલ ટ્રમ્પના મતે, અમેરિકાની સૈન્ય કાર્યવાહીઓએ તેહરાનની સૈન્ય ક્ષમતાઓને પાયમાલ કરી દીધી હોવાથી ઇરાન હવે નમવા મજબૂર બન્યું છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યાે છે કે ઇરાન પરમાણુ હથિયારો મેળવવાની તેની જીદ છોડવા અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે એક મોટી ડીલ પર હસ્તાક્ષર કરવા તૈયાર થઈ ગયું છે. ટ્રમ્પના મતે, અમેરિકાની સૈન્ય કાર્યવાહીઓએ તેહરાનની સૈન્ય ક્ષમતાઓને પાયમાલ કરી દીધી હોવાથી ઇરાન હવે નમવા મજબૂર બન્યું છે.સાઉથ કેરોલિનાના સેનેટર લિન્ડસે ગ્રેહામ માટે આયોજિત એક વર્ચ્યુઅલ ટેલિ-રેલી દરમિયાન સંબોધન કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન, ચાલી રહેલી વાટાઘાટો અને મધ્ય-પૂર્વની સુરક્ષા…
આ અવસરે શ્રી સંઘાણીએ તાજેતરમાં પૂર્ણ થયેલા અમેરિકા પ્રવાસ દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમો, ઉચ્ચસ્તરીય બેઠકો તેમજ કૃષિ અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ અનુભવો અને તારણોની માહિતી આપી. અમેરિકામાં કૃષિ નવીનીકરણ, સહકારી મોડલ, કૃષિ વ્યવસાય વિકાસ, ટેક્નોલોજી હસ્તાંતરણ તથા ખેડૂતકેન્દ્રિત પહેલો અંગે થયેલી ચર્ચાઓના મુખ્ય મુદ્દાઓથી મંત્રીશ્રીને જાણકારી આપેલ. બેઠક દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે કૃષિ, સહકારિતા, કૃષિ વ્યવસાય, ખાદ્ય સુરક્ષા, કૃષિ ટેક્નોલોજી અને ખેડૂત સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં સંભવિત સહકાર અને ભાગીદારી અંગે અર્થપૂર્ણ ચર્ચા થઈ. બંને દેશો વચ્ચે જ્ઞાન, ટેક્નોલોજી અને શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન-પ્રદાનને વધુ મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. શ્રી સંઘાણીએ કૃષિ અને ગ્રામ વિકાસ…
રાકેશ રોશને બજેટ મુદ્દે તકલીફોની વાતને અફવા ગણાવી ક્રિશ ૪ મુદ્દે રિતિક અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે કોઈ તકલીફ નથી છેલ્લાં કેટલાંક મહિનાઓમાં એવા અહેવાલો આવતા રહ્યા છે કે રિતિક આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરશે જ્યારથી ક્રિશ ૪ મુદ્ગે રિતિક રોશન અને યશરાજ ફિલ્મ્સ ઘર્ષણના અહેવાલો આવ્યા છે, ત્યારથી આ ફિલ્મ અંગે કોઈ પણ અહેવાલ કે માહિતી બહાર ન જાય તે અંગે ઘણું ધ્યાન રાખવામાં આવે છે. એવા અહેવાલો હતા કે ક્રિશ ૪ના વધતા બજેટ મુદ્દે ફિલ્મના ડિરેક્ટર રિતિક રોશન અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે કોઈ તકલીફ થઈ છે. ત્યારે હવે રાકેશ રોશને આ અફવાઓ અને અટકળો અંગે મૌન તોડ્યું છે.…
સોશિયલ મીડિયા પર ગીતનું એક ટીઝર પણ શેર કર્યું પરિણીતિ ચોપરા ટૉક શો પછી હવે આધ્યાત્મિક ગીતમાં જાેવા મળશે ફિલ્મોનાં વ્યસ્ત શીડ્યુલમાં તરત જ પાછા ફરવાને બદલે, તેણે ક્રિએટિવ ફિલ્ડમાં નવા વિકલ્પો અજમાવ્યા છે એક્ટર અને સિંગર પરિણીતિ ચોપરાએ એક નવા મ્યુઝિકલ પ્રોજેક્ટની ઝલક આપી છે અને તેમાંથી તે પોતાની વધુ એક અલગ સફર શરૂ કરવાની હોય એવો અંદાજ આવે છે. તાજેતરમાં તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે બહુ જલદી તેનું એક આધ્યાત્મિક ગીત આવશે અને આ વાતથી તેનાં ફૅન્સની પણ ઉત્સુકતા વધી હતી.તેણે પોતાના સોશિયલ મીડિયા પર આ ગીતનું એક ટીઝર પણ શેર કર્યું…
‘હું જે કામ કરતો આવ્યો છું, તેનાથી થોડો દૂર જવા માગું છું’ છેલ્લા ૧૦ વર્ષથી મને અભિનય છોડી દેવાનો વિચાર આવે છે : મનોજ બાજપેયી ભારતના ૧૯૯૦ના આર્થિક સંકટની ઘટનાઓથી પ્રેરિત આ ફિલ્મ ૧૨ જૂને થિએટર્સમાં રિલીઝ થવાની છે ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દી અને અનેક એવોર્ડ વિજેતા ફિલ્મો છતાં, બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયીએ સ્વીકાર્યું છે કે તેણે ઘણી વાર અભિનયને સંપૂર્ણપણે અલવિદા કહેવાનો વિચાર કર્યાે છે. એક પોડકાસ્ટ દરમિયાન મનોજે જણાવ્યું કે હવે તે સિનેમાનાં હળવા પાસાને અજમાવવા માંગે છે, જેમાં કોમર્શિયલ મનોરંજક ફિલ્મો અને સ્લેપસ્ટિક કોમેડીનો સમાવેશ થાય છે. આ પ્રકારની ફિલ્મો તેને તે સામાન્ય રીતે જે પ્રકારનાં…
તંત્રનો એક અધિકારી સસ્પેન્ડ બોલિવૂડ એક્ટર જાવેદ જાફરીની પત્ની સાથે ૧૬.૨૪ કરોડની છેતરપિંડી! રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ સરકારી રજીસ્ટ્રેશનના નકલી અને બોગસ દસ્તાવેજાે તૈયાર કર્યા હતા મુંબઈના પોશ વિસ્તાર ગણાતા બાંદરામાં એક રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે બોલીવૂડ અભિનેતા જાવેદ જાફરીની પત્ની હબીબા જાફરી સાથે ૧૬.૨૪ કરોડ રૂપિયાની મોટી છેતરપિંડી થઈ હોવાનો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પાેરેશન ના કે-નોર્થ વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મહેશ પાટીલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાટીલની સસ્પેન્શન ઓર્ડર ૫ જૂનના રોજ જારી કરવામાં આવ્યો હતો અને ૭ જૂન, રવિવારના રોજ તેમને બજાવવામાં આવ્યો છે.આ મામલે હબીબા જાફરીની ફરિયાદના…
આયોજકો અને અંધશ્રદ્ધા વિરોધીઓ વચ્ચે આરપારની જંગ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર વિવાદો વચ્ચે સંપન્ન વિજ્ઞાન અને ધર્મને કોઈ સીધો સંબંધ નથી. વિજ્ઞાન પોતે ધર્મમાંથી ઉદ્ભવ્યું છે, ધર્મ વિજ્ઞાનમાંથી નથી આવ્યો રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે ચર્ચા અને વિવાદોના કેન્દ્રમાં રહેલો બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો ‘દિવ્ય દરબાર‘ આખરે પૂર્ણ થયો છે. જાેકે, કથા અને દરબારની પૂર્ણાહુતિ બાદ પણ વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. દરબારના છેલ્લા દિવસે મંત્રશક્તિના પ્રયોગો દરમિયાન કેટલાક શ્રદ્ધાળુઓ સ્વયંભૂ ધૂણવા લાગતા અંધશ્રદ્ધા વિરોધી સંસ્થાઓ મેદાને આવી છે, જ્યારે આયોજકો આ ઘટનાઓને સનાતન ધર્મની પરંપરા ગણાવી રહ્યા છે. આ સમગ્ર વિવાદ અંગે કથાના…
ઓગસ્ટથી થશે હાઇ-ટેક બુકિંગ ભારતીય રેલ્વે બદલશે ૪૦ વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ નવી રિઝર્વેશન સિસ્ટમ અદ્યતન ક્લાઉડ અને ઉચ્ચ-ક્ષમતાવાળી ટેકનોલોજી પર કામ કરે છે તાજેતરમાં, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મેગા પ્રોજેક્ટની સમીક્ષા કરી. તેમણે રેલ્વે અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે કે જ્યારે ઓગસ્ટથી ટ્રેનો ધીમે ધીમે નવી સિસ્ટમમાં સંક્રમિત થશે, ત્યારે સામાન્ય મુસાફરોને ટિકિટ બુકિંગમાં કોઈ તકનીકી મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે. ભારતીય રેલ્વેનું વર્તમાન ટિકિટ બુકિંગ માળખું ૧૯૮૬માં વિકસાવવામાં આવ્યું હતું. છેલ્લા ૪૦ વર્ષોમાં ટેકનોલોજીમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. જ્યારે ૨૦૦૨માં પહેલી વાર ઇન્ટરનેટ ટિકિટ બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે ઓનલાઈન ગ્રાહકોની સંખ્યા ખૂબ ઓછી હતી. પરંતુ…
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે રાજીનામું આપ્યું રોયે આરોપ લગાવ્યો છે કે ભ્રષ્ટાચાર અંગે ખુલ્લેઆમ બોલ્યા બાદ તેઓ પાર્ટીમાં અલગ પડી ગયા હતા બંગાળ બાદ હવે દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. ્સ્ઝ્રના રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે રાજ્યસભા સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું છે કે તેમણે સાંસદ પદની સાથે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રોયે આરોપ લગાવ્યો છે કે ભ્રષ્ટાચાર અંગે ખુલ્લેઆમ બોલ્યા બાદ તેઓ પાર્ટીમાં અલગ પડી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સુખેન્દુ શેખર રાય આ સમયે દેશની રાજધાની દિલ્હીમાં જ હાજર છે. તેમણે સોમવારે સીધા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



