Author: Garvi Gujarat

અઢી અઢી વર્ષ માટે મેયર પદની ભાજપ પાસે માંગ કરી છે. અને પોતાના કોર્પોરેટર્સને ફાઈવ સ્ટાર હોટલમાં ખસેડી દીધા છે. એક તરફ મુખ્યમંત્રી ફડણવીસ વિવાદ નથી તેવી હામ ભરી રહ્યા છે, પણ ઘટનાક્રમ બીજી તરફ ઈશારો કરી રહ્યું છે. કારણ કે મોકો જાેઈને ઉદ્ધવ ઠાકરે પણ કહ્યું કે, ‘જાે ભગવાનની ઈચ્છા હશે તો શિવસેના UBT જ મેયર બનશે‘. સંજય રાઉતે પણ લાભ ઉઠાવતા જણાવ્યું કે, ‘શિવસેના એકનાથ જૂથના ઘણા કોર્પોરેટર નથી ઇચ્છતા કે ભાજપનો મેયર બને, અમે ઘણાના સંપર્કમાં છીએ‘ એકનાથ શિંદેએ કોર્પોરેટર્સને હોટલમાં જેલની માફક કેદી બનાવીને રાખ્યા જે કાયદાકીય વ્યવસ્થા પર સવાલ ઊભા કરે છે, કોર્પોરેટર્સને ડર છે…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમની વિશેષ ઉપસ્થિતમાં સાણંદનાં લોદરિયાલ ગામે બુથ કાર્યકર્તા સંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં ગુજરાત પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ખેડૂત નેતા સાગર રબારી, રાજુભાઈ સોલંકી, યુવા મોરચા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી, ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લી ઘડીએ સાણંદનાં લોદરિયાલ ગામે આયોજન નક્કી થયુ હોવા છતાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુથ કાર્યકર્તા બેઠકને સંબોધન…

Read More

૧૯ દિવસમાં આવ્યા ૨૧ ભૂકંપના આંચકા.ભૂકંપની સળગતી ધરા પર બેઠું છે ગુજરાતનું આ નાનકડું શહેર!.ભૂકંપ ઝોન-૫માં આવેલા કચ્છની ફોલ્ટ લાઈન ફરી સક્રિય થઈ છે, જેને કારણે છેલ્લાં એક મહિનામાં ભૂકંપના આંચકા વધી ગયા છે.કચ્છ-સૌરાષ્ટ્ર હાલ ભૂકંપની સળગતી ધરા પર બેઠું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનું એક શહેર એવું છે, જેની ધરતી સતત ભૂકંપના આંચકાથી ડચકા ખાઈ રહી છે. છેલ્લા ૧૯ દિવસમાં ઉપલેટા-મધ્યમમાં ૨૧ ભરતીકંપના આંચકા નોંધાયા છે. સૌથી વધુ ઉપલેટા, ભાયા, પોરબંદર, તાલાલા, અમરેલી, ભાવનગર પંથકમાં આંચકા આવ્યા છે. જેની તીવ્રતા ૨.૫ થી ૩.૬ સુધીની નોંધાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ફોલ્ટ લાઈન સક્રિય થઇ તેના કારણે આંચકા આવી રહ્યાં…

Read More

ભારતના ટેક સેક્ટરમાં ક્રાંતિની અસર.એઆઈ અને મશીન લર્નિંગમાં સેલેરી રૂ. ૫ લાખથી વધીને ૪૫ લાખ થશે.ભારતમાં એઆઈ અને મશીન લર્નિંગ સેક્ટરમાં દર વર્ષે ૪૦ ટકા વૃદ્ધિનો ફાયદો ફ્રેશર્સને મળશે : રિપોર્ટ.ભારતમાં અનેક કંપનીઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો મોટો પાયે ઉપયોગ શરૂ કર્યો છે. જેથી તે ભવિષ્યની ટેકનોલોજી નથી રહી. સેક્ટરના જાણકારોના જણાવ્યા અનુસાર, નવા ગ્રેજ્યુએટથી લઈને એક્સપર્ટ્સ સુધી એઆઈ અને એમએલમાં કામ કરતા પ્રોફેશનલ્સના પગારમાં વૃદ્ધિ જાેવા મળી રહી છે. ૨૦૨૬ના અંત સુધીમાં ભારતીય એઆઈ અને મશીન લર્નિંગના જાણકારોના પગારમાં સૌથી વધુ વધારો જાેવા મળશે. રિપોર્ટ મુજબ, ભારતનું એઆઈ અને મશીન લર્નિંગ બજાર વાર્ષિક ધોરણે ૪૦ ટકાથી વધુના દરે…

Read More

અમેરિકાનું ટેન્શન વધ્યું.ટ્રમ્પની જીદ સામે રસ્તા પર ઉતર્યા ગ્રીનલેન્ડના લોકો.”મેક અમેરિકા ગો અવે”ના નારા લગાવવામાં આવ્યા.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેનમાર્કના સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડ પર કબજાે કરવાની ઇચ્છા જતાવતાં યુરોપમાં તણાવ ઊભો થયો છે. ટ્રમ્પની નીતિઓની વ્યાપક ટીકા થઈ છે. ગ્રીનલેન્ડને હસ્તગત કરવા માટે અમેરિકા સૈન્ય કાર્યવાહી પણ કરી શકે એમ છે, એવી ટ્રમ્પની ધમકીના જવાબમાં ૧૭ જાન્યુઆરીના રોજ ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના હજારો નાગરિકોએ વિરોધ પ્રદર્શનો કરીને ‘Make America Go Away’ (અમેરિકાને દૂર કરો)ના ઝંડા લહેરાવ્યા હતા. ગ્રીનલેન્ડની રાજધાની નૂક અને ડેનમાર્કની રાજધાની કોપનહેગન સહિત ઘણા શહેરોમાં લોકોએ રેલીઓ કાઢી હતી. પ્રદર્શનકારીઓએ ‘કલાલ્લિત નુનાત!’ (ગ્રીનલેન્ડિક ભાષામાં ગ્રીનલેન્ડનું નામ) અને ‘Greenland is…

Read More

ટિશ્યુ પેપર પર લખેલું હતું “વિમાનમાં બોમ્બ”.લખનૌમાં ૈંહઙ્ઘૈય્ર્ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું.છ્ઝ્ર ને ફ્લાઇટમાં બોમ્બ ધમકીની માહિતી મળી હતી.રવિવારે (૧૮ જાન્યુઆરી) ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના દિલ્હીથી બાગડોગરા જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ નંબર ૬ઈ-૬૬૫૦ સાથે સંકળાયેલી હતી. લખનૌ કમિશનરેટ પોલીસે આ ઘટના અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) દ્વારા ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીની માહિતી મળી હતી. ટીશ્યુ પેપર પર “વિમાનમાં બોમ્બ” લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. માહિતી મળતાં, વિમાને તમામ સલામતી ધોરણો અને નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કરીને લખનૌ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું.…

Read More

મુંબઈમાં સત્તા માટે ખેંચતાણ.કોણ બનશે મુંબઈના મેયર, માયાનગરી પર કોણ રાજ કરશે.બીજેપી અને શિંદે ગુટ વચ્ચે ચર્ચા ચાલુ, શિંદેના કોર્પોરેટરો હોટલમાં રહીને મજબૂત સ્થિતિ બનાવી રહ્યા છે.મહારાષ્ટ્રના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ ગઠબંધને મોટી જીત મેળવી છે. બીએમસીમાં ભગવો લહેરાયો છે. એકનાથ શિંદે અને ભાજપની સેનાએ મળીને શિવસેનાને હરાવી છે. ત્યારે પહેલીવાર બીએમસીમાં ભાજપના મેયર બનવા જઈ રહ્યા છે, જે ભગવા દળ માટે સૌથી મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે. ગત ત્રણ દાયકામાં બીએમસીની કમાન ઠાકરે પરિવાર પાસે રહી હતી. હવે મુંબઈના રાજકારણમાં મોટો ફેરબદલ થયો છે. પરંતું આ વચ્ચે મુંબઈના મેયર કોણ બનશે તેના પર પેચ અટક્યો છે.…

Read More

સિંગુરથી વડાપ્રધાન મોદીનો હુંકાર.બંગાળમાં ૧૫ વર્ષના ‘મહા જંગલરાજ’ને હટાવવાનો સમય.મોદીએ રૂ. ૮૩૦ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરતા જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં બંગાળમાં જેટલું કામ થયું છે, તેટલું કદાચ છેલ્લા ૧૦૦ વર્ષમાં નથી થયું.પશ્ચિમ બંગાળમાં માર્ચ-એપ્રિલ ૨૦૨૬માં વિધાનસભા ચૂંટણીઓ છે, ત્યારે વડાપ્રધાન મોદીએ જાણે આ જનસભા કરીને ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું છે. અહીંના હુગલી જિલ્લાના સિંગુરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે બિહારના ઉદાહરણ સાથે બંગાળની સ્થિતિની સરખામણી કરતા કહ્યું કે, ‘જે રીતે ભાજપ-દ્ગડ્ઢછ એ બિહારમાં જંગલરાજને ફરીથી આવતા રોક્યું છે, તેવી જ રીતે હવે બંગાળની જનતા પણ ૧૫ વર્ષના મહા-જંગલરાજને વિદાય આપવા તૈયાર…

Read More

ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીના 20મા પદવીદાન સમારોહમાં છને પીએચડી, 11 છાત્રોને ગોલ્ડ મેડલ સહિત 649 પદવીઓ એનાયત કરાઈ ગાંધીનગર અગાઉ DA-IICT તરીકે ઓળખાતી અને હવે ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી (DAU)ના ગાંધીનગર કેમ્પસ ખાતે 20મો પદવીદાન સમારોહમાં વિવિધ ફેકલ્ટીના 11 છાત્રોને ગોલ્ડ મડેલ સહિત 649 વિદ્યર્થીઓને પદવી એનાયત કરાઈ હતી, જેમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને ડોક્ટરલ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. 75 ટાકાથી વધુનું પ્લેસમેન્ટ, 57 લાખનું સૌથી મોટું વાર્ષિક પેકેજ નોંધનીય બાબત એ છે કે સંસ્થાના વિવિધ કોર્સમાંથી ઉત્તીર્ણ થનારા 75 ટકાથી વધુ છાત્રોનું દેશ-વિદેશની વિવિધ કંપનીઓમાં પ્લેસમેન્ટ થઈ ગયું છે જ્યારે હજુ આ પ્રક્રિયા જારી છે. ચાલુ વર્ષના પ્લેસમેન્ટમાં સૌથી વધુ 57 લાખનું…

Read More

ગ્રામસભામાં લેવાયો ઐતિહાસિક ર્નિણય.જાે કોઈ વ્યક્તિ દારૂ પીતા પકડાશે બનાવેલા ‘પાંજરા’માં પૂરવામાં આવશે.મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાંછા ગામે વ્યસનમુક્તિ માટે એક અત્યંત અનોખો ર્નિણય લીધો.ગુજરાતમાં દારૂબંધીના કાયદાની અમલવારી વચ્ચે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાંછા ગામે વ્યસનમુક્તિ માટે એક અત્યંત અનોખો અને કડક ર્નિણય લીધો છે. ગામને દારૂબંધી અને વ્યસનમુક્ત બનાવવા માટે ગ્રામજનોએ એકજુટ થઈને જાહેર કર્યું છે કે, જાે કોઈ વ્યક્તિ દારૂ પીતા પકડાશે તો તેને પોલીસને સોંપતા પહેલા ગામમાં ખાસ બનાવેલા ‘પાંજરા’માં પૂરવામાં આવશે. ગઈકાલે રાત્રે પાંછા ગામમાં સરપંચ અને ગામના વડીલોની હાજરીમાં એક વિશાળ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગામના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત…

Read More