- ટ્રમ્પના દાવા બાદ ઈટલી PM જ્યોર્જિયા મેલોનીનો આકરા જવાબ, નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કોલકાતામાં અનોખો નજારો: હૂગલી નદી પર 500થી વધુ નૌકાઓમાં સામૂહિક યોગ
- ફૂટપાથ પર ચાલવું મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારને કાયદો બનાવવા નિર્દેશ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીઓના રાજીનામા, નવા ભરતી થયેલા કર્મીઓએ પણ છોડ્યો રસ્તો
- બેરોજગારી, ગરીબી અને મોંઘવારીના કારણે યુવાનો અને યુવતીઓ ખોટા માર્ગે ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ
- મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડના દાન અને દાગીના ગાયબ હોવાનો ગંભીર આરોપ
- સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ, પીડિતાને ₹5 લાખ વળતર
- મિડલ ઈસ્ટમાંથી રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલના 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
Author: Garvi Gujarat
માર્કરામ-ડીકોક વચ્ચે ૯૫ રનની ભાગીદારી વેસ્ટ ઈન્ડિઝને હરાવી દક્ષિણ આફ્રિકાની સેમિ ફાઈનલમાં એન્ટ્રી વેસ્ટ ઇન્ડિઝે આપેલા ૧૭૭ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત આક્રમક રહી હતી ટી૨૦ વર્લ્ડ કપના સુપર-૮ તબક્કામાં આજે દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝ સામે શાનદાર વિજય મેળવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી સુપર-૮ સ્ટેજની આ એકતરફી મેચમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝને ૯ વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. આ જીત સાથે ભારતીય ટીમ માટે પણ સેમિફાઇનલનો રસ્તો હવે ઘણો આસાન થઈ ગયો છે. વેસ્ટ ઇન્ડિઝે આપેલા ૧૭૭ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ આક્રમક રહી હતી. કેપ્ટન એડન માર્કરામ અને…
ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવશે : વડાપ્રધાન મોદી ભારત-ઈઝરાયેલ વચ્ચે અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી, કૃષિ સહિત અનેક સેક્ટરોમાં સહયોગ વધારવા મુદ્દે વાતચીત બાદ એમઓયુ પર હસ્તાક્ષર ઈઝરાયેલ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે બેઠક યોજાઈને અનેક મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. બંને નેતાઓ વચ્ચે આજે (૨૬ ફેબ્રુઆરી) મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી, કૃષિ સહિત અનેક સેક્ટરોમાં સહયોગ વધારવા મુદ્દે વાતચીત કરવામાં આવી છે. ત્યારબાદ બંને નેતાઓએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે સમજૂતીઓનું આદાન-પ્રદાન કરવામાં…
ગૂંગળામણને કારણે માતા-પુત્રનું કરુણ મોત રાજકોટના મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રિએ ભીષણ આગ લાગી ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. રાજકોટના પેલેસ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગવાની કમનસીબ ઘટના બની છે. આ દુર્ઘટનામાં ચોથા માળે આવેલા એક ફ્લેટમાં લાગેલી આગને કારણે ગૂંગળામણ થવાથી માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે, જ્યારે પૌત્ર બહાર હોવાથી તેનો બચાવ થયો છે.રાજકોટના પેલેસ રોડ પર વર્ધમાનનગર શેરી નંબર ૮માં આવેલા ‘મનમંદિર એપાર્ટમેન્ટ’ ના ચોથા માળે, બ્લોક નંબર C-402માં ગત રાત્રે આશરે…
NCTEના મંજૂરી પત્ર જ બોગસ ગુજરાતના ઉનામાં ધમધમતી નકલી બીએડ કોલેજ પકડાઈ! વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ ઉનાની વી.બી. નાંડોળા બીએડ કોલેજમાં અભ્યાસ કર્યાે છે ઉના પંથકના ભાચા ગામમાં ‘વનિતાબેન બચુભાઈ નાંડોળા બીએડ કોલેજ’ NCTEની બોગસ મંજૂરીના આધારે બે વર્ષ સુધી ધમધમતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વાસ્તવમાં NCTE દ્વારા આ કોલેજને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હતી. આ કૌભાંડમાં જવાબદારોએ NCTE ના નામે નકલી મંજૂરીપત્ર તૈયાર કરી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગ અને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મોકલી આપ્યો હતો.આ બોગસ પત્રને આધારે યુનિવર્સિટીએ પણ કોલેજને વિદ્યાર્થીઓની ફાળવણી કરી દીધી હોવાના અણસાર મળી રહ્યા છે.…
યુએસ સંસદમાં ટ્રમ્પનો ખોંખારો ઈરાન પાસે પરમાણુ હથિયાર રહેવા દઈશું નહીં ૧૦ મહિનામાં ૮ યુદ્ધ રોકાવ્યા હોવાનો દાવો ટ્રમ્પે કર્યાે હતો. તેમણે કંબોડિયા-થાઈલેન્ડ અને ભારત-પાકિસ્તાન સંઘર્ષનો ઉલ્લેખ કર્યાે હતો. અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી પહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધન કર્યુ હતું. ટ્રમ્પે આ વક્તવ્ય દરમિયાન ભાવિ નીતિઓ અને રાજનીતિ અંગે વાત કરી હતી. યુએસ સંસદમાં ટ્રમ્પે ખોંખારીને ઈરાનને પાઠ ભણાવવાનું એલાન કર્યું હતું. તેમણે ઈરાન પાસે પરમાણુ હથિયાર નહીં રહેવા દેવાનો હંકાર કર્યાે હતો. ૧૦૮ મિનિટના પ્રવચન દરમિયાન તેમણે ઈરાન સરકારને ૩૨ હજાર પ્રદર્શનકારીઓની હત્યા માટે જવાબદાર ઠેરવી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાન સાથેનો વિવાદ ઘર્ષણના બદલે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઈઝરાયલની સંસદમાં સંબોધન ‘અમે શાંતિના દૂત, ગાઝા શાંતિ યોજનાને ભારતનું સમર્થન’ શાંતિનો રસ્તો હંમેશા સરળ નથી હોતો, પરંતુ ભારત શાંતિ લાવવાની આ પ્રક્રિયામાં હંમેશા સાથે છે. ગાઝા શાંતિ પ્રયાસમાં ભારત તમારી સાથે છે લગભગ ૯ વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. તેમના સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી ઇઝરાયલી સંસદ, નેસેટને પણ સંબોધિત કરી. વડાપ્રધાન મોદી બુધવારે સ્થાનિક સમય મુજબ બપોરે ૧૨:૪૫ વાગ્યે તેમની સત્તાવાર મુલાકાતે ઇઝરાયલ પહોંચ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઇઝરાયલની સંસદમાં સંબોધન કર્યું હતું. ભાષણની શરૂઆત શાલોમ અને નમસ્તેથી કરી. તેમણે કહ્યું કે,…
ડિનર ટેબલ ગુલાબી ટ્યૂલિપ્સ અને સફેદ ફૂલોથી શણગારેલું જાેવા મળ્યું રશ્મિકા મંદાનાએ હલ્દી સેરેમનીની પહેલી ઝલક શેર કરી બીજી એક સ્ટોરીમાં અભિનેતાએ પર્સનલાઇઝ્ડ ફૂલના આકારના નામના પ્લેકાડર્સનો ક્લોઝ-અપ શેર કર્યાે હતો. તેલુગુ સ્ટાર વિજય દેવરાકોંડાએ અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે તેમના લગ્ન પહેલા હલ્દી સમારોહની ઝલક શેર કરી હતી. આ યુગલ ઉદયપુરની બહાર એક લક્ઝરી હોટલમાં લગ્ન કરશે અને લગ્ન પહેલાની ઉજવણી બે દિવસ ચાલી હતી.વિજયે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝના માધ્યમથી ચાહકોને હલ્દીના અદ્ભુત સેટઅપની ઝલક આપી હતી. વિઝ્યુઅલ્સમાં એક ગોળાકાર બહારની જગ્યા દેખાતી હતી. જ્યાં દુલ્હા-દુલ્હન માટે વચ્ચે લાકડાના નાના બે સ્ટૂલ રાખવામાં આવ્યા હતા. આ જગ્યાની આસપાસ પીળા અને નારંગી…
મીનાક્ષી ચૌધરી ફાઈનલ, આયશા ખાનને ઓફર ભાગમભાગ ટુમાં અક્ષય કુમાર બે હિરોઈનો સાથે રોમાન્સ કરશે ‘ભાગમ ભાગ ટુ ફિલ્મની વાર્તા સંપૂર્ણ રીતે નવી જ હશે તેવો દાવો છે. મૂળ ફિલ્મ સાથે તેનું કોઈ કનેક્શન નહિ હોય. અક્ષય કુમાર ‘ભાગમ ભાગ ટુ’ ફિલ્મમાં બબ્બે હસીનાઓ સાથે રોમાન્સ કરતો જાેવા મળશે. એક હિરોઈન તરીકે મીનાક્ષી ચૌધરીને ફાઇનલ કરી દેવામાં આવીછે, જ્યારે બીજી હિરોઈન તરીકે આયશા ખાન સાથ ેવાતચીત ચાલુ છે. મૂળ ફિલ્મમાં ગોવિંદા અને અક્ષયની જાેડીએ દર્શકોનું મનોરંજન કર્યુ હતું, પરંતુ આ વખતે ગોવિંદાને પડતો મુકીને મનોજ વાજપેયીને લેવામાં આવ્યો છે. ઉપરાંત પરેશ રાવલ કોમેડીની કસર પૂૂરી કરશે. મનોજ વાજપેયી સામે પણ…
મને લાગે છે કે આ કોલબરેશન થવું જ જાેઈએ : વિશાલ વિશાલ ભારદ્વાજ અને શાહરુખ સાથે કામ કરી શકે છે વિશાલ ભારદ્વાજે ‘હૈદર’ (૨૦૧૪), ‘કમિને’ (૨૦૦૯) અને ‘મકબૂલ’ (૨૦૦૩) જેવી યાદગાર ફિલ્મો આપી છે. શાહરૂખ ખાન પોતાની આવનારી એક્શન ફિલ્મ ‘કિંગ’ની રિલીઝ માટે તૈયારીઓ કરી રહ્યો છે, ત્યારે લાગે છે કે એસઆરકે અને વિશાલ ભારદ્વાજ વચ્ચેનું કોલબરેશન નજીકના ભવિષ્યમાં જાેવા મળી શકે છે.કાવ્યાત્મક પરંતુ ધારદાર વાર્તા કહેવા માટે જાણીતા વિશાલ ભારદ્વાજે ‘હૈદર’ (૨૦૧૪), ‘કમિને’ (૨૦૦૯) અને ‘મકબૂલ’ (૨૦૦૩) જેવી યાદગાર ફિલ્મો આપી છે. વર્ષાેથી આ ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ અને એક્ટર શાહરુખ એકબીજાના વખાણ કરતા આવ્યા છે, છતાં અત્યાર સુધી તેમણે…
રણવીર અને નિર્માતાઓ વચ્ચેની ચર્ચા ‘ધુરંધર’ રિલીઝ થવા સુધી ચાલુ રહી હતી વધતો ‘ડોન ૩’ વિવાદ : કાનૂની વિકલ્પથી ઉકેલ લાવવાની સલાહ પ્રોડક્શન હાઉસે પ્રી-પ્રોડક્શન અને ડેવલપમેન્ટ તબક્કામાં થયેલા નુકસાનનો હવાલો આપી ૪૦ કરોડના વળતર માંગ કરી છે. ડોન ૩નો વિવાદ દિવસે ને દિવસે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, હવે આ વિવાદમાં પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ ‘ડોન ૩’ના નિર્માતાઓ અને અભિનેતા રણવીર સિંહને વળતરનો વિવાદ ઉકેલવા કાનૂની માર્ગ અપનાવવા સલાહ આપી છે. પ્રોડ્યુસર્સ ગિલ્ડની મધ્યસ્થી દ્વારા મામલો ઉકેલવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે આ ભલામણ કરાઈ છે.બંને પક્ષો પોતાના વલણ પર અડગ રહેતા, ગિલ્ડના સભ્યોએ સૂચવ્યું કે મામલો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



