- સોમનાથમાં ઇતિહાસ રચાશે, ૧૧ તીર્થજળથી કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે
- પીએમ મોદી 10-11 મેે ગુજરાત પ્રવાસે, સોમનાથ મહોત્સવ અને વડોદરાના કાર્યક્રમોમાં આપશે હાજરી
- મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠી ફરજિયાત, પાયલોટ પ્રોજેક્ટમાં ૨૦ ટકા ડ્રાઈવરો નિષ્ફળ
- પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રથમ સરકાર, શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા
- ભારત-પાકિસ્તાન સંબંધોમાં નવો વળાંક, ત્રણ મહિનામાં બે ગુપ્ત બેઠકોની ચર્ચા
- મોતની અફવાઓથી નારાજ શક્તિ કપૂર, ખોટા સમાચાર ફેલાવનાર સામે કાનૂની કાર્યવાહી કરશે
- આંખોની સર્જરી બાદ અક્ષય કુમારે લીધો બ્રેક, અનીસ બઝ્મીની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ
- ૧૬૦૦ કરોડની ‘રામાયણ’માં યશે શરૂ કર્યું સીતાના સ્વયંવરનું ભવ્ય શૂટિંગ
Author: Garvi Gujarat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આ જગતમાં અનેક પ્રકારના લોકો છે. કોઈ શ્રધ્ધામાં વિશ્વાસ રાખે છે તો કોઈ અંધશ્રધ્ધા ને કારણે જીવન બરબાદ કરે છે. આમ કબીરજીએ કહ્યું હતું કે ઇસ જગત મે ભાત ભાત કે લોગ. અને એવી જ શ્રધ્ધાનો એક કિસ્સો અત્રે પ્રસ્તુત છે. વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા માટે આગ્રાનો પહેલવાન ગૌરવ ચાહર કમરથી ગાડી ખેંચીને સંત પ્રેમાનંદ મહારાજ ને મળવા માટે ૯૦ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરીને રવિવારે વૃંદાવન પહોંચ્યો હતો. ગૌરવનું લક્ષ્ય મહારાજના આશીર્વાદ મેળવવાનું અને યુવાનોમાં શક્તિ અને ભક્તિનો સંદેશ ફેલાવવાનું છે. ગૌરવ ચાહર વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના પ્રવચનોથી પ્રભાવિત છે અને તેમની સાથે વ્યક્તિગત…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે રાજય સરકારને બાળલગ્નો રોકવા માટે લગ્નની આમંત્રણપત્રિકા પર કન્યા અને વરરાજાની જન્મતારીખ લખવાનું ફરજિયાત કરવું જોઈએ એવું સૂચન કર્યું છે. કમિશને કહ્યું હતું કે બાળ લગ્નો અને બાળકોના જાતીય શોષણને રોકવા માટે રાજયભરમાં જાગૃતિ અભિયાનો વધુ તીવ્ર બનાવવા જોઈએ. રાજસ્થાનની જેમ લગ્નની આમંત્રણપત્રિકા પર કન્યા અને વરરાજાની જન્મતારીખનો ઉલ્લેખ ફરજિયાત બનાવવા માટે રાજય સરકારને ભલામણ કરવાનો પણ કમિશને નિર્ણય લીધો છે. પેનલે સોલાપુર જિલ્લામાં નોંધાયેલા ટીનેજર છોકરીના માતા બનવાના શંકાસ્પદ કેસોની સંયુકત તપાસનો આદેશ આપ્યો છે અને આ મુદ્દાને બાળઅધિકારોનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે.
તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા ‘તંત્રની ‘ઘોર’ બેદરકારી : સુરતમાં એક જ મતદાર પાંચ-પાંચ વાર ‘નોંધાયો’ સીસ્ટમનો લોચો કે અધિકારીઓની આળસ? અશોક ચૌધરીએ પાંચ વાર ફોર્મ ભર્યાં, પાંચેય વાર મંજૂર થઈ ગયા! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને ચૂંટણી શાખાની એક ગંભીર બેદરકારી સામે આવી છે. મગદલ્લા વોર્ડ નંબર ૨૨ની મતદારયાદીમાં એક જ વ્યક્તિનું નામ પાંચ અલગ-અલગ જગ્યાએ નોંધાયેલું જાેવા મળતા સમગ્ર તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ERO કક્ષાએ થયેલી આ પાંચ ગણી ભૂલને સુધારવાને બદલે પાલિકાના અધિકારીઓએ પણ આંખ આડા કાન કરીને તેને યથાવત રાખી છે. પરિણામે, વોર્ડ નંબર…
પત્નીએ માંગણી ન કરી હોવા છતાં કોર્ટે પતિને ૫૦ લાખ ચૂકવવા આદેશ કર્યાે છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેરોજગાર બની જાય છે : સુપ્રીમ અદાલતમાં જ્યારે છૂટાછેડાના કેસની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે પતિએ વારંવાર કહ્યું કે તેને છૂટાછેડા મંજૂર નથી સુપ્રીમ કોર્ટમાં દરરોજ વિવિધ કેસોની સુનાવણી થતી હોય છે, પરંતુ ઘણીવાર ન્યાયાધીશોની ટિપ્પણીઓ કે કેસની ગંભીરતાને કારણે તે ચર્ચાનું કેન્દ્ર બને છે. આવો જ એક છૂટાછેડા સાથે જાેડાયેલો કિસ્સો શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો, જેમાં જજે અત્યંત મહત્વની ટિપ્પણી કરી હતી. આ મામલામાં પત્નીએ છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી, જાેકે સુનાવણી દરમિયાન પતિએ દલીલ કરી હતી કે…
બંને દેશો વચ્ચે યુદ્ધ અંગે બીજા તબક્કાની વાટાઘાટો થશે ટ્રમ્પે વિટફોક, ઇરાને અરાઘચીને વાટાઘાટો માટે પાકિસ્તાન રવાના કર્યા પ્રાથમિક વાટાઘાટોમાં સકારાત્મક પરિણામ દેખાશે તો યુએસ ઉપ પ્રમુખ વેન્સ પણ પાકિસ્તાન પહોંચશે યુએસ-ઈરાન વચ્ચે તણાવયુક્ત યુદ્ધ વિરામની વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી પોતાના પ્રતિનિધિ મંડળ સાથે પાકિસ્તાન રવાના થયા હતા અને મોડી રાત્રે પહોંચી ગયા હતા. અરાઘચીએ પાકિસ્તાનની વાટ પકડ્યાના થોડા કલાકો બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જમાઈ જેરેડ કુશનરને પણ પાકિસ્તાન જવા રવાના કર્યા છે. પાકિસ્તાનમાં યુએસ-ઈરાન વચ્ચે યુદ્ધનો અંત લાવવા અને સંધિની શરતો નક્કી કરવા બીજા તબક્કાની વાટાઘાટો હાથ ધરવામાં આવશે. યુએસ ઉપ પ્રમુખ…
કોલેસ્ટ્રોલની મહિનાની દવા ૫૩૭ ડોલરના બદલે હવે માત્ર ૨૨૫ ડોલરમાં મળશે અમેરિકાના ઈતિહાસમાં દવા કિંમતમાં સૌથી મોટો ઘટાડો: ટ્રમ્પ વિશ્વના બ્રાન્ડેડ દવા બજારમાં ૮૦ ટકા હિસ્સો ધરાવતી ૧૭ મોટી કંપનીઓએ અમેરિકાના દર્દીઓને વિશ્વમાં સૌથી વધી નીચા ભાવે દવા આપવા સંમતિ દર્શાવી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વની અગ્રણી ફાર્મા કંપનીઓ સાથે કરાર કર્યા છે અને તેના કારણે અમેરિકાના ઈતિહાસમાં દવાની કિંમતમાં સૌથી વધુ કાપ મૂકાવાની અને વિશ્વમાં સૌથી વધુ સસ્તી દવા યુએસમાં મળવાનો દાવો કર્યાે છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, અગ્રણી ફાર્મા કંપનીઓ પૈકીની એક રીજેનેરોને ‘મોસ્ટ ફેવર્ડ નેશન પ્રાઈઝ’ સાથે યુએસને દવાઓ આપવા સંમતિ બતાવી છે. અગાઉ કોઈએ ક્યારેય નહીં…
શબ્દોની પસંદગીમાં ભૂલ થઈ: અનુ કપૂર તમન્ના ભાટિયાને ‘દૂધિયા બદન’ કહેવા પાછળ શું હતી અનુ કપૂરની અસલી મનશા ? જાે મેં ‘દૂધિયા બદન’ ને બદલે ‘મિલ્કી બોડી’કહ્યું હોત, તો કદાચ કોઈ મુસીબત ન આવી હોત.”: અનુ કપૂર બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુ કપૂર હાલમાં પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલા તેમણે અભિનેત્રી તમન્ના ભાટિયા માટે ‘દૂધિયા બદન’ જેવા શબ્દનો ઉપયોગ કર્યાે હતો. એવામાં અનુ કપૂરે પોતાની અસલી મનશા જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.તમન્ના ભાટિયાને ‘દૂધિયા બદન’ કહેવા પાછળ શું હતી અનુ કપૂરની અસલી મનશા ? ખુલ્લેઆમ કરી નાખી ‘મનની વાત’બોલિવૂડ અભિનેતા અનુ કપૂરે થોડા મહિના પહેલા…
‘તે માત્ર એક વ્યવસાયિક ર્નિણય હતો’ કાજાેલે ‘કિસ’ ન કરવાની પોલીસી તોડવાનો શું ખુલાસો કર્યાે ? કાજાેલે ત્રણ દાયકાની કારકીર્દી પછી ‘કિસ’ માટેનો નિયમ ‘ધ ટ્રાયલ’ વેબસીરીઝ માટે તોડયો હતો કાજાેલે આખરે ’ધ ટ્રાયલ’ વેબ સિરીઝમાં પડદા પર કિસ ન કરવાના તેના જૂના નિયમને તોડવા વિશે ખુલીને વાત કરી છે. તેણે સંકેત આપ્યો કે આ ર્નિણય તેના પાત્ર સાથે ઊંડો જાેડાયેલો હતો, જે પાત્ર જીશુ સેનગુપ્તાની સામે હતું.પોતાની કારકિર્દીના લગભગ ત્રણ દાયકા પછી, કાજાેલે આ નિયમ તોડવા પાછળનું કારણ સમજાવતા કહ્યું કે, આ ર્નિણય સ્ક્રિપ્ટ અને પાત્રની માંગને કારણે લેવામાં આવ્યો હતો.કાજાેલે ૨૦૨૩ માં ‘ધ ટ્રાયલ – પ્યાર, કાનૂન, ધોખા’દ્વારા…
નયનતારા સાથેની ફિલ્મ ઈદ વખતે રીલિઝ કરાશે હિટ ફિલ્મ ખાતર સલમાન ફરી ઈદ વખતે નસીબ અજમાવશે ફલ્મ સાઉથના ડિરેક્ટર વામશી પેડિપલ્લી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ હજુ તાજેતરમાં જ શરુ કરાયું છેલ્લાં કેટલાંય વર્ષાેથી કોઈ મોટી હિટ ફિલ્મ નહિ આપી શકેલો સલમાન ખાન આવતાં વર્ષે ફરી ઈદ વખતે નસીબ અજમાવશે. તેની નયનતારા સાથેની આગામી ફિલ્મ ઈદ વખતે રીલિઝ કરવાની જાહેરાત થઈ છે. વર્ષાે અગાઉ સલમાનની ફિલ્મ ઈદ વખતે રીલિઝ થાય એટલે હિટ જ થાય તેમ મનાતું હતું. પરંતુ, તાજેતરનાં વર્ષાેમાં આ માન્યતા પણ ખોટી સાબિત થઈ છે. સલમાન છેલ્લાં કેટલાંય વર્ષાેથી સાવ બેકાર સ્ક્રિપ્ટ પસંદ કરી રહ્યો છે અને…
શાહરૂખનાં ઘર પાસે જ ફલેટની ખરીદી શાહરૂખની મેનેજર પૂજાએ ૩૮ કરોડમાં ત્રણ ફલેટ લીધા પૂજાએ એક ફલેટ પોતાના નામે લીધો છે, જ્યારે બીજાે ફલેટ પતિ તથા ત્રીજાે ફલેટ પિતાના નામે બૂક કરાવ્યો શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ મુંબઇના બાંદરામાં ત્રણ ફલેટ ૩૮.૨૧ કરોડમાં ખરીદ્યા છે. આ બિલ્ડિંગનું બાંધકામ હજુ ચાલી રહ્યું છે. તેને ડિસેમ્બર ૨૦૨૮માં પઝેશન મળી શકે છે. પૂજાએ એક ફલેટ પોતાના નામે લીધો છે. જ્યારે બીજાે ફલેટ પતિ તથા ત્રીજાે ફલેટ પિતાના નામે બૂક કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે શાહરુખનો મન્નત બંગલો પણ બાંદરા વિસ્તારમાં જ છે. જાેકે, શાહરુખે હાલ મન્નતમાં વધુ બે ફલોરનાં એક્ટેન્શનનું કામ શરુ કરાવ્યું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



